CIA ALERT

ઇન્ડીયા Archives - Page 52 of 183 - CIA Live

December 9, 2020
pmmoditwt.jpg
1min344

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.

ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.

આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.

December 9, 2020
serum.jpg
1min371

દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.

December 7, 2020
Bharat-Bandh.jpg
1min530
Bharat Bandh 8 DecemberI Protesting farmers announce Bharat Bandh on  December 8, threaten to block all roads leading to Delhi | India News
Banking Services may also be affected on December 8 as several bank unions have expressed their solidarity with farmers. It is likely that the supply of milk, vegetables would be affected during he Bharat Bandh.

દિલ્હીની સરહદો પર ધામા નાંખીને બેઠેલા ખેડૂતોના સમર્થનમાં રોજેરોજ નવા રાજકીય પક્ષો અને યુનિયનો આવી રહ્યા છે. મોદી સરકારે લાગૂ કરેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની પાંચ પાંચ તબક્કાની મંત્રણા નિષ્ફળ ગઈ છે. પરીણામે આવતીકાલ તા.8મી ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે જેને 10 રાજકીય પક્ષો અને 11 જેટલા મોટા યુનિયનોએ ટેકો જાહેર કરી દીધો છે.

તા.8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે જેને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ટીઆરએસ, આપ, ડીએમકે, વીસીકે, એમડીએમકે, રાષ્ટ્રીય લોકદળ, રાલોસપા, રાજદ, સપા સહિત ડાબેરી પક્ષો તથા હિંદ મજદૂર સભા, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ સહિત 10 ટ્રેડ યુનિયને સમર્થન જાહેર કર્યુ છે.

ભારત બંધના દિવસે દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવા આહવાન આપવામાં આવ્યું છે.

દરમિયાન ખેડૂત સંગઠનોના 8 ડિસે.ના ભારત બંધના આહવાનમાં પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યના ખેડૂતો જોડાયા છે.

December 7, 2020
doctors-1280x1349.jpg
1min284

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.

આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.

સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર

આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.

December 7, 2020
vijendra_singh.jpg
1min370
Boxer Vijender Singh हुए किसान आंदोलन में शामिल, खेल रत्न पुरस्कार वापस  करने की दी धमकी - YouTube

ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને હરિયાણાના બૉક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચી લે તો તે રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ અવૉર્ડ પાછો આપી દેશે.

રવિવારે કૃષિ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.

વિજેન્દ્ર સિંહ રવિવારે હરિયાણા-દિલ્હી સીમા પર પહોંચ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ આંદોલન ખેંચી લેવાને મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું.

December 4, 2020
pmmodi.jpg
1min297

ભારતમાં કોરોના રસી અંગે પહેલી વખત સત્તાવાર અને નક્કર માહિતી વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.4 ડિસેમ્બરના રોજ યોજાયેલી સર્વપક્ષિય ઓનલાઇન મિટીંગમાં જારી કરી હતી. પીએમ શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. 

ભારત રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે. 

સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ માહિતીથી માહિતગાર કર્યા હત.

તા.4 ડિસેમ્બરની સર્વપક્ષીય બેઠકમાં પીએમ શ્રી મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે.

December 4, 2020
rbi.jpeg
1min281

આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.

કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.

કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.  

December 4, 2020
sugar.jpg
1min294

દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.

રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

December 4, 2020
gst.jpg
1min251

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.

નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.

આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.

December 3, 2020
pmmoditwt.jpg
2min3325

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in

આ પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટ્વીટર અકાઉન્ટનું હોમ પેજ છે. જેમાં તા.3 ડિસેમ્બર 2020ની સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 63.9 મિલિયન ફોલોઅર્સ સંખ્યા છે જ્યારે તેઓ કુલ 2345 અકાઉન્ટને ફોલો કરી રહ્યાનું જણાય આવે છે.

અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ

પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in

  1. મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
  2. અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
  3. ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
  4. સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
  5. પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
  6. પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
  7. કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
  8. નિલેશ દેસાઇ (સુરત)
  9. રવિ ઘિયાર (સુરત)
  10. ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
  11. બર્તવાલ વિક્રમ

ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે

  1. સી.આર. પાટીલ (પ્રમુખ ગુજરાત ભાજપા, સાંસદ નવસારી)
  2. દર્શના જરદોષ (સાંસદ, સુરત)
  3. ઝંખનાબેન પટેલ (ધારાસભ્ય, ચોર્યાસી, સુરત)
  4. પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, પશ્ચિમ, સુરત)
  5. સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત, સુરત)
  6. હર્ષ સંઘવી (ધારાસભ્ય, સુરત મજૂરા)
  7. મનીષ કાપડીયા (સેનેટ મેમ્બર, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત)

આ લોકો પણ પી.એમ. મોદીના ફોલોઈંગ લિસ્ટમાં છે

  1. મથુર સવાણી (કિરણ હોસ્પિટલ, સુરત)
  2. નીતિન પ્રજાપતિ (બારડોલી)
  3. ડો. મોહસિન લોખંડવાલા (સુરત)