CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 27 of 41 - CIA Live

May 29, 2019
trafficeineverest.jpg
1min5670

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 24, 2019
congress_mukt.png
1min5200

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min3430

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 23, 2019
sensex-up.jpg
1min10780

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
talaja.gif
1min12330

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
vivek.jpg
1min6530

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.

કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.

જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6770

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 15, 2019
online-pharmacy.jpg
1min6270

ભારતમાં ઓનલાઇન ફાર્મસીનું ચલણ વધી રહ્યું છે પરંતુ તે લોકોના આરોગ્ય માટે જોખમી છે કારણ કે શિડ્યૂલ્ડ ડ્રગ્સ કે નાર્કોટિક્સ ડ્રગ્સનો દૂરુપયોગ થવાની પૂરી શક્યતાઓ છે. કાયદા મુજબ રિટેલ સ્ટોરમાંથી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ કરી શકાય છે અને તેમાં પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હોય છે અને ડોક્ટરે લખેલી બ્રાન્ડ પણ બદલી શકાતી નથી જ્યારે ઓનલાઇન ફાર્મસીમાં કોઇ ચોક્સાઇ વગર દવાઓનું વેચાણ થાય છે.

ડ્રગ્સ ડિલિવરીમાં તમામ તબક્કે માર્જિન ફિક્સ છે ત્યારે ઓનલાઇન ફાર્મસી મોટા ડિસ્કાઉન્ટ આપીને રિટેલ કેમિસ્ટ્સના અસ્તિત્વ સામે ખતરો બની રહી છે.

પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું હોય છે પરંતુ તેની વિશ્વસનિયતા હોતી નથી. વિકસિત દેશોમાં પણ ઓનલાઇન ફાર્મસીને માત્ર ઓટીસી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની મંજૂરી છે અને તેઓ અન્ય ડ્રગ્સનું વેચાણ કરી શકતા નથી. જોકે, એસોસિયેશનના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવાઓનું વેચાણ કરતા હોવાના મુદ્દે સભ્યોમાં રોષ છે.

સમગ્ર દેશમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ સામે રિટેલ કેમિસ્ટ્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને જે હોલસેલરો દવાની સપ્લાય કરે છે તેમની સામે વિરોધ કરી રહ્યા છે

ડ્રગ રુલ્સ પ્રમાણે કોઇપણ વ્યક્તિને સપ્લાયનો ઇનકાર કરવો શક્ય નથી.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના હરેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, “મેં અંગત કારણોસર એસોસિયેશનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ઓનલાઇન ફાર્મસીને સપ્લાયનો વિરોધ કરવામાં આવે છે પરંતુ ડ્રગ રૂલ્સ પ્રમાણે અમે કોઇને સપ્લાય કરવાનો ઇનકાર કરી શકીએ નહીં અને કોઇ પણ માલ માંગે તો સપ્લાય કરવી જરૂરી બને છે.”

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ કેમિસ્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન ફાર્મસી સામે આંદોલન ચલાવવામાં આવે છે પરંતુ તેના જ કેટલાક હોદ્દેદારો ઓનલાઇન ફાર્મસી કંપનીઓને માલ સપ્લાય કરતા હોવાના પૂરાવા વોટ્સએપ પર ફરતા થયા હતા અને તેના પગલે એસોસિયેશને પાંચ હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને પ્રત્યેકને ₹10,000નો દંડ કર્યો હતો.

May 15, 2019
studentoftheyear.jpg
1min6970

કરણ જોહરના સ્ટુડન્ટ બોક્સ ઓફિસ પર પાસ થયા નથી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની અને પૂનિત મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી બિગ બજેટની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2એ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો છે. સોમવારે આ ફિલ્મના કલેક્શનમાં પપ ટકાનો ઘટાડો આવ્યો હતો.
સોમવારે સ્ટુડન્ટના બીજા ભાગે માત્ર પ.2પ કરોડનો જ વકરો કર્યો હતો. આથી કરણ જોહરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ છે. 100 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા નથી. વધીને 60-70 કરોડ આસપાસ પહોંચી શકે તેમ છે. તેની કુલ કમાણી 43 કરોડ થઈ છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની આ પહેલા રીલિઝ થયેલી મોટા બજેટની ફિલ્મ કલંક સુપર ફલોપ રહી હતી.
May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min5340

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.