CIA ALERT

ઇન્ડીયા Archives - Page 86 of 183 - CIA Live

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min3080

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 7, 2020
jeeadv.png
2min3280

દેશના શિક્ષણ મંત્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.7મી મે ના રોજ એવી ઘોષણા કરી હતી કે આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2020 પરીક્ષા હવે તા.23મી ઓગસ્ટ 2020ના રોજ લેવામાં આવશે. સ્વાભાવિક છે કે પરીક્ષા લેટ લેવાની હોવાથી હવે આઇ.આઇ.ટી.માં અભ્યાસ આ વર્ષે અતિશય વિલંબથી શરૂ થશે.

આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સમાં દેશના ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓની જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવે છે. સૌથી પ્રથમ આઇ.આઇ.ટી.માં પ્રવેશ ફાળવવામાં આવે છે, એ પછી એન.આઇ.ટી., ત્રિપલઆઇટી વગેરેમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

23મી ઓગસ્ટ 2020ના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવાશે એનો સીધો મતલબ કે પરીક્ષાના પંદરથી વીસ દિવસ બાદ તેનું પરીણામ જાહેર થશે અને એ પછી જોસા (જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી) દ્વારા પ્રવેશ પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. આમ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે એવો અંદાજ હાલ બંધાઇ રહ્યો છે.

JEE Advanced 2020 to be conducted on August 23

The Joint Entrance Examination (Advanced) for admission to IITs will be conducted on August 23, HRD minister Ramesh Pokhriyal announced on Thursday.

The exam was scheduled to be held on May 17 but had to be postponed due to the coronavirus pandemic. JEE Advanced is conducted for admissions to various undergraduate programmes at IITs. This year, IIT Delhi is organising the exam.

The HRD minister on Tuesday announced that the engineering entrance examination, JEE (Main), will be held from July 18-23 and the National Eligibility cum Entrance Test(NEET-UG) for admission to medical colleges will be conducted on July 26. These exams were also postponed due to the nationwide lockdown imposed to curb the COVID-19 spread.

May 7, 2020
vizag_gas.jpg
1min3790

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા વેન્કટપુરમ ગામમાં આવેલ કેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ગેસ લીક થયો હતો. આર એસ વેન્કટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ ગેસ ત્રણ કિમી સુધી ફેલાયો હતો.

જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર એસ વેન્કટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. મળતી માહિતિ મુજબ, એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું હતું. રેસક્યુ ટીમને લગભગ 50 લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં હતા.

આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ જણનું મોત થયું છે અને 5000 જેટલા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ રહી હોવાથી તેઓ બીમાર પડયા હોવાની માહિતિ મળી છે.

હજી પણ ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

May 6, 2020
harshvardhan.jpg
1min4440

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.

May 5, 2020
CIA_Live_Logo_New2.jpg
2min10260

દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે વિદ્યાર્થીઓ સાથેની ઓનલાઇન વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ તા.26મી જુલાઇએ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે જ્યારે જેઇઇ મેઇન્સ ઓનલાઇન ટેસ્ટ તા.18મી જુલાઇથી તા.23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.

NEET 2020 on July 26 & JEE Main to begin on July 18, says HRD Minister

The Ministry of Human Resource and Development on Tuesday announced the fresh schedule for Joint Entrance Exam-Mains (JEE-Mains) and National Eligibility cum Entrance Test (NEET).

As per the announcement the JEE (Mains) 2020 will be conducted between July 18-23 while NEET 2020 will be held on July 26, 2020.
While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is held for medical colleges.

The entrance exam schedule for the doctors/engineers was announced by the HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

More than 15 lakh students across the country have registered for NEET this year, which is the gateway to medical colleges in India, whereas more than 9 lakh have registered for JEE Mains, the entrance exam for all other engineering colleges except IITs.

The HRD Ministry’s National Testing Agency (NTA) had also given students an option to change their opted centres for the two tests as students have moved to different places since the lockdown.

The Central Board of Secondary Education (CBSE) has yet to announce the remaining Class X and XII remaining examinations, however the paper evaluation work is to begin soon. Many states like Bihar, Uttar Pradesh have started their exam papers evaluation work.

May 5, 2020
aicte_logo.png
2min16170

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

May 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min7290

Fresh dates for JEE, NEET might be announced on May 5

દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.

આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.

Attention Engineering and medical aspirants,

The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.

While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.

May 2, 2020
relience.png
1min4450

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ નોંધાયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળામાં ચોખ્ખો નફો ૧૦,૩૬૨ કરોડનો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક ૧૫ શેરે એક શેરના ધોરણે (૧૫:૧ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ૧,૨૫૭ રહેશે.

કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ૨.૫ ટકા ઘટીને ૧૫૧,૨૦૯ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૫૫,૧૫૧ કરોડ હતી.

કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૧૦.૬ ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ ૭.૬ ટકા વધીને ૨૫,૮૮૬ કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો ૨.૭ ટકા ઘટીને ૧૩,૪૯૦ કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો ૧૨.૮ ટકા વધીને ૧૮,૮૧૩ કરોડનો થયો હતો.

કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો ૦.૧ ટકા વધીને ૩૯,૮૮૦ કરોડનો થયો હતો જે આગલા વર્ષે ૩૯,૮૩૭ કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ ૫.૪ ટકા વધીને ૬૫૯,૨૦૫ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬૨૫,૨૦૫ કરોડ હતી.

વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ ૧૦.૪ ટકા વધીને ૧૦૨,૨૮૦ કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ૯૨,૬૫૬ કરોડ હતી. કંપનીએ માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ૬.૫૦ ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે ક્ધઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.

કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ ૭૨.૭ ટકા વધીને રૂ. ૨,૩૩૧ કરોડ થયો છે.

May 2, 2020
lpg_cylinder.jpg
1min3400

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં બોલાયેલા કડાકાને પગલે સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં શુક્રવારે પ્રતિ સિલિન્ડર વિક્રમજનક ₹. ૧૬૨.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં આ સતત ત્રીજો માસિક ઘટાડો છે. આ એજ ગેસ સિલિન્ડર છે જેની સબસિડી ગ્રાહકોએ સ્વેચ્છિક રીતે જતી કરી હતી.

આ એજ ગેસ સિલિન્ડર છે જે સામાન્ય વપરાશકર્તાઓનો ૧૪.૨ કિલોગ્રામ વજનના ૧૨ સિલિંડરનો ક્વોટા પૂરો થયા બાદ તેમને આપવામાં આવે છે. કોરોનાને કારણે ફેલાયેલી મહામારીને પગલે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે દેશમાં તેલની માગમાં અસાધારણ ઘટાડો થયો છે જેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલાયો છે. ગયા મહિને ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫.૯૮ ડોલર સાથે બે દાયકાના સર્વાધિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ શુક્રવારે ક્રૂડ તેલનો ભાવ વધીને પ્રતિ બેરલ ૨૬.૪૩ ડોલર થઈ ગયો હતો. સબસિડી વિનાના ૧૪.૨ કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં અગાઉના ₹.૭૪૪.૦૦થી ઘટીને ₹. ૫૮૧.૫૦ થઈ ગયો છે. મુંબઈમાં આ ગેસ સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર અગાઉના ₹. ૭૧૪.૫૦ થી ઘટીને ₹. ૫૭૯.૦૦ થઈ ગઈ છે. અગાઉ માર્ચમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹. ૫૩.૦૦નો તો એપ્રિલમાં ₹. ૬૧.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને આધારે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રાંધણગેસના ભાવમાં સુધારો કરે છે.

May 2, 2020
lockdown012.jpg
1min3370

કેન્દ્ર સરકારે ૪થી મે બાદ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં વધુ બે સપ્તાહનો વધારો કરવાની શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને એના પરિણામો ઘણાં સકારાત્મક જણાયાં છે. વધુ બે સપ્તાહનું લૉકડાઉન ૪થી મેથી શરૂ થશે અને આ વખતે લૉકડાઉન દરમિયાન અનેક જિલ્લાઓમાં વધારાની છૂટ આપવામાં આવશે.

કોવિડ-૧૯ વિશેની નવી ગાઇડલાઇન્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના લૉકડાઉનનું પરિણામ ધોવાઇ ન જાય એ માટે ૩જી મે સુધી પ્રતિબંધોનું સખત રીતે પાલન કરવું જરૂરી છે. ૧૭ મે સુધી રેલવે, વિમાની અને મેટ્રો સેવા પણ બંધ રહેશે. શાળાઓ અને કોલેજો, કોચિંગ કલાસિસ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની હોસ્પિટલિટી સર્વિસીસ, રાજકીય અને સાંસ્કૃતિક મેળાવડો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, જિમખાનાઓ અને સિનેમા હોલ વિગેરે બંધ રહેશે.વિશેષ હેતુ માટે અને ગૃહ મંત્રાલયે જે હેતુ માટે પરવાનગી આપી છે તે માટે લોકોની અવરજવર વિમાની, રેલવે અને રોડ દ્વારા થઈ શકશે.