CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 52 of 126 - CIA Live

August 6, 2020
corona_india.jpg
1min3520

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 52,509 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 19,08,255 સુધી પહોંચી ગઈ છે. 

છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીને કારણે 857 દર્દીઓના મોત થયા છે અને મૃત્યુંઆંક વધીને 39,795 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી કુલ 12,82,216 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા અમેરિકા અને બ્રાઝીલની જેમ સતત વધી રહી છે. 

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 51,603 નવા કેસ નોંધાયા છે સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીને કારણે 1154 લોકોના મોત થયા છે આ સાથે જ મૃત્યુઆંક 95 હજારને પાર પહોંચી ગયો છે. 

August 5, 2020
corona-gujarat.jpg
1min3060

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઇકાલની સરખામણીમાં નજીવો ઘટાડો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૨૨ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યું થયા છે. શનિવારની સરખામણીમાં લગભગ ત્રણ હજાર જેટલા ઓછા ટેસ્ટ પણ સંભવત: એક કારણ હોઇ શકે. હાલની સ્થિતિએ અમદાવાદમાં સ્થિતિ થોડી નિયંત્રણમાં હોય તેમ જણાય છે. રોજેરોજ દસેક હજાર જેટલા ટેસ્ટ વચ્ચે પોઝિટિવ કેસનો આંક ૧૫૦ની નીચે રહે છે. શહેરમાં નવા ૧૪૩ અને ગ્રામ્યમાંથી ૧૨ કેસ મળી કુલ ૧૫૫ કેસ આવ્યા છે જ્યારે શહેરના બે દર્દીના કોવિડ સંક્રમણથી મૃત્યું થયા છે. આ આંક એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલી વખત થયો હતો.

અલબત્ત, સુરત શહેરમાં આઠવા લાઇન્સ અને વરાછામાં સૌથી સ્થિતિ ખરાબ છે એના કારણે સરેરાશ ૨૦૦થી વધુ કેસ રોજેરોજ નોંધાયા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૦૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાં ક્રમશ: કેસ ઘટીને ૨૮ થયા છે. અલબત્ત, મૃત્યુંનું પ્રમાણ હજુ ઊંચુ છે. મહાનગરમાંથી વધુ સાત દર્દીઓ અને ગ્રામ્યમાંથી વધુ પાંચ મળી ૧૨ દર્દીના મૃત્યું થયા છે.

વડોદરા મહાનગરમાં એક સાથે ૮૧ કેસ નવા નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે જ્યારે જિલ્લામાંથી નવા પંદર કેસ આવ્યા છે. આમ, સરેરાશ ૯૦ ઉપર રહી છે. જોકે, શહેરમાં સારવાર હેઠળના વધુ બે દર્દીના મૃત્યું થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૯ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેસ રાજકોટમાંથી નોંધાયા છે. રાજકોટ મહાનગરમાંથી એક સાથે ૮૦ કેસ મળ્યા છે એની પાછળનું કારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પછી અમદાવાદ મોડેલની જેમ સઘન ટેસ્ટીંગ વધારાયું છે. સુપરસ્પ્રેડર્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી ચેકઅપ હાથ ધરાતા કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૪ નવા કેસ આવ્યા છે આમ, પહેલી વખત જિલ્લા આખાનો આંક ૯૪ થયો છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યું પણ થયું છે.

રાજકોટ પછી સૌથી વધારે કેસ ભાવનગર શહેરમાંથી આવ્યા છે. શહેરમાંથી નવા ૪૬ કેસની સાથોસાથ ગ્રામ્યમાંથી નવા ૨૬ કેસ મળી કુલ ૭૨ કેસ મળ્યા છે. આ જ રીતે જૂન મહિના સુધી ગ્રીન ઝોનમાં રહેલા જામનગર શહેરમાંથી જ એક સાથે નવા ૪૦ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૨ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૪૦ કેસમાં શહેરના જ ૧૯ કેસ છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી નવા ૧૭ કેસ, બોટાદમાંથી ૧૫, ગીરસોમનાથમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાંથી ૧૩, સુરેન્દ્રનગરમાંથી ૧૦, કચ્છમાંથી ૧૬, પોરબંદરમાંથી નવા ૭ કેસ ઉમેરાયા છે.

મહેસાણામાં કડી, વીસનગર, વિજાપુર, ઊંઝા, બેચરાજીમાંથી મળી નવા ૪૪ કેસ નોંધાયા છે જ્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર, રાધનપુર, શંખેશ્વર જેવા સંક્રમિત વિસ્તારોમાંથી નવ કેસ ઉમેરાયા છે. પાટણમાં એક દર્દીનું મૃત્યું થયાનું સરકારે સ્વીકાર્યું છે. સાબરકાંઠામાં હિંમનગર, પ્રાંતિજ, ઇડર જેવા વિસ્તારોમાંથી આઠ કેસ નવા ઉમેરાયા છે. અરવલ્લામંથી એક કેસ છે, આ જ રીતે બનાસકંઠા જિલ્લામાંથી ત્રણ જ કેસ નોંધાયા હોવાનું જાહેર કરાયું છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોઇએ તો વલસાડ જિલ્લામાંથી C૦, નવસારીમાંથી ૧૯, દાહોદમાંથી ૧૭, આણંદ, ભરૂચમાંથી ૧૬-૧૬ કેસ, છોટાઉદેપુરમાંથી ૧૩, નર્મદામાંથી ૧૦, તાપી ૪, મહીસાગરમાંથી એક કેસ નવો ઉમેરાયો છે. જ્યારે અન્ય રાજ્યના ૨ નવા કેસ ઉમેરાયા છે.

કુલ ટેસ્ટનો આંક આઠ લાખને અને કેસનો આંક ૬૩૦૦૦ને પાર

રાજ્યમાં સરેરાશ ટેસ્ટનો આંક વધારવા સાથે હવે ધનવંતરી રથ મારફતે લોકોને ઘર આંગણે જ કોવિડ સિવાયની સામાન્ય બિમારીની સારવાર ઉપલબ્ધ થઇ રહી છે એની સાથોસાથ સંક્રમિત દર્દીઓને શોધવા રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ વ્યાપક રીતે શરૂ કરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૨૩૨૫૫ ટેસ્ટ કરાતા કુલ આંક આઠ લાખને પાર થઇ ૮,૧૪,૩૩૫ થયો છે એની સાથે પોઝિટિવ કેસનો આંક વધીને ૬૩૬૭૫ થયો છે. જોકે, આઇસીએમઆરની ગાઇડલાઇન્સને પગલે ડિસ્ચાર્જની કુલ સંખ્યા છેલ્લા ચોવીસ કલાકના ૮૦૫ દર્દીના ઉમેરા સાથે વધીને ૪૬૫૮૭ સુધી પહોંચી છે જોકે, કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ૨૪૮૭ સુધી પહોંચી ગયો છે જે દેશમાં સૌથી વધારે હતો એ હવે ઘટીને ૩.૫ ટકા થયો છે. રિવકરી રેટ ૭૩.૧૮ ટકા થયો છે. હાલ એક્વિટ કેસ ૧૪૬૦૧ છે એમાં ૮૧ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૫૨૦ સ્ટેબલ છે.

August 5, 2020
weather-forecast.jpg
1min3110

ભારતીય હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઓછું થવાના કારણે હવે ચોમાસું થોડું દક્ષિણ તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ચોથી ઓગસ્ટે ઉત્તર બંગાળની ખાડી પર ઓછું દબાણ ક્ષેત્ર થવાની શક્યતા પેદા થઈ છે.

જેનાથી મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનો સિલસિલો યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં 5-6 ઓગસ્ટે તેજ હવાની સાથે સાથે ભારે વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના કહ્યું છે કે આગામી 48 કલાકમાં ઈસ્ટ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ગડગડાટ સાથે અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને રાજ્યના કેટલાક જિલ્લામાં 3 થી પાંચ ઓગષ્ટ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે કહ્યું છે કે 3 થી પાંચ ઓગષ્ટ સુધી મુંબઈ સિવાય રાયગઢ, રત્નાગિરી, સિંધદુર્ગ, પૂણે, કોલ્હાપુર, સાંગલી, બીડ, લાતૂર અને ઉસ્માનાબાદ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

August 4, 2020
health_card.jpg
1min4160

વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.

આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.

‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.

પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.

August 3, 2020
quarantine.jpeg
1min2650

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને લગતી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે મુજબ મુંબઇ અને ગુજરાત આવતા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ ૭ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ, ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન એમ કુલ ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. પુણે અને અમદાવાદમાં બધા પ્રવાસીઓને ૧૪ દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ દરેક રાજ્ય માટે અલગ અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહારાષ્ટ્રના નાગપુર, કોલ્હાપુર અને શીરડી આવતા પ્રવાસીઓ માટે પણ અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે સાત દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બીમારી હોય, દસ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને ક્વોરન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે જરૂરી દસ્તાવેજો સાથે અંડરટેકિંગ ફોર્મ ભરીને ફશિાજ્ઞિભિંજ્ઞદશમલળફશહ.ભજ્ઞળ સાઇટ પર મોકલવાનું રહેશે.

દરમિયાન, અમદાવાદથી મળતા સંદેશામાં જણાવાયું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન અને ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકિંગ

કરવામાં આવશે જેમાં ડોમેસ્ટિક પેસેન્જરમાં લક્ષણો નહીં હોય, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકિંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને સાત દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન રહેવું પડશે. તે પછી પણ સાત દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકિંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે.

આ પહેલા ૨૫મી મેએ દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ હતી જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી હેઠળ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં મુસાફરોને કયા નિયમોનું પાલન કરવું પડશે તેના વિશે સમગ્ર માહિતી આપવામાં આવી હતી.

August 1, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના આરોગ્ય વિભાગે તા.30મી જુલાઇ 2020ના રોજ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે ચાઇના સમેત વિદેશમાં કોઇપણ જગ્યાએથી મેડીકલ એજ્યુકેશનની પ્રાથમિક ડિગ્રી, એમ.બી.બી.એસ. સમકક્ષ ડિગ્રી ધારકોએ જો વિદેશી સંસ્થાઓમાં મેડીકલ અભ્યાસની સાથે એક વર્ષની ઇન્ટર્નશીપ કરી હશે તો તેને સ્વીકારીને ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાંથી મુક્તિ આપવી. આવા તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન વખતે ફોરેનની સંસ્થામાં એક વર્ષ માટે કરેલી ઇન્ટર્નશીપને માન્ય ગણવા માટે દરેક રાજ્યોના મેડીકલ કાઉન્સિલ સત્તામંડળને જણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956ની સેક્શન 13 (3) અન્વયે ભારત દેશમાં તબીબોનું પરમેનન્ટ રજિસ્ટ્રેશન (કાયમી નોંધણી) કરતી વખતે ફોરેન મેડીકલ ડિગ્રી ધારકોએ ભારતમાં એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી હવે ચાઇના તેમજ અન્ય દેશોમાંથી મેડીકલ ડિગ્રી ધરાવનાર અને વિદેશમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પૂર્ણ કરનાર ઉમેદવારોનું ભારતમાં તબીબ તરીકે પરમેન્ટન્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ મુજબની સ્પષ્ટતા કરી છે

રાજ્યોની મેડીકલ કાઉન્સિલને આ બાબતે જાણ કરવામાં આવી

જાહેર નોટીસ આ મુજબની છે

What does Section 13(3) in The Indian Medical Council Act, 1956 say?

The medical qualifications granted by medical institutions outside India, before such date as the Central Government may, by notification in the Official Gazette, specify which are included in Part IInd of the Third Schedule shall also be recognised medical qualifications for the purposes of this Act, but no person possessing any such qualification shall be entitled to enrolment on any State Medical Register unless he is a citizen of India and has undergone such practical training after obtaining that qualification as may be required by the rules or regulations in force in the country granting the qualification, or if he has not undergone any practical training in that country he has undergone such practical training as may be prescribed.

July 30, 2020
corona_india.jpg
1min5710

ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ કેસ બુધવાર તા.30મી જુલાઇ 2020ના રોજ નોંધાયા છે, ભારતમાં પહેલીવાર દૈનિક કેસોની સંખ્યા 52,000 પ્લસ પર નોંધાઇ છે. બુધવારે આવેલા નવા કેસોમાં સૌથી વધારે નવા કેસ આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. આ એવું રાજ્ય બન્યું છે જ્યાં મહારાષ્ટ્ર પછી એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

પાછલા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો હતો. જેમાં બુધવારે 10,093 કેસ નોંધાય છે, આ સાથે આંધ્રપ્રદેશનો કુલ આંકડો 1,20,390 પર પહોંચ્યો છે, જે દિલ્હીના કુલ કેસ 1,33,310ને જલદી પાર કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં વધુ 65 લોકોના મોત સાથે અહીંનો કુલ મૃત્યુ આંક 1,213 થઈ ગયો છે, જે આંઠ સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંથી એક બન્યું છે.

52,898 નવા કેસ સાથે બુધવારે કુલ કેસ 15,83,483 થઈ ગયા છે અને જેમાં પાછલા 29 દિવસમાં 10 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના કેસને જોતા જુલાઈ વધારે ગંભીર મહિનો સાબિત થયો છે, જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસ દેશમાં આવ્યા તે પછીના 63% કેસ આ મહિનામાં નોંધાયા છે. બુધવારે 771 લોકોના વાયરસના કારણે મોત થયા છે- જે બીજા નંબરનો એક દિવસનો સૌથી મોટ મૃત્યુઆંક છે. આ પહેલા મંગળવારે 781 લોકોના મોત થયા હતા. ભારતમાં કુલ 34,950 લોકોના મોત થઈ ગયા છે. આમાંથી અડધાથી વધારે મોત જુલાઈ મહિનામાં નોંધાયા છે.

દેશમાં ફેલાયેલા કરોના વાયરસ વચ્ચે સકારાત્મક પાસું જોઈએ તો, 10 લાખ કરતા વધારે લોકો સાજા થઈ ગયા છે, પાછલા 24 કલાકમાં 32,371 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 10,19,081 થાય છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સૌથી ખરાબ અસર થઈ છે, રાજ્યમાં આંધ્રપ્રદેશ પછી બીજા નંબરે 9,211 નવા કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,00,651 થયો છે. આં આંકડો મેક્સિકોના કેસ (4,02,697)ની નજીક પહોંચી ગયો છે. દુનિયાના કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં ભારત છઠ્ઠા નંબર પર છે. મહારાષ્ટ્રમાં વધુ 293 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

દક્ષિણ ભારતની સ્થિતિ પર નજર કરીએ તો કર્ણાટકામાં 92 લોકોના સૌથી વધારે મોત બુધવારે નોંધાયા છે, જે પછી તામિલનાડુમાં 82, આંધ્રપ્રદેશમાં 65 અને તેલંગાણામાં 12નાં મોત થયા છે. આંધ્રપ્રદેશની સાથે દેશના અન્ય 4 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ બન્યો છે, જેમાં રાજસ્થાનમાં 1,144, ગુજરાતમાં 1,114, મધ્યપ્રદેશમાં 917 અને ઝારખંડમાં 791 કેસ નોંધાયા છે.

July 30, 2020
corona-gujarat.jpg
1min3240

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક હવે દૈનિક ૧૨૦૦ કેસની નવી ટોચ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ૧૧૦૦થી વધુ કેસની સરેરાશ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૪૪ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૪ દર્દીઓના સારવાર દરમિયાન કોવિડ-૧૯ના સંક્રમણને લીધે મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યું છે. આ કેસમાં સૌથી વધારે પ્રમાણ હવે ગામો, નગરોમાંથી ૬૦ ટકા કેસનું થઇ ગયું છે. આઠ મહાનગરોમાંથી ૫૩૪ કેસ મળ્યા છે, જ્યારે ગામો, નગરોમાંથી ૬૧૦ કેસ નોંધાયા છે. જોકે, મહાનગરોમાં મૃત્યુનું પ્રમાણ હજુ વધારે છે આઠ મહાગરોમાં કુલ ૧૫ મૃત્યુ અને જિલ્લાઓમાંથી ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જોકે, આ જ સમયગાળામાં ૭૮૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આઠ મહાગરોમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાં ૨૦૭ અને આઠ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જ્યારે આસપાસના નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૮૪ કેસ ઉમેરાયા છે તથા વધુ ૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેમ હવે કોટ વિસ્તાર સિવાયના શહેરમાંથી નવા ૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. શહેરને ફરતે આવેલા ધંધુકો, માંડલ, વીરમગામ અને સાણંદમાંથી નવા ૧૧ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગરમાંથી નવા ૭૨ કેસ નોંધાયા છે એમાં જૂના સૌથી વધારે સંક્રમિત વિસ્તારો સિવાયના રહેણાંક, ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી કેસ આવી રહ્યા છે. જોકે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આજે એક સાથે ૨૩ કેસ મળી આવ્યા છે એના લીધે હવે કુલ આંક ૯૫ થયો છે. શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી એક મળી કુલ ત્રણ દર્દીના કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયા છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૨ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલના ગ્રામ્ય અને નગરોમાંથી ફરીથી એક સાથે ૩૮ કેસ ઉમેરાયા છે. અત્યાર સુધી નગરોમાં રહેલો ચેપ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૦ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલા કેસ મળી કુલ ૮૦ કેસ એક સાથે નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે કબુલ્યું છે. રાજકોટ સિવાય અન્ય મહાનગરોમાં જોઇએ તો ભાવનગરમાં કુલ ૩૫ નોંધાયા છે એમાં મહાનગરના ૨૩ કેસ છે આ જ રીતે જૂનાગઢ શહેરમાંથી ૨૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૮ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૬ તેમજ ગ્રામ્યના ૩ કેસ મળી કુલ ૧૯ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સિવાય ક્યાંય ચોવીસ કલાકમાં કોવિડથી મૃત્યુ થયું નથી.

જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ મહેસાણા જિલ્લામાં ૩૬ નોંધાયા છે. મહેસાણા નગર ઉપરાંત કડી, વીસનગર, ઊંઝા, બેચરાજી, ખેરાલુ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આ કેસ આવ્યા છે. ભરૂચ અને દાહોદમાંથી ૩૩-૩૩ કેસ મળ્યા છે. દાહોદ જિલ્લામાં હવે વ્યાપક રીતે ટેસ્ટીંગ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ વધારવું પડશે. છેલ્લા વીસ દિવસથી સતત દાહોદ જિલ્લામાં વ્યાપક રીતે કેસ મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નગર ઉપરાંત પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, હળવદમાંથી નવા ૩૧ કેસ ઉમેરાયા છે. મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવા સાથે હવે કેસની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે નવા ૨૮ કેસ નોંધાયા છે આ જ સ્થિતિ અમરેલીમાં થઇ છે. નવા ૨૪ કેસ નોંધાયા છે. અમરેલી ઉપરાંત ધારી, લાઠી,લીલીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય સંક્રમિત શહેરોમાંથી આવતા લોકોના લીધે ચેપ પ્રસર્યો છે.

વલસાડમાંથી ૧૯, નર્મદા, પાટણમાંથી ૧૮-૧૮, નવસારાંથી ૧૭, પોરબંદરમાંથી ૧૪, સાબરકાંઠામાંથી પણ ૧૪ કેસ, કચ્છમાં ૧૩, મહીસાગર ૧૨, આમંદ, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, તાપીમાંથી ૧૦-૧૦ કેસ નવા ઉમેરાયા છે. બોટાદ, ગીર સોમનાથમાંથી ૮-૮, છોટુદેપુરમાંથી ૨ તેમજ અરવલ્લી, દ્વારકા ને ડાંગમાંથી એક એક કેસ નવા નોંધાયા છે જ્યારે અન્ય રાજ્યના નવા ૧૦ કેસ ઉમેરાયા છે. પાટણમાં બે અને મહેસાણામાં એક દર્દીના કોવિડના લીધે મૃત્યુ થયા છે.

આમ, ચોવીસ કલાકમાં ૨૨૯૧૪ ટેસ્ટ સાથે કુલ આંક ૭,૧૩,૦૦૬ થયો છે આને પગલે પોઝિટિવ કેસનો આંક ૫૯૧૨૬ થયો છે જ્યારે કુલ મૃત્યુ આંક ૨૩૯૪ સુધી પહોંચ્યો છે. નવા ૭૮૩ ડિસ્ચાર્જ ઉમેરાતા કુલ આંક ૪૩૧૯૫ થયા છે. હાલ ૧૩૫૩૫ એક્વિટ પેશન્ટ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૩૪૪૬ સ્ટેબલ છે.

July 29, 2020
corona_india.jpg
1min4580

દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 15 લાખને પાર પહોંચી ગઇ છે. તાજેતરના આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી દેશભરમાં 15,00,988 લોકો પીડિત થઇ ચૂક્યા છે. વર્તમાન સમયમાં દેશમાં 5,06,153 સક્રિય કેસ છે, જ્યારે 9,61,000થી વધુ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ પૈકી દેશનો કુલ મૃત્યુઆંક વધીને 33,620 થયો છે. 

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ છે, તમિલનાડૂમાં મંગળવાકે સંક્રમણના નવા 6972 કેસ સામે આવ્યા હતા, કુલ દર્દીઓનો આંકડો 2,27,688 છે. જ્યારે રાજ્યભરમાં કુલ 3659 દર્દીઓ કોરોના સંક્રમણના લીધે દમ તોડી ચૂક્યા છે. 

દિલ્હીમાં પણ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1,32,275 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3881 છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર મુજબ કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે. 

જોકે દેશભરમાં કોરોના મહામારી રુદ્ધ રુપ ધારણ કરી ચૂકી છે, દૈનિક સ્તરે નવા કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્વાસ્થ મંત્રાલય સતત દાવો કરી રહ્યુ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસોની સંખ્યા ઓછી છે અને રિકવરી રેટ વધુ છે. વિશ્વસ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ સૌથી ઓછો છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં નવા કેસોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકારો સ્વ-નિર્ણય લઇને કોરોના સંક્રમણને કાબૂ કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે. 

July 29, 2020
corona-gujarat.jpg
1min2880

ગુજરાત સહિત દેશભરમાં હવે અનલોક-૩ માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે બીજી તરફ દેશભરમાં રોજેરોજ વધતાં જતાં સંક્રમણના પ્રભાવથી વધુને વધુ શહેરો, નગરોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જેવી સ્થિતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એવા સમયે ગુજરાતમાં પણ અનેક નગરો, ગામોમાં વેપાર, ધંધા વ્યવસાયના કામકાજને નિયંત્રિત કરી દેવાયા છે છતાં રોજેરોજ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૮ કેસ અને ૨૪ મૃત્યુ નોંધાયા છે આ કેસમાં બીજી વખત મહાનગરો કરતાં વધારે કેસ ગ્રામ્ય તથા નગરોમાંથી આવ્યા છે.

આઠ સંક્રમિત મહાનગરોમાંથી ૫૩૦ કેસ અને ગામોમાંથી ૫૭૮ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મૃત્યુની દ્રષ્ટીએ મહાનગરોમાંથી ૧૫ અને ગ્રામ્યના ૯ દર્દીનો સમાવેશ થાય છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે સતત બીજા દિવસે એક હજારથી વધારે એટલે કે ૧૦૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે તેના પગલે રિવકરી રેટ ૭૩.૧૫ થયો છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાંથી ૧૯૯ તેમજ જિલ્લામાંથી ૯૪ કેસ આવ્યા છે જ્યારે અનુક્રમે ૭ અને ૫ દર્દીઓના મૃત્યુ પણ છેલ્લા ચોવીસ કલાકમાં થયા છે. અમદાવાદ મહાનગરમાંથી બીજા દિવસે પણ દોઢસોથી ઓછા કેસ એટલે કે ૧૪૭ કેસ નોંધાયા છે. દેત્રોજ, માંડલ, વીરમગામમાંથી નવ કેસ નોંધાયા છે. મહાનગરના ચાર દર્દીઓના કોવિડના સંક્રમણથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૫ કેસ આવ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. આ જ રીતે રાજકોટ શહેરમાંથી ૪૯ કેસ અને જિલ્લામાંથી નવા ૩૦ કેસ મળી કુલ ૭૯ કેસ નોંધાયા છે. જિલ્લાના બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય સંક્રમિત મહાનગરમાં જામનગરમાંથી નવા ૨૨ કેસ તેમજ એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર નવા કેસ આવ્યા છે. ભાવનગર શહેરમાંથી ૧૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ બે દર્દીઓના મૃત્યુ પણ આ સાથે થયા છે. જિલ્લામાંથી ૨૦ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૧૬ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા નવ કેસ મળ્યા છે, પરંતુ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એક સાથે નવા ૩૫ કેસ મળતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આ તાલુકાઓમાં હવે ગામડાઓમાં ચેપ પ્રસરી રહ્યો છે અને એના લીધે રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

દાહોદ નગર અને લીમખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચેપ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેમ રોજેરોજ નવા મહોલ્લાઓમાંથી કેસ આવી રહ્યા છે. દાહોદમાં એક જ દિવસમાં નવા ૩૮ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં મળ્યા છે. ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દીયોદર, ધાનેરા, પાલનપુર, વાવ, લાખાણી, કાંકરેજ અને ડીસામાંથી નવા ૩૪ કેસ મળ્યા છે એની સાથે સુરેન્દ્રનગરના પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણમાંથી નવા ૩૨ કેસ નોંધાયા છે. અમરેલીમાં લાઠી લીલાયા, ધારી સહિતના વિસ્તારમાં હવે ચેપ પ્રસર્યો છે નવા ૨૬ કેસ નોંધાયા છે. નવસારીમાંથી ૨૧ કેસ મળ્યા છે.