CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 23 of 41 - CIA Live

July 26, 2019
dhoni.jpg
1min601

૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે 

મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧ 

જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.

ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’

July 25, 2019
Diabetes_Medications.jpg
1min6340

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડાયાબિટીઝની Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાની પેટન્ટની આડમાં ફક્ત ભારતમાંથી જ અબજો રૂપિયા ઉસેટનાર નોવાર્ટીસ કંપનીની મોનોપોલી (પેટન્ટ) આગામી ડિસેમ્બર 2019માં પૂરી થઇ રહી છે, આ ડેવલપમેન્ટની રાહ જોઇને બેઠેલી ભારત અને વિદેશની કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાનું જનરિક વર્ઝન લોંચ કરવા તત્પર છે અને તેનો સીધો જ લાભ ભારતના સવાસાત કરોડ જેટલા ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓને મળે તેમ છે.

diabetic medicines

ડિસેમ્બર 2019 પછી ભારતમાં ડાયાબિટીઝની દવાઓના ભાવમાં તોતિંગ ઘટાડો થશે.

ભારતના ફાર્મા માર્કેટમાં ડિસેમ્બર 2019થી જ ઓછી કિંમતવાળી દવા ડાયાબિટીઝની દવાઓ લોંચ થઇ જશે.

સમજો કેવી રીતે ઓછી થશે ડાયાબિટીઝની દવાની કિંમત?

Gliptins ડાયાબીટીસની દુનિયામાં નવી ઓરલ દવા છે. આ દવા અસરકારક્તા અને ગુણવત્તામાં બેજોડ હોઇ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ દવા વિશ્વભરમાં લોકપ્રિય બની ગઇ છે અને એક્સપર્ટસ માની રહ્યા છે કે Gliptins ડાયાબીટીસનું ફ્યુચર છે. હાલમાં ફાર્મા બજારમાં Gliptins ત્રણ વર્જનમાં મળી રહી છે. જેમાં 1. Sitagliptin, 2. Vildagliptin 3. saxagliptin. આ પૈકી ભારતમાં નોવાર્ટીસ કંપની Vildagliptin નામની દવાનો એક પ્રકારનો ઇજારો (પેટન્ટ) ધરાવે છે અને તેની મુદત આગામી ડિસેમ્બર 2019માં પૂરી થવા જઇ રહી છે. હાલમાં ફક્ત નોવાર્ટીસ કંપની જ આ દવા બનાવી રહી હોવાથી કંપનીઓ ડાયાબિટીઝના દર્દીઓને ઉંચા ભાવે દવા વેચીને અબજો રૂપિયા કમાઇ રહી છે. પરંતુ, ડિસેમ્બર 2019માં તેની પેટન્ટ પૂરી થતાં જ 15-20 ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin ની જનરિક દવાઓ લોંચ કરવા માટે પૂર્વતૈયારીઓ કરી ચૂકી છે અને એ ભારતના બજારમાં મળતી થતાં જ ડાયાબિટીઝથી પીડાતા લોકોને દવાઓ સસ્તી મળવાની શરૂ થઇ જશે.

Vildagliptin દવા નો માર્કેટ શેર 25 ટકા

ડાયાબીટીસના દર્દીઓને અપાતી Gliptins દવાનું 3500 કરોડનું માર્કેટ છે. તેમાં Vildagliptin નો શેર 25 ટકા છે. ડોક્ટર્સ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમત ધરાવતી Teneligliptin દવા લખે છે. હવે Vildagliptinની પેટન્ટ પૂરી થયા બાદ આ દવા સાથે પણ એવું જ થશે કે બીજી 20-25 કંપની આ દવા બનાવશે અને તેની કિંમત ઘટી જશે.

હાલમાં ડાયાબિટીઝના દર્દીઓને એક દિવસની દવા પાછળ રૂ. 45 ખર્ચ થાય છે. એ હિસાબે ગણતરી કરીએ તો વર્ષે 17 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે નોવાર્ટીસની પેટન્ટ રાઇટ ખતમ થઇ જશે ત્યારે દૈનિક ખર્ચો રૂ.45થી ઘટીને રૂ.10-12 સુધી આવી જશે.

દવાનું જનરિક વર્ઝન લોન્ચ કર્યા બાદ ડાયાબીટીસ થેરેપીનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જશે. ત્યાર પછી લાખો લોકો સસ્તા ભાવે આ દવા ખરીદી શકશે.

ઝાયડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબોટ જેવી કંપનીઓ ડાયાબીટીસની નવી જનરિક દવા લોન્ચ કરવાની તૈયારીમાં હોવાનું માર્કેટની હિલચાલ પરથી જણાય આવે છે.

July 23, 2019
junagadh_mc.png
1min5140

સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી – ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો

જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

July 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min12850

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત સરકારે પાટીદાર આંદોલનને શાંત પાડવા માટે શરૂ કરેલા ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇનોનોમિકલ ડેવલપમેન્ટ કમિશનના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી યોજનાઓ જેવી જ યોજનાઓ વર્ષોથી બક્ષીપંચ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, એસ.ઇ.બી.સી.) માટે અમલમાં મૂકવામાં આવી છે.

પરંતુ, આ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત સરકારના બેવડાં ધારાધોરણો હોવાનું અરજદારો કહી રહ્યા છે. બક્ષીપંચ અન્વયે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખના લોનધિરાણ માટે અરજી કરનાર સુરતના યુવાન રાકેશ પંચાલએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી એ પ્રોસેસ કરી રહ્યા છે પરંતુ, એટલા બધા ધક્કા ખવડાવીને દર વખતે નવા ડોક્યુમેન્ટસ માંગવામાં આવી રહ્યા છે. કોઇ મોટી બેંકમાંથી સરળતાથી ધિરાણ મળી જાય પરંતુ, ગુજરાત સરકારની આ પછાત વર્ગ માટે કહેવાતી કલ્યાણકારી યોજનામાંથી ખરેખર જરૂરીયાતમંદને ધિરાણ જ નહીં મળે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

જેની બીજી તરફ ઓપન કેટેગરીના આર્થિક પછાત વર્ગ માટે અદ્દલ આ જ પ્રકારની સ્કીમ છે. ઉજળીયાત વર્ગ ખાસ કરીને પાટીદારોને રિઝવવા માટે સરકારે આ સ્કીમના અમલીકરણને એટલું સરળ બનાવી દીધું છે કે અરજદાર અરજી કરે એટલે તંત્ર તેની લોન મંજૂર કરાવવામાં કામે લાગી જાય જ્યારે બક્ષીપંચમાં તો સુરતની કચેરીમાં કામ કરતો કારકૂન જ અરજદારોને તતડાવી કાઢી મૂકતો હોવાની ફરીયાદો મળી છે.

ઓપન કેટેગરી આર્થિક પછાત વર્ગ પાસે ડોક્યુમેન્ટસ પણ ઓછા માગવામાં આવે છે જ્યારે બક્ષીપંચના અરજદારો નહીં પણ જામીનદારો પાસેથી પણ મિલકતો ગીરો લખાવી દેવામાં આવે છે. બક્ષીપંચની લોન મંજૂર કરાવવા માટે ગાંધીનગર સુધીના રૂપિયા ખવડાવવા પડે, ગીફ્ટો આપવી પડે ત્યારે માંડ લોન મંજૂર થાય છે જ્યારે ઓપન કેટેગરીમાં ગણતરીના દિવસોમાં લોન મંજૂર કરી આપવામાં આવી રહી છે.

બક્ષીપંચની વિદેશ અભ્યાસ લોન માટે એટલે જડ નિયમો મૂકવામાં આવ્યા છે કે 100 અરજદારોમાંથી માંડ એકાદ બેની લોન પાસ થતી હશે. એક નિયમ એવો છે કે ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનના બે વર્ષના કોર્સ માટે જ ધિરાણ આપવામાં આવે છે. વિદેશમાં લોંગ ટર્મ કરતા શોર્ટ ટર્મ કોર્સનું મૂલ્ય એટલે કે રોજગારીની તકો વધુ હોય છે, ત્યારે બે વર્ષમાં એક કોર્સની જગ્યાએ બે વર્ષમાં ત્રણ-ચાર સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવે તો ઉમેદવારને ફોરેનમાં જ વધુ મળતરની સારી રોજગારીની તક વધી જતી હોય છે. પણ બક્ષીપંચના ઉમેદવારો માટે આ પ્રકારનું ધિરાણ આપવાની જોગવાઇ જ કરવામાં આવી નથી.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ માટે લોનધિરાણ મેળવનારાઓ પાસેથી ક્લાસ-1 અધિકારીના સહી સિક્કાવાળું બાહેંધરીપત્રક માંગવાની કોઇ જોગવાઇ નથી જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં તો અરજદારને એવું કહેવામાં આવે છે કે કોઇપણ ક્લાસ વન અધિકારી જે તે અરજદાર લોન ભરપાઇ કરશે અને નહીં કરે તો તેની જવાબદારી મારી (ક્લાસવન અધિકારીની) રહેશે એવા સહી સિક્કાવાળું બાંહેધરીપત્રક માગવામાં આવે છે. આજના જમાનામાં કયો ક્લાસવન અધિકારીઓ અજાણ્યા અરજદાર માટે આવું લખાણ આપશે અને અપવાદ રૂપ કોઇ આપવા તૈયાર થાય તો પણ ક્લાસવન અધિકારી પાસેથી આવું પ્રમાણપત્ર માંગવા પાછળનો કોઇ તર્ક ખરો, હજાર અરજીમાં એકાદ બે કેસમાં ક્લાસ વન અધિકારી ઓળખીતા હોય અને સહી સિક્કા સાથે બાંહેંધરી લેતા હોય ત્યારે ઓપન કેટેગરીમાં આ જોગવાઇ નથી તો બક્ષીપંચ માટે શા માટે આવી જોગવાઇ રાખવામાં આવી છે.

ઓપન કેટેગરીમાં વિદેશ અભ્યાસ ધિરાણ માટે જામીનદાર પાસે ફક્ત જામીનખત માંગવામાં આવી છે જ્યારે બક્ષીપંચ માટેની યોજનામાં જામીનદારોની મિલકતો ઉપરાંત તેનું વેલ્યુશન કરાવવામાં આવે છે અને વેલ્યુઅરને મોટી રકમની ફી ચૂકવ્યા પછી વેલ્યુશન સર્ટિફિકેટ મળે છે. બક્ષીપંચના ઉમેદવારોની ફાઇલ મંજૂર થાય જ નહીં એવા આંકરા નિયમો બનાવાયા છે જ્યારે પાટીદારોને રિઝવવા માટે થઇને સરકારે ખાસ બિનઅનામત આર્થિક પછાત વર્ગના ઉમેદવારોની અરજીઓ ફાસ્ટ ટ્રેકમાં મંજૂર કરવાની સૂચનાઓ જારી કરી છે.

ટૂંકમાં કહીએ તો હજુ માંડ દોઢેક વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કમિશન માટેની યોજનાઓનું સાવ સરળીકરણ કરીને તેનો અમલ ફાસ્ટ ટ્રેકમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે બક્ષીપંચ માટેની યોજનાઓનો અમલ થાય છે કે નહીં તેનું પણ મોનિટરીંગ કે ફોલોઅપ લેવાતું હશે કે કેમ એ સવાલ છે.

બન્ને વર્ગ માટેની સ્કીમ્સ ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જેની સરકાર છે એ ભાજપામાં આખો બક્ષીપંચ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ, આ બક્ષીપંચ સેલ ફક્ત હોદ્દાઓ માટે ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાય આવે છે. બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ માટેની કલ્યાણકારી યોજનાઓના સરળીકરણનો મુદ્દો બક્ષીપંચના નેતાઓ તેમની જ સરકાર સામે ઉછાળતા ગભરાય રહ્યા છે.

ભાજપામાં બક્ષીપંચ સેલના હોદ્દે બિરાજમાન નેતાઓને કદાચ એ પણ ખબર નહીં હશે કે બક્ષીપંચના યુવાનો માટે કેવી અને કેટલી સ્કીમ્સ છે અને એ સ્કીમ્સનું અમલીકરણ કેવી રીતે થઇ રહ્યું છે.

અહીં આર્થિક પછાત ઓપન વર્ગ અને બક્ષીપંચ વર્ગ માટેની એક યોજનાના ખરડા મૂક્યા છે, પ્રાથમિક દ્રષ્ટીએ વાંચ્યા પછી જ ખબર પડી જાય છે કે ઓપન કેટગરી માટે યોજનાનું સરળીકરણ કરી દેવાયું છે જ્યારે બક્ષીપંચના ઉમેદવારોને ડોક્યુમેન્ટસ ભેગા કરતા જ બે-ત્રણ વર્ષ નીકળી જાય

ઓપન કેટગરી માટેની યોજના

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું જામીન ખત રજૂ કરવાનું રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્રિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

July 17, 2019
gir.jpg
1min8340

રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.

તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે.

સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

July 17, 2019
mumbai_building_collapse.jpg
1min4560

2013માં 101 જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 183 જણ ઇજા પામ્યા હતા.

2014માં 21 જણના મૃત્યુ, જ્યારે 121 જણ ઘવાયા હતા.

2015માં 15 જણનાં મૃત્યુ, જ્યારે 120 જણ ઘાયલ

2016માં 24 જણનાં મૃત્યુ, 171 જણ ઘાયલ

2017માં 66 જણનાં મૃત્યુ, 165 જણ ઘાયલ

2018માં 07 જણનાં મૃત્યુ, 100 જણ ઘાયલ

July 16, 2019
harbal_hooka.jpg
1min8050

બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈના એક રેસ્ટોરાં-માલિકને તેની રેસ્ટોરાંમાં ગ્રાહકોને તમાકુ-મુક્ત હર્બલ હૂકા આપવાની સોમવારે છૂટ આપી હતી.

‘શીશા સ્કાયલાઉન્જ’ નામની આ રેસ્ટોરાંના માલિક અલી રઝા આબ્દી દ્વારા નોંધાવવામાં આવેલી પિટિશનના સંબંધમાં ન્યાયમૂર્તિઓ રણજિત મોરે તથા ભારતી ડાંગરેની ડિવિઝન બેન્ચે ઠરાવ્યું હતું કે ‘હાઈ કોર્ટ પિટિશનરને હર્બલ હૂકા માટે છૂટ આપે છે. જોકે, ભવિષ્યમાં જો આ પિટિશનર તેમના કોઈ ગ્રાહકને કોઈ પણ પ્રકારના તમાકુની પ્રૉડક્ટ સર્વ કરતો જણાશે તો સત્તાવાળાઓ કાયદા મુજબ તેમની સામે પગલાં ભરી શકશે.’

આબ્દીએ સિગારેટ્સ ઍન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ ઍક્ટ (કૉટ્પા), 2003ની જોગવાઈઓ

તમાકુ-મુક્ત હૂકાને લાગુ ન પડે એવું ડેક્લેરેશન માગતી અરજી કરી હતી. તેમણે પિટિશનમાં એવું પણ જણાવ્યું હતું કે પોતે જો પોતાની રુફ-ટૉફ રેસ્ટોરાં ખાતે હર્બલ હૂકા સર્વ કરવાનું શરૂ કરે તો કાયદાની જોગવાઈ મુજબ સત્તાવાળાઓ તેમની વિરુદ્ધ પગલાં ન ભરી શકે. આબ્દીએ એવું પણ જણાવ્યું હતું કે ‘હું શીશા સ્કાયલાઉન્જ બ્રૅન્ડ-નેમ હેઠળ મુંબઈમાં ત્રણ આઉટલેટ ચલાવું છું અને એમાં કુલ 400 કર્મચારીઓ કામ કરે છે.

જોકે, 28 ડિસેમ્બર, 2017ના દિવસે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં બે રુફ-ટૉપ રેસ્ટોરાંઓમાં આગ લાગવાની બનાવ બાદ મારી આઉટલેટોને બંધ કરાવી દેવાઈ હતી. એક વર્ષ કરતાં વધુ સમયથી આ આઉટલેટો બંધ પડી છે.’ આબ્દીના વકીલ સુજોય કાંટાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોટ્પામાં સુધારા થયા પછી તેમના અસીલે વિવિધ સત્તાવાળાઓ સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તમાકુ-મુક્ત હર્બલ હૂકા તાજેતરના સુધારાની જોગવાઈઓ હેઠળ ન આવે એટલે નીકોટિન-મુક્ત હર્બલ હૂકા તેમની આઉટલેટો ખાતે સર્વ કરવામાં આવે ત્યારે તેની સામે કાનૂની કાર્યવાહી ન થઈ શકે.

July 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12050

જયેશ બ્રહ્મભટ્ટ

ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

chandrayaan 2 માટે છબી પરિણામ

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)

સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.

આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.

 

July 13, 2019
sgcci_dia1-1280x853.jpg
1min5600

ચેમ્બર દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિઅંગે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મૂળમાં શહેરના ઉદ્યોગ-ધંધા-રોજગારના મૂળભૂત હેતુઓનું જતન-સંવર્ધન કરવાનો સમાવેશ કરાયો છે, એને અનુરૂપ એક સમયસરનો આવકારદાયક કાર્યક્રમ તા.12મી જુલાઇ 2019ના રોજ જીવનભારતી ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીની સ્થિતિ દરમિયાન કેવી રીતે વર્તવું, કેવી રીતે કામ કરવું એ અંગે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ શ્રી સેવંતીભાઇ અને શ્રી ગોવિંદ ધોળકીયાનું માર્ગદર્શન નાના, મધ્યમ હિરા કારખાનેદારોને મળ્યું હતું.

કાર્યક્રમમાં વિનસ જવેલ્સના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સેવંતિભાઇ શાહ અને શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સના શ્રી ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હીરાના કારખાનેદારોને ધીરજ રાખી અને શિસ્તબદ્ધ રહીને વિકટ સમયમાંથી પસાર થવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને કારખાનેદારો ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રમાં હીરા ઉદ્યોગનો મોટો ફાળો રહયો છે. રોજગાર માટે પણ આ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. હાલ આ ઇન્ડસ્ટ્રી કપરા સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે આ સમયે શું કાળજી રાખવી તે વિશે આજના મહાનુભાવો આપણને માર્ગદર્શન આપશે.

માનવસર્જિત મંદી છે હિરા ઉદ્યોગમાં કહે છે સેવંતીભાઇ શાહ

શ્રી સેવંતીભાઇ શાહે હીરાના કારખાનેદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૦૮–૦૯ની મંદીમાંથી હીરા ઉદ્યોગ પસાર થઇ ચૂકયો છે. એવો સમય ફરીથી નહીં આવે તે માટે વિચાર વિમર્શ જરૂરી છે. વર્ષ ૧૯૬પમાં હું જયારે આ ધંધામાં આવ્યો ત્યારે ધંધામાં શિસ્ત હતી. બેંકોની ફેસિલિટી મળતી હતી અને ધંધો પણ મર્યાદામાં ચાલતો હતો. હવે કારખાનેદારો ખૂબ જ ઝડપથી પસાર થઇ રહયા છે. પાઇપલાઇનમાં પુષ્કળ સ્ટોક હોય એવું આજે ધંધાનું મોડલ બનાવી દીધું છે. તેમણે જણાવ્યુ હતુ કે કારખાનેદારને માલ બનાવવાનો છે, આપણું કામ ફાયનાન્સનું નથી. ફાયનાન્સનું કામ બેંકોનું છે. ધંધામાં શિસ્તના અભાવને કારણે આ માનવસર્જીત મંદી છે. આપણે શિસ્તમાં આવીશું તો આ વિકટ પરિસ્થિતિમાંથી વહેલામાં વહેલા બહાર આવી શકીશું.

તેમણે કારખાનેદારોને ટકોર કરતા જણાવ્યુ હતુ કે, કારીગરો આપણો પરિવાર જ છે. એટલે તેઓની જવાબદારી પણ આપણી બને છે. બેંકરપ્ટ થયેલા લોકો મુળમાં ખોટા ન હતા પણ જે રીતે ધિરાણ મળ્યુ. એના કારણે ગજા કરતા મોટો ધંધો થયો અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. બેંકરપ્સી પાછળ તેમણે બેંકોના વ્યાજને પહેલું કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહયુ કે હાલની પરિસ્થિતિ પહેલા કરતા જુદી છે. મેન્યુફેકચરીંગ નહીં પણ મુડી ઘટતી જાય છે. એટલે બધાએ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે અને આ સ્થિતિમાંથી પસાર થવુ પડશે.

થોડી કાળજી રાખીશું તો હિરા ઉદ્યોગ ફરી ઝળહળતો થશે

શ્રી સેવંતીભાઇ શાહે કહયુ કે, મંદીના કારણમાં સિન્થેટીક ડાયમંડની અસર ગણાવી શકાય છે. નેચરલ અને સિન્થેટીક ડાયમંડની ભેળસેળને કારણે પણ લોકોએ ડાયમંડ ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકોની હીરા ખરીદવાની ઇચ્છા તુટી ગઇ છે એ પણ વાસ્તવિકતા છે. પણ નિરાશાવાદી થવાનું કામ નથી. અઠવાડીયામાં ચાર – પાંચ દિવસ કારખાનું ચલાવો અને કારીગરોનો પણ વિચાર કરો. ધંધો ફરીથી પહેલાની જેમ ચાલી જશે. થોડી કાળજી રાખીશું તો હીરા ઉદ્યોગને ફરીથી ઝળહળતો કરી દઇશું.

જીવનમાં કોઇ પરિસ્થિતિ કાયમી નથી, મંદી આવી છે ને જવાની છે એ નક્કી છે કહે છે ગોવિંદ ધોળકીયા

શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, આપણે સમયની સાથે ચાલવું પડશે. જે સમય આવ્યો છે તે જવાનો છે. મંદી હોય કે તેજી કોઇવાર કાયમી રહેતી નથી. આ ચક્ર ફરતુ રહેવાનું છે. મંદીનું પુર બધાને જ આવ્યુ છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પોતાના પ્રત્યે તેમજ આપણી કંપની કયાં છે તે અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હીરાનો ધંધો ખૂબ જ સારો છે અને એનો હું પપ વર્ષનો સાક્ષી છું. હીરો એ કલ્પવૃક્ષ અને ચિંતામણી છે. આ વિકટ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. ધીરજ રાખીને આગળ વધવું અને આવેગ કે આવેશમાં આવીને કોઇ નિર્ણય લેવો નહીં.

આ કાર્યક્રમમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલ અને ચેમ્બરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન શ્રી કીર્તિકુમાર શાહે પ્રાસંગિક વિધી કરી હતી.

હીરા ઉદ્યોગના બંને અગ્રણીઓએ કારખાનેદારોના સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

અંતે ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

July 10, 2019
fastag.png
1min10830
દેશભરના તમામ રાજ્યોમાંથી પસાર થતા તમામે તમામ નેશનલ હાઇ-વેઝ પર સ્થાપિત ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેન્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને રોકડથી વ્યવહાર કરતી ટોલ ટેક્સની લેનમાં ઘટાડો કરાશે. જે વાહનો ફાસ્ટેગ વગરના હોય તેમના માટે અલગથી ટોલ ચાર્જ પર પણ વાહનવ્યવહાર મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. આવું કરવા પાછળ અનેક હેતુઓ રહેલા છે, કેશલેશ થવા સાથે ટોલ પ્લાઝા પર બિનજરૂરી સમયનો થઇ રહેલો બગાડ પણ કારણભૂત છે.
હાલ દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર આવેલ પ્રતિ ટોલ પ્લાઝમાં બે અલાયદી ફાસ્ટેગ એક્સપ્રેસ લેન છે. તેમજ વધુને વધુ લોકો આ રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરે અને ટોલ પ્લાઝા પર રોકડની લેવડદેવડ ઓછી થાય તે માટે ફાસ્ટેગ ધરાવાતા વાહનો માટે અલગ અને રોકડ ટોલ ટેક્સ ચુકવતા વાહનો માટે અલગ એમ બે પ્રકારને ટોલ ટેક્સની નીતિ લાવી શકે છે. મંત્રાલય આ રીતે તમામ નેશનલ હાઈવેને ‘લેસ કેશ’ બનાવવા માગે છે.
અધિકારીઓનું કહેવું છે કે ‘નવા પગલા એ બાબતને ધ્યાને રાખીને લેવામાં આવ્યા છે કે હાલ ટોલ પ્લાઝા પર થતા કુલ વ્યવહારમાં 20 ટકા વ્યવહાર જ ફાસ્ટેગ દ્વારા થાય છે. જેથી ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા દૂર થતી નથી. તેમજ ટોલ ઓપરેટર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર નથી કેમ કે આમ કરવાથી તમામ ટેક્સ રેવન્યુનો પાક્કો હિસાબ રહે છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હાઈવે મિનિસ્ટ્રીને પણ અલગ અલગ ટોલ ટેક્સ પર આ ફાસ્ટેગની સિસ્ટમ કાર્યરત કરવા માટે ઘણા પ્રયાસ કરવા પડશે’