CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 36 of 41 - CIA Live

December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min13490

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
hukka.jpg
1min11280
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 10, 2018
taj.jpg
1min4170

વિશ્વની અજાયબીઓમાંથી એક તાજમહેલમાં ભીડને કાબૂમાં કરવા માટે નવી વ્યવસ્થા લાગૂ પાડવામાં આવી છે. મુખ્ય મકબરા સુધી જવા માટે હવે પર્યટકોએ કુલ 250 રૂપિયા ચુકવવા પડશે. તાજ મહેલની મુલાકાતે આવા પર્યટકોની સંખ્યા સતત વધી કહી છે. વીકેંડમાં 50 હજારથી વધુ સહેલાણીઓ તાજની મુલાકાતે પહોંચે છે. એવામાં મુખ્ય મકબરા પર ભીડ વધ્યા બાદ શાહજહાં અને મુમતાઝની કબર જોવા વાળાઓની ભીડ વધી જાય છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મુખ્ય મકબરા પર ભીડને ઓછી કરવા માટે ટિકિટના જક વધારવાનું સૂચન આપ્યું હતું જેને સરકારે મંજૂરી આપી છે.

જૂના દર મુજબની 50 રૂપિયાની ટિકિટ લેનાર પર્યટકોને રેડ પ્લેટફોર્મ(ચમેલી ફર્શ) સુધી જવાની અનુમતિ મળશે. આ પર્યટકો મુખ્ય મકબરા સિવાય તાજમહેલના દીદાર કરી શકશે.

  • સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયા
  • વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા
  • સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયા

તાજમહેલના પૂર્વીય અને પશ્ચિમી ગેટ પર બનેલી ટિકિટ વિંડો પરથી પર્યટકો ટિકિટ લઈ શકશે. અહીં સ્થાનિક પર્યટકો માટે 50 અને 250 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે જ્યારે વિદેશી પર્યટકોએ 1100 અને 1300 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે સાર્ક દેશો માટે 540 અને 740 રૂપિયાની ટિકિટ રહેશે. મુલાકાતીઓ પોતાની સુવિધા અનુસાર ટિકિટની પસંદગી કરી શકશે.

પ્રવાસન વિભાગે ઑગસ્ટમાં પણ તાજની ટિકિટમાં વધારો કર્યો હતો. સ્થાનિક અને સાર્ક દેશોના પર્યટકો માટે ટિકિટમાં 10 રૂપિયા અને વિદેશી પર્યટકો માટે 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા એપ્રિલ 2016માં ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો.

200 રૂપિયાની વધારાની ટિકિટ લઈને મુલાકાતીઓ તાજના મુખ્ય મકબરાના મુગલકાળના નકશીકામનો આકર્ષક નજારો જોઈ શકશે. સંગેમરમર પર કરવામાં આવેલું આ નકશીકામ પર્યટકોમાં આકર્ષણનું કેંદ્ર છે. મુમતાજની કબર પાસે પણ પથ્થરો પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. જે ખુબ જ મનમોહક છે.

 

December 7, 2018
patidar_paas_logo.jpg
1min5370

અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી

ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન

ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.

દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.

December 3, 2018
onion.jpg
1min3400

કાંદાના ઉત્પાદન માટે જાણીતા નાશિકમાં કિલો કાંદાનો ભાવ એક રૂપિયા ઉપજતા તેના વિરોધમાં તેની રકમ વડા પ્રધાનને મોકલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિકમાં કાંદાની ખેતી કરતા ખેડૂતને ૭૫૦ કિલોના કાંદાના ઉત્પાદન માટે પ્રતિ કિલો કાંદાના ફ્કત રૂ. ૧.૪૦ મળ્યા હતા. દેશમાં ખેડૂતોની કથળતી હાલતને જોતા સરકારનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ ખેડૂતે તેણે કમાવેલા રૂ. ૧,૦૬૪ વડા પ્રધાનને મોકલ્યા હતા.

નિફાડ તહેસીલના સંજય સાઠેએ આ વર્ષે ૭૫૦ કિલો કાંદા ઉગાડ્યા હતા, પણ તેને નિફાડ હોલસેલ માર્કેટમાં ફક્ત એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેચવાની ઓફર મળી હતી. વાટાઘાટ કરતાં હોલસેલ માર્કેટના વેપારીઓ પ્રતિકિલો કાંદાના રૂ. ૧.૪૦ આપવા તૈયાર થયા હતા. ૭૫૦ કિલો કાંદાના સાઠેને ફક્ત રૂ. ૧,૦૬૪ મળ્યા હતા. ચાર મહિના કપરી મહેનત કર્યા બાદ ફ્કત રૂ. ૧,૦૬૪ની કમાણી થઇ હતી. સાઠેએ આ રકમ વડા પ્રધાનના ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે દાનમાં આપ્યા હતા. તનતોડ મહેનત કરીને દેશના નાગરિકોનું પેટ ભરતા ખેડૂતોને કષ્ટમાંથી ઉગારવા માટે સરકારે પગલાં ભરવા જોઇએ.

November 30, 2018
statue-of-unity.jpg
1min2910

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક મહિનો થઈ ચૂક્યો છે. માત્ર એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 5.91 કરોડ નોંધાઈ છે. દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે

182 મીટરની આ પ્રતિમા નવું પ્રવાસન સ્થળ બની ચૂકી છે.  એક અંદાજ પ્રમાણે એક મહિનામાં 2.65 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.  ટેન્ટ સિટી પણ લોકોને આકર્ષી રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ મહિના દરમિયાન પાંચ હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂરો થવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

November 30, 2018
maratha1.png
1min8390

સામાન્ય રીતે બહુ સમૃદ્ધ માનવામાં આવતા મરાઠા સમાજના 93 ટકા પરિવારની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોવાનું કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે. લગભગ 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે જીવે છે.

સ્ટેટ ઑબીસી કમિશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મરાઠા સમાજને શૈક્ષણિક, સમાજિક અને આર્થિક રીતે પછાત જણાવવામાં આવ્યો છે. રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ છે, જેમાંથી 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર નભે છે. સરકારી નોકરીઓમાં તેમનું માત્ર છ ટકા પ્રતિનિધિત્વ છે અને તેમાં પણ ડી ક્લાસની નોકરીઓમાં વધારે જોવા મળે છે. જે મરાઠાઓ શહેર તરફ વળ્યા છે, તેમાંથી મોટા ભાગના માથાડી કામદાર કે ઘરકામમાં જોડાયેલા જોવા મળે છે. કમિશને 21 સ્થળે જાહેર સુનાવણી રાખી હતી.

 

  • રાજ્યમાં 30 ટકા મરાઠા વસતિ
  • 37.28 ટકા મરાઠા સમાજ ગરીબી રેખા નીચે
  • 76.86 ટકા લોકો ખેતી અને ખેતમજૂરી પર
  • સરકારી નોકરીઓમાં માત્ર છ ટકા પ્રતિનિધિત્વ
  • ડી ક્લાસની નોકરીઓમાં વધારે
  • 1,93,651 વ્યક્તિગત નિવેદન
  • 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન
  • 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ
  • 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં
  • આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા
  • 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા
  • 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના

1,93,651 વ્યક્તિગત નિવેદન, 814 અલગ અલગ સંસ્થાઓના નિવેદન, 784 ગ્રામ પંચાયતે સાથે મળી 282 ઠરાવ કમિશનને આપવામાં આવ્યા હતા. મોટા ભાગના નિવેદનોએ મરાઠા સમાજને સ્વતંત્ર વર્ગમાં અનામત આપવા જણાવ્યું હતું જ્યારે 84 નિવેદન એવા પણ હતા જે ઑબીસી કેટેગરીમાં અનામત આપવાના વિરોધમાં હતા. આઈએએસ જેવા પદ પર માત્ર 6.92 ટકા મરાઠા છે, જેમાંથી સીધી ભરતી દ્વારા માત્ર આ પદ સુધી પહોંચેલા 0.27 ટકા જ છે. 40,962 પરિવારને સર્વેક્ષણમાં સાંકડવામાં આવ્યા હતા.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 2013થી 2018 દરમિયાન 13,368 ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેમાંથી 2,152 એટલે કે 23.56 ટકા મરાઠા સમાજના હતા.

 

સૌથી અગત્યનો મુદ્દો મહારાષ્ટ્રના પોલિટીક્સમાં મરાઠાઓનું પ્રભુત્વ

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો

18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો મરાઠા સમાજના

1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા

288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત

વિધાનમંડળમાં મરાઠા અનામતનો કાયદો કોઈ પણ જાતની દલીલ વિના એક મિનિટમાં પસાર થઈ ગયો તે જણાવે છે કે રાજ્યમાં આ સમાજ કેટલો વગદાર છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાયદો પસાર કરી દરેક પક્ષે તેનો શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો છે. મરાઠા સમાજે પણ આને વધાવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી ઊંચો હાથ સત્તાધારી પક્ષ તરીકે ભાજપનો જ રહેશે. રાજ્યની 13 કરોડ જનતામાંથી 30 ટકા મરાઠા સમાજ છે અને અત્યાર સુધીના 18 મુખ્ય પ્રધાનમાંથી દસ મુખ્ય પ્રધાનો આ સમાજે આપ્યા છે. 1960થી અત્યાર સુધી 30 વર્ષ સુધી મરાઠા મુખ્ય પ્રધાન પાસે રાજ્યની સત્તા રહી છે. રાજ્યના 288 વિધાનસભા મતવિસ્તારમાંથી 200 વિસ્તાર પર મરાઠા સમાજના મત બાજી ફેરવી શકે છે. જોકે જેઓ મરાઠા ક્વૉટાની માગ કરતા હતા તેમનું કહેવાનું હતું કે મરાઠા સમાજનો બહુ નાનો વર્ગ છે જે વર્ચસ્વ અને સમૃદ્ધિ ધરાવે છે. મોટા ભાગનો સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત છે.

મરાઠા સમાજના લગભગ 40 જેટલા યુવાને આત્મહત્યા કરી હતી.

સરકારે હાલમાં જાહેર કરેલા અનામતને પણ ઘણાં ચૂંટણી નજીક આવતા કરવામાં આવેલા નિર્ણય તરીકે લેખાવે છે. જો કાયદાને કોઈ પડકારશે અને તે કોર્ટમાં ઊભો રહી શકશે ત્યારે જ ખરેખર શ્રેય લઈ શકાય છે કે કેમ તે નક્કી થશે.

હાલમાં રાજકારણીઓ શ્રેય મેળવવા માટે પડાપડી કરે છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કૉંગ્રેસે સમાજ માટે અનામતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે આ નિર્ણય માટે મરાઠા સમાજે કરેલા આંદોલનને પણ શ્રેય આપ્યો હતો. તેમના લાંબા સંઘર્ષના પરિણામસ્વરૂપે આ અનામત કરાવમાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાન ખાતે આંદોલનકારીઓની ભૂખ હડતાળ તોડાવી હતી. આ સાથે જેમના પર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, તેમના ગુના પરત લેવામાં આવશે, તેવી ખાતરી પણ આપી હતી. એનસીપી નેતા ધનંજય મુંડેએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો અને મરાઠા સમાજની એકતા અને સંઘર્ષને લીધે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય પ્રધાનમંડળે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. ભાજપે તમામ પદાધિકારીઓને સરકારના આ નિર્ણયને વધાવવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન ઑબીસી સંઘર્ષ સમન્વય સમિતિએ મરાઠા અનામતના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી. સરકારે ખાતરી આપી છે કે મરાઠા સમાજને આરક્ષણ આપતા અન્ય આરક્ષણને કોઈ નુકસાન નહીં પહોંચે, પરંતુ સમિતિનું માનવાનું છે કે આ શક્ય નથી અને સરકારનો આ નિર્ણય તેમના આરક્ષણને નુકસાન પહોંચાડશે. આ સાથે ભાજપે આવનારી ચૂંટણીમાં આની મોટી કિંમત ચૂકવવી પડશે, તેમ પણ સમિતિના પ્રમુખ જે ડી તાંડેલે જણાવ્યું હતું. અન્ય એક ઑબીસી નેતાએ જણાવ્યું હતુ કે સરકારે જાતિ પ્રમાણે કોઈ ગણતરી કરી નથી, આથી મરાઠા સમાજ 30 ટકા છે, તે માનવું યોગ્ય કહેવાશે નહીં.

 

November 29, 2018
GOVT-JOBS.jpg
1min6950

  • ગુજરાત ત્રીજા વર્ગની 12 હજાર જગ્યાઓ માટે 38 લાખ અરજી
  • તલાટીની કુલ 1800 જગ્યા માટે 19 લાખ અરજીઓ
  • ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી
  • પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000

સરકારી નોકરી મેળવવા માટે આજકાલ યુવાનોમાં કેટલી હોડ મચી ગઇ છે એની પ્રતીતિ કરાવતી ઘટના આકાર પામી છે. આજના જમાનામાં સરકારી કર્મચારી પછી ભલે એ ક્લાસ-થ્રી પદની કેમ ન હોય, લાઇફ સ્ટાઇલ, કાયદેસરની આવક એટલે કે પગાર અને આકસ્મિક આવક એટલે કે બેનંબરી આવક, ઠાઠ માઠ વગેરે જોઇને યંગસ્ટર્સ પણ હવે સરકારી નોકરી મેળવવા માટે ભારે પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે ક્રિમ ખાતું ગણાય. રેવન્યુ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારથી ખદબદતું ખાતું છે, સૌથી વધુ એન્ટી કરપ્શનના કેસો પણ રેવન્યુ ખાતામાં જ થતાં હોય છે. રેવન્યુ ખાતામાં આવતા તલાટીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે સૌથી વધુ કુખ્યાત હોય છે. જમીનના દફતરમાં કોઠા કબાડા કરવા માટે તલાટીઓ ભારે બદનામ હોય છે. અને હવે એ જ તલાટી બનવા માટે શિક્ષિત બેરોજગારોએ કેવી પડાપડી કરી છે તેની વિગતો તલાટી માટે ગુજરાત સરકારે હાથ ધરેલી ભરતી પ્રક્રિયા અન્વયે મળેલી અરજીઓની સંખ્યા પરથી થઇને રહે છે.

ગુજરાતમાં તલાટીની નોકરીને વૈભવી માનવામાં આવે છે અને તલાટીઓને વૈભવશાળી. એવી બહું ઓછી જીવતી વારતા સાંભળવા મળે છે જેની પહેલી લાઇન એમ હોય કે, એક ગરીબ તલાટી હતો. જમીનના કોઠા કબાડા બહાર આવે ત્યારે પહેલું કુકર્મ જો કોઇએ કર્યું હોય તો એ તલાટીનું નામ છાપરે ચઢીને પોકારે. આવી સ્થિતિમાં હાલમાં ગુજરાતમાં તલાટીઓની ખાલી પડેલી 1800 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તલાટી બનવા માટે ભલભલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે.

ગુજરાતમાં તલાટીની 1800 જેટલી જગ્યાઓ માટે કુલ 19 લાખ જેટલી અરજીઓ મળી છે.

તલાટી બનવા માટે આટલી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારોએ કરેલી અરજી એ બાબત પણ સૂચવે છે કે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓને અઘરી ગણતા યંગસ્ટર્સ માને છે કે તલાટીની પરીક્ષા સરળતાથી પાસ કરી દેવાશે.

ગુજરાતમાં બેકારીના આંકડા જાણે સતત વધી રહ્યા છે. તા.28મી નવેમ્બરના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી હેરત પમાડે એવી છે. રાજ્યમાં ત્રીજા વર્ગની 12 હજાર ખાલી પડેલી જગ્યાઓ માટે અધધધ 38 લાખ અરજીઓ મળી છે. જેમાંથી 50 ટકા એટલે કે 19 લાખ અરજી તલાટીની પોસ્ટ માટે છે. જેમાં માત્ર 1800 જગ્યાઓ છે. અરજી કરવાની અંતિમ તારીખને હજુ સમય હોવાથી આ આંકડો હજુ વધી શકે છે.

તલાટીની પોસ્ટ માટે સૌથી વધુ અરજીઓ મળી છે. આંકડાઓ પ્રમાણે એક જગ્યાઓ માટે આશરે 1, 055 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી મળી છે. એટલે કે એક પોસ્ટ માટે આશરે 1, 449 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000 અરજીઓ આવી છે.

સરકારી નોકરી માટેની અરજીઓ અને વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન હોય શકે. કારણ કે ઘણી વાર સારી નોકરીની શોધમાં લોકો એક નોકરી હોવા છતા બીજી માટે અરજી કરે છે. જો કે કૉંગ્રેસે આ આંકડાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ‘ આ આંકડાઓ પરથી સાબિત થાય છે કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધો છે. ‘

 

November 29, 2018
online_fraud-1280x720.jpg
1min10700

ઇન્ટરનેટ કે સોશ્યલ મિડીયા સાઇટ્સ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વગેરે પર મૂકવામાં આવતી, પોસ્ટ કરવામાં આવતી બધી માહિતી, વિડીયો, ફોટા કે અન્ય મટિરિયલ્સ પર ભરોસો મૂકનારા મોટા ભાગે પસ્તાયા છે. ઇન્ટરનેટ પર મૂકાતી માહિતીને વેરાફાય થઇ શકે નહીં, અને ખુદ ભરોસો મૂકનારે વેરીફાય કર્યા પછી આગળ વધવું જોઇએ અન્યથા મુંબઇની એક યુવતિને આવો અનુભવ કેટલા રૂપિયામાં પડ્યો એ જાણીને તમે ક્યારેય ઇન્ટરનેટ પરની માહિતીને સાચી નહીં માની બેસો એ વાતની ગેરન્ટી છે.

મેટ્રીમોનિયલ સાઇટ પર યુવક સાથે થયેલો પરિચય 32 વર્ષની યુવતીને ભારે પડયો હતો. વિદેશમાં એરપોર્ટ પર મની લોન્ડરિંગની શંકા પરથી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ વિભાગે તાબામાં લીધો હોવાનું જુઠ્ઠાણું ચલાવી યુવતી પાસેથી રૂ. 26.49 લાખ પડાવવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા યુવકની ઓળખ નિમેશ ચોટલિયા તરીકે થઇ હતી. ધરપકડ બાદ નિમેશને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 4 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

અમેરિકામાં વર્ક વિઝા પર નોકરી કરતી યુવતીએ મેટ્રીમોનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ મેટ્રીમોનિયલ સાઇટ મારફત તેનો પરિચય નિમેશ સાથે થયો હતો. નિમેશે તેને કહ્યું હતું કે તેણે ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો છે અને મુંબઈની બીકેસી ખાતે આવેલી કંપનીમાં હાર્ડવેર નેટવર્કિંગ વિભાગનો હેડ છે. તેણે યુકેની અનેક કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. દરમિયાન યુવતીએ નિમેશના માતા-પિતા સાથે લગ્ન વિશે વાતચીત કરવાનું નક્કી કર્યું હતું, પણ વરલીમાં ફ્લેટ લીધા બાદ વાતચીત કરવાનું નિમેશે તેને કહ્યું હતું.

દરમિયાન તેણે યુવતીને કહ્યું હતું કે તે લંડન જઇ રહ્યો છે અને ત્યાંથી તે ન્યૂ યોર્ક આવીને તેને મળશે. જોકે બાદમાં તેણે કહ્યું હતું કે તેને ન્યૂજર્સી ખાતે એરપોર્ટ પર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન વિભાગે મની લોન્ડરિંગની શંકા પરથી તાબામાં લીધો હતો અને તેમાં યુવતીનું નામ આવ્યું હોવાથી આમાંથી અમેરિકન ડોલર તેના મુંબઈના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું યુવતીને જણાવ્યું હતું. યુવતીએ વખતોવખત 37,122 અમેરિકન ડોલર (રૂ. 26.49 લાખ) નિમેશના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

દરમિયાન યુવતીને શંકા જતાં તેણે મેટ્રીમોનિયલ સાઇટ પર નિમેશે આપેલા સરનામે જઇને તેના પરિવારને મળવા માટે પોતાના પિતાને કહ્યું હતું. આથી યુવતીના માતા-પિતા નિમેશના પાર્લામાં આવેલા ઘરે ગયા હતા, જ્યાં નિમેશ પાંચ વર્ષમાં ક્યારે પણ વિદેશ ગયો ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. છેતરપિંડી થયાની જાણ થતાં યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એમ પોલીસે કહ્યું હતું.

November 28, 2018
income_tax.jpg
1min9140

ભારતની કુલ વસ્તી આશરે 135 કરોડની છે, જેની સામે 5.29 કરોડ કરદાતાઓ છે. એટલેકે, 3.90 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે

તેની સરખામણીએ ગુજરાતની 6.80 કરોડની વસ્તીમાંથી 68 લાખ કરદાતાઓ છે. એટલેકે રાજ્યની વસ્તીના 10 ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. વર્ષ 2018-19 ના વર્ષમાં ગુજરાતીઓ રૂ. 55,571 કરોડ ઇન્કમટેક્સ ભરશે. જેની સામે કેન્દ્ર સરકાર ગુજરાતને માત્ર રૂ. 6,040 કરોડ રકમ ફાળવશે. સૌથી વધુ રકમ 35, 168 કરોડ રૂપિયા ઉત્તરપ્રદેશને ફાળવવામાં આવશે. વેજલપુરમાં આવેલા ઇન્કમ ટેક્સના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી), નવી દિલ્હીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે દેશભરમાં સૌથી વધારે કરદાતાઓ ગુજરાતમાં છે. કરદાતાઓ તેમના ટેક્સ રિટર્નમાં ચોખ્ખી આવક દર્શાવે તે જરૂરી છે. હવે કરદાતાઓનું રિટર્ન એસેસમેન્ટ 0.5 ટકા જેટલું નહિવત્ થઇ ગયું છે.

ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, હાલમાં અમે 70 દેશો સાથે સમજૂતી કરીને ત્યાં થતાં ઇન્વેસ્ટમેન્ટની માહિતીની આપ-લે કરવામાં આવશે. ગયા વર્ષે દેશમાં ઇન્કમટેક્સના 1.06 કરોડ કરદાતાઓ સામે ચાલુ વર્ષે 1.25 કરોડ નવા કરદાતા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 87 લાખ કરદાતાઓ ઉમેરાયા છે. ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ આઇટી કમિશનર અજયદાસ મહેરોત્રાએ જણાવ્યું કે, ગુજરાતના નાણાકીય વર્ષ 18-19માટે રૂ.55 હજાર કરોડનો ટાર્ગેટ અપાયો છે. જેની સામે 26 નવેમ્બર, 2018 સુધીમાં રૂ.25.58 કરોડનો ટાર્ગેટ પૂરો કર્યો છે.