CIA ALERT

બિઝનેસ Archives - Page 58 of 76 - CIA Live

March 14, 2019
smpp-bulletproof-jackets_650x400_51523292050.jpg
1min5740
  • ભારતની કંપની SMPPને આર્મી માટે બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે રો મટિરીયલ સપ્લાયર યુરોપીયન દેશો  હતા
  • ભારતની કંપની SMPPએ કોન્ટ્રાક્ટ ઓર્ડર મળી ગયા બાદ રો મટિરીયલ સપ્લાય તરીકે ચાઇનીઝ કંપનીઓને ઓર્ડર આપી દીધો
  • ચાઇનીઝ માલમાંથી બનેલા 10000 બુલેટ પ્રુફ જેકેટ્સ આર્મી માટે સ્વીકારી પણ લેવાયા

પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને બચાવવા માટે ચીને ખુલ્લંખુલ્લા પ્રયાસો કર્યા, ભારત સાથે હરહંમેશ દગાખોરી કરતા આવેલા ચીનની કંપનીઓ જ ભારતના 1.80 લાખ સૈનિકો માટેના બુલેટ પ્રુફ જેકેટ્સ બનાવવા માટેનું મટિરીયલ સપ્લાય કરી રહી છે. ચીનની કંપનીઓને કમસેકમ રૂ.500 કરોડ ઉપરાંતનો ઓર્ડર આપવાાં આવ્યો છે. ભારતની કંપની SMPPને 1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એ પછી 2018માં એપ્રિલમાં ઓર્ડર મળ્યા પછી કંપનીએ સપ્લાયર્સ બદલી નાંખ્યા છે અને હવે ચાઇનીઝ કંપનીઓ કંપનીઓ 1,80,000 બુલેટપ્રુફ જેકેટના ઓર્ડર માટે કાચા માલનો મુખ્ય સ્રોત છે.

( symbolic photo of bulletproof jackets)

મસૂદ અઝહર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો છે, જે 14 ફેબ્રુઆરીના પુલવામા સહિત ભારતમાં થયેલા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર છે. સરકાર બુલેટપ્રૂફ જેકેટ્સના ઓર્ડરને સૈનિકો માટેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી રહ્યું છે. કારણ કે અગાઉની સરકારે લશ્કરને આવા જેકેટ આપવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મુજબ જેકેટનું 40 ટકા મટિરિયલ કાપડ અને બોરોન કાર્બાઇડ પાઉડરમાંથી બનેલું છે આ મટિરીયલ સંપૂર્ણપણે ચીનથી આયાત કરવામાં આવે છે.

બુલેટ પ્રુફ જેકેટ્સની પસંદગીની પ્રક્રિયામાં ભારતની SMPP કંપનીએ યુરોપ અને અમેરિકાના કાચા માલમાંથી બનેલા જેકેટ્સ નમૂના તરીકે રજૂ કર્યા હતા. અને કેટલાક ટેકનિકલ કારણો આગળ ધરીને કોન્ટ્રાક્ટ મળ્યા પછી SMPP કંપનીએ સપ્લાયર્સ બદલી કાઢ્યા હતા.

કંપનીના જણાવ્યા અનુસાર આ ફેરફારથી પ્રોડક્ટમાં કોઈ તફાવત નહીં પડે. SMPPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશિષ કંસલે જણાવ્યું હતું કે, હા, અમે સપ્લાયર્સ બદલ્યા છે અને લશ્કરને તેની જાણ પણ કરી છે. તેને લીધે ગુણવત્તામાં કોઈ ફેર નહીં પડે અને જેકેટ્સ ટેસ્ટ કરાયેલાં ધોરણો મુજબનાં જ હશે.

ભારતની SMPP કંપની એ 2018માં ઓર્ડર મળ્યા પછી બેઇજિંગના ચેંગપિંગ જિલ્લામાં આવેલી ચીનની કંપનીઓને ઓછામાં ઓછા ₹26 કરોડ ચૂકવ્યા છે. તેના બદલામાં ચીનની કંપનીઓએ ભારતીય કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે બુલેટપ્રુફ જેકેટ્સ માટેના મટિરિયલની ડિલિવરી કરી છે.

1.80 લાખ બુલેટ પ્રુફ જેકેટ્સ ખરીદવાના આ મસમોટા કામ પેટે ભારતની SMPP કંપનીને ₹60 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુણવત્તા માટે આગના શ્રેણીબદ્ધ ટેસ્ટિંગ પછી 10,000 જેકેટ્સની પહેલી રેકને મંજૂરી પણ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકેટ્સ સ્વીકારતાં પહેલાં તેનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરાયું હતું.

March 14, 2019
income_tax-1280x853.jpg
1min3980

લોકસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીખર્ચ મોનિટરિંગના ભાગરૂપે રોકડ રકમની હેરફેર પર નજર રાખવા અને બિનહિસાબી રોકડ જપ્ત કરવા માટે આવકવેરા વિભાગે રાજ્યના 33 જિલ્લામાં ટીમની રચના કરી છે. પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આપવામાં આવતા કેસ ઉપરાંત કન્ટ્રોલ રૂમ તથા એર ઇન્ટેલિજન્સ દ્વારા પર આવકવેરા વિભાગ બિનહિસાબી રોકડ અને મૂલ્યવાન ધાતુઓની હેરફેર પર નજર રાખશે.

આવકવેરા વિભાગના ડિરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) અમિત જૈને બુધવારે જણાવ્યું હતું કે, “લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ દ્વારા ચૂંટણીખર્ચ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના ભાગરૂપે તમામ રોકડની હેરફેર પર નજર રાખવામાં આવશે પરંતુ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ના થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ પોતાની પાસે રહેલી રોકડ રકમ હિસાબી હોવાના પૂરતા પુરાવા આપે તેમને સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

જો બિનહિસાબી રોકડ પકડાશે તો તે નાણાં જપ્ત કરવામાં આવશે અને તેનું એસેસમેન્ટ હાથ ધરાશે અને આવકવેરા કાયદાની કલમ 153(એ) મુજબ નોટિસ, પ્રોસિક્યુશન, પેનલ્ટી અને વ્યાજ સહિતનાં પગલાં લેવામાં આવશે. 1 કિગ્રાથી વધુ મૂલ્યના સોનાના દાગીના કે બુલિયન અને ₹10 લાખથી વધુની રોકડ પોલીસ દ્વારા પકડવામાં આવે તો તેવા કિસ્સા ફરજિયાતપણે આવકવેરા વિભાગને સોંપવાના રહે છે.”

આવકવેરા વિભાગે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ ₹4.66 કરોડની રોકડ પકડી હતી જેમાંથી ₹1.39 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા અને 27 કિગ્રા સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આવકવેરા વિભાગે સમગ્ર રાજ્યમાં છ ઝોનલ હેડ ઓફિસર અને એક સ્ટેટ હેડ ઓફિસની નિમણૂક કરી છે. અમદાવાદમાં બે અને રાજકોટ, સુરત, વડોદરા, વાપીમાં એક-એક ઝોનલ હેડની નિમણૂક કરીને તેમના વિસ્તારના જિલ્લાની વહેંચણી કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં એક ટીમ બનાવવામાં આવી છે. આવકવેરા વિભાગે 24 કલાક કાર્યરત એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે અને તેમાં જે જિલ્લામાં રોકડની હેરફેર અંગે માહિતી આવે તે રિયલ ટાઇમ તે જિલ્લાની ટીમને ટ્રાન્સમિટ કરવાની સિસ્ટમ રચી છે. રાજ્યનાં 11 એરપોર્ટ પર પણ સર્વેલન્સ માટે એર ઇન્ટેલિજન્સ યુનિટની રચના કરવામાં આવી છે. ચૂંટણી સુધી રોકડની હેરફેર પર નજર રાખવા માટે વિભાગના કુલ ૪૦૪ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે કોઈ ઉમેદવાર કે તેનો એજન્ટ કે પક્ષનો કોઇ કાર્યકર, ચૂંટણી સંબંધિત સામગ્રી જેવી કે ચોપાનિયા, ભીંત ચિત્રો સાથે તે વાહનમાં ₹50,000 કરતાં વધુ રોકડ રકમ લઈ જતાં મળે તો અથવા તેવાહનમાં કોઈ પણ પ્રકારનાં ડ્રગ્સ, દારૂ, હથિયારો અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો કે અન્ય ગેરકાનૂની વસ્તુઓ લઇ જવાતી હશે- જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની સંભાવના હોય-તો તેને તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવશે.

આ તપાસ અને જપ્તની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વીડિયો/ સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે અને તેની વીડિયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે.

March 13, 2019
SGCCI.jpg
1min6180
  • SGCCI મેનેજિંગ કમિટીમાં 13 નવા ચહેરાઓને સ્થાન
  • સત્તાધારી પક્ષ તરફથી 7 નવા ચહેરા સમાવાશે
  • બીએસ અગ્રવાલ જૂથના 6 ચહેરાઓ અને એ નવા અને જેન્યુઇન વ્યવસાયિક કે ઉદ્યોગપતિ છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક તરફ આજના અખબારોમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી અંગેની નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી તો બીજી તરફ સાંજના સુમારે એવા સમાચાર આવ્યા હતા કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ચીફ પેટ્રનની 12, પેટ્રનની 6 અને લાઇફ મેમ્બરની કુલ 46 બેઠકો માટેની ચૂંટણી ટળી જવા પામી છે. માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલ કેમ્પ દ્વારા સમાધાનકારી વલણ અપનાવીને સત્તાધારી પેનલ સાથે સમાધાનની ફોર્મ્યુલા પર સંમતિ આપવામાં આવી હતી.

સાંજે 5 વાગ્યે ચેમ્બર કાર્યાલય ખાતે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન માજી પ્રમુખ બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે કંઇક નવીન કાર્ય કરવા જઇએ એટલે સ્વાભાવિક વિરોધ થાય. હું તો પ્રમુખ બની ચૂક્યો છું, આમ છતાં મેં કેમ મેનેજિંગ કમિટીની ચૂંટણી થાય તેવો અભિગમ અપનાવ્યો એ બાબતે મને લોકો સવાલો કરતા હતા. બી.એસ. અગ્રવાલે કહ્યું કે ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં નવા ચહેરાઓ ખાસ કરીને જેન્યુઇન બિઝનેસમેન, વ્યવસાયિકોને સ્થાન મળે તેવા પ્રયાસ માટે મેં આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતની મેનેજિંગ કમિટીમાં ઘણાં નવા ચહેરાઓ આપને જોવા મળશે.

સત્તાધારી પેનલ સાથે કેટલી બેઠકો પર સમાધાન થયું એ અંગે બીએસ અગ્રવાલે કોઇ ફોડ પાડ્યો ન હતો. પરંતુ, સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બી.એસ. અગ્રવાલ જૂથના 6 જેટલા પ્રતિનિધિઓને મેનેજિંગ કમિટીમાં સ્થાન મળશે એ નિશ્ચિત મનાય છે. આ વખતની ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં કુલ 13 નવા ચહેરાઓ જોવા મળશે. બીએસ જૂથ ઉપરાંત સત્તાધારી જૂથ દ્વારા પણ કેટલાક જૂના નેતાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

જોકે, ચૂંટણી ટળવાની આધિકારીક ઘોષણાં મોડી સાંજે કરવામાં આવશે એમ મનાય છે. તા.13મી માર્ચ 2019ને બુધવારે સાંજે 5.10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે ચેમ્બરની ચૂંટણી ટળી ગયાના પહેલા સમાચાર સી.આઇ.એ. લાઇવને મૌખિક રીતે મળ્યા હતા.

ટૂંકમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી હવે ટળી જવા પામી છે. હવે પછીનો જંગ વાઇસ પ્રેસિડેન્ટશીપ માટે લડાશે.

March 10, 2019
him_pm.jpg
1min186640

સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ હિંમતભાઇ ખૈનીનું આજે સવારે મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં અકાળે નિધન થતાં શહેરના ઉદ્યોગ જગતે મોટો આંચકો અનુભવ્યો છે. બિલકુલ લૉ પ્રોફાઇલમાં રહીને મોટા ગજાના કામો કરતા શ્રી હિંમતભાઇ ખૈની બોલવા કરતા કરીને બતાવવામાં જાણીતા હતા. તેઓ સુરતના જાણીતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ હિન્દવા ઉપરાંત એમ. કાંતિલાલ એક્સપોર્ટસ તેમજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ જેવી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા.

(કેન્દ્રીય મંત્રી શ્રી રુપાલા સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

મૂળ સૌરાષ્ટ્રના પરવડી ગામના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રી હિંમતભાઇ ખૈની થોડા દિવસો પૂર્વે કમળાની બિમારીમાં સપડાયા હતા. કમળો એટલી હદે વકરી ગયો હતો કે તે કમળીમાં રૂપાંતરીત થઇ જતા તેમને વધુ ઘનિષ્ઠ સારવાર માટે મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેશ વિદેશના ખ્યાતનામ તબીબોને હિંમતભાઇ ખૈનીની ટ્રીટમેન્ટમાં જોતરવામાં આવ્યા હતા. પરંતુ, આજે રવિવાર તા.10મી માર્ચે સવારે હિંમતભાઇ ખૈની આ દુનિયા છોડીને અનંત યાત્રાએ નીકળી ગયા હતા.

(વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે સ્વ. હિંમતભાઇ ખૈનીની યાદગાર તસ્વીર)

કમળો અને પછી કમળી થઇ ગઇ, વિશ્વના ખ્યાતનામ તબીબોએ ટ્રીટમેન્ટ કરી પણ છેલ્લે રવિવારે સવારે હિંમતભાઇ અનંત યાત્રાએ નીકળી પડ્યા હતા. એમ.કાંતિલાલ એક્સપોર્ટ-હિન્દવા ગ્રુપના શ્રી હિંમતભાઇ ખૈનીના નિધનના સમાચાર મળતા જ શહેરના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ, હીરા ઉધોગકારોમાં આંચકો અનુભવાયો હતો. તેઓ એક ઉમદા સામાજિક સંગઠનકાર પણ હતા.

 

March 9, 2019
SGCCI.jpg
1min7990
  • 100 જેટલા લાઇફ મેમ્બર્સે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી નહીં થાય તે હેતુથી પોતાની ઉમેદવારીપત્ર પરત ખેંચવાના પત્ર પાઠવી દીધા છે
  • ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરેએ પોતાની ઉમેદવારીપત્રો પરત ખેંચવા અંગે ચેમ્બરને પત્રો પાઠવી દીધા છે
  • અનિલ સરાવગી, ભદ્રેશ શાહ અને બિલ્ડર્સ સાથે સંકળાયેલા કેટલાક સભ્યોએ હજુ સુધી ઉમેદવારીપત્રો પરત કર્યા નથી
  • આજે તા.9મી માર્ચ, શનિવારની સાંજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં મામલો નહીં ઉકેલાય તો ચેમ્બરમાં પહેલી વખત મેનેજિંગ કમિટીની ચૂંટણી કરવી પડેશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી એવી પરંપરા ચાલી આવી છે કે મેનેજિંગ કમિટીમાં સર્વસંમત નિર્ણય થકી પ્રતિનિધિઓ નિમાય છે. આ પરંપરા અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્શની એકતાની પ્રતીતિ કરાવતી હતી, પરંતુ, આ વખતે ચેમ્બરના માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગ્રવાલની સત્તાભૂખને કારણે મેનેજિંગ કમિટીમાં પણ ચૂંટણી કરાવવી પડે તેવા સંજોગો ઉજળા થયા છે. મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આજે શનિવાર તા.9મી માર્ચ અંતિમ મુદત છે એવા સંજોગોમાં જોવાનું એ રહે છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં પરંપરાનો વિજય થાય છે કે સત્તાભૂખ હાવી થઇને ચૂંટણી કરાવવા તરફ ઢસડી જશે.

બી.એસ. અગ્રવાલની બધી જ ચાલબાજીઓનું બાળમરણ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે ધમપછાડા કરી રહેલા માજી પ્રમુખ બીએસ અગ્રવાલની ચાલબાજીને દરેક સ્તરેથી ધોબીપછાડ મળી રહી છે. દેવેશ પટેલ પાસેથી હિસાબો માંગવાના મુદ્દે બીએસ અગ્રવાલ પર સમગ્ર ચેમ્બરના સભ્યો દ્વારા પસ્તાળ પડ્યા બાદ હવે બીએસ અગ્રવાલે પોતાના બે-પાંચ મળતીયાઓને સાથે રાખીને ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવા માટે દરેક રીતે પેંતરા રચી જોયા પરંતુ, તા.6 માર્ચ 2019ની રાત સુધી બીએસ અગ્રવાલના એકેય પેંતરા સફળ થયા નથી.

દિનેશ નાવડીયા, વેલજી શેટા, ગીરધર ગોપાલ મુંદડા વગેરેએ ઉમેદવારીપત્રો પરત કરી દીધા

બીએસ અગ્રવાલ એન્ડ કંપની જે મોટા માથાઓના નામ લઇને દુષ્પ્રચાર કરી રહી હતી કે તેઓ અમારી સાથે છે અને આ વખતે મેનેજિંગ કમિટીમાં ચૂંટણી થઇને જ રહેશે. સી.આઇ.એ.એ તપાસ કરતા જાણવા મળ્યું કે અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ, જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, અગ્રણી બિલ્ડર શ્રી વેલજીભાઇ શેટા, ઉદ્યોગપતિ શ્રી ગીરધર ગોપાલ મુંદડા, શ્રી રવિન્દ્ર આર્ય, શ્રી મનીષભાઇ કતારગામવાળા, શ્રી ગજાનંદ રાઠી, શ્રી મનોજ અગ્રવાલ (ફોસ્ટા) વગેરે મળીને અંદાજે 100 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચેમ્બરમાં આપી દીધા છે, કે જેથી દાયકાઓથી ચાલી આવતી સર્વસંમતિની પરંપરા જળવાય રહે.

ઉલ્ટાનું ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની વિવિધ પોસ્ટ માટે ઉમેદવારીપત્રો ભરનારાઓ પૈકી લાઇફ મેમ્બર એવા 100 જેટલા ઉદ્યોગપતિઓએ ચૂંટણી નહીં થાય તેવા સંજોગોમાં પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો પાઠવી દીધા છે. જ્યારે બીએસ અગ્રવાલ એવી ડીંગ હાંકી રહ્યા હતા કે તેઓ સમગ્ર પેનલ બનાવીને મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. જોકે, સી.આઇ.એ.ની તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે જે ઉદ્યોગપતિ સભ્યો પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચવાના પત્રો ચેમ્બરને આપી આવ્યા છે તેમને પણ બીએસ જૂથ તરફથી ફોન કરીને તેમની પેનલમાં નામ લખીને જાહેર કરવા માટે ઉકસાવી રહ્યા છે. બીએસ અગ્રવાલની એકેય કારી હજુ સુધી ચાલી શકી નથી.

માત્રને માત્ર પોતાના ઇગો પોષવા માટે સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સનું ડેકોરમ અને માહોલ બગાડી રહેલા બી.એસ. અગ્રવાલને આ વખતે બાંયો ચઢાવવાનું ભારી પડે તે રીતે ચેમ્બરમાં તમામ પાસ્ટ પ્રેસિડેન્ટસ તથા અગ્રણીઓ ભેગા થઇ રહ્યા છે.

તો આજે ચૂંટણી જાહેર કરવી પડશે

ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવાનો હઠાગ્રહ લઇને ચાલી રહેલા બીએસ અગ્રવાલના સમર્થનમાં જો 12 પૈકીના સમર્થકો ઉમેદવારીપત્રો પરત નહીં કરે તો નિયમાનુસાર ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની ચૂંટણી કરાવવી પડશે. આજે શનિવાર તા.9મી માર્ચે સાંજ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ છે. ચેમ્બર ઓફ કોમર્સના અનેક સિનિયર મેમ્બર્સ છેલ્લા ઘણાં દિવસથી સર્વસંમતિની પરંપરા જાળવી રાખવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

March 8, 2019
sugar_factory.jpg
1min6510

કેન્દ્રીય મંત્રીમંડળે મુશ્કેલીમાં મૂકાયેલા પાવર પ્લાન્ટ્સ અને ખાંડ મિલોને ને મોટી રાહત આપતા નિર્ણય લીધા છે. સરકાર ઇંધણની અછતનો સામનો કરી રહેલા વીજમથકોને સરળતાથી કોલસો પુરો પાડશે. તાજેતરમાં લોંચ કરવામાં આવેલી સ્કીમ હેઠળ સરકારે ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોનની અને મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન આપવામાં આવશે.

  • ઇથેનોલ ક્ષમતા ઊભી કરવા ખાંડ મિલોને ₹12900 કરોડની વધારાની સોફ્ટ લોન
  • મોલાસિસ આધારિત સ્વતંત્ર ડિસ્ટલરીઝને ₹2600 કરોડની સોફ્ટ લોન


આ ઉપરાંત, વ્યૂહાત્મક રોકાણને વેગ આપવા નવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે. દિલ્હી માટે નવી મેટ્રો-લાઇનની પણ જાહેરાત કરાઇ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસ પહેલાં કેબિનેટે શ્રેણીબધ્ધ નિર્ણય લીધો છે. પાંચ વર્ષમાં ₹30849 કરોડનાં ખર્ચે મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ નેટવર્કનો નવો તબક્કો શરૂ કરવાનો, હાઇડ્રોપાવરને વેગ આપવા માટેના પગલાં, નવા કેન્દ્રીય વિદ્યાલયો અને રીજનલ એર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આજના નિર્ણયોથી વીજ ક્ષેત્રની સમસ્યા હળવી થશે. સરકારે પાવર એક્સચેન્જ સહિતનાં શોર્ટ ટર્મ માર્કેટ્સને વીજળી પૂરી પાડતા મર્ચન્ટ પાવર પ્લાન્ટને કોલસાની ફાળવણી પરના નિયંત્રણો હટાવી લીધા છે. આને કારણે વીજ કંપનીઓ ઋણ ચૂકવી શકશે. વીજ ક્ષેત્ર માટેનાં અન્ય નિર્ણયોમાં તમામ હાઇડ્રો પ્લાન્ટ્સને રીન્યુએબલ તરીકે ગણવા, તેમને સસ્તા દરે વિદેશી ધિરાણની સરળતા કરી આપવી અને ભાવિ પ્રોજેક્ટ્સને આવરી લેવા માટે હાઇડ્રો પાવર જવાબદારીઓ લાદવી વગેરેનો સમાવેશ થાય છે. કેબિનેટે ઋણ પરત ચૂકવણી સમયગાળો 12 વર્ષથી વધારીને 18 વર્ષ કરવાનો પણ નિર્ણય લીધો છે.

ઊર્જા મંત્રી આર કે સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટના નિર્ણયથી સ્ટ્રેસ્ડ એસેટ્સના કોલસા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે અને હાઇડ્રોપાવર વધુ કિફાયતી બનશે. કેબિનેટે સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ અંગે પ્રધાનોના જૂથની કોલસા પુરવઠા અંગેની ભલામણોને મંજૂરી આપી હતી.

સરકારે ચાર પાવર પ્રોજેક્ટ્સ માટે રોકાણને અને હાઇડ્રો પાવર અને સ્ટ્રેસ્ડ પાવર એસેટ્સ અંગેની બે નીતિઓને મંજૂરી આપી હતી. હાઇડ્રો પોલિસી અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકારે હાઇડ્રો પોલિસી હેઠળ અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં મોટા હાઇડલ પ્રોજેક્ટ્સને રીન્યુએબલ એનર્જી સ્ટેટ્સ આપવામાં આવશે.

અગાઉ, 25 મેગાવોટની ક્ષમતા સુધીના હાઇડ્રો પ્રોજેક્ટ્સને રીન્યુએબલ્સ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને નાણાંકીય મદદ અને સસ્તું ધિરાણ જેવા પ્રોત્સાહન માટે માન્ય ગણવામાં આવતા હતા. હવે સરકારના નિર્ણય બાદ 25 મેગાવોટથી ઉપરનાં હાઇડ્રો પ્રોજેક્ટ્સને પણ આ લાભ મળશે.

ભારત 2022 સુધીમાં 175 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. મોટા હાઇડ્રો અને ક્લીન એનર્જી સેગમેન્ટમાં ઉમેરાથી 2022 સુધીમાં 225 ગિગાવોટની ક્ષમતા હાંસલ થવાની ધારણા છે. હાલમાં હાઇડ્રો પાવર ટેરિફ અન્ય સ્ત્રોત કરતાં મોંઘા છે. ઊંચા ટેરિફને કારણે વીજ વિતરણ કંપનીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરતાં ખચકાય છે. સરકારે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ દ્વારા કિરુ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ માટે ₹4287.59 કરોડનાં રોકાણને મંજૂરી આપી છે.

March 5, 2019
mudra-yojana-hh_opt.jpg
1min5760

ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે

નરેન્દ્ર મોદીએ 2015માં યુવાનોને સ્વરોજગારી માટે સરળતાથી ધિરાણ મળે તે હેતુથી શરૂ કરેલી મુદ્રા લોન યોજના બેશક સારામાં સારી યોજના છે, શુદ્ધ હેતુથી મોદી સરકારે શરૂ કરેલી આ યોજના આજે બેંકોની એન.પી.એ વધારી રહી છે. આજે એ હાલત છે કે લોકોએ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.10-10 લાખનું ધિરાણ લઇને તેની પરત ચૂકવણીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બેેંકો મુદ્રા યોજનામાં રિકવરી માટે મોટું અભિયાન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. મોટા ભાગના લોનધારકોએ બેંકોનું કરી નાંખવાના ઇરાદે જ મુદ્રા યોજનામાં લોન લઇ લીધી હોવાનું જણાય આવે છે.

મુદ્રા લોનની રકમ નાની હોય છે. તેની ફાળવણી SME કેટેગરી હેઠળ વ્યક્તિ કે એન્ટિટીને કરવામાં આવે છે. લોનનો હેતુ કાર્યકારી મૂડીની સ્થિતિ સુધારવાનો તેમજ બેન્કિંગનો ઓછો વ્યાપ ધરાવતા SMEને ઔપચારિક ક્રેડિટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાનો છે.

આ લોન અનસિક્યોર્ડ અને ઓછી રકમની હોય છે અને તેઓ મહદ્ અંશે પહેલી વખત લોન લેતા હોય છે. તેમની કોઈ ક્રેડિટ હિસ્ટરી હોતી નથી. રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર મુદ્દા યોજના માટે અપાયેલી લોનના મુદ્દે ખાનગી બેન્કોની તુલનામાં PSU બેન્કોમાં NPAનું પ્રમાણ વધુ છે. કારણ કે PSU બેન્કોએ અગ્રિમતા ધરાવતાં સેક્ટર્સને ધિરાણના લક્ષ્યાંક પૂરા કરવા આ કેટેગરીમાં વધુ લોન આપવી પડે છે.

બેન્કર્સ અને રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોનનું NPAમાં રૂપાંતર થઈ રહ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં એક્સ્પોઝર અંગે બેન્કોની ચિંતા વધી છે. રેટિંગ એજન્સીઝ ઇન્ડિયા રેટિંગ્સ અને ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે.

ઇન્ડિયા રેટિંગ્સના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના ડિરેક્ટર અને વડા પ્રકાશ અગરવાલે જણાવ્યું હતું કે, “લગભગ તમામ લોનમાં NPA ઊંચા છે, પણ ખાનગી બેન્કો આ પ્રકારના ધિરાણમાં વધુ સાવચેત રહી છે.”

RBIની 90 દિવસની લોન રિસ્ટ્રક્ચરિંગ જોગવાઈ ₹25 કરોડથી ઓછી રકમની લોનનું NPA તરીકે વર્ગીકરણ નહીં કરવાની છૂટ આપે છે. જોકે, માર્ચ 2020માં આ જોગવાઈ પૂરી થશે ત્યારે બેન્કોની NPAમાં ઉછાળો નોંધાશે. બેન્કોની ₹10 લાખથી ઓછી રકમની SME લોનને મુદ્રા સ્કીમ હેઠળ ઋણની રકમના આધારે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ કેટેગરીમાં રિફાઇનાન્સ કરી શકાય.

SBIના એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે, “આવી લોન જોખમી હોવાના કારણે તેમની એસેટની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લોનધારકોને અપાતું 70 ટકાથી વધુ ધિરાણ PSU બેન્કો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટો હિસ્સો મુદ્રા પોર્ટફોલિયોનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવી લોન ઉત્પાદન નહીં, વપરાશના હેતુથી લેવાય છે અને એટલે તે જોખમી હોય છે. જોકે, PSU બેન્કોએ આવી લોન માટે વધુ સારી રિકવરી પ્રક્રિયા વિકસાવવી જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2015માં મુદ્રા સ્કીમ લોન્ચ કરી ત્યારથી આ યોજના હેઠળ ₹6 લાખ કરોડની લોન આપવામાં આવી છે. MSMEના કુલ બાકી ઋણમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. સરકાર 2017-’18માં મંજૂરી કરાયેલી ₹2.5 લાખ કરોડની લોન સામે 2018-’19માં ₹3 લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તાજેતરના આંકડા મુજબ બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ₹2.2 લાખ કરોડની લોન ફાળવી છે.

March 2, 2019
atf1.jpg
1min12270

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

February 28, 2019
bse.jpg
1min4720

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 27, 2019
SGCCI.jpg
1min7510

 1થી 3 માર્ચ સુરતના સરસાણા ખાતે આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્‍બર ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ડેવલપમેન્‍ટ સેન્‍ટર તથા એગ્રીકલ્‍ચર, ફાર્મર્સ વેલફેર એન્‍ડ કો-ઓપરેશન ડિપાર્ટમેન્‍ટ – ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આગામીતા. 1/3/ર019થી 3/3/ર019 દરમિયાન સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે ‘ફૂડ એન્‍ડ એગ્રીટેક એક્ષ્પો- ર019’નું ભવ્‍ય પ્રદર્શન યોજાશે.

ચેમ્‍બરના પ્રમુખ શ્રી હેતલ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, ટ્રેડ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના વિકાસ માટે કામ કરતી ચેમ્‍બર દ્વારા કૃષી ક્ષેત્રને પ્રોત્‍સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે સૌપ્રથમ વખત ફૂડ એન્‍ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્‍ટ કૃષી ઉદ્યોગ તરીકે હવે ડેવલપ થઇ રહયો છે ત્‍યારે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ તેમજ નવા એગ્રો ગ્રેજયુએટ્‍સ કૃષી ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ હેતુલક્ષી પ્રદર્શન એગ્રો ફૂડ યોજાઇ રહયુ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદી વર્ષ ર0ર0 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લ1ય સાથે આગળ વધી રહયા છે ત્‍યારે આવા પ્રદર્શનો એક સીમાચિન્‍હ બની રહેશે. આ પ્રદર્શન થકી આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની સારી તક મળશે. પ્રદર્શનમાં એકજ સ્‍થળે સુરતીઓને 400થી પણ વધુ ટેસ્‍ટી તથા હેલ્‍ધી વાનગીઓ માણવા મળશે.

 

ચેમ્‍બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્‍યું હતું કે આ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારંભ શુક્રવારે તા. 01/3/ર019ના રોજ સવારે 11.00 કલાકે સરસાણા સ્‍થિત સુરત ઈન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેશન સેન્‍ટર ખાતે યોજાનાર છે. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી સંજય પ્રસાદ (એડીશનલ ચીફ સેક્રેટરી, એગ્રીકલ્‍ચર એન્‍ડ કો-ઓપરેશન ડિપાર્ટમેન્‍ટ, ગુજરાત સરકાર) ઉપસ્‍થિત રહેશે. સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર શ્રી કે.એસ. રંધાવા (IFS) અને
યસ બેન્‍કના પ્રેસિડેન્‍ટ શ્રી પંકજ પોપટ સ્પેશિયલ ગેસ્‍ટ તરીકે સ્‍થાન શોભાવશે.

 

ફૂડ એન્‍ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન ડો. વી. કુમારેજણાવ્‍યુ હતુ કે, આ પ્રદર્શન 1 લાખ ચોરસ સ્‍કવેર ફૂટ વિસ્‍તારમાં યોજાશે. જેમાં 13પથી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયા છે.આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્‍થાઓ અને વિદ્યાર્થીઓને માટે ઉજળી તક મળશે.ભવિષ્‍યમાં આંત્રપ્રિન્‍યોર્સને પણ સારુ પ્‍લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં કૃષી ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ અને ખેતીના વિકાસ માટે રાજય સરકારના કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રી કોર્પોરેશન, હોર્ટીકલ્‍ચર વિભાગ, ડાયરેકટોરેટ ઓફ એગ્રીકલ્‍ચર, વિવિધ સહકારી મંડળીઓ, પશુપાલન વિભાગ, ગુજરાત સ્‍ટેટ સીડ્‍સ કોર્પોરેશન લિમિટેડ અને કૃષિ યુનિવર્સિટી મોટાપાયા ઉપર ભાગ લઇ રહી છે.

 

આ પ્રદર્શનમાં ભાગ લેનારા મુખ્‍ય એકઝીબીટર્સમાં એગ્રીકલ્‍ચર પ્રોડયુસ માર્કેટ, ગીરીરાજ ફૂડ્‍સ પ્રોડકટ્‍સ, હજુરી ફ્રુટ્રીટ આઇસ્‍ક્રીમ, મલ્‍ટીગ્રેન ફૂડ પ્રા.લી., સ્‍કૂપ હેપ્પીનેસ પ્રા.લી., તાપી ફ્રુટ પ્રોસેસિંગ પ્રા.લી., ગજાનંદ ફૂડ્‍સ પ્રા.લી., ગ્રોવેલ બાયોસિસ્‍ટમ્‍સ પ્રા.લી., શીતલ કૂલ પ્રોડકટ્‍સ, એસ.આર. ઇકવીપમેન્‍ટ્‍સ, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, નેશનલ બેન્‍ક ફોર એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલપમેન્‍ટ, ગુજરાત કો-ઓપ. મિલ્‍ક માર્કેટ ફીડ લી., પેટસન ગૃપ ઓફ કંપનીઝ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી., જીવરાજ ટી લી., સુરત ડિસ્‍ટ્રીકટ કો-ઓપ. મિલ્‍ક પ્રોડયુસર્સ યુનિયન લી., ધી સુરત ડિસ્‍ટ્રીકટ કો-ઓપ. બેન્‍ક, આઇસ મેક રેફ્રીજરેશન લિમિટેડ, ગુજરાત સ્‍ટેટ ફર્ટીલાઇઝર્સ એન્‍ડ કેમિકલ્‍સ લિમિટેડ, નવસારી અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ચેમ્‍બરના ફૂડ એન્‍ડ એગ્રી ટેક પ્રદર્શનના આયોજનમાં યસ બેંકનો સહયોગ પ્રાપ્‍ત થયો છે.