CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 26 of 126 - CIA Live

April 22, 2021
vaccine-1.jpg
2min700

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.

કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.

રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.

Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021

કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી

દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.

સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.

એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.

The vaccine prevents you from getting the disease in the form of severe illness

The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.

April 22, 2021
maharashtra.jpg
1min237

કોરોના સામેના જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ઉપાય તરીકે જ લૉકડાઉન લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બ્રેક ધ ચેઈન નિર્દેશ અનુસાર ગુરુવાર રાતના ૮ કલાકથી અમલમાં આવે તે રીતે કડક પ્રતિબંધો લાદયા છે.

કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ફક્ત ૧૫ ટકા હાજરી સાથે કામ કરી શકશે. કોવિડ-૧૯ મહામારી સામે ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડનારી ઑફિસોને આ નિયમમાંથી મુક્તિ રહેશે. અગાઉના નિયમો પ્રમાણે જે સરકારી અને ખાનગી ઑફિસોને ચાલુ રાખી શકાશે, પણ તેમાં ૧૫ ટકા હાજરી અથવા પાંચ વ્યક્તિ જે પણ વધુ હોય તેટલી સંખ્યામાં કામ કરી શકાશે.

મેડિકલ ઈમર્જન્સી, જરૂરી સેવા, સ્મશાનક્રિયાઓ સિવાય અન્ય કારણથી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવા નિયમો ગુરુવારે સાંજે ૮ વાગ્યાથી ૧લી મે સવારના ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપેલા નિર્દેશો અનુસાર માત્ર અને માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરિકો રેલવેમાં પ્રવાસ કરી શકશે.

રાજ્ય સરકારે લગ્ન સમારંભો માટે પણ મહેમાનોની સંખ્યા ઘટાડી ૨૫ની જ પરવાનગી આપી છે અને ૨ કલાકની સમય મર્યાદા લાદવામાં આવી છે. જો મહેમાનોની સંખ્યા વધુ જણાશે તો આયોજકોને રૂ. ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

ખાનગી બસમાં જનારાઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પછી તેમને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. આ માટે બસ ઑપરેટરો પ્રવાસીઓના હાથ પર સિક્કો મારશે.

April 21, 2021
covaxin.jpg
1min375

ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.૨૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ ટ્વીટ કરીને એવું જાહેર કર્યું છે કે ભારતમાંં ઉપલબ્ધ કોરોના રસી પૈકી કોવાક્સીન નામની રસી તમામ પ્રકારના કોરોના વાઇરસ અને તેના મલ્ટીપલ વેરીએન્ટસ અને મ્યુટન્ટ સ્ટ્રેઇન સામે રક્ષણ આપે છે.

What is ICMR?

The Indian Council of Medical Research, the apex body in India for the formulation, coordination and promotion of biomedical research, is one of the oldest and largest medical research bodies in the world.

भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (आई.सी.एम.आर), नई दिल्ली, भारत में जैव-चिकित्सा अनुसंधान हेतु निर्माण, समन्वय और प्रोत्साहन के लिए शीर्ष संस्था है। यह विश्व के सबसे पुराने आयुर्विज्ञान संस्थानों में से एक हैं। इस परिषद को भारत सरकार के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा वित्तीय सहायता प्राप्त होती है

ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નીચે મુજબ ટ્વીટ કર્યું છે.

Image
April 21, 2021
coronatreatment.jpg
1min244

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૨૦મી એપ્રિલ ૨૦૨૧ના રોજ રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને ૧૫મી જુન સુધી કૉવિડના દર્દીઓની કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. અત્યાર સુધી દવાખાનાઓ કે હોસ્પિટલોએ કોવીડ ૧૯ની સારવાર માટે મંજૂરી લેવી પડતી હતી. હવે મંજૂરી નહીં લેવી પડે ફક્ત દવાખાનાઓએ પાલિકા કે કલેક્ટરને જાણ કરવાની રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા રાજ્યની તમામ હોસ્પિટલો, દવાખાના, નર્સિંગ હોમ્સને આગામી 15 જૂન સુધી કોરોનાની સારવાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની સારવાર માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં, માત્ર જે-તે હોસ્પિટલ-દવાખાનાએ કોરોનાની સારવાર શરૂ કર્યાની કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે.

સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાની નિર્ણય પણ લેવાયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીની સેવામાં રોકાયેલા છે તેઓની સાથે નવા લોકો જોડાય તે માટે અપીલ કરૂ છું.’ તેમને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ ડોક્ટરોને માસિક રૂપિયા 2.50 લાખ રાજ્ય સરકાર આપશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી.

આ ઉપરાંત મેડિકલ ઓફિસરને માસિક 1.25 લાખ, ડેન્ટલ ડોક્ટરને માસિક 40 હજાર, આયુષ તથા હોમિયોપેથીના ડોક્ટરને 35 હજાર, લેબ ટેક્નિશિયન, ઈસીજી, ટેક્નિશિયનને માસિક 18 હજાર, વર્ગ 4ના કર્મચારીઓને માસિક 15 હજાર માનદ વેતન આગામી ત્રણ મહિના માટે આપવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમણે આઉટ સોર્સિંગથી કામ કરતી નર્સોને આગામી 3 મહિના 13 હજારને બદલે 20 હજાર પગાર આપવાની જાહેરાત કરી છે. તેમજ નવી જોડાનારી નર્સોને પણ આગામી ત્રણ મહિના સુધી 20 હજાર લેખે પગાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 30મી જુલાઈ સુધી આ વધારાનું માનદ વેતન ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રૂપાણીએ કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરા સહિતમાં જ્યાં મિલિટ્રી હોસ્પિટલો છે ત્યાં કોવિડની સારવાર શરૂ કરવા અપીલ કરી છે. આ સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી આર્મીના અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે.

April 21, 2021
jharkhand-lockdown-again_21575293.jpg
1min238

કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દેશનાં વધુ એક રાજ્ય દ્વારા આજે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં વધી રહેલા કેસને ધ્યાને લેતા આજે મુખ્યમંત્રી હેમંત સોરેને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિશે ફેંસલો કર્યો હતો. ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી એક સપ્તાનું લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ છૂટછાટ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 22 એપ્રિલે સવારે 6 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીનાં લોકડાઉનને સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ નામ આપ્યું છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. આ સાથે જ તેમણે રાજ્યની જનતાને નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.’

April 20, 2021
oxygen_express.jpg
1min290

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દરદીઓને આપવા ઑક્સિજનની કમી વરતાઈ રહી હોવાથી રેલવે દ્વારા વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ ઑક્સિજન મહારાષ્ટ્રમાં લાવવા ખાસ ઑક્સિજન એક્સપ્રેસ દોડાવી દોડાવવામાં આવી છે.

ઑક્સિજન એક્સપ્રેસ

લિક્વિડ ઑક્સિજન ભરવાનાં ટૅન્કર ડાયરેક્ટ એ ટ્રેનમાં ચડાવી શકાય એ માટે કળંબોલી યાર્ડમાં માત્ર ચોવીસ જ કલાકમાં જ એના માટે ખાસ રૅમ્પ પણ તૈયાર કરી દેવાયો હતો. આ ટ્રેન ૭ ટૅન્કર સાથે વસઈ, જળગાવ, નાગપુર, રાયપુર જંક્શનથી વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ પહોચશે અને ત્યાંથી એ ટૅન્કરોમાં લિક્વિડ ઑક્સિજન ભરીને પાછી આવશે. ગઈ કાલે રાતે ૮.૦૫ વાગ્યે એ ટ્રેન ટૅન્કરો સાથે રવાના પણ કરી દેવાઈ હતી. 

April 20, 2021
virus.jpg
1min251
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 18, 2021
corona_india.jpg
1min231

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૮૬.૬૨ ટકા થઇ હતી.

દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા દરદી નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઇ હોવાની અને સક્રિય કેસની સંખ્યા ૧૮ લાખથી વધી હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

ગત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા ૧૮ લાખથી વધીને ૧૮,૦૧,૩૧૬ની સપાટીએ પહોંચી હતી, જે કુલ કેસના ૧૨.૧૮ ટકા થાય છે.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૧૫૦૧ દરદીનાં મોત થયાં હતાં અને મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૭૭,૧૫૦ થઇ હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. કોરોનાને લીધે મરનાર કુલ દરદીની ટકાવારી ઘટીને ૧.૨૦ ટકા પર પહોંચી હતી. ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૨૦ લાખથી વધી હતી, ૨૩ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૩૦ લાખથી વધી હતી, પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૪૦ લાખથી વધી હતી, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૫૦ લાખથી વધી હતી, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૬૦ લાખથી વધી હતી, ૧૧ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે ૭૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબરના દિવસે ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બર ૨૦૨૦માં ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે એક કરોડનો આંક પાર થયો હતો.

આઇએમસીઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૬,૬૫,૩૮,૪૧૬ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા અને એમાંથી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૫,૬૬,૩૯૪ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા.

દેશમાં કોરોનાને કારણે રવિવારે મરનાર કુલ ૧૫૦૧ દરદીમાંથી સૌથી વધુ ૪૧૯ દરદી મહારાષ્ટ્રનાં, ત્યાર બાદ છત્તીસગઢનાં ૧૫૮ દરદીનાં, ઉત્તર પ્રદેશનાં ૧૨૦ દરદીનાં, પંજાબના ૬૨ દરદીનાં, કર્ણાટકનાં ૮૦ દરદીનાં અને ગુજરાતનાં ૯૭ દરદીનાં મોત થયાં હતાં.

18/4/21 : India Corona Upates : 2.60 લાખ નવા કેસ

શનિવારે ભારતમાં કોરોનાના વધુ 2,60,810 નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે નોંધાયેલા 2.34 લાખ કેસ કરતા 11.5%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. આટલો મોટો ઉછાળો દેશમાં પહેલીવાર નોંધાયો છે.

રોજ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યોછે. 2 ઓક્ટોબરના રોજ મૃત્યુઆંક 1000ને પાર કર્યા હતા, હવે તે આંકડો વધુ 1,493ના મોત સાથે 1500ની નજીક પહોંચ્યો છે. શુક્રવારે પહેલીવાર મૃત્યુઆંક 1300ને પાર ગયો હતો.

જોકે રાહતની વાત એ છે કે પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક નોંધાતા હતા તેના કરતા આ વખતે કુલ કેસની સામે મૃત્યુની ટકાવારી નીચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક વધી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં આ ટકાવારીમાં ઉછાળો નોંધાશે તેવી આશંકા છે.

19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં એક દિવસના સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર 67,123 કેસ સાથે ટોપ પર છે, આ પછી દિલ્હીમાં શુક્રવારે 19,486 કેસ બાદ શનિવારે 24,375 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો તેમાં કર્ણાટકા (17,489), છત્તીસગઢ (16,083), કેરળ (13,835), મધ્યપ્રદેશ (11,269), ગુજરાત (9,541), તામિલનાડુ (9,344), રાજસ્થાન (9,046), બિહાર (7,870), હરિયાણા (7,717), પશ્ચિમ બંગાળ (7,713), પંજાબ (4,498), તેલંગાણા (4,446), ઉત્તરાખંડ (2,757), હિમાચલપ્રદેશ (1,392), પોંડિચેરી (715), લદ્દાખ (245) અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણ (158)નો સમાવેશ થાય છે.

ભારતમાં જે રીતે કોરોનાના કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એમ્બ્યુલન્સ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, સ્મશાન માટે વગેરે લાઈનો હવે લોકોને હચમચાવી રહી છે.

મહારાષ્ટ્રમાં 2 ઓક્ટોબર (424) પછી 24 કલાકમાં કોરોનાના કારણે 419 લોકોનો જીવ ગયો છે. દિલ્હીમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે છત્તીસગઢમાં 158 અને ઉત્તરપ્રદેશમાં 120ના કોરોનાના કારણે એક જ દિવસમાં મોત થયા છે.

April 18, 2021
guj_corona.jpg
1min234

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે, અર્થાત એપ્રિલની 18 તારીખ સુધીમાં જ ગુજરાતમાં 96,871 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. ગુજરાતમાં કોરોનાની રફ્તાર એટલી તીવ્ર છે કે, દર કલાકે 431 કેસ જ્યારે પ્રતિ મિનીટે 7.18 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 110 દરદીના કોરોનાથી મૃત્યુ થતા માત્ર એપ્રિલ મહિનામાં જ 858 કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા છે. જેણે મે 2020માં 824 મૃત્યુના આંકને વટાવી દીધો છે. આમ દર કલાકે ગુજરાતમાં 4.58 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થાય છે.’

બીજી બાજુ આજે dt 18/4/21 3981 દર્દીઓએ કોરોનાને મહાત આપતા કોરોનામાંથી ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3,37,545 થઇ છે.’ જ્યારે ગુજરાતમાં હાલ કૂદકે ને ભૂસકે કોરોના કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો રહ્યો છે. ગઇકાલે dt 17/4/21 55398 એક્ટિવ કેસ હતા. તેમાં 6245નો વધારો થઇને હાલ 61,647 એક્ટિવ કેસ છે જેમાં 329ની હાલત નાજુક છે.

રાજ્યમાં dt 18/4/21 નવા નોંધાયેલા 10,340 કેસમાં અમદાવાદમા 3694, સુરતમાં 2425, રાજકોટમાં 811, વડોદરામાં 509, જામનગરમાં 366, ભાવનગરમાં 298, ગાંધીનગરમાં 150, જૂનાગઢમાં 122, મહેસાણામાં 389, પાટણમાં 158, બનાસકાંઠામાં 112, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમા 98, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91, મહીસાગરમાં 89, સાબરકાંઠામાં 82, પંચમહાલમાં 75, દાહોદ અને ખેડામાં 69-69, વલસાડમાં 61, દેવભૂમિ દ્વારકામાં 60, ભરૂચમાં 59, મોરબીમાં 54, બોટાદમાં 47, ગીરસોમનાથી અને નર્મદામાં 42-42, અરવલ્લીમાં 32, છોટાઉદેપુરમાં 23, પોરબંદરમાં 18 અને ડાંગમાં 7 કેસનો સમાવેશ થાય છે.
સરકારી આંકડા મુજબ આજે dt 18/4/21 કુલ 110 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજતા અત્યાર સુધીમાં કુલ 5377 કરોના દર્દીના મૃત્યુ થયા છે.

આજે dt 18/4/21 થયેલા મૃત્યુમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11, વડોદરામાં 10, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગરમાં 5, જામનગરમાં 6, ભરૂચમાં 3, બનાસકાંઠા, મહેસાણા, મોરબી અને સાબરકાંઠામાં 2-2 જ્યારે અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ખેડામાં 1-1 મૃત્યુ થયા છે.

18/4/21 : Gujarat Corona updates : 9541 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક (Dt.17/4/2021)માં કોરોના વાયરસના નવા 9541 દર્દીઓ નોંધાયા છે અને 3783 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,56,663 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,01,70,554 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 333546 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 55398 છે જેમાં 304 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 55094 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 97 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચ્યો છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 26, અમદાવાદ કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, ભરૂચમાં 1, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3241, સુરતમાં 1720, રાજકોટમાં 412, વડોદરામાં 369 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 178, નવસારીમાં 148, પાટણમાં 147, ભાવનગરમાં 114, પંચમહાલમાં 107, તાપીમાં 98, નર્મદામાં 97, અમરેલીમાં 96, કચ્છમાં 92, સુરેન્દ્રનગરમાં 89, મહીસાગરમાં 81, ખેડામાં 79, ગાંધીનગરમાં 78, સાબરકાંઠામાં 75, આણંદમાં 71, દેવભૂમિ દ્વારકામાં 71, જુનાગઢમાં 67, દાહોદમાં 53, મોરબીમાં 50, વલસાડમાં 48 કેસો નવા નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના નવા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.

April 17, 2021
weather-forecast.jpg
1min275

દેશમાં વધતા કરોના કહેરથી પ્રભાવિત અર્થ વ્યવસ્થા અને તમામ અન્ય સેક્ટર માટે દિલ્હીથી એક સારા સમચારા આવ્યા છે. શુક્રવારે હવામાન વિભાગે વર્ષ 2021 માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ 103 ટકા જેટલો સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આઇએમડીએ આ વર્ષે તેની આગાહીને વધુ સચોટ બનાવવા માટે ખૂબ જ અદ્યતન અને વ્યાપક પ્રણાલી અપનાવી છે, જેમાં વિવિધ વપરાશકર્તાઓ અને સરકારી ઓથોરિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી ગતિવિધિઓની યોજનાને ધ્યાને રાખી કરવામાં આવતી માંગને આધારે સિઝનલ વરસાદના ક્ષેત્રીય વરસાદ પૂર્વાનુમાન સાથે વરસાદના સ્થાનિક વિતરણના પૂર્વાનુમાનને પણ દર્શાવવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતા હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ એમ. મોહપાત્રાએ કહ્યું કે, ‘મલ્ટિ-મોડેલ એન્સેમ્બલ (એમએમઇ)’ એ સાર્વત્રિક રૂપે સ્વીકૃત ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ એક જ મોડેલ આધારિત અભિગમની તુલનામાં આગાહીની કુશળતા સુધારવા અને આગાહીની ભૂલોને ઘટાડવા માટે થાય છે. પ્રભાવ સુધારણા સંપૂર્ણપણે એમએમઇ આગાહી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તમામ મોડેલોની સામૂહિક માહિતીને આભારી છે. પ્રથમ તબક્કાની આગાહી માટે, હાલની આંકડાકીય આગાહી સિસ્ટમ અને નવી એમએમઈ આધારિત આગાહી સિસ્ટમનો ઉપયોગ કરીને આગાહી કરવામાં આવે છે.’

‘સામાન્ય’ વરસાદની આગાહી એ ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર અને એકંદર માંગમાં વધારો થતા સમગ્ર દેશના અર્થતંત્રને ગતી આપે છે. ‘સામાન્ય’ વરસાદનો અર્થ એ છે કે ખરીફ પાક (ડાંગર, કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજ) ની સારી વાવણી અને આગામી પાકની સીઝન માટે દેશભરના મુખ્ય જળસંગ્રહોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ. સારા પાણીનો સંગ્રહ રવી પાક (શિયાળુ વાવેતર) પાકને પણ મદદ કરે છે, જે ખેતી માટે આખા વર્ષને બમ્પર આઉટપુટમાં ફેરવે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ વરસાદના લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવને આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.

હવામાન વિભાગ (IMD) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા (Odisha), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), છત્તીસગઢ (Chhattisgarh), પૂર્વ ઉત્તર પ્રદેશ (Eastern Uttar Pradesh) અને આસામ (Assam)માં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.