CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 6 of 41 - CIA Live

August 17, 2020
taxi-mask.jpg
1min3590

રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર, સ્ટોરમાલિક, મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.

August 11, 2020
mukhyamantri-kisan-sahay-yojana.jpg
1min4150

ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.

જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.

દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.

August 8, 2020
corona-gujarat.jpg
1min3160

ગુજરાતમાં શુક્રવારે પણ નવા 1074 કેસ નોંધાયા દર્દીઓની સંખ્યા વધીને 68,885 પર પહોંચી ગઈ છે. તો વધુ 22 મોત સાથે મરણાંક પણ વધીને 2606 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1370 દર્દી વાયરસ મુક્ત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 51,692 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ પણ વધીને 75.04 ટકા થઈ ગયો છે.’

સુરત શહેરમાં 183, ગ્રામ્યમાં 48 મળીને 231, અમદાવાદ શહેરમાં 142,’ ગ્રામ્ય 11 મળીને 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 53, ભાવનગરમાં 37, જૂનાગઢમાં 46, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 43,’ કચ્છમાં 24,’ કેસ નોંધાયા છે.

સુરતમાં 10, અમદાવાદમાં 3 મોરબી અને વડોદરામાં 2-2 જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 મોત થયાં છે.” રાજ્યમાં કુલ 26591 સહિત કુલ્લ 9,30,373 લેબોરેટરી ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14587 એકટિવ કેસ છે’ જેમાં 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઇને કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min3310

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 21, 2020
mask_valve.jpg
1min7160

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.

સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.

હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.

વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.

દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે. 

તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે. 

Also Read

July 10, 2020
corona_india.jpg
1min3840

દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.

આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.

કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.

આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

July 9, 2020
covid_cia.jpg
1min3590

ભારતમાં રોજેરોજ નવા વિક્રમો સર કરી રહ્યા છે. તા.8મી જુલાઇના એક જ દિવસના સમયમાં કોરોનાના નવા 25હજારથી વધુ કેસો ભારતમાં પહેલીવાર નોંધાયા છે. તા.8મી જુલાઇના 24 કલાક દરમિયાન ભારતના કુલ નવા કેસની સંખ્યા 25,230 નોંધાઇ છે. આ જ દિવસે વધુ 400 કોરોના દર્દીઓના મોત સાથે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 21,000ને પાર થઈ હતી.

વિતેલા સપ્તાહમાં કોરોનાએ લગભગ દરરોજ નવા કેસનો રેકોર્ડ બનાવીને ભારતને પરેશાન કરી મૂક્યું છે. પાછલા કેટલાક દિવસથી દેશમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરાતા ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. રવિવારે 1.8 લાખના, સોમવારે 2.41 લાખના અને મંગળવારે 2.62 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પાછલા 24 કલાકની અંદર 493 લોકોના કોરોના વાયરસથી મોત નોંધાયા છે. 4 જુલાઈના દિવસે 608 લોકોના મોત નોંધાયા બાદ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુ 21,122 થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 7,68,322 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, 2 દિવસ અગાઉ જ આંકડો 7 લાખ પર પહોંચ્યો હતો. જ્યારે 4,75,849 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમની ટકાવારી 62% છે.

મંગળવારે 5,134 કેસ સાથે મહારાષ્ટ્રમાં થઈ રહેલા ઉછાળામાં ઘટાડો આવ્યા બાદ બુધવારે 6,603 કેસ પોઝિટિવ આવ્યા. આ સાથે કુલ કેસનો આંકડો 2,23,724 થયો છે, અને 198ના મોત નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 9,448 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં 12મી મેના રોજ મુંબઈમાં 785 કેસ નોંધાયા હતા તે પછી બીજા નંબરે સૌથી ઓછા કેસ બુધવારે 1,347 નોંધાયા છે.

તામિલનાડુમાં બીજા નંબરે સૌથી વધુ 3,756 કેસ નોંધાયા છે. જ્યારે 64ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,700 થયો છે. ચેન્નાઈમાં સતત 5માં દિવસે 2,000 કરતા ઓછા કેસ નોંધાયા છે, બુધવારે 1,261 લોકો પોઝિટિવ આવ્યા.

July 9, 2020
corona-gujarat.jpg
1min3590

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવ કેસનો વિક્રમ ૭૮૩ કેસનો રચાયો છે. એમાંય સુરતના કુલ ૧૭૩ કેસની નવી સપાટી રચી છે એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે વિવિધ તાલુકાના મળી નવા ૫૮ કેસ આવ્યા છે એ પણ એક વિક્રમ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરમાં ઓચિંતા ઘટતાં કેસનો સીલસીલો યથાવત રહેતાં ૨૦ એપ્રિલ પછી પહેલી વખત ૧૪૯ કેસ નોંધાયા છે એ જ રીતે જિલ્લાનો આંક બીજા દિવસે પણ સીંગલ ડીજીટ થઇ ગયો છે. સૌથી યોગાનુયોગ એ છે કે સુરત અને અમદાવાદમાં મૃત્યુ આંક ૫-૫ દર્દીનો નોંધાયો છે એની સાથે રાજકોટમાં ૩ દર્દી, જામનગર, મોરબી અને અમરેલીમાં ૧-૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં હવે લગભગ સમગ્ર શહેરમાં સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી અહીં પણ અમદાવાદની જેમ ધનવંતરી રથનો પ્રયોગ સાથે ઘરે ઘરે જઇ રેપિડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં નવા ૫૫ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાં ૧૨ નવા કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સંક્રમણ હવે મોટા પાયે પ્રસરી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી ૨૬ નવા કેસ અને ૩ દર્દીના મોત નોંધાય છે. ધોરાજી સહિતના અન્ય તાલુકાઓમાં ૧૩ નવા કેસ ઉમેરાયા છે. આ જ રીતે ભાવનગરમાં ૧૨ કેસ, ગ્રામ્યના ૭ મળી ૧૯ કેસ નવા ઉમેરાયા છે.

ગાંધીનગર શહેરમાંથી નવા આઠ દર્દી અને તાલુકાઓમાંથી ૧૧ કેસ નવા મળ્યા છે. જામનગરમાં સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૮ કેસ, ગ્રામ્યમાંથી એક કેસ અને એક સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ ઉમેરાયું છે. જૂનાગઢ મહાનગરામં નવા ૭ કેસ અને તાલુકાઓમાંથી ચાર કેસ મળ્યા છે.

જિલ્લાઓમાં ફરીથી વલસાડ જિલ્લામાં ૨૭ કેસ નવા નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ કેસ ઉમેરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫ કેસ, સાબરકાંઠા ૮, પાટણ, ૪, અરવલ્લી ૨ કેસ નોંધાયા છે.

July 8, 2020
corona-gujarat.jpg
1min3190

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.

July 8, 2020
covid_cia.jpg
3min2750

India has one of the lowest COVID-19 cases per million in worldPTIIndia has one of the lowest COVID-19 cases per million in the world. Union Health Ministry said, according to World Health Organization Situation Report, India’s cases per million population is around 505 while the global average is at over one thousand 453.Chile has witnessed around 15,459 cases of COVID-19 per million population, while US over 8,500, Brazil over 7,419 and Spain witnessed over 5,358 cases per million population.

The WHO Situation Report also shows that India has one of the lowest deaths per million population. India’s cases of death per million population is around 14 while the global average is more than its four times, at 68.The Ministry said, India has ramped up the hospital infrastructure to adequately and effectively manage the cases. The preparedness included arrangement of oxygen support, ICU and ventilator facilities.

As on today (7 july) , there are over 1200 Dedicated COVID Hospitals, two thousand 611 Dedicated COVID Healthcare Centres and nine thousand 909 COVID Care Centres to look after COVID patients from those with very severe to very mild symptoms. Early detection and timely effective clinical management of COVID-19 cases have resulted in increasing daily recoveries.

During the last 24 hours, a total of 15,515 COVID-19 patients have been cured, taking the cumulative figure of recovered cases to more than 4,39,000. The Ministry said, due to coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between recoveries and active cases.

As on date, there are over one lakh 80 thousand recovered cases more than the active COVID-19 cases.The recovery rate among COVID-19 patients has increased to 61.13 per cent yesterday. Presently, there are over 3, 59,000 active cases and all are under medical supervision.The Ministry said, more than two lakh tests being conducted per day. During the last 24 hours more than 3, 41,000 samples have been tested. With this, the nationwide samples tested for COVID-19 reached to over one crore two lakh

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. 

બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. 

સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે.