CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 110 of 126 - CIA Live

March 20, 2019
hardik-alpesh.png
1min7110

જયેશ બ્રહ્મભટ્ટ

એક સમયે સમગ્ર ગુજરાતનું જનજીવન ખોરવી દેનારું પાટીદાર આંદોલન હવે ફાઇટ ટુ ફિનિશના મોડમાં આવી ગયું છે. ફાઇટ ટુ ફિનિશ એ સેન્સમાં કે હવે પાસમાં બાકી બચેલા નેતાઓ અંદરો અંદર એવી લડાઇ લડી રહ્યા છે કે પાસ જેવી સંસ્થા જ નહીં રહે. પાટીદાર આંદોલનનો એક સમયનો મુખ્ય ચહેરો અને હવે કોંગ્રેસી નેતા બની ચૂકેલા હાર્દિક પટેલએ કોંગ્રેસની કંઠી બાંધી ત્યારથી શરૂ થયેલા અંદરોઅંદરના ડખાંમાં તાજેતરમાં અમદાવાદ ખાતે મળેલી પાસની મિટીંગે પેટ્રોલ હોમવાનું કામ કર્યું. અમદાવાદની પાસની મિટીંગના મંચ પર લગાડાયેલા બેનરમાં એકલા હાર્દિક પટેલનો ફોટો સમાવાયો હતો અને અલ્પેશ કથિરીયાની બાદબાકી કરવામાં આવી હતી. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત એ જ મિટીંગમાં પડ્યા અને હાર્દિક અલ્પેશ ગબ્બરના સમર્થકો અંદરોઅંદર ઝઘડી પડ્યા. બસ આ ફાઇટથી શરૂ થઇ છે પાસમાં ફાઇટ ટુ ફિનિશની ગેમ.

(સુરતમાં લાગેલા હાર્દિક પટેલ વિરોધી બેનર્સ હવે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ લાગવા માંડ્યા છે)

અમદાવાદ ખાતેની પાસની છેલ્લી મિટીંગના બેનરમાં અલ્પેશ કથિરીયાનો ફોટો નહીં સામેલ કરીને હાર્દિક એન્ડ કંપનીએ પાસનો જ સેલ્ફ ગોલ સાથે ફાઇટ ટુ ફિનિશ શરૂ કરી

  • કેન્દ્ર સરકારે 10 ટકા ઉજળીયાત અનામત આપીને પાટીદાર આંદોલન માટે લડવાનો કોઇ મુદ્દો રહેવા દીધો નહીં
  • હાર્દિક પટેલએ પણ પવન જોઇને વહાણનું શઢ રાજકીય દિશામાં ફેરવતા કોંગ્રેસની કંઠી બાંધી લીધી

પાટીદારો માટે અનામતની માગ સાથે શરૂ થયેલું પાસનું પાટીદાર આંદોલન ત્યારે જ હળવું થઇ ગયું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત પાટીદારોને નહીં બલ્કે તમામ ઉજળીયાત વર્ગના આર્થિક રીતે પછાત પરિવારોના ઉમેદવારોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની ઘોષણા કરી અને એ પછી લોકસભા, રાજ્યસભામાં તાબડતોડ ઠરાવો કરાવીને તેનો અમલ ચૂંટણી પહેલા શરૂ કરાવી દીધો. આ ડેવલપમેન્ટ પછી પાટીદાર અનામત આંદોલન પાસે કોઇ નક્કર મુદ્દો લડવા માટે રહ્યો નથી, અને હવે ગુજરાતમાં ફક્ત પાટીદારોને અનામત મળે તેવી કોઇ શક્યતા પણ રહી નથી. આ પરિસ્થિતિ પારખી ગયેલા હાર્દિક પટેલએ પોતાની નાની ઉંમર અને ભવિષ્યને જોતા રાજકીય બેકગ્રાઉન્ડ બનાવવાના ઇરાદે કોંગ્રેસની કંઠી બાંધી લીધી.

હાર્દિકને પાટીદાર સમાજના ગદ્દાર ચિતરતા પોસ્ટર પહેલા સુરત લાગ્યા, બાદમાં સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં લાગવા માંડ્યા

અનેક પાટીદાર નેતાઓ, પાસના કાર્યકર્તાઓને હાર્દિકનું આ પગલું ગમ્યું નહીં, પણ પાસમાં ફાટફૂટ ન પડે તે માટે પહેલા કોઇ કશું બોલ્યું નહીં. પરંતુ, અમદાવાદમાં તાજેતરમાં મળેલી પાસની મિટીંગમાં તોફાન થયા પછી હવે હાર્દિક પટેલ વિરુદ્ધ પહેલા સુરતમાં, બાદમાં સૌરાષ્ટ્રમાં અને હોળીના દિવસથી અમદાવાદમાં પણ પોસ્ટરો લાગવા માંડ્યા છે. હાર્દિકને પાટીદાર સમાજનો ગદ્દાર દર્શાવતા એક સરખા બેનરો સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, જામનગરમાં લાગી રહ્યા છે. ભાજપા માટે આ એક ગેઇનિંગ સબ્જેક્ટ છે. પાટીદારો અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને અલ્પેશ ગબ્બર એક હતા, તેમાં પણ હવે ઉગ્ર મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. લાલજી પણ હાર્દિક વિરુદ્ધ ખુલ્લંખુલ્લા મોરચો માંડી ચૂક્યા છે, આમ એક સમયે ગુજરાતનું જનજીવન ખોરવી નાંખનાર શક્તિશાળી પાટીદાર આંદોલન અને પાસનું સંગઠન વેરણછેરણની સ્થિતિમાં આવી ચૂક્યું છે.

હાર્દિકનો બળાપો, ભાજપના આશીર્વાદથી વિરોધ થઇ રહ્યો છે

છેલ્લા દસેક દિવસથી હાર્દિક પટેલનો વિરોધ ખુદ પાટીદારો કરી રહ્યા છે, જામનગરમાં જ્યાંથી હાર્દિક પટેલએ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યાં તેની સામે વિરોધ પ્રદર્શનો થયો, એથી વિશેષ સુરતમાં પાટીદાર સમાજનો ગદ્દાર ચિતરતા પોસ્ટર લાગ્યા, આ સિલસિલો જે રીતે સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહયો છે એ માટે હાર્દિક પટેલ જાહેરમાં એવો બળાપો કાઢી રહ્યો છે કે ભાજપા નેતાઓ આવું કરાવી રહ્યા છે. આ એક પોલિટીકલ સ્ટેટમેન્ટથી વિશેષ કંઇ ગણાતું નથી. હાર્દિક જ્યારે શક્તિશાળી પાટીદાર આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે પણ ઇમ્મેચ્યોર હતો અને આજે પણ ઇમ્મેચ્યોર જ જણાય છે. એ સમયે છાશવારે એવા નિવેદનો કર્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ બન્ને સરખા છે, આજીવન ક્યારેય કોઇ પાર્ટીમાં નહીં જોડાઉ, એ જ હાર્દિકે  કોંગ્રેસની કંઠી બાંધી લીધી છે, હવે એ પોતાના વિરોધ માટે ભાજપાના નેતાઓને જવાબદાર ગણાવી રહ્યો છે, એ પણ નાદાનીથી વિશેષ કશું નથી. રાજકારણની ગેમમાં કદાચ હાર્દિક નબળો પડીને ધીમે ધીમે અસરકારકતા ગુમાવી દેશે.

( પાસના બે દિગ્ગજ નેતાઓમાં શરૂ થઇ છે ફાઇટ)

સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ હાર્દિક પટેલને આંધળું સમર્થન આપીને મોટો બનાવ્યો એ જ પાટીદાર આંદોલનના પાયાના કાર્યકરો હવે હાર્દિક પટેલનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. અધુરામાં પૂરું હવે અલ્પેશ કથિરીયાના સમર્થકોની પણ દુશ્મનાવટ વ્હોરી લઇને હાર્દિકે તેની સામે એવું જોખમ ઉભું કર્યું કે જેનાથી તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન ઘટી રહી છે. પાટીદારો હવે એવું માનવા માંડ્યા છે કે હાર્દિક પટેલ સમાજના નામે પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે.

બીજી તરફ અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલા પોલીસ કેસ તેમજ તેની વર્તણૂકને લીધે બુધ્ધિજીવ પાટીદારો હવે પાસ કે આંદોલનથી કિનારો પકડી રહ્યા છે. અલ્પેશ કથિરીયા સામે ચાલી રહેલી લિગલ પ્રોસિડીંગ્સને કારણે પાટીદાર આંદોલન કે પાસ પાસે હવે કોઇ એવો સક્રીય નેતા રહ્યા નથી કે જે આ સંગઠનને નવી દિશા આપીને જાળવી શકે. આવી સ્થિતિમાં પાટીદાર આંદોલનના નેતાઓ વચ્ચે પડેલા ડખાં સમગ્ર સંગઠનને જ ફિનિશ કરવા તરફ દોરી જઇ રહ્યા છે.

March 20, 2019
masood_mumbai11.jpg
1min18060

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 18, 2019
raj_thackary-1280x719.jpg
1min895

રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી સત્તાવાર જાહેરાત પક્ષે કરી હતી. છેલ્લાં ઘણા સમયથી મનસે અંગે અટકળો ચાલી રહી છે. ઠાકરે એનસીપી ચીફ શરદ પવારની નજીક આવતા તેઓ એનસીપીમાં જોડાશે, તેવી અટકળોએ જોર પક્ડયું હતું. આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે ૧૯મી માર્ચે જાહેરસભાને સંબોધવાના છે, તેમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવશે. ઠાકરે બહાર રહી પવારને મદદ કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશે, તેમ પણ માનવામાં આવે છે. ગત ૨૦૧૪ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઠાકરેનો પક્ષ કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મનસેએ ખાસ જનાધાર મેળવ્યો ન હતો. ઠાકરેના એકમાત્ર વિધાનસભ્ય પણ તાજેતરમાં શિવસેનામાં જોડાયા હતા. મરાઠી માણૂસનો વિષય લઈ એક સમયે કિંગ ગમૅકર માનવામાં આવતા ઠાકરેના પક્ષે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. એનસીપી તેમને સાથે લેવા તૈયાર હતી, પરંતુ કૉંગ્રેસે મનસેને લેવાની ધસીને ના પાડી હતી. અંતે મનસેએ ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.

March 18, 2019
girbanej.jpg
1min7370

કેસરી સિંહો અને ગીરની સુવિખ્યાત કેસર કેરીનું ઘર, ગણાતું ગીરની અન્ય એક વિશિષ્ટતા તેના એકમાત્ર મતદાર બાણેજને લીધે છે. આ ધાર્મિક જગ્યાના,મહંત ભરતદાસ બાપુ,જો અહીં મતદાન કરે તો,૧૦૦ ટકા મતદાન થયું ગણાય છે. મહંત દર ચૂંટણીમાં મતદાન કરે છે.

ચૂંટણીપંચના નિયમોનુસાર આ એક જ મતદાર અને મતદાન મથક માટે જરૂરી પૂરતો ચૂંટણી સ્ટાફ મતદાન સમયના પ્રારંભથી અંત સુધી રાખવામાં આવે છે.

બાણેજના મહંત ભરતદાસ બાપુ,ઉદાસીન સંપ્રદાયના સાધુ છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આ જગ્યા આવેલી છે.જે કોડિનારથી જામવાળાથી નજીક પડે છે.ગીર જંગલની છોડવડી ચેક પોસ્ટથી પરમીટ લઈને, સવારથી સાંજ અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં જઇ શકે છે. જીવનમાં એકવાર બાણેજની જગ્યા જોવા જેવી છે. ગીરના ગૌરવ સમાન છે.

March 14, 2019
gst.jpg
1min4100

ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કૉન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી.

અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લૅટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.

હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લૅટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લૅટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.

ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ 8476 કરોડ રૂપિયા હતું.

વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.

એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા, મેમાં 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઑગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું.

આગામી નાણાકીય વર્ષ (2019-’20) માટે જીએસટી કલેક્શન ટાર્ગેટ 13.71 લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

March 13, 2019
SpiceJet-MAX2.jpg
2min16210
  • બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ મૂકાયા પછી પણ સ્પાઇસ જેટ એ દિલ્હી સુરત રૂટની સાથે દેશમાં 6-6 લોકેશન્સ પર ઉડતા કોફીન સમાન બોઇંગ 737 મેક્સ વિમાનો બેરોકટોક ઉડાડ્યા
  • ભારતમાં બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ મૂકાયા પછી તમામ એરલાઇન્સ એ આ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા ફક્ત સ્પાઇસ જેટએ 6-6 ફ્લાઇટ્સ ઉડતા કોફિન જેવા વિમાનોમાં ઉડાડીને હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા
  • બુધવારે સવારે 11 વાગ્યે સ્પાઇશ જેટ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે આ સમાચારના અંત ભાગમાં રજૂ કરવામાં આવી છે

(ઉડતા કોફીન મનાય રહ્યા છે બોઇંગ 737 મેક્સ વિમાનો)

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એરલાઇન કંપનીઓ પોતાના બિઝનેસને જતો ન કરવો પડે તેટલા માટે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતી નથી, આ બાબતની પ્રતીતિ કરાવતી ઘટના તા.13મી માર્ચ 2019ના રોજ દિલ્હી સુરત ફ્લાઇટમાં બની છે. આજે તા.13મી માર્ચને બુધવારે સવારે દિલ્હીથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ 737 બોઇંગ મેક્સ વિમાનમાં મોકલવાની હતી. હજુ તા.12મીએ રાત્રે જ ડીજીસીએ સમેત ભારતીય ઉડ્ડયન ઓથોરિટીએ બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાંથી ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને એ મુજબ ભારતની સ્પાઇસ જેટ સિવાયની તમામ એરલાઇન્સ કંપનીઓએ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા હતા. પરંતુ, એકમાત્ર સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે 189 પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે. એથી વિશેષ દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ સુરતથી પરત દિલ્હી જવા માટે પણ એ જ પ્લેનનો ઉપયોગ કર્યો હતો.

રવિવાર. 11મી માર્ચ 2019ના રોજ ઇથોપિયાનું બોઇંગ 737 મેક્સ વિમાન તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ બોઇંગ 737 મેક્સ મોડેલના વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી છે. ભારતે પણ તાકીદની અસરથી સરકારી અને પ્રાઇવેટ બન્ને એરલાઇન્સને બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાં કોઇપણ સંજોગોમાં ઉપયોગમાં નહીં લેવાની કડક સૂચના જારી કરી છે.

અત્યાર સુધી ક્રેશ થયેલા મોટા ભાગના વિમાનો આ મોડેલના હોઇ આખી દુનિયામાં એ પુરવાર થઇ ચૂક્યું છે કે બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડતા કોફિન જેવા છે. આમ છતાં તા.12મી માર્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની પોતાની ફ્લાઇટ બોઇંગ મેક્સ 737 મોડેલમાં જ રવાના કરી હતી. જે લોકો સ્પાઇસ જેટની આ હરકતને પામી ચૂક્યા હતા તેમણે તાત્કાલિક ટ્વીટ કરીને પ્રાઇમ મિનિસ્ટર તેમજ ડીજીસીએને જાણ કરી હતી. સ્પાઇસ જેટ એ દિલ્હીથી સુરતની ફ્લાઇટ માં પ્રતિબંધિત બોઇંગ 737 મેક્સ વિમાન ઉડાડીને પેસેન્જરોનો તો જીવ જોખમમાં મૂક્યો હતો પરંતુ, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના નીતિ નિયમોના પણ ધજ્જીયા ઉડાડી મૂક્યા છે.

સુરતના એવીએશન ક્ષેત્રના એક્સપર્ટ રાજેશભાઇ મોદીએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તા.12મીએ સાંજે ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને ભારતમાં સ્પાઇસ જેટ સિવાય બાકીની તમામ કંપનીઓએ આજે સવારથી બોઇંગ 737 મેક્સ વિમાનોમાં એકેય ફ્લાઇટ ઉડાડી ન હતી. પરંતુ, સ્પાઇસ જેટની સુરત દિલ્હી રૂટ ઉપરાંત દેશમાં 6 ફ્લાઇટ્સ પ્રતિબંધિત 737 બોઇંગ મેક્સ વિમાનોમાં ચાલી રહી હતી. રાજેશ મોદીએ સી.આઇ.એ.ને બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ઉડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સની ઇમેજ પણ શેર કરી હતી.

ભારત સરકારે બોઇંગ 737 મેક્સ વિમાનોને પ્રતિબંધિત કર્યા પછી એક સાથે 6-6 ફ્લાઇટ્સ બેરોકટોક પણે ઉડાડનાર સ્પાઇસ જેટના સંચાલકોએ હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. સુરતના રાજેશ મોદીએ કહ્યું કે તેઓ આ મુદ્દે ડીજીસીએ સાથે પત્ર વ્યવહાર કરીને આવું કેમ થયું તેનો જવાબ માગવાના છે.

ડરી રહી છે દુનિયા બોઈંગ 737થી

ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

માત્ર 6 મહિનામાં જ બોઈંગ 737 મેક્સ 8ના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાથી હવે વિશ્વભરના દેશો તેનાથી ડરી રહ્યા છે. ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના નિવેદન પ્રમાણે જ્યાં સુધી આ વિમાનની સુરક્ષા અંગેની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન પર પ્રતિબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા સર્વોપરિ છે. DGCAએ કહ્યું કે તેઓ એરલાઈન્સ અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં મુસાફરોની પરેશાની પર ચર્ચા થશે.

DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)

આ પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ, ઓમાન, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટિના જેવા દેશો પણ બોઈંગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. આ વિમાનનો ખૌફ એટલો જબરજસ્ત છે કે યુકેએ તો પોતાની એરસ્પેસમાં પણ બોઈંગના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

At 11 a.m. on 13 March 2019 Spice Jet has made a Clarification, As Given Below.

March 11, 2019
parliament-election.jpg
1min7000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે. પરંતુ, આ ગેરમાન્યતા છે. સુરતના બિનરાજકીય સામાન્ય વ્યક્તિ, વેપારી, ધંધાર્થી રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે લઇને ફરી શકશે. એવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

  • રાજકીય પક્ષ ઉમેદવાર સાથે સંકળાયેલા વ્યક્તિ રૂ.50 હજારની મર્યાદામાં રોકડ રાખી શકશે
  • બિનરાજકીય સામાન્ય વ્યક્તિ રૂ.10 લાખ સુધીની રોકડ રાખી શકશે, રૂ.10 લાખથી વધુ રકમ હશે તો ચૂંટણી તંત્ર ઇન્કમટેક્સ વિભાગને જાણ કરશે

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે.

  • ચૂંટણી આચારસંહિતાની ફરીયાદ માટે cVIGIL નામની એપ્લિકેશન

અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી.  આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (cVIGIL) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.

  • 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન સામાન્ય લોકો માટે

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

 

March 11, 2019
epf_logo.jpg
1min11110

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 9, 2019
guj_gov_logo.png
1min14130
  • ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે
  • સ્ટેમ્પ ડયૂટી ઓનલાઇન ભરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા

Jayesh Brahmbhatt : 9825344944

રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયાને ઓનલાઇન કરવાની સફળ કામગીરી બાદ ખેતી-બિનખેતીના પ્રિમિયમની પરવાનગી તથા સ્ટેમ્પ ડયૂટી પણ હવે ઓનલાઇન ભરપાઇ કરવા માટે ઇ-પેમેન્ટની વ્યવસ્થા રાજ્યવ્યાપી ધોરણે કરવાની જાહેરાત રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે કરી છે.

  • તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયમ પરવાનગી અમલી બની હતી
  • ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી
  • ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં
  • 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી

મહેસૂલ પ્રધાને  ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને જાહેર કર્યુ હતું કે, વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવતા સેવાઓ ઝડપી અને સરળ બનવાના પરિણામે નાગરોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. માત્ર ત્રણ માસમાં આશરે 8500 જેટલી એન.એ.ની અરજીઓ ઓનલાઇન મળી છે. ઓનલાઇન મળેલી અરજીઓ પૈકી 55 ટકા અરજીઓ માત્ર 7-10 દિવસમાં તથા 40 ટકા અરજીઓ મહત્તમ 45 દિવસમાં મંજુર કરવામાં આવી છે.

કૌશિકભાઇ પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, ગત તા.6 ડિસેમ્બરે રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવી ઓનલાઇન પ્રિમીયામ પરવાનગી અમલી બનાવ્યા બાદ તેની સફળતાને પગલે હવે સમગ્ર રાજ્યમાં આ પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યસરકાર મહેસૂલ સેવાઓ ઓનલાઇન કરી સરળ અને પારદર્શી બનાવવા ઝડપભેર આગળ વધી રહી છે. જેના પરિણામે 15 માસ જેટલા ટુંકા ગાળામાં 10 જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થશે.

કઇ કઇ મહેસૂલી સેવાઓ ઓનલાઇન થઇ રહી છે

હાલ આઠ જેટલી મહેસૂલી સેવાઓ ઓનલાઇન થવા જઇ રહી છે જેમાં

(1) ગણોતધારાની કલમ-43 તેમજ નવી શરતની જમીન ખેતી-બિનખેતીના હેતુસર  શરતફેર કરવા અંગે પ્રિમીયમની પરવાનગી,

(2) જમીન મહેસૂલ અઘિનિયમની કલમ-65(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી,

(3) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-65(ક) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી,

(4) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-66 હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિત  કરવું,

(5) જમીન મહેસૂલ અધિનિયમની કલમ-67 હેઠળ બિનખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-65ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસુલીને પરવાનગી,

(6) ગણોતધારાની કલમ-63 હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(7) ગણોતધારાની કલમ-63 (એએ)હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રયિલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી,

(8) ઇ-ધારામાં વારસાઇ નોંધ માટેની અરજીનો સમાવેશ થાય છે.

March 8, 2019
ayodhya.jpg
1min4320

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.