CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 123 of 126 - CIA Live

July 18, 2018
Elphistone_Stationfinal-770x433.jpg
1min3170

વેસ્ટર્ન રેલવે પરના એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવાનો નિર્ણય તા.18 જુલાઇ 2018ને રાત્રે 00.00 વાગ્યાથી અમલમાં આવી ગયો છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નામ બદલવા સાથે સંકળાયેલાં બોર્ડ બદલવાનાં, ઈન્ડિકેટરો પર નામ બદલવાનાં અને અનાઉન્સમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રભાદેવી સ્ટેશનનો કોડ પણ નક્કી કરી નાખવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના નાગપુરમાં આયોજિત શિયાળુ સત્રમાં ૨૦૧૬ની ૧૬ ડિસેમ્બરે એલ્ફિન્સ્ટન રોડનું નામ પ્રભાદેવી કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

 

July 7, 2018
rera.jpg
1min4690

રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)ને એક વર્ષ થયું છે અને આમ છતાં સમગ્ર દેશમાં રેરાનો પૂરેપૂરો અમલ થઇ શક્યો નથી. કેટલીક રાજ્ય સરકારો આ ધારાને અમલ કરવામાં વિલંબ કર્યો છે અથવા તેની જોગવાઇ હળવી કરી છે. મહારાષ્ટ્રે પૂરી ભાવનાથી રેરાનો અમલ કર્યો છે અને મધ્યપ્રદેશ હવે તાલ મિલાવી રહ્યું છે, પરંતુ બીજા રાજ્યોમાં અમલીકરણ ધીમું છે. દેશમાં રેરા હેઠળ નોંધાયેલા આશરે 25,000 પ્રોજેક્ટ્સમાંથી 62 ટકા મહારાષ્ટ્રના છે. બંગાળ તદ્દન અલગ માર્ગ અપનાવ્યો છે. તેની સરકારે તેના પોતાના હાઉસિંગ કાયદા હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ (હીરા)નો અમલ કર્યો છે.

મોટાભાગના રાજ્યોએ વચગાળાના નિયમનકાર બનાવ્યા છે અ્ને રેરા હેઠળ કાયમી નિયમનકારી સંસ્થાની નિમણુક કરી નથી. રેરાના હજુ પ્રારંભિક દિવસો છે. તેથી તેના ધીમા અમલ પર ફોકસ કરવાનો કોઇ અર્થ નથી. ત્રણથી ચાર વર્ષ પછી રિયલ એસ્ટેટ સંપૂર્ણ પણે અલગ ઉદ્યોગ હશે. મહારાષ્ટ્રના રેરાના તાજેતરના ચુકાદાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સમાં ખરીદદારના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં સફળતા મળે છે. કેટલાંક ચુકાદા ફરિયાદ દાખલ કર્યાના ૩૦ દિવસમાં આવ્યા હતા.

પારદર્શકતામાં વધારો 

રેરાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તુલનાત્મક રીતે પારદર્શકતા આવી છે. ઉહાહરણ તરીકે બિલ્ડર્સ હવે બિલ્ટ-અપ અથવા સુપર બિલ્ટ અપ એરિયાને ટાંકને પ્રોપર્ટીની સાઇઝ અંગે ખોટી માહિતી આપી શકશે નહીં. હવે તમામ એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ કરવા ફરજિયાત છે. ખરીદદારો રેરાની વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ્સના સ્ટેટસ, સાઇટ પ્લાન, વેચાયેલા મકાન, બાંધકામનો તબક્કો, પઝેશનની તારીખ વગેરેની માહિતી મેળવી શકે છે.

પ્રોજેક્ટ્સની તમામ વિગત સાથેની એક વેબસાઇટતી રિયલ્ટી ટ્રાન્ઝેક્શનમાં મોટી પારદર્શકતા આવે છે. ખરીદદારો સમાન બિલ્ડર્સના હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી જોઇ શકે છે અને બિલ્ડર્સ પાસે વધુ પડતા પ્રોજેક્ટ્સ છે કે નહીં તેની વિગત મેળવી શકે છે.

સપ્લાયમાં ઘટાડો 

નવા પ્રોજેક્ટ્સની રજૂઆતમાં વિલંબ રેરાની પ્રારંભિક નેગેટિવ અસર છે. ડેવપલર્સ હવે વગરવિચાર્યે પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા નથી. તેઓ નવા પ્રોજેક્ટ્સ અંગે ખૂબ સાવધ બન્યા છે અને સુનિશ્ચિત કરે છે કે લોન્ચ પહેલા તમામ મંજૂરી મળી જાય. સપ્લાયમાં હવે ફરી વધારો થઈ રહ્યો છે.

નબળા બિલ્ડર્સ પાસેથી મજબૂત બિલ્ડર્સ પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છે, તેથી ઇન્ડસ્ટ્રી હવે ઓર્ગેનાઇઝ્ડ બની રહી છે. અને સપ્લાયમાં ટૂંક સમયમાં વધારો થશે.

શું આવા કોન્સોલિડેશનથી રિયલ્ટી બિઝનેસ અમુક ગણ્યાગાંઠ્યા બિલ્ડર્સ પાસે આવી જશે અને તેનાથી સેલર્સ માર્કેટનું સર્જન થશે?

નબળા અને ખરાબ બિલ્ડર્સ માટે આકરા જોગવાઈ છે. તેથી રેરાથી નાના અને સારા બિલ્ડર્સ માટે તક ઊભી થઈ છે. નાના અને સારા બિલ્ડર્સ નાણા સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ શકે છે. તેથી રેરાથી ખરેખર તો બજારનું વિસ્તરણ થઈ રહ્યું છે.

પઝેશન તારીખ 

રેરાથી પઝેશનની તારીખ લંબાઈ છે. પ્રોજેક્ટસમાં વિલંબ બદલ ભારે પેનલ્ટીથી બિલ્ડર્સ પઝેશન તારીખને લંબાવે છે. પ્રોજેક્ટ્સના બાંધકામના સમયે કેટલાંક મંજૂરી જરૂરી છે. બિલ્ડર્સને આવી મંજૂરીની ખાતરી ન હોય તો તેઓ પઝેશનની તારીખ લંબાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને રેરા હેઠળ લાવવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અ્ને એપ્રુવલ સિસ્ટમ વધુ સરળ બનશે.

મોટા ભાગના બિલ્ડર્સ રેરાના નિયમો હેઠળ નિર્ધારિત તારીખ પહેલા પઝેશન આપશે, પરંતુ મૌખિક ખાતરી ખરીદદારો માટે જોખમી બની શકે છે. તેઓ જણાવે છે કે પ્રોજેક્ટસ રેરા એપ્રુવ્ડ હોવાથી ખરીદદારોએ ભાર મૂકવો જોઇએ કે બિલ્ડર્સ તમામ પ્રતિબદ્ધતા લેખિતમાં આપે .

રેરા જાદૂઈ છડી નથી 

રેરાની સાથે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી હોવા છતાં રેરામાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ રોકાણને લાયક હોતા નથી. શેરબજારમાં જેમ તમામ કંપનીઓ રોકાણને લાયક હોતી નથી, તેમ રેરા હેઠળ નોંધાયેલા કેટલાંક પ્રોજેક્ટ્સ પણ રોકાણની લાયક ન હોય તેવી શક્યતા છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટ્સનું યોગ્ય મૂલ્યાંકન ફરજિયાત છે.

July 2, 2018
gstreal1.jpg
1min10580

જયેશ બ્રહ્મભટ્ટ

ઉદ્યોગ પર જી.એસ.ટી. ની અસર પ્રારંભિક તબક્કામાં જોવા મળી હતી. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ૧૨ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં જીએસટી લાગુ થયા પછી ઉદ્યોગમાં ખરીદનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ હવે બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાને બુકિંગ સાથે પેમેન્ટ મળે તેમજ ગ્રાહકોને જીએસટીમાંથી મુક્તિ મળે તે માટે અવનવા કીમિયા શોધી કાઢ્યા છે.

બાંધકામ ઉદ્યોગમાં જી.એસ.ટી. કેવી રીતે લાગૂ થાય છે

બાંધકામ ઉદ્યોગમાં ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકા જી.એસ.ટી. લાગૂ થાય છે. જ્યારે 60 ચો.મી. સુધીના બાંધકામ પર 8 ટકા જીએસટી લાગૂ પડે છે. પૂર્ણ થઇ ગયેલા પ્રોજેક્ટ પર કોઇ જીએસટી લાગૂ થતો નથી. આમ બિલ્ડર્સ અને ઓર્ગેનાઇઝર્સ કમ્પ્લિટ પ્રોજેક્ટસ પર નીલ જીએસટીની જોગવાઇનો બરાબર ફાયદો મળે અને ગ્રાહકને પણ 12 ટકા જીએસટીમાંથી મુક્તિ મળે તે રીતે જુદા જુદા કિમીયાઓ અપનાવી રહ્યાની વિગતો માર્કેટમાંથી મળી રહી છે.

હોમબાયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઇ છે જ પણ સ્પષ્ટતાના અભાવે જીએસટી મુક્તિના કિમીયાઓ સારા લાગી રહ્યા છે

ડેવલપર્સ અને મિલક્ત ખરીદનારાઓ માટે જીએસટીને ટેક્સ-તટસ્થ દરખાસ્ત માનવામાં આવે છે, જેમાં હોમ-બૉયર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભો પાસ કરવાની જોગવાઇ જીએસટીના કાયદામાં ઉપલબ્ધ છે જ. જો કે, આ લાભની રકમ કેટલી અને ક્યારે આપવી તે અંગેની ટાઇમલાઇન અંગેની સ્પષ્ટતાના અભાવથીને કારણે જીએસટીને ટાળવા માટેનાં રસ્તાઓ અને માધ્યમો શોધી કાઢવામાં આવ્યા હોવાનું જણાય આવે છે.

કિમીયો નં.1

હાલમાં માર્કેટમાં પ્રચલિત કેટલાક કિમીયાઓ અંગે એવી વિગતો મળે છે કે અન્ડર કન્સ્ટ્રક્શન હોય તેવા પ્રોજેક્ટ જો ખરીદનાર બુકિંગ કરાવે તો તેમની ની રકમ ને લોન સ્વીકારીને બિલ્ડર બુકિંગ કન્ફર્મ કરી દે છે. બાદમાં જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને સંબંધિત ઓથોરિટી તરફથી બિલ્ડીંગ યુઝ પરમિશન મળી જાય એ પછી પ્રોજેક્ટ બુકિંગ પેટે લીધેલી અને લોન પેટે બતાવેલી કરાવનાર ગ્રાહકને વ્યાજ સહિત કરે છે, અને એ જ રકમ પ્રોજેક્ટ ખરીદીની ચુકવણી પેટે બિલ્ડરને આપી દે છે. આવી સ્થિતિને કારણે ને 12 ટકા જી એસ ટી ની રકમ ભરવામાંથી ગ્રાહકને મુક્તિ મળી જાય છે કેમકે જીએસટી કમ્પ્લિટ થયેલા પ્રોજેક્ટ પર લાગુ પડતો નથી. 12% જી.એસ.ટી નો નો અમલ ફક્ત અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

કિમીયો નં.2

આ તો થઈ એક છટકબારી બીજી છટકબારી એ પણ છે કે હાલમાં બંધાઈ રહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક ખરીદી કરવાનું ફાઇનલ કરે ત્યારે ગ્રાહકની પસંદગીનું મકાન, ફ્લેટ કે દુકાન બિલ્ડર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવે એના બુકિંગ પેટે અને ડેવલોપર વચ્ચે ખાનગીમાં એગ્રિમેન્ટ તેમજ રોકડિયા વ્યવહાર થાય અને જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય અને બિલ્ડીંગ યુઝ પરમિશન મળ્યા પછી ગ્રાહક વ્હાઇટમાં પૂરેપૂરી રકમની ચુકવણી કરી દે છે. આના કારણે ગ્રાહકને 12% જી.એસ.ટી.માથી મુક્તિ મળી જાય છે. કેમકે પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ પર જીએસટી લાગુ પડતો નથી.

જોકે બિલ્ડરો અને ડેવલોપર આવી સવલત ફક્ત તેમના નજીકના કે ઓળખીતા  આપે છે કારણકે બિલ્ડર્સને લાંબા ગાળે નુકસાન થવાની પૂરેપૂરી રહેલી છે.

કિમીયો નં.3

કેટલાક બિલ્ડર્સ પોતાના પ્રોજેક્ટમાં ખરીદી કરવા માંગતા ગ્રાહકોને એવી પણ ઓફર આપે છે કે તેમને જીએસટી લાગૂ નહીં થાય. કેમકે બિલ્ડર્સ ગ્રાહક વતી જીએસટીની રકમ ચૂકવવાની જવાબદારી પોતાના શિરે જ ઉઠાવી લે છે. તેઓ ગ્રાહકોને જે તે ખરીદીની એક બોક્સ અમાઉન્ટ એટલે કે લમસમ રકમ જ ઓફર કરે છે અને બોક્સ પ્રાઇસ પર જ સોદો કરી નાંખે છે. આવો માર્ગ અપનાવીને બિલ્ડર્સ ગ્રાહકનું બુકિંગ અને બુકિંગ અમાઉન્ટ પણ લઇ શકે છે. બિલ્ડર્સને આવા મામલામાં 7 ટકા જીએસટીની રકમ ભરવાની જવાબદારી ઉઠાવવી પડે છ ેજે લમસમ બોક્સ પ્રાઇસમાં પહેલેથી જ અામેજ કરી દીધેલી હોય છે.

June 30, 2018
bullet.jpg
1min4450
શુક્રવાર તા.29મી જુન 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે એ મુદ્દા પર રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે કે રાજ્ય સરકારે 2013માં કેન્દ્રના જમીન સંપાદન સંદર્ભના કેન્દ્ર સરકારના કાનૂનમાં કરેલા ફેરફારો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન સુસંગત છે કે કેમ, સુરતના એક ખેડૂત દ્વારા ગુજરાત સરકારે 2016માં કેન્દ્રના જમીન સંપાદન કાનૂનમાં કરેલા સુધારા સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલી જમીન સંપાદન કાર્યવાહી સામે સુરતના ખેડૂતની પીટીશન સાથે કુલ 2 પીટીશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે થઇ છે.
સુરતના ખેડૂત તરફે અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરવામાં આવી છે. આ મહિના આરંભે જ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ મુંબઇ-અમદાવાદ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ પીટીશન હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
સુરતના ખેડૂતે કરેલી પીટીશનમાં ગુજરાત સરકારના જમીન સંપાદન કાયદામાં એમેડમેન્ટ એક્ટ 2016ના સેક્શન 10એ સાથે સેક્શન 2-1ની વેલિડીટીને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાનૂનમાં સુધારો કરતા ગુજરાત સરકારે એવી જોગવાઇ કરી હતી કે જમીન સંપાદનના મામલામાં સોશ્યલ ઇમ્પેક્ટ (સામાજિક અસર)નું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જેને એસ.આઇ.એ. સોશ્યલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે કાનૂનમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતને બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવી હોવાની ફરીયાદ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોની છે.
આગામી દિવસોમાં આ મુદ્દા પર ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડે તેવી સ્થિતિ હાલ તુરત સર્જાવા પામી છે.
June 27, 2018
firebikes.jpg
1min14490

જયેશ બ્રહ્મભટ્ટ

કોટ વિસ્તાર એટલે કે જુના તળ સિટી વિસ્તાર, ગીચ ગલીઓમાં આગ લાગે કે બિલ્ડિંંગ છત તૂટી ગઈ તો હવે ડરવાનું કારણ નથી. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં ફોન કરવાની સાથે જ ઘટના સ્થળે તુરંત ફાયર મોટરબાઈક મદદ માટે પહોંચી જશે. મુંબઈના સાંકડા રસ્તા અને ગલીઓમાં આવેલી વસતિમાંથી રસ્તો કાઢીને ઘટના સ્થળે ફાયર બાઈક ગણતરીના સમયમાં પહોંચી જશે. મુંબઈ ફાયરબિગ્રેડે પ્રાયોગિક ધોરણે પાંચ ફાયર બાઈકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એક બાઈકની કિંમત 76 લાખ 12 હજાર 800 રૂપિયા છે. મુંબઇ બાદ દેશના અન્ય શહેરોમાં પણ ફાયરબ્રિગેડ ફાયર બાઇક્સ કન્સેપ્ટ ઝડપભેર સ્વીકારે એ દિવસો દૂર નથી.


મુંબઈમાં ઠેર ઠેર વિકાસના નામે ઊંચા ઊંચા ટાવર ઊભા થઈ ગયા છે પણ અનેક જગ્યાએ રસ્તાઓ અને ગલીઓ હજી પણ સાંકડી છે. તેમાં પાછું રસ્તા પર ફેરિયાઓ તેમ જ ગેરકાયદે રીતે પાર્કિંગને કારણે રસ્તાઓ પરથી વાહનોને પસાર થવાને જગ્યા ઓછી પડતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરબ્રિગેડની ગાડીઓ રસ્તો કાઢીને સમસયર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી અને મોટી જાનહાનિ થતા માલમિલકતને નુકસાન થવાનો ભય હોય છે.

કાલબાદેવીમાં આવેલી ગોકુલ નિવાસ બિલ્ડિંગમાં 2015ની સાલમાં લાગેલી આગની દુર્ઘટના સમયે રસ્તો સાંકડો હોવાને કારણે તેમ જ બે ઈમારતની વચ્ચે જગ્યા પણ સાંકડી હોવાને કારણે ફાયરબિગ્રેડની સમયસર મદદ મળી શકી નહોતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.ઉપરાઉપરી આગની દુર્ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડે આવા સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી પાર પાડી શકાય તે માટે કમર કસી છે. તે મુજબ મુંબઈ ફાયરબિગ્રેડે હવે ફાયર બાઈક ખરીદવાનો નિર્ણય લીધો છે અને એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો છે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ અડધોઅડધ ઘટી જાય  છે

એક્સપર્ટસ કહે છે કે દરેક મોટા શહેરોમાં ફાયર બ્રિગેડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નાના વ્હીકલ્સ હોવા જ જોઇએ. ગીચ વિસ્તારો, સાંકડી શેરીઓમાં જ્યારે હોનારત સર્જાય ત્યારે નાના વ્હીકલ્સ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને તાકીદે બચાવ રાહતની કામગીરી શરૂ કરી શકાય છે. એવી જ રીતે નાની હોનારત કે જ્યાં ફાયર બાઇક્સથી કામ પૂરું થઇ જતું હોય ત્યારે મોટા વ્હીકલ્સને બિનજરૂરી રીતે એકશનમાં લાવીને મેઇન્ટેનન્સ કોસ્ટ શું કામ વધારવાની. મોટા વ્હીકલ્સથી બચાવ રાહત કામગીરી શરૂ થાય તેના કરતા અડધોઅડધ ઓછા સમયમાં ફાયર બાઇક્સથી ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય છે.

સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. સુરતના કોટ વિસ્તારમાં ગીચ શેરીઓમાં જ્યારે પણ કોઇ હોનારત કે આગ લાગવાની ઘટના બને ત્યારે પણ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ફાયર બાઇક્સને કારણે કોઇપણ હોનારત સમયે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ મોટા ફાયર વ્હીકલ કરતા અડધોઅડધ ઘટાડી શકાય તેમ હોવાથી નિષ્ણાંતો માને છે કે દેશભરના મહાનગરોમાં આગામી દિવસોમાં ફાયર બાઇક્સ જોવા મળશે.

June 24, 2018
wifi_calling1.jpg
1min10170

જયેશ બ્રહ્મભટ્ટ

ગ્રાહક વાઇ-ફાઇ પરથી વોઇસ કોલ કરે ત્યારે ટેલિકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટ ઓથોરિટીએ મંજૂરી આપી છે. થર્ડ પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી નજીકના ભવિષ્યમાં જ મોબાઇલ યુઝર્સ કે અન્ય કોઇપણ ભારતમાં તેમના લોકેશનથી નજીક વાઇ-ફાઇ નેટવર્ક પરથી વોઇસ કોલ કરી શક્શે. નબળી કોલ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં આ સેવા ઉપયોગી સાબિત થશે.

ગઇ તા.21મી જૂનના રોજ  ટેલિકોમ વિભાગે લાઇસન્સની શરતોમાં સુધારો કર્યો હતો અને ટેલિકોમ કંપનીઓને સેલ્યુલર મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ એમ બંને માટે એક મોબાઇલ નંબર ફાળવવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આના કારણે ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં સેલ્યુર સિગ્નલ ન હોય તો પણ વાઇ-ફાઇ સર્વિસ પરથી વોઇસ કોલની સુવિધા પૂરી પાડી શકશે.

આ સેવાને કારણે મોબાઇલ યુઝર નજીકના પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરીને સામે છેડાના મોબાઇલ કે લેન્ડલાઇન પર ઇન્ટરનેટ કોલ કરી શકશે. ડોટે એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેલિફોની સેવા માટે લાઇસન્સધારકે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે.

ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા અને રિલાયન્સ જીઓનું પ્રતિનિધિત્વ કરતા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે જણાવ્યું હતું કે, આ હિલચાલની અસર ગ્રાહક અને ઓપરેટર્સ પ્રમાણે અલગ અલગ રહેશે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે ગ્રાહક પાસે વોઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હોય તેને આ વિકલ્પથી કોઈ ફેર નહીં પડે.

અગાઉ એવા અહેવાલો પ્રકાશિત થઇ ચૂક્યા છે કે  જીઓ, આઇડિયા અને એરટેલ સહિતની કંપનીઓ વાઇ-ફાઇ રૂટ પર વોઇસ ઓવર સેવા માટે છૂપી રીતે તૈયારી કરી રહી છે. આવી સેવા 4G VoLTE ડિવાઇસ પર તરત જ કામ કરી શકશે. જીઓએ આંતરિક રીતે આ સેવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું મનાય છે.

June 23, 2018
electricc1feature.jpg
1min13000

જયેશ બ્રહ્મભટ્ટ

દેશમાંથી પ્રદૂષણનો યક્ષ પ્રશ્ન દૂર કરવાના આશય સાથે ભારતમાં આગામી 12 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં કુલ વાહનોનો 40 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ફેરવવાની યોજના હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ પર લેવામાં આવી છે. અને તેના ભાગરૂપે સરકાર પસંદગીનાં શહેરો અને હાઈ-વે પર 4,000 ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યોની વીજ કંપનીઓ, જાહેર ક્ષેત્રનાં સાહસો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવાની યોજના આગળ વધી છે. સરકારે ગીચ વસતિ ધરાવતાં શહેરો અને મોટા હાઈ-વે પર 4,200 પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સ માટે ₹1,050 કરોડની ગ્રાન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, તેમને રાહત દરે જમીન આપવામાં આવશે અને સ્થાનિક સત્તાવાળા તમામ સહાય કરશે. પરીણામે પેટ્રોલ પંપો, ડીઝલ પંપો, સી.એન.જી. ગેસ સ્ટેશનની જેમ હવે ઠેકઠેકાણે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન્સ પણ ભારતમાં જોવા મળશે.

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી પર કામ કરી રહી છે. જેમાં NTPC, પાવર ગ્રિડ, રાજ્યોની વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પસંદગીના મ્યુનિસિપલ કોર્પોરેશન્સે સ્થળની પસંદગી કરી એક વર્ષમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહેશે.

કેન્દ્ર અને રાજ્ય સ્તરની સમિતિઓ શહેરો અને હાઈ-વે અને નોડલ એજન્સીની પસંદગી કરશે. ઉપરાંત, ચાર્જિંગ સ્ટેશન્સના નિર્માણની સમીક્ષા પણ તેમણે જ કરવાની રહેશે. તેઓ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ દ્વારા ચાર્જિંગ સ્ટેશન્સના બલ્ક પ્રોક્યોરમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે.


ઓલા, ઉબર, M&M, ટાટા મોટર્સ સહિતની ખાનગી કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રવેશવા સક્રિય છે, પણ ઇ-વ્હિકલ્સના વેચાણમાં વધારો થાય ત્યારે જ આ કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એન્ટ્રી કરશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકારનું આ પગલું જરૂરી હતું. કારણ કે ચાર્જિંગ પોઇન્ટ્સના અભાવે ઇલેક્ટ્રિક વાહનો વેચાતાં નથી અને ચાર્જિંગ પોઇન્ટ એટલે બનતા નથી કારણ કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નહીંવત્ છે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગમે તે હોય પણ PSUsને પ્રારંભિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જણાવાશે.”

સરકાર 10 લાખથી વધુ વસતિ હોય એવાં શહેરોમાં દર ત્રણ કિલોમીટરે અને વ્યસ્ત રાષ્ટ્રીય હાઈ-વે પર દર 30 કિલોમીટરે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન્સ નેટવર્ક ઊભું કરવાનું આયોજન થઇ રહ્યું છે.

એપ્રિલમાં વીજમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન્સ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ અલગ લાઇસન્સની જરૂર નહીં પડે.

June 16, 2018
suratairport1.jpg
1min13700

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં એર એશિયા અને ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા સુરતને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફ્લાઇટ શરૂ કરશે. આ બન્ને એરલાઇન્સ કમસે કમ 8 જેટલી ફ્લાઇટ્સ સાથે સુરતને સાંકળી લેવાનું આયોજન ધરાવે છે જેમા વારાણસી, કોલકાત્તા, જમ્મુ, પટણા જેવા શહેરો સાથે સુરત એરપોર્ટને સાંકળી લેવામાં આવશે.

એક સમયે એકમાત્ર દિલ્હીની ફ્લાઇટ ધરાવતા સુરત એરપોર્ટ પર આગામી દિવાળી સુધીમાં સંખ્યાબંધ ફ્લાઇટ અને એ પણ રાઉન્ડ ધ ક્લોક આવતી જતી જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર એશિયા ચાર નવા પ્લેન ખરીદી રહી છે અને આ ચાર પૈકી 2 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ફાળવી દેવાનું પ્લાનિંગ છે. એર એશિયા દ્વારા સુરત હાલમાં સુરત બેંગ્લોર વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવે છે અને હવે પછી એર એશિયા સુરતથી કોલકાતા, કોલકાતાથી વાયા દિલ્હી અને ત્યાંથી જમ્મુને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ય એક ફ્લાઇટમાં સુરતથી પટણા વચ્ચે પણ ફ્લાઇટ આપવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળે છે. સુરતથી વારાણસી અને પટનાની ફ્લાઇટ કનેક્ટીવીટી ઓગસ્ટમાં શરૂ કરી દેવાશે જ્યારે સુરતથી પટના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવે તેવું શિડ્યુલ ગોઠવાયું છે.

ઇન્ડિગો એરલાઇન્સ 6 ફ્લાઇટ્સ લઇને સુરત એરપોર્ટ ધમધમતુ કરી મૂકશે

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સ ક્ષેત્રમાં નફો કરતી એકમાત્ર કંપની ઇન્ડિગો એરલાઇન્સ પહેલી વખત સુરત એરપોર્ટ પર આવી રહી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડીગો એરલાઇન્સને પોતાની કેબિન માટે લોકેશન પણ ફાળવી દેવાયું છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોએ પોતાનું કામકાજ શરૂ કરવા માટે જરૂરી ફિલ્ડ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જુલાઇમાં 3 ફ્લાઇટ અને એ પછીના મહિને, ઓગસ્ટ 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ સાથે સાંકળીને શરૂ કરવાનું પ્લાનિંગ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. કયા સેક્ટર ઇન્ડિગો પોતાની ફ્લાઇટ શરૂ કરશે હજુ સુધી એ નક્કી નથી, પણ સુરતથી છ ફ્લાઇટ્સ આગામી બે માસમાં શરૂ કરવા અંગેનો નીતિ વિષયક નિણર્ય ઇન્ડિગો એરલાઇન્સે લઇ લીધો છે.

સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું એક્સપાન્સન વર્કની તજવીજ

સુરત એરપોર્ટ પર જેમ જેમ ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વિસ્તાર વધારવાની અનિવાર્યતા પણ થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને રૂ.28 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને એક્સપાન કરવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને આગામી ડિસમ્બર 2018 સુધીમાં મહદઅંશે ટર્મિનલ બિલ્ડંગની સિકલ બદલાય જાય તેવું કામ હાથ ધરી દેવામાં આવશે.

રનવે સાથે ટેક્સી વે પણ સાકાર કરાશે

કોઇપણ એરપોર્ટ સાથે ટેક્સી વે ની અનિવાર્યતા છે. ટેક્સી વે એટલે મેઇન રનવે પર લેન્ડ કરતું પ્લેન રનવે પરથી 27 સેકન્ડમાં ટેક્સી વે પર પહોંચી જવું જોઇએ. જેથી જે તે એરપોર્ટ પરથી અન્ય ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં વધારે સમય ન બગડે કે વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે.

સુરત એરપોર્ટ પર હાલમાં ટેક્સી વે નથી, પરીણામે ટેક્સી વે પણ સાકાર કરવાનું પ્લાનિંગ છે જેથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી શકાશે.

દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ વ્યસ્ત બની જશે : સી.આર. પાટીલ

સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે જે રીતે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે, નવી નવી એરલાઇન્સ સુરત એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી છે એ જોતા દિવાળી સુધીમાં તો સુરત એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટસની યાદીમાં મૂકાય જશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

June 16, 2018
w1.jpg
1min13620

ચાલુ સપ્તાહમાં વોટ્સ એપ દ્વારા તેની સર્વિસ અંગેના પેજ પર કેટલાક અપડેટ્સ શેર કરવામાં આવ્યા હતા. જે મુજબ  ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કેટલા હેન્ડસેટમાં વર્ક નહીં કરી શકે. પરીણામે એ મોબાઇલ હેન્ડસેટ્સ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સસ્તા મોબાઇલ લેતા ભારતના કરોડો યુઝર્સને વ્હોટ્સએપના આ ચેન્જને કારણે મોટી અસર થશે એમ માનવામાં આવે છે.

ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન ખરીદનારાઓની સંખ્યા ઘણી મોટી છે. ગ્રામીણ વિસ્તારોમાં હજુ આજે પણ એન્ડ્રોઇડના જૂના વર્ઝન ધરાવતા સેકન્ડ હેન્ડ મોબાઇલ ફોન લે-વેચનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. આજે આવા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ જ સોશ્યલ મિડીયા અને તેમાં પણ ફેસબુક અને વ્હોટ્સ એપ જ મહદઅંશે હોતું હોય છે ત્યારે વ્હોટ્સ એપની સુવિધા બંધ કરવાના કારણો કરોડો ફોન ઇન્સ્ટ્રુમેન્ટસ ફક્ત કોલિંગ કે ટેક્સ્ટ મેસેજિંગ સેવા માટે જ ચાલી શકશે.

  • નોકીયા S40 મોડેલમાં 31 ડિસેમ્બર 2018થી વોટ્સ એપ એપ્લિકેશન કામ કરતી બંધ થઇ જશે
  • 2.3.3 નંબરના એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા મોબાઇલ ફોનમાં વ્હોટ્સ એપ એપ્લિકેશન બિલકુલ ચાલી નહીં શકે
  • વ્હોટ્સએપ 3GS/iOS 6 નંબરના આઇફોનમાં સપોર્ટ કરતું બંધ થઇ જશે
  • બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10માં વ્હોટ્સ એપ એપ્લિકેશન્સ સપોર્ટ જ નહીં કરે.
  • બ્લેકબેરીના એન્ડ્રોઇડ સિસ્ટમથી ચાલતા PRIV, DTEK50, KEYone અને KEY2માં વ્હોટ્સ એપ એપ્લિકેશન અને સુવિધા ચાલુ રહેશે
  • વિન્ડોઝ 8.0 અને તેનાથી જૂના મોબાઇલ ફોન્સમાં 1 જાન્યુઆરી 2018થી વ્હોટ્સ એપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે.
  • એન્ડ્રોઇડ 2.3.7 જીંજરબ્રેડ વર્ઝન ધરાવતા કોઇપણ મોબાઇલ ફોનમાં ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સએપ એપ્લિકેશન સપોર્ટ નહીં કરે
  • આઇફોન્સના iOS 7 મોબાઇલ ફોન્સ પર ફેબ્રુઆરી 1, 2020થી વ્હોટ્સ એપ કામ કરતું બંધ થઇ જશે.
June 13, 2018
chikufarmbullet.jpg
1min13800

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

નરેન્દ્ર મોદીના 17 બિલિયન અમેરિકન ડોલર્સના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આગામી ડિસેમ્બર સુધીમાં જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરવાની ડેડલાઇન છે પરંતુ, બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા કેરી અને ચીકુની વાડીઓ અટકાવી રહી છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જ્યાં પ્રપોઝ કરાયો છે, અને જે ખેડૂતોની જમીન સંપાદનમાં લેવાની છે એ ખેડૂતો પોતાની જમીન ફાળવવા માટે રાજી નથી અને તેમણે આક્રમક આંદોલન શરૂ કર્યા છે. ખેડૂતોના આ આંદોલનને મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણીઓના આશીર્વાદ પણ સાંપડી રહ્યા છે. ચીકુ અને કેરીના ફાર્મથી ખેડૂતો દાયકાઓથી રોજીરોટી મેળવી રહ્યા છે, સંપાદન ઓથોરિટી દ્વારા જે રકમની ઓફર કરવામાં આવી છે તેનાથી કેરી અને ચીકુથી થતી આવક પણ થઇ શકે તેમ ન હોવાથી ખેડૂતો જમીનના બદલામાં આર્થિક વળતર ઉપરાંત રોજગારીની ગેરેન્ટી પણ માગી રહ્યા છે. આમ, નરેન્દ્ર મોદીની બુલેટ ટ્રેનને કેરી અને ચીકુ અટકાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે ખેડૂતોએ બુલેટ ટ્રેન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે વખતની તસ્વીર

મહારાષ્ટ્રમાં તો બુલેટ ટ્રેનની જમીન સંપાદનના બદલામાં સંબંધિત ઓથોરિટી દ્વારા ખેડૂતોને માર્કેટ ભાવ કરતા 25 ટકા વધુ પ્રીમિયમ ભાવ તેમજ અન્ય સ્થળ પર જમીન આપવાની ઓફર આપવામાં આવી છે પણ ખેડૂતોએ તેને પણ ઠુકરાવી દીધી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હાલ બુલેટ ટ્રેન સામે આક્રમક દેખાવો કરી રહ્યા છે. ખેડૂતોએ જમીનના બદલામાં વળતર ઉપરાંત રોજગારીના કાયમી સ્ત્રોતની પણ તીવ્ર માગણી કરી છે જે સરકારની નીતિ વિરુદ્ધ અને ખોટો દાખલો બેસે તેમ હોવાથી જમીન સંપાદન ઓથોરિટીના હાથ બંધાય ગયા છે.

મુંબઇથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રપોઝ્ડ પ્રોજેક્ટમાં કુલ 108 રનિંગ કિલોમીટર વિસ્તારમાં જમીન સંપાદન કરવામાં ખેડૂતોના વિરોધને કારણે મોટી સમસ્યા સર્જાવા પામી છે અને આ જ કારણે આગામી ડિસેમ્બર 2018ની ડેડલાઇન સુધીમાં જમીન સંપાદન નહીં થઇ શકે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જોખમ સમાન છે.