CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 19 of 38 - CIA Live

October 21, 2019
ronaldo_insta.jpg
1min4500

ક્લબ કરતા ઈન્સ્ટાગ્રામથી વધુ રૂપિયા રળી આપે છે

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.

રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.

એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.

49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.

October 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4160

સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.

એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.

મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.

તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.

અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.

સેવા સમાજ ફાઉન્ડેશન

સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.

October 10, 2019
mumbai_dutyfree-1280x720.jpg
1min4020

મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો

મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.

બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.

“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”

October 10, 2019
nobel.jpg
1min3390

લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.

નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.

આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.

October 10, 2019
leo4-1280x853.jpg
2min9280

Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું

આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.

તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા

આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.

સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર

સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.

સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.

કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.

ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.

કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

October 8, 2019
medical_noble.jpg
1min6240

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની ઘોષણા સોમવારથી શરૂ થઇ ગઇ છે. પ્રથમ નોબેલ સન્માન ચિકિત્સાનાં ક્ષેત્રમાં આપવાની ઘોષણા કરાઇ હતી.

અમેરિકાના વિલિયમ જી. કેલીન જૂનિયર અને બ્રિટનના સરપીટર જે. રેટફિલક તેમજ અમેરિકાના ગ્રેએલ સંમેન્જાને સંયુક્ત રીતે સન્માનિત કરાશે.

આ ત્રણેય વિજેતાને શરીરના કોષોમાં જીવન અને ઓકિસજન ગ્રહણ કરવાની ક્ષમતા અંગે કરેલી મહત્ત્વપૂર્ણ શોધ બદલ નોબેલથી નવાજાશે.

તબીબી ક્ષેત્રના નોબેલ પુરસ્કારો બાદ 14 ઓક્ટોબર સુધી છ અન્ય ભૌતિક રસાયણ, સાહિત્ય, શાંતિ સહિત ક્ષેત્રોમાં વિજેતાઓનું એલાન કરાશે. આ વખતે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માટે દુનિયાભરમાં ઓળખ ઊભી કરનારા ગ્રેટા થુન્બર્ગને શાંતિ નોબેલ પુરસ્કારના દાવેદાર મનાય છે.

વધુમાં, આ વરસે સાહિત્યના એક સાથે બે નોબેલ પુરસ્કાર અપાશે. ગત વર્ષે યૌન શોષણના આરોપો થકી પુરસ્કાર નહોતા અપાયા. ગત વર્ષે 70 વર્ષમાં પહેલીવાર સાહિત્ય માટે નોબલ પુરસ્કાર નહોતા અપાયા. યૌન શોષણના આરોપો બાદ અકાદમીના 7 સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

October 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10970

ઉકાઇ ડેમમાં કાબિલે તારીફ વોટર મેનેજમેન્ટ, ચોકસાઇપૂર્વક ડેમ 100 ટકા ભરાયો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજરોજ તા.7મી ઓક્ટોબર 2019 ને સોમવાર, નવમું નોરતું જાણે માં અંબાના આશીર્વાદ સૂરતીઓને મળ્યા હોય એ રીતે સુરતની 60 લાખ અને જિલ્લાની 40 લાખ મળીને 1 કરોડથી વધુ વસતિ માટે પાણીનો સૌથી મોટા અને અગત્યના સ્ત્રોત સમા ઉકાઇ ડેમ 100 એ 100 ટકા પાણીથી ભરાઇ ગયો છે.

તા.7મી ઓક્ટોબર સોમવારે સવારે 8 વાગ્યે જ્યારે ઉકાઇ ડેમના સત્તાવાર સૂત્રોએ સવારે 8 વાગ્યે માહિતી રજૂ કરી, જેમાં ડેમમાં ભયજનક સપાટી 345 ફૂટ અને સવારે 8 વાગ્યાની પાણીની સપાટી 345 પૂટ નોંધાઇ હતી. ડેમમાં 12553 ક્યુસેક્સ પાણીનો આવરો હતો અને તેટલી જ જાવક શરૂ કરવામાં આવી છે. સૌથી અગત્યના વાત એ છે કે હવે વરસાદની શક્યતા નહીવત્ છે. ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં જતું ચોમાસું છે અને પાછોતરો વરસાદ પડી રહ્યો છે જેની આવક થઇ રહી છે. ટૂંકમાં યોગ્ય સમયે ઉકાઇ ડેમ 100 ટકા ભરાઇ ગયો છે.

7મી ઓક્ટોબર 2019ની સવારે 8 વાગ્યે ઉકાઇ ડેમ 100 ટકા પાણીથી ભરાઇ ગયો

ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટનું કામ કાબિલે તારીફ

2019નું વર્ષ ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ માટે હંમેશા માટે યાદ રાખવામાં આવશે. એક તબક્કે ઉકાઇ ડેમમાં 20 દિવસમાં 40 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડીયામાં ઉકાઇ ડેમની સપાટી 330 ફૂટ પર પહોંચી ચૂકી હતી. એ પછી ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણી આવી રહ્યું હતું. જો ડેમ સત્તાવાળાઓ, સિંચાઇ વિભાગ કે કલેક્ટરેટના અધિકારીઓ, કર્મચારીઓએ નાની પણ માનવ સહજ ભૂલ કરી હોત તો કદાચ સૂરતને મોટી અસર થઇ હોત.

પણ સતત ફોલોઅપ, સતત વોચ રાખીને ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ ચીવટાઈપૂર્વક અને ચોકસાઇથી કરવામાં આવ્યું અને તેના કારણે જ સૂરત શહેરમાં આ વખતે ફ્લડ લાઇક સિચુએશન હતી, જે નિવારી શકાઇ છે.

આજે તા.7મી ઓક્ટોબર 2019ના રોજ ઉકાઇ ડેમમાં પાણીનું હાઇએસ્ટ લેવલ સિદ્ધ કરી શકાયું. હવામાન ખાતું કહે છે કે દેશમાંથી લગભગ ચોમાસાએ વિદાય લીધી છે અને બરાબર એ જ સમયે દક્ષિણ ગુજરાતમાં પાણીનો તેમજ ખેતી સિંચાઇનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમ છલોછલ ભરાઇ જવા પામ્યો છે. આ પરિસ્થિતિએ પહોંચવા માટે છેલ્લા 45 દિવસથી સૂરતના સરકારી તંત્રોએ જડબેસલાક કામગીરી કરી.

October 1, 2019
Apprenticeships-Logo.png
1min4390

પ્રેન્ટિસશિપ નિયમોમાં સુધારાનું જાહેરનામું

સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.

ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.

આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.

September 26, 2019
iima.jpg
1min4690

અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.

અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 

પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

September 22, 2019
m2.jpg
1min3530
Peanut

વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો’ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.’ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.

ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ છે.

ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં આવે છે.

આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.