CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 111 of 126 - CIA Live

March 6, 2019
Swaksh2109.jpg
22min4530

દેશના શહેરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019ના નામથી એક તંદુરસ્ત હરીફાઇ દર વર્ષે યોજવામાં આવે છે. દેશના લગભગ દરેક શહેરોમાં સ્વચ્છતા અંગેના સર્વેક્ષણ, લોકોના મત, જુદા જુદા પ્લેટફોર્મ પરથી એકત્રિત કરીને જે તે શહેરોના સ્વચ્છતામાં સ્થાન આપવામાં આવે છે. 2019ના વર્ષ માટેના સ્વચ્છ સર્વેક્ષણમાં નીચે મુજબના 100 શહેરોને સ્વચ્છતા અંગેના રેટિંગ્સ આપવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણના પેરામીટર્સ ધ્યાને લેવામાં આવ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના પરિણામો જાહેર થયા છે. જેમાં રાજકોટ દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે સૌથી સ્વચ્છ મોટા શહેરની યાદીમાં અમદાવાદ પ્રથમ

સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ 64 લાખથી વધુ લોકોના પ્રતિભાવો જાણ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શહેરોના 4 કરોડ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યો. ટીમે આ શહેરોના 41 લાખ ફોટો ભેગા કર્યા. સર્વેક્ષણમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં સાડા ચાર લાખે ડૉક્યૂમેંટ્સ અપલોડ કરવામાં આવ્યા.

  • World’s largest cleanliness survey
  • વિશ્વમાં સૌથી મોટો સ્વચ્છતા આધારિત સરવે

 

  • 4237 cities covered
  • ભારતના 4237 શહેરો, નગરોને આવરી લેવાયા

 

  • Survey completed within 28 days
  • 28 દિવસમાં સ્વચ્છ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું

 

  • 4.5 Lakh documents were uploaded by cities
  • શહેરોએ પોતાના તરફથી 4.5 લાખ જેટલા ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા હતા

 

  • 41 lakhs Geotagged Photos captured from field
  • 41 લાખ જીઓટેગ ફોટો ફિલ્ડમાંથી કેપ્ચર કરવામાં આવ્યા

 

  • Massive participation by citizens
  • નાગરીકોએ મોટી સંખ્યામાં મંતવ્યો આપ્યા

 

  • 64 Lakhs citizen feedback collected
  • 64 લાખ નાગરિકોના ફિડબેક ભેગા કરવામાં આવ્યા

 

  • Social Media Outreach of 4 Crores
  • સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમોથી 4 કરોડ લોકો સુધી અભિયાન પહોંચાડવામાં આવ્યું હતું

સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના ટોચના 100 શહેરોમાં કયા કયા શહેરોને સ્થાન મળ્યું છે એ નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાશે

RANK CITY NAME SCORE
#1 Indore 4659.09
#2 Ambikapur 4394.09
#3 Mysore 4378.54
#4 Ujjain 4244.47
#5 New Delhi (NDMC) 4190.52
#6 Ahmedabad 4137.43
#7 Navi Mumbai 4128.85
#8 TIRUPATI 4024.61
#9 Rajkot 4000.15
#10 Dewas 3967.61
#11 Bhilai Nagar 3929.48
#12 Vijayawada 3882.46
#13 Ghaziabad 3877.43
#14 Surat 3860.66
#15 Jamshedpur 3805.72
#16 Kolhapur 3803.28
#17 Khargone 3798.34
#18 Nagda 3794.48
#19 Bhopal 3793.68
#20 Chandigarh 3787.09

 

RANK CITY NAME SCORE
#21 Singrauli 3763.08
#22 Gandhinagar 3756.71
#23 GVMC Visakhapatnam 3744.09
#24 Karnal 3735.72
#25 Jabalpur 3667.32
#26 Chhindwara 3636.41
#27 Mira-Bhayandar 3622.11
#28 Bilaspur 3616.57
#29 Chandrapur_M 3603.73
#30 Ambarnath 3575.32
RANK CITY NAME SCORE
#31 Bathinda 3520.18
#32 Jagdalpur 3510.18
#33 Durg 3500.35
#34 Wardha 3475.07
#35 Greater Hyderabad 3454.9
#36 Vasai Virar 3447.93
#37 Pune 3445.54
#38 Latur 3426.81
#39 Tiruchirappalli 3414.37
#40 Coimbatore 3411.64
RANK CITY NAME SCORE
#41 Raipur 3393.28
#42 Rajnandgaon 3390.69
#43 Raigarh 3373.97
#44 Jaipur 3365.75
#45 Satara 3361.44
#46 Ranchi 3319.31
#47 Neemuch 3314.39
#48 Sagar 3283.6
#49 Greater Mumbai 3276.84
#50 Pithampur 3273.2
RANK CITY NAME SCORE
#51 Kulgaon-Badlapur 3243.57
#52 Pimpri Chinchwad 3228.33
#53 Udgir 3225.28
#54 Solapur 3206.43
#55 Barshi 3197.66
#56 Dhanbad 3190.09
#57 Thane 3181.06
#58 Nagpur 3160.31
#59 Gwalior 3147.59
#60 Nanded Waghala 3141.37
RANK CITY NAME SCORE
#61 Chennai 3118.03
#62 Ratlam 3116.27
#63 Kanpur 3113.33
#64 Hazaribag 3112.56
#65 Korba 3111.36
#66 Chas 3095.89
#67 Nashik 3092.99
#68 Jhansi 3086.27
#69 Rohtak 3082.76
#70 Varanasi 3063.21
RANK CITY NAME SCORE
#71 Panchkula 3055.89
#72 Patiala 3053.86
#73 Deesa 3051.91
#74 Amravati 3041.88
#75 Rewa 3039.33
#76 Jalgaon 3033.6
#77 Kalyan Dombivali 3013.26
#78 Damoh 3011.64
#79 Vadodara 2999.85
#80 Jamnagar 2995.95
RANK CITY NAME SCORE
#81 Warangal 2995.25
#82 Shivpuri 2986.85
#83 Gurgaon 2975.41
#84 Bhiwandi Nizampur 2971.78
#85 Agra 2970.14
#86 Panvel 2968.58
#87 Hoshangabad 2955.85
#88 Vapi 2952.76
#89 Achalpur 2936.41
#90 Tenali 2935.8
RANK CITY NAME SCORE
#91 Bhavnagar 2921.17
#92 Saharanpur 2908.16
#93 Khandwa 2907.74
#94 Beed 2904.89
#95 Mango 2897.5
#96 Yavatmal 2887.13
#97 Katni 2872.43
#98 Rajahmundry 2866.89
#99 Karimnagar 2861.24
#100 Dhule 2858.07

સ્વચ્છ સર્વેક્ષણ 2019માં રાજ્યોની કેવી સ્થિતિ

States Ranking

POSITION STATE NAME
#1 Chhattisgarh
#2 Jharkhand
#3 Maharashtra
#4 Madhya Pradesh
#5 Gujarat
#6 Andhra Pradesh
#7 Punjab
#8 Telangana
#9 Haryana
#10 Uttar Pradesh
POSITION STATE NAME
#11 Rajasthan
#12 Tamil Nadu
#13 Manipur
#14 Karnataka
#15 Jammu and Kashmir
#16 Mizoram
#17 Odisha
#18 Goa
#19 Uttarakhand
#20 Himachal Pradesh
POSITION STATE NAME
#21 Kerala
#22 Sikkim
#23 Tripura
#24 Bihar
#25 Nagaland
#26 Assam
#27 Arunachal Pradesh
#28 Meghalaya
March 5, 2019
JET.jpg
1min8500
  • જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
  • જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
  • ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
  • મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
  • કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.

રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.

March 2, 2019
farmers.jpg
1min10220

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 1, 2019
abhi.jpg
1min10510

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min5560

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.

ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.

અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.

તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.

ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.

February 27, 2019
1.jpg
4min9140

તા.26મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે એલ.ઓ.સી.પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એક જવાબદાર ડિજીટલ મિડીયા તરીકે વર્તીને તેમના વાચકો સુધી સતત અને સાચી માહિતી રજૂ કરવા તત્પર છે. અહીં આ સેકશનમાં અમે વિગતવાર અપડેટ આપતા રહીશું.

13:01 (IST), FEB 27
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ એવી જાહેરાત કરી હતી કે એરસ્પેશ ક્લોઝરના કારણે શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને દહેરાદૂન જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.
12:42 (IST), FEB 27
પીએમ  મોદી કાર્યક્રમો ટૂંકાવીને સલામતિ સમીક્ષા માટે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતેના તેમના વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમને ટૂંકાવીને તુંરત તેઓ નેશનલ સિક્યુરિટીની રિવ્યુ મિટીંગમાં ધસી ગયા હતા. પાકિસ્તાની જેટ્સ દ્વારા ભારતીય વાયુ સીમામાં ઘૂસીને કરાયેલા આક્રમણને ભારતે ગંભીરતાથી લઇને કેટલાક પગલાં ભર્યા તેની માહિતી તેમણે મેળવી હતી.
12:40 (IST), FEB 27
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ તણાવને પગલે અસરગ્રસ્ત થઇ. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે જ્યારે કેટલીક ઉડતી ફ્લાઇટ્સ તેમના ઓરિજિનલ ડેસ્ટિનેશન્સ પર વાળી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.
12:37 (IST), FEB 27

પાકિસ્તાને પણ લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ ખાતેના ફ્લાઇટ્સ ઓપરેશન્સ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને હંગામી ધોરણે સ્થગિત કરી દીધાના અહેવાલો મળ્યા હતા.

 12:37 (IST), FEB 27
પાકિસ્તાનના ફાઇટર જેટ્સ પ્લેન દ્વારા આજે જમ્મુ-કાશ્મિરની ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. નૌસેરા સેક્ટર ખાતે ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાની જેટ ફાઇટર્સને આંતર્યા હતા અને તેને પગલે પાકિસ્તાની પાઇલોટ્સ તેમના ફાઇટર પ્લેન પાકિસ્તાનની વાયુ સીમામાં માં પરત લઇ ગયાના અહેવાલો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે.

12:31 (IST), FEB 27

પાકિસ્તાન આર્મીના સ્પોક્સ પર્સન મોહમદ ફૈઝલએ પોતાના દેશનો બચાવ કરતા એવી બડાઇ પાકિસ્તાની ચેનલ પર હાંકી હતી કે પાકિસ્તાને એલ.ઓ.સી.ની પાર જઇને કેટલાક હુમલાઓ કર્યા હતા. મોહમંદ ફૈઝલે એવી ડીંગ પણ હાંકી હતી કે આવું કરવા પાછળ પાકિસ્તાનનો હેતુ ભારતને એ બતાવવાનો હતો કે તેઓ તેમની રક્ષા માટે કંઇપણ કરી શકે છે.

12:30 (IST), FEB 27
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહએ નવીદિલ્હી સ્થિત નોર્થ બ્લોક ખાતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ખુફીયા એજન્સી રૉના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર પ્રવર્તી રહેલી તણાવજનક સ્થિતિ પર કેટલાક નિર્ણયો કર્યા હતા.
12:29 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિરને અડીને આવેલી ભારત પાકિસ્તાનની એલ.ઓ.સી. પર પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા તા.26મીની રાતથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને બુધવારે વહેલી સવારે પણ આવા હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
12:25 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિર ક્ષેત્રના પાંચ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એમ પાંચ એરપોર્ટસને આજે નાગરિક ઉડ્ડયન માટે સલામતિના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું એક જેટ પ્લેન બડગામ જિલ્લામાં તૂડી પડ્યાના તુરંત બાદ આ પાંચ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ એરપોર્ટ બિલકુલ હંગામી ધોરણે અને ભારત પાકિસ્તાન સીમા પર વધેલા તણાવને જોતા બંધ કરવામાં આવ્યા છે.

Five airports closed on Wednesday for civilian air traffic

Srinagar, Jammu and Leh airports were among five airports closed on Wednesday for civilian air traffic shortly after an IAF jet crashed in Kashmir’s Budgam district. Airports at Chandigarh and Amritsar were also closed, according to airline officials. The move to close the five airports comes amid escalation of tension between India and Pakistan after IAF carried out strikes on terror bases in Pakistan.

12:06 (IST), FEB 27
સી.આર.પી.એફ.ના ડીજી આર.આર. ભટનાગર, જેઓ હાલ જમ્મુ ખાતે ફરજ પર છે, તેમણે જણાવ્યું કે જૈશ એ મહોમંદના બે આતંકવાદીઓને આજે ભારતીય સૈનિકોએ જાનથી મારી નાંખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને હજુ એ ચાલશે. આતંકવાદીઓનો સફાયો થઇને રહેશે.
 
12:05 (IST), FEB 27
ભારતીય વાયુ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના એફ-16 પ્લેનને ભારતીય વાયુ સેનાએ આંતરીને તેના પર કરેલા બોંબમારાને કારણે પાકિસ્તાની પ્લેન પાકિસ્તાનની લામ વેલી ટેરેટરીમાં જઇને તૂટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.

 

February 27, 2019
india.gif
1min1697

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.

February 26, 2019
mirage_fighter.jpeg
1min9470

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
AffordableHousing.png
1min4590

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 19, 2019
government_gujarat.jpg
1min11680

રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. હવે પછી 2019-20નું બજેટ રજૂ કરવામાં આવશે. અછતના વર્ષમાં પણ ગુજરાત સરકારે ખેડૂતોની પડખે રહીને અત્યાર સુધીમાં ઐતિહાસિક રીતે રાહત પેકેજ 96 તાલુકાઓમાં 16.27 લાખ ખેડૂતો, 1,557 કરોડની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 443 પાંજરાપોળ અને ગૌશાળામાં 2.60 લાખ પશુઓ, તેમજ 1.62 ઢોરવાડા પશુઓમાં દૈનિક રૂ.35ની આર્થિક સહાય પશુ નિભાવ માટે અત્યાર સુધીમાં રૂ.40.84 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. અછતગ્રસ્ત તાલુકાઓમાં રૂ.2 પ્રતિ કીલોના દરે 6.84 કરોડ કિલો સૂકું ઘાંસ પહોંચાડી દેવામાં આવ્યું છે. ખેડૂતોના પાક બચાવવા માટે ખેતી માટે વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક પાવર આપવામાં આવ્યો રૂ.4.36 કરોડની વીજળી પૂરી પાડવામાં આવી. 96 તાલુકાઓના 23 લાખથી વધુ ખેડૂતો માટે રૂ.2285 કરોડના ખાસ સહાય પેકેજને અમલમાં મૂક્યા છે.

લેખાનુદાનના મુખ્ય અંશો

  • 17-18 દરમિયાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના વિકાસ દરે ખેત ઉત્પાદન વધ્યા
  • દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 7.29 ટકા
  • હાલોલ ખાતે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે
  • 19મી પશુ ધન ગણતરીમાં 15.19 ટકાનો વધારો નોંધાયો, માથાદીઠ દુધ ઉત્પાદન 243 ગ્રામ પરથી વધીને 543 ગ્રામ થયું છે
  • ઝીંઘા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે 5000 હેક્ટર ખારાશવાળી જમીન, સરકારી જમીન, દરીયા કાંઠે ફાળવવામાં આવશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની રજૂઆતો
  • વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો માટે વધુ સુવિધા ઉભી થાય તે માટે મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (જેટી) બનાવવાનો નિર્ણય
  • પાકિસ્તાન જેલમાં બંધ માછીમાર પરિવારોને સરકાર દૈનિક રૂ.150ને બદલે રૂ.300નું નિર્વાહ ભથ્થું આપશે
  • 11 લાખ ખેડૂતોની 58 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી થઇ રહી છે
  • નર્મદા યોજનામાં 01થી 2018 સુધીમાં રૂ.51786 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ યોજનાથી 9083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી મળી રહ્યું છે
  • 9231 પેટા આરોગ્ય કેન્દ્ર 4199 પીએચસી, 30 જિલ્લા હોસ્પિટલ 16 મેડીકલ કોલેજ કાર્યરત, 2018માં 3.82 લાખ દર્દીઓએ ઓપીડી અને 43.30 લાખ દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે લાભ લીધો
  • મા વાત્સલ્ય યોજનામાં નોંધાયેલા 68 લાખ પરિવારોને રૂ.3 લાખની વાર્ષિક સહાયને બદલે રૂ.5 લાખ સુધીની સારવાર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે
  • મા વાત્સલ્યમાં લાભાર્થી થવા માટે વાર્ષિક રૂ.3 લાખની આવક મર્યાદા હતી જેમાં વધારો કરીને હવે રૂ.4 લાખ કરવામાં આવી. વધુ 15 લાખ નવા પરિવારો જોડાય શકશે. 75 લાખ નવા લાભાર્થીઓને લાભ મળી શક્શે.
  • મેડીકલ કોલેજની સીટો વધારી રહ્યા છે, 2001માં 1275 સીટો હતી તે વધીને 4150 સીટો થઇ છે એમબીબીએસની. ટૂંક સમયમાં નવી એક મેડીકલ કોલેજ નડીયાદ મેડીકલ કોલેજને ઝડપથી મંજૂરી મળી જવાની શક્યતા છે.
  • કર્મચારીઓ લક્ષી જાહેરાતમાં આશા યોજનામાં માસિક મહેન્તાણામાં રૂ.2000નો વધારો કરવાની જાહેરાત
  • નવી નડીયાદ, વિસનગર અને અમરેલી મેડીકલ કોલેજો શરૂ કરવા માટેનું આયોજન
  • એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર, નવી આઇ અને નવી ડેન્ટલ હોસ્પિટલ મળીને 1450 કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું છે. આગામી તા.4થી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે.
  • ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણનું કામ હાથ ધરવામાં આવશે
  • મહિલાઓ રાજ્યની દોઢ લાખ વિધવા બહેનોને રૂ.1000 માસિક સહાય ચૂકવવામાં આવતી હતી. વિધવા મહિલાઓને આજીવન પેન્શન ચાલુ રહેશે. 18 વર્ષનું સંતાન થયા પછી પણ પેન્શન ચાલુ રહેશે. હવે રૂ.1250 માસિક પેન્શન મળશે.
  • 53 હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને રૂ.900 માસિક વધારા સાથે હવે રૂ.7200 માસિક ભથ્થું, તેડાગર બહેનોને રૂ.3200માં રૂ.450નો વધારો કરીને રૂ.3650 રૂ. ભથ્થું આપવામાં આવશે.
  • 1.13 હજાર કરોડ શિક્ષણ માટે ફાળવી આપવામાં આવ્યા. 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ
  • ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ફક્ત 1.42 ટકા સુધી નીચે આવી ગયો
  • આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને બિલકુલ મફત ટેબ્લેટ આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પાછળ રૂ.1055 કરોડ ખર્ચાય રહ્યા છે
  • સમરસ 8 નવા છાત્રાલયની જોગવાઇ કરવામાં આવી
  • માઇનોરિટીઝ વિકાસ માટેના 8 નિગમોને રૂ.100ને બદલે રૂ.150 કરોડનું ફંડ
  • ગુજરાતમાં 1,14 હજાર કિ.મી.ના પાકા માર્ગોનું નેટવર્ક, 19-20માં જાહેર બાંધકામ વિભાગ દ્વારા રૂ.2000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે
  • જે હાઇવે પર એક લાખ યુનિટથી વધારે વ્હીકલ અવરજવર હશે ત્યાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 50 ટકાના સહયાગથી 6500 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર કે અન્ડર પાસ બનાવવામાં આવશે.
  • 103 કિ.મી. પગદંડી યાત્રા, જૈન તિર્થ પદયાત્રીઓ માટે અમદાવાદથી શરૂ થશે
  • મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકથી ગીચ વિસ્તારમાં ફ્લાય ઓવર તથા અન્ડર પાસ ગુજરાત સરકાર 100 ટકા ખર્ચ આપશે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડાદરા રાજકોટમાં 8-8, ભાવનગર, રાજકોટમાં 3-3 બ્રિજ બનશે. દાહોડ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, દિશા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, નવસારી, વલસાડ, ભરુચ, હિંમતનગર વગેરે મળીને કુલ 75 ફ્લાય ઓવર બ્રિજ શહેરોમાં બનાવી આપશે.
  • ફાટક મુક્ત ગુજરાત બનાવવાની યોજના. સરકાર રૂ.750 કરોડ ફાળવી રેલવે ફાટકો પણ બનાવી આપશે
  • 7.64 લાખ આવાસ આપવાનું આયોજન, જૈ પૈકી અત્યાર સુધીમાં 3.87 લાખ આવાસો મંજૂર કરી દેવાયા છે. 1 લાખ કરતા વધુ અરજદારોને આવાસ ધિરાણ વ્યાજ મુક્ત લોન
  • 1960થી ખેડૂતોને 6.94 લાખ વીજ જોડાણો, જ્યારે ભાજપાએ 18 વર્ષમાં 11 લાખથી વધુ વીજ જોડાણો આપ્યા છે. રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વિજ જોડાણો, ગ્રામ વિસ્તારના રહેઠાણ જોડાણોને વીજ બિલના મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટી માફ કરી દેવાનો નિર્ણય કરાયો
  • કરાર આધારિત વીજ પાવરથી વધુ વપરાશના કિસ્સામાં કલમ 126  અને 135 મુજબના થયેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, 6.74 લાખ ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને લાભ મળશે. રૂ.691 કરોડનો બોજો ઉપાડશે સરકાર
  • ખેડૂતોના વીજ જોડાણો, લાઇન લોસ વગેરે સમસ્યા નિવારણ માટે સ્કાય યોજના અંતર્ગત સોલાર પાવર જનરેશન કરાશે. ખેડૂતો પાસે સરકાર વીજ ખરીદશે.
  • ફાઇબર ટુ ફેશન સુધીનું કામ થાય એ માટેની ટેક્સટાઇલ પોલિસી બનાવાઇ
  • ગીરનાર ખાતે દર પાંચ વર્ષે રાજ્ય સરકાર ગીરનાર શિવરાત્રી કુંભ મેળાનો આરંભ 2019થી શરૂ કરાશે

ગુજરાતની સિદ્ધિઓ

 

  • 1,74,652 માથાદીઠ આવક
  • દેશની માથાદીઠ આવક કરતા 54.8 ટકા વધારે
  • દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 17-18માં વધીને 22 ટકા
  • ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.8 ટકા યોગદાન આપીને સૌથી પહેલા ક્રમે
  • આદિવાસી વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાદ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિકોને રોજગારી મળે તેવી યોજનાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગના શિક્ષિત બેરોજગાર યુવકો માટે ખાસ યોજનાઓ
  • સુએઝ પાણી ટ્રીટમેન્ટથી રીસાઇકલ કરેલા પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં ઉપયોગ કરાશે
  • બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલાર મેગા પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે.