CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 118 of 126 - CIA Live

October 24, 2018
organic-farming.jpg
1min12350

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 24, 2018
swadeshi1.jpeg
1min4350

પૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ ‘ટ્રેન 18’ને વિશેષરીતે બુલેટ ટ્રેનના મૉડેલ પ્રમાણે તૈયાર કરાઈ છે. 18 મહિનામાં તૈયાર કરાયેલ ‘ટ્રેન 18’ના નિર્માણમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રેનના રૅકને તૈયાર કરનાર ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીના વ્યવસ્થાપક સુધાંશુ મણિના જણાવ્યા મુજબ આ ટ્રેનમાં 16 એસી કૉચ અને બે એક્ઝિક્યુટિવ ક્લાસના કૉચ લગાવવામાં આવ્યા છે.

ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં એક મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે. રેલવે તરફથી આગામી વર્ષમાં હાઈ સ્પીડ ‘ટ્રેન-18’ને દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે. તામિલનાડુ સ્થિત રેલવેની ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીએ આ વિશેષ ટ્રેનને હાઈ ટૅક સુવિધાઓ સાથે તૈયાર કરી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વગર એન્જિને દોડનારી ‘ટ્રેન 18’ને લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડાવાશે. તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ટ્રેન 18’ના દરેક કૉચમાં છ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે. 16 એસી ચેર કાર કૉચ અને બે એક્ઝિક્યુટિવ કૉચ હાઈ ટૅક સુવિધાથી સજ્જ હશે. આ કૉચમાં સ્પેનથી ખાસ મગાવાયેલ સીટ લગાડાઈ હશે જે 360 ડિગ્રી સુધી રૉટેટ કરી શકાશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષપણે બે બાથરૂમ અને બેબી કૅર માટે અલગ વ્યવસ્થા કરાઈ છે.

‘ટ્રેન 18’માં પ્રવાસ દરમિયાન ઈમરજન્સીના સમયે પ્રવાસી ડ્રાઈવર સાથે વાતચીત કરી શકે તે માટે દરેક કૉચમાં એક ખાસ ટૉક બૅક યુનિટ લગાડવામાં આવશે. ટ્રેનમાં ભોજનાલય હશે એવું વ્યવસ્થાપકે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનને મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવી વિદેશી ટૅકનોલોજી અને ટ્રાન્સફરમાં થતા ખર્ચ અને સમય બચાવવામાં આવ્યા છે. જો આ ટ્રેન વિદેશથી આયાત કરાઈ હોત તો તેની કિંમત આશરે 170 કરોડ રૂપિયા સુધીની થઈ હોત, પરંતુ સ્વદેશી નિર્માણને કારણે માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ટ્રેન બનાવવામાં આવી છે.

October 23, 2018
statue-of-unity.jpg
1min10880

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)

October 15, 2018
demu.jpg
1min10860

ડીઝલની બચત કરવા માટે ઇન્ડિયન રેલવે દ્વારા ૨૦૦૮થી બોઇસર અને દિવા વચ્ચે શરૂ કરેલી બોઇસર-દિવા DEMU (ડીઝલ ઇલેક્ટ્રિÿક મલ્ટિપલ યુનિટ) ૭૧૦૦૧ શટલ લોકલ ટ્રેનને સ્થાને તા.15મી ઓક્ટોબર 2018થી  MEMU (મેન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ૬૧૦૦૧ શરૂ કરવામાં આવી છે.

(બોઇસર-દિવા વચ્ચે ચાલી રહેલી ડિઝલથી ચાલતી ટ્રેન)

દસ વર્ષ પહેલાં ૧૨ કોચની DEMU બોઇસર-દિવા સર્વિસ શરૂ થઈ હતી. આ સર્વિસમાં ડીઝલનો ઉપયોગ થતો હતો અને એને મુંબઈના સંસદસભ્ય રામ નાઈક દ્વારા શરૂ કરવામાં આવી હતી. પહેલાં DEMU સર્વિસ વિરાર અને દહાણુ વચ્ચે દોડતી હતી અને હવે મોટા ભાગની લોકલ ટ્રેનોને MEMU બદલવામાં આવી છે. જોકે બોઇસર-દિવા લોકલ DEMUમાં જ દોડી રહી હતી. એથી સેન્ટ્રલ રેલવેએ DEMUને ૧૨ કોચની MEMU લોકલ કરવાનો નિર્ણય લીધો હોવાથી આજથી આ રૂટ પર દોડતી આ ગાડી દેખાશે નહીં. જોકે રેલવેએ લીધેલા આ નિર્ણયથી પ્રવાસીઓને વધુ સારી સુવિધા, ઓછા એન્જિન ફેલ્યરના ચાન્સ, વધુ કમ્ફર્ટેબલ, વધુ સ્પેસ જેવી અનેક સુવિધાઓ પણ મળી રહેશે. ઇલેક્ટ્રિÿક એન્જિનથી ફ્યુઅલની બચત થવાની સાથે પર્યાવરણને પણ નુકસાન નહીં થશે. જોકે આટલાં વર્ષો રેલવે-પ્રવાસીઓને સર્વિસ આપી હોવાથી ગઈ કાલે બધા રેલવે- પ્રવાસીઓએ લાલ પરીના મોટરમૅનને બુકે આપીને અને ગાડીને ફૂલોથી શણગારીને અંતિમ વિદાય આપી હતી.’

October 13, 2018
bmtce-bus.jpg
1min6070

Jayesh Brahmbhatt 98253 44944

અગર બધું સમૂસુતરું પાર પડશે તો થોડા મહિનાઓમાં સુરતના માર્ગો પર અત્યંત અાધુનિક લૉ કાર્બન (ઓછું પ્રદૂષણ ફેલાવતી) ઇ-બસ (ઇલેક્ટ્રીક બસ) દોડતી થઇ જશે. સુરત મહાનગરપાલિકાએ હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને ઇ-બસની ખરીદી પર સબસિડી આપવા અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એક લૉ કાર્બન ઇ-બસની બજાર કિંમત રૂ.1.75 કરોડ જેટલી થવા જાય છે અને સુરત મહાનગરપાલિકા પ્રતિ બસ રૂ.75 લાખ સબસિડી મળે તો 50 ઇ-બસીસ ખરીદવાની તૈયારી ધરાવે છે.

ઇ-બસ કન્સેપ્ટ હાલમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં જોવા મળી રહ્યો છે. તબક્કાવાર વિકસીત દેશોમાંથી ડિઝલ વાહનો નાબૂદ થઇ રહ્યા છે અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મોટા ભાગે ઇ-બસ,લૉ કાર્બન બસને લાગૂ કરવામાં આવી રહી છે. એ જ તર્જ પર હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આગળ વધી રહી છે.

(બેંગ્લોર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા લોંચ કરવામાં આવેલી ઇ-બસની તસ્વીર)

ડિઝલ બસ કરતા ઇ-બસની કિંમત વધુ હોવા છતાં પણ પ્રદૂષણ તેમજ આવરદા વધુ હોવા ઉપરાંત તેની કાર્યક્ષમતા પણ ઉત્તમ હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઇ-બસના કન્સેપ્ટને દાખલ કરવાની યોજના ધરાવે છે. હાલ ચાલી રહેલી ડિઝલ બનની તુલનામાં લૉ કાર્બન ઇ-બસની કિંમત અને મેઇન્ટેનન્સ બન્ને વધુ છે આમ છતાં તેના બહુવિધ ફાયદાઓ હોવાથી ઇ-બસ સુરતના શહેરો પર દોડતી કરવામાં આવે તેમ મનાય છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં આ અંગેનો નિર્ણય લેવાય તેમ માનવામાં આવે છે.

દેશના હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયએ કુલ 11 શહેરોને ઇ-બસ પ્રોજેક્ટ માટે પસંદ કર્યા છે, ગુજરાતમાંથી આ યાદીમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ ઇ-બસ પાઇલોટ પ્રોજેક્ટમાં ન હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરત મ્યુનિ. કોર્પોરેશનને 50 ઇ-બસ ખરીદવા માટે પ્રતિ બસ રૂ.75 લાખની સબસિડી મળે તો પ્રોજેક્ટ સુરતમાં સાકાર થઇ શકે તેવી પ્રપોઝલ રજૂ કરી છે.

 

October 11, 2018
Railways.png
1min3390

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 8, 2018
surat_airport.jpg
1min133220

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.

સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.

અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.

October 7, 2018
runwayrepairs.jpg
1min6160
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.

October 7, 2018
ahdneward.jpg
1min5210

કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એરઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સાથે તા.16 નવેમ્બરે બેંગ્લોરથી યુકેની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. 15 ઓગસ્ટ-16ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી યુકે સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી 100 પેસેન્જરોનો ઘટાડો થશે.

વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એરઇન્ડિયાની અમદાવાદ લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં 238 ઇકોનોમિક પેસેન્જર અને 18 બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ 256 પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર,બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે તા.16 નવેમ્બરથી અમદાવાદથી માત્ર યુકે સુધી જ ઓપરેટ થશે.

સૂત્રોએ જણાવ્યુ કે, એરઇન્ડિયાની મુબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુંબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે 170 પેસેન્જરોની કેપેસિટિવાળું એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી યુકે થઇને નેવાર્ક જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતુ. આમ 100 પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજી એરલાઇન્સ કંપનીઓને થઇ શકે છે.

એરઇન્ડિયા ખોટમાં જતું હોવાથી વધુ નવા રૂટો નક્કી કરી શકે એમ નથી. એટલું જ નહિ તહેવારોમાં ફરવા જવાવાળા પેસેન્જરોની સંખ્યા પણ વધારે હોય છે.

October 5, 2018
odps-1280x747.jpeg
1min8650

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય એવા નિયમને પગલે બાંધકામ ઉદ્યોગ લગભગ ઠપ જેવી સ્થિતિમાં આવી ચૂક્યો છે

 

રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રુવલને ઝડપી બનાવવા માટે બનાવેલી ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમ (ઓડીપીએસ) ગંભીર રીતે નિષ્ફળ રહી છે અને તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ પર ખરાબ રીતે વર્તાય રહી છે. પ્લાન મંજૂર કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે અને જે રીતે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે એ સિસ્ટમ અનુસારનું ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઉપલબ્ધ ન હોવાથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાઓ તેમજ અર્બન ઓથોરીટીઝ  તરફથી આ અંગે ગંભીર ફરીયાદો મળતા રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બરે ઓનલાઇન પ્લાન એપ્રુવલ સિસ્ટમમાં રાહત આપતો પરીપત્ર જારી કરવો પડ્યો હતો.

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય છે. આથી આ વખતે નવરાત્રી અને દિવાળીના તહેવારોની સીઝનમાં નવા પ્રોજેક્ટ લોન્ચ તળિયે છે.

ઓનલાઇન સિસ્ટમ અન્વયે નવા પ્લાન મંજૂર થવામાં વિલંબ થવા ઉપરાંત હજુ સુધી પ્લાન જ મંજૂર નહીં થયા હોવાથી આ વર્ષે નવા પ્રોજેક્ટ્સની સંખ્યા દિવાળીના તહેવાર અગાઉ જ તળિયે છે અને તેથી સમગ્ર રિયલ એસ્ટેટ સ્થગિત થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા થોડા મહિનામાં અમદાવાદમાં વિક્રમ ભાવથી જમીનોના સોદા થયા છે અને તેના કારણે દિવાળી વખતે નોંધપાત્ર સંખ્યામાં નવા પ્રોજેક્ટ્સની અપેક્ષા હતી પરંતુ તે ફળીભૂત થઈ નથી.

ઓડીપીએસની મુશ્કેલી અંગે ગાહેડ-ક્રેડાઇ સહિતના એસોસિયેશનોએ વારંવાર રજૂઆત કરી હતી. ગયા મહિને ગાહેડ સહિતના વિવિધ અસોસિયેશનના પ્રતિનિધિઓની બેઠકમાં ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદમાં દર મહિને સરેરાશ 220 પ્લાન પાસ થતા હતા. જેથી સાડા ચાર માસમાં 1 હજાર પ્લાન પાસ થવા જોઈએ તેની સરખામણીમાં માત્ર 125 પ્લાન પાસ થયા હતા તે મુદ્દો ગાહેડે ઉઠાવ્યો હતો. ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ૨૫ મીથી વધુ ઊંચાઈવાળા કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સના પ્લાન અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયા નથી.

બિલ્ડર્સ અને ડેવલપર્સનો ધંધો બંધ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતનો વિકાસ રૂંધાય, એથી વિશેષ ચૂંટણી સમયે બિલ્ડરો અને ડેવલપર્સ એટલા ઉપયોગી નિવડે છે કે ઓનલાઇન સિસ્ટમમાં પડતી તેમની મુશ્કેલીઓ નહીં કરીને તેમને નારાજ કરવાનું ભાજપા સરકારને પોષાય તેમ નથી.

રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ આ મુજબનો પરિપત્ર જારી કરવો પડ્યો હતો

પેજ નં. 2

પેજ નં.3