CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 37 of 48 - CIA Live

January 23, 2019
calogo1.jpg
3min15960

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 22, 2019
Auro-University-min1.jpg
4min6410

(તા.22 જાન્યુઆરી 2019ના રોજ ઑરો યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સને સંબોધી રહેલા યુનિ.ના પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઇ રામા તેમજ અન્ય પદાધિકારીઓ)

ભવિષ્યની પેઢીને સંપૂર્ણ શિક્ષણ આપતી અને નેતૃત્વ માટે સજ્જ કરતી અગ્રિમ યુનિવર્સિટી બનવાનાં લક્ષ્ય સાથે હાલ યુ.એસ.એ. સ્થિત રામા પરિવાર દ્વારા વર્ષ 2011માં ઑરો યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. છેલ્લાં આઠ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સેંકડો યુવાનોને તાલીમબદ્ધ કરીને કુશળ પ્રૉફેશનલ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ઑરો યુનિવર્સિટીનું લક્ષ્ય શૈક્ષણિક જગત તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાનું છે.

ગત ડિસેમ્બર 2018માં જ ઑરો યુનિવર્સિટી યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. ઑરો યુનિવર્સિટીના કાર્યોની વૈશ્વિક સ્વીકૃતિની સાથે સાથે યુજીસી દ્વારા મળેલી આ માન્યતાથી ઑરો યુનિવર્સિટીમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાશે અને તેના માટે આર્થિક સહાય પણ મેળવી શકાશે.

  • ઑરો યુનિવર્સિટીની પ્રવર્તમાન પાંચ સ્કૂલ્સ –
  • બિઝનેસ સ્કુલ
  • હોસ્પિટાલિટી સ્કુલ
  • આઈટી સ્કુલ
  • લૉ સ્કુલ તેમજ
  • સ્કૂલ ઑફ ડીઝાઇન

2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ

વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશન

કાર્યરત છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશનની શરૂઆત કરવાનું પણ ઑરો યુનિવર્સિટીનું આયોજન છે. ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. આ ઉપરાંત રૂરલ ઇમર્ઝન પ્રોગ્રામ સાથે નવા શૈક્ષણિક કેન્દ્રો પણ શરૂ કરવાનું આયોજન છે.

ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની નવી માળખાકીય સુવિધાઓ જેવી કે ક્લાસરૂમ્સ, હોસ્ટેલ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ, વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર તથા રમતગમત માટેની અદ્યતન સુવિધાઓનું નિર્માણ થશે.

સુરત શહેર અને સુરતવાસીઓ સાથે સાતત્યપૂર્ણ ઘનિષ્ઠતા કેળવવા માટે યુનિવર્સિટી આગામી સમયમાં પોતાના કેમ્પસમાં જ ‘શ્રી ઑરોબિંદો ઇન્ટેગ્રલ લાઇફ સેન્ટર’ની રચના કરશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા નજીકનાં ભવિષ્યમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ પણ શરૂ કરવામાં આવશે, જેનો લાભ કામ કરતાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ તથા અન્ય યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

ઑરો યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે

આગામી રવિવારથી યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે. આ સેમિનારનું આયોજન યુ.કે. સ્થિત યુનિવર્સિટી ઑફ નોર્થેમ્પટન, ડબ્લિન સ્થિત ટ્રિનિટી કૉલેજ સાથે મળીને થઈ રહ્યું છે. આ સેમિનારમાં અમેરિકા, યુ.કે., યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં 29 અધ્યાપકો અને નિષ્ણાતો ભાગ લેશે.

હાઇલાઇટ્સ

  • હાલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ બિઝનેસ તથા સ્કૂલ ઑફ આઈટીમાં પીએચ.ડી. કાર્યક્રમ સહિત કુલ 29 શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ છે. આ ઉપરાંત લિબરલ આર્ટ્સ, લૉ, તથા હોસ્પિટાલિટી સ્કૂલ્સમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં પીએચ.ડી. કાર્યક્રમોની શરૂઆત થશે.
  • ઑરો યુનિવર્સિટી યુજીસીની માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે.
  • યુનિવર્સિટી આર્થિક પડકારો ધરાવતાં વિદ્યાર્થીઓને બોર્ડિંગ સહિતના શૈક્ષણિક ખર્ચને આવરી લેતી 100 ટકા સ્કૉલરશીપ પૂરી પાડે છે. આ ઉપરાંત અન્ય તમામ વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કૉલરશીપ આપે છે.
  • યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધન કાર્યમાં મદદરૂપ બનવા માટે ઑરો યુનિવર્સિટીએ મોનોગ્રાફ પબ્લિકેશન ગ્રાન્ટ તથા સીડ મની ફોર રિસર્ચ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે.

Press Release in English

 AURO University was established in 2011 with the vision ‘To be a premier University of Integral and Transformational Learning for future leaders’ by the Rama Family based now in the USA. After 8 years of transforming hundreds of young minds and helping them turn into fine professionals, AURO Universityaspires to achieve new milestones in academic world and provide higher education.

As you must be aware, last month, the University became the first private university in South Gujarat and one of the few in Gujarat to receive the UGC approval. In addition to a globally acceptable validation of our endeavours, this recognition will allow us to host many a national and international collaborative projects and receive funds for research activities.

We are happy to announce that in addition to existing four schools of Business, Hospitality, IT and Law, the University started School of Design in the last academic year. School of Liberal Arts and School of Journalism and Mass Communication were launchedin the current academic year 2018-19.The University plans to start a School of Sciences as well as a School of Education by the year 2020.Soon, we are going to start new programmes like Masters in Hospitality Management, PG Diplomas in Date Analysis, Artificial Intelligent, Internet of Things and Certificate course in Integral Yoga, along with Rural Immersion Program and new centres.

The University is going to add infrastructural facilities in the form of new academic building, hostel, international transit house, students’ facilities centre, and state of the art sports facilities.

Increasing our engagement with the city and the people of Surat, the University will soon have Sri Aurobindo Integral Life Centre on its campus. The University will be also announcing several certificate programmes in near future, which will be open to all.

Starting this Sunday, the University will be holding a three day international seminar               during 27, 28 and 29 January, 2019 on ‘Challenging Precarity’. This seminar, held in collaboration with the University of Northampton (UK) and Trinity College (Dublin), has large number of participants with 29 foreign participants from USA, UK, Europe and Australia.

 Highlights

  • Currently University has 29 programs with PhD in School of Business & School of IT. Ph.D. in Liberal Arts, Law & Hospitality will be starting in 2019 – 20.
  • AURO University is the first private university in South Gujarat to be approved by UGC under section 2(f) & 22 of the UGC Act and the UGC Regulations 2003.
  • The University provides merit scholarships and supports full education of financially challenged students inclusive of boarding, by offering them 100% scholarship.
  • In order to support research by faculties, the University has started Monograph Publication Grant and Seed Money for Research Projects for its faculty.
January 21, 2019
gseb-1280x720.jpg
1min5620

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.

ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

 

January 21, 2019
natamain.jpg
1min10670

દેશભરમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોને પહેલા વર્ષમાં પ્રવેશ માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નાટા (નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019 માં પાછલા વર્ષોની સરખામણીમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલો ફેરફારઃ નાટા 2019 બે વખત લેવાશે

છેલ્લા બે વર્ષથી વર્ષમાં એક જ વખત લેવાયેલી નાટા પરીક્ષા 2019માં બે વખત પહેલી વખત તા.14મી એપ્રિલ 2019ના રોજ અને દ્વિતિય પરીક્ષા તા.7મી જુલાઇ 2019 (મોટા ભાગની કોલેજોમાં પ્રવેશ અપાઈ ચૂક્યા હશે ત્યારે) લેવામાં આવશે. નાટાની બીજી પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે પહેલી પરીક્ષામાં મેળવાયેલા માર્કસથી અસંતુષ્ઠ ઉમેદવારો બીજી પરીક્ષામાં તેમનું પરફોર્મન્સ સુધારી શકે. નાટા 2019નું સમયપત્રક નીચે મુજબ છે.

Information Brochure

બીજો ફેરફાર ઃ નાટા પરીક્ષામાં ક્વોલિફાઇંગ લેવલ ઘટાડીને 40 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવાયું

નેશનલ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર 2019 પરીક્ષામાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરના વહીવટકર્તાઓએ ક્વોલિફાઇંગ લેવલ એટલે કે નાટામાં પાસ થવાનો લઘુત્તમ સ્કોર 40 ટકા હતો જેમાં પહેલી વખત ઘટાડો કરીને આ પ્રમાણ 25 ટકા કરી દેવામાં આવ્યું છે. 2018 સુધી નાટામાં પાસ થવા (બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક થવા) માટે 200માંથી 80 માર્કસ અનિવાર્ય હતા. પરંતુ, હવે નાટાના બન્ને પાર્ટમાં 25 ટકા માર્કસ લાવીને કુલ 200માંથી 50 માર્કસ આવશે એટલે ઉમેદવારને બી.આર્ક.માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

અત્યાર સુધી આર્કિટેક્ચર કોલેજોમાં 200માંથી 80 માર્કસનું લાયકાત ધોરણ હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ લેવલ પાસ કરી શકતા ન હતા અને તેને પરીણામે કોલેજોમાં બેઠકો ખાલી પડી રહેતી હતી. ગુજરાતમાં આ વખતે 600 જેટલી બેઠકો પહેલા રાઉન્ડમાં ખાલી પડી રહી હતી.

નાટામાં પરીણામ કેવી રીતે ગણનામાં લેવામાં આવશે એ અંગેની સઘળી વિગતો નીચે મુજબ છે.

Information Brochure

કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધી

ચાલુ શૈક્ષણિક વર્ષથી નાટા પરીક્ષાનું રજિસ્ટ્રેશન ફક્ત એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેઓ માર્કશીટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટીક્સ વિષય ધરાવતા હશે. આ વર્ષથી આ નિયમ અમલી બનાવાયો છે. જોકે, આ સૂચના બે વર્ષ અગાઉથી જાહેર કરી દેવામાં આવી હતી.

January 19, 2019
ragha1-1280x926.jpg
1min8710
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
result.png
1min9340

ચાલુ જાન્યુઆરી 2019 માસમાં જ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પહેલી વખત લેવામાં આવેલી દેશની સત્તાવાર ઇજનેરી પ્રવેશ પરીક્ષા JEE Main પેપર-1 પરીક્ષાનું પરીણામ આજે આશ્ચર્યજનક રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચૌતરફા રીતે મળી રહેલા પરીણામોના અહેવાલો મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓનું પરીણામ અત્યંત નીચું અને કંગાળ રહ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવી ફરીયાદો કરી હતી કે પહેલી વખત ઓનલાઇન પરીક્ષા આપવામાં જવાબનો વિકલ્પ પસંદ કરવામાં ગોથું ખાતા જવાબો ખોટા પડ્યા હતા અને તેને કારણે કમાયેલા માર્કમાંથી કપાત થતાં માર્કસ ઓછા આવ્યા છે.

  • 100 સ્કોર લાવનારા દેશના 15 વિદ્યાર્થીઓમાં એકેય ગુજરાતી નહીં

  • ગુજરાત ટોપર રાઘવ સોમાણીના 99.99 પર્સન્ટાઇલ

  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019નું પરીણામ આ મુજબની વેબસાઇટ પરથી જાણી શકાશે.

https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx

 

January 17, 2019
calogo.jpg
1min1486

 

શહેરમાં અભ્યાસ કરી રહેલા ધો.12 કોમર્સના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગે છે, તેમના માટે ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષાઓ બાદ એક મહિના માટે સી.એ. પ્રિપેરેટરી કોર્સ બિલકુલ ફ્રી (મફત)માં ચલાવવાની ઘોષણા લિયો ક્લાસીસ ઉધના તરફથી કરવામાં આવી છે.

(Symbolic Photo)

વધુ જાણકારી આપતા લિયો ક્લાસીસના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયાએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશન માટે ઘણાં વિદ્યાર્થીઓ ધો.10થી જ તૈયારી કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સી.એ. કોર્સમાં ફાઉન્ડેશનથી લઇને ફાઇનલ્સ દરમિયાનની ઝાંખી મળે તેમજ સી.એ. કોર્સને જાણી શકે તે માટે ખાસ એક મહિનાનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ધો.12 કોમર્સના કોઇપણ બોર્ડના ગુજરાતી, ઇંગ્લિશ મિડીયમ બન્ને માધ્યમના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મે સમર વેકેશન દરમિયાન ખાસ કોર્સ બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે. એ પછી વિદ્યાર્થી પોતે જ નક્કી કરશે કે તેઓ સી.એ. કોર્સ સફળતાપૂર્વક પાર કરી શક્શે કે નહીં.

આ કોર્સ ક્યાં ચાલશે 

કોર્સ સુરતમાં ત્રણ સ્થળોએ શરૂ કરવામાં આવશે. જેમાં (1) ઉધના ગામમાં આવેલા લિયો ક્લાસીસ (2) વરાછા રોડ પર આવેલા ઇગલ ક્લાસીસ તેમજ (3) સિટીલાઇટ ખાતે અશોક પાનની ગલીમાં જે.કે. ક્લાસીસ ખાતે સમર વેકેશનમાં શરૂ કરવામાં આવશે.

કેવી રીતે પ્રવેશ મળશે

સી.એ. અભ્યાસક્રમ કરવા માંગતા વિદ્યાર્થીઓને એક મહિનાના ફ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી મળીને ત્યાં જ ભરીને આપવાનું રહેશે.

લિયો ક્લાસીસ તેમજ મુંબઇના સુપ્રસિદ્ધ જે.કે. કોચિંગના સંચાલકોએ સંયુક્ત રીતે આ કોર્સ સુરતના વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં ભણાવવા માટે કટિબદ્ધતા દાખવી છે.

January 16, 2019
supreme.jpg
1min5150

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છેFRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

January 15, 2019
medical_logo.jpg
1min4390

રાજ્ય સરકાર દ્વારા તમામ ભરતી અને પ્રવેશ સહિતની કામગીરીમાં 10 ટકા બેઠકો સવર્ણ અનામત માટે રાખવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. મેડિકલ ડેન્ટલ ઉપરાંત ડિગ્રી ઇજનેરી સહિતની તમામ પ્રવેશ પ્રક્રિયામાં જે બેઠકો ઉપલબ્ધ છે તેમાંથી 10 ટકા પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 379 બેઠકો અને ડેન્ટલમાં 88 બેઠકો સવર્ણ અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને ભાગે આવે તેમ છે.

મેડિકલ ડેન્ટલ પ્રવેશમાં સવર્ણ અનામતની જાહેરાત થયા બાદ મેડિકલ પ્રવેશ સમિતિના અલગ અલગ સભ્યો દ્વારા કેટલી બેઠકો આ કેટેગરીમાં જશે તેની ગણતરી સુધ્ધાં કરી દેવામાં આવી હતી. આ પ્રમાણે જોઇએ તો હાલમાં મેડિકલમાં 4 હજાર બેઠકો અસ્તિત્વમાં છે. ચાલુ વર્ષે આ આંકડો વધીને 4450 થવાની શક્યતા છે, જેમાં સરકારી મેડિકલ કૉલેજોમાં 1300 બેઠકો છે. તે પૈકી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવૉટામાં જવાથી 1105 બેઠકો સરકારી કૉલેજમાંથી સવર્ણ અનામતમાં આપવી પડશે.

મેડિકલ સોસાયટી સંચાલિત કૉલેજોમાં 1200 બેઠકો છે. જેમાંથી 25 ટકા એનઆરઆઇ બેઠકો બાદ કરીએ તો 1020 બેઠકો બાકી રહે છે. આ બેઠકોમાં 10 ટકા લેખે અંદાજે 112 બેઠકો મળશે, જ્યારે 10થી વધુ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં 1650 બેઠકો છે. આગામી દિવસોમાં 300 બેઠકો વધે તેમ છે, જેથી બેઠકો 1950 જેટલી થશે, જેમાંથી 25 ટકા મેનેજમેન્ટ કવૉટા બાદ કરીએ તો 1450 બેઠકો બાકી રહે છે, જેમાં 157 બેઠકો સવર્ણ અનામત માટે ભાગમાં આવે તેમ છે. આમ સરકારી કૉલેજોમાં 110, સોસાયટી કૉલેજોમાં 112 અને સ્વનિર્ભર કૉલેજોમાં 157 બેઠકો ગણતરી કરીએ તો અંદાજે 379 બેઠકો સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ભાગે આવશે. આ જ રીતે ડેન્ટલમાં સરકારી ડેન્ટલમાં 17 અને સ્વનિર્ભર ડેન્ટલમાં 71 મળીને કુલ 88 બેઠકો ડેન્ટલમાં સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ફાળે આવશે.

January 9, 2019
mbbs.jpg
234min873

આખા ભારતની મેડીકલ કોલેજોની માહિતી અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. ભારતમાં 497 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે. આ તમામ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ની કુલ 60680 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ધો.12 સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી અગત્યની થઇ પડતી હોય છે. તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આ સમાચારને શક્ય એટલા શેર કરજો.