CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 31 of 41 - CIA Live

March 7, 2019
she1-1280x720.jpg
1min5040

Jayesh Brahmbhatt

International Women’s Day 2019: 

इंटरनेशल विमेंस डे हर साल 8 मार्च को मनाया जाता है। यह दिन दुनियाभर में महिलाओं के संघर्ष, सम्मान और महत्व का प्रतीक है। इस दिन आप अपने घर की किसी भी महिला जैसे मां, बहन, पत्नी, दादी या फिर अपनी दोस्त, प्रेमिका को गिफ्ट देकर उन्हें खुश कर सकते हैं। लेकिन कुछ सरप्राइज ऐसे भी हैं जिनकी मदद से आप उन्हें स्पेशल फील करवा सकते हैं।

1. महिला दिवस पर अपनी वाइफ या मां को रसोई के कामकाज से आराम दे दीजिए। आखिर वो आपकी सेहत और स्वाद के लिए इतना कुछ करती है। यकीन मानिए इसके बाद वो कभी भी ये अंतरराष्ट्रीय महिला दिवस नहीं भूल पाएंगी।

2. महिला दिवस पर सभी कामों से छुट्टी ले लीजिए और अपनी पत्नी, मां या बहन के पास रहिए। क्योंकि आपके साथ समय बिताना और बातें करना उनके लिए सबसे बड़ी खुशी है।

3. इस महिला दिवस पर पुरुष ऑफिस से छुट्टी लेकर अपने जीवन में महत्वपूर्ण महिला को आउट ऑफ स्टेशन भी जा सकते हैं। इससे आप दोनों को एक साथ समय बिताने का ज्यादा मौका मिलेगा।

4. इंटरनेशनल विमेंस डे पर पुरुष महत्वपूर्ण महिलाओं को एक प्यारा सा गिफ्ट भी दे सकते हैं। जो उन्हें हमेशा आपके प्यार और सम्मान का एहसास दिलाता रहेगा।

5. इस इंटरनेशनल विमेंस डे पर आप सभी महिलाओं का सम्मान करने और उनके लिए एक सुरक्षित समाज बनाने का वादा करें। यकीन मानिए इससे ज्यादा स्पेशल उनके लिए कुछ नहीं हो सकता।

 

और अंत में उन मर्दो के लिए जिसकी हंमेशा पत्नी से फाइट होती रहेती है..

जिंदगी में एक हूनर ये भी आजमाना चाहिए….

अगर जंग अपने से हो तो हार जाना चाहिए…

March 6, 2019
Swaksh2109.jpg
22min4530

દેશના શહેરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2019ના નામથી એક તંદુરસ્ત હરીફાઇ દર વર્ષે યોજવામાં આવે છે. દેશના લગભગ દરેક શહેરોમાં સ્વચ્છતા અંગેના સર્વેક્ષણ, લોકોના મત, જુદા જુદા પ્લેટફોર્મ પરથી એકત્રિત કરીને જે તે શહેરોના સ્વચ્છતામાં સ્થાન આપવામાં આવે છે. 2019ના વર્ષ માટેના સ્વચ્છ સર્વેક્ષણમાં નીચે મુજબના 100 શહેરોને સ્વચ્છતા અંગેના રેટિંગ્સ આપવામાં આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણના પેરામીટર્સ ધ્યાને લેવામાં આવ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના પરિણામો જાહેર થયા છે. જેમાં રાજકોટ દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જ્યારે સૌથી સ્વચ્છ મોટા શહેરની યાદીમાં અમદાવાદ પ્રથમ

સર્વેમાં ઈંદૌર સતત ત્રીજી વાર અવ્વલ રહ્યું છે. જ્યારે રાજકોટને નવમું સ્થાન મળ્યું છે. સૌથી સ્વચ્છ રાજધાનીઓમાં ભોપાલ પહેલા સ્થાન પર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈને બાજી મારી છે.

મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન અલગ અલગ ટીમોએ 64 લાખથી વધુ લોકોના પ્રતિભાવો જાણ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ શહેરોના 4 કરોડ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યો. ટીમે આ શહેરોના 41 લાખ ફોટો ભેગા કર્યા. સર્વેક્ષણમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં સાડા ચાર લાખે ડૉક્યૂમેંટ્સ અપલોડ કરવામાં આવ્યા.

  • World’s largest cleanliness survey
  • વિશ્વમાં સૌથી મોટો સ્વચ્છતા આધારિત સરવે

 

  • 4237 cities covered
  • ભારતના 4237 શહેરો, નગરોને આવરી લેવાયા

 

  • Survey completed within 28 days
  • 28 દિવસમાં સ્વચ્છ સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું

 

  • 4.5 Lakh documents were uploaded by cities
  • શહેરોએ પોતાના તરફથી 4.5 લાખ જેટલા ડોક્યુમેન્ટસ અપલોડ કર્યા હતા

 

  • 41 lakhs Geotagged Photos captured from field
  • 41 લાખ જીઓટેગ ફોટો ફિલ્ડમાંથી કેપ્ચર કરવામાં આવ્યા

 

  • Massive participation by citizens
  • નાગરીકોએ મોટી સંખ્યામાં મંતવ્યો આપ્યા

 

  • 64 Lakhs citizen feedback collected
  • 64 લાખ નાગરિકોના ફિડબેક ભેગા કરવામાં આવ્યા

 

  • Social Media Outreach of 4 Crores
  • સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમોથી 4 કરોડ લોકો સુધી અભિયાન પહોંચાડવામાં આવ્યું હતું

સ્વચ્છ સર્વેક્ષણમાં દેશના ટોચના 100 શહેરોમાં કયા કયા શહેરોને સ્થાન મળ્યું છે એ નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાશે

RANK CITY NAME SCORE
#1 Indore 4659.09
#2 Ambikapur 4394.09
#3 Mysore 4378.54
#4 Ujjain 4244.47
#5 New Delhi (NDMC) 4190.52
#6 Ahmedabad 4137.43
#7 Navi Mumbai 4128.85
#8 TIRUPATI 4024.61
#9 Rajkot 4000.15
#10 Dewas 3967.61
#11 Bhilai Nagar 3929.48
#12 Vijayawada 3882.46
#13 Ghaziabad 3877.43
#14 Surat 3860.66
#15 Jamshedpur 3805.72
#16 Kolhapur 3803.28
#17 Khargone 3798.34
#18 Nagda 3794.48
#19 Bhopal 3793.68
#20 Chandigarh 3787.09

 

RANK CITY NAME SCORE
#21 Singrauli 3763.08
#22 Gandhinagar 3756.71
#23 GVMC Visakhapatnam 3744.09
#24 Karnal 3735.72
#25 Jabalpur 3667.32
#26 Chhindwara 3636.41
#27 Mira-Bhayandar 3622.11
#28 Bilaspur 3616.57
#29 Chandrapur_M 3603.73
#30 Ambarnath 3575.32
RANK CITY NAME SCORE
#31 Bathinda 3520.18
#32 Jagdalpur 3510.18
#33 Durg 3500.35
#34 Wardha 3475.07
#35 Greater Hyderabad 3454.9
#36 Vasai Virar 3447.93
#37 Pune 3445.54
#38 Latur 3426.81
#39 Tiruchirappalli 3414.37
#40 Coimbatore 3411.64
RANK CITY NAME SCORE
#41 Raipur 3393.28
#42 Rajnandgaon 3390.69
#43 Raigarh 3373.97
#44 Jaipur 3365.75
#45 Satara 3361.44
#46 Ranchi 3319.31
#47 Neemuch 3314.39
#48 Sagar 3283.6
#49 Greater Mumbai 3276.84
#50 Pithampur 3273.2
RANK CITY NAME SCORE
#51 Kulgaon-Badlapur 3243.57
#52 Pimpri Chinchwad 3228.33
#53 Udgir 3225.28
#54 Solapur 3206.43
#55 Barshi 3197.66
#56 Dhanbad 3190.09
#57 Thane 3181.06
#58 Nagpur 3160.31
#59 Gwalior 3147.59
#60 Nanded Waghala 3141.37
RANK CITY NAME SCORE
#61 Chennai 3118.03
#62 Ratlam 3116.27
#63 Kanpur 3113.33
#64 Hazaribag 3112.56
#65 Korba 3111.36
#66 Chas 3095.89
#67 Nashik 3092.99
#68 Jhansi 3086.27
#69 Rohtak 3082.76
#70 Varanasi 3063.21
RANK CITY NAME SCORE
#71 Panchkula 3055.89
#72 Patiala 3053.86
#73 Deesa 3051.91
#74 Amravati 3041.88
#75 Rewa 3039.33
#76 Jalgaon 3033.6
#77 Kalyan Dombivali 3013.26
#78 Damoh 3011.64
#79 Vadodara 2999.85
#80 Jamnagar 2995.95
RANK CITY NAME SCORE
#81 Warangal 2995.25
#82 Shivpuri 2986.85
#83 Gurgaon 2975.41
#84 Bhiwandi Nizampur 2971.78
#85 Agra 2970.14
#86 Panvel 2968.58
#87 Hoshangabad 2955.85
#88 Vapi 2952.76
#89 Achalpur 2936.41
#90 Tenali 2935.8
RANK CITY NAME SCORE
#91 Bhavnagar 2921.17
#92 Saharanpur 2908.16
#93 Khandwa 2907.74
#94 Beed 2904.89
#95 Mango 2897.5
#96 Yavatmal 2887.13
#97 Katni 2872.43
#98 Rajahmundry 2866.89
#99 Karimnagar 2861.24
#100 Dhule 2858.07

સ્વચ્છ સર્વેક્ષણ 2019માં રાજ્યોની કેવી સ્થિતિ

States Ranking

POSITION STATE NAME
#1 Chhattisgarh
#2 Jharkhand
#3 Maharashtra
#4 Madhya Pradesh
#5 Gujarat
#6 Andhra Pradesh
#7 Punjab
#8 Telangana
#9 Haryana
#10 Uttar Pradesh
POSITION STATE NAME
#11 Rajasthan
#12 Tamil Nadu
#13 Manipur
#14 Karnataka
#15 Jammu and Kashmir
#16 Mizoram
#17 Odisha
#18 Goa
#19 Uttarakhand
#20 Himachal Pradesh
POSITION STATE NAME
#21 Kerala
#22 Sikkim
#23 Tripura
#24 Bihar
#25 Nagaland
#26 Assam
#27 Arunachal Pradesh
#28 Meghalaya
March 5, 2019
ann2.jpg
1min16200

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

March 5, 2019
JET.jpg
1min8500
  • જેટ એરવેઝના કુલ 123 પ્લેનમાંથી ત્રીજા ભાગના પ્લેન જમીનગત કરી દીધા છે
  • જેટની રોજની 100થી વધુ ફ્લાઇટ્સ રદ
  • ઇન્ડિગોની દૈનિક 40 ફ્લાઇટ્સ રદ
  • મુસાફરી ભાડામાં તોતિંગ ભાવવધારાનો તોળાતો ભય
  • કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ

જેટ એરવેઝે છેલ્લા એક સપ્તાહમાં સેંકડો ફ્લાઇટ રદ કરી છે. તેની સાથે ઇન્ડિગોએ પણ રોજની 40થી વધારે ફ્લાઇટ રદ કરતાં હવાઈપ્રવાસ મોંઘો થયો છે. દેશનાં નાનાં શહેરો વચ્ચે હવાઈભાડાંમાં 60 ટકા વધારો થયો હોવાનું જાણવા મળે છે. જેટે તેના કુલ 123 પ્લેનના કાફલામાંથી ત્રીજા ભાગનો કાફલો જમીનગત કરી દીધો છે અને તે રોજની 100થી વધુ ફ્લાઇટ રદ કરી રહ્યું છે. ખાસ કરીને જેટે ઉત્તરપૂર્વમાં તો ઊડવાનું જ બંધ કરી દીધું છે. કોલકાતા અને ચેન્નાઈથી દિલ્હીની ફ્લાઇટ્સ અગાઉ ક્યારેય ન હતી તેટલી મોંઘી થઈ ગઈ છે. ભાડામાં સરેરાશના ધોરણે 25 ટકાનો વધારો થયો છે અને કેટલાંક સેક્ટરોમાં 60 ટકા જેટલું ભાડું વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હી-મુંબઈ દેશમાં અત્યંત વ્યસ્ત રૂટ હોવાથી તેને હજી સુધી સ્પર્શવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે હજી પણ નબળી સીઝનનો સામનો કરી રહ્યા છીએ. માર્ચ આવતાં ભાડાંમાં હજી વધારો થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે આગામી સપ્તાહોમાં દૈનિક 30થી વધારે દૈનિક ફ્લાઇટ્સ રદ કરવાની છે. ઉદ્યોગનાં આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ આ આંકડો 40ને સ્પર્શી શકે છે. સામાન્ય રીતે આ બે એરલાઇન્સ દૈનિક 1,700થી 2,000 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેના લીધે સૌથી વધારે અસર પામનારા રૂટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રોથી નોન-મેટ્રો રૂટ છે.

રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જુએ છે કે કેટલી ઝડપથી સીટો વેચાઈ રહી છે અને તેને મુજબ ભાડાંને કેવી રીતે એડ્જસ્ટ કરવામાં આવી શકે. આમ એરલાઇન્સ દ્વારા જે રૂટ રદ કરવામાં આવ્યા છે તેમાં તો ચોક્કસપણે ભાવમાં વધારો થવાનો એ સ્વાભાવિક છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલી જેટે ગયા વર્ષે વર્ષના બીજા ભાગમાં લીઝ રેન્ટલ પેમેન્ટમાં નાદારી નોંધાવતાં તેણે કેટલાંય પ્લેન ભૂમિગત કરવા પડ્યાં છે.

March 5, 2019
twin1.jpg
1min13650

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

March 5, 2019
ai_news.jpg
1min6500

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

March 2, 2019
farmers.jpg
1min10220

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 1, 2019
swine-flu_.jpg
1min4450

ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.

February 28, 2019
air_logo.jpg
1min4270

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

February 28, 2019
bse.jpg
1min4720

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.