CIA ALERT

બિઝનેસ Archives - Page 65 of 76 - CIA Live

October 18, 2018
ravan.jpg
1min5700
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 15, 2018
Online-vs-Offline-Shopping-Shop-Online.jpg
1min6600
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આખું વર્ષ સેલ જેવો માહોલ હોઇ, ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે

દિવાળી સેલ્સ હવે કોઇ પ્રસંગ પૂરતું મર્યાદિત નથી. દાયકા અગાઉના સમયમાં જે લોકો ભારતમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે મેગા સેલ કરી રહ્યા હતા એ હવે સેલ નથી કરી રહ્યા અને જણાવી રહ્યા છે કે, ઓનલાઇન શોપિંગ તેમજ ઇ-કોમર્સ કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન આખા વર્ષ દરમિયાન બમ્પર સેલ આપી રહ્યા છે જેના કારણે ઓફલાઇન ફેશન અને લાઇફસ્ટાઈલ રિટેલર્સને દિવાળીના મહત્ત્વના ગાળામાં વેચાણ વધારવામાં મુશ્કેલી પડે છે. તા.10 ઓક્ટોબર 2018થી એમોઝોન અને ફ્લીપકાર્ડના મેગા સેલ શરૂ થયા હતા જેમાં ફેશન પ્રોડક્ટ્સ પર 40થી 90 ટકા ડિસ્કાઉન્ટ ઓફર થાય છે.

યુએસ પોલો એસોસિયેશન, ગેપ, એરોપોસ્ટેલ, એડ હાર્ડી, ફ્લાઇંગ મશીન જેવી બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપની અરવિંદ બ્રાન્ડ્સના લાઇફસ્ટાઇલ બ્રાન્ડના અગ્રણીએ જણાવ્યું કે આ એવો જમાનો ચાલી રહ્યો છે કે આખા વર્ષ દરમિયાન દિવાળી હોય છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ દ્વારા સતત આપવામાં આવતા ડિસ્કાઉન્ટિંગ તરફ તેઓ અંગૂલી નિર્દેશ કરી રહ્યા હતા. ઓનલાઇન કંપનીઓ સામે ટક્કર લેવા ઓફલાઇન કંપનીઓએ પણ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે.

ઓફલાઇન રિટેલર્સ માટે દિવાળીમાં બિઝનેસ ઘણો વધારે થતો હતો પરંતુ હવે તે માત્ર બે સપ્તાહની કામગીરી રહી ગઈ છે. પાંચ વર્ષ અગાઉ દિવાળી વખતે એક મહિના સુધી ધમધોકાર બિઝનેસ ચાલતો હતો. દુબઈ સ્થિત લાઇફસ્ટાઈલ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઓફલાઇન રિટેલર્સનો દિવાળી બિઝનેસ હવે ઘટીને ફક્ત 20 ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષ અગાઉ 25થી 30 ટકા હતો. દિવાળી હજુ પણ ઓફલાઇન ફેશન રિટેલર્સ માટે સૌથી મોટો રેવન્યુ જનરેટર તહેવાર છે.

દિવાળી પર નિર્ભરતા ઘટી છે કારણ કે હવે ડિસ્કાઉન્ટિંગ માટેના ઘણા સમયગાળા છે. તેથી દિવાળી વેચાણ પર તેની ચોક્કસ અસર પડે છે. રિટેલર્સે વર્ષના અલગ સમયગાળામાં મોટા પ્રમાણમાં સેલ્સ પ્રોપર્ટી રચી છે જેમાં સારું એવું વેચાણ પણ કરી શકાય છે. દિવાળી હજુ પણ મહત્ત્વનો સમયગાળો છે પરંતુ તમે એક પ્રોપર્ટી પર વધુ પડતા આધારિત નથી.

પરંપરાગત રીતે જોવામાં આવે તો દિવાળી એ ફેશન અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ માટે બહુ ડિસ્કાઉન્ટિંગ સિઝન નથી. રિટેલર્સ હંમેશાથી પૂર્ણ ભાવે વેચાણ કરતા રહ્યા છે. તેમાં તેઓ વાઉચર અને ગિફ્ટ કુપનની સ્કીમ આપે છે અથવા બે જિન્સ પર એક શર્ટ ફ્રી આપવા જેવી સ્કીમ લોન્ચ કરતા હતા. પરંતુ ફ્લિપકાર્ટ, એમેઝોનના આગમન પછી ચિત્ર બદલાઈ ગયું છે. ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ઓનલાઇન શોપિંગ તરફ ખેંચવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરે છે. પરિણામે ઓફલાઇન રિટેલર્સે પોતાનું લિમિટેડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું છે. તેમાં તેમના માર્જિનમાં ઘટાડો થયો હતો. લગભગ ત્રણ વર્ષ અગાઉ ઓફલાઇન સ્ટોર્સ દ્વારા સરેરાશ 15 ટકા ડિસ્કાઉન્ટ અપાતું હતું જે હવે વધીને 23 ટકા થયું છે.

October 12, 2018
java_motorbike.jpg
1min4690

મહિન્દ્રા ગ્રૂપની કંપની ક્લાસિક લિજેન્ડ્સ પ્રા લિ આગામી મહિને ભારતમાં વીતેલા જમાનાની લોકપ્રિય મોટરસાઇકલ બ્રાન્ડ જાવાને ફરી લોન્ચ કરશે. ક્લાસિક લિજેન્ડ્સમાં મહિન્દ્રા ગ્રૂપ 60 ટકા હિસ્સો ધરાવે છે. તે 2018માં 15 નવેમ્બરે ત્રણ નવી પ્રોડક્ટ રજૂ કરશે. તે ભારતીય મોટર સાઇકલ સેગમેન્ટમાં 250 સીસીથી ઉપરના મેડ સેગમેન્ટમાં સક્રિય થવા માંગે છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે

કંપનીના અધિકારીએ કહ્યું કે અમે ત્રણ પ્રોડક્ટ સાથે બ્રાન્ડ રજૂ કરવા માંગીએ છીએ. અમે જાવા સાથે મિડ-સેગમેન્ટ પ્લેયર બનવાના છીએ. જોકે, તેમણે અન્ય પ્રોડક્ટ લાઇનની માહિતી આપી ન હતી. જાવા મોડલ ૧૫ નવેમ્બરે પ્રદર્શિત કર્યા બાદ ટૂંક સમયમાં વેચાણ માટે મુકાશે.

જાવા જે સેગમેન્ટમાં રજૂ થશે તેમાં અત્યારે રોયલ એન્ફિલ્ડનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ પણ સેગમેન્ટમાં હિસ્સો મેળવવા પ્રયાસ કરશે. ક્લાસિક લિજેન્ડ્સે ગુરુવારે ૨૯૩ સીસીનું લિક્વિડ કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન રજૂ કર્યું હતું જે નવા જાવા મોટરસાઇકલમાં ફીટ કરાશે.

ગ્રૂપના પૂણે સ્થિત આર એન્ડ ડી સેન્ટર અને વરાસે, ઇટલી સ્થિત ટેક્‌નિકલ સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. જાવાનું ડીએનએ ધરાવતું એન્જિન બનાવ્યું છે જે ક્લાસિક હોવાની સાથે સ્પોર્ટી છે. લોન્ચ વખતે ભારતમાં 100 ડીલરશિપ હશે. તેઓ ભારતીય માર્કેટ માટે બુલિશ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા ગ્રાહકો માસ સેગમેન્ટમાંથી મિડ અને અપર એન્ડ મોટરસાઇકલ સેગમેન્ટ તરફ અપગ્રેડ થયા છે જેથી તેમના માટે તકમાં વધારો થયો છે.

જાવા બાઇક મધ્યપ્રદેશમાં મહિન્દ્રા ગ્રૂપના પિથમપુર પ્લાન્ટમાંથી રોલ આઉટ કરવામાં આવશે. તેમાં મહિન્દ્રાની ઉત્પાદન ક્ષમતા, સોર્સિંગ અને આર એન્ડ ડીનો ઉપયોગ કરવામાં આવશે.

October 7, 2018
GTTES_LOGO_HR-1280x1513.jpg
1min6940
18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન આયોજન : 15 થી વધુ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે
ભારતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સમગ્ર દુનિયામાં ટેક્ષટાઇલ ક્ષેત્રે ભારત બીજુ સૌથી વિશાળ માર્કેટ ધરાવે છે. ઉદ્યોગનો વધુ વિકાસ થાય તે હેતુથી ઇન્ડિયા આઇ ટી એમ ઇ સોસાયટી દ્વારા 18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન મુંબઇમાં ગોરેગાવ ખાતે ગ્લોબલ ટેક્ષટાઇલ ટેકનોલોજી અને એન્જિનિયરીંગ પ્રદર્શનનું આયોજન કરાયું છે.
મુંબઇમાં યોજાનાર વ્યાપાર સમિટ અંગે માહિતી આપતા જીટીટીઇએસના કેતન સંઘવી અને વલ્લભભાઇએ જણાવ્યું હતું કે સમિટનો ઉદેશ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અને ઉપર લઇ જવાનો છે. આ સમિટમાં 15 દેશોમાંથી આવેલા 400 થી વધુ ઉદ્યોગકારો ભાગ લેનાર હોવાથી નાના ઉદ્યોગકારોને ટેક્સટાઇલ ક્ષેત્રે વપરાતી આધુનિક મશીનરી, સ્પેરપાર્ટસ અને સોફ્ટવેરની માહિતી મળી રહેશે.
ચીન, જાપાન અને ભારતના અગ્રણી ટેક્સટાઇલ એન્જિનિયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો તેમની ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો અંગે સેમિનારનું પણ આયોજન કરાયું છે.
October 4, 2018
iphone-xs-iphone-xs-max-21-1280x906.jpg
1min5640

સૌથી વધુ માંગ મોંઘા અને ગોલ્ડ કલરના આઇફોન XS Max 256 જીબી મોડલની હતી એમ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું. આ ફોનની કિંમત ₹1,24,900 છે. એપલે તા.28મી સપ્ટેમ્બર 2018ના રોજ ₹99,000 અને ₹1,44,900ની કિંમતના આઇફોન XS અને XS મેક્સ લોન્ચ કર્યા હતા જ્યારે ગયા વર્ષે આઇફોન X ₹89,000-₹1,02,000ની કિંમતમાં લોન્ચ કર્યા હતા. 

ભારતીય માર્કેટમાં એપલના નવા આઇફોન XS અને XS મેક્સનું ઓછું વેચાણ થયું છે. એવા રિપોર્ટસ મળ્યા છે કે પ્રથમ વીકએન્ડના વેચાણ બાદ ભારતમાં સપ્લાય થયેલા જથ્થાનો 45 ટકા હિસ્સો વણવેચાયેલો પડ્યો છે અને આવું પહેલીવાર બન્યું છે. એક અધિકારીએ ભારતમાં હાલ મની ક્રાઇસીસનું કારણ પણ નવા આઇફોનના વેચાણ ઘટાડા માટે જણાવ્યું છે. કેટલાક એવું પણ માને છે કે શ્રાધ્ધપક્ષમાં ભારતીયો ખરીદી કરતા નથી એટલે પણ વેચાણ ઓછું થયું છે.

અગાઉનાં વર્ષોમાં એપલના ફોન જ્યારે પણ ભારતમાં વેચાણ માટે આવ્યા છે ત્યારે ખરીદદારોમાં તેની ભારે માંગ જોવા મળી છે. નવા આઇફોન ખરીદવા માટે ખરીદદારોની લાંબી લાઇનો જોવા મળી છે. એપલે લગભગ એક લાખ નવા આઇફોનની આયાત કરી છે અને વધુ ને વધુ સ્ટોર્સમાં તેને વેચાવા માટે મૂક્યા છે. વેચાણને વેગ આપવા માટે કંપનીએ નવી ટ્રેડ ચેનલમાં પણ પ્રવેશ કર્યો છે.

ગયા વર્ષે આઇફોન-8ને પણ નબળો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વર્ષે આઇફોન Xના લોન્ચિંગના પ્રથમ ત્રણ દિવસની સરખામણીએ આઇફોન XS અને XS મેક્સનું વેચાણ 55-60 ટકા રહેવાની ધારણા હતી.

પ્રિ-બૂક કરાવનારા ઘણા ગ્રાહકોએ હજુ ખરીદી કરી નથી કારણ કે તેઓ શ્રાદ્ધના અપશુકનિયાળ સમયગાળામાં મળતા લાભનો ફાયદો લેવાની યોજના ધરાવે છે. પ્રથમ વીકએન્ડમાં નવા આઇફોન્સનું વેચાણ ગયા વર્ષના આઇફોન-8 કરતાં તો ચોક્કસપણે સારું રહ્યું છે પણ આઇફોન Xના વેચાણ કરતાં તો ઓછું છે. ઓક્ટોબરમાં નવરાત્રિ શરૂ થશે ત્યારે વેચાણ વધવાની અપેક્ષા છે.

October 2, 2018
gst.jpg
1min3180

જીએસટી સંગ્રહ સપ્ટેમ્બરમાં થોડો વધીને રૂા.94442 કરોડ રૂપિયા પહોંચ્યો છે. આ ઓગસ્ટ 2018 મહિનામાં આ આવક રૂ.93690 કરોડ રૂપિયા થઇ હતી.

  • સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 67 લાખ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) રિટર્ન દાખલ કરવામાં આવ્યાં હતાં. સરકારી આંકડા અનુસાર કુલ જીએસટી સંગ્રહમાંથી કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) 15,318 કરોડ રૂપિયા, રાજ્યનો જીએસટી (એસજીએસટી) 21,061 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 50,070 કરોડ રૂપિયા જેમાં આયાતથી 25308 કરોડ રૂપિયાના સંગ્રહનો સમાવેશ છે અને સેસના 7993 કરોડ રૂપિયા રહ્યા છે. સેસમાં 769 કરોડ રૂપિયા આયાત પર કરવામાં આવેલો સંગ્રહ સામેલ છે.

 

October 2, 2018
operacoes.jpg
1min7770

ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ વરસ્યો નથી તેમ જ હજુ પણ ખેડૂતોને નર્મદાનું પૂરતું સિંચાઇનું પાણી પણ આપવામાં આવતું નથી. બીજી બાજુ ખેતપેદાશોના ભાવ પણ તળિયે છે આવી અનેક સમસ્યાઆઓથી ઘેરાયેલા ખેડૂતોના માથે શિયાળુ સિઝનના જીરુ, ઘઉં, ઇસબગુલ, ચણા વરીયાળી અજમો સહિતના પાકોના વાવેતર પહેલા જ સરકારે આ પાકોમાં સૌથી વધારે વપરાતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ ભાવવધારો કર્યો છે.

  • ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 રૂપિયા
  • એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા
  • પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે. સરકારી અને સહકારી ખાતર કંપનીઓએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ડીએપી ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખેડૂતોને મદદની બાબતે સરકારે હાથ અધ્ધર કરી દીધા હોય તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોઇ શકે.

October 1, 2018
weavers.jpg
1min6000

ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના ચાલકબળ સમા વિવર્સે આજે ઉધનાથી મુગલીસરા પગપાળા રેલી કાઢીને પોતાના પડતર પ્રશ્નોના નિકાલની માગણી સાથે લાગણી વ્યક્ત કરી છે. સવારે 9 વાગ્યાથી જ વિવર્સ રેલી પ્રસ્થાન સ્થળે એકત્રિત થવા માંડ્યા હતા અને દસ વાગ્યે રેલીમાં જોત જોતામાં હજારો વિવર્સ ઉમટી પડ્યા હતા. વિવર્સે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓના પ્લેકાર્ડસ પ્રદર્શિત કરતા ચાલીને મુગલીસરા ખાતેની કચેરીએ પહોંચ્યા હતા.

મુગલીસરા સ્થિત પાલિકા કચેરી પર પહોંચ્યા બાદ સ્થાનિક આગેવાનોએ સંબોધન કર્યું હતું અને પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

October 1, 2018
EWAY-10-1-18.jpg
1min4540

દેશભરમાં કારોબારીઓ અને વેપારીઓને ઈ-વે બિલમાં આજરોજ તા. 1 ઓક્ટોબરથી મોટી રાહત મળી રહી છે. ધંધો કરનારાઓ પોતાનો સામાન એકથી બીજા રાજ્યમાં મોકલવા ઉપર થતા ખર્ચમાં ઘટાડો થશે. થોડા સમય અગાઉ સરકાર દ્વારા કરવામાં આવેલા કાનૂની સંશોધનના કારણે ખર્ચમાં ઘટાડો સંભવ થશે. આ સાથે સરકારે તેના ફોર્મમાં પણ ફેરફારો કર્યા છે. જ્યારે અડધા ડઝન રાજ્યોમાં જોબવર્કના સામાનની આવકજાવક ઈ-વે બિલથી મુક્ત થઈ જશે.

સરકારે ઈ-વે બિલ જનરેટ કરવા માટે નવા ફોર્મનું પ્રારૂપ જારી કર્યું છે. જે આજે તા.1લી ઓક્ટોબર 2018થી અમલી થઇ ગયું છે. નવા પ્રારૂપમાં જરૂરિયાત વિનાના દસ્તાવેજો અને સૂચનામાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે નવાં સંશોધનના પાલન માટે અમુક નવી બાબતો પણ જોડવામાં આવી છે. જીએસટી નેટવર્કની દેખરેખ રાખતી કંપની જીએસટીએનના એક અધિકારીના કહેવા પ્રમાણે ટ્રાન્ઝેક્શનના આધાર ઉપર દસ્તાવેજ જમા કરવાના ડ્રોપ ડાઉન મેનુ પણ દસ્તાવેજોની સંખ્યા સિમિત કરવામાં આવી છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સામાનની આપૂર્તિ ઉપર ફોર્મ જનરેટ કરતાની સાથે જ સામાન મોકલનારા અને મેળવનારા વ્યક્તિને એસએમએસ એલર્ટ મળી જશે. દેશના અમુક રાજ્યોએ પણ લીધેલા મહત્ત્વના નિર્ણયો એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જેમાં પંજાબ, ગુજરાત સહિત સાત રાજ્યોમાં જોબવર્ક માટે નિર્માતાને ત્યાંથી આવતા અથવા તૈયાર માલને ઈન્ટ્રાસ્ટેટ બિલથી મુક્ત કરવામાં આવ્યો છે.

September 29, 2018
sabji_market-1280x720.jpg
1min6790

ખેડૂતો શાકભાજી માર્કેટમાં વેચવા માટે આવે ત્યારે તેના પૂરતા ભાવ મળતા નથી. ત્યારબાદ હોલસેલ માર્કેટથી નાના વેપારીઓ-ફેરિયા પાસેથી ગ્રાહકો શાકભાજી ખરીદે ત્યારે ચારગણી કિંમત વસૂલવામાં આવતી હોય છે.પણ શાકભાજી પકવનારા ખેડૂતોને તો મામુલી રકમ જ મળે છે. દલાલો અને વચેટિયાઓ તગડો નફો કમાઈ લેતા હોય છે. ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં સુધીમાં ચાર ગણા વધારાના ભાવથી આવતાં સરવાળે ખોટ તો ખેડૂતો અને ગૃહિણીઓને પડે છે. લોકોને શાકભાજી સસ્તા મળી શકે તેમ છે પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના કારણે ખેતરથી ઘર સુધી પહોંચતાં લીલાં શાકભાજીના ભાવમાં ચાર ગણો વધારો નોંધાઇ જાય છે.

સામાન્ય રીતે વરસાદ પછીના એક મહિના પછી નવાં શાકભાજીની આવક શરૂ થઈ જાય છે, પરંતુ વચેટિયાઓની તગડી નફાખોરીના કારણે ગૃહિણી સુધી જ્યારે શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ તગડા થઈ જાય છે.

હરાજીમાં હોલસેલમાં મોટા ભાગનાં શાકભાજીના પ્રતિકિલો રૂ. ૧૦ની અંદરના ભાવે વેચાણ થઈ રહ્યું છે. લસણના ભાવ ગગડીને તળિયે ગયા છે. માર્કેટયાર્ડમાં લસણ ૭૫ પૈસા કિલો વેચાયું હતું. ખેડૂતો પાસેથી નબળું લસણ પ્રતિકિલો ૭૫ પૈસાથી થી ૧ રૂપિયા, મધ્યમ લસણ ૪ થી ૫ રૂપિયા અને બેસ્ટ લસણનો ભાવ હોલસેલમાં રૂ. ૯ થી ૧૦ ના ભાવે ખરીદાયું હતું. જે બજારમાં રૂ. ૪૦ થી ૬૦ પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે.

એપીએમસીના જણાવ્યા અનુસાર એક સપ્તાહથી શાકભાજી વધુ સસ્તાં થયાં છે. વધુ આવકની અસરે શાકભાજી વધુ સસ્તાં થયાં છે. ફ્લાવર અને ટામેટાંની આવક વધી છે. મહારાષ્ટ્રનાં ટામેટાંની સામે ગુજરાતનાં ટામેટાંની આવક પણ વધી છે. ગવારની આવક પણ વધી છે, તેનું રૂ. ૫થી ૭ના પ્રતિકિલો વેચાણ થઈ રહ્યું છે. અત્યારે લીલોતરી શાકભાજી સસ્તાં હોવાં જોઈએ તેના બદલે દરેક શાકભાજી પ્રતિકિલો રૂ. ૪૦થી ૬૦ પ્રતિકિલો મળી રહ્યાં છે. એક સમયે ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહેલાં લાલચોળ ટામેટાં અત્યારે બજારમાં રૂ.૩૦એ કિલો વેચાઇ રહ્યાં છે. ગૃહિણીઓ હાલમાં આ ભાવે મળી રહેલાં શાકભાજીથી ખુશ છે.

લોકોને સસ્તાં હોવાનાં જણાતાં શાકભાજી હજુ પણ વધુ સસ્તાં થઈ શકે છે, પરંતુ વચેટિયાઓની બેફામ નફાખોરીના પરિણામે ખેતરથી ઘર સુધી પહોંચતાં શાકભાજીમાં ચાર ગણો વધારો થઈ જાય છે. મોટા ભાગનાં શાકભાજી રૂ.ર૦ પ્રતિકિલો આસપાસ મળી શકે તેમ છે. કેટલાક ખેડૂતો હાલમાં શાકભાજીનાં પોટલાં માર્કેટયાર્ડ સુધી લઇ જવા તૈયાર નથી, કારણ કે મજૂરી, દવા, બિયારણ અને વાહનખર્ચ ગણતાં આવકની સામે જાવક વધુ હોઇ ખોટનો ધંધો થઇ શકે છે. હજુ ૧પ દિવસ પહેલાં જ શાકભાજીના ભાવ સાંભળીને ગૃહિણીઓ શાકભાજી ખરીદવાનું ટાળતી હતી. ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ હંમેશાં નીચા રહે છે, કારણ કે આ સિઝનમાં શાકભાજીની આવકમાં ખૂબ વધારો થાય છે. હજુ લસણની જેમ જ ડુંગળીના ભાવમાં પણ કડાકો બોલશે. હાલમાં ડુંગળી માત્ર ૩થી ૪ રૂ. કિલોના ભાવે હોલસેલમાં વેચાઇ રહી છે. તેથી તેના બજારભાવ ગગડશે.