સુરતના ટેક્સટાઇલ ઉધોગકારોને, વ્યાપારીઓને જીએસટીમાં રાહત મળે તે માટે જેમણે ચળવળ ઉપાડી હતી, અને છેલ્લે સુધી જેઓ સક્રીય રહ્યા હતા એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી અખબારી જાહેરાતોથી કરીને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે
એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગઇ તા.21મી જુલાઇએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને આપવામાં આવેલી રાહત બાદ સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કર્તાહર્તાઓએ જાણે પોતે જ રાહતો અપાવી હોય તે રીતે જશ ખાટવાની પ્રવૃતિ હાથ ધરી છે. હદ તો ત્યારે થઇ કે આજરોજ તા.23મી જુલાઇ 2018ના સ્થાનિક અખબારોમાં આપવામાં આવેલી મસમોટી ફુલપેજ જાહેરાતમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી દેવાતા ભારે ભડકો થયો છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને કનડતા જીએસટીના પ્રશ્નો સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થાનિક આગેવાનોને સાંભળવાથી શરૂ કરીને કેન્દ્રીય નાણાંમંત્રી સમેત અનેક લોકોને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. મનસુખ માંડવીયાએ પોતે ઇનિશ્યીએટિવ લઇને છેક પી.એમ. નરેન્દ્ર મોદી સુધી ધારદાર રજૂઆતો કરી હતી.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સ્થાનિક સાંસદો ખાસ કરીને સી.આર.પાટીલએ સ્થાનિક આગેવાનોને લઇને કેન્દ્રીય નાણાં મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી અને તેને પગલે તા.21મી જુલાઇના રોજ જીએસટી કાઉન્સિલએ ટેકસટાઇલ ઉદ્યોગકારોને ભરચોમાસે દિવાળીનો ઘાટ સર્જાય તેવી રાહતો આપતા આખરે મામલો જશ ખાટવાની વૃતિ પર આવ્યો હતો.
રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇ સમેત કેટલાક આગેવાનોએ મળીને જાણે ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી અખબારોમાં કેન્દ્ર સરકારનો આભાર માનતી જાહેરાતોનો મુસદ્દો તૈયાર કરાવ્યો હતો. આજે દૈનિક અખબારોમાં છપાયેલી જાહેરાતોની ડિઝાઇન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ તૈયાર કરાવી હતી. આ જાહેરાતમાં પી.એમ. નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયેલ, પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલી, કપડા મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ સ્થાનિક સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ અને દર્શના જરદોષના ફોટા સામેલ કરવામાં આવ્યા પરંતુ, જેમણે ટેક્સટાઇલ ઉદ્યોગને જીએસટી રાહત મળે તે માટેની ચળવળની શરૂઆત કરી હતી, તેમના જ ફોટાની બાદબાકી કરી દેવામા ંઆવી છે.
એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.
આજે અખબારોમાં જાહેરાતો છપાયા બાદ ભાજપમાં રાજ્યકક્ષાએ મામલો ભારે ગરમાયો છે. ખુદ મનસુખ માંડવીયા કેમ્પ પણ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓની આ હરકતથી ભારે નારાજ થયા છે. સ્થાનિક આગેવાનોએ આ વાત મનસુખ માંડવીયાના ધ્યાન પર પણ લાવતી તેઓ પણ નારાજ ચાલી રહ્યા છે. મનસુખ માંડવીયાએ સુરત ટેનિસ ક્લબમાં સ્થાનિક આગેવાનોને બોલાવીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આમ જેમણે જીએસટી રાહત મળે તે માટે ચળવળ ઉપાડી હતી અને છેવટ સુધી તેઓ આ મામલે સક્રીય રહ્યા હતા આમ છતાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ કયા કારણોસર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી એ હવે તપાસનો વિષય બન્યો છે.

લાખો રૂપિયાની આ અખબારી જાહેરાતમાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને જીએસટીમાં રાહત અપાવવા માટે ચળવળ શરૂ કરનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી કરીને વણનોતર્યો વિવાદ ખડો કરી દીધો છે. આ મુદ્દે છેક વડાપ્રધાન સુધી રજૂઆત થઇ છે.


















મોદી સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આદરેલી કામગીરીમાં ફોન ઉત્પાદકની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકનું ફોન ઉત્પાદક બન્યું છે. ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ઉત્પાદન કરતા હોય તેવા માત્ર બે કારખાનાં હતાં તેની સંખ્યા વધીને 120ની થઈ ગઈ છે. તે પૈકી 50 કારખાના ફક્ત નોએડામાં જ છે.