CIA ALERT

બિઝનેસ Archives - Page 50 of 76 - CIA Live

July 10, 2019
naresh_goyal.jpg
1min3190

naresh goyal માટે છબી પરિણામ

દિલ્હી હાઈ કોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયેલને ભારત છોડવાની પરવાનગી આપી ન હતી. નરેશ ગોયેલ સામે કેન્દ્રે બહાર પાડેલો લૂક-આઉટ સર્ક્યૂલર પાછો ખેંચવા ગોયેલે કરેલી અરજી બાબતમાં કેન્દ્ર સરકારનો પ્રતિભાવ માગવામાં આવ્યો હતો. 25 મેના દિવસે ગોયેલને દુબઈ જતી ફલાઈટ પરથી ઊતારી મૂકવામાં આવ્યો હતો તે પછી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી ન હતી તેવું ગોયેલે પોતાની અરજીમાં કહ્યું હતું.

દિલ્હી હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ સુરેશ કૈટે કહ્યું હતું કે, હાલના તબક્કે અરજદાર ગોયેલને કોઈ રાહત આપી શકાય નહીં. તેમને વિદેશ જવું હોય તો ગેરંટી તરીકે

18000 કરોડ રૂપિયા જમા કરીને જઈ શકે છે, તેવું ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

જેટ એરવેઝમાં ખૂબ મોટા પાયા પર છેતરપિંડી થઈ છે, તેવું એક ઈન્સ્પેકશન પછી ખબર પડી છે તેવું કોર્પોરેટ અર્ફેસ મંત્રાલયે જણાવ્યું હતું. સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઈઓ) નરેશ ગોયેલને 10મી જુલાઈએ હાજર રહેવા છઠ્ઠી જુલાઈએ સમન્સ આપ્યા હતા.

23મી ઑગસ્ટે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે, તેવું દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું.ઉ

July 8, 2019
sensex_down.jpg
1min11270

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેસીસ સેન્સેક્સમાં આજે 800 પોઇન્ટનો તોતિંગ ઘટાડો થતા શેરબજારમાં કામ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. એમા પણ છેલ્લા બે સેશનમાં જ રોકાણકારોની ₹5 લાખ કરોડની સંપત્તિનું જંગી ધોવાણ થઈ ગયો હોવાથી હવે શેરબજારની આ ચાલ અનેક લોકો માટે મરણતોલ ફટકા સમાન નિવડે એમ મનાય છે.

મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,476.38 અને નીચામાં 38,605.48 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 792.82 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 38,720.57 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,771.90અને નીચામાં 11,523.30 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 252.55 પોઈન્ટ્સ અથવા 2.14 ટકાના ધોવાણ સાથે 11558.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.99 ટકા અને 2.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે કેપિટલ ગૂડ્ઝ, રિયલટી, પાવર, ઓટો, બેન્ક તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

July 7, 2019
petrol.jpg
1min3130
મોદી સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલના નવો રોડ સેસ અને એક્સાઈઝ ડયૂટીમાં વધારો એમ બંને મળીને લગભગ બે રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો. મોદી સરકાર 2014માં સત્તામાં આવ્યા બાદથી પેટ્રોલ અને ડીઝલમાં માત્ર બે જ વાર એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો થયો છે જ્યારે દસ વાર એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો: પેટ્રોલમાં 2.45, ડીઝલમાં, 2.36 વધ્યા
નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈ કાલે બજેટમાં આમઆદમીને મોટા ઝટકામાં, પેટ્રોલ અને ડીઝલમાં એક રૂપિયાનો રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઉપરાંત એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંક્યા બાદ આજે આજે પેટ્રોલની કિંમતમાં લિટરે રૂા.2.4પ અને ડીઝલમાં લિટરે રૂા.2.36નો વધારો કરી દીધો હતો.
દરમ્યાન,રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ સ્થાનિક વેરામાં વધારો કરતાં આ બે રાજ્યમાં તો પેટ્રોલિયમની કિંમતમાં લગભગ પાંચ રૂપિયા જેટલો તોતીંગ વધારો થયો છે. રાજસ્થાનમાં સ્થાનિક લેવીને લીધે જયપુરમાં પેટ્રોલના ભાવ રૂા.71.1પથી વધીને રૂા.7પ.77 થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના મંત્રી જીતુ પતવારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બજેટમાં મ.પ્ર.નો હિસ્સો રૂા.2677 કરોડ જેટલો ઘટાડી નાખતાં ઈંધણમાં વધારાના વેરા નાખવાનો નિર્ણય લેવો પડયો છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ જારી કરેલા ભાવપત્રક મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.2.4પ વધીને રૂા.72.96 થયા છે મુંબઈમાં 2.42 વધીને રૂા.78.પ7 થયા છે. કોલકાતામાં’ રૂા.2.40નો અને ચેન્નાઈમાં રૂા.2.પ7નો વધારો થયો છે. મધ્યપ્રદેશના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ચારથી પાંચ રૂપિયાનો વધારો થયો છે.
July 6, 2019
bse.jpg
1min2850

બજેટમાં ઓપ્શન બાયર્સને મોટી રાહત આપવામાં આવી છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) હવે કોન્ટ્રાક્ટના મૂલ્ય પર નહીં, પરંતુ સ્ટ્રાઇક પ્રાઇસ અને સેટલમેન્ટ પ્રાઇસ વચ્ચેની તફાવતની રકમ પર લાગુ પડશે. ભારતમાં 85થી 90 ટકા બિઝનેસ કામકાજ ઓપ્શન સેગમેન્ટમાં થાય છે અને આ દરખાસ્તથી ઓપ્શન બાયરને રાહત મળી શકે છે. ઓપ્શન બાયર્સને ઈન-ધ-મની એક્સપાયર થતાં કોન્ટ્રાક્ટમાં એસટીટીમાં મોટી રાહત થશે.

STT stock market માટે છબી પરિણામ

પરંતુ તેનાથી ઈન-ધ મની ઓપ્શન સેલર્સને ફટકો પડી શકે છે. જોકે આ દરખાસ્તથી ઓપ્શન સેગમેન્ટના વોલ્યુમ અને ભાગીદારીને વેગ મળશે. ઈન-ધ-મની એક્સપાયર થતાં ઓપ્શનના કિસ્સામાં ટ્રેડર્સને ટ્રેડિંગની છેલ્લા કલાકમાં પોઝિશન સુલટાવવાની ફરજ પડશે નહીં.

હાલમાં ખરીદીના કિસ્સામાં ઓપ્શનના ઈન-ધન મની સ્ટ્રાઇકના સમગ્ર લોટ વેલ્યૂ પર STT લાગુ પડે છે, જેનો રેટ હાલમાં 0.125 ટકા છે.

ઉદાહરણ તરીકે

11,800ના સ્ટ્રાઇક પ્રાઇસ સાથેનો નિફ્ટી ઓપ્શન, જે ₹11,900ના સ્પોટ પ્રાઇસટે એક્સપાયરીના દિવસે ઈન-ધ-મની એક્સપાયર થાય તો તેનો ખર્ચ લોટ દીઠ આશરે ₹1,116 (11900 x 75 x 0.125%) થાય છે. પરંતુ નવા ચાર્જ સાથે આ જ કોન્ટ્રાક્ટનો એસટીસી ખર્ચ લોટ દીઠ માત્ર ₹9.375 થશે. ઓપ્શન સેલિંગના કિસ્સામાં હાલમાં એસટીટીનો રેટ 0.017 ટકા છે, જે ઓપ્શન પ્રીમિયમ પર લાગે છે, તેથી સૂચિત ફેરફારથી તેને અસર થશે નહીં.

ઈન-ધ-મની ઓપ્શનમાં ઊંચા એસટીટીને કારણે કેટલાક સ્ટ્રાઇક પ્રાઇસ સામાન્ય રીતે એક્સપાયરી સેટલમેન્ટ ડેએ ડિસ્કાઉન્ટે ટ્રેડ થાય છે, કારણ કે બાયર્સ ઊંચા એસટીટીને ટાળવા માટે તુલનાત્મક રીતે નીચા પ્રીમિયમે ઓપ્શન વેચવાનો પ્રયાસ કરે છે. તેથી આ લાભ ઓપ્શન સેલર્સને મળતો હતો, કારણ કે બાયર્સ એટીસી ચાર્જ કરતાં વધુ લાભ ન મળે ત્યાં સુધી બાયર્સ ઓપ્શનનું વેચાણ કરતાં નથી.

July 6, 2019
budget2019.jpg
1min8690

વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના ગૃહ ખાતા માટે રૂ. 1,19,025 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વરસની સરખામણીએ રૂ. 5,858 કરોડ વધુ છે.

ગૃહ ખાતા માટે ફાળવવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે પોલીસ, સરહદી વિસ્તારનું માળખું સુધારવા ઉપરાંત પોલીસ દળનું આધુનિકીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમિત શાહ હાલ ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહ્યા હોવા છતાં વર્ષ 2018-19ના સુધારેલા રૂ. 1,13,167 કરોડ કરતાં માત્ર 5.17 ટકા જ વધુ રકમ ગૃહ ખાતા માટે ફાળવવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી દિલ્હી પોલીસ માટે રૂ. 7496.91 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ભારત-પાક, ભારત-ચીન તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પર માળખાકીય સુવિધા સુધારવા રૂ. 2129 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી તેમ જ ઈશાન ભારતમાં નક્સલવાદવિરોધી કાર્યવાહીમાં રોકાયેલા તેમ જ ક્યારેક આંતરિક સુરક્ષા માટે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) માટે રૂ. 23,963.66 કરોડ ફાળવવામાં આવ્યા છે જે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 22,646.63 કરોડ કરતા વધુ છે.

ભારત-પાક અને ભારત-બાંગલાદેશ સરહદની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-બીએસએફ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 18585.96 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 19,650.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ-સીઆરપીએફ, બૉર્ડર સિક્ટોરિટી ફૉર્સ-બીએસએફ, ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ-આઈટીબીપી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ-સીઆઈએસએફ, સશસ્ત્ર સીમા બલ-એસએસબી, આસામ રાઈફલ્સ-એઆર અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ-એનએસજી સહિતના સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફૉર્સ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 67779.75 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ.કુલ મળીને રૂ. 71,713.9 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંતરિક જાસૂસી માટે જવાબદાર ઈન્ટેલિજન્સ બ્યૂરો-આઈબી માટે અગાઉના વર્ષના રૂ. 2056.05 કરોડને બદલે આ વરસે રૂ. 2384.1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના નિકટના પરિવારજનોની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ-એસપીજી માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 411.68 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 535.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બૅરેક, નિવાસસ્થાન, વાહનો, શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી સહિત પોલીસ માળખામાં સુધારો કરવા રૂ. 4757 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસદળના અત્યાધુનિકીકરણ માટે વર્ષ 2018-19માં રૂ. 3462 કરોડ, સરહદી વિસ્તારમાં વિકાસના કાર્યક્રમ માટે રૂ. 825 કરોડ, જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા અને વતન પાછા ફરેલા લોકોનાં પુનર્વસન અને રાહત માટે રૂ. 842 કરોડ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શન માટે રૂ. 953 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટેની ‘નિર્ભયા’ યોજના માટે રૂ. 50 કરોડ, નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન માટે રૂ. 296 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વર્ષ 2021ની વસતિ ગણતરીને તૈયારી ચાલી રહી હોવા વચ્ચે એ માટે બજેટમાં રૂ. 621.33 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ ઉદ્યોગ માટે રૂ. 50 કરોડ, હિન્દી ભાષાના પ્રસાર-પ્રચાર માટે રૂ. 78.09 કરોડ, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાય માટે રૂ. 4,895.81 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે રૂ. 4,817.48 કરોડ, ચંડીગઢ માટે રૂ. 4,291.70 કરોડ, દાદરા નગર હવેલી માટે રૂ. 1177.99 કરોડ, દીવ અને દમણ માટે રૂ. 821.4 કરોડ અને લક્ષદ્વીપ માટે રૂ. 1276.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં દિલ્હી માટે રૂ. 1112 કરોડ અને પુડુચેરી માટે રૂ. 1601 કરોડ ફાળવવામાં આવ્યા છે.

July 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12230

સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી 10થી ઘટાડી 4 ટકા કરવા માગ હતી, મોદી સરકારે 12.5 ટકા કરી દીધી

હીરા ઉદ્યોગ માટે સુરત વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત છે, અહીં હીરા ઉદ્યોગની સાથે ઝવેરાત ઉદ્યોગ પણ ખાસ્સો વિકસ્યો છે, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બ્રાન્ડની ઝવેરાત સુરતમાં બની રહી છે. મોટા ભાગે હીરા ઝવેરાતમાં સોનું તેમજ અન્ય કિંમતી ધાતુઓનો વપરાશ થાય છે અને એ વિદેશથી આયાત કરવામાં આવે છે.

આજે મોદી સરકાર 02ના નાણા મંત્રી નિર્મલા સીતારમન યુનિયન બજેટ રજૂ કરે એ પૂર્વે સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોએ રૂબરૂ તેમજ અપ્રત્યક્ષ રીતે એવી રજૂઆત કરી હતી કે હાલમાં સોનાની આયાત ડ્યૂટી જે 10 ટકા છે તે ઉદ્યોગના હિતમાં ઘટાડીને 4 ટકા કરવામાં આવે. સ્થાનિક ઉદ્યોગકારોને એમ હતું કે 10 ટકાની ડ્યૂટી 4 ટકા ઘટાડવાની માંગ કરવામાં આવે તેના પ્રતિસાદમાં કેન્દ્ર સરકાર સંભવ છે કે 5થી 7 ટકા કરે તો પણ ઉદ્યોગને થોડી ઘણી રાહત મળશે.

પરંતુ, આજના બજેટમાં સાવ ઉલ્ટું થયું. નિર્મલા સીતારમને પોતાની બજેટ સ્પીટમાં સાફ શબ્દોમાં ઘોષણા કરી કે સોનામાં હાલ 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી છે તે વધારીને 12.5 ટકા કરવામાં આવી છે.

સોના પર ડ્યૂટી વધારવાનું વલણ નિરાશાજનક ઃ દિનેશ નાવડીયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હીરા ઝવેરાત ઉદ્યોગ માટે આ જોગવાઇ ઘાતક પુરવાર થશે. તેમણે આ વલણ નિરાશાવાદી ગણાવ્યું હતું. દિનેશ નાવડીયાએ કહ્યું હતું કે ઉદ્યોગ વતી એવી માગણી હતી કે હાલની 10 ટકા ડ્યૂટી વધુ પડતી છે, ઉધોગના વિશાળ હિતમાં એ 4 ટકા કરવામાં આવે.

 

આ ઘોષણા સાંભળતાની સાથે જ સુરતના હીરા ઝવેરાત ઉદ્યોગકારોને હોશકોંશ ઉડી ગયા હતા. આમેય વિદેશો કરતા અહીં સ્થાનિક ઝવેરાતની પડતર મોંઘી પડતી હોઇ, ઝવેરાત ઉદ્યોગ મંદીમાં ધકેલાયો હતો, હવે અઢી ટકા ડ્યૂટી વધી જવાથી બિઝનેસને વધુ મોટો ફટકો પડશે.

July 5, 2019
cia_budget.jpg
1min2730
કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે મોદી સરકારની બીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નવું ઘર તેમજ ઈલેક્ટ્રીક કાર ખરીદનારા લોકોને લોન પર ચૂકવવા પડતા વ્યાજ પર ઈન્કમ ટેક્સની છૂટ વધારાઈ છે. પેટ્રોલ ડીઝલ પર નાણાંમંત્રીએ વધારાની એક્સાઈઝ ડ્યૂટી અને સેસ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણામંત્રીએ બેંક અકાઉન્ટમાંથી 1 કરોડ રુપિયાથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ કાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈનકમ ટેક્સ ભરવા માટે હવે પાનકાર્ડને બદલે આધાર કાર્ડ પણ ચાલશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને હવે આધાર કાર્ડ આપવાનું સરકારે જણાવ્યું છે. અગાઉ NRIને 180 દિવસનો સ્ટે બતાવવો પડતો હતો, જે હવે દૂર કરી દેવાયો છે.

  • પેટ્રોલડીઝલ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી અને 1 રુપિયો પ્રતિ લિટર રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ નાખવાનો પ્રસ્તાવ
  • ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 5 ટકા કરાઈ
  • 45 લાખ રુપિયા સુધીનું અફોર્ડેબલ હાઉસ ખરીદનારાને મળશે મોટી રાહત. હોમ લોનના વ્યાજ પર ઈન્કમ ટેક્સમાં મળતી છૂટ 2 લાખ રુપિયાથી વધારી 5 લાખ કરવાનો પ્રસ્તાવ. અત્યાર સુધી હોમ લોનના 2 લાખ રુપિયા સુધીના વ્યાજ પર મળે છે છૂટ, જે હવે વધારીને 3.5 લાખ કરવાનો બજેટમાં પ્રસ્તાવ.
  • બેંક અકાઉન્ટમાંથી 1 કરોડથી વધુની રોકડ રકમ ઉપાડવા પર 2 ટકા ટીડીએસ લગાવવાનો બજેટમાં પ્રસ્તાવ
  • પાન કાર્ડને બદલે હવે આધાર કાર્ડ પણ ચાલશે. જ્યાં પણ પાન કાર્ડની જરુર છે, ત્યાં આધાર કાર્ડનો નંબર આપી શકાશે.
  • કોર્પોરેટ ટેક્સ: હવે 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ 25 ટકા ટેક્સના દાયરામાં આવશે. અગાઉ આ મર્યાદા 250 કરોડ રુપિયા હતી. દેશની 3 ટકા કંપનીઓને તેનો સીધો લાભ થશે.
  • ઈલેક્ટ્રીક કાર ખરીદનારાને લોનના વ્યાજ પર દોઢ લાખ રુપિયાની ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે
  • છેલ્લા પાંચ વર્ષમાં સરકારની પ્રત્યક્ષ કરની આવક વધીને 37 લાખ કરોડ પર પહોંચી
  • આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1 લાખ કરોડ રુપિયા ઉભા કરવાનો સરકારનો ટાર્ગેટ
  • મજબૂત આર્થિક સ્થિતિ ધરાવતા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ઓને સરળતાથી ધીરાણ મળી રહે તે સુનિશ્ચિત કરાશે.
  • ખાતાધારકની જાણ બહાર તેના અકાઉન્ટમાં રુપિયા જમા કરાવવા અંગે નિયમ બનાવાશે.
  • સરકારી બેંકોને 70,000 કરોડ રુપિયા ઉપલબ્ધ કરાવાશે
  • ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને આધાર કાર્ડ અપાશે, હવે તેના માટે 180 દિવસના રોકાણની પણ જરુર નથી
  • જે દેશોમાં ભારતનું કોઈ ડિપ્લોમેટિક મિશન નથી, ત્યાં એલચી કચેરીઓ અને હાઈ કમિશન્શ શરુ કરાશે. 18 આફ્રિકન દેશોમાં નવા ડિપ્લોમેટિક મિશન શરુ કરાશે
  • ઉજ્જવલા યોજના હેઠળ 35 કરોડ LED બલ્બ વેચાયા, જેનાથી વાર્ષિક 18,341 કરોડ રુપિયાની બચત થઈ.
  • આ વર્ષથી રેલવે સ્ટેશનોના આધુનિકીકરણનો પ્રોજેક્ટ શરુ કરાશે
  • ભારતને હાયર એજ્યુકેશનનું હબ બનાવાશે. ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ માટે એક્સચેન્જ કાર્યક્રમ શરુ કરાશે.
  • લેબર લૉનું સરળીકરણ કરાશે, ચાર પાયાના લેબર કોડ્સ બનાવાશે
  • NRI માટે શેરબજારમાં રોકાણ કરવાના નિયમો હળવા બનાવાશે
  • ગાંધીજીની 150મી જન્મજયંતિ સુધીમાં સમગ્ર દેશને ઓપન ડેફિકેશન (ખુલ્લામાં હાજત) મુક્ત બનાવાશે. અત્યારસુધીમાં 95 ટકા શહેરો ઓપન ડેફિકેશન ફ્રી જાહેર થઈ ચૂક્યા છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં 80 લાખ ઘરો બનાવવાની મંજૂરી મળી
  • હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના તમામ ઘરોને પાણી પૂરું પડાશે. જળ મંત્રાલય લોકોને પૂરતું સ્વચ્છ પીવાનું પાણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • 25 લાખ કિલોમીટરના રસ્તા અપગ્રેડ કરવામાં આવશે
  • PMAY ગ્રામીણ યોજના હેઠળ 2021 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 95 કરોડ આવાસ બનાવાશે.
  • 2022 સુધીમાં તમામ ઘરોમાં વીજળી અને LPG પહોંચાડી દેવાશે
  • રેલવેમાં ઝડપથી સુધારા કરવા અને પેસેન્જરોને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ થશે: સિતારમણ
  • સરકારના તમામ પ્રયાસોમાં ગામ, ગરીબ અને ખેડૂત કેન્દ્ર સ્થાને: સિતારમણ
  • પ્રધાનમંત્રી કર્મયોગી મનધન યોજના હેઠળ વાર્ષિક 5 કરોડ રુપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા 3 કરોડ વેપારીઓ, દુકાનદારોને અપાશે પેન્શનનો લાભ.
  • વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાની દરખાસ્ત
  • 201819માં નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. 2019માં 210 કિમીની મેટ્રો લાઈન કાર્યરત થઈ
  • રેલવેમાં 20182030 દરમિયાન 50 લાખ કરોડ રુપિયાના રોકાણની જરુર.
  • વન નેશન વન ગ્રીડ: રાજ્યોને વાજબી કિંમતે વીજળી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર કરશે કામ
  • સરકાર MSMEs માટે પેમેન્ટ પ્લેટફોર્મ ઉભું કરશે, આ પ્લેટફોર્મ પર તેઓ બિલ્સ અને પેમેન્ટની ચૂકવણી કરી શકશે
  • ભારતમાલા મહત્વકાંક્ષી પ્રોગ્રામ છે, જેનાથી દેશના માર્ગો અને હાઈવેના વિકાસમાં મદદ મળશે, જ્યારે સાગરમાલાથી બંદરોનો વિકાસ થશેઃ FM
  • ઉડાન યોજનાથી સામાન્ય વ્યક્તિને પણ એર કનેક્ટિવિટી સાથે જોડાવાની તક આપી છે. આ તમામ પ્રોગ્રામના લીધે ગામડા અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છેઃ FM

 

 

July 5, 2019
budget19.jpg
1min2720
આર્થિક મંદી સાથે જોડાયેલી ચર્ચા 2.0 સરકાર આજે ગૃહમાં પોતાનું પહેલું બજેટ નિર્મલા સીતારમણની આગેવાનીમાં રજૂ કરાશે. બજેટ પહેલા સામે આવેલા આર્થિક સર્વેમાં સંકેત મળ્યો છે કે નવા બજેટમાં પ્રાઈવેટ રોકાણની મદદથી રોજગાર પેદા કરવાની સાથે જ શ્રમ સંબંધી કાયદામાં જરુરી ફેરફાર, સારી ટેક્સ વ્યવસ્થા અને ઓછા વ્યાજ જેવા મુદ્દા પર ફોકસ કરીને સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઉપરના સ્તરે લઈ જવા માગે છે. નાણામંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે જ્યારે ઓછો વિકાસ દર, રોજગારીમાં ઘટાડો, ખરાબ ચોમાસાની શરુઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોર જેવા પડકારો સામે છે.
હાલના નાણાંકીય વર્ષ માટે સર્વેમાં આર્થિક વિકાસ દરનું લક્ષ્ય 7 ટકા રાખવામાં આવ્યું છે, જે પાંચ વર્ષમાં સૌથી ઓછા રહેલા વિકાસ દર (6.8%)થી વધારે છે. સુબ્રમણ્યને હાલના નાણાંકીય વર્ષમાં વિકાસ દરમાં વધારાને લઈને કોઈ ખાસ ક્યાસ નથી લગાવ્યો, પણ એટલું જરુર કહ્યું છે કે આવનારા સમયમાં આર્થિક બદલાવો માટે ચાલતા વિકાસ દરમાં બદલાવ જોવા મળતો રહેશે. હમણાં જોવા મળ્યું છે કે આર્થિક મંદીને જોતા કેટલાક મુદ્દા પર ખાસ ધ્યાન આપીને આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. નિકાસમાં વધારો કરીને, નાની અને સીમિત સંસાધનોવાળી કંપનીઓને રોજગાર તૈયાર કરવા, નિયમોને સ્પષ્ટ કરવા અને રોકાણ વધારવા જેવા પગલા આ દિશામાં સફળ સાબિત થઈ શકે છે.
પાછલા આર્થિક સલાહકારોની જેમ જ સુબ્રમણ્યને પણ વ્યવહારિક સ્તર પર અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા બદલાવોના સમર્થનમાં છે અને તેમનું માનવું છે કે તેની મદદથી સામાજિક બદલાવ કરી શકાય છે. ટેક્સ વ્યવસ્થાને સારી બનાવવા માટે સર્વેમાં ઈમિગ્રેશન કાઉન્ટર પર અલગ ડિપ્લોમેટિક ટાઈપ લેનથી લઈને વધારે ટેક્સ ચૂકવતા લોકોને બોર્ડિંગમાં વિશેષ સુવિધા આપવા જેવા પગલા ઉઠાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, ઘણી મહત્વપૂર્ણ ઈમારતો, ઐતિહાસિક સ્થળો, રસ્તાઓ, ટ્રેન્સ, અભિયાનો, સ્કૂલ-કૉલેજો અને યુનિવર્સિટીના નામે પણ આવા મહત્વપૂર્ણ ચહેરાના નામ રાખવામાં આવી શકે છે. સુબ્રમણ્યનનું કહેવું છે કે તેની અસર સામાન્ય જનતાને એ સંદેશ આપવામાં થશે કે “પ્રામાણિક રીતે ટેક્સ ચૂકવવો ગર્વની વાત છે.”
nirmala sitharaman budget માટે છબી પરિણામ

પાડોશી દેશ ચીનની અર્થવ્યવસ્થાના કેટલાક ઉદાહરણલઈને મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને કહ્યું કે સરકારને રોકાણ વધારવાની સાથે, રોજગાર પેદા કરવાની કોશિશ કરવી જોઈએ. તેમણે ચીનની શહેરી અને ગ્રામીણ કંપનીઓ વચ્ચે બેલેન્સને છડપથી થતા વિકાસનો આધાર ગણાવીને આશા કરી કે નાના રોકાણકારો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ જલદી રોજગાર આપવાવાળી સ્થિતિમાં આવી જશે. તેના માટે નક્કી કરવું પડશે કે રોકાને પ્રેરિત કરી શકાય. ચીનના ઉદાહરણ સાથે જ સુબ્રમણ્યને એ પણ કહ્યું કે હંમેશા વધારે રોકાણનો અર્થ રોજગાર નથી હોતો.

બજેટમાં નોકરી કરતા લોકો માટે ટેક્સના સ્લેબમાં બદલાવની આશા રખાઈ રહી છે. 2019-20 અંતર્ગત બજેટમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે જ તેમાં અંગત ક્ષેત્રમાં રોકાણ, માંગ અને નિકાસ વધારવા પર ખાસ ભાર હશે. ઉદ્યોગ જગતની કંપનીઓ માટે કોર્પોરેટ કરનો દર 25 ટકા પર લાવવાની માંગ છે. અત્યારે 250 કરોડ રુપિયાથી વધારે ઉદ્યોગોએ 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડે છે. સાથે જ બજેટમાં અનુસૂચિત જાતિ/જનજાતિ, અન્ય પછાત વર્ગો કે આર્થિક રીતે નબળા વર્ગો દ્વારા શરુ કરાયેલા સ્ટાર્ટઅપના સાહસને સહાય આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

July 3, 2019
guj_budget.jpg
1min2920
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
2018_5large_gujarat_map.jpg
1min3770

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.

આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.