CIA ALERT

બોલીવુડ Archives - Page 10 of 12 - CIA Live

December 12, 2018
sonakshi1.jpg
1min21120

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.

સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’

December 10, 2018
kedarnath.jpg
1min4030

ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. તો બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂર અને સારા અલી ખાનની કેદારનાથે રવિવારે એટલે કે ત્રીજા દિવસે પણ 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી. પહેલા વીક એન્ડમાં ફિલ્મ કુલ 27.75 કરોડ રળી ચૂકી છે.

ફિલ્મ કેદારનાથે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર થી 7.25 કરોડ રૂપિયા ઉસેટ્યા હતા. તો બીજા દિવસે આ આંકડો વધીને 9.75 કરોડ થયો. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મે 10.75 કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મ પોતાના પહેલા વીક એન્ડમાં 27.75 કરોડની કમાણી કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાનની એક્ટિંગ વખણાઈ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમા જ સારાએ ક્ષમતાની નોંધ લેવડાવી છે.

કેદારનાથ 2013માં કેદારનાથમાં આવેલી પૂરની ઘટના પર આધારિત છે. આ પૂરમાં એક હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રોની સ્ક્રૂવાલાની RSVP અને અભિષેક કપૂરની ગાય ઈન ધી સ્કાય પિક્ચર્સ દ્વારા નિર્મિત કેદારનાથ અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે.

November 29, 2018
2.0.jpg
1min9550

દેશભરમાં આજે 2.0 રિલીઝ થઈ છે. રજનીકાંતના ચાહકોએ તેમની પરંપરા નિભાવતા દેશના અનેક ભાગોમાં સિનેમાઘરોની બહાર ઉત્સવ મનાવ્યો. અનેક શહેરોમાં સવારના 6 વાગ્યાથી જ શો શરૂ થઈ ગયા હતા. સ્ક્રીન પર રજનીકાંતની એંટ્રી થતા જ ચાહકો ગાંડા-ઘેલા થઈ ગયા હતા. એ પૂર્વે રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ની પાઈરસી અટકાવવા માટે મદ્રાસ હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે એક મોટો નિર્ણય લેતા આદેશ આપ્યો હતો કે 12 હજાર સાઈટ્સને તરત જ બ્લૉક કરવામાં આવે.

2.0ના રિલીઝ પૂર્વે જ પાઇરેસી કન્ટેન્ટ અપલોડ કરતી વેબ સાઈટ્સને બ્લૉક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એવી તમામ વેબનો સમાવેશ થાય છે કે જે તમિલ ફિલ્મની પાઈરસી કરી તેને અપલોડ કરે છે. રાજ્યના 37 ઈંટરનેટ પ્રોવાઈડર્સને તાત્કાલિક આ સાઈટ્સ બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં એ 2 હજાર વેબસાઈટ્સના નામ પણ સામેલ છે જેને તમિલ રૉકર્સ નામની વેબસાઈટ ઑપરેટ કરે છે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એમ સુંદરે 2.0ની પ્રૉડ્યૂસર કંપની લયકા પ્રૉડક્શનની અરજી પણ આ આદેશ આપ્યો છે. જેમાં 12, 564 ગેરકાયદે વેબસાઈટના નામ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલ રૉકર્સને બ્લૉક કરવામાં આવી હતી તો તેની જગ્યાએ URLમાં ફેરફાર કરીને અનેક સાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમને બ્લૉક કરવામાં આવી છે. પાઈરસીથી ફિલ્મોના બિઝનેસને મોટો ફટકો પડે છે. જેને જોતા આ અરજી કરવામાં આવી હતી

 

November 26, 2018
rummy-1280x720.jpg
1min5120

સન્ની લિયોનીનું નામ આવે એટલે સ્વાભાવિક છે કે પુખ્તવયના પુરુષોના ભવાં ચઢી જાય. સન્ની લિયોનીનું નામ જ્યારે પણ જાહેરમાં સભળાય કે વાંચવામાં આવે એટલે તરત જ તેના પર ધ્યાન કેન્દ્રીત કરે એવા લાખો નહીં કરોડો ચાહકો ભારતમાં છે. આવા સન્ની લિયોનીના ચાહકોએ આજરોજ તા.26મી નવેમ્બરે ટ્વીટર પર સન્ની લિયોનીને ફરીથી ટ્રોલ કરી છે.

નવાઇની વાત એ છે કે સન્ની લિયોનીનું નામ પડે એટલે કોઇ ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો, અંગ પ્રદર્શન, હોટ સીન વગેરે લઇને આવી રહી હશે અગર તો આઇટમ શોંગ કર્યું હશે, પણ આનાથી વિપરીત સન્ની લિયોની તા.26મી નવેમ્બર 2018ના રોજ ટ્વીટર પર ગંજીફા (પ્લેઇંગ કાર્ડસ)ની રમી રમતની એપ્લિકેશન માટે ટ્રોલ થઇ છે.

#RummyWithSunny ટ્વીટર પર આ ટેગલાઇન એટલી બધી ટ્રોલ થઇ રહી છે, જેમાં સન્ની લિયોની દ્વારા રમી રમતની મોબાઇલ એપ લોંચ કરવામાં આવી છે. એપ્લિકેશન લોંચ કરનારાઓનો દાવો છે કે આ વિશ્વની સૌથી મોટી રમતની એપ છે. બિલકુલ ફ્રી ડાઉનલોડમાં ઉપલબ્ધ #RummyWithSunny રમતમાં કહેવાય છે કે રમનારાઓને રોજેરોજ બોનસ પોઇન્ટસ પણ આપવામાં આવે છે. અન્ય ગેમ્સમાં મળતા બોનસ કરતા વધું બોનસ આપીને #RummyWithSunny એપને વધુ ચાહક પ્રિય બનાવવામાં આવી છે.

સન્ની લિયોની હાલમાં આ #RummyWithSunny ગેમ એપનું પ્રમોશન કરી રહી હોઇ, તેના ચાહકોએ તેને રમીની રમત માટે ટ્રોલ કરી છે.

November 9, 2018
Thugs-of-Hindustan-Movie-Review-with-Related-Details.jpg
1min12060

તા.8મી નવેમ્બર 2018ના રોજ મોટા ઉપાડે રિલીઝ થયેલી અને બિગ સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પર ફિલ્મ રસીકોને આશા હતી કે ફિલ્મ સુપર ડુપર જોવા લાયક હશે અને પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હશે પણ આવું કશું ફિલ્મ નથી. પહેલા જ દિવસે ફિલ્મ જોનારાઓના પ્રતિભાવોએ ફિલ્મની ખરાબ રીતે પીટાઇ કરી દીધી છે.

ફિલ્મ રસીકોનું માનવું હતું કે ફિલ્મ એટલી મનોરંજક હશે અને સ્ટોરી દમદાર હશે કે બંને સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. મોટા મોટા કિલ્લા, જહાજ અને ગ્રાન્ડ પ્રોડક્શન વેલ્યુ. એક્શન અને એડવેન્ચરની ભરમાર. સાથે જ દાવો કરાયો કે આ ફિલ્મ 300 કરોડમાં બની છે તો આશા હતી કે જબરજસ્ત ભવ્ય કિલ્લો જોવા મળશે.

ફિલ્મની સ્ટોરી 1795ના ભારતની છે, જેમાં બતાવાયો છે ભારતનો ઈતિહાસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી હતી વેપાર કરવા માટે પરંતુ ધીરે ધીરે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી. તેમના વિરોધમાં જે લોકો હતા તે આઝાદ કહેવાયા. જેનું નેતૃત્વ ખુદ ખુદાબખ્શ એટલે કે અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. તે બીજી તરફ છે ફિરંગી મલ્લાહ એટલે કે આમિર ખાન જે અંગ્રેજો માટે કામ કરે છે. ફિરંગીને આઝાદને શોધવાનું કામ સોંપાય છે. તો શું ફિરંગી સફળ થશે કે પછી ખુદ આઝાદની જાળમાં ફસાઈ જશે. આ જ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. ભરે પછી તે તાર્કિક હોય કે નહીં. કેટલાક કેરેક્ટર્સને ડેવલપ કરવાનું જ ભૂલાઈ ગયું છે. જ્યારે તમે ઈતિહાસ કે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો તો લોર્ડ ક્લાઈવની મૃત્યુ કાલ્પનિક ઘટના તરીકે ન બતાવી શકાય.

આ ઈતિહાસ સાથે છેડછાડ છે. આમિર ખાનની ફિલ્મ લગાનની જેમ જ લોર્ડ ક્લાઈવના પાત્રના બદલે કોઈ કાલ્પનિક પાત્ર પણ હોઈ શક્તું હતું. સરવાળે અધકચરી સ્ટોરી પર ફિલ્મ બની છે, તે સ્પષ્ટ દેખાય છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પર થોડી મહેનત કરી હોત તો આટલા મોટા સ્ટાર્સ અને બજેટની ફિલ્મ સારી બની શક્તી હતી. ફિલ્મમાં મનોરંજન તો છે, એક વાર જોઈ શકાય. બાળકોને ગમે તેવી છે.

એક્ટિંગની વાત કરીએ તો ખુદાબખ્શના પાત્રમાં અમિતાભ બચ્ચન સુપર હીરોની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. આમિર ખાન ફિરંગીના પાત્રમાં જામે તો છે પરંતુ ક્યારેક લાગે છે કે બીજાના ડાઈલોગ પણ તે જ બોલી રહ્યા છે. આ બે પાત્ર સિવાય ડિરેક્ટરને બીજા કોઈ પાત્રમાં રસ નથી પડ્યો. સરવાળે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક કમર્શિયલ સાધારણ ફિલ્મ છે. જેને એક વખત જોઈ શકાય.

November 7, 2018
thugs-1280x720.jpg
1min8930

અત્યાર સુધી બૉલીવૂડમાં દિવાળી પર રિલીઝ થયેલી સૌથી હીટ ફિલ્મ રિતીક રોશનની ‘ક્રીશ-3’ રહી છે, જેણે પ્રોડક્શન હાઉસના જણાવવા મુજબ રૂા. 245 કરોડનું વિક્રમી કલેકશન કર્યું હતું. જોકે બૉલીવૂડના ટ્રેડ પંડિતોએ હવે એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે આ વખતે દિવાળીમાં રિલીઝ થનારી યશરાજ ફિલ્મ્સની આમિર ખાન – અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘ઠગ્સ અૉફ હિન્દોસ્તાન’ રિતીકની ‘ક્રીશ-3’ કરતાં વધારે કલેકશન કરી તેનો વિક્રમ તોડશે.

November 5, 2018
a_r_raheman.jpg
1min11070

એ આર રહેમાનની પ્રતિભા લોકો સામે આવતા પહેલા તેમના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ પોતાની જાતને અસફળ માનવા લાગ્યા હતા અને લગભગ દરરોજ આત્મહત્યા કરવાનું વિચારતા હતા.

ઑસ્કાર એવોર્ડ વિજેતા અને પ્રસિદ્ધ સંગીતકારે જણાવ્યું હતું કે ‘પચીસ વર્ષનો થયો ત્યાં સુધી હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો. મારા પિતાનું નિધન થતા હું નિરાશ થઇ ગયો હતો. જીવનમાં ઘણી વસ્તુઓ થઇ રહી હતી. જોકે, આ બધી વસ્તુઓએ જ મને વધુ નિડર બનાવી દીધો. મૃત્યુ નિશ્ર્ચિત છે. જે પણ વસ્તુ બની છે તેની એક્સ્પાઇરી ડેટ નક્કી જ હોય છે. તો પછી કોઇ વસ્તુથી કેમ ડરવું?.

સંગીતકારે ‘નોટ્સ ઑફ અ ડ્રીમ: ધ ઑથોરાઈઝડ બાયોગ્રાફી ઑફ એ આર રહેમાન’માં તેના જીવનના કઠીન દિવસો અને અન્ય ઘટનાઓની વાત કરી છે. આ પુસ્તકને કૃષ્ણ ત્રિલોકે લખ્યું છે, જેનું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

November 4, 2018
200-1280x720.jpg
1min15860

લોકો જે ફિલ્મની ખૂબ જ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે એ ફિલ્મ ‘૨.૦’ને બનાવવા પાછળ લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા.3 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ડિરેક્ટર શંકરની ‘રોબોટ’ની સીક્વલ છે. ‘૨.૦’ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજો આ ફિલ્મ સુપરહિટ થવાની છે. હું  ઍડ્વાન્સમાં શંકરને અને પ્રોડક્શન-હાઉસને શુભેચ્છા આપું છુ. લગભગ ૬૦૦ કરોડ રૂપિયા આ ફિલ્મ બનાવવામાં લાગ્યા છે. પ્રોડક્શન-હાઉસના સર્પોટ વગર આ ફિલ્મ બનવી શક્ય નહોતી. આ માત્ર રજનીકાન્તની ફિલ્મ નથી. આ પૈસા શંકર પાછળ ખર્ચવામાં આવ્યા છે, જે હંમેશાં લોકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ શંકરનું વિઝન છે અને પ્રોડક્શન-હાઉસે એની પાછળ જે રકમ ખર્ચી છે એના માટે હું તેમનો આભારી છું.’

રજનીકાન્ત, અક્ષયકુમાર અને ‘૨.૦’ના ડિરેક્ટર શંકરે ગઈ કાલે ચેન્નઈમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં મોબાઇલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ખતરનાક હોય છે એવું કહેવામાં આવ્યું છે. ટંૂકમાં મોબાઇલ આ ફિલ્મમાં મહkવનો ભાગ ભજવી રહ્યો છે અને એથી જ તેઓ લૉન્ચમાં પણ મોબાઇલ સાથે જોવા મYયા હતા.

October 26, 2018
sci_fic1.jpg
1min5850

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.

આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.

October 8, 2018
sunny_veerma.jpeg
1min5330

કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ કર્ણાટકમાં બોલીવુડની એક્ટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મ માંથી કાઢી નાંખવા માટે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે.

વિરમાદેવી ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે વિરમાદેવી ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી.