CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 103 of 126 - CIA Live

May 31, 2019
agri.jpg
1min6100

આર્થિક ભીંસના સમયે સરકારે ખેડૂતોને પૂરતો પાક વીમો ય ન ચૂકવતા ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. દુષ્કાળને લીધે ખેડૂતો એકતરફ ભારે હાડમારી અનુભવી રહ્યા છે. 2018ની ખરીફ સીઝનના હજુ 33.65 ટકા દાવાઓ બાકી છે. એટલું જ નહીં કપાસની વીમાની હજુ ગણતરી જ થઇ નથી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 2018ની ખરીફ સીઝનમાં 12.91 લાખ ખેડૂતોએ 22.37 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીના વાવેતર માટે વીમો મેળવ્યો હતો. એ પૈકી ખેડૂતોએ રૂ.365.53 કરોડનું પ્રિમીયમ ચૂકવ્યું હતુ. કેન્દ્ર અને રાજ્યએ સરખેભાગે રૂ.2667.20ની કુલ સબસિડી ભોગવી છે. આ રીતે કુલ પ્રિમિયમ રૂ. 3032.72 કરોડ ભરવામાં આવ્યું હતુ. જોકે એમાંથી અત્યાર સુધીમાં રૂ. 2038 કરોડના દાવા જ મંજૂર થયા છે.

રાજકોટ જિલ્લા બેંક વડે સમગ્ર જિલ્લામાંથી રૂ. 639 કરોડનું પ્રિમીયમ ભરાયું હોવાનો અંદાજ છે. એમાંથી ફક્ત રૂ. 319 કરોડ મગફળીના મંજૂર’ થઇને આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને પડધરી જેવા તાલુકાઓને તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે છતાં કોડીનો ય વીમો મંજૂર થયો નથી.

સમગ્ર જિલ્લાની બધી બેંકોનો રૂ. 305 કરોડનો મગફળીનો વીમો મંજૂર થયો છે. એમાંથી અમરેલી જિલ્લા બેંકનો હિસ્સો રૂ. 141 કરોડનો છે. કપાસના વીમાની હજુ ગણતરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેનારા રાજ્યના 49.23 લાખ ખેડૂતેની 77.34 લાખ હેકટર વિસ્તાર જમીનમાં પકવેલા ખરીફ પાક માટે આ રકમ વીમા પ્રિમિયમ પેટે ચૂકવાઇ હતી.’ 2016-17માં 19.79 લાખ, જ્યારે વર્ષ 2017-18માં રૂા.16.53 લાખ’ તેમજ ખરીફ 2018માં 12.91 લાખના પ્રિમિયમ ખેડૂતોએ ભર્યા હતા. 2016-17માં 28.42 લાખ હેકટર, વર્ષ 2017-18માં 26.56 લાખ હેકટર અને ખરીફ 2018માં 22.37 લાખ હેકટર જમીનમાં થયેલા વાવેતર માટે વીમો લેવામાં આવ્યો હતો.

May 30, 2019
modirajghat.jpg
1min7680

આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ એ પૂર્વે ઐતિહાસિક દિવસે સવારે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને સ્વ. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. એ પછી તેઓ અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈને તેમને શદ્ધાંજલિ આપી.

ભાજપાના અનેક મોટા નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી બાપૂ અને વાજપેયીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વડાપ્રધાન મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને પ્રણામ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min4150

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
trafficeineverest.jpg
1min5670

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 29, 2019
heatwave.jpg
1min3380

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તેમાં પણ વિદર્ભ ભઠ્ઠીમાં તપી રહ્યું છે. મંગળવારે વિદર્ભનું ચંદ્રપુર રાજ્યનો સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યો હતો. અહીં દિવસ દરમિયાન પારો 47.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો.

ગરમીને કારણે અનેક લોકોને લૂ લાગવાના બનાવ પણ અહીં નોંધાયા હતા. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની ચેતવણી આપી હોવાથી લોકોને દિવસ દરમિયાન અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. ગરમી અને લૂ લાગવાને કારણે સાતથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂકયા છે અને અનેક લોકો હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ પર થયા છે ત્યારે આગામી ત્રણ દિવસ અહીં હિટ વેવની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને સંભાળીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં પણ વિદર્ભમાં છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં સૌથી ઊંંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન અહીં 47.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું હતું.

વિદર્ભમાં અકોલામાં 45.6 ડિગ્રી,

અમરાવતીમાં 45.8 ડિગ્રી,

બુલઢાણામાં 41.7 ડિગ્રી,

બહ્મપુરીમાં 46.9 ડિગ્રી,

ચંદ્રપુરમાં 47.8 ડિગ્રી,

ગઢચિરોલીમાં 46.0 ડિગ્રી,

ગોંડિયામાં 45.5 ડિગ્રી,

નાગપૂરમાં 47.5 ડિગ્રી,

વર્ધામાં 46.5 ડિગ્રી,

યવતમાળમાં 45.0 ડિગ્રી

મરાઠવાડામાં ઔરંગાબાદમાં 42.0 ડિગ્રી,

બીડમાં 44.2 ડિગ્રી,

નાંદેડમાં 44.5 ડિગ્રી,

ઉસ્મનાબાદમાં 43.4 ડિગ્રી,

પરભણીમાં 46.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવમાં 43.6 ડિગ્રી,

કોલ્હાપુરમાં 38.0 ડિગ્રી,

હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં 34.2 ડિગ્રી,

માલેગાંવમાં 42.4 ડિગ્રી,

નાશિકમાં 38.5 ડિગ્રી,

પુણેમાં 39.7 ડિગ્રી,

સાંગલીમાં 39.4 ડિગ્રી,

સતારામાં 41.2 ડિગ્રી અને

સોલાપુરમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

જયારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી,

લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી જયારે હવામાં ભેજનું પ્રમાણ 68 ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યમાં વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર સહિત મરાઠવાડામાં તાપમાનમાં વધારો થયો છે અને આગામી દિવસમાં હજી તાપમાનમાં વધારો થવાની શકયતા છે. આજે વિદર્ભ સહિત મરાઠવાડામાં હિટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. તો 30 અને 31 મેના વિદર્ભના અમુક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.

May 26, 2019
CWC.jpg
1min10760

કૉંગ્રેસની કારોબારી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની કરેલી ઑફરને સર્વાનુમતે નકારાઇ હતી. રાહુલ ગાંધીએ લોકસભાની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના નબળા દેખાવ બદલ જવાબદારી લઇનેે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખપદે ચાલુ રહીને પક્ષની દરેક સ્તરે નવરચના કરવાની સત્તા આપી હતી.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં જણાવાયું હતું કે કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સમિતિની બેઠકને સંબોધતી વખતે પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઑફર કરી હતી. કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીની રાજીનામાની ઑફર સર્વાનુમતે નકારી કાઢી હતી અને તેમને હાલના કપરા સમયમાં પક્ષનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખવાની વિનંતિ કરી હતી.

તેણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કારોબારી સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ, ગરીબો અને સમાજના પછાત ગણાતા વર્ગના લોકોની સમસ્યા દૂર કરવા માટે પક્ષને માર્ગદર્શન આપવાની વિનંતિ કરી હતી.

કૉંગ્રેસના દેશભરના નેતાઓ શનિવારે અહીં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં પક્ષના નબળા દેખાવ અંગે ચર્ચાવિચારણા અને આત્મમંથન કર્યું હતું.

કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી હતી અને આ બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો – પંજાબના અમરિન્દર સિંહ, રાજસ્થાનના અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા.

પૂર્વ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસનાં ઇનચાર્જ પ્રિયંકા ગાંધી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ, એ. કે. એન્ટની, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, શીલા દીક્ષિત, મલ્લિકાર્જુન ખર્ગે, અંબિકા સોની, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.

અગાઉ, કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમના વડા રાજ બબ્બર અને ઓડિશા એકમના પ્રમુખ નિરંજન પટનાયકે હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

May 25, 2019
smc.jpg
1min10560

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min3310

ગુજરાતના શિક્ષણ જગત માટે વણજોઇતા નવરાત્રી વેકેશનને આખરે રાજ્ય સરકારે 2019-20ના શૈક્ષણિક સત્રથી રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં રાજ્ય સરકારે ફરજિયાત સ્કુલો બંધ કરીને નવરાત્રી વેકેશન માણવાનો ફતવો બહાર પાડ્યો હતો અને સ્કુલોએ વેકેશન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ખોટો દાખલો સરકારે બેસાડ્યો હતો અને હવે એ સરકારે ફરીથી સાચો દાખલો ગણવાની ફરજ પડી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં શુક્રવારે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં અન્ય એક નિર્ણયમાં હવેથી ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતા. ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું, પરંતુ હવે નહીં મળે.

May 24, 2019
congress_mukt.png
1min5200

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min3430

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.