કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.
વિશ્વમાં કોરોના વાયરસના સતત વધી રહેલા પ્રકોપના કારણે અત્યારસુધીમાં 17.41 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હવે કોરોનાના અંતની શરૂઆત થઈ ચૂકી હોય તેવા સંકેત મળી રહ્યા છે અને દુનિયાના 11 દેશોમાં કોરોના વાયરસ સામેનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસીકરણમાં અમેરિકા-જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકની બનાવેલી રસીનો સોથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
FILE PHOTO: Vials with a sticker reading, “COVID-19 / Coronavirus vaccine / Injection only” and a medical syringe are seen in front of a displayed Pfizer logo in this illustration taken October 31, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo
ચીન :
છ કંપનીઓની પ્રયોગિક રસી ઘણા રાજ્યોમાં મોટાભાગના લોકોને મળી ચૂકી છે. પહેલા તબક્કામાં 15 જાન્યુઆરી સુધીમાં 2.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.
રશિયા :
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડિસેમ્બરની શરૂઆતે રસીકરણ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું હતું. હવે રશિયામાં ડોક્ટરો, શિક્ષકો અને સોશિયલ વર્કરોને રસી આપવામાં આવી રહી છે.
બ્રિટન :
રસીકરણ શરૂ કરનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સાત ડિસેમ્બરે વેક્સિનના ઉપયોગની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 6 લાખ લોકોને ફાઈઝરની રસી અપાઈ છે.
કેનેડા :
અહિંયા પણ 14 ડિસેમ્બરે ફાઈઝરની કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. કેનેડાએ પોતાની વસ્તીથી પાંચ ગણી વધારે રસીની અગાઉથી ખરીદી કરી લીધી છે.
અમેરિકા :
14 ડિસેમ્બરના ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીના ઉપયોગની શરૂઆત થઈ હતી. પછી મોર્ડનાની રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.
ઈઝરાયલ :
અહિંયા 20 ડિસેમ્બરના તત્કાલીન વડાપ્રધાન નેતન્યાહુ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સૈનિકોને રસી આપવામાં આવી હતી.
સ્વિત્ઝરલેન્ડ :
ફાઈઝર-બાયોએનટેકની રસીના રસીકરણની 22 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય અને ઈમર્જન્સી સ્ટાફ સાથે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ રહી છે.
બહેરીન :
અરબ જગતમાં રસીકરણ શરૂ કરનારો પહેલો દેશ બન્યો છે. 23 ડિસેમ્બરથી રસીકરણ શરૂ થયું હતું. બેહરીનમાં’ ફાઈઝર-બાયોએનટેકની રસી મફત અપાઈ રહી છે.
ત્રણ લેટિન અમેરિકન દેશ :
મેક્સિકો, ચિલી અને કોસ્ટારિકામાં રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે.
3 દેશ ટૂંક સમયમાં શરૂ કરશે :
આર્જેન્ટિનામાં સ્પૂતનિક-વી રસીના ત્રણ લાખ ડોઝ પહોંચી ચુક્યા છે. જ્યારે આર્યલેન્ડમાં 26 ડિસેમ્બરના ડોઝ પહોંચી જશે. આ ઉપરાંત મોરોક્કોમાં સિનાફોર્મ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ડોઝ પહોંચી ચુક્યા છે.
દેશભરના ધોરીમાર્ગો ઉપર વાહનોનાં સ્વતંત્ર આવાગમન માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારોમાંથી મુક્તિ આપે તેવો રાહતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આવનાર બે વર્ષમાં જ ભારતને ટોલનાકા મુક્ત દેશ બનાવી દેવામાં આવશે. આના માટે સરકારે જીપીએસની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો નિર્ણય કર્યો છે. જેના થકી વાહન સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી ટોલ આપોઆપ કપાઈ જશે.
આસોચેમના સ્થાપના સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન કરતા ગડકરીએ કહ્યું હતું કે, રશિયાની સરકારની મદદથી આપણે જલ્દી જીપીએસ સિસ્ટમ તૈયારી કરી લેશું. ત્યારબાદ આગામી બે વર્ષમાં દેશ ટોલનાકા મુક્ત થઈ જશે.
જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થતાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)ની ટોલની આવક પણ પાંચ વર્ષમાં 1,34,000 કરોડ રૂપિયા સુધી વધી શકે છે. સરકાર દેશભરમાં વાહનોની અવરોધ રહિત આવનજાવન માટે આ ખાસ પગલું ભરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગ અનિવાર્ય બનાવેલું છે. ફાસ્ટેગ આવતા ઈંધણની ખપતમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત પ્રદૂષણ ઉપર પણ અમુક અંશે લગામ લાગી છે. ફાસ્ટેગથી ટોલની વસૂલાત અત્યારે કુલ આવકના ત્રણ ચતુર્થાંશ જેટલી થઈ ગઈ છે. એક વર્ષ પહેલા 70 કરોડ રૂપિયાની તુલનામાં તે 92 કરોડ રૂપિયા સુધી આવી ગઈ છે.
તા.18 કે 19 ડિસેમ્બર 2020નો દિવસ ભારતીયો હંમેશા યાદ રાખશે કેમકે આ દિવસે સંભવતઃ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,00,00,000ના આંકડાને પાર કરી જશે. સદનસીબે સેકન્ડ વેવમાં ભારતમાં કોરોના કેસો સમગ્ર વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછા દરે વધ્યા છે અને હાલ (17 ડિસેમ્બર)માં ભારતમાં કોરોના રિકવરી રેટ 94 ટકાથી વધુ છે. હાલમાં ભારતમાં દૈનિક કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. તા.17મી ડિસેમ્બર 2020ની સવારે ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3.22 લાખ જેટલી નોંધાઇ છે. જ્યારે આ જ મુદતે ભારતમાં કોરોના કેસો 99 લાખ 56 હજાર 558 છે. હાલ દૈનિક ત્રીસ હજાર કેસ સરેરાશ ભારતમાં વધી રહ્યા છે એ જોતા દોઢેક દિવસમાં ભારતમાં કોરોનાના કુલ કેસો 1 કરોડની સંખ્યાને પાર કરી દેશે.
(કોરોનાના કુલ કેસોમાં રિકવર્ડ પેશન્ટસ, મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ એક્ટિવ કેસો આ તમામનો સરવાળા હોય છે.)
તા.16 ડિસેમ્બર 2020 સુધીમાં ભારતમાં કોરોના પોઝીટીવ કે નેગેટિવ ટેસ્ટિંગ માટે કુલ 15 કરોડ 78 લાખ 5 હજાર 240 ટેસ્ટ થયા છે. હાલમાં દૈનિક 10થી 11 લાખ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સરેરાશ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં જ્યારે કોરોના કેસો એક કરોડ પર પહોંચશે ત્યારે ભારતમાં કોરોના ટેસ્ટ્સની સંખ્યા પણ 16 કરોડને આંબી જશે.
એક્સપર્ટસ કહી રહ્યા છે કે ભારતમાં કોરોના રિકવરી રેટ સૌથી બહેતર અને સતત ઉંચે જઇ રહ્યો છે આના કારણે જ ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરી છે. ભારતમાં 17મી ડિસેમ્બર 2020ના રોજ કોરોના રિકવરી રેટ 94થી 95 ટકાની વચ્ચે છે. ભારતમાં નાના મોટા 18 રાજ્યોમાં રિકવરી રેટ નેશનલ એવરેજથી પણ વધુ છે. જેને લઇને બીજા અને ત્રીજા વેવમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતા પ્રમાણમાં સારી સ્થિતિમાં છે.
ભારતમાં રાજ્યવાર કેસોની સંખ્યા
STATE
Case
Death
Recover
MH
1886807
48434
1769897
KA
904665
11971
877199
AP
876814
7067
865327
TN
802342
11931
780531
KL
683440
2707
622394
DL
611994
10147
588586
UP
569263
8118
543344
WB
528211
9191
498877
OR
324796
1820
320208
RJ
294831
2578
277743
TG
279644
1505
270967
CG
261901
3145
241288
HR
255014
2765
244676
BR
243830
1332
237267
GJ
231073
4203
214223
MP
226788
3433
211025
AS
215042
1007
210491
PB
161383
5135
150007
JK
116932
1817
110769
JH
112121
1004
109532
UK
84069
1375
76554
HP
50680
848
43614
GA
49657
713
47965
PY
37582
622
36661
TR
33098
378
32429
MN
27373
329
25107
CH
18843
304
17912
AR
16574
55
16278
ML
13072
133
12252
NL
11787
70
11120
LADAKH
9238
123
8579
SK
5398
121
4971
AN
4850
61
4698
MZ
4085
7
3907
DNH & DAMAN & DIU
3360
2
3342
LD
0
0
0
India’s total cases have risen to 99,56,558 with 355 new deaths. Total active cases now stand at 3,22,366. The total number of discharged cases, according to updated health ministry data on Thursday are 94,89,740 with 33,291 new discharges in the last 24 hours.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.
તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.
પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં
અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.
તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.
તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે
સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.
આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.
બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.
આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.
તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતનો ભય છે, જે બુધવારે મોડી સાંજે તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવના છે. ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મલ્યુંજય મહાપાત્રાએ મંગળવારે કહ્યું હતું કે બંગાળની ખાડી ઉપર ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાત ‘પ્રિવેન્શન’ માં ફેરવાઈ ગયો છે અને બુધવારે ભારે વાવાઝોડાની જેમ તમિળનાડુ અને પુડુચેરીના કાંઠે ત્રાટકવાની સંભાવના છે. છે. વાવાઝોડાને પગલે તમિળનાડુ અને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીનો વહીવટ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા સહિતના સાવચેતી પગલા લેવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ‘નિર્વાણ’ બુધવારે ચેન્નઈથી 50 કિલોમીટર દૂર, રાજ્યના મમ્મલાપુરમ અને પુડુચેરીના કરૈકલ કાંઠેથી ભારે વાવાઝોડાની સાથે વાવાઝોડું વાળી શકે છે અને 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સ્પીડ, જે પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી જઈ શકે છે. વિભાગે કહ્યું કે બુધવારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી અને કારૈકલના મોટાભાગના ભાગોમાં વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે. કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.
એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.
અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.
આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.
કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી
ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ પણ કરવામાં આવી છે.
હાલમાં જ્યારે દેશભરમાં મેડીકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી ચાલી રહી છે ત્યારે આવેલા એક મહત્વના સમાચાર એ છે કે આયુર્વેદના ડોકટરોને પણ જનરલ અને ઓર્થોપેડિક સર્જરી સાથે આંખ, કાન અને ગળાની સર્જરી કરવા માટેની સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર રચિત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓને વિવિધ સર્જરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આયુર્વેદિક તબીબો જનરલ સર્જિકલ, ઇ.એન.ટી., ઓપ્થેલમોલોજી, ઓર્થો અને ડેન્ટલ પ્રોસિજર અન્વયે આવતી સર્જરી આયુર્વેદિક હોસ્પિટલ્સના ઓપરેશન થિયેટરોમાં હાથ ધરી શકશે. એમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડીસીન દ્વારા જણાવવામાં આવ્યું છે.
The notification dated November 19 listed the procedures that will be included in the PG training of Ayurveda doctors by amending the Indian Medicine Central Council (Post Graduate Ayurveda Education) Regulations, 2016. It stated that the amendments were being made with the sanction of the central government.
During the period of study, post-graduate scholars of Shalya tantra (general surgery) and Shalakya tantra (surgeries of the ear, nose, throat, head and eye) will be practically trained to perform various surgical procedures independently. General surgical procedures include amputation of gangrene, skin grafting, laparotomy (opening up of the abdomen), many advanced gastro-intestinal surgeries. Under Shalakya tantra they will be trained to do fairly advanced ophthalmic surgeries such as iris prolapse surgery, squint surgery, cataract surgeries of all kinds.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.