CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 117 of 126 - CIA Live

November 14, 2018
suratairport1.jpg
1min5240

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 9, 2018
airindia-1.jpg
1min4300

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાના ફ્લાઈટ્સ ઓપરેશન્સ ગુરૂવારે એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (એઆઈટીએસએલ)ના સ્ટાફે અચાનક હડતાળ કરી. દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

એર ઈન્ડિયાના એક અધિકારીના અનુસાર સરકારી એરલાઈન્સની સહાયક કંપની એઆઈટીએસએલ દેશના બધા એરપોર્ટ પર એર ઈન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપે છે. કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ સહિત આ કંપનીના કુલ પાંચ હજાર કર્મચારી છે.

એરલાઈન્સના અધિકારીએ બતાવ્યું કે એઆઈટીએસએલના કેટલાક કર્મચારી બુધવાર-ગુરૂવારની રાતે દિવાળી બોનસ ન મળવા પર, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓની પુનર્સ્થાપન અને કોન્ટ્રેક્ટ રીન્યૂ નહીં કરવા પર હડતાળ પર ગયા. એનાથી ફ્લાઈટ્સ સંબંધી સેવાઓ પર અસર થઈ. આ કર્મચારી કોન્ટ્રેક્ટ પર છે.

ગુરૂવારની બપોરે ત્રણ વાગે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત 37 ફ્લાઈટ્સમાં ત્રણ કલાક મોડી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ એરપોર્ટ પર એરલાઈન્સે પોતાની સ્થાયી કર્મચારીઓને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પર લગાવી દીધા. હડતાળ પર ગયેલા કર્મચારીઓથી એઆઈટીએસએલના પ્રબંધની વાતચીત ચાલુ છે.

November 8, 2018
gujarat_map-1280x1023.png
1min3810

રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.

November 7, 2018
gjepc.jpg
1min10300

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની  અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.

November 2, 2018
madhavpura_bank.jpg
1min25170
  • માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
  • 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
  • બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
  • 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
  • વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
  • શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે

પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.

માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.

બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

November 1, 2018
gst.jpg
1min3080

ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મે માં જીએસટી સંગ્રહ 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઇમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા અને 94,442 કરોડ રૂપિયા સપ્ટેમ્બર રહ્યું હતું.

October 31, 2018
MARKET.jpg
1min3010
ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના યાર્ડો ગુરૂવાર તા.1 નવેમ્બર 2018થી અચોક્કસ મુદત હડતાળ પાડતા પૂર્વે મોટાભાગના માર્કટ યાર્ડોમાં આજથી આવક બંધ કરવામાં આવી હોવાના અહેવાલોએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના કારણે અમુક યાર્ડોમાં આજે કામકાજ બંધ હતા જ, પણ હવે ગુરુવાર તા.1લી નવેમ્બર 2018થી રાજકોટ યાર્ડ હડતાળમાં જોડાવાનું હોઇ, રાજ્યમાં ખેડૂતોનું આ સૌથી મોટા આંદોલન હોવાનું મનાય રહ્યું છે.
રાજ્ય સરકારની ટેકાની ખરીદી સહિત યોજનાઓમાં થયેલા કૌભાંડો અને પોલીસમાં પહોંચેલા મામલા પછી ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. ખેડૂતોના હિતમાં ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૨૬ માર્કેટીંગ યાર્ડોમાં અચોક્કસસ મુદ્દતની હડતાલ જાહેર કરાઈ છે.
ખેડૂતોને ફાયદાથી ભાવાંતર યોજના લાગુ કરવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએસને છેલ્લા એક મહિનાથી સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતા કોઇ પ્રત્યુતર ન મળતા નાછુટકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૨૬ માર્કેટ યાર્ડો ગુરૂવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડી ભાવાંતર યોજના લાગુ કરવાની માગને વધુ આક્રમક રીતે ઉજાગર કરશે.
સરકારનું સ્ટેન્ડ
રાજય સરકારને મગફળીની ખરીદી માટે ત્રણ પ્રપોઝલ આપી હતી. જેમાં ભાવાંતર યોજના, ટેકાના ભાવે અને પ્રાઈવેટ એજન્સી દ્વારા પરંતુ રાજય સરકારે ૧૦૦૧ ટેકાનો ભાવ જાહેર કરી ૧૨૨ સેન્ટરો ઉપરથી લાભ પાંચમથી ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.
October 30, 2018
train_without_engine.jpg
1min8060

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 29, 2018
gst.jpg
1min4600

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 26, 2018
rahul.jpg
1min3330

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)