CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 50 of 126 - CIA Live

August 19, 2020
corona-gujarat.jpg
1min2650

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૫૭,૨૩૪ ટેસ્ટ દ્વારા કોરોનાથી સંક્રમિત દર્દીને શોધવાના પ્રયાસમાં નવા ૧૧૨૬ કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક ૮૦,૦૦૦ને પાર થઇ ૮૦,૯૪૨ થયો છે. જોકે, આ સમયમાં વધુ ૨૦ દર્દીનાં કોવિડ-૧૯ સંક્રમણને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આ મૃત્યુમાં સૌથી વધુ સુરતમાં ૭, અમદાવાદમાં ૪, ભાવનગર, કચ્છ, અમરેલીમાં ૨-૨, વડોદરા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યના આઠ મહાનગરોને આવરી લેતાં જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસમાં સુરત ૨૫૨ કેસ સાથે ટોપ ઉપર છે. એમાં મહાનગરના ૧૭૫ કેસ તેમજ ગ્રામ્યના ૭૭ કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાંથી સતત નવા કેસ આવી રહ્યાં છે. જેના પગલે વધુ ૧૪૯ કેસ શહેરમાંથી તેમજ ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદ, બાવળા અને દસક્રોઇમાંથી વધુ ૧૪ કેસ ઉમેરાયા છે આમ, અમદાવાદના કુલ કેસ ૧૬૨ નવા કેસ નોંધાયા છે. વડોદરામાં ૧૧૧ કેસમાં ૮૯ મહાનગરમાંથી નોંધાયા છે જ્યારે ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૧ તથા ગ્રામ્યમાંથી ૧૬ કેસ મળી ૨૭ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ રાજકોટમાંથી ૯૮ કેસ છે, એમાં શહેરમાંથી ૬૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૩૩ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૫૩ કેસ તથા ગ્રામ્યમાંથી પાંચ જ નવા કેસ ઉમેરાયા છે તો ભાવનગર શહેરમાંથી નવા ૨૩ કેસ તથા ગ્રામ્યના ૧૬ કેસ મળી ૩૯ કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાંથી ૧૩ અને જિલ્લામાંથી ૮ કેસ મળી ૨૧ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વિસ્ફોટ મોરબીમાં થયો છે. કોરોનાથી સંક્રમિત એક સાથે ૪૬ કેસ મળી આવ્યા છે. સિરામીક ફેક્ટરીઓમાં કારીગરોની અવરજવર સાથે કોરોનાના સંક્રમણનો પણ વધારો જોવા મળ્યો છે. જોકે, આ સિવાયના જિલ્લાઓમાં જોઇએ તો અમરેલી અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ, સુરેનદ્રનગરમાંથી ૧૦, પોરબંદરમાંથી ૯, દેવભૂમિ દ્વારકામાંથી ૫, બોટાદમાંથી ૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે કચ્છ જિલ્લામાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે.

રાજ્યમાં પૂર્વના આદિવાસી પટ્ટામાં દાહોદમાં વધુ ૨૮, ભરૂચમાં ૨૬, મહીસાગરમાં ૧૫, વલસાડ અને નવસારામાં ૧૦-૧૦ કેસ, નર્મદામાં ૭, તાપી અને ડાંગમાં અનુક્રમે ૩ અને એક કેસનો સમાવેશ થાય છે. આણંદ અને ખેડામાંથી અનુક્રમે ૮ અને ૭ કેસ મળ્યા છે. અન્ય રાજ્યમાંથી આવેલા ૮ દર્દીનો પણ ગુજરાતના કેસમાં સમાવેશ કરાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૧૧૩૧ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૩,૭૧૦ થયો છે. સતત વધી રહેલા ડિસ્ચાર્જને પગલે રિકવરી રેટ ૭૮.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. અલબત્ત, મૃત્યુ આંક ૨૮૨૨ થયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૪૧૦ છે. એમાં ૭૮ દર્દીને વેન્ટિલેટરી કેર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે ૧૪,૩૩૨ દર્દી સ્ટેબલ છે.

August 18, 2020
corona-gujarat.jpg
1min2560

ગુજરાતમાં કોરોનાના સંક્રમણે પગરવ માંડ્યાને છ મહિનામાં ચેપગ્રસ્તોની સંખ્યા ૮૦૦૦૦ને પાર થવાની તૈયારીમાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૦૩૩ નવા કેસ સાથે કુલ આંક ૭૯,૮૧૬ સુધી પહોંચ્યો છે એની સાથે વધુ ૧૫ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૨૮૦૦ને પાર થઇ ૨૮૦૨ થયો છે. જ્યારે વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૨૫૭૯ સુધી પહોંચ્યો છે જે ૭૮.૪૦ ટકા થયો છે.

હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૪૩૫ છે એમાંથી ૬૯ વેન્ટીલેટર ઉપર તેમજ ૧૪૩૬૬ સ્ટેબલ છે. બીજી તરફ ત્રીસ દિવસ પછી પહેલી વખત સુરતમાં મૃત્યુ આંક ઘટીને ૩ થયો છે. ૭ જુલાઇના રોજ સુરતમાં કોવિડથી સંક્રમિત ૩ દર્દીના મૃત્યુ નોંધાયા પછી સતત આંક વધતો રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કર્યા પછી ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી કાઢવા માટે થતાં ટેસ્ટ વધારવામાં આવ્યા હતા. ૧૨ ઓગસ્ટે પહેલી વખત ૫૦ હજારનો આંક પાર કર્યા પછી પાંચ જ દિવસમાં આ આંક ફરીથી ઘટી ૪૫,૫૪૦ થઇ ગયો છે. આ ટેસ્ટથી નવા ૧૦૩૩ કેસ મળ્યા છે અને ૧૫ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાંથી કુલ ૧૫૮ કેસ અને શહેરના ૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે સુરતમાં કુલ ૨૪૪ કેસ સાથે ૩ દર્દીના મૃત્યુ થયા છે.

સુરતમાં ત્રીસ દિવસ પછી કોરોનાના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રણમાં આવી રહી હોય એમ સમજાય છે. જોકે, મૃત્યુના કિસ્સામાં ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ જ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીના મૃત્યુ આંક જાહેર થતાં હોવાથી રાજ્યમાં જૂન મધ્ય પછી મૃત્યુ આંકમાં રીતસર ઘટાડો થઇ રહ્યો છે જોકે, આજેય રાજ્યનો મૃત્યુ આંક ૪ ટકાની નીચે છે, પરંતુ એ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઊંચો છે.

વડોદરા શહેરમાં નવા ૯૪ કેસ અને ગ્રામ્યમાંથી ૧૫ મળી કુલ ૧૦૯ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી ૩૨ કેસ નવા નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગર સહિતના જિલ્લામાં રાજકોટમાં સતત ૯૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને જિલ્લાના ૩૨ મળી ૯૨ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી વધુ ૪૧ મળી કુલ ૪૪ કેસ નવા નોંધાયા છે જ્યારે ભાવનગર શહેરમાંથી ૨૦ અને ગ્રામ્યના ૯ મળી ૨૯ કેસ નોંધાયા છે એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાંથી કુલ ૨૧ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસ નોંધાયા છે.

સતત ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાંથી નવા કેસ મળી રહ્યા છે. ગોધરા, કાલોલ, હાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૨૯ કેસ ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, અબડાસા, ભૂજ, રાપરમાંથી ૨૪ કેસ આવ્યા છે. મોરબામંથી ૨૨, પાટણમાંથી ૨૧ કેસ, ગીર સોમનાથના ૧૯, મહેસાણામાં ૧૭, ભરૂચમાં ૧૬ કેસ નવા નોંધાયા છે.

દાહોદ, નવસારી અને સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાં ૧૧, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯ કેસ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮, સાબરકાંઠા, તાપી, વલસાડમાંથી ૫-૫, અરવલ્લી અને બોટાદમાંથી ૪-૪, છોટાઉદેપુરમાંથી ૩ અને અન્ય રાજ્યના ચાર નવા કેસ નોંધાયા છે.

August 17, 2020
taxi-mask.jpg
1min3670

રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર, સ્ટોરમાલિક, મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.

August 17, 2020
corona-gujarat.jpg
1min5320

બે દિવસમાં ૨૨૧૪ કોરોના પોઝિટિવ કેસ, ૩૯ દર્દીના મૃત્યુ, અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ, ૭ મૃત્યુ, સુરતમાં ૪૬૨ કેસ અને ૧૭ મૃત્યુ, વડોદરા ૨૧૫ ને ૩ મૃત્યુ, રાજકોટ ૧૯૪ કેસ અને એક મૃત્યુ, બે દિવસમાં મોરબી-ગીર સોમનાથમાં ૨-૨, મહેસાણા, કચ્છ, પાટણમાં એક એક દર્દીના મૃત્યુ, કુલ ટેસ્ટ ૧૩.૧૨ લાખ, કેસ ૭૮ હજાર, ડિસ્ચાર્જ ૬૧ હજારને પાર, મૃત્યુ ૨૭૮૭ થયાં

ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં કુલ ૧,૦૧,૭૭૭ ટેસ્ટ થયા હતાં. આને પગલે કુલ ટેસ્ટનો આંક વધીને ૧૩,૧૨,૮૨૯ થયો છે જ્યારે કુલ કેસનો આંક ૭૮૭૮૩ સુધી પહોંચ્યો છે. અલબત્ત, બે દિવસમાં ૧૦૯૪ સાથે કુલ ૬૧,૪૯૬ દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યનો રિવકરી રેટ ૭૮.૦૬ ટકાને પાર થયો છે. જોકે, મૃત્યુ આંક પણ સતત વધતો રહી ૨૭૮૭ સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૫૦૦ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે બાકીના ૧૪૧૮ સ્ટેબલ છે.

શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાંથી ૪૬૨ નવા ઉમેરાયા છે જ્યારે ૧૭ દર્દીઓના કોવિડ સંક્રમણને લઇ મૃત્યુ થયા છે. એમાં શનિવારે ૨૩૪ કેસ અને કુલ નવ દર્દીના મૃત્યુ તેમજ રવિવારે વધુ ૨૨૮ કેસ અને ૮ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ અને સાત દર્દીના મરણ નોંધાયા છે એમાં શનિવારે ૧૬૨ કેસ તથા ત્રણ દર્દી તથા રવિવારે નવા ૧૬૪ કેસ તથા ચાર દર્દીના મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં કુલ ૨૧૫ કેસમાં શનિવારે ૧૦૭ કેસ અને બે દર્દી તેમજ રવિવારે ૧૦૮ કેસ અને એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કુલ ૫૮ નવા કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં જોઇએ તો રાજકોટમાં બે દિવસમાં જ કુલ ૧૯૪ નવા કેસ ઉમેરાયા છે. જોકે, બે દિવસમાં માત્ર એક જદર્દીના કોવિડ સંક્રમણથી મોતને સરકારે પુષ્ટી આપી છે. આ જ રીતે જામનગરમાં નવા ૧૧૪ કેસ, ભાવનગરમાં ૬૨ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ જૂનાગઢમાં ૬૧ કેસ તથા એક દર્દીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસમાં આ સિવાય ગીર સોમનાથ અને મોરબીમાં ૨-૨, કચ્છ, મહેસાણા અને પાટણમાં એક એક દર્દીના મૃત્યુ કોવિડથી થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો બે દિવસમાં સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાંથી કુલ ૮૮ કેસ ઉમેરાયા છે એમાં શનિવારે ૪૩ કેસ હતા. જ્યારે મોરબીમાં કુલ બાવન કેસમાં શનિવારે જ ૩૯ કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં ૫૫ કેસમાં શનિવારે ૩૦ કેસ ઉમેરાયા હતા.  કચ્છ જિલ્લમાં શનિવારે ૨૯ અને રવિવારે ૩૧ મળી કુલ ૬૦ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ૫૪ કેસમાં રવિવારે ૩૦ નવા કેસનો સમાવેશ થાય છે.

August 16, 2020
corona_india.jpg
1min3580

ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા 67,000 કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.

ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 25,90,572 થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 27% મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,749 થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5,84,754 થયો છે.

આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.

રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.

August 14, 2020
ausi-flood6.jpg
1min4500

સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

August 14, 2020
real_cia-1-1280x1022.jpg
1min3680

ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.

  • 12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
  • 13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત

ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.

કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત

છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
  • મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
  • તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
  • બિહારમાં ૭૨૪૮૦૮,
  • આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
  • આસામમાં ૬૫૬૪૦૫,
  • કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
  • ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
  • એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ

  • છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.

August 11, 2020
corona-gujarat.jpg
1min3620

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.

કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ

10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.

આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે

August 11, 2020
mukhyamantri-kisan-sahay-yojana.jpg
1min4200

ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.

જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.

દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.

August 11, 2020
undersea_cable.jpg
1min4350

વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.

આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.

‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય

છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.

આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.