CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 108 of 126 - CIA Live

April 18, 2019
Farmers-Suiciding.jpg
1min3600

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 14, 2019
cm-helicopter-1280x720.jpg
1min5140

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હૅલિકૉપ્ટરને ખરીદવા માટે કોઈ કંપની આગળ ન આવતા ટેન્ડર ભરવાની સમયમર્યાદા વધારવી પડી છે. મુખ્ય પ્રધાનના હૅલિકૉપ્ટર માટે કોઈ કંપની સત્તાવાર રીતે આગળ આવી ન હતી. બે કંપનીઓએ માત્ર પૂછપરછ કરી હતી. આ હૅલિકૉપ્ટર સાથેનો ફડણવીસનો અનુભવ સારો રહ્યો નથી.

ફડણવીસ અને સરકારી અધિકારીઓ હૅલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે તે ઑવરહેડ વાયરમાં અટવાઇ ગયું હતું અને વિમાનને અચાનક લેન્ડ કરવાની ફરજ પડી હતી. સદ્ભાગ્યે કોઈ અઘટિત ઘટના ઘટી ન હતી.

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું. 2017માં અકસ્માત બાદ આ હૅલિકૉપ્ટરને વેચવા કાઢવામાં આવ્યું છે.

April 12, 2019
Picture-by-Tanaj-Shah-1280x914.jpg
3min16950

સુરતની ઐતિહાસિક ઓળખ સમો ચોકબજાર સ્થિત કિલ્લો રિનોવેટ કરાયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો. એ વાતને આવતીકાલ તા.13મી એપ્રિલ 2019ના રોજ એક વર્ષ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઐતિહાસિક સુરત ફોર્ટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 34,501 મુલાકાતીઓ આવી ચૂક્યા છે અને સુરતવાસીઓ કરતા સુરતના બહારના લોકો વધુને વધુ સુરતના કિલ્લાને નિહાળવા માટે આવી રહ્યા છે.

સુરત ફોર્ટમાં ઉપલબ્ધ સુવિધાઓમાં થયેલા વધારા અંગે માહિતી આપતા ભામિનીબેન મહિડાએ જણાવ્યું હતું કે સુરત ફોર્ટ સાઇટ પર વધઉ બે ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. એક ફેસેલિટી છે કોન્ફરન્સ રૂમની. 40થી 50 વ્યક્તિઓ માટે કોન્ફરન્સ, પ્રોડક્ટ લોંચ વગેરે કરવા માટે ત્રણ કલાકના સેશન માટે સુરત મહાનગરપાલિકા જગ્યા ભાડે આપશે. એવી જ રીતે આર્ટ ગેલેરીની રચના કરવામાં આવી છે. આર્ટ ગેલેરી પણ જુદા જુદા હેતુસર ભાડે આપવામાં આવશે.

(Photo by Khushi Moda)

By Prakash Hathi, Founder Dharohar

Surat fort was opened for general public last year on 13 April (year 2018). On this 13 April, it completes 1 year. Surat fort has become the benchmark of Surat’s heritage sites in the city and attracts the tourists more than common people. A lot of students from schools also visit the fort on regular basis and it is staffed by expert members from Surat Municipal Corporation.

Some important features are listed below.

About the original fort

Surat fort was built between 1540 and 1547

It was commissioned by Ahmedabad king Sultan Mahmood-III and the in-charge was Khudawand Khan (his tomb is also a brilliant heritage site near SMC main office in Mugalisara)

The fort was built to protect from the repeated invasions by Portuguese rulers.

During the construction, the Portuguese spies had tried to bribe General Khudawan Khan repeatedly, but they did not succeed.

The Fort derives its inspiration from a number of cultures and so today it houses very interesting areas like British barracks, a hammam (popularly found in Turkish cultures), the court-room made in Dutch style, etc.

The cannons installed on the fort were believed to be brought in either from Junagadh or from Diu.

About and after the restoration

The restoration was done by a Surat based company called People for Heritage Concern (PHC), headed by Architect Sumesh Modi & Architect Sonal Modi.

It was reconstructed in almost the same way, and in most parts, by the material used at that time or its replica.

Today it houses an audio-visual room, library, art gallery, hammam, display gallery, reading room, café, etc.

It is being managed and maintained by Surat Municipal Corporation under the curatorship of Mrs Bhamini Mahida.

The current fort is still half of the actual site and the other half will open for public after restoration after a couple of years.

Appropriate people if you want to take more details

Mrs Bhamini Mahida (SMC), Curator Science Centre & Surat Fort – 0261 – 2255947

Mr Sumesh Modi (Chief architect, People for Heritage Concern) – 98251 29961

Prakash Hathi (Founder, Dharohar Foundation) – 98252 34861

 

April 12, 2019
pakvima.jpg
1min4250

ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો પોતાની માગણી સાથે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.

રાજકોટમાં ખેડૂતોની રેલી અને સભા માટે મંજૂરી મળી નહોતી, તેમ છતાં ખેડૂતોએ રેલી કાઢી હતી જેની સામે પોલીસે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ સહિત આસપાસના ખેડૂતો મામલતદારને આવેદન પત્ર આપવા માટે ભેગા થયા હતા જેમાં ખેડૂતોની માગણી હતી કે પ્રીમિયમ ભરતા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે.

સરકારે કોઈ પણ ભોગે અછતગ્રસ્ત તાલુકાઓને પાક વીમો અપાવવો પડશે. ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે.

વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી. તેમ જ સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈશું. અમને કોઈ રોકી શકે તેમ નથી.

ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવો જ પડશે. પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી ખેડૂતોએ કહ્યું કે, પાક વીમા કંપનીઓ સાથે સરકારને પણ ખેડૂતોની ચિંતા નથી. તેઓ પણ અમારી કોઈ માગણીઓ સ્વીકારતા નથી.

April 10, 2019
congressMLa.jpg
1min3590
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ 22 થી 49.40 ટકા સુધીનું પ્રીમીયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજુ મળ્યા નથી, તેથી કોંગ્રેસના 3 ધારાસભ્યેએ આ મામલે સરકાર સામે મોરચો માંડયો છે.’ પાક વીમાની વિસંગતતાઓના હિસાબની માગણી સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરીમાં જ ધરણા પર બેઠા છે.
કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો આખી રાત ધરણા પર બેઠા’ હતા અને હજી પણ આ ઘરણા ચાલુ જ હોવાનું જાણવા મળે છે. કૃષિ નિયામક પાક વીમાની રકમની ચૂકવણીનો હિસાબ આપે પછી જ ધરણા પરથી ઉઠશે તેવું કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યુ હતું.
ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાક વીમાની ચૂકવણી બેન્કો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં સરકારે તાલુકાઓ ગત ચોમાસાની સીઝનમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. તેવા તાલુકાઓમાં ઝીરો ટકા પાક વીમો આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોને અલગ અલગ ટકા પાક વીમો ચૂકવવાતા ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી સાથે આ ત્રણેય ધારાસભ્યોએ રાતભર મોરચો માંડયો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કૃષિભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઇને રાજ્યપાલ અને લોકઅદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.
April 10, 2019
service_voter.jpg
1min5580

આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.

કોણ હોય છે સર્વિસ વોટર્સ

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.

ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.

સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે

સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.

સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી

દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે  તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….

April 9, 2019
sun.png
1min5990

ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં રાહત બાદ સોમવારે એકાએક ગરમીનો પારો ઊંચકાતાં રાજ્યભરમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પાટણ, બનાસકાઠા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં શહેર અને ગ્રામ્યકક્ષાએ લોકોની સાથે મૂંગા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં ડીહાઈડ્રેશનના બનાવો ઉપરાંત 90 જેટલા લોકો ગરમીથી બેભાન થઈ ગયાના અને પાણીજન્ય બીમારીથી 1250થી વધુ લોકો સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. જોકે લોકોએ 43 ડિગ્રીની ગરમીનો અહેસાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૈત્રના આરંભ સાથે ગરમીમાં બે દિવસથી લોકોને રાહત થતાં લોકોને કાતિલ ગરમીમાંથી છુટકારા બાદ સોમવારના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ઊંચો જતા અને જિલ્લાઓમાં ગરમીના કારણે જાણે આકાશમાંથી અગનગોળા ફેકાતા હોય તેવો માહોલ સર્જાયો હતો.

જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 41.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે તાપમાન 40.8 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.6 સુધી પહોંચી ગયો હતો. રાજ્યના હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. જ્યારે અમરેલી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પર માઠી અસરો પડી હતી અને આકરી ગરમીને કારણે શહેરો અને જિલ્લાભરમાં લોકોની બીપી, ડીહાઈડ્રેશન, ઝાડા-ઊલટી, જેવી બીમારીનો ભોગ બન્યા હતા જેના કારણે અનેક શહેરી અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોલોકોની ભીડથી ઊભરાઈ રહ્યા છે. જ્યારે મનપાએ અમદાવાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર બપોરના એકથી સાંજના પાંચ નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે સાથે ખૂબ જ પાણી પીવાની તેમ જ ખુલ્લામાં વેચાતા ખોરાકો ઉપરાંત બરફના ગોળા ઠંડક માટે ઉપયોગ ન કરવા સૂચનો જારી કર્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ઊભી કરવામાં આવી હતી. આમ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો એકાએક ઊંચકાતા જનજીવન પર માઠી અસરો પડી રહી છે અને ગરમીને કારણે અનેક લોકોની તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે.

April 6, 2019
CIA_Live_Logo_New2.jpg
10min5470

Friday, 29 March 2019

Joint statement by film makers appealing people to vote out BJP from power

on the website :

https://www.artistuniteindia.com/2019/03/joint-statement-by-film-makers.html

They say films are made for entertainment. Not just. Around 100 film makers of the country who make films to ensure social justice along side  entertaining the intellect, have come together for a common cause. This time to protect the democracy of the country. They got together and issued a statement to appeal to the people of India to oust BJP from power. The statement is given below
भारत दुनिया की सबसे पुरानी सभ्यताओं में से एक है और ये हर तरह के बदलाव का साक्षी रहा है। ऐसी महान सभ्यता आज अपने सबसे बुरे दौर से गुज़र रही है। सांस्कृतिक और भौगोलिक रूप से असंख्य विविधताओं से भरा होने के बावजूद, एक राष्ट्र के रूप में हम हमेशा एक साथ खड़े रहे हैं। हमें गर्व है कि हम इस सद्भावनापूर्ण और प्यारे देश के निवासी हैं।
हम हमेशा से ऐसा देखते आए हैं पर ये सब शायद अब वैसा न रहे।
अगर आने वाले लोकसभा चुनावों में हमने जागरूक रहकर अपने प्रतिनिधि नहीं चुने तो यक़ीन मानिए, तानाशाही हमारे दरवाज़े तक पहुँच चुकी है।
जैसा कि हम सभी जानते हैं, 2014 में जब से भाजपा सत्ता में आई है, सब कुछ बदल गया है। और ये बदलाव कहीं से भी सकारात्मक तो नहीं ही है। धर्म के नाम पर बंटा हुआ भारत वो भारत नहीं है जिसे हम जानते हैं। सिर्फ यही नहीं, भाजपा और उसके घटक दल, पिछले चुनावों में किए अपने वादों में से कुछ भी पूरा नहीं कर पाए हैं। अपनी नाकामियों को छुपाने के लिए अब ये मोब लिंचिंग और गाय-गोबर जैसे हथकंडों से देश को बाँटने का काम कर रहे हैं। मुसलमानों और दलितों को अलग-थलग करना इनकी प्राथमिकताओं में है। ये लोग अपने अंदर की नफ़रत को इंटरनेट और सोशल मीडिया के जरिये ज़ोर-शोर से फैला रहे हैं। “देशभक्ति” को अपना हथियार बना कर ये असहमतियों पर हमला करते हैं। कोई भी व्यक्ति या संस्था, जो इनसे ज़रा सा भी असहमत है, ये उसे फ़ौरन ‘देशद्रोही’ क़रार देते हैं। यही ‘देशभक्ति’ का राग इनका वोट-बैंक बनाता हैं। एक बात हमें कभी नहीं भूलनी चाहिए कि हमारे बेहतरीन लेखकों और पत्रकारों ने इसी असहमति की वजह से अपनी जान गँवाई है।
सेना के नाम पर छद्म भावुकता रचकर ये उसके प्रचार से फायदा उठाते हैं। इन्हें कोई परवाह नहीं अगर इससे देश युद्ध के मुहाने पर पहुँच जाये। देश की सांस्कृतिक और वैज्ञानिक संस्थाओं पर लगातार हमले हो रहे हैं। इन संस्थाओं के प्रमुख पदों पर अनुभवहीन और अयोग्य व्यक्तियों की नियुक्ति कर ये देश की प्रतिभा का मखौल उड़ाते हैं। धीरे-धीरे हर महत्वपूर्ण संस्था में इनके बैठाये बुद्धिहीन लोग क़ाबिज़ हो गए हैं। यहाँ तक कि ये अंतर्राष्ट्रीय विज्ञान गोष्ठियों में भी अपने अवैज्ञानिक और बेतुके सिद्धांतों की बात कर पूरी दुनिया को हम पर हँसने का मौका देते हैं। इनेक अस्तित्व के लिए निहायत ज़रूरी है कि लोग सत्य से दूर रहें और इसके लिए ये “कला” पर और खास तौर पर जो कला के सबसे सशक्त माध्यम हैं – ‘सिनेमा और किताबें’, उन पर प्रतिबंध लगाते हैं।
किसान तो पूरी तरह भुला दिया गया है। बल्कि, भाजपा ने देश को कुछ व्यापारियों की व्यक्तिगत संपत्ति बना दिया है। इनकी कमजोर आर्थिक नीतियाँ अंत में विध्वंसक ही साबित हुईं लेकिन उन्हें बेहद सफल बताया जा रहा है। कैसे? झूठ की जोरदार मार्केटिंग से। इससे देश में एक झूठा आशावाद पैदा हुआ है जो आगे चलकर बहुत ही घातक साबित होने वाला है।
इनका एक और शगल आंकड़ों और इतिहास के साथ छेड़-छाड़ है। ऐसे में इन्हें एक और मौका देना हमारी सबसे बड़ी और भयानक भूल होगी। ये दुनिया के सबसे बड़े लोकतन्त्र के ताबूत में आखिरी कील साबित होगी।
सभी जिम्मेदार और विचारशील देशवासियों से निवेदन  है कि अपनी पूरी क्षमता के साथ इन विध्वंसकारी ताकतों को वापस सत्ता में आने से रोकिए। किसी एक दल के समर्थन में नहीं, बल्कि देश के लिए, आइये हम एक ऐसी सरकार चुनें जो संविधान में, अभिव्यक्ति की आज़ादी में और स्वस्थ आलोचना में विश्वास रखती हो, जो अपने ही किसी भी नागरिक के लिए खुद खतरा न हो।
और याद रखिए, ये आपका आख़री मौका है, इसके बाद शायद आपके पास चुनने का अधिकार भी न हो।
in Gujarati

બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ ભાજપને મત ન આપવા માટે અપીલ કરી છે. તમામ હસ્તીઓએ એક પત્ર લખી કહ્યું કે મત આપીને ભાજપ અને તેના સાથીઓને સત્તામાંથી બહાર કાઢો. અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કાર્નાડ, એમકે રેના અને ઉષા ગાંગુલિ જેવી ચર્ચિત હસ્તીઓનો પણ સમાવેશ છે.

આ તમામ લોકોએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને તેના બંધારણની કલ્પના જોખમમાં છે. ભાજપે મત ન આપો. આ પત્ર ગુરુવારે પ્રકાશિત કરાયો હતો. તેને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટેડ ઇન્ડિયા વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.

આ પહેલા 100થી વધુ ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. અહેવાલ મુજબ અપીલ કરનાર ફિલ્મ નિર્માતાઓની યાદીમાં મલયાલમ નિર્દેશક આશીક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દિપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.

An Appeal to the People of India
Our country is going through the most testing times ever. Though culturally vivid and geographically diverse, we have always stayed united. As a nation. It has indeed been a great feeling to be a citizen of this wonderful country.
But all that is at stake now.
Fascism threatens to strike us hard with all its might if we don’t choose wisely in the coming Lok Sabha election. Period.
As we all know, ever since the BJP came to power in 2014, things have changed. And only for the worse. A country polarised along religious lines isn’t the India we have known. Besides, the BJP and its allies have failed miserably in keeping their election promises. They are now using mob lynching and cow vigilantism to split the country communally. Marginalizing Dalits and Muslims is the name of the game. They are spreading their hate campaigns with the help of the internet and social media. Patriotism is their trump card. Any individual or institution that raises the slightest dissent is labelled ‘anti-national’. ‘Patriotism’ is how they grow their vote bank. Let us not forget that some of our eminent writers and media persons lost their lives because they dared to dissent.
Romanticizing and exploiting the armed forces is one of their strategies. Even at the risk of engaging the nation in an unnecessary war. There is unrelenting onslaught on the cultural and scientific institutions in the country. They mock the collective intelligence of the people by appointing persons with no relevance or experience as heads of these institutions, propagating unscientific and irrational beliefs even at international science seminars, making us the laughing stock of the entire world. Banning and censoring ‘works of art’, especially the most powerful of the lot – Cinema and Books – is their way of keeping the population away from the truth.
Farmers have been completely forgotten. In fact, the BJP has made the country the boardroom property of a handful of businessmen. Flawed economic policies that ended up as extreme disasters are covered up and made to look like successes. All with the help of false propaganda and marketing blitz. This has helped them to create a false optimism in the country.
Manipulation of statistics and history is another one of their fond projects. Giving them one more term in power will be a grave blunder. It could well be the last nail in the coffin for the biggest democracy in the world.
We urge all of you to do everything in your capacity to keep this harmful regime from coming back to power. Let your mandate be to choose a government that respects the Constitution of India, protects our freedom of speech and expression, and refrains from all kinds of censorship.
Yes, This is our last chance!
Signed by:
  1. Aashiq Abu
  2. Aarti Patel
  3. Abhijnan Sarkar
  4. Abhro Banerjee
  5. Ashish Pawaskar
  6. Ajayan Bala
  7. Ambika Rao
  8. Amitabha Chatterjee
  9. Amshan Kumar
  10. Amudhan R
  11. Anand Patwardhan
  12. Aneez K Mappila
  13. Anirudda Sharma
  14. Anjali Monteiro
  15. Anjum Rajabali
  16. Anupama Bose
  17. Arun Karthick
  18. Arun M
  19. Arun N Sivan
  20. Asha Achy Joseph
  21. Asha Unnithan
  22. B. Ajithkumar
  23. Babu Easwar Prasad
  24. Baburaj V G
  25. Baburaj Pandavath
  26. Bina Paul
  27. C S Venkateswaran
  28. Dar Ghai
  29. Devashish Makhija
  30. Debjani Banerjee
  31. Debalina
  32. Deepa Dhanraj
  33. Deepesh T
  34. Dileep Daz
  35. Divya Bharathi
  36. Gobi Nayanar
  37. Goutham Soorya
  38. Gurvinder Singh
  39. Indrasis Acharya
  40. Indraneel Lahiri
  41. Jayan Cheriyan
  42. Jeeva K J
  43. Jeeva Ponnuchamy
  44. Jiju Antony
  45. Jisha
  46. Jhelum Roy
  47. Jubith Namradath
  48. Kabir Singh Chowdhry
  49. K B Venu
  50. K P Jayashankar
  51. Kombai S Anwar
  52. Kamal K M
  53. Kesari Haravoo
  54. Leela Santhosh
  55. Leena Manimekalai
  56. Lenin Bharathi
  57. Lijo Jose Pellissery
  58. Madhupal
  59. Maheen Mirza
  60. Malini Jeevarathnam
  61. Manisha Korde
  62. Manoj Kana
  63. M G Sasi
  64. Miransha Naik
  65. Maulik Raj
  66. Muhsin Parari
  67. Naushil Mehta
  68. Nidhi Tuli
  69. Nishant Radhakrishnan
  70. Nishtha Jain
  71. P F Mathews
  72. Padmakumar Narasimhamurthy
  73. Pa. Ranjith
  74. Pradeep Nair
  75. Pradeep Dipu
  76. Pradipta Bhattacharyya
  77. Prakash Bare
  78. Pramod Payyannur
  79. Prasanna S Kumar
  80. Prasant Vijay
  81. Pratap Jospeh
  82. Prateek Vats
  83. Praveen Morchhale
  84. Prem Chand
  85. Prema Revathi
  86. Priyanandanan
  87. Pushpendra Singh
  88. Q
  89. Rahul Roy
  90. Rafeeq Ellias
  91. Rajani Mani
  92. Rajeev Ravi
  93. Rakesh Sharma
  94. Ranjith Sankaran
  95. Reena Mohan
  96. Renu Savant
  97. Rinchin
  98. Ritesh Sil
  99. R.R. Sreenivasan
  100. Sajeevan Anthikkad
  101. Saji Palamel
  102. Sajin Baabu
  103. sajitha madathil
  104. Sanalkumar Sasidharan
  105. Sandhya Goghale
  106. Sanjay Chauhan
  107. Sanjay Wadhwa
  108. Sanju Surendran
  109. Santosh Babusenan
  110. Sapna Bhavnani
  111. Sarvnik Kaur
  112. Satish Babusenan
  113. Shaji Mathew
  114. Sharad Raj
  115. Sherief Easa
  116. Sherry Govindan
  117. Sreebala K Menon
  118. Subhash KR
  119. Sudevan
  120. Sukhpreet Kahlon
  121. Suman Mukhopadhyay
  122. Sunny Joseph
  123. Suresh Achoos
  124. Unni Vijayan
  125. Vani Subramanian
  126. Vetri Maaran
  127. Venu ISC
  128. Vidhu Vincent
  129. Viju Varma
  130. Vinu Kolichal
  131. Vinod Raja
April 6, 2019
modi_shah.jpg
1min5100
લોકસભાની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચારનો તબક્કો શરૂ થઇ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10મીએ જૂનાગઢ અને પોરબંદર એમ બે સ્થળે જાહેરસભાને સંબોધશે, તો આવતી કાલથી અમિત શાહ પણ ગુજરાતમાં ચૂંટણી સભાના શ્રીગણેશ કરશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 10મીએ જુનાગઢ અને પોરબંદર લોકસભા વિસ્તારમાં સભાઓ’ સંબોધશે જ્યારે બપોરે બારડોલી અને નવસારી લોકસભા’ બેઠકમાં પણ સભા યોજાશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને સાંજે જ ગુજરાતની તમામ 26 બેઠકો અંગે ચર્ચા વિચારણા કરી રણનીતિ ઘડશે.
આવતી કાલે 6ઠ્ઠી એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી પોતાના મતવિસ્તારથી ગાંધીનગર લોકસભાથી લોકસંપર્ક શરૂ કરશે. તેઓ તેમના મત વિસ્તારમાં વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શૉ કરશે. રાત્રે બોપલ વિસ્તારમાં બેઠકો કરશે. તેઓ 6,15,19 અને 21 એપ્રિલે રાજ્યમાં અલગ અલગ લોકસભા વિસ્તારની જગ્યાઓએ સભાઓને સંબોધશે. એવું પણ જાણવા મળે છે કે અમિત’ શાહના પ્રચાર માટે તેમની સાથે કેન્દ્રિય રક્ષા પ્રધાન’ નિર્મલા’ સિતારામન’ પ્રચારમાં જોડાશે. આવતીકાલે અમદાવાદમાં પ્રબુદ્ધ નાગરિકોનુ સંમેલન યોજવામાં આવ્યું છે જેને નિર્મલા સિતારામન પણ સંબોધન કરશે. તેઓ વડોદરા અને આણંદ લોકસભા વિસ્તારમાં પણ કાલે જશે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપની ડિજીટલ ડાન્સીંગ 13 જેટલી ટીમો તમામ લોકસભા વિસ્તારમાં જઇને પ્રચાર કરશે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપશે.
April 4, 2019
Election-Duty.png
1min4670

‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.

ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.