CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 5 of 41 - CIA Live

October 15, 2020
fake.jpg
1min6090
Fake News Alert! – FEIC

દેશના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એ સરકારી યોજનાઓ કે નીતિઓ અંગે કેટલાક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક રીતે ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ સામે કાર્યવાહી કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં નાગરીકોને જણાવવામાં આવ્યું છે કે જો સરકારી યોજના કે નીતિ અંગે કોઇ ફેકન્યુઝ કે લિંક મળે તો તેને વ્હોટ્સએપ નં. 87997 11259 અથવા તો મેઇલ પર મોકલવા માટે જણાવવામાં આવ્યું છે.

પીઆઇબી ખાતું એ ફેકન્યુઝનો ભાંડો ફોડશે એમ જણાવાયું છે.

ફેકન્યુઝ અંગેના ફોટા કે લિંક આ નંબર 87997 11259 પર વ્હોટ્સએપ કરો

હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના નામે અનેક લોકો પોતાની ખીચડી પકાવી રહ્યા છે. શિક્ષણથી લઇને સબસિડી, આવાસથી લઇને લોન સુધીની કામગીરીમાં સરકારી યોજનાનું નામ વટાવીને કેટલાક લોકોએ છેતરપીંડીની દુકાનો શરૂ કરી દીધી છે. ત્યારે આવી જો કોઇ માહિતી મળે તો તુરંત જ તે અંગેનું રિપોર્ટિંગ કરવા જણાવાયું છે.

October 12, 2020
beaches-1280x720.jpg
5min6830

Jayesh Brahmbhatt 98253 44944

ભારતના આઠ જુદા જુદા બીચીસ (દરિયા કિનારાઓ)ને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યા છે. આ બીચ સહેલગાહ માટેના તમામ ધારાધોરણો તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પરિસ્થિતિ ધરાવી રહ્યા છે. ભારતના આ આઠ બીચને એટલા માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશનથી નવાજવામાં આવ્યા છે કેમકે અહીં ક્લીન (સ્વચ્છતા), ગ્રીન (પર્યાવરણ) અને સેફ્ટી (સલામતિ)ના ધારાધોરણો અપટુ ડેટ છે.

વાંચો શું છે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન

The ‘Blue Flag‘ is a certification that can be obtained by a beach, marina, or sustainable boating tourism operator, and serves as an eco-label.

The beaches that have been awarded the Blue Flag are

  • Shivrajpur (Gujarat),
  • Ghoghla (Diu),
  • Kasarkod and Padubidri (Karnataka),
  • Kappad (Kerala),
  • Rushikonda (Andhra Pradesh),
  • Golden (Odisha) and
  • Radhanagar (Andaman & Nicobar Islands)
  • Radhanagar (A&N Islands)

PM મોદી સાહેબે પણ કર્યું ટ્વીટ, 8 દરિયા કિનારાને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળવું પ્રતિષ્ઠાસભર

India becomes the first country to be awarded coveted international #BlueFlag certification for 8 of its beaches in one attempt.

ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ

Image

દિવનો ઘોઘલા બીચ

Ghoghla Beach, , India: View Images, Timing and Reviews | Tripoto

કર્ણાટકનો કસરકોડ બીચ

Sirsi Attractions: Kasarkod Beach

કપ્પડ બીચ, કેરેલા

Kappad Beach in Calicut- Photos and When to Go

રુષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ

Rushikonda Beach Vizag (Location, Activities, Night Life, Images, Facts &  Things to do) - Vizag Tourism 2020

પદુબિદ્રી બીચ, કર્ણાટક

Padubidri beach bags Blue Flag certification | Deccan Herald

ગોલ્ડન બીચ, ઓરિસ્સા

Golden Beach of Odisha - Golden Beach of Odisha, Holidays to Odisha

રાધાનગર બીચ, આંદામાન નિકોબાર

Radhanagar Beach, (Havelock Island) | Things to Do, Hotels, Photos
October 11, 2020
govt_jobs.jpg
1min3320

 દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.

September 29, 2020
kisan.jpg
1min3350

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 28, 2020
balikavadhu_director.jpg
1min5900

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

September 25, 2020
bihar.jpg
2min3440

કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીના જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ તકેદારી સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે તેમજ 3 અ 7 નવેમ્બરના બીજા તેમજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને 10 નવેમ્બરના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.   

મતદાનનો સમય એક કલાક લંબાવ્યો

મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ચૂંટણી યોજવાનો પડકાર છે અને બિહાર વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર છે. આ વખતે ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક લંબાવવામાં આવશે. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. કોવિડ 19 દર્દીઓ અંતિમ એક કલાકમાં મતદાન કરી શકશે. કોરોનાના દર્દીઓ માટે વિશેષ પ્રોટોકોલનો અમલ પણ કરવામાં આવશે તેમ સીઈસીએ જણાવ્યું હતું.

ચૂંટઈ પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણી માટે સાત લાખ હેન્ડ સેનિટાઈઝર્, 46 લાખ માસ્ક, 6 લાખ પીપીઈ કિટ્સ, 6.7 લાખ માસ્ક શિલ્ડ સહિત 23 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સોશ્યલ મીડિયા પર પંચની ચાંપતી નજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે જેને પગલે કોઈ પક્ષ દ્વારા ઉશ્કેરણીજનક અથવા સમુદાયને ટાર્ગેટ કરીને કોઈ ટિપ્પણી કરશે તો પંચ આકરા પગલાં લઈ શકે છે. આ ઉપરાંત ભડકાઉ ભાષણો ઉપર પણ ચૂંટણી પંચની નજર રહેશે.

બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરના 71 વિધાનસભા બેઠકો માટે તેમજ 3 નવેમ્બરના 94 વિધાનસભા બેઠકો અને 7 નવેમ્બરના 79 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 10 નવેમ્બરના મતોની ગણતરી થશે તેમજ પરિણામ જાહેર કરાશે. આમ દશેરાથી દિવાળી સુધીમાં બિહારમાં આગામી કોની સરકાર રચાશે તે સ્પષ્ટ થઈ જશે.

બિહાર ચૂંટણી કાર્યક્રમ

28 ઓક્ટોબરના પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચૂંટણી

1 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

8 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

9 ઓક્ટોબર- સ્ક્રુટિની

12 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

28 ઓક્ટોબર- મતદાન (71 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

3 નવેમ્બરના બીજા તબક્કામાં 94 બેઠકો પર ચૂંટણી

9 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

17 ઓક્ટોબર- સ્ક્રુટિની

19 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

3 નવેમ્બર – મતદાન (94 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

7 નવેમ્બરના ત્રીજા તબક્કામાં 78 બેઠકો પર ચૂંટણી

13 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

20 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

21 ઓક્ટોબર- સ્ક્રુટિની

23 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

7 નવેમ્બર- મતદાન (78 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

September 22, 2020
deepika_padukone.jpg
1min3800

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

September 20, 2020
cskmi.jpg
1min3580

IPL 2020 : ચેન્નઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ

IPL2020ના પ્રારંભિક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે આસાનીથી હરાવીને લીગમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈ તરફથી મળેલા 163 રનના ટાર્ગેટને ચેન્નઈએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. CSK માટે અંબાતી રાયુડૂએ શાનદાર 71 રનની ઈનિંગ રમી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસે પણ અણનમ 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ રીતે ચેન્નઈએ 2019ની IPL ફાઈનલમાં મુંબઈ સામે મળેલી હારનો પણ બદલો લીધો.

163 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચેન્નઈએ પ્રથમ બે ઓવરમાં જ બંને ઓપનર શેન વોટસન (4) અને મુરલી વિજય (1)ને ગુમાવી દીધા હતા. આ સમયે ટીમનો સ્કોર માત્ર છ રન હતો. બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડૂએ મળીને ટીમની ઈનિંગને સંભાળી લીધી હતી. બંનેએ ક્રિઝ પર ટકવાની સાથે-સાથે ઝડપથી રન પણ બનાવવ્યા હતા. અંબાતીએ 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 જ્યારે ડુ પ્લેસિસે 44 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 14 ઓવરમાં 115 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયૂડૂના આઉટ થયા બાદ બે વિકેટો જલ્દી પડી જતા ટીમ થોડી મુશ્કેલીમાં દેખાઈ પણ ટાર્ગેટ એટલો મોટો ન હોવાથી તેને વધારે તકલીફ પડી નહોતી.

અગાઉ ટૉસ જીતીને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈની શરૂઆત સારી રહી હતી પરંતુ સળંગ બે ઓવરમાં ટીમે રોહિત શર્મા અને ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 12 રન નોંધાવ્યા હતા જ્યારે ક્વિન્ટન ડી કોકે 20 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. જોકે, સૌરભ તિવારીએ આક્રમક બેટિંગની કરીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. તિવારીએ 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી.

જોકે, બાદમાં રવીન્દ્ર જાડેજા અને એનગિડીએ તરખાટ મચાવી દીધો હતો. જાડેજાએ સૌરભ તિવારીને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાને પણ સસ્તામાં આઉટ કરી દીધો હતો. હાર્દિકે 14 રન ફટકાર્યા હતા. જ્યારે એનગિડીએ કેઈરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા અને જેમ્સ પેટ્ટિનસનને પેલેલિયન ભેગા કરી દીધા હતા અને અંતિમ ઓવર્સમાં મુંબઈની રન ગતિ પર બ્રેક લગાવી હતી. ચેન્નઈ માટે એનગિડીએ ત્રણ તથા જાડેજા અને દીપક ચાહરે બે-બે વિકેટ ઝડપી હતી.

September 1, 2020
planes.jpg
1min3120

કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. નવા નિયમો અનુસાર 30 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. DGCAએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં. 

નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૂટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 25221935 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 846385 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 16618163 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7757387 કેસ એક્ટિવ છે.

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નોંધાતા કુલ આંકડો 3621245 સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 2774801 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 64469 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 781975 એક્ટિવ કેસ છે.

August 30, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min3480

શનિવારના રોજ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્ર્વર ડેમમાંથી આશરે પાંચ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો. આજે સવારે ૧૧-૦૦ કલાકે ડેમના ૨૩ ગેટ ૨.૮૫ મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે ૪.૧૦ લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો ૩.૭૬ લાખ ક્યુસેક જેટલો નોંધાઇ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ હતી.

હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે પાંચ લાખથી આઠ લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ ૨.૮૫ મીટરથી વધારે ઊંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી ૩૫ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૧૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.