CIA ALERT

ઇન્ડીયા Archives - Page 124 of 183 - CIA Live

October 24, 2019
fmcg-1280x720.jpg
1min3160

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.

October 24, 2019
petrol-diesel-1.jpg
1min9980

દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.

સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.

કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.

જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.

October 24, 2019
bcci_logo.jpg
4min6030

૧ આર. ઇ. ગ્રાન્ટ ગોવન ૧૯૨૮-૧૯૩૩

૨ સર સિકંદર હયાત ખાન ૧૯૩૩-૧૯૩૫

૩ નવાબ હમીદુલ્લા ખાન ૧૯૩૫-૧૯૩૭

૪ મહારાજા કે. એસ. દિગ્વિજયસિંહજી ૧૯૩૭-૧૯૩૮

૫ પી. સુબ્બારાવ ૧૯૩૮-૧૯૪૬

૬ ઍન્થની એસ. ડી’મેલો ૧૯૪૬-૧૯૫૧

૭ જે. સી. મુખરજી ૧૯૫૧-૧૯૫૪

૮ મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ ૧૯૫૪-૧૯૫૬

૯ સરદાર એસ. એસ. મજિઠિયા ૧૯૫૬-૧૯૫૮

૧૦ આર. કે. પટેલ ૧૯૫૮-૧૯૬૦

૧૧ એમ. એ. ચિદમ્બરમ્ ૧૯૬૦-૧૯૬૩

૧૨ મહારાજા એફ. ગાયકવાડ ૧૯૬૩-૧૯૬૬

૧૩ ઝેડ. આર. ઇરાની ૧૯૬૬-૧૯૬૯

૧૪ એ. એન. ઘોષ ૧૯૬૯-૧૯૭૨

૧૫ પી. એમ. રુંગટા ૧૯૭૨-૧૯૭૫

૧૬ રામપ્રકાશ મહેરા ૧૯૭૫-૧૯૭૭

૧૭ એમ. ચિન્નાસ્વામી ૧૯૭૭-૧૯૮૦

૧૮ એસ. કે. વાનખેડે ૧૯૮૦-૧૯૮૨

૧૯ એનકેપી સાળવે ૧૯૮૨-૧૯૮૫

૨૦ એસ. શ્રીરામન ૧૯૮૫-૧૯૮૮

૨૧ બી. એન. દત્ત ૧૯૮૮-૧૯૯૦

૨૨ માધવરાવ સિંધિયા ૧૯૯૦-૧૯૯૩

૨૩ આઇ. એસ. બિન્દ્રા ૧૯૯૩-૧૯૯૬

૨૪ રાજસિંહ ડુંગરપુર ૧૯૯૬-૧૯૯૯

૨૫ એ. સી. મુથૈયા ૧૯૯૯-૨૦૦૧

૨૬ જગમોહન દાલમિયા ૨૦૦૧-૨૦૦૪

૨૭ રણબીરસિંહ મહેન્દ્ર ૨૦૦૪-૨૦૦૫

૨૮ શરદ પવાર ૨૦૦૫-૨૦૦૮

૨૯ શશાંક મનોહર ૨૦૦૮-૨૦૧૧

૩૦ એન. શ્રીનિવાસન ૨૦૧૧-૨૦૧૩

૩૧ જગમોહન દાલમિયા* ૨૦૧૩-૨૦૧૩

૩૨ એન. શ્રીનિવાસન ૨૦૧૩-૨૦૧૪

૩૩ શિવલાલ યાદવ* ૨૦૧૪-૨૦૧૪

૩૪ સુનીલ ગાવસકર* ૨૦૧૪-૨૦૧૪

૩૫ જગમોહન દાલમિયા* ૨૦૧૫-૨૦૧૫

૩૬ શશાંક મનોહર* ૨૦૧૫-૨૦૧૬

૩૭ અનુરાગ ઠાકુર* ૨૦૧૬-૨૦૧૭

૩૮ સી. કે. ખન્ના* ૨૦૧૭-૨૦૧૯

૩૯ સૌરવ ગાંગુલી ૨૦૧૯-વર્તમાન

નોંધ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ૯૨ વર્ષના ઇતિહાસમાં જે પણ પ્રમુખો થઈ ગયા એની યાદીમાં * આ જે નિશાની છે એ તેમની વચગાળાની મુદત માટેની છે. ૨૦૧૫માં દાલમિયા પ્રમુખપદે હતા એ સમયગાળામાં જ અવસાન પામ્યા હતા.

October 24, 2019
amit_shah1.jpg
1min3130

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૫ અને તા.૨૬ ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના આશયે શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની એક કૉલેજમાં દિવ્યાંગોને કિટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. બાદમાં કલોલ એપીએમપીના નવા બનેલા કૉન્ફરન્સ હૉલનું લોકાપર્ણ કરશે સાથે નવ નિર્માણ પામનાર એપીએમપી ભવનનું ખાતમુહૂર્ત કરશે. ૨૬મીના શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વૉર્ડ ઑફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

October 23, 2019
qs.jpg
1min2610

આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

October 23, 2019
MSME-SSI-1280x782.jpg
1min4560

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.

એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.

સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.

October 22, 2019
infosys.jpg
1min3260

ભારતીય શેરબજારમાં સૌથી મજબૂત શેર ગણાતી કંપની ઈન્ફોસિસના શેરમાં આજે મંગળવાર તા.22મી ઓક્ટોબર 2019ના રોજ 15 ટકા ગગડી જતા શેરબજાર તેમજ રોકાણકારોમાં હાહાકાર મંચી ગયો હતો. ભારતીય શેરબજારમાં ઇન્ફોસીસ બ્લુચીપ શેર ગણાય છે.

વ્હિસલ બ્લોઅરે કંપનીમાં CEO સલિલ પારેખ અને CFO નિલંજન રોય દ્વારા અનૈતિક કામગીરી થઈ રહી હોવાની કરેલી ફરિયાદને પગલે કંપનીના શેરમાં તોતિંગ ગાબડું પડશે એવી અપેક્ષાઓ સેવાય રહી હતી અને થયું પણ એવું જ.

ભારતીય ઈક્વિટી માર્કેટમાં કંપનીના શેર એક તબક્કે આજે ₹645.35ની સપાટીને સ્પર્શી ગયા બાદ બપોરે 13 ટકા ઘટીને ₹667.40ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર ₹767.75ની સપાટીએ બંધ રહ્યો હતો.

બેનામી પત્રમાં ઈન્ફોસિસના એક કર્મચારીએ 2019-20ના સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં મેનેજમેન્ટે FDR કોન્ટ્રાક્ટમાં ₹353 કરોડના અપફ્રન્ટ પેમેન્ટના રિવર્સલની એન્ટ્રી ધ્યાનમાં ન લેવા દબાણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. આમ કરવાથી નફો ઓછો દેખાય અને કંપનીના શેરના ભાવમાં તેની નકારાત્મક અસર પડે.

પોતાની જાતને નૈતિક ગણાવતાં ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે આઈટી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવેલા 2 પાનાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પારેખ અને રોય છેલ્લાં કેટલાંક ક્વાર્ટરથી આ ગેરરીતિઓ આચરી રહ્યા હતા અને તેમના ઈ-મેઈલ અને તેમની વચ્ચેની વાતચીતના વોઈસ રેકોર્ડિંગથી આ વાત સાબિત થાય છે.

તેમાં વધુમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, કંપનીની કેટલીક મહત્ત્વની વિગતો ઓડિટર્સ અને બોર્ડથી છૂપાવવામાં આવી હતી.વેરિઝોન, ઈન્ટેલ, જાપાનના સંયુક્ત સાહસ, ABN એમરોનું હસ્તાંતરણ તેમ આવકની માન્યતા ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી જે, હિસાબી ધારાધોરણોની વિરુધ્ધ છે.

October 22, 2019
sansad.jpeg
1min3410

સંસદનું શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી શરૂ થશે જે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બજેટ સત્રમાં આ વખતે નોંધપાત્ર કામ થયા હતા, અનેક મહત્ત્વના બિલ બંને ગૃહમાં પાસ થયા હતા, જેમાં ટ્રિપલ તલાક બિલ, કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદી સહિતના બિલનો સમાવેશ છે.

સંસદીય બાબતોના મંત્રાલયે લોકસભા અને રાજ્યસભાના સેક્રેટરીએટને જાણ કરી છે. શિયાળુ સત્રમાં પણ અનેક ખરડા હાથ ધરાશે. બે મહત્ત્વના વટહુકમને કાનૂનમાં રૂપાંતર કરવા માટે આગામી સત્રની યાદીમાં છે.

નવી અને સ્થાનિકમાં ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવા વિશેનું ઓર્ડિનન્સ શિયાળુ સત્રમાં કાનૂનનું રૂપ આપવા માટે હાથ ધરાશે. આર્થિક સ્લોડાઉનને અટકાવવા અને વૃદ્ધિને વેગ આપવા નાણાં પ્રધાને ૫, સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડા સહિતના પગલાંની જાહેરાત કરી હતી.

ઈ-સિગારેટ અને તેના સંબંધિત પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ અને સ્ટોરેજ પર પ્રતિબંધ મૂકતો વટહુકમ પણ સપ્ટેમ્બરમાં બહાર પાડ્યો હતો. આ બાબતને શિયાળુ સત્રમાં હાથ પર લેવાશે. અગાઉના વર્ષે શિયાળુ સત્ર ૨૧ નવેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી મળ્યું હતું.

October 22, 2019
maha_election.jpg
1min6410

રિઝર્વ બૅંક દ્વારા દોઢ વર્ષથી સિટી કો-ઓપરેટિવ બૅંક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાથી તેના પર અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેમ જ બૅંકનું વિલીનીકરણ પણ થઇ રહ્યું ન હોવાને કારણે બૅંકના ખાતેદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમુક ખાતેદારોએ નોટાનો પર્યાય વાપરીને મતદાન કર્યું હતું. મુંબઇમાં સિટી કો-ઓપરેટિવ બૅંકની ૧૦ બ્રાન્ચ આવેલી છે, જેમાં આશરે ૯૧,૦૦૦ ખાતાધારકો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

પીએમસી બૅંકની જેમ સિટી કો-ઓપરેટિવ બૅંક ઉપર ગયા વર્ષે રિઝર્વ બૅંક દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બૅંક લોનની લેવડદેવડમાં અનિયમિત હોવાને કારણે રિઝર્વ બૅંકે સહકારી બૅંક પર કાર્યવાહી શરૂ કરી હોવાથી જીવનભરની પૂંજી ડિપોઝિટ કરનારા હજારો ખાતેદારોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ હતી. મહિનાઓ સુધી રિઝર્વ બૅંક દ્વારા પ્રતિબંધ ઉઠાવાયો ન હોવાને કારણે દોઢ વર્ષ દરમિયાન ૧૧ ખાતા ધારકોના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min3030

प्राइवेट बेंकों बेंको का कामकाज जारी रहेगा

सरकारी बैंकों (Public Sector Banks) के विलय और जमा राशि पर ब्याज दर घटने के विरोध में बैंक यूनियनों (Bank Unions) ने मंगलवार दि.22 अक्टुबर 2019 को हड़ताल का आह्वाहन किया है. हालांकि, अधिकारी और निजी क्षेत्र के बैंक हड़ताल में शामिल नहीं होंगे.

इस बेंकों के कामकाज पर हडताल का असर दिखेगा

  1. Andhra Bank
  2. Allahabad Bank
  3. Bank of India
  4. Bank of Baroda
  5. Bank of Maharashtra
  6. Corporation Bank
  7. Central Bank of India
  8. Canara Bank
  9. Dena Bank
  10. Indian Overseas Bank
  11. Indian Bank
  12. Oriental Bank of Commerce
  13. Punjab National Bank
  14. Punjab & Sind Bank
  15. Syndicate Bank
  16. State Bank of India
  17. United Bank of India
  18. Union Bank of India
  19. UCO Bank
  20. Vijaya Bank
  21. India Post Payments Bank

सार्वजनिक क्षेत्र के कई बैंकों के विलय और जमा राशि पर दरों में गिरावट के विरोध में यूनियनों ने एक दिन की हड़ताल पर जाने का फैसला किया है. हड़ताल का आह्वान आल इंडिया बैंक एम्पलाइज एसोसिएशन (AIEBEA) तथा बैंक एम्पलाइज फेडरेशन आफ इंडिया (BEFAI) ने किया है.

भारतीय स्टेट बैंक (SBI) सहित ज्यादातर बैंकों ने अपने ग्राहकों को हड़ताल और उसके प्रभाव के बारे में पहले ही सूचित कर दिया है.