CIA ALERT

બિઝનેસ Archives - Page 66 of 76 - CIA Live

September 28, 2018
hrk_27-1280x720.jpg
1min8760

Jayesh Brahmbhatt 98253 44944

તા.27મીએ ઇચ્છાપોર ખાતે આવેલા જાણીતા હીરા ઉદ્યોગપતિ હરી ક્રિષ્ણા એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાએ તેમના ત્રણ મેનેજરોને મર્સિડીઝ કાર મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભેંટ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને હીરા ઉદ્યોગમાં એટલે આશ્ચર્ય થયું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ભેંટમાં આપવાના કાર્યક્રમ પૂર્વે ગયા શનિવારે, તા.22મી સપ્ટેમ્બર 2018ની સાંજે આ કાર્યક્રમ યોજાઇ ચૂક્યો હતો. હરી કૃષ્ણ પરિવારના સેંકડો કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા એ દબદબાભર્યા કાર્યક્રમમાં ત્રણે મેનેજરોને મંચ પર બોલાવીને તેમના પરિવારજનોની હાજરીમાં મર્સિડીઝની ચાવી ભેંટમાં આપવામાં આવી ચૂકી હતી અને પરિવારજનોએ સમારોહ સ્થળે જ મર્સિડીઝ રાઇડ માણી લીધી હતી. એ પછી ફરીથી તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે મર્સિડીઝ કાર ત્રણેય મેનેજરોને ભેંટમાં આપવાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો ? એ તર્ક વિતર્ક છે.

સવાલો તો એ પણ ઉઠી રહ્યા છે કે શું મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને એ બાબતની જાણકારી આપવામાં આવી હતી કે હરી કૃષ્ણ એક્સપોર્ટસના મેનેજરોને છ દિવસ અગાઉ મર્સિડીઝની ચાવી અપાઈ ચૂકી હતી ? અને ભેંટ પામનાર અધિકારીઓ પરિવાર સમેત તેને સ્વીકારી ચૂક્યા છે.

સવજીભાઇ ધોળકીયા તો પાક્કા વેપારી માણસ છે, તેઓ મર્સિડીઝ જેવી મોંઘીદાટ કાર ભેંટ આપતા હોય તો એ ભેંટ આપવાનો કાર્યક્રમ એકાદ બે વખત શું 15-20 વખત પણ કરી શકે તેમાં કોઇને શું વાંધો હોય. પણ જ્યારે રાજ્યપાલ જેવી વિશિષ્ટ વ્યક્તિને હસ્તે આવો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે તેની ગરિમા જાળવવી પડે છે.

CIA liveએ આજે સવારે હરી કૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઇ ધોળકીયાને વ્હોટ્સએપ પર બે સવાલ કર્યા હતા. તેમણે સવાલો વાંચ્યા પછી જવાબ આપવાનું ટાળ્યું હતું. હરી કૃષ્ણ એક્સપોર્ટના અન્ય આધારભૂત સૂત્રએ સીઆઈએ સાથે વાત કરતા નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 22મી તારીખે મર્સીડીઝ અપાઇ હતી એ વાત સાચી, પણ આનંદીબહેન આવવાના હતા એ વાત પછી ખબર પડી એટલે ફરીથી કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો.

હરીકૃષ્ણ એક્સપોર્ટના અન્ય એક વ્યક્તિએ બચાવમાં જણાવ્યું હતું કે મુખ્ય કાર્યક્રમ મૃતક કર્મચારીને રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવાનો હતો. તો સવાલ એ ઉપસ્થિત થાય કે મધ્યપ્રદેશના રાજ્યપાલના હસ્તે ગાડીની ચાવી ફરી વખત કેમ અપાઇ ?

સવજીભાઇ ધોળકીયા એટલા મશહૂર ઉદ્યોગપતિ છે કે મિડીયા માઇલેજ માટે થઇને આવું તો ન જ કરે કે એકનો એક કાર્યક્રમ ફરી વખત યોજે આવી સ્થિતિમાં મુખ્ય સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે એક વખત જે ભેંટ અપાઇ ચૂકી હતી એ જ ફરીથી મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જેવા બંધારણિય વડાના હસ્તે આપવા પાછળનું પ્રયોજન શું ?

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનું કાઉન્ટ ડાઉન

 

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટમાં આપી એ પ્રસંગનો વિડીયો

તા.22મી સપ્ટેમ્બર 2018ના દિવસે રાત્રીના સમયે હરી કૃષ્ણ પરિવારે તેમના ત્રણેય મેનેજર પરિવારને મર્સિડિઝ કાર ભેંટ મળ્યા બાદ પરિવાર સમેત કાર્યક્રમ સ્થળે તેમણે કાર રાઇડ માણી હતી એ વેળાનો વિડીયો

 

હવે જુઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.27મી સપ્ટેમ્બર 2018ના રોજ ફરી વખત એની એ જ મર્સિડીઝ કાર અને એ જ કર્મચારી પરિવારને અર્પણ કરવામાં આવી તે વેળાનો વિડીયો

 

હરી કૃષ્ણ એક્સપોર્ટ તરફથી આ અંગે જે પણ કંઇ સ્પષ્ટતા કે પ્રતિક્રિયા સત્તાવાર રીતે અમને જ્યારે પણ સાંપડશે ત્યારે અમે અહીં તેને અક્ષરશઃ પ્રકાશિત કરીશું.

 

 

 

You can find us on Google Play store too

September 27, 2018
kanji2-1280x960.jpg
1min5070

સહકારી બેંકિંગ ક્ષેત્રે અગ્રણી હરોળમાં જેનું નામ લેવાય છે એ વરાછા કો.ઓ.બેંક સુરતએ નક્કર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. દક્ષિણ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી કેરળના કોવાલમ ખાતે તાજેતરમાં સ્કોબા એવોર્ડ 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. જેમાં વરાછા કો.ઓ. બેંકને તેની કામગીરી અને વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ એવોર્ડ એનાયત કરાયા હતા.

વર્ષ 2017-18 બેંકિંગ ક્ષેત્ર માટે મુશ્કેલીભર્યું રહ્યું હતું. એવા સમયમાં વરાછા કો.ઓ. બેંકએ ધિરાણમાં 33 ટકા અને થાપણમાં 10 ટકાનો ગ્રોથ કર્યો છે. આ કામગીરી માટે સ્કોબાએ વરાછા બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્સન એવોર્ડ એનાયત કર્યો હતો. વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ માટે પણ વરાછા બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની તમામ સહકારી બેંકોમાં વિવિધ માપદંડને આધારે 23 બ્રાન્ચ અને રૂ.2100 કરોડનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકને 2017-18 માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખાસ એવોર્ડ આપીને તેના વર્તમાન ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાને બહુમાનિત કરાયા હતા. વરાછા કો.ઓ. બેંક વતી શ્રી કાનજીભાઇ ભાલાળાએ ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા. બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા તથા બેંકના મહિલા ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણીની આખી ટીમ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને બહુમાન સ્વીકાર્યું હતું.

September 26, 2018
gujcmdcm.jpg
1min3750

રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહે છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગમાં ગુજરાતીઓને નોકરીથી વંચિત રાખવામાં આવતો હોવાના મુદ્દે નવરાત્રિ બાદ દશેરાથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત 8500 યુવાનોને કરારપત્રોનું વિતરણ સમારંભને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારીભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ મેઇક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત માં માર્ચ 2019 પહેલા 1 લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માં કૌશલ્યવાન બનાવવા છે.

રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ 140 જેટલા નવા કોર્સ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.

September 25, 2018
EWAY-10-1-18.jpg
1min6410

રાજ્ય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન દ્વારા જોબવર્કના હેતુસર રાજ્યમાં આંતરિક ટ્રાન્સપોર્ટ થતા હેન્ક, યાર્ન, ફેબ્રિક્સ તથા ગાર્મેન્ટ સિવાયની તમામ આઇટમો માટે ૧ ઓક્ટોબરથી ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જોગવાઈ મુજબ ₹50,000થી વધારે કિંમતના તમામ માલ માટે ઇ-વે બિલ ફરજિયાત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેવન્યુ લિકેજ રોકવા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેનો વેપાર-ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટરો અને નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. 

રાજ્યમાં 19 આઇટમો માટે એપ્રિલ મહિનાથી ઇ-વે બિલ અમલી છે અને અન્ય પ્રોડક્ટ્સમાં કોઈ મોટી કરચોરી ઝડપાઈ નથી ત્યારે સરકારે તમામ આઇટમો માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તેના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે એમ નિષ્ણાતો જણાવે છે. ઉપરાંત શહેરોમાં માત્ર મ્યુનિસિપલ લિમિટમાં ઇ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે તે વિસ્તારવી જોઈએ એવી માંગ થઈ રહી છે.

કરચોરીની મહત્તમ સંભાવના ધરાવતી 19 આઇટમોમાં 15 એપ્રિલથી જ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત છે અને તેના સિવાયની આઇટમોમાં મોટા પાયે કરચોરી થઈ હોવાના કોઈ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી ત્યારે અચાનક રાજ્ય સરકારે શા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તે અસ્પષ્ટ છે. આ પગલાંથી ઇન્સ્પેક્ટર રાજ ફરી આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે. એવું નિષ્ણાંતો પણ માની રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોએ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલમાંથી મુક્તિ આપી છે કારણ કે તે માટે જરૂરી સ્ટાફ પણ નથી.

ટ્રાન્સપોર્ટર્સની નોંધણી વગર ઇ-વે બિલ સિસ્ટમ કામ કેવી રીતે કરશે

એવી પણ માગ ઉઠી છે કે તામિલનાડુ, પંજાબ, કર્ણાટક સિહતનાં રાજ્યોમાં ₹1 લાખના માલ સુધી ઇ-વે બિલ જરૂરી નથી તેવું ગુજરાતમાં કરવું જોઈએ. ઇ-વે બિલમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડવા માટે જે મુદત આપવામાં આવી છે તે અયોગ્ય છે કારણ કે રજાઓના દિવસોમાં અથવા તો પૂરતા બૂકિંગના અભાવે માલ મોડો પહોંચે તેવી સંભાવના રહેતી હોય છે. રાજ્યમાં લગભગ 1.50 લાખ જેટલા ટ્રાન્સપોર્ટરો છે અને મોટા ભાગનાએ એનરોલમેન્ટ પણ કરાવ્યું નથી ત્યારે 1 ઓક્ટોબરથી કઈ રીતે તેઓ ઇ-વે બિલ બનાવી શકશે તે મોટો પ્રશ્ન છે. તમામ આઇટમો માટે ફરજિયાત ઇ-વે બિલથી નાના વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમના એક ટ્રક ચાલતા હોય તેમને ઘણી તકલીફ થશે. અનેક નાના વેપારીઓનો માલ એક જ ટ્રકમાં જતો હોય ત્યારે વ્યક્તિગત માલ ₹50,000થી ઓછો હોય પરંતુ કુલ માલ ₹50,000થી વધારે થતો હોય ત્યારે ઇ-વે બિલ કેવી રીતે જનરેટ થશે તે સમસ્યા છે. રાજ્ય સરકારે આ મર્યાદા વધારીને ₹1 લાખની કરવી જોઈએ.

September 21, 2018
4-1280x720.jpg
1min40720

જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા  હતા.

ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું

સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

 

You Can Find us on Google Play Store

September 21, 2018
gspc.jpg
1min10530

Jayesh Brahmbhatt   98253 44944

ગુજરાતમાં જાહેર સાહસો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરી રહી છે એ એકમોએ 18 હજાર કરોડથી વધુની જંગી ખોટ કરી છે. એક તરફ રાજ્ય સરકારની તિજોરી તળીયા ઝાટક છે, દેવું વિક્રમી રીતે વધી ગયું છે અને બીજી તરફ આવા ખોડંગાતા પબ્લિક સેક્ટર યુનિટમાં રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતા રૂપિયા નિરર્થક બની રહ્યા છે. એકલા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ખોટ જ રૂ.17 હજાર કરોડથી વધુની રકમને પાર કરી ગઇ છે. આ કોઇ આક્ષેપબાજી કે પોલિટીકલ સ્ટેટમેન્ટ નથી પણ ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તેના રિપોર્ટમાં ગુજરાતના પબ્લિક સેક્ટર્સના નફા નુકસાનનું સરવૈયુ કાઢવામાં આવ્યું છે તેના પરથી મળેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલી ખોટ કરી

રાજ્ય સરકાર હસ્તકના કુલ 77 પબ્લિક સેક્ટરના એકમોમાંથી 14 પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ) (સરકારી સાહસો) એ ₹18,412.39 કરોડની ખોટ કરી છે. ખોટ કરનારા 14 પીએસયુમાં સૌથી મોટો ફાળો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)નો છે.

પીએસયુની ₹18,412 કરોડની ખોટમાં જીએસપીસીનો ₹17,061 કરોડનો ફાળો છે. ત્યાર બાદ સરદાર સરોવર નિગમ લિમિટેડની ખોટ ₹973 કરોડ, ગુજરાત એસટી નિગમની ₹184 કરોડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની ખોટ ₹117 કરોડ છે. જે સરકારી નિગમોની કુલ ખોટ ₹18,412 કરોડ થઈ છે તેમાં જીએસપીસીનો હિસ્સો 92 ટકા છે. જીએસપીસીનું ₹20,000 કરોડનું કૌભાંડ કેગના રિપોર્ટ દ્વારા છતું થાય છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલો નફો કર્યો

ગુજરાતના 55 પીએસયુએ ₹3,647.96 કરોડનો નફો કર્યો છે. વર્ષ 2016-’17ના ફાઇનલાઇઝ્ડ એકાઉન્ટ્સ પરથી કેગે હાથ ધરેલા પરફોર્મન્સ ઓડિટમાં આ વિગતો બહાર આવી છે. કેગના રિપોર્ટમાં જે નોંધવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી વધુ નફો મેળવનારા જાહેર સાહસ એકમોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ છે જેણે ₹737.79 કરોડનો નફો કર્યો છે. ત્યાર બાદ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ₹445 કરોડનો નફો, ગુજરાત ગેસ લિમિટેડે ₹303.33 કરોડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ₹293.38 અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો નફો 284.79 કરોડ છે.

2016-17માં પીએસયુમાં કુલ રોકાણ રૂ.દોઢ લાખ કરોડ

વર્ષ 2012-’13માં સ્ટેટ પીએસયુમાં કુલ ₹1,02,689 કરોડનું રોકાણ થયું હતું જે વધીને 2016-’17માં ₹1,49,499 કરોડ થયું છે. વર્ષ 2012-’13થી 2015-’16 દરમિયાન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 4.95થી 6.82 ટકા રહ્યું છે. તેવી જ રીતે સ્ટેટ પીએસયુની જાહેર ઇક્વિટી વર્ષ 2012-’13માં ₹59,130 કરોડ હતી તે વધીને 2016-’17માં ₹85,112 પહોંચી છે.

2012-’13થી 2015-’16 સમયગાળા દરમિયાન રિટર્ન ઓન ઇક્વિટી 0.27 ટકાથી વધીને 4.53 ટકાની વચ્ચે રહી છે. એસટી નિગમ અંગે રિપોર્ટમાં કેગે ટિપ્પણી કરી હતી કે નિગમનું આંતરિક કંટ્રોલ મિકેનિઝમ નબળું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓડિટનાં તારણોમાં આ નિગમે 2012-’16માં ખોટ નોંધાવી છે. કંપનીની મોટા ભાગની આવક ફર્ટિલાઇઝરના વેચાણમાંથી આવી હતી, ગુજરાત એગ્રો કંપની પાસે એક્સ્પાયર્ડ ફર્ટિલાઇઝરના નાશ કે નિકાલ માટે કોઈ મેનેજમેન્ટ કે સિસ્ટમ ન હતી જે પર્યાવરણીય કાયદાનો ભંગ પણ કરે છે.

જીએસપીસીએ ભારત સરકારના પેટ્રોલિયમ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ પાસે ₹2.97 કરોડના વિલંબિત પેમેન્ટ બાબતે નીકળતાં નાણાં લેવાની કોઈ દરકાર રાખી ન હતી. તેવી જ રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે તેનાં નાણાં બ્લોક હોવા છતાં જમીન હસ્તગત કરવાના નિર્ણયો લીધા હતા, સાબરમતી ગેસ લિમિટેડે યોગ્ય કેટેગરાઇઝેશન ન કરી શકવાને કારણે ₹58 લાખની રેવન્યુ ગુમાવી હતી. આઇડીસીએ તેના પ્લોટધારકોને ફાળવાયેલા પ્લોટ ઉપરાંત વધારાના પ્લોટ માંગતાં તેમને ફાળવ્યાનો નિર્ણય જે ગેરવાજબી કન્સેશનના ₹2.97 કરોડ અપાયું છે.

You can download from Google play store too

September 20, 2018
mono-1280x960.jpg
1min5910

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં ઇજારાશાહી સ્થપાય તેવી શક્યતા છે. તેમણે પડકારજનક સમયમાં મદદરૂપ થવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ મોટા ભાઈ મુકેશનો આભાર માન્યો હતો.

 

કંપનીની 14મી વાર્ષિક સાધારણ બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, અતિતીવ્ર સ્પર્ધા ચાલુ રહી હોવાથી ટેલિકોમ ઉદ્યોગે 20 લાખ જેટલી નોકરીઓ ગુમાવી છે. ઊંચા ખર્ચ અને અમુક કંપનીઓ દ્વારા અતિનીચા ભાવની ઓફરને કારણે ઉદ્યોગનો ‘સર્જનાત્મક વિનાશ’ થયો છે. હવે ઉદ્યોગ ડ્યુઓપોલી તરફ અને કદાચ અંતે મોનોપોલી તરફ આગળ વધી શકે છે. 
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG)ની કંપની આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી સંપૂર્ણપણે એક્ઝિટ કરશે અને ભવિષ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસ પર ફોકસ કરશે. ADAGના વડા અનિલ અંબાણીએ મંગળવારે આ જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, આરકોમની ટોચની પ્રાથમિકતા ₹40,000 કરોડનું દેવું ચૂકવવાની છે. કંપનીએ નિર્ણય લીધો છે કે આરકોમ હવે ટેલિકોમ બિઝનેસમાંથી એક્ઝિટ કરશે. બીજી પણ ઘણી કંપનીઓએ આ નિર્ણય લીધો છે. આ દીવાલ પર લખેલું સત્ય છે.

તેમણે કહ્યું કે, “મોબાઇલ સેક્ટરમાંથી અમે ખસી ગયા છીએ, એન્ટરપ્રાઇઝ બિઝનેસમાંથી યોગ્ય સમયે નાણાં મેળવીશું. રિલાયન્સ રિયલ્ટી આ કંપનીના ભવિષ્યની વૃદ્ધિનું એન્જિન રહેશે.”

મુંબઈ નજીક 133 એકર જમીન પર વિસ્તરાયેલા ધીરુભાઈ અંબાણી નોલેજ સિટી (DAKC)નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, “રિયલ્ટી ક્ષેત્રે વ્યાપક સંભાવના છે. આ એક જ સાઇટ ખાતેથી ₹25,000 કરોડનું વેલ્યૂ ક્રિયેશન થઈ શકે તેમ છે.”

ઉલ્લેખનીય છે કે આરકોમ પર 38 બેન્કો અને નાણાકીય ઇન્સ્ટિટ્યૂશન્સના ₹40,000 કરોડ લેણાં નીકળે છે. તેમાં ચાઇનીઝ બેન્કનો પણ સમાવેશ છે. હાલમાં તે સ્ટ્રેટજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (SDR) પ્રક્રિયા હેઠળ આ દેવું ચૂકતે કરવા સક્રિય છે. અનિલ અંબાણીએ કહ્યું કે આગામી કેટલાક મહિનાઓમાં આ દેવું ચૂકતે થઈ જશે તેવી તેમને આશા છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઇબર બિઝનેસ રિલાયન્સ જીઓને વેચી દેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ અંગે ટેલિકોમ વિભાગ પાસેથી અંતિમ મંજૂરીની તે રાહ જોઈ રહી છે.

અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મોટાભાઈ મુકેશભાઈ અંબાણીએ આરકોમને અને વ્યક્તિગત રીતે મને જે ટેકો પૂરો પાડ્યો છે અને માર્ગદર્શન કર્યું છે તેના માટે હું તેમનો આભારી છું.”

ઉલ્લેખનીય છે કે ટેલિકોમ બિઝનેસ મૂળભૂત રીતે મુકેશ અંબાણીના દિમાગની ઊપજ છે. બન્ને ભાઈઓ વચ્ચે બિઝનેસની વહેંચણી થઈ ત્યારે તેના ભાગરૂપે ટેલિકોમ બિઝનેસ અનિલ અંબાણીને સોંપાયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ બજારમાં પ્રવેશીને ટેલિકોમ ક્ષેત્રનું ગણિત ઊંધું વાળી દીધું હતું.

September 19, 2018
emis.png
1min5340

નિષ્ણાંતો કહે છે કે વ્યાજદરની સાઇકલ બદલાઈ છે અને વ્યાજદરમાં ઘટાડાનો કોઈ પ્રશ્ન નથી. રિટેલ લોનધારકોના EMIમાં ઊંચા રહેવાનો કે તેમાં વધુ વદ્ધિનો અંદાજ છે. પ્રોત્સાહક આર્થિક વૃદ્ધિ અને ક્રૂડના ઊંચા ભાવને કારણે ફુગાવા અંગેની ચિંતાથી વ્યાજદર ઊંચા સ્તરે રહેવાની શક્યતા છે. વિશ્લેષકોના મતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે RBIને વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિની ફરજ પડશે.

વ્યાજદરમાં વૃદ્ધિ રિટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના ભાગમાં લોનની EMI ઊંચી રહેશે અથવા તેમાં વધુ વૃદ્ધિનો અંદાજ છે. ચાલુ મહિને SBI, HDFC બેન્ક, ICICI બેન્ક, ‌‌BoB અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક MCLRમાં 0.05થી 0.2 ટકા સુધીનો વધારો કર્યો છે. HDFC બેન્ક અને SBIએ MCLR 0.2 ટકા વધાર્યા છે. SBIનો એક વર્ષની મુદતનો MCLR (માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ) 8.25 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં 7.95 ટકાના નીચા સ્તરથી 0.5 ટકા વધ્યો છે.

વ્યાજદર વધશે તો લોનધારકોએ દર મહિને લોન અને મોર્ગેજ માટે ઊંચો હપતો (EMI) ચૂકવવો પડશે. જેમ કે, માર્ચ મહિનાથી SBIએ વ્યાજદરમાં 0.5 ટકા વધારો કર્યો છે. તેને લીધે હોમ લોનધારકોએ 10 વર્ષની મુદતની ₹50 લાખની લોન પર મહિને ₹1,500 અથવા વર્ષે ₹18,000 વધુ ચૂકવવા પડશે. બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યારે તો વ્યાજદર ઊંચા રહેવાની ધારણા છે.

RBI ગવર્નર રિટેલ ફુગાવા (CPI)ને 4 ટકાની આસપાસ રાખવા કટિબદ્ધ છે. થોડા સમય પહેલાં જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટમાં CPI ઘટીને 3.69 ટકા રહ્યો છે, જે રિઝર્વ બેન્કના ટાર્ગેટ કરતાં નીચે છે. જોકે, ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિને કારણે મની માર્કેટ્સ દબાણમાં રહ્યા છે અને તેને લીધે રૂપિયો અત્યાર સુધીની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

બેન્કર્સના જણાવ્યા અનુસાર મની માર્કેટમાં તરલતાની સ્થિતિ તંગ બની છે. તેને લીધે 10 વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ એક ટકા વધીને 8.12 ટકા થઈ છે, જે એપ્રિલમાં 7.12 ટકા હતી. બીજા શબ્દોમાં કહીએ તો વ્યાજદરમાં ટૂંકા ગાળામાં ઘટાડાની શક્યતા નહીંવત્ છે.

September 18, 2018
suratairport.jpg
1min6710

Jayesh Brahmbhatt  98253 44944

વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં જેમ સુરત શહેરનું નામ ચર્ચામાં આવે છે તેમ હવે ભારતના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટસમાં સુરત એરપોર્ટનું નામ રોકેટ ગતિઓ આગળ આવી રહ્યું છે.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ મુજબ ગત ઓગસ્ટ 2018 નો મહિનો એવો હતો કે સુરત એરપોર્ટ પર કોઇ એક મહિનામાં સૌથી વધુ મુસાફરોની આવન-જાવન થઇ છે. ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી કુલ 88,653 મુસાફરોએ ક્યાં તો સુરત એરપોર્ટ પર લેન્ડ કર્યું ક્યાં તો ટેક ઓફ કર્યું. અને ચાલુ સપ્ટેમ્બર 2018ના એક મહિનામાં સુરત એરપોર્ટ પરથી આવન-જાવન કરનારા મુસાફરોની સંખ્યાનો આંકડો એક લાખ પર પહોંચી જશે એમાં કોઇ બેમત નથી જણાતો.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ આ મુજબનું ગ્રાફિકલ પિક્ચર રજૂ કરી રહ્યા છે.

સુરતએ આમ તો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે પરંતુ, ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓનો આ આંકડો ચાલુ સપ્ટેમ્બર 2018ના મહિનામાં એક લાખ મુસાફરોનો માઇલસ્ટોન હાંસલ કરે તેવો પણ આશાવાદ સેવાય રહ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા સુરત એરપોર્ટ માટે સતત પ્રયત્નશીલ સુરતીઓ પૈકીના શ્રી મનોજ સિંગાપુરીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2018 મહિનાના અંતે સુરત એરપોર્ટથી એક જ મહિનામાં 1 લાખથી વધુ પેસેન્જરોની આવન-જાવન નોંધાશે અને એ એક માઇલસ્ટોન સાથે ઇતિહાસ પણ બનશે એમાં બે મત નથી. આ માટે મજબૂત કારણ આપતા મનોજ સિંગાપુરી કહે છે કે ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટ્સ ઓગસ્ટ 2018માં શરૂ થઇ હતી એ મધ્ય ભાગથી શરૂ થઇ હતી. પ્રથમ બે સપ્તાહમાં આ ફ્લાઇટ ન હોવાથી પેસેન્જરની સંખ્યા ન હોય સ્વાભાવિક છે. પણ હવે સપ્ટેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સના મુસાફરોની સંખ્યા આખો મહિનો ગણનામાં આવશે એટલે સુરત એરપોર્ટ કોઇ એક મહિનામાં 1 લાખની મુસાફરોની સંખ્યાના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી દે તેવું હાલ તુરત તો નિશ્ચિત મનાય છે.

વધુમાં હાલમાં સુરત એરપોર્ટ પર દૈનિક 26 ફ્લાઇટ્સ (વિમાનો) આવે છે અને 26 વિમાનો પરત જાય છે. સપ્ટેમ્બર 2018માં કોઇ નવી ફ્લાઇટને અવકાશ જણાતો નથી, પણ ઓક્ટોબર 2018માં સુરતને વધુ બે નવી ફ્લાઇટ્સ મળી રહી છે.

(સુરત એરપોર્ટનું ઉપરોક્ત સમયપત્રક ઓક્ટોબર 2018થી અમલી બનશે)

 

September 15, 2018
bamboo.jpg
1min11640

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ખાણી-પીણીથી લઇને વસવાટમાં ઇનશોર્ટ કહો કે બધેબધ ગ્રીન કન્સેપ્ટની બોલબાલો, વ્યાપ-વિસ્તાર વધી રહ્યો છે તો કાપડ ઉદ્યોગ કેમ આમાથી બાકાત રહે. ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રનું નામ આવે તો સુરતનું નામ કેમ પહેલા ન લેવાય. સાડી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વભરમાં નામના ધરાવતા સુરતમાં કાપડ ઉત્પાદનમાં હવે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સની એન્ટ્રી થઇ ચૂકી છે અને હાલ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, સાથોસાથ શર્ટિંગમાં પણ ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સનું ઉત્પાદન તબક્કાવાર વધી રહ્યું છે.

શું છે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક

ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક એટલે બામ્બુ ફાઇબરમાંથી બનતું યાર્ન અને એ યાર્નમાંથી ઉત્પાદિત કરવામાં આવતા ફેબ્રિકને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહે છે. બામ્બુના ઝાડ જેવા કુદરતિ સ્ત્રોતમાંથી બની રહેલા આ યાર્નમાંથી બનતા કાપડને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી રહી છે. બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતા ફેબ્રિક્સને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કે ઇકો ફ્રેન્ડલી પણ કહેવામાં આવે છે.

Bamboo fibre is a regenerated cellulosic fibre produced from bamboo. Starchy pulp is produced from bamboo stems and leaves through a process of alkaline hydrolysis and multi-phase bleaching. Further chemical processes produce bamboo fibre.

(ઉપરોક્ત પ્રોસેસથી બને છે બામ્બુના વાંસમાંથી કાપડ)

સુરતના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેબ્રિક સ્ટેટસ પરથી ફાઇબર ટુ ફેશન તરફ લઇ જઇ રહ્યા છે. સુરતમાં બનતું કાપડ સીધું જ વસ્ત્ર તરીકે પહેરી શકાય તેવું ફક્ત સાડીના કહી શકાય. સુરતમાં બનતી સાડીઓ મોટે ભાગે સુરતમાં ઓછી પહેરાય ભારતના અન્ય ક્ષેત્રોમાં વધુ પહેરાય છે. પણ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુરતના મહિલાઓ ખાસ કરીને વર્કિંગ વુમન માટે સાડીની પ્રીમિયમ પ્રોડેક્ટ લોંચ કરવાની તૈયારી કરી છે અને આ પ્રીમિયમ સાડીઓ બની રહી છે બામ્બુ ફાઇબરમાંથી.

બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે

બામ્બુ ફાઇબર આમ તો દાયકાઓ જૂનું છે પણ સુરતના કેટલાક સાડી ઉત્પાદકો આને નવા ફોર્મેટમાં, નવા યાર્ન-ફાઇબર, બામ્બુ ફાઇબરની મદદથી પ્રીમિયમ પ્રોડેક્ટસ સાડીઓ બનાવી રહ્યા છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે આથી ગુજરાત અને આસામમાં બામ્બુ ફાઇબરના યાર્નમાંથી બનતી સાડીઓને પ્રીમિયમ રેન્જમાં મૂકીને ઉંચી કિંમતે વેચાઇ રહી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો બામ્બુ ફાઇબર યાર્નની હાઇક્વોલિટીને લીધે કોટન, સિલ્ક અને અન્ય યાર્નની સાથે સમગ્ર બિઝનેસને ડાઇવર્સિફીકેશન મળે તે માટે બામ્બુ યાર્ન ઉમેરીને સાડી બનાવી રહ્યા છે. જાણકારો માને છે કે બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ સમગ્ર સાડી રિલેટેડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ પૂરશે.

એવું નથી કે સુરતમાં ફક્ત સાડીઓ બનાવવામાં જ બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડીઓ જ બની રહી છે, કેટલાક ઉદ્યોગકારો ડ્રેસ મટિરિયલ્સમાં પણ બામ્બુ ફિલામેન્ટ-યાર્નનો વપરાશ ઉપયોગ કરી રહ્યા છે. બામ્બુ યાર્ન શાઇનિંગ આપતું યાર્ન હોવાથી ડ્રેસ મટિરિયલ ઉત્પાદકો તેના તરફ વળી રહ્યા છે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતી સાડીઓની કોસ્ટ રૂ.1400થી શરૂ કરીને રૂ.12000 જેટલી થવા જાય છે. બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ ઉપરાંત બામ્બુ સિલ્કની પણ સાડીઓ બની રહી છે. જાણકારો કહે છે કે બામ્બુ યાર્નમાંથી બનતા ફેબ્રિક્સની ફેશન ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં એ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં જોવા મળશે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ કે શર્ટ્સ આગામી દિવસોમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન સિમ્બોલ તરીકે જોવા મળે તેટલો ગ્રોથ આ સેગમેન્ટમાં હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

 

રસપ્રદ સમાચારો સતત મેળવવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર Google Play Store પરથી પણ અમારી એપ ડાઉનલોડ કરી શકો