CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 27 of 48 - CIA Live

September 24, 2019
icai_logo.jpeg
5min5060

ICAI દિલ્હી કચેરી સામે જોરદાર દેખાવો, ટ્વીટર પર ICAI સામે મોટી ઝુંબેશ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સૌથી વિશ્વસનીય સંસ્થા ગણાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા દેશવ્યાપી ધોરણે લેવામાં આવતી સી.એ. ની જુદી જુદી પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીમાં ધાંધલી થઇ હોવાના સંગીન આરોપો સોશ્યલ મિડીયામાં હાલ ICAI પર કાદવ ઉછાળી રહ્યા છે. હદ ત્યારે થઇ કે ICAI મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી તેને પહોંચાડવામાં આવી હતી.

દરમિયાન આજે તા.24મી સપ્ટેમ્બર 2019ની સવારે નવી દિલ્હી સ્થિત ICAIની વડી કચેરી પર સી.એ.ની જુદી જુદી પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ ICAIની મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

ICAIની નવી દિલ્હી સ્થિત વડી કચેરીની બહાર સી.એ.ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

સી.એ.ની જુદી જુદી પરીક્ષઆ આપનારા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે જ્યારે પરીણામો જાહેર થયા હતા ત્યારથી જ તેમને પરીણામ બાબતે અસંતોષ હતો. મૂલ્યાંકનમાં ગરબડી અંગે સોશ્યલ મિડીયા મારફતે જાણકારી મળી ત્યારે અમારી ફરીયાદ સાચી લાગી છે. ICAI આ મામલામાં દરેક વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહી દર્શાવીને બતાવી દેવું જોઇએ કે ગરબડીની ફરીયાદો સાચી છે કે ખોટી

ICAI દ્વારા વેબસાઇટ પર મૂલ્યાંકન પદ્ધતિ અંગે આ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી હતી

ANNOUNCEMENT- Evaluation of answer books of CA exams
September 21, 2019
It has been brought to our notice that certain adverse reports relating to the system of evaluation of answer books of CA exams are doing the rounds in social media. In this connection, following reforms which have been put in place recently are brought to the attention of the stakeholders in respect of the ICAI examination system

1.Digital evaluation : As communicated in January 2019 Chartered Accountant Student newsletter , continuing further from the pilot e evaluation for first group of Intermediate Nov 2018 exams; all papers of Intermediate and Foundation level exams in November 2019/May 2020 will be put through the digital evaluation mode bringing in following benefitsDoing away with stages of physical handling of answer booksAvoiding variations in marks awarded by examiners.Eliminating scope of any totalling errorsContinuous review of performance of the Examiners on real time basis;Generation of analytical reports enabling quality control checks; and2. Central evaluation: Further the Central Evaluation is being carried out in several papers of CA exams, w.e.f November 2018 wherein examiners evaluate answer books under the supervision of Head Examiner/Associate Head Examiners.

3. Machine based evaluation: Effective May, 2019 exams, objective type questions for 30 marks have been introduced in select papers of Intermediate and Final Exams. Further the Institute has decided to introduce OMR based evaluation for MCQ’s of Elective Papers 6A to 6F of final New course with effect from November 2019 which are machine processed thus avoiding subjectivity.

4.Stepwise marking : Provision regarding stepwise marking is being enforced whereby in case the stepwise marks are not awarded ; it will be deemed as unevaluated answer and stepwise marks will be awarded during the course of re verification of marks

5.Mandatory on-line test for empanelment of examiners: All applicants shortlisted for empanelment as examiners are required to qualify an on-line test in the subject of their choice before inclusion of their names in the Panel of Examiners. It has further been decided that all existing examiners would also be required to undergo an on-line test in their respective subjects, once in 3 years.

Budding students are the backbone of the Chartered Accountancy profession as with them lies the future and growth of the profession. Various endeavours of the Institute through its Board of Studies like World class study material, Live Virtual /Revision Classes, training opportunities for article/industrial training, constant study updates, monthly student journal ,GMCS and ITT batches are targeted to build capability of students providing due scalability .Students are requested to be not to be misled and swayed by any tirade as ICAI stands committed to fulfil their genuine concerns.
દિલ્હીમાં આઇસીએઆઇ સામે થઇ રહેલા દેખાવોમાં હજારો ઉમેદવારો જોડાઇ રહ્યા છે.

#icaipleasechange ટ્વીટર પર આ હેશટેગથી ટ્રોલ થઇ રહી છે ICAI

ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
September 23, 2019
ielts_toefl.jpg
1min3690

ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.

ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.

ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.

આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.

September 22, 2019
gseb.png
1min5490

ધો.12 સાયન્સ-કોમર્સમાં માર્કનો સરવાળો કરવામાં ભૂલો : પરીક્ષકોને 30 લાખનો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી દરમિયાન બેદરકારી દાખવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા કરનાર ૩૫૧૭ શિક્ષકો અને સમીક્ષકોને શિક્ષણ બૉર્ડ દ્વારા રૂપિયા ૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હદ તો ત્યારે થઇ કે શિક્ષકોએ પ્રશ્નોના ગુણોની ગણતરી કરવામાં લોચા માર્યા હતા.

માર્ક્સની કુલ ગણતરીમાં ભૂલ કરનારા એટલે કે સરવાળા કરવાની સામાન્ય ભૂલો કરનારા શિક્ષકોનોને દંડ ફટકાર્યો હતો .

સાયન્સની ઉત્તરવહીમાં માર્કનો સરવાળો કરવામાં સાયન્સના પરીક્ષકોને રૂ.6 લાખ અને કોમર્સવાળાને રૂ.24 લાખનો દંડ

શિક્ષણ બૉર્ડના સત્તાવાળાઓએ ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરેલી ઉત્તરવહીની ચકાસણીની કાર્યવાહીમાં માર્ક્સની ગણતરીમાં ગોટાળો કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બોલાવવામાં આવ્યા હતા અને ગણતરીમાં ૧૦થી વધુ માર્કની ભૂલ કરનારા શિક્ષકો અને સમીક્ષકોને બીલ દીઠ ૧૦૦ના હિસાબે રૂપિયા ૧૦૦૦ કે તેથી વધુની દંડની સજા ફટકારી હતી.

બોર્ડની આ કાર્યવાહીમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિવિધ વિષયની ઉત્તરવહીની ચકાસણીમાં સરવાળા-માર્ક્સનો સરવાળો કરવામાં ભૂલ કરનારા ૪૧૭ શિક્ષકને અને સમીક્ષકોને છ લાખનો દંડ કર્યો હતો.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વિવિધ ઉત્તરવહીની ચકાસણીમાં ટોટલ મારવામાં ભૂલ કરનારા ૩૧૦૦થી વધુ શિક્ષક-સમીક્ષકોને રૂપિયા ૨૪ લાખનો દંડ ફટકારાયો હતો. જોકે, આ શિક્ષકોમાં દસ માર્કથી ઓછી ભૂલ કરનારા શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. તેમને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની કાળજી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

September 10, 2019
MBBS-BDS.jpg
2min4250

તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા એમબીબીએસના છાત્રોમાં પ્રોફેશનલિઝમ અને સિદ્ધાંતો અંગેની ઉંડાણપૂર્વકની સમજ કેળવાય તેમજ એક તબીબ તરીકે સમાજ પ્રત્યે તેમનું ઉત્તરદાયિત્વ કેવી રીતે અદા કરી શકાય એ માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આજે એક મહિનાનો ફાઉન્ડેશન કોર્સ લોંચ કર્યો છે. MBBSમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

નીતિ આયોગના સભ્ય અને એમ.સી.આઇ.ના ચેરમેન વીકે પૉલ એ જણાવ્યું હતું કે….

As part of the Professionalism and Ethics module, students will also learn about disability rights, disability etiquettes while addressing patients with disabilities along with medical and social models of disability. Professional attributes such as accountability, altruism, empathy, compassion and humanism will be extensively discussed.

To orient the students to the care delivery system, field visits to community and primary health centres along with interactions with health care workers, patients and their families have also been incorporated in the course. A module on sports and extracurricular activities has been integrated, with 4 and 2 hours per week allocated for sports and extracurricular activities, respectively, to make the students understand the work-life balance.

એમબીબીએસના અભ્યાસક્રમમાં સુધારણાના ભાગરૂપે જ દેશમાં એમબીબીએસ કોર્સમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષથી જ તેનો અમલ કરવામાં આવશે.

તબીબી જગતમાં કાર્યરત વ્યવસાયિકો માટે જરૂરી છે કે તેઓ જ્યાં જે વિસ્તારમાં હોય ત્યાં એ વિસ્તારની સ્થાનિક ભાષાની જાણકારી આવશ્યક છે અને એના વગર અસરકારક રીતે સારવાર, નિદાન સંભવ નથી. એટલા માટે જ ફાઉન્ડેશન કોર્સમાં લોકલ લેંગ્વેજને શીખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. અભ્યાસ માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે અને ત્યાં તેમની માતૃભાષાથી અલગ ભાષા બોલાતી હોય છે, આવા વિદ્યાર્થીઓને લોકલ ભાષા શીખવાડવામાં આવશે.

September 9, 2019
icai_logo.jpeg
1min3380

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 3, 2019
jee_main.png
1min16090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

September 3, 2019
gujrat-012.jpg
1min3270

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા રવિવારે મળી હતી, જેમાં ‘કાયઝાલા’ એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી માટે પણ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ ન કરવી તેવું એલાન અપાયું હતું.

હાલમાં જે શિક્ષકોએ ‘કાયઝાલા’ એપ ડાઉનલોડ કરી છે તે તથા BLO માટેની એપ પણ અનઈન્સ્ટોલ કરવા માટે સૂચના અપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી એપને લઈને ચાલતા વિવાદમાં રવિવારની બેઠક બાદ પૂર્ણવિરામ મૂકાયું છે. 

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની હાજરી સહિતની બાબતો માટે કાયઝાલા એપ પાંચ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા અઢી લાખ જેટલા શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ એપને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેના પગલે શિક્ષક સંઘે રવિવારે સંકલન સભા યોજવાનું નક્કી કર્યું હતું અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે તેવી જાહેરાત કરી હતી. 

August 29, 2019
shagun.jpg
1min8730

શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે. 

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14720

સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.

ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.

ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર

શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.

August 24, 2019
neet.jpeg
1min9350

MBBS ‌‌અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે. 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે. 

NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.