UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.

તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.
ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.
કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.
કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.




















