CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 120 of 126 - CIA Live

September 12, 2018
jet.jpg
1min4020

જેટ એરવેઝના 30 પાઇલટ્સનાં રાજીનામાં

જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે છેલ્લા એક મહિના દરમિયાનમાં જ રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને ₹36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં. આ અંગે જેટ એરવેઝને 7 સપ્ટેમ્બર 2018ના રોજ ઇ-મેઇલ મોકલ્યો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી.

કંપની પાસે 18 ATR વિમાનનો કાફલો છે જેમાંથી સાત વિમાન રિજનલ એરલાઇન ટ્રુજેટને વેટ લીઝ પર આપવાનાં છે. “લગભગ 30 ATR કમાન્ડર્સે રાજીનામાં આપી દીધાં છે. તેઓ એવી એરલાઇન્સમાં જોડાયા છે જ્યાં તેમને કારકિર્દીમાં આગળ વધવાની અને એરબસ 320 જેવાં મોટાં વિમાનો ઉડાવવાની તક મળતી હોય.” એમ જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

આ પાઇલટ્સ એવી એરલાઇન્સમાં લાગ્યા છે જે એરલાઇન્સે તેમને ઊંચા પગારની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની ઓફર કરી હોય. કમાન્ડરે ઉમેર્યું હતું કે, આ ATR કમાન્ડર્સનાં રાજીનામાંને કારણે દક્ષિણ ભારત સ્થિત રિજનલ એરલાઇન ટ્રુજેટને ATR વિમાન ભાડે આપવાની જેટ એરવેઝની યોજના પર અસર પડી શકે છે. ટ્રુજેટ દ્વારા ક્રૂ સાથે સાત વિમાન ભાડે લેવાના છે. જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે જણાવ્યું હતું કે, “ટ્રુજેટ સાથેના કરારમાં ક્રૂ સહિતનાં વિમાનો આપવાની શરત છે. જો આ કમાન્ડર્સ જ નહીં હોય તો ક્રૂ વગર વિમાન કેવી રીતે આપી શકાશે?”

જેટ એરવેઝે તેના કમાન્ડર્સને ટકાવી રાખવા માટે ₹36 લાખનું રિટેન્શન પેકેજ પણ ઓફર કર્યું હતું, જેની ચુકવણી 3 વર્ષમાં થવાની હતી પરંતુ મોટા ભાગના પાઇલટ્સને આ પેકેજ સ્વીકાર્ય નહોતું. કંપનીની ઓફર પ્રમાણે, પ્રથમ બે વર્ષ દરમિયાન ₹9 લાખ ચૂકવવામાં આવશે અને બાકીના ₹27 લાખ ત્રણ વર્ષ પૂરાં થયા પછી જ મળશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જેટ એરવેઝ તેની ગંભીર નાણાકીય મુશ્કેલીને કારણે સમાચારમાં ચમકી હતી. કંપનીએ ગયા સપ્તાહે જ તેના કર્મચારીઓને સૂચના આપી હતી કે, તેમનો બાકીનો પગાર સપ્ટેમ્બરથી શરૂ થતા ત્રણ મહિના દરમિયાન બે હપતામાં ચૂકવવામાં આવશે.

 

September 11, 2018
petrol-diesel-1.jpg
1min3630

રાજસ્થાન બાદ આંધ્ર પ્રદેશ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર વૅટમાં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં બે રૂપિયા ઘટાડવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ પેટ્રોલ અને ડીઝલ પર ચાર રૂપિયા વેટ વસૂલે છે.

વિવિધ કર અને ડિવિન્ડ દ્વારા સારી કમાણી થતી હોવા છતાં પટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને કેન્દ્ર સરકાર લોકોના માથે બોઝો વધારી રહી છે. રાજ્યનું બજેટ ખોટમાં હોવા છતાં અમે કર ઘટાડીને લોકોનો બોજો થોડો ઓછો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે રાજ્ય સરકારને રૂ. 1120 કરોડની આવક જતી કરવી પડશે.

September 10, 2018
Vasundhara-Raje-k05E-621x414@LiveMint.jpg
1min5890
રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરથી બચવા માટે વસુંધરા રાજે સરકારે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડના બોજની પરવાહ કર્યા વગર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વેટમાં ઘટાડો કરીને પેટ્રોલ એકંદરે અઢી રૂપિયા જેટલું સસ્તું કરી દેવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે. આવા સમયે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રજાના આક્રોશની અસર મતદાન પર ના પડે તે માટે ભાજપ સરકારે રાતોરાત આ નિર્ણય કર્યો છે
રાજસ્થાનમાં વસુંધરા રાજેની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતાં વેટના દરોમાં 4-4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત રવિવારે તા.10મી સપ્ટેમ્બરના રોજ કરી હતી અને રવિવાર તા.10મી સપ્ટેમ્બર 2018ની મધરાતથી જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થઇ ગયા છે.
રાજ્યનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ એક કાર્યક્રમમાં પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા તથા ડીઝલ પરનો વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. પરંતુ, પ્રજાને લીટર દીઠ અઢી રૂપિયા જેટલો ફાયદો થશે.
એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર જે જે રાજ્યોમાં પોતાની સરકારો છે ત્યાં એક યુનિફોર્મ પોલીસી બનાવીને રાજ્ય સરકાર દ્વારા વસુલ કરવામાં આવતા વેટ કે અન્ટ ટેક્સના દરોમાં ઘટાડો કરીને લોકસભાની ચૂંટણી પહેલા ભડકે બળી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવાનો પ્રયાસ આગામી દિવસોમાં હાથ ધરશે.

For Any news, event coverage please contact 98253 44944

Down load from Google Play store

September 8, 2018
suratairport1.jpg
1min21020

cialive@yahoo.com

સુરત એરપોર્ટ હવે 24 કલાક ધમધમતુ અને દેશનું મહત્વનું એરપોર્ટ બન્યું છે. થોડા મહિના અગાઉ ફક્ત એક જ ફ્લાઇટ સુરત આવતી અને સુરતથી ઉપડતી હતી. હવે 21 જેટલી ફ્લાઇટ્સ રોજેરોજ સુરત આવે છે અને સુરતથી ઉપડે છે.

ધંધાકીય શહેર હોવાથી સુરતમાં રોજેરોજ હજારો મુલાકાતીઓ સમગ્ર દેશ દુનિયામાંથી આવે છે એવી જ રીતે સ્થાનિક સુરતીઓ પણ રોજેરોજ હજારોની સંખ્યામાં સુરતથી દેશના અન્ય શહેરો, વિદેશોમાં જાય છે. આવી સ્થિતિમાં મુલાકાતીઓને સુરત એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટ્સની માહિતી માટે અત્રે ટાઇમ ટેબલ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં રજૂ કરી રહ્યા છીએ.

 

September 6, 2018
homosexuality.jpg
1min3540

કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

કલમ 377 પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં.

શું કહ્યું ચીફ જસ્ટિસે ?

કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા
માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

કલમ 377 શું કહે છે

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.

September 5, 2018
af1.jpg
1min8580

Contact number for any more news  98253 44944

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામ (શિવરામપુરા) ખાતે અદાણી ફાઉન્ડેશન- હજીરા દ્વારા નવનિર્મિત કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૭-૧૮ માં કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ. ૩૦ લાખના ખર્ચે કૉમ્યુનિટી હોલ બાંધવામાં આવ્યો છે. જુના ગામના ગ્રામજનોને સામૂહિક તેમજ સામાજિક પ્રસંગો માટે અતિ ઉપયોગી બની રહેશે. આ વેળાએ મંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશનની સામાજિક ભાવનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, ચોર્યાસી ડેરીના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ, જૂનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ તથા હજીરા વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

September 3, 2018
bullet-1280x720.jpg
1min3820

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનાર વ્યક્તિને તે મિલકતની ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે. જોકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સોંપણી કર્યાંનાં ત્રણ વર્ષની અંદર મિલકત ખરીદનારને જ સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું.

૫૦૮ કિમીના મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર માટે જમીન હસ્તગત કરવા ઝઝૂમી રહેલી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (એનએચએસઆરસીએલ)ની તાજેતરમાં જ મળેલી બેઠકમાં આ નિર્મય લેવામાં આવ્યો હતો.

એનએચએસઆરસીએલના સૂત્રોના જણાવ્યાનુસાર આવા જમીનમાલિકોની સ્ટેમ્પ ડ્યૂટી એજન્સી ભરી દેશે. આમ કરીને જમીનમાલિકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તેમની જમીન સોંપવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે આપવામાં આવનારી રકમ જમીનમાલિકોને આપવામાં આવનારી વળતરની રકમ કરતા વધુ હશે.

મોટાભાગના રાજ્યમાં મિલકતનાં કુલ બજારભાવનાં પાંચથી સાત ટકા જેટલી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે અને રજિસ્ટ્રેટશન ફી તરીકે એક ટકા જેટલી રકમ વસૂલવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ ૧૪૩૪ હૅક્ટર જમીનની જરૂર છે જેમાંની ૩૫૩ હૅક્ટર જમીન મહારાષ્ટ્રમાં તો બાકીની જમીન ગુજરાતમાં છે.

એજન્સી અત્યાર સુધીમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં માત્ર ૦.૯ ટકા જમીન હસ્તગત કરી શકી છે અને તે જમીનની વાસ્તવિક રીતે સોંપણી કરી દેવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવાની અંતિમ મુદત ડિસેમ્બર ૨૦૧૮ સુધીની છે.

September 1, 2018
maharaj.jpg
1min4070

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર કર્યાના બે વર્ષ બાદ મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટને છત્રપતિ શિવાજી નામ સાથે ‘મહારાજ’ જોડાયેલું નામ મળ્યું છે. છત્રપતિ શિવાજી ઍરપોર્ટ હવે છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટ બની ગયું છે તેવી જાણ ખુદ એવિયેશન મિનિસ્ટર સુરેશ પ્રભુએ કરી હતી.

ડિસેમ્બર, 2016માં રાજ્ય સરકારે આ નામમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરવાની વિનંતી કરતો કેન્દ્રને આ મામલે પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવ ભાજપના સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મૂક્યો હતો, જે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. મુંબઈનો ઍરપોર્ટ પહેલા સહાર ઈન્ટરનેશનલ ઍરપોર્ટના નામે ઓળખાતો હતો. 1999માં તેનું નામ બદલી છત્રપતિ શિવાજી ઍરપોર્ટ રાખવામાં આવ્યું હતું.

 

August 31, 2018
vehicle-insurance-800x445.jpg
1min4220

વીમાની નિયામક ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે વાહનોની લાંબાગાળાની થર્ડ પાર્ટી વીમા પૉલિસી ફરજિયાત બનાવતા શનિવારથી કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવા મોંઘાં થશે.

એન્જિનની ક્ષમતા 1,000 સીસીથી ઓછી હોય એવી કારના ત્રણ વર્ષના થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ અંદાજે રૂપિયા 5,286 થશે, 1,000થી 1,500 સીસીની કારનો રૂપિયા 9,534 અને 1,500 સીસી કે તેથી વધુની ક્ષમતવાળી કારનો રૂપિયા 24,305 થશે.

બે પૈડાંવાળા વાહનોમાં 75 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનના પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાના અંદાજે રૂપિયા 1,045 થશે, 75થી 150 સીસીની બાઇકના રૂપિયા 3,285, જ્યારે 150થી 350 સીસીની બાઇકના રૂપિયા 5,453 અને 350 સીસીથી વધુની ક્ષમતાવાળું એન્જિન ધરાવતી બાઇકના રૂપિયા 13,034 થશે.

મોટર વાહન ધારા મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે.

વાહનોની ચોરી અને નુકસાન સહિતની બાબતને આવરી લેતા કૉમ્પ્રિહેન્સિવ ઇન્સ્યુરન્સમાં કાર ખરીદનારી વ્યક્તિ માટે એક કે ત્રણ વર્ષનો અને બે પૈડાંવાળા વાહન માટે પાંચ વર્ષનો વિકલ્પ અપાય છે.

અદાલતના આદેશ મુજબ નવી કાર માટે બધી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવો ફરજિયાત રહેશે. બે પૈડાંવાળા નવા વાહન માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવાનો રહેશે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી આ નવા આદેશનો અમલ કરવાની સૂચના આપી છે.

August 29, 2018
nitin-gadkar.jpg
1min3640

નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

ટૉઈલેટ ફ્લશ કર્યા બાદ ગટરમાં વહી જતું કહેવાતું ગંદુ પાણી ઘણું અત્યંત ઉપયોગી છે. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી બાયો સીએનજી ગેસ બનાવીને તેનાથી પરિવહન નિગમની બસ દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને હવે દેશભરમાં સંડાસના ગંદા પાણીમાંથી ગેસ પેદા કરીને એ બળતણથી બસો દોડાવવાનો પ્રયોગ શરૂ કરાઇ રહ્યો હોવાનું રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

Union Minister of Drinking water and Sanitation Nitin Gadkari addressing a press conference on the achievements of the NDA government during the last six months at YB Chavan on Thursday. Express Photo by Prashant Nadkar. 01.01.2015. Mumbai.

આપણે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં વહાવી દેઇએ છીએ એ ગંદા ગટરના પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. એટલું જ નહીં પણ નાગપુરની ગટરમાંથી વહેતા ગંદા પાણી માંથી ઉત્પન કરાયેલા ગેસમાંથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.

ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ

ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.

કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી

ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.