CIA ALERT

WE Archives - Page 21 of 57 - CIA Live

June 30, 2020
banapps.jpg
6min4360

ભારત-ચીન તણાવ દરમિયાન કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બૅન કરેલી એપ્લિકેશનમાં ટિકટૉક એપ પણ સામેલ છે. આ સિવાય યૂસી બ્રાઉઝર, કૅમ સ્કૅનર જેવા એપ પણ સામેલ છે. આથી ભારતીય સુરક્ષા એજન્સીઓથી ચાઇનીઝ એપની એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને અપીલ કરી હતી તેમને બૅન કરવામાં આવે અથવા લોકોને કહેવામાં આવે કે આ એપ તરત જ પોતાના ફોનમાંથી ડીલિટ કરી દે. આની પાછળ એ દલીલ આપવામાં આવી ગતી કે ચીન ભારતીય ડેટા હૅક કરી શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન સીમા પર તણાવની સ્થિતિ જળવાયેલી છે. બન્ને દેશોની સેનાઓ સામ-સામી ટકરાઈ રહી છે. દરમિયાન ભારતે આ મોટો નિર્ણય લઈને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કોઇપણ સ્તરે નમતું નહીં જોખે. કેન્દ્ર સરકારે 59 એપ્સ પર બૅન લગાડી દીધું છે. આમાં કેટલીક એપ્સ એવી છે જે તમને દરેક મોબાઇલમાં સરળતાથી મળી જશે.

આ છે 59 એપ્લિકેશન્સનું લિસ્ટ

1. TikTok

2. Shareit

3. Kwai

4. UC Browser

5. Baidu map

6. Shein

7. Clash of Kings

8. DU battery saver

9. Helo

10. Likee

11. YouCam makeup

12. Mi Community

13. CM Browers

14. Virus Cleaner

15. APUS Browser

16. ROMWE

17. Club Factory

18. Newsdog

19. Beutry Plus

20. WeChat

21. UC News

22. QQ Mail

23. Weibo

24. Xender

25. QQ Music

26. QQ Newsfeed

27. Bigo Live

28. SelfieCity

29. Mail Master

30. Parallel Space

31. Mi Video Call – Xiaomi

32. WeSync

33. ES File Explorer

34. Viva Video – QU Video Inc

35. Meitu

36. Vigo Video

37. New Video Status

38. DU Recorder

39. Vault- Hide

40. Cache Cleaner DU App studio

41. DU Cleaner

42. DU Browser

43. Hago Play With New Friends

44. Cam Scanner

45. Clean Master – Cheetah Mobile

46. Wonder Camera

47. Photo Wonder

48. QQ Player

49. We Meet

50. Sweet Selfie

51. Baidu Translate

52. Vmate

53. QQ International

54. QQ Security Center

55. QQ Launcher

56. U Video

57. V fly Status Video

58. Mobile Legends

59. DU Privacy

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને ઘણી ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ ભારતીય સંપ્રુભતા, સુરક્ષા અને અખંડતા પર ઘાતક હુમલો કરી રહી હતી. ચીન આ એપ્સની મદદથી ભારતીય ડેટા સાથે છેડછાડ કરી શકતું હતું. ભારતીય ગુપ્ત એજન્સીઓએ સરકારને આ એપ્સની લિસ્ટ તૈયાર કરીને પહેલા જ સોંપી દીધી હતી. ત્યાર બાદ સરકારે પોતાના સ્તરે આ એપ્સની માહિતી મેળવી અને જ્યારે તેમને લાગ્યું કે ખરેખર આ એપ્સ ભારતી સુરક્ષામાં અડિંગો નાખી શકે એવી છે ત્યારે તરત તેને બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

June 17, 2020
adm_guide-1280x874.jpg
2min13230

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ મે માસમાં આવી ચૂક્યું છે. હવે આ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે અને અધીરા પણ બન્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બી.એસસી.માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ પણ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ માસાંતે એટલે કે જુન માસના અંતમાં શરૂ કરી દેવામાં આવશે.

જેઇઇ, ગુજકેટ વગર રજિસ્ટ્રેશન

એડમિશન કમિટીએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ તેમજ જેઇઇ મેઇન્સ, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાઓ લેવાની બાકી છે, આમ છતાં હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

પીન નંબર લેવા જવું નહીં, ઓનલાઇન ચાર્જ ભરવો

ગત વર્ષ સુધી એ.સી.પી.સી. દ્વારા ઇજનેરી, ફાર્મસી વગેરે માટે બેંક દ્વારા પીન નંબરનું વિતરણ કરવામાં આવતું હતું. આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિને લીધે પીન નંબર વિતરણ વ્યવસ્થા બંધ રાખીને સીધા જ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્જીસની ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પીન માટે ક્યાંયે રૂબરું જવું નહીં પડે.

રજિસ્ટ્રેશન ચાર્જિસ

પ્રવેશ સમયે આ ડોક્યુમેન્ટસ જોઇશે

વિદ્યાર્થીઓ વાલીઓને રજિસ્ટ્રેશનમાં સમજ ન પડે તો હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન મફતમાં થશે

એ.સી.પી.સી.એ સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે તો તેઓ નિર્ધારિત હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે. હેલ્પ સેન્ટર પર તમામ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ બનશે. આના માટે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.

June 16, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5360

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.

  • ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
  • સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
  • CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.

વિકલ્પ-1

જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.

વિકલ્પ-2

જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.

CISCE Board દરેક શાળાઓને સૂચના

CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.

CISCE Boardની સત્તાવાર અખબારી યાદી

To download above notification please click link below

https://cisce.org//UploadedFiles/PDF/PRESS%20RELEASE%2015062020.pdf

CISCE all gujarat School list

Latest on This Web

June 14, 2020
CIA_Live_Logo_New2.jpg
10min3730

Jayesh Brahmbhatt 98253 44944

તા.4થી જુન 2022ના રોજ ધો.12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરીણામ જાહેર થશે. એ પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધો.12 પછી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં કયા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ એ કામ એટલું અગત્યનું છે કે તેના પર વિદ્યાર્થીઓની જ નહીં બલ્કે સમગ્ર પરિવારનું ભવિષ્ય નિર્ભર રહેલું હોય છે. ધો.12 કોમર્સને આમેય સામાન્ય પ્રવાહ તરીકે જ ગણવામાં આવે છે ત્યારે ફક્ત કાગળની ડિગ્રી આપે એવા કોર્સની જગ્યાએ એવા કોર્સમાં જોડાવું જોઇએ જેનો કન્ટેન્ટ વ્યાવસાયિક કારર્કિર્દીના ઘડતરમાં ઉપયોગી થાય.

કેમ્પસ નહીં કોર્સ કન્ટેન્ટ જોઇને પ્રવેશ લેવો જોઇએ

ધો.12 કોમર્સ પછી કોલેજ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે તે કોલેજ કેમ્પસ કે તેમાં આપવામાં આવતી ફેસેલિટીઝીની જગ્યાએ કોર્સ કન્ટેન્ટ કે તેમાં શું અભ્યાસ કરાવવામાં આવશે એ જોઇને પ્રવેશ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના વિકલ્પો

• B.Com. stands for Bachelor of Commerce. Generally a 3 years long course.
B.B.A. stands for Bachelor of Business Administration. 3 years course.
B.M.S. stands for Bachelor of Management Science. 3 years long course.
• L.L.B. Integrated Law course. Duration is 5 years. It is a combination of General Graduation course and Law
• B.B.S. stands for Bachelor of Business Studies. Course duration is 3 years.
B.H.M. stands for Bachelor of Hotel Management. duration is 4 year.
B.A. Eco. stands for Bachelor of Economics. Course duration is 3 years.
B.F.A. stands for Bachelor of Finance and Accounting. duration is 3 years.
B.C.A. stands for Bachelor of Computer Applications. duration is 3 years.
B.Sc.I.T. Information Technology. Course duration is 3 and 5 years.
B.Sc.Statistics Course duration is 3 years.
B.M.M. stands for Bachelor of Journalism and Mass Media. Course duration is 3 years.
B.Sc.Animation and Multimedia. Course duration is 3 years.
B.E.M. stands for Bachelor of Event Management. duration is 3 years.
B.F.D. stands for Bachelor of Fashion Design. Course is 3-4 years.
• B.El.Ed. stands for Bachelor of Elementary Education. Duration is 4 years.
B.P.Ed. stands for Bachelor of Physical Education. Course duration is 1 year.
D.El.Ed. stands for Diploma in Elementary Education. Course duration is generally 2 years.
B.SW. stands for Bachelor of Social Work. Course duration is 3 years.

ધો.12 કોમર્સ પછી એક રેગ્યુલર ડિગ્રી અને નીચેમાંથી કોઇ એક સર્ટિફિકેશન્સનું કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

Business economics:

This would cover concepts like the laws of demand and supply, law of returns, elasticity, theory of pricing under different market forms etc.

• Financial accounting:

This subject would deal with the preparation of profit and loss statements, balance sheets and final accounts of a company, knowledge of Indian and international accounting standards, calculation of depreciation and valuation of shares and goodwill of a company.

• Cost accounting:

This would include process, job and contract costing, costing of overheads, standard and variance costing and budgetary control.
• Income tax:

This would encompass the nature and basis of charge of income tax, tax planning, tax deduction, incomes not taxable etc.

• Auditing :

This would deal with vouching, valuation and verification of transactions, assets and liabilities. It will also include studying the auditing of different organizations like clubs, hospitals and charitable concerns.

• Business finance:

This would include in its scope financial analysis as a diagnostic tool, the management of working capital and its components as well as capital structure leverages.

• Business law :

This subject would discuss the different laws in India relating to, among others, the Companies Act and the Consumer Protection Act.

• Marketing :

This subject would deal with products, pricing methods, promotion, channels of distribution, logistics etc.

PG course after graduation

Economics
Marketing
Entrepreneurship
Mathematics
Computer Applications and IT
Business Regulatory Framework
Company Laws
Corporate Accounting
Income Tax
Business Communications
Business Environment
Management Accounting
Auditing
Statistics
Human Resource Management
Banking and Insurance

Law lines

Constitutional Laws
Property Laws
Banking Laws
Environmental Laws
Company Laws
Consumer Protection Laws
Family Laws
Labour and Industrial Laws
Human Rights laws
Administrative Laws
Public International Laws

Accounts line

Accounting
Economics
Taxation
Tax Laws
Auditing
Business Laws
Financial Management
Business Communication
Corporate Laws

Management line

Financial Management
Marketing
Economics
Human Resource Management
Accounting
Statistics
Business Communications
Entrepreneurship skills

Economics Line

Agricultural Economics
Macro Economics
Principles of Economics
Indian Economics
Macro Economics
Industrial Economics
Banking Economics
Public Finance
International Trade
Regional Economics

With hospitality management
Food Production
Front Office Operations
Human Resource Management
Housekeeping and Maintenance
Communication Skills
Travel Management
Accounting

Mass communication Line

Media Ethics
Mass Communication
Editing
Reporting
Languages and Translation
Communication Skills
Electronic Media
Print Media

Event management subjects
Study of main events
Planning
Human Resource Management
Accounting
Marketing and Advertising
Public Relations
Business Law

Inbuilt with hotel management
Communication Skills
Foreign Language
Food Production
Travel Management
Front Office Operations
Housekeeping
Management
Accounting
Nutrition and Food Science
Public Relations
Marketing

Latest on This Web

June 14, 2020
online-class-2.jpg
1min4030

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

June 11, 2020
online-class-1.jpg
1min12020

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web

June 11, 2020
tamilnadu-1.jpg
1min17230

કોરોના મહામારીને કારણે તમિળનાડુમાં દસમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને હવે પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ મંગળવારે 9 June જણાવ્યું હતું. અગાઉ ૧૧મા ધોરણની પરીક્ષા પણ લેવાઇ શકી નહોતી.

ત્રણ માસિક દરમિયાન વિદ્યાર્થીઓના વર્તનને ધ્યાનમાં રાખીને ૮૦ ટકા માર્ક અને તેમની હાજરીને આધારે વીસ ટકા માર્ક આપવામાં આવશે.

મદ્રાસ હાઇ કોર્ટે અગાઉ કહ્યું હતું કે નવ લાખ વિદ્યાર્થીના જીવ આ રીતે જોખમમાં મૂકી શકાય નહીં. આ સિવાય સરકારને કોરોનાના જોખમને કારણે પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિચાર કરવાનું સરકારને કહ્યું હતું. તેના આધારે રાજ્ય સરકારે ઉક્ત નિર્ણય લીધો હતો.

પલાનીસ્વામીએ કહ્યું હતું કે અગાઉ ૧૫મીથી પચીસમી જૂન સુધી પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ બાબત હાઇ કોર્ટમાં ગઇ હતી અને કોર્ટે પરીક્ષા લેવા અંગે વિચાર કરવાનું કહ્યું હતું. સરકાર આ બાબતે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાને કારણે પરીક્ષા લેવાનું શક્ય ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min13480

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે જાહેર થયેલું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ આંચકારૂપ જણાય રહ્યું છે. ગુજરાતનું ઓવરઓલ પરીણામ ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. કેટલાક ફાઇન્ડીંગ્સ અમને પરીણામના એનાલિસીસ પરથી મળ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.

2019 કરતા 40,297 વધુ નાપાસ

  • C.I.A. Live Analysis : ધો.10માં 2020માં કુલ 3 લાખ 12 હજાર નાપાસ થયા છે, 2019માં આ આંકડો 2.71 લાખનો હતો. આ વર્ષે કુલ 40 હજાર 297 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ નાપાસ થયા છે.

કુલ 3,12,097 નાપાસ પૈકી 3.10 લાખ ગણિતમાં

  • C.I.A. Live Analysis : ધો.10માં નાપાસ થયેલા કુલ 3,12,097 વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 3,10,833 છે.

ઇંગ્લિશ મિડીયનું પરીણામ 86 ટકા ગુજરાતીનું 57 ટકા

  • C.I.A. Live Analysis : મિડીયમવાઇઝ પરીણામમાં ઇંગ્લિશ મિડીયમની સ્કુલોનું પરીણામ ગુજરાતી અને હિન્દી મિડીયમની સ્કુલો કરતા અનેક પ્રકારે ઉંચું અને ચઢીયાતું છે. ઇંગ્લિશ મિડીયમનું ધો.10નું ઓવરઓલ પરીણામ 86.75 ટકા છે. જ્યારે ગુજરાતી મિડીયમનું પરીણામ ફક્ત 75.54 ટકા છે. હિન્દી મિડીયમનું પરીણામ ફક્ત 65.94 ટકા આવ્યું છે.

કન્યાઓનું પરીણામ કુમારો કરતા 10 ટકા ઉંચું

  • C.I.A. Live Analysis : કન્યાઓનું પરીણામ કુમારો કરતા વધુ ચઢીયાતું પુરવાર થયું છે. કુલ 66.62 ટકા કન્યાઓ આજે ધો.10ની પરીક્ષા પાસ કરી શકી છે જેની સામે કુમારોનું પરીણામ ફક્ત 56.63 ટકા જ છે.

ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું

C.I.A. Live Analysis : ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓને ભાષામાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીનું પરીણામ પણ સાવ કંગાળ આવ્યું છે. કુલ 7,26,687 વિદ્યાર્થીઓ પૈકી 5.13 લાખ પાસ થયા છે જ્યારે 2.02 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મિડીયમના છે તેઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે.

આખા રાજ્યમાં સુરતનું પરીણામ અવ્વલ રાજ્યના 60 ટકા સામે સૂરતનું પરીણામ 74 ટકા

C.I.A. Live Analysis : આખા રાજ્યનું સરેરાશ પરીણામ 60 ટકા છે તેની સામે સૂરત શહેર જિલ્લાનું પરીણામ 74 ટકા રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા તેજસ્વી તારલાઓની સંખ્યા પણ સૂરતમાં છે. સૂરતમાં કુલ 350 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે.

SSC Result At A glance

SSC Results District Wise

District wise Detailed Results

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

Latest on this Web

June 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min14860

બાળકને વહેલું ભણતું કરી દેનારા માબાપે ધો.12 પછી પસ્તાવાનો વારો આવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારે આમ તો ફેબ્રુઆરીમાં એક આવકારદાયક નિર્ણય લઇને વર્ષોથી ચાલી આવતી એક ગંભીર ભૂલને સુધારી લીધી છે. આ નિર્ણયનો અમલ કરવા અંગેનો સરક્યુલર તા.3જી જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે પછી રાજ્યમાં એવા બાળકોને જ ધો.1માં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર તા.1લી જૂને 6 વર્ષની પૂર્ણ થઇ ચૂકી હોય. આવા નિર્ણયના બેકગ્રાઉન્ડમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇ કારણભૂત મનાય છે.

ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો પરિપત્ર

હજુ 3 વર્ષ સુધી એટલે કે 2022-23 સુધી 5 વર્ષના બાળકને ધો.1માં પ્રવેશ આપી શકાશે

પરિપત્ર પૂર્વે ગેઝેટ ફેબ્રુઆરી 2020માં પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે

ઘણી બધી શાળાઓ આંધળે બહેરું કૂટાય એમ 5 વર્ષના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યે રાખે છે

દેશ અને રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 6થી 13 વર્ષના બાળકો માટે અમલી છે. પરંતુ, ગુજરાતમાં ઘણીબધી સ્કુલો પાંચ વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપી રહી છે. જેને કારણે વિદ્યાર્થી એક વર્ષ વહેલો ધો.10 અને ધો.12ની પરીક્ષા આપી ચૂક્યો હોય છે. જેની સીધી અસર મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશની વય મર્યાદા પર પડે છે.

રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં ત્રણ વર્ષની વયે બાળકને જુનિયર કે.જી., ચાર વર્ષે સિનિયર કે.જી. અને પાંચમાં વર્ષે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. આ બાળક જ્યારે ધો.12 પાસ કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવી પડશે.

મેડીકલ અને એન્જિનિયરિંગ જેવી મહત્વની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેની વય મર્યાદા 17 વર્ષની કરવામાં આવી છે.

મા-બાપે સમજવું જોઇએ બાળક 6 વર્ષે જ પહેલા ધોરણમાં આવે એ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે

હકીકતમાં ગુજરાતમાં પૂર્વપ્રાથમિક એટલે કે બાળમંદિરોનો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે માબાપ ખુદ એવું ઇચ્છે છે કે તેમનું બાળક વહેલી તકે સ્કુલમાં પ્રવેશ મેળવી લે. હજુ તો અઢી વર્ષનું બાળક થાય એટલે સીધા નર્સરીમાં પ્રવેશ, ત્રણ વર્ષે જુનિ.કે.જી. અને ચોથા વર્ષે સિનિ. કે.જી.માં અભ્યાસ કરાવીને સીધા પહેલા ધોરણમાં બાળકને ભણતું કરી દેવામાં આવે છે. માબાપને એ સમયે નહીં પણ જ્યારે ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવાની નોબત આવે ત્યારે ખબર પડે છે કે કેટલી ગંભીર ભૂલ પૂર્વપ્રાથમિક શિક્ષણમાં કરી હતી.

Latest on this web

May 30, 2020
GPSC.jpg
1min3270

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા ૩૧ મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ૨૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.