આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું
15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.
ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા
આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.
પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા
પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
Media Reports on Parul University Medical Admission issue
વર્ષ ૨૦૨૦ના સત્રમાં દેશમાં કોઇ નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખૂલે અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. ખરાબ પ્રદર્શન અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળી કૉલેજ બંધ થશે. કેન્દ્ર સરકારે તેમની ગઠિત વર્કીંગ કમિટીની ભલામણોને મંજૂરી આપી દીધી છે. આ બધું ગુણવત્તાવાળા એન્જિનિયર પેદા કરવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરોની ઘટતી માગના બહાને કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧માં નવી એન્જિનિયરિંગ કૉલેજોને માન્યતા નહીં આપવામાં આવે. રાજ્યોને પણ આ સંબંધે સૂચના જારી કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ પણ એન્જિનિયરિંગ કૉલેજ અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. કૉલેજોએ વિભિન્ન કોર્સમાં સ્પેશિયલાઇઝેશન પર ધ્યાન આપવું પડશે જેમ કે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંકિંગ વગેરે.
૨૦૧૮માં સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરની માગ પરખવા માટે આઇઆઇટી હૈદરાબાદના બૉર્ડ ઑફ ગવર્નરના ચેરમેન પ્રો. બીવીઆર મોહન રેડ્ડીની અધ્યક્ષતામાં આઠ સભ્યની સમિતિનું ગઠન કર્યું હતું. એમાં આઇઆઇટી, ફિક્કી, નૅસકૉમ, એસોચેમ વગેરેના વિશેષજ્ઞો સામેલ હતા. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એન્જિનિયરિંગના કોર્સની ૫૦ ટકા બેઠક ખાલી છે. માત્ર બાવન ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહ્યું છે.
સમિતિએ ૨૦૨૦માં નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખોલવાની ભલામણ કરી હતી. એઆઇસીટીઇની કૉલેજોમાં ૨૦૨૦થી એઆઇ અને ડેટા સાયન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ) કોર્સ શીખવવામાં આવશે. જોકે, આ કોર્સ એ સંસ્થાનોમાં જ શરૂ થશે, જે એનઆઇઆરએફ રેન્કિંગમાં સો અને એનબીએ એક્રિડિટેશનમાં ૭૫ ટકાથી વધારે અંક લાવ્યા હોય.
આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ IITમાં ભણી શકે : વાંચો કેવી રીતે?
શિર્ષક વાંચીને ઘણાં કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓના ભવાં ચઢી જશે. કારકિર્દી માર્ગદર્શનના નામે સાવ અધૂરા ઘડાં જેવા શિક્ષણશાસ્ત્રીઓ એવા વક્તા બની બેઠા છે કે જેઓ વિદ્યાર્થીઓને કયા રસ્તે જવું એ તો દિશાનિર્દેશ કરી શક્તા નથી બલ્કે ખોટી માહિતીઓથી ગેરમાર્ગે દોરાતાં વિદ્યાર્થીઓને એ બાબતનું ભાન થાય ત્યારે કારકિર્દી ઘડતરનો મહત્વનો સમય પૂરો થઇ ચૂક્યો હોય છે. શિક્ષણ સર્વદા, સૂરતની ટીમ આ મુદ્દે અત્યંત ચોકસાઇ અને ચિવટાઇ રાખીને છેલ્લા 15 વર્ષથી કારકિર્દી ઘડતરનું કાર્ય કરી રહી છે.
શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવ વિદ્યાર્થીઓને સતત ઉપયોગી સમચારો પ્રકાશિત કરીને માર્ગદર્શિત કરવાનું કામ કરી રહ્યા છે.
આઇ.આઇ.ટી. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એટલે મોટા ભાગના લોકોના માનસમાં એવો જ ખ્યાલ કે અહીં ધો.12 સાયન્સમાં મેથ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. ના. એવું નથી. ધો.12 સાયન્સ મેથ્સ ઉપરાંત બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ આર્ટસ, કોમર્સ અન્ય પ્રવાહ હોય તો એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર બને છે એવા પણ અનેક કોર્સ આઇ.આઇ.ટી.ઓમાં ચાલી રહ્યા છે.
Career Counselling : 98253 44944
અહીં વાત કરી રહ્યા છીએ ડિઝાઇનિંગના કોર્સની. સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ભારતની 23 આઇ.આઇ.ટી. પૈકીની બોમ્બે આઇ.આઇ.ટી.
બોમ્બે આઇ.આઇ.ટી. તેમજ દેશની અન્ય પ્રતિષ્ઠિત ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં ડિઝાઇનિંગના અત્યંત મહત્વના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષાનું નામ છે UCEED .
UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design
2020માં આઇ.આઇ.ટી. સમેતની દેશની ટોચની ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં પ્રવેશ કાર્યવાહીમાં UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design નો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. આ UCEED-2020 ના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.
ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય પ્રવાહના હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ UCEED – Undergraduate Common Entrance Exam for Design 2020 પરીક્ષા આપી શકે છે.
પ્રસ્તુત છે UCEED – Undergraduate Common Entrance Exam for Design રજિસ્ટ્રેશનની સઘળી વિગતો
Indian Institute of Technology (IIT) Bombay has invited online applications for Undergraduate Common Entrance Exam for Design (UCEED) on its official website today i.e., October 9, 2019. The interested candidates can apply online for UCEED 2020 through the official website of UCEED — uceed.iitb.ac.in – from today.
The last date to submit online applications for UCEED 2020 is November 9, 2019. Candidates can also apply for UCEED 2020 from November 10 to 16, 2019 with late fees.
All national (Indian and Foreign) candidates can apply for UCEED 2020. Candidates seeking admission to the Bachelor Degree programme in Design (B. Des.) at Indian Institute of Technology Bombay (IITB), Indian Institute of Technology Guwahati (IITG), Indian Institute of Technology Hyderabad (IITH), and Indian Institute of Information Technology Design and Manufacturing Jabalpur (IIITDMJ) need to qualify in UCEED 2020.
IIT Bombay, the organising institute will conduct UCEED 2020 on January 18, 2020. UCEED 2020 will be held in the following 24 cities in India — Ahmedabad, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Delhi, Ernakulam, Panaji, Guwahati, Hyderabad, Jaipur, Lucknow, Kolkata, Kozhikode, Mumbai, Nagpur, Patna, Pune, Raipur, Thiruvananthapuram, Thrissur and Visakhapatnam.
Age limit
Candidates belonging to OPEN/EWS/OBC-NCL category should have born on or after October 1, 1995. For SC, ST or PwD category, they should have been born on or after October 1, 1990.
Eligibility
The candidate should have passed the qualifying examination (Class XII or equivalent) in 2019, OR appearing in 2020. Students from all streams (Science, Commerce, and Arts & Humanities) are eligible to apply for UCEED 2020. Candidates who appeared for the first time in their qualifying examination in 2018 or earlier are not eligible.
Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું
આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.
તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા
આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.
સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર
સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.
સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.
કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.
ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.
કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચીનમાં ભારતના 21000 વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ કરી રહ્યા છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
મેડીકલ એજ્યુકેશન ખાસ કરીને એમ.બી.બી.એસ. અભ્યાસ માટે હાલમાં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતના લગભગ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓના માથે મોટી આફત આવી છે. ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ રાતોરાત એવો ફતવો જારી કર્યો છે કે ચીનની ફક્ત 45 મેડીકલ કોલેજો જ એમબીબીએસનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં ચલાવી શકશે. બાકીની યુનિવર્સિટીઓએ ચાઇનીઝ ભાષામાં જ ફરજિયાત એમબીબીએસ અભ્યાસક્રમ ચલાવવો પડશે. ચીનના સત્તાવાળાઓએ કોલેજોનો સંચાલકોને ચાઇનીઝ અને અંગ્રેજી એમ બે ભાષામાં પણ કોર્સ ચલાવવાની મંજૂરી આપી નથી. ચાલુ વર્ષથી જ આ બાબતનો અમલ કરી દેવાની સૂચના આપવામાં આવી હોઇ, ભારતના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટી મુશ્કેલી ઉપસ્થિત થઇ છે.
ભારતીય એમ્બેસીની સત્તાવાર માહિતી મુજબ ચીનની જુદી જુદી 200 યુનિવર્સિટીઓમાં ભારતના હાલમા 23000 વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પૈકી 21000 વિદ્યાર્થીઓ ચીનમાં મેડીકલ, એમબીબીએસ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સરખામણીમાં ચાઇનીઝ મેડીકલ કોલેજોની ફી સસ્તી હોઇ, ભારતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ મેડીકલ અભ્યાસ માટે ચીન ગયા છે. હવે ફક્ત 45 કોલેજો જ અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકે એવી સૂચના આપવામાં આવી હોઇ બાકીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
ચીનની આ 45 મેડીકલ કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવાની મંજૂરી અપાઇ છે
University:
(no of international students)
Jilin
University: 62 (school year 2018-2019 was 100, 38 fewer)
Chinese
Medical University: 100
Dalian
Medical University: 100
Capital
Medical University: 100
Tianjin
Medical University: 100
Shandong
University: 78 (school year 2018-2019 100, 22 fewer)
Fudan
University: 100
Xinjiang
Medical University: 100
Nanjing
Medical University: 100
Jiangsu
University: 100
Wenzhou
Medical University: 100
Wenzhou
Medical University (Overseas Schools): 50
Zhejiang
University: 100
Wuhan
University: 100
Huazhong
University of Science and Technology: 100
Xi’an
Jiaotong University: 100
Southern
Medical University: 100
Jinan
University: 100
Guangxi
Medical University: 100
Sichuan
University: 100
Chongqing
Medical University: 100
Harbin
Medical University: 60
Beihua
University: 40
Jinzhou
Medical University: 60
Qingdao
University: 60
Hebei
Medical University: 60
Ningxia
Medical University: 60
Tongji
University: 60
Shihezi
University: 60
Southeast
University: 60
Yangzhou
University: 60
Nantong
University: 60
Suzhou
University: 60
Ningbo
University: 60
Fujian
Medical University: 60
Anhui
Medical University: 60
Xuzhou
Medical College: 60
Three
Gorges University: 20
Zhengzhou
University: 60
Guangzhou
Medical University: 60
Sun
Yat-sen University: 60
Shantou
University: 20 (school year 2018-2019 was 60, 40 fewer)
Kunming
Medical University: 60
North
Sichuan Medical College: 40
Southwest
Medical University: 60
Xiamen
University: 60
હાલમાં ભારતીય એમ્બેસી ચીન સાથે વાટાઘાટો કરી રહી છે
ચીનના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાતોરાત નિર્ણય લઇને ફક્ત 45 કોલેજોને જ એમબીબીએસ અભ્યાસક્રમ અંગ્રેજીમાં ચલાવવા માટેની મંજૂરી આપી હોઇ, બાકીની મેડીકલ કોલેજોમાં હાલ અંગ્રેજીમાં મેડીકલ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓનું શું થશે એ મુદ્દે ભારતીય એમ્બેસી દ્વારા હાલમાં ચીન સરકાર સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ અભ્યાસમાં વિદેશની સ્ટડી ટૂરનું એક્સપોઝર અત્યંત જરૂરી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેવા પ્રકારની સંસ્થામાં પ્રવેશ લેવો જોઇએ એ અંગેની ગડમથલ વચ્ચે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ સસ્તી, ફી માફી આપતી, ક્લાસ ભરવામાંથી મુક્તિ આપતી વગેરે પ્રકારની કોલેજો શોધતા હોય છે, પણ એવા વિદ્યાર્થીઓ અને વાલીઓની સંખ્યા હવે વધી રહી છે જેઓ અભ્યાસ સાથે એક્સપોઝર, બાહ્ય જ્ઞાન, વર્કિંગ અનુભવ, ફોરેન સ્ટડી ટૂર પર લઇ જતી સંસ્થાઓમાં પ્રવેશ લેતા હોય છે.
યુનાઇટેડ કિંગ્ડમ (લંડન)ની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી સમેતની યુનિવર્સિટીઓની 10 દિવસની સ્ટડી ટૂર પર નીકળતા પૂર્વે ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓ સંસ્થાના પોવૉસ્ટ શ્રી ડો.દિનેશ શાહને મળ્યા હતા. શ્રી દિનેશ શાહે વિદ્યાર્થીઓને સ્ટડી ટૂપની આ તકને બન્ને હાથે શક્ય એટલી વધુ નોલેજ ગેઇનિંગ તરીકે લેવાની અપીલ કરી હતી.
સુરત નજીક બારડોલી મહુવા રોડ પર આવેલું માલીબા વિદ્યાસંકુલ અને તેમાં ચાલી રહેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને આ વખતે એવી અમૂલ્ય તક મળી છે કે એ તક ઝડપીને 24 કોલેજીયન યુવક યુવતિઓ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)ની 10 દિવસની સ્ટડી ટૂર પર ઉપડી રહ્યા છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના વિદ્યાર્થીઓને લંડનની સ્ટડી પર પર જે એક્સપોઝર, નોલેજ ગેઇનિંગ મળશે એ લગભગ બીજે ક્યાંયથી નહીં મળી શકે.
વધુ મળતી માહિતી મુજબ ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU) સંચાલિત કોલેજોમાં આ વખતે એક વર્કશોપ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓની કમ્યુનિકેટિંગ સ્કીલ્સ, અવેરનેસ, ઇંગ્લિશ કમ્યુનિકેશન્સ, બેઝિક નોલેજ વગેરે બાબતનો સ્ટડી કર્યા પછી તેમાં સફળ રહેલા વિદ્યાર્થીઓને બ્રિટીશ હાઇકમિશનરની કચેરી, ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામના ભાગરૂપે અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ના પ્રયાસોથી લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓની સ્ટડી ટૂર પર મોકલવાનો પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો.
ઉકા તરસાડીયા યુનિવર્સિટી (UTU)ની મેનેજમેન્ટ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, કોમર્સ કોલેજ, ફાર્મસી કોલેજ વગેરે મળીને કુલ 24 યુવક યુવતિઓએ આ તક ઝડપી લીધી અને હવે તેઓ યુ.કે. જઇ રહ્યા છે.
10 દિવસના પ્રવાસ દરમિયાન ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રોકાણ હોટેલ હોલિડે ઇન ખાતે રહેશે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી, કોન્વેન્ટ્રી યુનિવર્સિટી તેમજ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીની મુલાકાત લેશે, આ દરમિયાન ત્યાં યોજાનારા ગ્લોબલ સેમિનાર અને વર્કશોપ્સ પણ તેઓ એટેન્ડ કરશે.
શિક્ષક પર હુમલાના વિરોધમાં સુરતની પ્રાઇવેટ સ્કુલો સ્વયંભુ અને સજ્જડ બંધ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતમાં નાના વરાછા સ્થિત આશાદીપ ગ્રુપ ઓપ સ્કુલ્સના એક શિક્ષકને શાળા કેમ્પસમાં ઘૂસીને વાલીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સોમવાર, તા.30મી સપ્ટેમ્બરના રોજ સવારની પાળીમાં ચાલતી સુરત શહેર જિલ્લાની તમામ પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોએ સજ્જડ બંધ પાળીને આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું કે કોઇ એક શિક્ષક પર હુમલો એ સમગ્ર શિક્ષણ જગત પર હુમલો છે.
શાળાઓની ઇવેન્ટ્સ ખોરવાય, પહેલા નોરતેેં રવિવાર હતો, બીજા નોરતેં રજા મળી
આજે સવારની પાળીમાં સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, પ્રાઇવેટ ટ્યુશન, પર્સનલ ટ્યુશન, કોચિંગ ક્લાસીસો તમામ બંધ રહેતા સુરતમાં કમસેકમ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ કાર્ય ખોરવાય જવા પામ્યું હતું. અનેક શાળાઓમાં આજે ગરબા સ્પર્ધા તેમજ અન્ય ઇવેન્ટ ખોરવાય જવા પામી હતી. પહેલા નોરતાં એ રવિવારની રજા હતા અને સુરતમાં આજે બીજાં નોરતાં એ પણ વિદ્યાર્થીઓને રજા મળી જવા પામી હતી.
શાળાના વર્ગખંડો વિદ્યાર્થી વગર સૂનાસૂના ભાસતા હતા. સાંકેતિક ફોટો
વિદ્યાર્થી વગરના વર્ગખંડો વિદ્યાર્થીઓના અભાવે બિલકુલ વેરાન અને સૂના સૂના ભાસતા હતા. સુરત શહેરની એકેય પ્રાઇવેટ સ્કુલ શરૂ હોવાનો અહેવાલ કે અફવા પણ ફેલાઇ ન હતી એટલી મજબૂતાઇથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધના એલાનને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સવારની પાળીમાં ફક્ત ગ્રાન્ટઇન એઇડ પ્રકારની અને શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય શરૂ રહ્યું હતું.
પ્રાઇવેટ સ્કુલો બંધ હોવા અંગે રવિવારે જ વાલીઓના મોબાઇલ પર મેસેજ પહોંચી ગયા હતા
સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ પ્રાઇવેટ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, ટ્યુશન ક્લાસીસો બંધ રહેવા અંગે રવિવારે જ સંચાલકોએ પોતપોતાના વાલીઓને બંધ અંગેના મેસેજ પાઠવી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવાનું કામ કરતા સ્કુલ બસ, સ્કુલ ઓટો, સ્કુલ વાનવાળાઓને પણ સોમવારે બંધ અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. પરીણામે આજે સવારે સ્કુલોને બંધ પાળવા, પળાવવામાં કોઇ મુશ્કેલી જણાઇ ન હતી.
બરાબર એક વર્ષ અગાઉ સ્કુલ સંચાલકો અને સરકાર આમને સામને હતા
બરાબર એક વર્ષ અગાઉ ગઇ નવરાત્રીમાં પણ રાજ્ય સરકાર અને સ્કુલ સંચાલકો આમને સામને હતા અને આજે બીજા નોરતેં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. એક વર્ષ અગાઉ સરકારે આપેલા બિનજરૂરી, બિનઉપયોગી નવરાત્રી વેકેશનનો મુદ્દો હતો, ત્યારે સરકાર સ્કુલ બંધ કરાવવા માંગતી હતી અને સંચાલકો સ્કુલ શરૂ રાખવા માંગતા હતા. આજે એક વર્ષ પછી સંચાલકો સ્કુલ બંધ કરાવી છે, જ્યારે સરકારે સ્કુલ બંધ રાખવા સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આમ પરિસ્થિતિ એ જ છે મુદ્દાઓ બદલાયા છે.
એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.
તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.
આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.
બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.
આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.
અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.
અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે.
પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.