CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 24 of 126 - CIA Live

May 7, 2021
bad_weather.jpg
1min312

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમ જ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે એમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
૭મી મેથી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમ જ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી જોર પકડશે. એમાં ઓડિશાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવાં વાદળો આવશે.

May 6, 2021
breaking_CIA-1280x831.jpg
1min335

કેરાલા રાજ્યના મુખ્યમંત્રી પીનારાઇ વિજયને આજરોજ તા.6 મે 2021ના રોજ ટ્વીટર પરથી એવી જાહેરાત કરી હતી કે કોરોનાના વધતા કેસોને કાબૂમાં લઇ શકાય, કોરોનાની ચેઇન તોડી શકાય એટલા માટે કેરાલા સમગ્ર રાજ્યમાં આગામી તા.8થી 16 મે દરમિયાન સંપૂર્ણપણે લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

May 6, 2021
gujarat_highcourt.jpg
1min207

કોરોના અંગે હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટોમાં આજે વચગાળાની સૂનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિવ ભાર્ગવ ડી. કારિયાએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણથી લોકો પીડાઇ રહયા છે તેનાથી વધારે ન મળતી મેડિકલ સુવિધાઓથી લોકો પરેશાન છે.

રાજ્યમાં સંક્રમણથી બચવા અનેક વિસ્તારો અને જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન લાગું કર્યુ છે. દેશના અનેક રાજ્યોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લગાવાયેલું છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા સરકારે રાજ્યના 36 જિલ્લાઓમાં માત્ર નાઇટ કફર્યૂ જેવા નિયંત્રણો મુક્યા છે! આ નિયંત્રણો પર ગુજરાત હાઇકોર્ટે સરકારને લપડાક મારતા કહ્યુ છે કે સરકારે રાજ્યમાં જે રાત્રી કફર્યૂ લગાવ્યો છે તે પગલાં કોરોના સંક્રમણ રોકવા માટે પુરતા નથી.

ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એફ તરફ એવુ કહી રહી છે કે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવામાં આવી છે પરંતુ 23મી એપ્રિલથી બીજી મે દરમિયાન ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ત્યારે ટેસ્ટિંગ માટે કોઇને ના કહેવામાં આવતી નથી. જો કોઇ ટેસ્ટિંગ માટે આગળ ન આવતું હોય તો અમે તેમને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે જો કોઇ સત્તાધિશો લોકોને ટેસ્ટિંગની ના કહેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેમડેસિવિરની વહેંચણીની પોલિસી વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં રાજ્ય સરકારને મળેલા રેમડેસિવિરમાંથી 25.44 અમદાવાદ જિલ્લાને અને બાકીના 74.56 રેમડેસિવિર અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા હતા. જેથી ખંડપીઠે ટકોર કરી હતી કે અમે સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છીએ અને અમદાવાદ એ રાજ્યનો એક હિસ્સો છે.

અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે સૌથી વધુ વસતિ પણ અહીં છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરના વિતરણની શું પોલિસી છે તેની વધુ માહિતી જરુરી છે. અમને પ્રતિભાવો મળી રહ્યા છે કે અન્ય જિલ્લાઓમાં માગણી પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા નથી અને ખૂબ ઓછો જથ્થો આપવામાં આવે છે. કોર્ટે સરકારને’ જિલ્લાવાર ચાર્ટ સ્વરુપે એવી વિગતો આપવાનો આદેશ કર્યો છે જેમાં દરેક જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રેમડેસિવિર વાયલની માગણી અને તેની સામે પૂરાં પાડવામાં આવેલાં વાયલની માહિતી હોય.

May 5, 2021
guj_corona.jpg
1min256

રાજ્યના અમદાવાદ સહિતનાં ૨૯ શહેરોમાં કરફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. રાજ્યના વધુ સાત શહેરો એવા ડીસા, અંકલેશ્ર્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આમ ૩૬ શહેરોમાં ૬થી ૧૨ મે સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ ઉપરાંત આ તમામ નગરોમાં દિવસે પણ મિનિ લૉકડાઉન જેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના વાઈરસના સંક્રમણની સ્થિતિની ઉચ્ચ અધિકારીઓ અને સિનિયર પ્રધાનોની ઉપસ્થિતિમાં સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ ૯ શહેરમાં રાત્રિ કરફ્યૂ અમલી બનાવ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ, ગુજરાતનાં કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો.

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડ ૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ,

પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઑક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હૉટેલ / રેસ્ટારન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બૅંક, ફાઇનાન્સ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅંકોના ક્લિયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ર્ચિત કરવાની રહેશે.

May 4, 2021
bihar.jpg
1min225

કોરોના મહામારી વચ્ચે બિહારમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાટાર આવી રહ્યા છે કે, કોરોનાના બેફામ કેસ અને હાઈકોર્ટના કડક વલણને કારણે બિહાર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના ટ્વિટર હેંડલ પર બિહારમાં 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 મેની સવારે 11:34 વાગ્યે પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાહેરાત કરી છે. સીએમ નીતીશ કુમારે ટ્વિટ કર્યું છે કે ‘ગઈકાલે સહયોગી મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલમાં બિહારમાં 15 મે 2021 સુધીમાં લોકડાઉન અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રૂપને તેની વિગતવાર માર્ગદર્શિકા અને અન્ય પ્રવૃત્તિઓના સંબંધમાં આજે કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.’

આ પહેલા પટણા હાઈકોર્ટે બિહારમાં લોકડાઉન નહીં મૂકવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે કોરોના પીડિતોની સારવારના સંદર્ભમાં દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે પટણા હાઈકોર્ટે બિહાર સરકારને એક સવાલ પૂછ્યો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર સાથે વાત કરવા અને આજે એટલે કે 4 મેના જણાવે કે રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આજે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હાઈકોર્ટ કડક નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કોર્ટના કડક વલણ પછી બિહાર સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી.

હાઇકોર્ટે ગઈકાલની સુનાવણીમાં એવું પણ કહ્યું હતું કે લાગે છે કે આખું તંત્ર ધ્વસ્ત થઈ ગયું છે. બેડ અને વેન્ટિલેટરનો અભાવ અને 500 બેડની ઇએસઆઈસી હોસ્પિટલ શરૂ કરવાના આદેશ ઉપર પણ કામ શરૂ થયું નથી. સરકારી રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરતી હતી, તેથી સ્વતંત્ર સમિતિની રચના કરી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રેશર સ્વીચ ઓબ્જર્વેશન સિસ્ટમના બે પ્લાન્ટ કોવિડની બે હોસ્પિટલોમાં લગાવવામાં આવ્યા છે અને કામ શરૂ થઈ ગયું છે, પરંતુ નિષ્ણાતોની સમિતિએ અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધી એકપણ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન શરૂ થયું નથી.

May 3, 2021
guj_corona.jpg
1min254

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,978 કેસો નોંધાયા છે અને સામે 11,146 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,27,009 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 98,73,963 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 25,57,405 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,24,31,368 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 74.05 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 153 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 440276 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસો 146818 છે જેમાં 722 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 146096 દર્દીઓ સ્ટેબલ છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4683, સુરતમાં 1494, મહેસાણામાં 565, વડોદરામાં 523, ભાવનગરમાં 436, રાજકોટમાં 401, જામનગરમાં 398 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો બનાસકાંઠામાં 226, ખેડામાં 174, પાટણમાં 173, કચ્છમાં 169, મહીસાગરમાં 169, આણંદમાં 161, ગાંધીનગરમાં 153, જુનાગઢમાં 146, સાબરકાંઠામાં 142, નર્મદામાં 121, અમરેલીમાં 119, વલસાડમાં 117, પંચમહાલમાં 109, ગીર સોમનાથમાં 104, છોટા ઉદેપુર અને નવસારીમાં 97, સુરેન્દ્રનગરમાં 92, મોરબીમાં 90, તાપીમાં 89, અરવલ્લીમાં 80, દાહોદમાં 67, પોરબંદરમાં 53 નવા કેસો નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા કેસોની સ્થિતિ આ મુજબ છે.

May 3, 2021
remdesivir.jpg
1min244

મુંબઈની વડી અદાલતની નાગપુર બેન્ચે મહારાષ્ટ્રને ફાળવવામાં આવતાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનું પ્રમાણ વધારવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે પહેલી મેએ નોંધાયેલા ઍક્ટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખતાં ફાળવણીમાં રેમડેસિવીરનો જથ્થો ઘટાડવાનો નિર્ણય વાજબી નથી. કોરોનાના ઇન્ફેક્શનની સારવાર માટે આવશ્યક મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવીરની તંગી સંબંધી અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિ એસ. બી. શુક્રે અને ન્યાયમૂર્તિ અવિનાશ ઘરોતેની બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

બેન્ચે જણાવ્યું હતું કે ‘રેમડેસિવીરની ફાળવણીમાં ૧ મેથી ૯ મે સુધીના ગાળા માટેનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે. આગલા દસ દિવસ માટે રેમડેસિવીરના ૪,૩૦,૦૦૦ વાયલ્સ ફાળવાયા હતા અને પછીના દસ દિવસ માટે ૩,૭૪,૦૦૦ વાયલ્સ ફાળવવામાં આવ્યા છે. ઍક્ટિવ કેસ ૩૦ મેએ ૬,૭૦,૦૦૦ હતા અને પહેલી મેએ ઘટીને ૬,૬૪,૦૦૦ પર પહોંચ્યા છે. સાવ નજીવો ઘટાડો છે તેથી રેમડેસિવીરનો ક્વોટા ઘટાડવો વાજબી નથી.’   

April 30, 2021
guj_corona.jpg
1min327

ગુજરાતમાં બુધવારે મોડી સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાછલા ચોવિસ કલાકના ૧૪,૧૨૦ નવા કોરોના કેસ નોંધાયા હતા આ સાથે રાજ્યમાં કુલ કોરોનાનો આંકડો ૫.૩૮ લાખ થઈ ગયો હતો. જોકે છેલ્લા ૨૭ દિવસમાં પહેલીવાર કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ભલે તે ઘટાડો ખૂબ સામાન્ય ૧.૬ ટકા જેટલો હોય પરંતુ ઘટાડો થયો તે મહત્ત્વની વાત છે. તો સામે પક્ષે આ જ ૨૪ કલાકના સમય દરમિયાન ૮૫૯૫ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જે સાથે રાજ્યનો રિકવરી રેટ ૬૧ ટકાએ પહોંચ્યો છે. જે પાંચ દિવસ પહેલા ૨૩ એપ્રિલના રોજ ૪૧ ટકા હતો. એબ્સોલ્યુટ ટર્મમાં વાત કરીએ તો દૈનિક ડિસ્ચાર્જ એટલે કે રિકવરી થવાનો આંકડો ૫૬૧૮ અંક વધ્યો છે જે ૫૩ ટકા જેટલો વધારો છે. બીજી તરફ વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડતી હતી તેમાં હાઈ કોર્ટની ઝાટકણી પછી કોર્પોરેશને બુધવારે જાહેર કર્યું હતું કે કોઈપણ વાહનમાં પહોંચેલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે પરંતુ તે માટે દર્દી તરફથી કોઈએ હોસ્પિટલના ગેટ પર મળતા ફોર્મ ભરી તેની સાથે આરટીપીસીઆર રિપોર્ટની નકલ જોડવાની રહેશે જે બાદ હોસ્પિટલમાં જે પ્રમાણે બેડ ખાલી થશે તે મુજબ તંત્ર તરફથી દર્દીનો સંપર્ક સાધીને તેમને દાખલ કરવામાં આવશે.

April 28, 2021
assam_quake.jpg
1min275

સવારે 7.52 કલાકે આવેલા ધરતીકંપની તીવ્રતા 6.4 નોંધાઇ, છેક પ. બંગાળના ઉત્તર વિસ્તાર સુધી ધરતીકંપ અનુભવાયો

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું. સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું. સ્વાસ્થ્ય મંત્રી શર્માએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે. યૂરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર મુજબ, ક્ષેત્રમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અસમમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલ છે કે, આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અસમમાં કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ તો કેટલીક જગ્યાએ છત તૂટી પડી છે. સોશિય મીડિયામાં લોકોએ પોતોના અનુભવ દર્શાવતા જણાવ્યું કે આ ઝટકો 30 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

અરુનાચલના ઈટાનગરથી લઈને બંગાળના કૂચબિહાર સુધી આ ઝટકા અનુભવાયા હતો. સાથે જ બિહારના પણ ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા લોકોએ સવારે 7.55 વાગ્યે અનુભવ્યા હતા. મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા સહિત અનેક વિસ્તારમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.

April 27, 2021
guj_corona.jpg
1min269

હાલ ગુજરાતમાં 8 મહાનગરો તેમજ 20 શહેરોમાં સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે. આજે ગુજરાત સરકારે જાહેર કરેલી સૂચના મુજબ ગુજરાતના વધુ 9 શહેરોમાં આજથી જ રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવશે.

રાત્રિ કરફ્યુ, કોરોના કરફ્યુમાં વધારાના સામેલ કરાયેલા 9 શહેરોમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે તા.27મી એપ્રિલ 2021ની સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ 05 મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યના તમામ 29 શહેરોમાં 05 મે સુધી અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ કર્યું છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ 05 મે સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.

સમગ્ર રાજ્યમાં તમામ APMC પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ-ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બંધ કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બંધ છે. જોકે, રાજ્યમાં એસટીની બસો 50 ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કર્યું છે.