CIA ALERT

ઇન્ડીયા Archives - Page 143 of 183 - CIA Live

June 21, 2019
qs.jpg
1min11280

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 19, 2019
cbdt1.jpeg
1min3720

આવકવેરા વિભાગમાં અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ‘સફાઈ’ કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે આજે ફરી નાણા મત્રાલયના 15 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત સેવાનિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે જેમાં મુખ્ય કમિશનર, કમિશનર, અને અધિક કમિશનર કક્ષાના અધિકારીઓ સામેલ છે. ફરજિયાત રિટાયર કરવામાં આવેલા આ અધિકારીઓ પૈકી મોટાભાગના સામે ભ્રષ્ટાચાર, લાંચના આરોપો છે.
આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ અને કસ્ટમ વિભાગના ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા અધિકારીઓમાં
પ્રિન્સિપલ કમિશનર ડો. અનુપ શ્રીવાસ્તવ,
કમિશનર અતુલ દીક્ષિત,
કમિશનર સસારચંદ,
કમિશનર હર્ષા,
કમિશનર વિનય વ્રિજ સિંહ,
એડિશનલ કમિશનર અશોક મહિદા,
એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ,
ડેપ્યુટી કમિશનર અમરેશ જૈન,
જોઈન્ટ કમિશનર નલીન કુમાર,
આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના,’
આસિસ્ટન્ટ કમિશનર એસએસ બિષ્ટ,
આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા,
એડિશનલ કમિશનર રાજુ સેકર,
ડેપ્યુટી કમિશનર અશોક કુમાર અસવાલ અને
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ અલ્તાફનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ નિર્મલા સીતારામને નાણા મંત્રાલય સંભાળતાંની સાથે જ સખત નિર્ણય લીધો હતો અને ગયા સપ્તાહે ટેક્સ વિભાગના’ જ 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સના નિયમ-56 અનુસાર નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમયથી પહેલાં જ નિવૃત્તિ આપી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ફરજિયાત નિવૃત્ત કરાયેલા આ અધિકારીઓ પૈકીના અનેકની સામે ભ્રષ્ટાચાર, ગેરકાનૂની અને બેહિસાબ સંપત્તિ ઉપરાંત જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા.
ઉલ્લેખનીય છે કે નિયમ-56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરી શકાય છે જેમની વય 50-55 વર્ષની હોય અને 30 વર્ષનો સેવાકાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી શકાય છે.
June 19, 2019
parliament.jpg
1min3340

મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ૪૮ સાંસદમાંના ૩૪ સાંસદે મરાઠીમાં શપથ લીધા હતા. અમુક બિનમરાઠી સાંસદોએ પણ મરાઠીમાં શપથ લીધા હતા, પરંતુ કેટલાક મરાઠી સાંસદે અંગ્રેજી કે હિંદીમાં શપથ લેતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહારાષ્ટ્રના ત્રણ સાંસદે સંસ્કૃતમાં સાંસદ તરીકેના સોગંદ લીધા હતા.

ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને અમરાવતીનાં સાંસદ નવનીતકૌર રાણા બિનમરાઠી ભાષી હોવા છતાં તેઓએ મરાઠીમાં શપથ લીધા હતા.

આમ છતાં, રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હિંદીમાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ સુજય વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના સાંસદ ઉદયનરાજે ભોસલેએ અંગ્રેજીમાં સોગંદ લીધા હતા. આ પ્રકરણમાં અનેક લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. હિંદીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુપ્રિયા સુળે ઉપરાંત પૂનમ

મહાજન, હીના ગાવિત, સુધાકર શ્રુંગારે અને ગોપાલ શેટ્ટીનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુજય વિખે પાટીલ ઉપરાંત ઉદયનરાજે ભોસલેનો સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં શપથ લેનારા મહારાષ્ટ્રના ત્રણે સાંસદ – સુનીલ મેંઢે, ગિરીશ બાપટ અને ઉન્મેશ પાટીલ ભારતીય જનતા પક્ષના જ છે.

સોનિયા ગાંધીએ હિન્દી ભાષા પસંદ કરી

લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની શપથવિધિ ૧૭-૧૮ જૂન દરમિયાન પૂર્ણ થઈ છે. મંગળવારે સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, સુખબીરસિંહ બાદલ સહિત ૨૦૦થી વધુ સાંસદોએ શપથ લીધા હતા. બાદલે વાહેગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી દે ફતેહ સૂત્ર પોકારીને શપથ લીધા હતા. ભગવંત માને શપથના અંતે “ઇન્કલાબ ઝીન્દાબાદ બોલતા ગૃહમાં હંગામો થયો હતો.

ભાજપના સાંસદ અને લોકસભામાં સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા શપથ લેવા આવ્યા હતા ત્યારે તાળીઓનો ગળગળાટ થયો હતો. સની દેઓલે ભારત માતા કી જય બોલીને શપથ લીધા હતા.

પી. ચિદમ્બરમે સ્પીકરની ગેલેરીમાં બેસીને પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની શપથવિધિ નિહાળી હતી. સોનિયા ગાંધીએ હિન્દીમાં સોગંધ લીધા હતા. રાહુલ ગાંધીએ આ પળને મોબાઈલમાં ઉતારી હતી. મેનકા ગાંધીએ શપથ લીધા બાદ દેરાણી-જેઠાણીએ એકબીજાને હાથ જોડ્યા હતા.

મુલાયમસિંહે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. આરોગ્યના કારણસર તેમને પ્રાધાન્યતા અપાઈ હતી. ભાજપના અમુક સભ્યોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટીએમસીના સાંસદોએ જય દુર્ગા અને જય હિન્દના નારા લગાવ્યા હતા.

ઔવેસીએ જય ભીમ, જય મીમ, અલ્લાહો અકબરનો અને જય હિંદના નારો લગાવ્યો હતો. હેમા માલિનીએ રાધે રાધે બોલીને શપથ લીધા હતા. જે સભ્યોના શપથ બાકી છે તેમને બુધવારે સોગંધ લેવડાવાશે.

June 18, 2019
bihar_fever.jpg
1min8640

બિહારના મુઝફરપુર જિલ્લામાં ‘એકયૂટ એનસિફિલિટીશ સિન્ડ્રોમ’થી પીડાતા છ વધુ બાળ દર્દીનું અવસાન થતા હજુ સુધી કુલ મૃત્યાંક વધીને ૧૦૩ થયો છે. એઈએસથી કેજરીવાલ હોસ્પિટલના ૧૮ બાળદર્દી અને શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)ના ૮૫ બાળદર્દીઓનું હજુ સુધી મગજનો તાવ (એઈએસ)થી મોત થયું છે.

ડૉકટરોના કહેવા પ્રમાણે બાળદર્દીઓ એઈએસના કારણે માર્યા ગયા છે. જ્યારે સરકારી અધિકારીઓ દાવો કરે છે કે મોટા ભાગના દર્દીઓ હાઈપોગ્લાઈસેમિયાનો ભોગ બન્યા છે. વધુ પડતા તાપમાન અને હ્યુમિડિટીના કારણે બ્લડ સુગરમાં ઘટાડો થવાને હાઈપોગ્લાઈસેમિયા કહે છે.

સોમવારે એસકેએમસીએચમાં પાંચ અને કેજરીવાલ હોસ્પિટલમાં એક બાળદર્દીનું મગજના તાવથી મૃત્યુ થયું હતું. બંને હોસ્પિટલમાંના કુલ ૧૨ બાળદર્દીઓની હાલત ગંભીર છે.

દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બીજી એક હાઈલેવલ ટીમ મુઝફરપુર રવાના કરવાના સોમવારે નિર્દેશ આપ્યા હતા. આ ટીમ અદ્યતન મલ્ટિડિસિપ્લીનરી રિસર્ચ સેન્ટર ઊભું કરશે. રોગનું કારણ શોધવા રિસર્ચ સેન્ટર ઉપયોગી નીવડશે.

સૂચિત ટીમમાં આઈસીએમઆર, નિમ્હાન્સ (બેંગલૂરુ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન (હૈદ્રાબાદ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોઈજ (એમઆઈઈ) ચેન્નાઈ અને એઈમ્સ (દિલ્હી)ના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે.

June 17, 2019
dr.jpg
1min856

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.

June 17, 2019
indiawon.jpeg
1min3540

ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.

એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.

રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.

June 17, 2019
sensex_down.jpg
1min2880

સોમવારે BSE સેન્સેક્સમાં 491 પોઈન્ટ્સ અથવા 1.25 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેટલ, બેન્ક, ઓટો, એનર્જી, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.29 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., ONGC, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મારુતિનો સમાવેશ થાય છે. આજે વધેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

June 16, 2019
shivsena.jpg
1min4070

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

UDDHAV

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

June 16, 2019
metro.jpeg
1min3300

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 16, 2019
indiavspakistan.jpeg
1min5310

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.