CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 79 of 126 - CIA Live

January 2, 2020
gst.jpg
1min2800

ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.

નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.

અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.

January 1, 2020
Railways.png
1min2740

રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.

શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.

દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.

રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.

આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.

રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.

December 31, 2019
airindia.jpg
1min2970

ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.

એર ઇન્ડિયા  હાલમાં 60 હજાર કરોડ રુપિયાના દેવા હેઠળ છે અને સરકાર તેના વિલીનીકરણની તૈયારીમાં છે. સરકાર પહેલેથી જ તેના સંચાલનને લઇને જાહેરાત કરી ચૂકી છે કે એર ઇન્ડિયાને ચલાવવા માટે વધારે ફંડ આપી નહીં શકે. પરંતુ કંપની તેના અત્યારના સંચાલન માટે નાની રકમની મદદ લઇ રહી છે. 

સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2011-12થી લઇને અત્યાર સુધી એર ઇન્ડિયાને 30,520.21 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. વર્ષ 2012માં પણ યૂપીએ સરકારના કાર્યકાળમાં એર ઇન્ડિયાને 10 વર્ષના ગાળામાં 30 હજાર કરોડ રુપિયા ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.

અધિકારી મુજહ એર લાઇને સોવરન ગેરન્ટી ફંડ દ્વારા 2400 કરોડ રુપિયા મેળવવાની માંગ કરી હતી જેથી સંચાલન ખર્ચને મેનેજ કરી શકાય. પરંતુ સરકારે 500 કરોડ રિુપિયાની જ મંજૂરી આપી હતી. 

હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિકમાં એર ઇન્ડિયા તેની ભાગીદારીના વેચાણ માટે જાહેરાત કરી શકે છે. અધિકારી મુજબ ખરીરદાર મળ્યા પછી પણ લેવડ-દેવડ પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગી જશે. પરંતુ આર્થિક સ્થિતિને જોતા સરકારે ખરીદદાર મળવાની આશા નહિવત દર્શાવી છે. અર્થાત આગામી છ મહિનામાં એર ઇન્ડિયા પૂર્ણ રીતે બંધ થાય એવી સંભાવનાઓ છે.

December 31, 2019
shivnadar.jpg
1min4110

શિવ નાડર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી ચલણી નોટ ઓળખી શકે એવી ઈન્ક (શાહી) વિકસાવી છે.

symbolic photo

શિવ નાડર યુનિવર્સિટીના એક પ્રોફેસર દેબદાસ રેએ કહ્યું કે ‘અમારી સફેદ શાહી સસ્તા પદાર્થોથી બનેલી છે અને દિવસના તડકામાં અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ પારખી શકાય છે.’

હાલમાં ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ઈન્કમાં વધુ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી તે મોંઘી પડે છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. સિક્યોરિટી સાઈનેજ, ઈમર્જન્સી રૂટ સાઈલેજ, ટ્રાફિક સાઈનેજ, મેડિકલ ડાયેગ્નોસિસ વગેરે માટે પણ વ્હાઈટ સિક્યોરિટી ઈન્ક ઉપયોગી નીવડી શકે છે. ફ્ક્ત ૪૫ મિનિટમાં ઈન્ક તૈયાર થઈ જતી હોય છે, તેવું તેમણે કહ્યું હતું. એક ગ્રામ ઈન્કની કિંમત પ્રતિ ગ્રામ એક હજાર રૂપિયા છે.

છેલ્લા કેટલાક દશકાથી સિક્યોરિટી ઈન્કનું મહત્ત્વ વધ્યું છે. દિવસના પ્રકાશમાં નોટ અથવા દસ્તાવેજ પર લખેલું વાંચી શકાતું નથી અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ જ વાંચી શકાય છે.

જોકે, આ પ્રકારની ઈન્ક મોંઘી પડે છે અને તે ઝેરી હોય છે. નવી ઈન્ક પોલિવિનાઈલ આલ્કોહોલ નામના કેમિકલથી બનેલી હોય છે.

અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ અને તે ન હોય તો પણ આ વ્હાઈટ ઈન્કથી લખાયેલું વાંચી શકાય છે. અત્યારે વપરાતી શાહીથી લખેલું અલ્ટ્રાવાયોલેટ લાઈટ ન હોય તો વાંચી શકાતું નથી. વ્હાઈટ ઈન્કમાં ફોલોરોસેન્સ (નેનો સેક્ધડમાં ચમકે) અને ફોસ્ફોરેસન્સ (માઈક્રો સેક્ધડથી સેક્ધડ – વધુ સમય સુધી ચમકે) એમ બંને ગુડ્સ છે. આથી તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થઈ શકે છે.

December 29, 2019
ganja.jpg
1min19470

કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.

માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.

મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.

સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.

અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.

પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.

December 27, 2019
mig27.jpg
1min2990

ભારતીય વાયુ દળની શાન ગણાતા મિગ-27 વિમાનો આજરોજ તા.27મી ડિસેમ્બર 2019થી સેવા નિવૃત થઇ રહ્યા છે. મિગ-27 બનાવટના 7 વિમાનો આજે જયપુર ખાતે પોતાની છેલ્લી ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે. સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ 1958નાં રોજ વાયુસેના સ્ટેશન હલવારામાં ઓરાગન વિમાનથી કરવામાં આવી હતી.

પાકિસ્તાન સામેના વર્ષ 1999ના  કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27 આજે છેલ્લી વખત ઉડાન ભરશે.

વર્ષો સુધી સ્કવોડ્રનમાં અનેક વિમાનો ઉમેરાયા જેમાં મિગ 21 ટાઈપ 77, મિગ 21 ટાઈપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડ સામેલ છે.  મિગ 27 ફાઈટર પ્લેનને રિટાયર્ડ કરવા માટે જોધપુર એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરાશે.આ સમારંભની અધ્યક્ષતા દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડનાં એર ઓફીસર કમાન્ડિંગ ઇન  ચીફ એર માર્શલ એસકે ઘોટિયા કરશે. ત્રણ દશકા સુધી દુશ્મનોના દાંત ખાટા કરનાર મિગ 27ની વિદાયને લઈને વાયુસેનાએ એક ટ્વીટ પણ કર્યુ હતું જેમાં તેઓ લખ્યું કે ભારતીય વાયુસેના મિગ 27ને વિદાય આપશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાનોએ શાંતિકાળ અને યુદ્ધ સમયે રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે. 

December 27, 2019
up.jpg
1min316

 નાગરિકતા કાયદા(CAA) પર થઈ રહેલા આંદોલન અને વિરોધને જોતા આજે ઉત્તરપ્રદેશ યુપીમાં જુમ્માની નમાજ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 

બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠમાં ઇન્ટરનેટ ગુરુવારે રાતથી બંધ

સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે.જિલ્લા વહીવટીતંત્ર તમામને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 

હકીકતમાં લખનઉમાં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરવામાં આવે અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 

રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સંભલમાં 26 લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક રાજકીય પક્ષો, સંગઠન, અને વ્યક્તિગત આધાર પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી છે. જેમાંથી બુલંદશહેરમાં 6 લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે. સંભલમાં 15 લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે. 

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યાં છે

December 26, 2019
run_utsav.jpg
1min12720

લોકોનો ઉત્સાહ જોઈને કચ્છમાં યોજાતા રણોત્સવની તારીખ લંબાવવામાં આવી છે. સફેદ રણમાં યોજાતા ઉત્સવની મજા હવે 12મી માર્ચની સુધી પ્રવાસીઓ માણી શકશે. આ ઉત્સવની મજા ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીની રાત્રે પણ ચંદ્રમાની ચાંદનીમાં માણી શકાશે.

અગાઉ રણોત્સવની તારીખ 28મી ઓક્ટોબર 2019 થી 23મી ફેબ્રુઆરી 2020 રાખવામાં આવી હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે તે 12મી માર્ચ સુધી યોજાશે એટલે કે તેમાં 15 દિવસ કરતા વધુ સમય માટે ઉત્સવને લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવે જે લોકો શિયાળાની ઠંડી ઓછી થાય તેવા સમયે રણોત્સવ જવા માગતા હોય તેમને પણ ફાયદો થશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી માટે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચશે તેવું આયોજકો માની રહ્યા છે. આ સાથે તેના માટે બુકિંગ પણ ચાલી રહ્યા છે. આ વખતે ચોમાસું લાબું ચાલ્યું હોવાના કારણે જ્યાં સફેદ રણ છે ત્યાં પાણી ડિસેમ્બર સુધી રહ્યું હતું, જોકે હવે પાણી સુકાઈ જવાથી સફેદ રણનો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.

પૂનમની ચાંદનીમાં અહીંનો નજારો સામાન્ય દિવસો કરતા એકદમ અલગ હોય છે, આ નજારો માણવા માગતા પ્રવાસીઓ હવે સફેદ રણને પૂનમના ચંદ્રની ચાંદનીમાં માણી શકશે.

December 24, 2019
after_Jharkhand.jpg
1min3060

એક જ વર્ષનાં ગાળામાં ભાજપને પાંચમા રાજ્યમાં શિકસ્તનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઝારખંડમાં આજે જેએમએમ-કોંગ્રેસનાં મોરચાની જીત સાથે જ વધુ એક રાજ્ય ભાજપનાં હાથમાંથી સરકી ગયું છે. આ પહેલા ભાજપે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા પોતાનાં ગઢ સમાન મહત્વપૂર્ણ રાજ્યોમાં સત્તા ગુમાવી દીધી હતી અને હવે તેમાં ઝારખંડનો ઉમેરો થયો છે.

ભાજપ પાસે 21 રાજ્ય હતાં

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો હતો અને ત્યારબાદ ભાજપની જીતનો સિલસિલો શરૂ થયેલો. 2014માં ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ મોરચાનાં કબજામાં માત્ર 7 રાજ્ય હતાં. પછી જાણે આખો દેશ ભગવા રંગે રંગાવા લાગ્યો હતો. 2017માં રાજકીય રીતે સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત 2018 આવતા ભાજપે 21 રાજ્યોમાં સિંહાસન હસ્તગત કરી લીધું હતું. તો 2019 આવતાં તેનો શાસકીય નક્શો સંકોચાઈને 1પ રાજ્યો ઉપર આવી ગયો છે.

ભાજપનો ગ્રાફ નીચે સરક્યો

વર્ષ 2018નાં અંતે દેશની રાજનીતિનો નક્શો ઝડપથી પલટાવા લાગ્યો. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા મહત્વનાં રાજ્યોમાંથી ભાજપે સત્તા ગુમાવી દીધી. તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ફટકો ભાજપ માટે કડવા ઘૂંટડા સમાન બની રહ્યો. કારણ કે ત્યાં ભાજપ દોઢ દાયકાથી એકધારું શાસન કરતો હતો. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરીથી ધમાકેદાર પ્રદર્શન કર્યુ અને 2014 કરતાં પણ વધુ શક્તિશાળી બનીને ઉપસી આવ્યો. પરંતુ કેન્દ્રમાં સરકાર રચ્યા બાદ ઓક્ટોબર 2019માં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનાં પરિણામોએ ભાજપને ફરીથી આચકો સહન કરવાનો આવ્યો. હરિયાણામાં ગમે તેમ કરીને ભાજપ સત્તા જાળવી શક્યો પણ મહારાષ્ટ્ર તેનાં હાથમાંથી સરકી ગયું હતું. વર્ષ 2019 જતાં જતાં તેને છેલ્લો ઝટકો ઝારખંડ રૂપે આપતું ગયું છે.

અમિત શાહની સ્ટ્રાઈક રેટ પ0 ટકા ઘટી ગઈ

વર્ષ 2019માં ભાજપે કુલ મળીને 212 વિધાનસભા બેઠકો ઉપર પછડાટ ખાધી છે. આ સીવાય ભાજપને હરિયાણામાં 7, આંધ્રપ્રદેશ અને તેલંગણમાં ચાર-ચાર બેઠકોનું નુકસાન થયું છે. જુલાઈ 2014માં અમિત શાહ ભાજપનાં અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ઝારખંડને બાદ કરતાં 31 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે પ1 ટકા રાજ્યોમાં સરકાર બનાવી છે. 2014માં ભાજપની સ્ટ્રાઈક રેટ 100 ટકા રહી હતી. 201પમાં તે શૂન્ય થઈ ગઈ. 2014નાં ડિસેમ્બરમાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ગઠબંધન સરકારો બનાવી હતી. 2016માં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપ માત્ર એક જ જીત હાંસલ કરી શક્યો હતો. જો કે 2017માં ભાજપને બહેતર પરિણામો મળ્યા. ફેબ્રુઆરી-માર્ચમાં સાત રાજ્યોની ચૂંટણીઓ થઈ અને તેમાંથી છમાં તેને સત્તાનો તાજ મળ્યો. તો 2018માં કુલ નવ રાજ્યોમાં ચૂંટણી થઈ અને ભાજપનું પ્રદર્શન 4પ સુધી સમેટાઈ ગયું. ભાજપ નવમાંથી માત્ર ચાર રાજ્યોમાં જ સરકાર બનાવવામાં સફળ થયો. 2019માં કુલ છ રાજ્યોમાં ચૂંટણી થઈ અને તેને ત્રણમાં સત્તા મળી.

સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસની બીજી જીત

એક તરફ અમિત શાહનાં અધ્યક્ષસ્થાનેથી ભાજપને એક વર્ષમાં પાંચ રાજ્યોમાં નુકસાન થયું છે તો કોંગ્રેસનાં અધ્યક્ષસ્થાને સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસ સતત બીજા રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યો છે.

December 23, 2019
tejash2.jpg
1min3110

ઓક્ટોબર 2019માં દેશની પહેલી ખાનગી તેજસ એક્સ્પ્રેસ દિલ્હીથી લખનઊ રૂટ પર દોડી હતી. એ બાદ ખાનગી એક્સ્પ્રેસ ટ્રેન દોડાવવા માટે મુંબઈ-અમદાવાદ રૂટની પસંદગી કરવામાં આવી હતી.

ખાનગી ધોરણે દોડનારી બીજી તેજસ એક્સ્પ્રેસ જાન્યુઆરી 2020માં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે એવી વકી છે. આ ટ્રેનના ટિકિટના દર અન્ય એક્સ્પ્રેસ ટ્રેનોની સરખામણીમાં વધારે હશે.
આ રૂટ પર આગામી 17 જાન્યુઆરીથી તેજસ એક્સ્પ્રેસ દોડવાની શક્યતા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા આ બંને ખાનગી એક્સ્પ્રેસ ટ્રેનને દોડાવાશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સ્પ્રેસની પ્રથમ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી રવાના થશે અને તે બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી તે બપોરે 3.40 વાગે રવાના થઈ અમદાવાદ રાતે 9.55 વાગે પહોંચશે. સપ્તાહમાં ગુરુવાર સિવાય અન્ય બધા દિવસે તે દોડશે.

A few months ago, a tentative schedule was shared by IRCTC for the upcoming Ahmedabad-Mumbai Tejas Express train. As per the tentative schedule of this private train service, the IRCTC Ahmedabad-Mumbai Tejas Express will start from Ahmedabad Junction railway station at 6:40 AM and will reach Mumbai Central railway station at 1:10 PM. On the return journey, the train will depart from Mumbai Central railway station at 3:40 PM and will reach Ahmedabad Junction railway station at 9:55 PM. En route both ways, the train will halt at Vadodara Junction railway station and at Surat railway station. The Ahmedabad-Mumbai Tejas Express is likely to run six days a week.