CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 50 of 67 - CIA Live

April 12, 2019
SGCCI.jpg
1min6310

ચેમ્બરના ઉપપ્રમુખપદે મેરીટવાળો ઉમેદવાર નહીં, મામકાને બેસાડવાના પ્રયાસો

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં હાલ આગામી વાઇસ પ્રેસિડેન્ટ માટેનો ઉમેદવાર નક્કી કરવા માટે લોકશાહીની પ્રક્રિયા ચૂંટણી નહીં અને મેરીટ્સવાળો ઉમેદવાર પણ નહીં બલ્કે મામકાને બેસાડવા માટે રીતસર લોબિંગ ચાલી રહ્યું છે. 16-16 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ફોર્મ નહીં ખેંચીને એ બાબત નિશ્ચિત કરી દીધી છે કે તેમણે ગમે તે સંજોગોમાં લડી લેવા માટે ઉમેદવારી નોંધાવી છે, આમ છતાં, ચેમ્બર ઓફ કોમર્સમાં કેટલાક લોકો હજુ પણ એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય અને બે અથવા ત્રણ ઉમેદવારો બાકી રહે. ચૂંટણી જ જો કરવાની હોય તો 2 વચ્ચે થાય કે 16 વચ્ચે શું ફરક પડશે ચેમ્બરને..

અનેક મિટીંગો વિફળ રહ્યા પછી, વાઇસ પ્રેસિડેન્ટ કેતન દેસાઇના પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી તા.12મી એપ્રિલએ બપોરે બે વાગ્યે ફરીથી તમામ ઉમેદવારોની મિટીંગ યોજવામાં આવી છે અને તેમાં 16 પૈકી મોટા ભાગના બેસી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણકારો કહે છે કે કેટલાક લોકો એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય જેમને 5-25 મતો મળવાના છે, તેવા ઉમેદવારો બેસી જાય તો બાકીના બે-ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજી શકાય.

એ બાબત પણ મીનમેખ છે કે જે લોકો પહેલા ચૂંટણીમાં ઉભા રહ્યા અને હવે કોઇકની વાતમાં આવીને, કોઇકની સમજાવટમાં આવીને ફોર્મ પરત ખેંચશે તો તેમની વેલ્યુ 5-25 વોટની થશે.

હકીકતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં બે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થાય તેવું ચેમ્બરમાં કેટલાક મહારથીઓ કે જેઓ નજીકના ભવિષ્યમાં 10-15 વર્ષ સુધી પ્રમુખ બની શકે તેવી સ્થિતિમાં નથી તેઓ જ ગતકડાં ચલાવી રહ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સને મેરિટ ધરાવતા વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નથી જોઇતા પરંતુ, જે ગતિવિધિઓ થઇ રહી છે એ જોતા કેટલાક બની બેઠેલા ઉદ્યોગપતિ નેતાઓ પોતાના ઉમેદવારને વી.પી. બનાવવા માટે લોબિંગ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે સુરત બેઠક પર જે સ્થિતિ સર્જાઇ હતી એ સુરતી વર્સિઝ ઓલ, હવે આ જ સ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટના ઇલેકશન-સિલેેકશનના મુદ્દે આવીને ઉભી છે.

એક તરફ મૂળ સુરતી ઉમેદવાર તરીકે આશિષ ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ચેમ્બરની ગતિવિધિઓથી વાકેફ છે. સામે પક્ષે દિનેશ નાવડીયા કે જેઓ સૌરાષ્ટ્રવાસી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાને નોનસુરતી, હિન્દીભાષી ગ્રુપના બી.એસ.અગ્રવાલ અને તેમના ગ્રુપના લોકો સપોર્ટ કરી રહ્યા છે. આમ એવો માહોલ છે કે મૂળ સુરતી વર્સીઝ ઓલનો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ, કન્ડીશન એ છે કે 16 પૈકી 13-14 ઉમેદવારો તેમની ઉમેદવારી 20મી એપ્રિલ સુધીમાં ખેંચી લે.

આ ઉમેદવારોનું હળાહળ અપમાન થઇ રહ્યું છે

નિખીલ મદ્રાસી

સી.એ. મિતીશ મોદી

જનક પચ્ચીગર

મૃણાલ શુક્લ

આશા દવે

ભદ્રેશ શાહ

સુનિલ જૈન

હિરેન શાહ

નીતિન ભરૂચા (કદાચ ખસી જાય)

વિજય મેવાવાલા

બંદના ભટ્ટાચાર્ય

હિમાંશુ બોડાવાલા

હરીવદન રાણા

મહેશ વાણાવાલા

રાજેન્દ્ર લાલવાલા

દિપક શેઠવાલા

નિખિલ મદ્રાશી

આ ઉમેદવારો પોતાને સ્વયં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તેમના માટે કદાચ કોઇ ગ્રુપ પ્રોજેક્શન કે લોબિંગ ન કરતું હોય, એનો અર્થ એવો નથી કે તેમને બેસાડી દેવાની વૃતિ અમલી બનાવવામાં આવે. ઇલેકશન થશે અને જેને જેટલા મત મળશે તેના આધારે ચેમ્બર ઓફ કોમર્સના આગામી વાઇસ પ્રેસિડેન્ટ નક્કી થવા જોઇએ.

પણ હાલમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા એવું જણાય રહ્યું છે કે બે-ત્રણ બળિયા ઉમેદવારોને શોધીને ઉપરોક્ત નામોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની પેરવી ચાલી રહી છે.

ચૂંટણી જ જો કરવાની હોય તો 3 ઉમેદવાર વચ્ચે કરો કે 16 વચ્ચે કરો, લોકશાહીના મૂલ્યો જળવાય રહેશે

કોઇપણ ભોગે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉભા રહેલા 16 પૈકી 13-14 ઉમેદવારોને યેનકેન પ્રકારે બેસાડી દેવા માટે કેટલાક ઉદ્યોગપતિ નેતાઓ મરણિયા બન્યા છે. ચેમ્બર અસ્તિત્વમાં આવી ત્યારથી તેની સાથે સંકળાયેલા લોકો કહે છે કે ચૂંટણી બે-ત્રણ ઉમેદવારો વચ્ચે થાય કે 16 વચ્ચે થાય. હવે જ્યારે કોઇ બેસવા માટે તૈયાર નથી તો સમાધાનના નામે કોઇ પોતાની ખીચડી પકાવી રહ્યું છે. સમાધાન નહીં પણ સોદાબાજી ચાલી રહી હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે. ઉમેદવારી ખેંચી લેવાના બદલામાં કોઇકને કોઇક કમિટીની ચેરમેનશીપ ઓફર થઇ રહી છે તો કોઇકને કંઇ બીજું પદ. એના કરતા તો ચૂંટણી થવી જોઇએ અને જેને જેટલા મત મળશે એના આધારે દરેક ઉમેદવારને પોતાનું સ્થાન પણ ખ્યાલ આવી જશે.

કોઇ ઉમેદવારે ઉમેદવારી પત્ર નોંધાવીને વિના કારણે લંગર નાખ્યું હશે તો પણ ચૂંટણી મતદાનમાં તેને ખબર પડી જશે કે તેને વોટ આપનારા કેટલા, ભવિષ્યમાં આ રીતે લંગર નાંખવાવાળા પણ ચેતી જશે.

April 8, 2019
bjp_vs_congress.jpg
1min6580

કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ

લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ માટે આજે ફોર્મ ચકાસણીના અંતે ૧૩ ઉમેદવારોના ફોર્મ મંજુર થયા હતા. તા.૮મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો ખેંચવાની આખરી દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આ ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આગામી ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં સુરત બેઠક પરથી 8 ઉમેદવારો મેદાનમાં ઝુકાવ્યું હતું.

સુરત ચૂંટણી તંત્રની માહિતી મુજબ સુરત બેઠક પર જે 13 ઉમેદવારો મેદાનમાં છે તેની નામાવલી આ મુજબ છે.

 

April 6, 2019
Ukai-1.jpg
1min6710

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે અને જિલ્લાઓમાં પીવાના પાણીને લઈને પોકારો શરૂ થઈ ગયા છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને લઈને રાજ્યના અને ડેમો તળાઓ અને કૂવાઓના તળિયા દેખાઈ રહ્યા છે. લોકો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ પાણી માટે અત્યારથી વલખાં મારવા પડે છે જેને લઈને અનેક અછતગ્રસ્ત જિલ્લાઓમાં હિજરત શરૂ થઈ ગઈ છે. આવી જ હાલત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની પણ સર્જાઈ છે.

હાલમાં સુરત જિલ્લાના જ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે એના પ્રમાણમાં ગત બુધવારે સવારે સપાટી 294.62 ફૂટ નોંધાઇ હતી. હાલમાં ડેમમાં એની કુલ ક્ષમતાનું માત્ર 23 ટકા પાણીનો જ સંગ્રહ છે. જેને લઈ જિલ્લા અને શહેરને પૂરા પાડતા પીવાના પાણીની આવનાર દિવસોમાં ઘેરા સંકેતો સાપડી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘેરા પાણીના સંકેતો ઊભા થયા છે. અનેક જિલ્લાના જળાશયો જેવા કે તળાવો, કૂવાઓ, વાવો, ડેમ અને બોરોના તળિયા નીચા જતા પીવાના પાણીની હાલમાં અનેક જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં ઓછો વરસાદ થતાં ડેમ તળાવો અને કૂવામાં ચાલુ વર્ષે પાણીનો સંગ્રહ નહિવત નોંધાયો હતો ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં અને જિલ્લામાં થયેલા અપૂરતા વરસાદને લઈને પાણી ડેમમાં ઓછું સંગ્રહિત થયું હતું. તેમજ તાલુ વર્ષે ઉનાળાએ પણ આક્રમક રૂપ ધારણ કરતા જે સંગ્રહિત પાણી હતુ તે પણ બાષ્પીભવન થતાં હાલમાં સુરત જિલ્લાના જ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમિયાન ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે એના પ્રમાણમાં ગત બુધવારે સપાટી 294.62 ફૂટ નોંધાઇ હતી.

April 5, 2019
ashok_adhewada_mp.jpg
1min5050

ભણેલા-ગણેલા લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટણીમાં ઝંપલાવતા હોતા નથી. રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રીઝવી શકે તેવા નહીં પરંતુ, પોતાના સમીકરણોમાં સેટ થાય તેવા ઉમેદવારોની જ પસંદગી કરતી હોય છે. કોંગ્રેસે સુરત સંસદીય બેઠક માટે જે ઉમેદવાર પસંદ કર્યા છે એ અશોક અધેવાડાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવતા એફિડેવિટ પણ રજૂ કરી હતી. એ એફિડેવિટમાંથી મળતી વિગતો મુજબ અશોક અધેવાડાની શૈક્ષણિક લાયકાત ફક્ત ધો.9 પાસ છે. અશોક અધેવાડાએ તેમનો મુખ્ય વ્યવસાય ખેતી ગણાવ્યો છે અને તેમની પાસે જંગમ મિલક્તો રૂ.38.32 લાખની છે. વાહનોમાં એક કાર અને એક બાઇક ધરાવતા અશોક અધેવાડા પાસે હાથ પર રોકડ રૂ.25 લાખની હોવાનો એકરાર સોગંદનામાંમાં કરવામાં આવ્યો છે. તેઓ દોઢ કરોડની વેલ્યુ ધરાવતી મિલકતના માલિક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

સુરત બેઠક પર 22 ઉમેદવારોએ ઝુકાવ્યું, મુખ્ય લડાઇ ભાજપ-કોંગ્રેસ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.23મી એપ્રિલ એ ગુજરાતમાં યોજાનારા મતદાન પૂર્વે આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદતે સુરત લોકસભા સીટ પર કુલ 22 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. સુરત બેઠક માટે કુલ 32 ઉમેદવારી પત્રો ભરાયા છે. જોકે, સુરતમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ જોવાય રહ્યો છે.

અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદનમાં આજે સવારથી જ ભીડભાડ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિન હોઇ, ભાજપ-કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

દર્શના જરદોષના ડમી તરીકે અજય ચોક્સીએ ફોર્મ ભર્યું

ભાજપાના સત્તાવાર ઉમેદવાર દર્શના જરદોષએ તા.3 એપ્રિલના રોજ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું હતું, આજે તેઓ પાર્ટીના મેન્ડેટ સાથે અને હજારો કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા. દર્શનાબેન જરદોષના ડમી તરીકે પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સીએ ફોર્મ ભર્યું હતું.

અશોક અધેવાડાના ડમી તરીકે ભારતી પટેલએ ફોર્મ ભર્યું

એવી જ રીતે કોંગ્રેસ તરફે અશોક અધેવાડાએ પણ છેક વરાછા રોડથી અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન સુધી હજારો કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને વાજતે ગાજતે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. અશોક અધેવાડાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ સાથે ઉમેદવારી નોધાવી હતી. અશોક અધેવાડાના ડમી તરીકે ભારતીબેન પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.

3 વાગ્યા સુધીમાં ફોર્મ મેળવ્યા અને ભરવાની વિધી 4.30 સુધી ચાલી

આજે ઉમેદવારી પત્ર નોંધાવવાની અંતિમ મુદતે તમામ ઉમેદવારો એક સાથે જ ફોર્મ ભરવા આવ્યા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર મેળવી લેનાર ઉમેદવાર કામકાજના કલાક પૂર્ણ થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકે. પરીણામે 3 વાગ્યે ફોર્મ મેળવનાર ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે 4.30 વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી. જિલ્લા કલેક્ટરેટના અધિકારી-કર્મચારીઓએ ચુસ્ત પણે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરાવ્યું હતું.

એક ઉમેદવાર 3.10 કલાકે ફોર્મ ભરવા આવ્યો

સુરતના ચોર્યાસી પ્રાતંની કચેરીમાં આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ મુદત બપોરે 3 વાગ્યા પછી એટલે કે બપોરે 3.10 કલાકે એક ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યો હતો. જોકે, મુદત પૂર્ણ થઇ ચૂકી હોઇ, સિટી પ્રાંત અધિકારી શ્રી પી.આર. જાનીએ નિયમાનુસાર એ ઉમેદવારને ફોર્મ નહીં ભરી શકે એમ જણાવી દીધું હતું.

સુરત બેઠક પર કુલ 22 ઉમેદવારો મેદાનમાં

દર્શના જરદોષ

અજય ચોક્સી

અશોક અધેવાડા

ભારતી પટેલ

ગૌતમ રાજ હિન્દુસ્તાની

સુરવાડે સંતોષ અવધુત

તુલસીભાઇ ડાંખરા

વિજય જયકિશન તાલીયા

અશોક વલ્લભ પટેલ

દિનેશ ચતુરભાઇ જીકાદરા

જોગીયા અમિષા વિક્રમભાઇ

અશોક રમેશભાઇ સોલંકી

સુરેનું ગોપાલસિંગ અરોરા

મો.અલાઉદ્દીન શેખ

એક ઉમેદવાર ડિપોઝીટ વગર ફોર્મ ભરી ગયો

સુરત સંસદીય મત વિસ્તારમાં આજે મો. અલાઉદ્દીન શેખએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ચૂંટણી તંત્રવાહકોએ આપેલી માહિતી મુજબ આ અપક્ષ ઉમેદવારી ઉમેદવારીપત્ર સાથે જમા કરવાની થતી ડિપોઝીટની રકમ જમા કરાવી ન હતી.

ચૂંટણી પંચના નિયમાનુસાર ઉમેદવાર કોઇપણ રીતે ફોર્મ આપી જાય તો તેને સ્વીકારી લેવું. આ રૂએ સ્થાનિક તંત્રએ મો. અલાઉદ્દીન શેખનું અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર સ્વીકારી લીધું હતું. પરંતુ, હવે તા.5મી એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન ડિપોઝીટ વગર ભરવામાં આવેલું ઉમેદવારીપત્ર રદ બાતલ કરી દેવામાં આવશે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણી અને 8મીએ બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે

તા.23મીએ યોજનારા મતદાન પૂર્વે ઉમેદવારી પ્રક્રિયા યોજાય છે. આજે ઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ હવે આવતીકાલ તા.5 એપ્રિલ 2019ના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે તા.8મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.

 

April 4, 2019
b2-1280x720.jpg
1min12870

જુઓ વિડીયો

આજરોજ તા.4 એપ્રિલ 2019ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદતના ત્રણ કલાક પહેલા સુરત કલેક્ટરેટ ખાતે ઉમેદવારી કરવા પહોંચેલા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવેલા કાર્યકરો વચ્ચે કોઇક મુદ્દે બબાલ થઇ હતી અને જોતજોતામાં બન્ને પાર્ટીના કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. મારા મારી એટલી હદે થઇ હતી કે મહિલા કાર્યકરો સમેત અનેક લોકોના કપડા પણ ફાટી જવા પામ્યા હતા. બન્ને પાર્ટીના કાર્યકરોએ એક બીજાને જે આવ્યું તે મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મચેલી ધમાચકડીમાં ભાજપા અને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વચ્ચે પડીને બાખડી રહેલા બન્ને પાર્ટીના કાર્યકર્તાઓને છૂટા પાડ્યા હતા.

ઘટનાને પગલે કલેક્ટરેટ ખાતે વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ સુરત શહેર ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલાએ પત્રકારોન ેસંબોધતા કોંગ્રેસીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્યકરો પર પહેલા કોંગ્રેસીઓએ હુમલો કર્યો હતો. તેમણે પોલીસને વિડીયો શૂટિંગના આધારે પગલાં ભરવા માટે પણ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસે ભાજપાના બે કાર્યકરોને આ મામલામાં જીપમાં બેસાડવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ભાજપાના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલો ગરમ કરી મૂક્યો હતો. શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, નવસારીના ઉમેદવાર  સી.આર. પાટીલ સમેત આગેવાનોએ મામલો શાંત પાડ્યો હતો. આમ છતાં બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ એક બીજા સામે ઘૂરકીયા કરતા જણાયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પણ કલેક્ટરેટ સંકુલમાં મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો હતો.

April 3, 2019
ashok_adhewada_mp.jpg
1min13350

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તાર કે જેને ભાજપાનો ગઢ માનવામાં આવે છે અને કાશીરામ રાણી અને એ પછી દર્શના જરદોષ વિક્રમી સરસાઇથી જીત્યા છે. દર્શના જરદોષ માટે કહેવાય છે કે ભારતમાં ઇન્દીરા ગાંધી હાઇએસ્ટ અને એ પછી બીજા નંબરની સૌથી વધુ સરસાઇ ધરાવતા મહિલા સાંસદનું શ્રેય સુરતની બેઠક પરથી ધરાવી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસે મૂળ સૌરાષ્ટ્રવાસી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અશોક અધેવાડા (સાસપરા)ને ટિકીટ આપી છે. જોકે, મિડીયા અહેવાલો મુજબ હજુ તેમને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર જ ગણાવાય રહ્યા છે કેમકે કોંગ્રેસના ઉમેદવારનો સત્તાવાર મેન્ડેટ હજુ સુધી તેમની પાસે પહોંચ્યો નથી.

 

અશોક અધેવાડાના ફેસબુક વોલ પર નજર કરી તો જાણવા મળ્યું કે તેમનો જન્મદિન તા.23મી મે 1973 છે. આ વખતે 2019માં 23મી મે ભારતમાં લોકસભાની ચૂંટણીની દેશવ્યાપી મતગણના યોજવાની છે. અને 23મી મે 2019ના રોજ કોંગ્રેસી ઉમેદવાર અશોક અધેવાડા તેમનો 46મો જન્મદિન પણ મનાવશે. હવે આ જન્મદિને તેમને ગુડ ન્યુઝ મળે છે કે બેડ ન્યુઝ એ તો સમય બતાવશે.

સુરત બેઠકના કોંગી ઉમેદવાર અશોક અધેવાડાની ફેસબુક વોલ પર આ ફોટો છે જે વર્તમાન સમયમાં સૂચક છે. એક તરફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માટે સ્થાનિક નેતાઓમાં કોઇ તૈયાર ન હતું. કોંગ્રેસના વિપક્ષી નેતા પપનભાઇ તોગડીયાએ પણ કહેવાય છે કે ચૂંટણી લડવાની ઓફર ફગાવી દીધી હતી, એવા સમયમાં અશોક અધેવાડાએ હા પાડી અને તેમને ટિકીટ મળી છે. કોંગ્રેસીઓ એવું માની રહ્યા છે કે સુરત બેઠક પર પરીણામ કોંગ્રેસની ફેવરમાં આવે તેવું કોઇ પરિબળ કામ કરી રહ્યું નથી.

સંસદમાં તો ક્યારના પહોંચી ચૂક્યા છે અશોકભાઇ અધેવાડા

તસ્વીર અશોકભાઇ સાસપરાના ફેસબુક અકાઉન્ટની છે. તેઓ હાલમાં સાંસદ બનવા માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંસદ બનીને જ્યાંથી દેશ ચલાવવાનો હોય છે એ સંસદ ભવનમાં તેઓ અગાઉ મુલાકાતે ગયા હતા, એ વેળાની મેમોરેબલ તસ્વીર

April 2, 2019
SGCCI.jpg
1min8110

દિનેશભાઇ નાવડીયાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે, પણ તેમની સાથે બીજા 16 ઉમેદવારોએ ઝુકાવ્યું છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં વાઇસ પ્રેસિડેન્ટની એક પોસ્ટ માટે યોજાનારી ચૂંટણીમાં આ વખતે પહેલી વખત ડાયમંડ ઉદ્યોગના પ્રતિનિધિને ચૂંટી કાઢવાની દરખાસ્ત સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. સુરતના અર્થતંત્રમાં મોટું યોગદાન ધરાવતા ડાયમંડ ઉદ્યોગમાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વર્તમાન ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ દાવેદારી નોંધાવી છે.

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આ મુજબનો પત્ર જારી કરવામાં આવ્યો છે.

એ પૂર્વે તા.1લી એપ્રિલ 2019ના રોજ ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત સુધીમાં કુલ 17 મેમ્બર્સે ઝંપલાવ્યું છે. આ મેમ્બર્સની નામાવલી માં

  • દિનેશ નાવડીયા
  • નીતિન ભરૂચા
  • નિખીલ મદ્રાસી
  • હિમાંશુ બોડાવાલા
  • મહેશ વાણાવાલા
  • અતુલ પાઠક
  • રાજેન્દ્ર લાલવાલા
  • બંદના ભટ્ટાચાર્ય
  • ભદ્રેશ શાહ
  • જનક પચ્ચીગર
  • આશા દવે
  • હરીવદન રાણા
  • સુનીલ જૈન
  • દિપક શેઠવાલા

વગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા.6 એપ્રિલના રોજ ઉમેદવારી પરત કરવાની અંતિમ મુદત છે એ પછી પણ ચારેક ઉમેદવારો મેદાનમાં રહે તેવી શક્યતા જોવાય રહી છે. ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આ વખતે ત્રિપાંખીયો જંગ નહીં પણ બહુંપાંખીયો જંગ ખેલાય તેવી ભીંતી વર્તાય રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલએ તાજેતરમાં મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં બાંયો ચઢાવીને છેવટે પાણીમાં બેસી ગયા હતા. પરંતુ, આ ઘટનાના એવા પ્રત્યાઘાત ચેમ્બરના વહીવટ પર પડ્યા છે કે હવે દરેક તબક્કે જ્યાં પોસ્ટ-પદ વહેંચવાની વાત આવશે ત્યાં ચૂંટણી વગર નિવેડો નહીં આવે એવો ટ્રેન્ડ સેટ થઇ ગયો છે. આ વખતે પણ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવનારા દાવેદારોનો મૂડ એવો જ છે કે હારી જઇએ તો હારી જઇએ પણ ચૂંટણી તો લડવી જ છે. આ વખતે પાસ્ટ પ્રેસિડેન્ટસને સર્વસંમતિ સધાવામાં ઝાઝી સફળતા મળે તેમ જણાતું નથી.

 

March 27, 2019
ghan_lakhani.jpg
1min38380

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાની ટિકીટ કોને મળશે એ વાતો ભારે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ, કોંગ્રેસે ચૂપકીદીથી એવા મજબૂત ઉમેદવારને શોધી કાઢ્યો છે કે જો કોંગ્રેસ એ મજબૂત ઉમેદવાર નામે લોક કલાકાર, ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા સવજીભાઇ ધોળકીયા, એસ.આર.કે.ના ગોવિંદ ધોળકીયા સમેત અનેક ઉદ્યોગપતિ પરિવારો માટે આ ચૂંટણી મોટું ધરમસંકટ પુરવાર થશે. એટલું જ નહીં પરંતુ, જો કોંગ્રેસ આ લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને સુરતમાંથી ઉતારશે તો ભાજપ માટે આ બેઠક પરથી લીડથી જીતવાની વાત તો દૂર રહી પરંતુ, બરાબરીના ખેલ બરાબર બની રહે તેમ છે.

અહીં અમે કેટલાક ફોટા રજૂ કરી રજૂ કરી રહ્યા છે જેને જોઇને વાચકો જાતે જ નક્કી કરી લેશે કે લોક કલાકાર ઘનશ્યામ લાખાણી સુરતના એવા કયા ઉધોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેઓ નરેન્દ્ર મોદીના ખાસ હોવાની વાતો ચાલી રહી છે.

એસ.આર.કે.ના ગોવિંધ ધોળકીયા સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર ઘનશ્યામ લાખાણી અત્યંત નજીદીકી સંબંધો ધરાવે છે. તાજેતરમાં ચૂંટણીને લઇને કહેવાય છે કો ગોવિંદ ધોળકીયાના ફાર્મ હાઉસ પર જ ઘનશ્યામ લાખાણી અને તેમના શુભેચ્છકોએ એક મોટી મિટીંગ કરી હતી. ભાજપમાં આ વાતને લઇને ભારે ચર્ચા ચાલી નીકળી છે.

લોક કલાકાર અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણી સાથે ગોવિંદ ધોળકીયાની સેલ્ફી તેમના સંબંધોની પ્રતીતિ કરાવી જાય છે.

સુરત ભાજપામાંથી ટિકીટ માંગનાર મહેશ સવાણી સાથે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લખાણીની આ તસ્વીરો હાલના સમય માયે પ્રસ્તુત થઇ પડે છે

(તો બન્ને ગાઢ મિત્રો ભાજપ અને કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર બની શકે)

(મહેશ સવાણીની આ પ્રકારની સેલ્ફી કયા મિત્ર સાથે હોઇ શકે )

(વરાછા ભાજપાના કદાવર નેતા સુરતના માજી મેયર કનુભાઇ માવાણી સાથે ઘનશ્યામ લાખાણી કે જે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે)

ટોચના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓમાં ગણના પામતા લવજી બાદશાહ સાથે ઘનશ્યામ લાખાણી

કહેવાનું તાત્પર્ય એ છે કે લોક કલાકાર, ડાયરાના કલાકાર હોવાના નાતે ઘનશ્યામ લાખાણીની પ્રોફાઇલ કોઇ પ્રાદેશિક રાજકીય નેતા કરતા વધુ મજબૂત છે, લોકપ્રિયતાના કારણે સુરત સમેત સૌરાષ્ટ્રના લગભગ દરેક મોટા માણસો, સેલિબ્રિટીઓ, સાધુ સંતોમાં ઘનશ્યામ લાખાણી લાડીલા છે. મોરારીબાપૂ સમેત અનેક મોટા સંતો, ડાયરાના સુપર સ્ટાર માયા આહિર સમેતના અત્યંત લોકપ્રિય લોકો ઘનશ્યામ લાખાણી સાથે છે. એથી વિશેષ સૌરાષ્ટ્રના લોકો પણ ઘનશ્યામ લાખાણીના મોટા ફેન છે. યુ ટ્યુબ પર ઘનશ્યામ લાખાણીના વિડીયોઝને લાખો વ્યુઅર્સ મળે છે એ દર્શાવે છે કે તેઓ કેટલાક લોકપ્રિય છે.

જાહેરમાં નહીં તો અંદર ખાને પણ ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનની મદદ મળે જ

આવા સંજોગોમાં જો કોંગ્રેસ ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા ધોળકીયા પરિવાર, ધોળકીયા બંધુઓ મોટા ધરમસંકટમાં મૂકાય એમાં બે મત નથી. આ બન્ને પરિવારો ન તો મોદીની નારાજગી વહોરી શકે ન તો ઘનશ્યામ લાખાણીથી કિનારો કરી શકે. જો એવું હોત તો તાજેતરમાં ગોવિંદભાઇના ફાર્મમાં ઘનશ્યામ લાખાણીની ઉમેદવારીને લઇને મિટીંગ જ ન યોજાઇ હોત. ધોળકીયા પરિવાર ઉપરાંત સુરત અને સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજો જાહેરમાં નહીં તો અંદર ખાને તો કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ઘનશ્યામ લાખાણીને તન, મન અને ધનથી મદદ કરતા જોવા મળશે જ.

તો સુરત ભાજપ માટે સેફ સીટ નહીં પણ બરાબરીના જંગવાળી બની રહેશે

(સુરત બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને લોક કલાકાર-ડાયરા કલાકાર ઘનશ્યામ લાખાણી)

જો કોંગ્રેસ દર વખતની જેમ ઉમેદવાર આ વખતે પણ ઉમેદવારની પસંદગીમાં દાટ નહીં વાળે અને સુરતની બેઠક પર લોક કલાકાર ઘનશ્યામ લાખાણીને ટિકીટ આપશે તો સુરતની બેઠક જેને ભાજપા સેફ સીટ માની રહી છે એ બેઠક પર બરાબરીનો જંગ જરૂર જોવા મળે. સુરત બેઠક સૌરાષ્ટ્રવાસી વર્સીસ ઓલના જંગમાં ફેરવાય જાય તેમ છે. કેમકે ઘનશ્યામ લાખાણીની લોકપ્રિયતા અને તેમનું નેટવર્ક એવું છે કે તેમના માટે સૌરાષ્ટ્રથી મોટા ભાગના સેલિબ્રિટીઝ સુરત પ્રચાર કરવા માટે આવશે. ભાજપા સાથે નજદીકીયા ધરાવતા નેતાઓ પણ અંદર ખાને તો ઘનશ્યામ લાખાણીને સપોર્ટ કરે તેમ છે.

 

March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13660

4થી એપ્રિલએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

સુરત- આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર હાલ મતદાર યાદીઓ અદ્યતન કરવાની કામગીરીમાં જોતરાયું છે. સુરત શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ડ્રાઇવ દરમિયાન 18 વર્ષની વય પૂર્ણ કરનાર તેમજ અન્ય મળીને મતદાર યાદીમાં નામ આમેજ કરવા માટે તંત્રવાહકોને કુલ 18 હજાર જેટલી અરજીઓ મળી છે.

જિલ્લા ચૂંટણી તંત્રએ ગઇ તા.16મી ઓક્ટોબર 2018થી તા.25મી માર્ચ 2019 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી સુધારણા ડ્રાઇવ હાથ ધરી હતી. મોટા ભાગે નવા મતદારો દાખલ કરવા, હયાત મતદારોના રેકોર્ડમાં સુધારણા કરવા તેમજ 18 વર્ષની આયુ પૂર્ણ કરનાર મતદારોના નામો દાખલ કરવા જેવી પ્રક્રિયા મતદાર યાદી સુધારણામાં હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરેટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 18000થી વધુ નવા મતદાર તરીકે નોંધણી માટેના આવેદન મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર આ 18000 અરજીઓને યુદ્ધના ધોરણે ચકાસણી કરશે અને દસ્તાવેજી પુરાવાઓના આધાર પર જે અરજીઓ માન્ય કરવા જેવી લાગે તેના નામો મતદાર યાદીમાં આમેજ કરશે.

તા.4 એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્ર સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર નવા મતદારોને સામેલ કરતી પૂરવણી મતદારયાદી જાહેર કરશે અને તેમાં આમેજ થયેલા મતદાતાઓને પહેલી વાર મતાધિકાર મળશે.

 

March 26, 2019
s9-1280x854.jpg
1min14250

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ અને લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજાયેલા દબદબાભર્યા શાનદાર કાર્યક્રમમાં શહીદ સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કર્યું

ઇન્ડોર સ્ટેડીયમ દર્શકોથી ખચાખચ ભરેલું હતું રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના પ્રણેતા જયસુખભાઇ કથિરીયા અને તેમના પરિવારજનોએ સૈનિકોના પરિવારજનોના હિતાર્થે સફળ કાર્યક્રમ યોજ્યો

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ સુરત તેમજ લીઓ ગ્રુપ ઓફ  એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ગયા રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ સાંજે 7 કલાકે  શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે શહાદત તુઝે સલામ કાર્યક્રમ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિયન્સથી જેમપેક્ડ ઇન્ડોર સ્ટેડીયમમાં ઉપસ્થિત સૌનું સંસ્થા વતી જયસુખભાઇ કથિરીયાએ સ્વાગત પ્રવચન કરીને તમામને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.

પુલવામાં પછીની ઘટનાઓમાં દેશ કાજે જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ગઇ તા.18મી ફેબ્રુઆરી 2019 (પુલવામા પછીની ઘટના)ના રોજ અને એ પછીની ઘટનાઓમાં દેશ સેવા કાજે પોતાનો જીવ ન્યોછાવર કરી દેનારા સૈનિકોનું રુણ અદા કરવા માટે તેમના પરિવારજનોને આર્થિક મદદરૂપ થવાનો હતો અને એ તમામ 7 શહીદ સૈનિકના પરિવારજનોને સુરત તેડાવાયા હતા અને ઇન્ડોર સ્ટેડીયમમાં ખાસ તેમનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. દેશ કાજે પોતાના પરિવારનો આધારસ્તંભ ગુમાવનારા પરિવારજનોને રૂ.3 લાખની સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું..

કુલ 21 લાખ ઉપરાંતની આર્થિક સહાય માટેનું ભંડોળ કોઇ ધનવાનો કે દાનવીરોના દાનમાંથી ન હતું કરવામાં આવ્યું પરંતુ, સાવ જ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો, વિદ્યાર્થીઓએ તેમની પોકેટમનીમાંથી ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે ભંડોળ એકત્રિત કરીને શહીદ સૈનિકોના પરિવારજનો પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે.

પરમવીર શહીદ સહાય ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો

લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને તેની સહયોગી સંસ્થાઓએ કુલ રૂ.21 લાખની માતબર સહાય શહીદ સૈનિકોના પરિવારજનોને કરી

શહીદ સૈનિકોના પરિવારજનો માટે એકત્રિત ભંડોળમાં લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સનગ્રેસ, સનરેઝ અને સનલાઇટ સ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના રહેણાંક વિસ્તારમાં ફરી ફરીને સ્થાનિક રહેવાસીઓ પાસેથી દાન માટે ગલ્લા-ડબ્બામાં યથાશક્તિ રકમ નંખાવીને એકત્રિત કર્યું હતું. આ પ્રકારે કુલ રૂ.12 લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા. એથી વિશેષ શાળામાં અભ્યાસ કરીને એ-વન ગ્રેડ મેળવનારા 10 વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રત્યેકને રૂ.11 હજાર ઇનામની ઘોષણા કરવામાં આવી હતી. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાને ઇનામ રૂપે મળેલી કુલ રૂ.1.10 લાખની રકમ પણ શહીદ સૈનિકોના પરિવારજનો માટેના ભંડોળમાં આપી દીધી છે. એવી જ રીતે લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લખાણી દ્વારા ડાયરાના માધ્યમથી રૂ.3 લાખ, દિશા શ્રીમાણી જૈન સમાજ દ્વારા રૂ.2.75 લાખ, સુરત એકેડેમિક એસોસીએશન દ્વારા રૂ.1.10 લાખ, પ્રેસિડેન્સી સ્કુલ દ્વારા રૂ.1.75 લાખ, જેકેએસ ઝીપર્સ દ્વારા રૂ.2.03 લાખ મળીને કુલ રૂ.21 લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી છે.

 

પુલવામાની ઘટના બાદ આ સૈનિકોએ દેશ કાજે જીવનું બલિદાન આપી દીધું હતું

  1. શહીદ હવાલદાર શ્યોરામજી ઝુંજનું, રાજસ્થાન —  આર્થિક સહાય રૂ.3 લાખ
  2. શહીદ સિપાહી અજયકુમારજી, મેરઠ, ઉત્તરપ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ
  3. શહીદ સિપાહી હરીસીંગજી, રેવારી, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
  4. શહીદ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંગજી, ભરતપુર, રાજસ્થાન — આર્થિક સહાય રૂ.3 લાખ
  5. શહીદ સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદજી, જમ્મુકાશ્મીર પોલીસ — આર્થિક સહાય રૂ.3 લાખ
  6. શહીદ સોમબીરજી, ભીવાની, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
  7. શહીદ વિનોદકુમારજી, મેરઠ, ઉત્તર પ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ

આ તમામ શહીદ સૈનિકોના પરિવારજનો તા.24મી રવિવારે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહાનુભાવોના હસ્તે તેમનું જાહેર અભિવાદન કરીને તેમના સ્વજનોએ આપેલા બલિદાનને બિરદાવ્યું હતું. દેશ માટે શહીદ સૈનિકોના પરિવારજનોએ પોતાના પરિવારના આધારસ્તંભ ગુમાવ્યા એ પરિવારોને ક્યારેય એકલવાયું ન લાગે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે માટેના તમામ પ્રયાસો કરવા તમામ વક્તાઓએ હિમાયત કરી હતી.

શહીદોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરવા માટે કાર્યક્રમના મહેમાન તરીકે ઇન્ડિયન આર્મીના મેજર જનરલ શ્રી સુભાષ શરન (લખનૌ), મેજર જનરલ રાજ મહેતા, બ્રિગેડીયર અજિતસિંહ, બ્રિગેડિયર બી.એસ. મહેતા, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હરેકૃષ્ણ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.