CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 122 of 126 - CIA Live

August 14, 2018
rupee-full.jpg
1min5920

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 13, 2018
siachen-glacier.jpg
2min4670

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે 

હાલ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે ખાસ પ્રકારનાં કપડાં, સ્લિપીંગ કિટ્સ તથા અન્ય ખાસ ઉપકરણો તૈયાર કરાવવા અંગેની યોજનાને આખરી ઓપ આપી રહી છે. સિયાચીન ખાતે અતિશય ઠંડી પડે છે. તે લડાઈનું સૌથી ખતરનાક ક્ષેત્ર માનવામાં આવે છે.

૧૬૦૦૦ ફૂટથી ૨૦૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ક્ષેત્રના ભારતીય લશ્કરના જવાનોને અતિશય ઠંડી સામે રક્ષણ આપતા ખાસ ટેક્નિક ધરાવતા કપડાં (એક્સટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમ)ની આયાત તથા માઉન્ટેનિયરિંગ કિટની આયાત પાછળ ભારત સરકાર પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે.

હાલ આ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે, પરંતુ તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિવર્ષ ૩૦૦ કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ખાનગી ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમ હેઠળ સિયાચીન ગ્લેસિયર ખાતે ફરજ બજાવનાર લશ્કરી જવાનની જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન અંગેની યોજના લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે. સામગ્રીમાં થર્મલ ઇનસોલ્સ, સ્નો ગોગલ્સ, આઇસ એક્સ, બૂટ, એવેલેન્ચ વિક્ટીમ ડિટેક્ટર, રોક પાઇટોન્સ, સ્લિપીંગ બેગ્સ ઉપરાંત પર્વતારોહણને આવશ્યક સામગ્રીનો સમાવેશ થશે. સિયાચીન ગ્લેશિયર ઉપરાંત ડોકલામ તથા અન્ય ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ફરજ બજાવતી લશ્કરી ટુકડીઓને પણ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે. કારાકોરમ રેન્જમાં આવેલી સિયાચીન ગ્લેશિયરને હાઈએસ્ટ મિલિટરાઈઝ્ડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્ર્વનો આ સૌથી ખતરનાક વિસ્તાર છે. જ્યાં સૈનિકોએ અતિશય ઠંડી અને તેજ પવનની વચ્ચે થીજી જવાય એવા વાતાવરણમાં લડવું પડે છે. શિયાળા દરમિયાન સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી જેટલું નીચું જાય છે.

As legend goes, Colonel Narendra Kumar, the legendary
mountaineer after whom the mid way point of Siachen is
named, lost an ice axe presented to him by Indira Gandhi
while trekking up the glacier. The firm belief is that till
the army finds the missing piece of equipment, soldiers are
doomed to stay on the glacier.
AT 22,000ft, WITH TEMPERATURES FALLING BELOW MINUS 65 DEGREE CELSIUS, SIACHEN IS THE WORLD’S HIGHEST AND COLDEST BATTLEFRONT. ON AN EIGHT-DAY AND 84 Kms TREK UP THE GLACIER, MEMBERS OF SIACHEN GLACIER TRACKERS CLIMBING ON THE GLACIER TOWARDS CAMP THREE (NEAR KUMAR POST). IT WAS 84 Kms TRACK FROM BASE CAMP TO CAMP-3 AND BACK. IT WAS A CIVILIAN EXPENDITION UP THE SIACHEN GLACIER ORGANIZED BY THE INDIAN ARMY.
PHOTO BY — PRAVEEN KHANNA (17-10-2008)
SIACHEN-GLACIER.

પાછલા ૧૦ વર્ષમાં ભારતે સિયાચીન ગ્લેસિયર ખાતે તેના ૧૬૩ જવાન ગુમાવ્યા છે. ભારત તથા પાકિસ્તાન તરફથી ૧૯૮૪થી સિયાચીન ખાતે લશ્કરી ટુકડીઓ લાદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડીવાઈડ કરવામાં આવશે જે અંતર્ગત એક કેટેગરીમાં ૯૦૦૦ ફટથી ૧૨૦૦૦ ફૂટ તથા બીજી કેટેગરીમાં ૧૨૦૦૦ ફૂટ ઉપરનો સમાવેશ કરવામાં આવશે.

એનડીએ સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણને લગતી સાધાનસામગ્રીનું ઉત્પાદન દેશમાં કરવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતીય ફર્મ સાથે જોડાઈને હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. આર્મી દ્વારા ૧૦ વર્ષ પહેલાં જ હાઈ અલ્ટિટ્યૂટ કપડાં તથા સામગ્રીના સ્વદેશી ઉત્પાદનનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

August 11, 2018
chikufarmbullet.jpg
1min8930

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.

 

August 10, 2018
adh-1280x720.jpg
1min4820

 

 

સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનો આરંભ

metro

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અમદાવાદમાં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાઇ રહ્યું છે. ગુજરાતના સૌપ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનું કામ પણ ઝડપભેર હાથ ધરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેનનું અમદાવાદમાં ટ્રાયલ-રન આગામી ડિસેમ્બર મહિનામાં ધરાશે.

અમદાવાદમાં મેટ્રો રેલ ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર અને નૉર્થ–સાઉથ કૉરિડોર એમ બે કૉરિડોરમાં ચાલશે. અમદાવાદના લોકો જેનો ઇન્તેજાર કરી રહ્યા છે એ મેટ્રો રેલની ટ્રાયલ-રન ૮ ડિસેમ્બરે વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સુધી શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે નૉર્થ–સાઉથ કૉરિડોરમાં વાસણાથી શ્રેયસ સુધી ૨૦૧૯માં ટ્રાયલ-રન શરૂ કરવાનું આયોજન છે. મેટ્રો રેલનો આ આખો પ્રોજેક્ટ જુલાઈ-૨૦૨૦ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.’

વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર વચ્ચે સાબરમતી નદી આવે છે. સાબરમતી નદી પર મેટ્રો રેલ માટે બ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ અને નદીમાં પ્લૅટફૉર્મ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે. એકાદ વર્ષમાં મેટ્રો રેલ માટે સાબરમતી નદી પર બ્રિજ બની જશે. ૨૦૧૯ સુધીમાં નદી પર મેટ્રો રેલ માટેનો એલિવેટેડ વે ઉપયોગ માટે લઈ શકાય એ રીતે કામગીરી પૂરી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

August 7, 2018
cruise-holiday.jpg
1min4090

સસ્તા ક્રૂઝ હોલિડેના વધી રહેલી માગને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, MSC અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજનાના ભાગરૂપે મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
ભારતીય પર્યટકોની માગ અનુસાર સસ્તી અને ઓછા સમયની ક્રુઝ સર્વિસ ડિઝાઇન કરવામાં આવી રહી છે.

ભારતીય પર્યટકો માટે ખાસ ડિઝાઇન કરાયેલી હોલિડે ક્રુઝનું પેકેજ ત્રણ રાત્રિના ₹27,000થી શરૂ થાય છે. જેની તુલનામાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ભારતીય પર્યટકોને આકર્ષવા માટે પેકેજીસને ઇન્સ્ટોલમેન્ટ થકી પેમેન્ટ કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી રહી છે.

ન્યુ ઇયરને અનુલક્ષીને ખાસ મુંબઇ-કોચીથી યુએઇ સુધીનું 8 નાઇટનું પેકેજ 

માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ 6 ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી UAEની 8 રાત્રિની સર્વિસ લોન્ચ કરી રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટૂર ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે. ભારતીયોને તેમના જ દેશમાંથી લક્ઝરી ક્રૂઝ સર્વિસ મળી શકે એ માટે આ સફર શરૂ કરવામાં આવી છે, જે ભારત અને UAEના વિવિધ પોર્ટ્સ પરથી પસાર થશે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ 731 ડોલર ચૂકવવાના રહેશે.

એફોર્ડેબલ ક્રૂઝ માટેની વધી રહેલી માંગનો લાભ મેળવી શકશે. ભારતમાંથી જ અબુ ધાબી, ગોવા, દુબઈ અને સર બાની યસ જેવાં સ્થળોની મુલાકાતને કારણે ભારતીયો શિયાળાની હોલિડે સીઝનમાં ક્રૂઝની મજા માણવાનું પસંદ કરશે.

ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં કોસ્ટા ક્રૂઝ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવશે અને માર્ચ સુધી રોકાશે.
મુંબઈથી માલદિવ્સ સુધીની સર્વિસ આપીશું. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકોએ અમારી ક્રૂઝમાં સફર કરી છે.

ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે વ્યાજબીદરની બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ ₹40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ ₹26,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.

August 7, 2018
uk.jpg
1min11080

વિદેશી વિજ્ઞાનીઓ અને રિસર્ચર્સને આકર્ષવા નવી કેટેગરી જાહેર

બ્રિટને તેના રિસર્ચ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતીયો સહિત વિદેશી વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે વિઝાની નવી કેટેગરી જાહેર કરી છે. જેનાથી ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ણાતોને લાભ થશે.

નવી UKRI સાયન્સ, રિસર્ચ એન્ડ એકેડેમિયા સ્કીમ યુરોપીય પંચથી બહારના સંશોધકો, વિજ્ઞાનીઓ માટે ખોલવામાં આવી છે. હાલમાં અમલી ટિયર પાંચ (ટેમ્પરરી વર્કર, સરકાર માન્ય એક્સચેન્જ) વિઝા રૂટમાં ઉમેરવામાં આવનારી આ સ્કીમ હેઠળ યુરોપીય પંચ બહારના લોકો બ્રિટન આવીને બે વર્ષ સુધી કામ કરી શકશે.

આ સ્કીમ જારી કરતાં યુકેના ઇમીગ્રેશન મંત્રી કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે ‘બ્રિટન રિસર્ચ અને ઇનોવેશનક્ષેત્રે વૈશ્વિક આગેવાન છે અને આ ફેરફારોથી આ દેશમાં આંતરરાષ્ટ્રીય રિસર્ચર્સ માટે કામ કરવું અને તાલીમ લેવું સહેલું બની જશે.’

તેમણે કહ્યું કે ‘આપણી પાસે એક એવી ઇમીગ્રેશન સિસ્ટમ હોવી જોઇએ કે જેનાથી આપણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટને આકર્ષી શકીએ અને તેમના જ્ઞાન અને નિપુળતાથી આપણને લાભ મળે. હું માનું છું કે વિજ્ઞાનના મહત્વના ફાળાથી યુકેના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે અને હું પ્રતિબદ્ધ છું કે બ્રિટન વિશ્વભરમાંથી અગ્રણી સાયન્ટિફિક અને રિસર્ચ ટેલેન્ટને આવકારવાનું ચાલુ રાખશે.’

August 5, 2018
hotel.jpg
1min2910

હોટેલ સેક્ટર માટે પ્રવર્તતો તેજીમય આશાવાદ, લેમન ટ્રીના IPOને મળેલી સફળતા, હોટેલ કંપનીઓના શેર્સમાં એક વર્ષમાં મ‌ળેલું સારું વળતર જેવાં કારણોસર અન્ય હોસ્પિટાલિટી કંપનીઓ પણ મૂડીમાર્કેટમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે.

લલિત બ્રાન્ડ હેઠળ હોટેલ બિઝનેસ કરતી કંપની ભારત હોટેલ્સે ₹1,200 કરોડનો IPO લાવવા માટે ચાલુ મહિને જ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે ત્યારે શેલે હોટેલ્સે પણ ₹950 કરોડના નવા શેર્સ ઇશ્યૂ કરવા માટે આ મહિને જ અરજી કરી હતી. મુંબઈમાં મેરિયટ અને રેનેસાં સહિતની વિવિધ હોટેલ્સની માલિકી ધરાવતી આ કંપની ₹2.47 કરોડના સેકન્ડરી સેલની પણ યોજના ધરાવે છે.

ઘણી કંપનીઓ લિસ્ટિંગ કરાવવા માટેની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ કરી રહી છે અને આ વર્ષે આવા ઘણા IPO આવી શકે છે.

લાંબા સમય સુધી રાહ જોયા બાદ હવે હોસ્પિટાલિટી ઉદ્યોગ મૂડીબજારોમાંથી ભંડોળ એકત્રિત કરવાની દિશામાં સક્રિય થયો છે. કેટલીક પ્રાઇવેટ હોટેલ કંપનીઓએ પબ્લિક કંપની બનવાની તૈયારીના ભાગરૂપે તેમના હોટેલ એસેટ પોર્ટફોલિયોમાં વિસ્તરણ શરૂ કર્યું હોવાથી આગામી વર્ષની અંદર તો આવા ઘણા IPO આવે તેવી શક્યતા છે.

હોટેલ ઉદ્યોગ માટે વૃદ્ધિમય પર્ફોર્મન્સનો આશાવાદ હોવાથી ઘણી હોટેલ કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરાવીને મૂડીભંડોળ એકત્રિત કરવાની તેમની ક્ષમતા ચકાસવા આતુર બની છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ ’18માં લેમન ટ્રીનો ₹1,040 કરોડનો IPO આવ્યો હતો, જેમાં કંપનીએ તેના પ્રમોટર્સ અને વર્તમાન રોકાણકાર વોરબર્ગ પિન્કસના 18.55 કરોડ જેટલા શેર્સ વેચ્યા હતા. લિસ્ટિંગના દિવસે તેનો શેર ₹61.60ના ઓફર ભાવ કરતાં 28 ટકા ઊંચા ભાવે એટલે કે ₹71.60ના ભાવે બંધ રહ્યો હતો. છેલ્લે 31 જુલાઈ મંગળવારના રોજ તેનો ભાવ ₹78.25 હતો.

BSE પરથી મેળવેલી માહિતી પ્રમાણે વિવિધ લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સમાં વાર્ષિક ધોરણે સારું વળતર મળ્યું છે. IHCLના શેરમાં 11 ટકા, EIHમાં 16.6 ટકા, રોયલ ઓર્કિડમાં 38.5 ટકા અને કામત હોટેલ્સમાં 18 ટકા વળતર મળ્યું છે.

સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં તેમજ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલી વૃદ્ધિ, વિશાળ મધ્યમવર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ, વિવિધ મલ્ટિનેશનલ અને સ્થાનિક કંપનીઓની જંગી વિસ્તરણની યોજના જેવાં પરિબળો ધ્યાનમાં લઈએ તો હોસ્પિટાલિટી માર્કેટમાં ઘણી તક દેખાઈ રહી છે.

હોટેલ્સમાં ઓક્યુપન્સી લેવલ વધી રહ્યું હોવાથી, ખર્ચકાપનાં પગલાંના કારણે આવકમાં થઈ રહેલી વૃદ્ધિ અને રૂમનાં સરેરાશ ભાડાંમાં પાંચથી છ ટકા વધારો જેવા મજબૂત ફંડામેન્ટલને કારણે અગ્રણી લિસ્ટેડ હોટેલ કંપનીઓના શેર્સ નવી ટોચે પહોંચ્યા છે.

July 23, 2018
suratairport1.jpg
1min8780

ગુજરાતના જ નહીં બલ્કે ભારતના બિઝનેસ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરત શહેરનું એરપોર્ટ હવે 24 કલાક ધમધમતું થશે એવી સત્તાવાર જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરી દેવામા આવી છે. અત્યાર સુધી ફક્ત ફ્લાઇટના સમયે જ સુરત એરપોર્ટ એક્ટિવ રહેતું હતું પરંતુ, હવે 24 કલાક, રાતદિવસ સુરત એરપોર્ટ પર ધમધમતું રહેશે. તેની સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટના નડતરરૂપ સ્લોટના માર્ગ આસાન બની ગયા છે. ઉપરાંત હયાત ટર્મિનલ બિલ્ડિંગને એક્સટેન્ડ કરવાનું તેમજ નવા ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણના કામને સૈદ્ધાંતિક મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપી હોવાની વિગતો સાંપડી છે.

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યા વધવા સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. સુરતની સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે શારજાહ-સુરતની ફ્લાઇટની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ, આ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હોઇ, સ્લોટનો પ્રોબ્લેમ નડી રહ્યો હતો, પરંતુ, એરપોર્ટ ઓથોરિટીએ હવે સુરતને 24-7 ધમધમતું એરપોર્ટની કેટેગરીમાં મૂકતા સુરતને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ ખૂબ આસાન થઇ ગયો છે.

આ અંગે નવસારીના સાંસદ અને એરપોર્ટના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ આડેના અવરોધ એક પછી એક દૂર થઇ રહ્યા છે. દિવાળી સુધીમાં ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટસમાં સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટ મળે તે અંગેના પ્રયાસો ચાલી રહ્યા છે.

અગાઉ 80 બિલ્ડિંગ નડતરરૂપ હોવાનું જણાયુ હતું પણ હવે આ 17 બિલ્ડિંગનો ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો તોડવો જ પડે તેવો એજન્સીનો તપાસ રિપોર્ટ રજૂ કરાયો

 

પાલિકાની પહેલાં એવી રજૂઆત હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી જે સમયે અરજીઓ સામે આવી હતી. તે વખતે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગની એનઓસીના આધારે ડેવલપમેન્ટ માટેની મંજૂરીની અપાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ પણ તેમાં એનઓસી આપ્યું હતું. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

તા.23મી જુલાઇએ આ પ્રકરણમાં જે ડેવલપમેન્ટ થયું છે, તે અંગે સૂત્રોનું કહેવું છે કે, એરપોર્ટના રનવેને 17 બિલ્ડિંગ નડે છે. આ બિલ્ડિંગની પાણીની ટાંકીથી લઈને ચાર માળ સુધીનો હિસ્સો નડી રહ્યો છે. તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ જોતા 63 બિલ્ડિંગ્સના માથેથી ડિમોલીશનની ઘાત ગઈ છે.

 

July 20, 2018
milk2.jpg
1min4230

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ખેડૂતોની લિટરદીઠ રૂ. 25નો ભાવ આપવાની માગ સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેરી ડેવલપમેન્ટ પ્રધાન મહાદેવ જાનકરના નિવેદન અનુસાર પાઉચમાં પૅક કરવામાં આવતા દૂધ માટે કોઈ સબ્સિડી આપવામાં આવશે નહીં. આ ઉપરાંતના દૂધને સરકાર રૂ. 5ની સબ્સિડી આપશે. આ સબ્સિડી દૂધ પુરવઠો ઉપલબ્ધ કરનાર અથવા પ્રક્રિયા કરનાર સંસ્થામાંથી એકને જ મળશે. જે દૂધનો પાઉડર ઉત્પાદિત કરે છે તેઓ જો રૂ. પાંચની સબ્સિડીનો લાભ લેશે તો તેમને પાઉડર પર મળતી આયાત માટે મળતી મદદનો લાભ મળશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

દૂધના ભાવમાં લિટરદીઠ પાંચના વધારાની માગ સાથે શરૂ થયેલું આંદોલન ચાર દિવસ ચાલ્યું હતું. મુંબઈમાં તેની સીધી અસર જોવા મળી નથી, કોલ્હાપુર, સોલાપુર, બુલઢાણા, પુણે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં તે હિંસક બન્યું છે. રાજ્યના અમુક જિલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં દૂધ દ્વારા ભગવાનનો અભિષેક કરવો, દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવો બન્યા હતા.

બીજી બાજુ અમુક સ્થળોએ ખેડૂતોએ જાનવરોને પણ રસ્તા પર ઉતાર્યાં હતાં અને ચક્કાજામ કર્યો હતો. ચિખલી, સાતારા, બારામતી, નાશિક, બુલઢાણા, જાલના વગેરે જિલ્લાઓમાં આંદોલનની તીવ્રતા વધારે દેખાઈ હતી. પોલીસે લગભગ 30 જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. બૅંગલૉર નેશનલ હાઈ વૅ સહિત અમુક રસ્તાઓ પર પણ ચક્કાજામ કરવાની કોશિશ થઈ હતી.

રાજ્યમાં ચાલી રહેલા દૂધના આંદોલનની ઘણા કારણોસર ટીકા કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યના ખેડૂતોને દેશમાં સૌથી ઓછો ભાવ મળતો હોવાની હકીકત પણ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં દૂધ ઉત્પાદનના મહારાષ્ટ્રનો ક્રમાંક સાતમો છે, પરંતુ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગાયના દૂધ માટે ખેડૂતોને ખાનગી સેક્ટરમાં રૂ. 16 મળે છે જ્યારે સહકારી સેક્ટરમાં રૂ. 18.5થી 23 મળે છે. દેશભરમાં ડેરી ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું એક કારણ આ પણ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે રૂ. 29.5, કર્ણાટકમાં રૂ. 27.5- આ સાથે સરકાર રૂ. 5 સબ્સિડીરૂપે આપે છે, ઉત્તર પ્રદેશમાં રૂ. 25.6, પંજાબ રૂ. 25, મધ્ય પ્રદેશ રૂ. 25, રાજસ્થાન રૂ. 23.6 અને મહારાષ્ટ્રમાં રૂ. 18.5થી રૂ. 23 સુધી આપવામાં આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજ્યોનો ભાગ જોઈએ તો ઉત્તર પ્રદેશ 17 ટકા, રાજ્સ્થાન 12.6 ટકા, મધ્ય પ્રદેશ 8.1 ટકા, ગુજરાત 7.7 ટકા, આંધ્ર પ્રદેશ 7.4 ટકા, પંજાબ 6.8 ટકા અને મહારાષ્ટ્ર 6.3 ટકા છે.

July 19, 2018
sc1-1280x720.jpg
1min9450

સરકારે આગામી ઑક્ટોબરથી શરૂ થતાં માર્કેટિંગના નવા (ઑક્ટોબરથી સપ્ટેમ્બરના) વર્ષથી શેરડીના લઘુતમ ભાવમાં ક્લિન્ટલ દીઠ રૂપિયા 20નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 કર્યો હતો.

ખાંડના કારખાનાઓએ માર્કેટિંગના આગામી વર્ષથી શેરડીના ઉત્પાદકો (ખેડૂતો)ને ક્વિન્ટલ દીઠ રૂપિયા 20 વધુ ચૂકવવા પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોને લગતી કેબિનેટ સમિતિની મળેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવાયો હતો. ખાંડના કારખાનાઓએ શેરડીના ઉત્પાદકોને

2017-2018ના માર્કેટિંગના વર્ષમાં ક્વિન્ટલ દીઠ લઘુતમ રૂપિયા 255 ચૂકવવાના છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે શેરડીના ઉત્પાદકોના લાભાર્થે તાજેતરમાં અનેક પગલાં લીધા હતા. સરકારે બુધવારે શેરડીના ભાવમાં કરેલો વધારો બતાવે છે કે સરકારને ખેડૂતોની તકલીફની ઘણી ચિંતા છે.

અન્ન વિભાગના પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે સરકારે 2018-2019ના માર્કેટિંગ વર્ષમાં શેરડીના લઘુતમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂપિયા 275 રાખ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલ દીઠ રૂપિયા 155 થાય છે અને લઘુતમ ભાવ તેનાથી 77.42 ટકા વધુ રખાયો છે.

પાસવાને જણાવ્યું હતું કે રિકવરી રૅટ જો 10 ટકાથી વધુ હશે તો શુગર રિકવરીમાંના દરેક 0.1 ટકા વધારા પર ક્વિન્ટલ દીઠ રૂપિયા 2.75 પ્રીમિયમ અપાશે.

રિકવરી રૅટ 9.5 ટકાથી ઓછો હશે તો ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂપિયા 261.25 મળશે.