ફિનલૅન્ડની સોશ્યલ ડેમોક્રૅટિક પાર્ટીએ વડા પ્રધાનપદ માટે ૩૪ વર્ષનાં ભૂતપૂર્વ પરિવહનપ્રધાન સના મરીનને પસંદ કર્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં તે સૌથી યુવા વડાં પ્રધાન બન્યાં છે. મરીને રવિવારે થયેલું મતદાન જીતીને નેતા ઍન્ટિ રિનેનું સ્થાન લીધું હતું. જેણે પોસ્ટ હડતાળને સમેટવા માટે સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતું.
મરીને પત્રકારોને કહ્યું કે ફરીથી વિશ્વાસ મેળવવા માટે અમારે બહુ કામ કરવું પડશે. પોતાની ઉંમર સંબંધિત સવાલો પર તેમણે કહ્યું કે મેં ક્યારેય પણ પોતાની ઉંમર કે મહિલા હોવા અંગે વિચાર્યું નથી. હું અમુક કારણોને કારણે રાજનીતિમાં આવી છું અને એ વસ્તુઓને કારણે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં જ મરીને રાજનીતિમાં પગ મૂક્યો હતો અને એ જ સમયથી તે લોકોમાં ખાસ્સી ફેમસ થઈ ગઈ હતી.
ફિનલૅન્ડના પ્રમુખ અખબાર અનુસાર મરીન દુનિયાની સૌથી ઓછી ઉંમરની વડા પ્રધાન બની ગઈ છે. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જૅકિંડા આર્ડેન ૩૯ વર્ષ, યુક્રેનના પીએમ ઓલેક્સી હોન્ચારુક ૩૫ વર્ષ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૩૫ વર્ષના છે.
ધો.12 B ગ્રુપના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડજો : એઇમ્સ ભણવું એટલે બેડો પાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જુદા જુદા મહત્વના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. હાલ નીટનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સમાં બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે છે અને તેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂર છે કે એઇમ્સ એ મેડીકલ ફિલ્ડની ભારતની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમાં બી.એસસી. નર્સિંગ કે પેરામેડીકલમાં અભ્યાસ કરવો એટલે જીવનનો બેડો પાર જેવી સ્થિતિ સર્જવી એમ ગણાય.
ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બી.એસસી. નર્સિંગ અને બી.એસસી. પેરામેડીકલ કે જેમાં પેથોલોજીકલ લેબ-માઇક્રોબાયોલોજી સમકક્ષનું કામકાજ આવે છે, આ બન્ને કોર્સમાં તેઓ લાયકાતપાત્ર છે. જ્યારે ધો.12 એ ગ્રુપના વિદ્યાર્થીઓ ઇચ્છે તો એઇમ્સના બી.એસસી. પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
AIMS B.Sc. Nursing and B.Sc. Paramedical Entrance Details
નીચેની લિંક પર ક્લીક કરશો તો એઇમ્સની વેબસાઇટ પરથી નોટીફિકેશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકાશે
All India Institute of Medical Sciences (AIIMS) has released an important notice regarding entrance examinations to admission in B.Sc. Courses-2020 on its official website.
According to the notification, the basic registration (PAAR) for B.Sc(H) Nursing/B.Sc Nursing (Post-Basic)/B.Sc(Paramedical Courses) -2020 will commence on December 12, 2019. The last date for the registration will be January 16, 2020.
Eligibility
B.Sc (H) Nursing course
Candidates who have passed the 12th Class under the 10+2 Scheme/Senior School Certificate Examination or Intermediate Science or an equivalent examination from a recognized University/Board of any Indian State with English, Physics, Chemistry and Biology and has a minimum aggregate marks required in qualifying examination i.e.10+2 or equivalent is 55% for Gen/EWS/OBC and 50% in case of SCs/STs categories can apply for B.Sc (H) Nursing course 2020 entrance examination.
B.Sc (Paramedical Courses)
The candidates who have passed 10+2 or equivalent examination with English, Physics, Chemistry and either Biology or Mathematics with 50% for Gen/ EWS/OBC and 45% in case of SCs/ STs Categories are eligible to apply for B.Sc (Paramedical Courses).
B.Sc Nursing (Post-Basic)
The candidate who have passed 12th class under 10+2 system of education or an equivalent examination from a recognized Board/University (Those who have passed 10+1 on or before 1986 are also eligible). (For BSc Nursing Post-Basic)
Diploma in General Nursing and Midwifery from any institution recognized by the Indian Nursing Council. (For BSc Nursing Post-Basic)
Registration as a nurse, RN, RM (registered nurse, registered midwife) with any State Nursing Council. (For BSc Nursing Post-Basic)
In case of male nurses, (if passed before implementation of new integrated course in 2003), beside being registered as a nurse with the State Nursing Council, should have obtained a certificate in General Nursing and instead of Training in Midwifery, training in any subject out of following, for a period of six months: i) O.T. Techniques, ii) Ophthalmic Nursing, iii) Leprosy Nursing, iv) TB Nursing, v) Psychiatric Nursing, vi) Neurological and Neuro Surgical Nursing, vii) Community Health Nursing, viii) Cancer Nursing, ix) Orthopaedic Nursing (For BSc Nursing Post-Basic)
AIIMS B.Sc Nursing 2020 entrance exam: Important Dates
વેબસાઇટ jeemain.nta.nic.in. પરથી ડાઉનલોડ થઇ શકશે એડમિટ કાર્ડ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી તા.6થી 11 જાન્યુઆરી 2020 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી જેઇઇ મેઇન પરીક્ષાના એડમિટ કાર્ડ આજરોજ તા.6 ડિસેમ્બર 2019થી વેબસાઇટ પરથી મળવા માંડશે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જેઇઇ મેઇન અત્યંત મહત્વની પરીક્ષા છે.
દેશભરમાં પથરાયેલી આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. જેવી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન પરીક્ષા લેવામાં આવે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું સંચાલન કરે છે અને સંપૂર્ણ પણે આ કમ્પ્યુટરાઇઝ્ડ પરીક્ષા છે. વિદ્યાર્થીઓએ પોતાના આઇ.ડી, પાસવર્ડની મદદથી જેઇઇની ઓફિશ્યલ વેબસાઇટ પર લોગઇન કરીને એડમિટ કાર્ડ ડાઉન લોડ કરીને પોતાની તથા પરીક્ષા કેન્દ્રની વિગતો ચકાસી લેવી.
The National Testing Agency (NTA) is going to release the joint entrance exam (JEE) mains admit card today i.e., Friday, December 6, 2019.
The JEE (Main) exam will be held in the month of January 2020.
Candidates, who have applied for the JEE January 2020 exam, can download their admit card from the official website — jeemain.nta.nic.in.
The First JEE (Main)-2020 will be conducted in January 2020 between 6th January (Monday) and 11th January (Saturday) 2020 and the Second JEE (Main)-2020 will be conducted between 3rd April (Friday) and 9th April (Thursday) 2020.
The Examinations will be held in “Computer Based Test” (CBT) Mode only, except that the Drawing Test for B.Arch. will be held in “Pen & Paper” (offline) mode.
The candidates aspiring to take admission to the undergraduate programs at IITs for the year 2020 will also have to appear in B. E. /B. Tech. Paper of JEE (Main)-2020. Based on the performance in the B.E./B. Tech. of JEE (Main)-2020, number of top candidates as per the requirement for JEE (Advanced) 2020 will be eligible to appear in JEE (Advanced)-2020. Admission to IITs will be based on category -wise All India Rank (AIR) in JEE(Advanced),subject to the conditions as would be mentioned in JEE(Advanced)-2020 Website.
શુક્રવારની સવારે આવેલા સમાચારો અજંપાગ્રસ્ત ભારતીઓ કલેજા ઠાર્યા, પોલીસ પર શાબાશીઓનો વરસાદ
હૈદરાબાદ ખાતે વિતેલા સપ્તાહે એક યુવતિ પર બળાત્કાર ગુજારી તેની કમકમાટીભરી હત્યા કરનાર 4 આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાના સમાચારે સમગ્ર શુક્રવારની સવારે એક પ્રકારની ખુશાલી પ્રસરાવી દીધી હતી. હૈદરાબાદમાં યુવતિના રેપ વીથ મર્ડરની ઘટના બાદ સમગ્ર ભારતના લોકોમાં બળાત્કારીઓને ત્વરીત સજા સાથે એક પ્રકારનો અજંપો હતો. શુક્રવારની વહેલી સવારથી ભારતમાં પ્રસરેલા આ સમાચારે કરોડો ભારતીયોના કલેજાને ઠંડક પહોંચાડી હતી.
શનિવારની સવારે સમગ્ર દેશમાં પ્રસરેલા સમાચારને અનુમોદન આપતા હૈદરાબાદ પોલીસે જણાવ્યું હતું કે 20થી 24 વર્ષના ચારેય આરોપીઓએ પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશીશ કરી હતી. પોલીસે તેમની કોશીશને નાકામ બનાવવા માટે ફાયરીંગ કરવું પડ્યું હતું અને આ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત નિપજ્યા હતા.
શુક્રવારે સવારે 3.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં ચારેય આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હોવાનું સાઇબરાબાદ પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ હતા અને પોલીસ તેમને ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે લઇ ગઇ હતી ત્યારે તેઓએ ભાગવાની કોશીશ કરી હતી.
હૈદરાબાદ રેપ વીથ મર્ડર ઘટનાને પગલે સમગ્ર ભારતના લોકોમાં ભારે અજંપો હતો. શુક્રવારે સવારે આ સમાચાર આવતા જ લોકોમાં એક પ્રકારનો સંતોષની લાગણી જન્મી હતી. અનેક લોકોએ સોશ્યલ મિડીયા પર લખ્યું હતું કે ત્વરીત ન્યાયના આ સમાચારે દિવસ અને સપ્તાહ બન્ને સુધારી દીધા છે.
હૈદરાબાદ ખાતે રેપ વીથ મર્ડરની ઘટનાએ સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે લોકરોષની ઘટનાઓને જન્મ આપ્યો હતો. દેશમાં શુક્રવારની સવારે લોકોએ પોલીસ એન્કાઉન્ટરને વધાવતા ટ્વીટ્સ કર્યા હતા.
All four people accused in the rape and murder of woman veterinarian in Telangana have been killed in an encounter with the police.
Cops claimed they tried to escape while the crime scene was being reconstructed and were killed in the encounter.
The charred body of the woman, working as an assistant veterinarian at a state-run hospital, was found dumped under a culvert at Shadnagar near here on November 28 morning, a day after she went missing.
Four men, all lorry workers, aged between 20 and 24, were arrested on November 29 on charges of raping and killing the woman and had been sent to judicial custody for 14 days on Saturday.
ધો.12 બાયોલોજી સાથે પાસ થઇને મેડીકલ પ્રવેશ માટે પ્રયત્નશીલ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અમે ટીમ શિક્ષણ સર્વદા એક મહત્વની બાબત પર અંગૂલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી સામાન્ય વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક જગતમાં એવી સામાન્ય સમજ છે કે મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ બધુ મળીને કુલ 50 ટકા માર્કસ લાવવા ફરજિયાત છે. 50 ટકામાં પ્રેક્ટીકલના માર્કસ પણ ગણતરીમાં લેવાય. એવી જ રીતે નીટમાં લઘુત્તમ લાયકાત 50 પર્સન્ટાઇલની હોવાની માન્યતા તમામમાં પ્રવર્તે છે. પરંતુ, નીટ 2020નું ઇન્ફર્મેશન બુલેટિન વાંચતા કેટલીક મહત્વની સ્પષ્ટતા અહીં કરી રહ્યા છીએ.
શું ફેરફારો છે નીટ અને ધો.12ના પરીણામની લઘુત્તમ લાયકાતમાં વાંચો અહીં
NEET પરીક્ષામાં પણ લઘુત્તમ લાયકાતનું ધોરણ ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 50 પર્સન્ટાઇલ જ્યારે એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગના ઉમેદવારો માટે 40 પર્સન્ટાઇલ કરવામાં આવ્યું હોવાનો નિર્દેશ નીટ ઇન્ફર્મેશન બુલેટીનમાં પાના નં.36, ચેપ્ટર નં.13માં કરવામાં આવ્યો છે.
એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના પરીણામની આ લઘુત્તમ લિમિટમાં આ વખતે જાહેર થયેલા નીટ 2020 પરીક્ષાના નોટિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેનું અર્થઘટન આ મુજબ છે.
મેડીકલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવા ફરજિયાત છે.
એવી જ રીતે ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માં પોતાનું નામ સામેલ કરાવનારા વિદ્યાર્થીઓએ ધો.12 બોર્ડની પરીક્ષામાં 45 ટકા ફરજિયાત લાવવાના રહેશે.
તેમજ અનામત વર્ગના વિદ્યાર્થીઓએ જેમકે એસ.સી., એસ.ટી. અને ઓબીસીના વિદ્યાર્થીઓએ એમ.બી.બી.એસ.ના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં બધુ મળીને કુલ 40 ટકા માર્કસ લાવવાના રહેશે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જાહેર કરેલા NEET 2020ના નોટિફિકેશનમાં નીચે મુજબનો નિયમ દર્શાવાયો છે જે અહીં અક્ષરસઃ પ્રસ્તુત છે
To be eligible for admission to the Undergraduate Medical
Courses, a candidate must have passed in the subjects of Physics, Chemistry,
Biology/Bio-technology and English individually and must have obtained a
minimum of 50% marks taken together in Physics, Chemistry,
Biology/Biotechnology at the Qualifying Examination as mentioned in Graduate
Medical Education Regulations-1997 as amended in 2018 and BDS Course
Regulations, 2007 and in addition must have come in the merit list of National
Eligibility Cum Entrance Test for admission to Undergraduate Medical Courses.
In respect of the candidates belonging to the SC, ST and
OBC-NCL category, the marks obtained in Physics, Chemistry,
Biology/Biotechnology taken in qualifying examination and competitive
examination (Physics, Chemistry, Biology) must be 40% marks instead of 50%.
In respect of candidates with Benchmark Disabilities
specified under the Rights of Persons with Disabilities Act, 2016, the minimum
marks in qualifying examination in Physics, Chemistry and Biology/Biotechnology
taken together must be 45% instead of 50% for Unreserved category & GEN-EWS
candidates and 40% for SC/ST/OBC-NCL candidates.
For admission in BUMS Course, the candidate must have passed the 10th standard with Urdu or Arabic or Persian language as a subject, or clear the test of Urdu of 10th Standard (wherever there is provision to conduct of such test) in the entrance examination conducted by the University or Board or registered Society or Association authorized by the Government to conduct such examination. For admission in BSMS course, the Candidate must have passed Tamil as one of the subjects in the 10th Standard/in Higher Secondary course or Candidates shall have to study Tamil as a subject during the First Professional course
ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડીયન નેવીમાં જોડાવાની અમૂલ્ય તક
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ઇન્ડીયન નેવી દ્વારા હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપ (પી.સી.એમ.)માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કેરળ સ્થિત ઇન્ડિયન નેવેલ એકેડેમીમાંથી બી.ટેક. અભ્યાસ કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન નેવીમાં જોડાઇને કારકિર્દી બનાવવાનો લક્ષ્યાંક રાખતા યુવાનો માટે આ અમૂલ્ય તક માનવામાં આવે છે. ઇન્ડીયન નેવેલ એકેડેમીમાં અભ્યાસ કરવો એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.
ઇન્ડીયન નેવી રિક્રુટમેન્ટ જુલાઇ 2020 માટે કેડેટ એન્ટ્રી સ્કીમ અન્વયે આવેદનપત્ર આમંત્રિત કરવાની ઘોષણા ઇન્ડીયન નેવીએ કરી છે. ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ માટે લાયક ગણાશે.
સિલેક્ટ થયેલા ઉમેદવારોને Indian Naval Academy, Ezhimala, Kerala ખાતે બી.ટેક. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની તક મળશે. અને એ પછી એમની ક્ષમતા અનુસાર ઇન્ડીયન નેવીમાં નોકરીની તક ઉભી થઇ શકે.
ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરતા હોય અને ઇન્ડીયન નેવીમાં રસ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.29 નવેમ્બરથી 19 ડિસેમ્બર 2019 સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. આ પ્રક્રિયામાં પસંદગી પામેલા ઉમેદવારોની ટ્રેનિંગ જુલાઇ 2020થી શરૂ કરવામાં આવશે.
સિલેક્શન પ્રક્રિયા
સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જેઇઇ મેઇન ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કરવામાં આવશે. સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બે સ્ટેજમાં ઇન્ટરવ્યુ યોજાશે. પહેલા સ્ટેજમાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ, પિક્ચર પર્સેપ્શન અને ગ્રુપ ડિસ્કશન યોજાશે. બીજા સ્ટેજમાં સાઇકોલોજીકલ ટેસ્ટિંગ, ગ્રુપ ટેસ્ટિંગ અને ઇન્ટરવ્યુ યોજાશે. આ બન્ને સ્ટેજમાંથી પાસ થયેલા ઉમેદવારોએ મેડીકલ એકઝામિનેશનમાં સફળ થવાનું રહેશે.
Indian Navy Recruitment July 2020: Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme
Indian Navy Recruitment July 2020 : Application invited for 10+2 (B.Tech) Cadet Entry Scheme
The Indian Navy Recruitment department has invited applications from unmarried male candidates (fulfilling the conditions of nationality as laid down by the Govt. of India) to join the prestigious Indian Naval Academy, Ezhimala, Kerala for a four year degree course under the 10+2 (B.Tech) Cadet Entry Scheme.
The candidates who are eligible can submit their online application from November 29, 2019, to December 19, 2019. The training of the selected candidates will commence in July 2020.
The candidates are advised to print one copy of filled online application form and carry it along with original certificates/documents as mentioned in Para 22 Note (c) while appearing for SSB interview.
Eligibility Details
Age: Born between 02 Jan 2001 and 01 Jul 2003 (both dates inclusive).
Educational Qualification: Passed Senior Secondary Examination (10+2 Pattern) or its equivalent examinations from any Board with at least 70% aggregate marks in Physics, Chemistry and Mathematics (PCM) and at least 50% marks in English (either in Class X or Class XII).
Selection process
Call up for Service Selection Board (SSB) will be issued on the basis of JEE (Main) – 2019 All India Rank. SSB interview will be conducted in two stages. Stage I test consists of Intelligence test, Picture Perception and Group Discussion. Candidates who fail to qualify in Stage I will be routed back on the same day. Stage II test comprises Psychological testing, Group testing and Interview which will last for 04 days. Successful candidates will thereafter undergo Medical Examination (approx duration 03-05 working days).
અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજો છે.
ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ ઑપન ડૉર્સ રિપૉર્ટ ઑન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ચોથા વર્ષે દસ લાખથી વધુ રહી હતી.
અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ અમેરિકાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં ૪૪.૭ અબજ ડૉલરનો ફાળો આપ્યો હતો. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૫.૫ ટકા વધુ હતી. અમેરિકામાં ચીને ૨૦૧૮-૨૦૧૯માં ૩,૬૯,૫૪૮ અને ભારતે ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થી મોકલ્યા હતા. તે વર્ષે અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૯૫,૨૯૯ હતી. આ આંકડો આગલા વર્ષની સરખામણીમાં ૦.૦૫ ટકા વધુ હતો.
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય (વિદેશી) વિદ્યાર્થીઓની કુલ ટકાવારી ૫.૫ ટકા છે.
અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન, ભારત પછી દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને કેનેડાના વિદ્યાર્થીઓનો ક્રમ આવે છે.
શાળાઓમાં ‘વૉટર બ્રેક’ વિદ્યાર્થીઓને નિયમિત અંતરાલે પાણી પીવાનું યાદ અપાવે છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિજ્ઞાન, શાસ્ત્રો અને તબીબો નિયમિત રીતે એવું કહી રહ્યા છે કે માનવીએ દિવસમાં શક્ય હોય તેટલું વધુ પાણી પીવું જોઇએ, કમનસીબે બહુ જૂજ લોકો નિયમિત અંતરાળે પાણી પી ને સ્વાસ્થય સારુ રાખે છે, બિમારીઓને દૂર રાખી શકે છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ સમેત કહેવાતી વ્યસ્તતા ને કારણે શરીરને પાણીથી કલાકો વંચિત રાખે છે અને તેને કારણે જાત જાતની બીમારીઓ નોંતરે છે. CIA Live આવું ન થાય તે હેતુથી કેરળની શાળાઓમાં બાલ દિન પૂર્વે પ્રાયોગિક ધોરણે ‘વૉટર બ્રેક’ શરૂ કરાયો હતો. દરેક પીરિયડમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટેનો સમય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પાણી પીવડાવવાનું યાદ અપાવવા માટે ખાસ બેલ વગાડવામાં આવે છે.
કેરળની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત રીતે પાણી પીએ એ માટે ખાસ વોટર બ્રેક અભિયાન શરૂ થયું છે. સમગ્ર દેશમાં આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. કેરળ પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વોટર બ્રેક માટે અનુકુળ માહોલ સર્જાયો છે. હવે આ વોટર બ્રેક અભિયાન સમગ્ર દેશમાં શરૂ થાય એ દિવસો દૂર નથી. CIA Live
આ યોજનાને હાલમાં શરૂ કરાયેલા અસોસિયેશન ઓફ પ્રાયમરી એજ્યુકેશન (એપીઇઆર) અને સંશોધને Water Break નામની ઝુંબેશ હેઠળ દેશભરની તમામ શાળાઓમાં લાગુ કરવાને અપીલ કરવામાં આવી છે. CIA Live
મુંબઇ સહિત પુણે, હૈદરાબાદ, બૅંગ્લોર અને ચેન્નઇના શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં, તેમાં 6થી 10 વર્ષની વયના ૬૮ ટકા વિદ્યાર્થીઓ પાણી ભરેલી બૉટલ ઘરે પાછી લાવતા હોય છે. તેથી શાળાઓના વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવવા માટે ખાસ ઘંટ વગાડવામાં આવે તેવી અપીલ અસોસિયેશન કરી રહ્યું છે.
અનેક ક્ષેત્રોમાં પહેલ કરતા સૂરત શહેરની શાળાઓએ વોટર બ્રેકનો કન્સેપ્ટ અપનાવવામાં વિલંબ ન કરવો જોઇએ
સૂરત શહેરની વાત કરીએ તો સૂરત શહેરમાં 1200થી વધુ શાળાઓ, 150થી વધુ કોલેજો, ટ્યુશન-કોચિંગ ક્લાસીસો વગેરે કાર્યરત છે. સૂરત ગુજરાતનું મોટામાં મોટું એજ્યુકેશનલ હબ બની ચૂક્યું છે. સૂરત શહેરનું નામ પહેલ કરવામાં અગ્રેસર છે. સ્વચ્છતા અભિયાન હોય, ગ્રીનરી વિકસાવવાની હોય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના પ્રોજેક્ટસ હોય કે પછી ટેક્સ ભરવાનો હોય, સૂરત શહેરના લોકોએ પહેલ કરી છે અને પછી ગુજરાત રાજ્ય અને દેશભરમાં એ પહેલને અનુયાયીઓ મળ્યા છે. સી.આઇ.એ. લાઇવ CIA Live અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) સૂરત શહેરની શાળાઓ, સંચાલકો, આચાર્યો, શિક્ષકો વગેરેને અપીલ કરે છે કે સૂરતના વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતમાં વોટર બ્રેકનો અમલ સત્વરે શરૂ કરવો જોઇએ.
સૂરતના બાળકોના શરીરમાં શાળાકીય સમયના 5થી 6 કલાકમાં એકથી દોઢ લીટર પાણી જશે તો બાળકો અનેક બિમારીઓથી દૂર રહેશે અને તેઓ ફીટ રહેવા માંડશે. CIA Live
રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.
૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’
ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’
મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.
ગુજરાત બોર્ડએ BHSE-Delhi બોગસ બોર્ડ હોવા અંગે એડવાઇઝરી જારી કરી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજરાતમાં આવેલી સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ, નોકરીદાતાઓ વગેરે જોગ એક એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છેકે નવી દિલ્હીના ગણાવાતા બોર્ડ ફોર હાયર સેકન્ડરી એજ્યુકેશ BHSE-Delhi એ એક ગેરકાનૂની બોર્ડ છે. BHSE-Delhi બોર્ડ દ્વારા જુદા જુદા સત્તામંડળોને પત્રો લખીને તેમના સર્ટિફિકેટ્સને કેન્દ્ર સરકારની માન્યતા મળી હોવાનું જણાવીને તેમના ઉમેદવારોને સ્કુલ કોલેજોમાં પ્રવેશ આપવા તેમજ નોકરીદાતાઓને નોકરી આપવામાં માન્ય ગણવા પત્રો લખ્યા છે.
ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી છે કે BHSE-Delhi સાવ બોગસ છે, કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ બોર્ડને કોઇ માન્યતા આપી નથી. આ બોર્ડ દ્વારા કરવામાં આવતા પત્ર વ્યવહાર કે આ બોર્ડના પ્રમાણપત્રોને માન્ય ગણીને કોઇ કાર્યવાહી કરવી નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
BHSE-Delhi ની માન્યતા 1 જુલાઇ 1962ના રોજ પૂરી થઇ ચૂકી છે
કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે BHSE-Delhiને બોગસ બોર્ડ હોવાની રાષ્ટ્રવ્યાપી સ્પષ્ટતાઓ કરી છે આમ છતાં BHSE-Delhi એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને દિલ્હી સરકાર પાસે તેમની માન્યતા રદ કરવાની કોઇ સત્તા નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.