CIA ALERT

બિઝનેસ Archives - Page 44 of 76 - CIA Live

October 24, 2019
petrol-diesel-1.jpg
1min9980

દેશમાં વર્તમાન સમયમાં અંદાજીત 65000 પેટ્રોલ પંપ છે. જેમાં મોટાભાગના પંપની માલિકી સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન પાસે છે. બજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, નાયરા એનર્જી અને રોયલ ડચ શેલ પણ છે પણ તેની ઉપસ્થિતિ સીમિત છે.

સરકારે ઈંઘણના છૂટક કારોબારને બિનપેટ્રોલિયમ કંપનીઓ માટે ખુલો મુક્યો છે. હવે એવી કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલી શકશે જે પેટ્રોલિયમ ક્ષેત્રમાં નથી. માનવામાં આવે છે કે સરકારના નિર્ણયથી ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધશે.

કેબિનેટ બેઠક બાદ જાણકારી આપતા કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઈંઘણના છૂટક કારોબારને પેટ્રોલિયમ કારોબારને પેટ્રોલિયમ ક્ષેત્રથી બહારની કંપનીઓ માટે ખોલવાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. વર્તમાન સમયમાં ઈંઘણના છૂટક કારોબારનો પરવાનો મેળવવા માટે કોઈ કંપનીને હાઈડ્રોકાર્બનની ખોજ, ઉત્પાદન, રિફાઈનિંગ કે પાઈપલાઈન ક્ષેત્રમાં 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.

જાવડેકરે કહ્યું હતું કે, આર્થિક મામલાની સમિતિએ વાહન ઈંઘણના વેપારનો અધિકાર આપવા સંબંધીત દિશાનિર્દેશોની સમીક્ષાને મંજૂરી આપી છે. એવી કંપનીઓ કે જેનો કારોબાર 250 કરોડ રૂપિયા છે તે ઈંઘણના છૂટક કારોબારના ક્ષેત્રમાં ઉતરી શકશે. આ માટે ઓછામાં ઓછા પાંચ પેટ્રોલપંપ ગ્રામ્ય વિસ્તારમાં ખોલવાની શરત રહેશે.

October 23, 2019
MSME-SSI-1280x782.jpg
1min4560

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.

એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.

સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.

October 22, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9830

RCEP એવું નથી કે ફક્ત ભારતના ઉદ્યોગ-ધંધા ખોરવશે, જાપાની યાર્ન પ્રોડ્યુસર્સમાં પણ ગભરાટ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ RCEPને કારણે 16 દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે અને તેના લીધે સૌથી માઠી અસર જે ઉદ્યોગ પર થવાની છે એમા ટેક્સટાઇલ ઉદ્યોગ સામેલ છે. સૂરત ટેક્સટાઇલ સિટી હોવાના નાતે RCEP સામે અત્યારથી જ લડતના મંડાણ સૂરતથી શરૂ થયા છે.

સિલ્ક વેરાઇટી ઉત્પાદિત કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ બેમ્બર્ગ યાર્ન જાપાનમાં બને છે અને આ જાપાની યાર્નના સૌથી મોટા ઉપભોક્તા વિશ્વમાં જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે. જાપાનમાં બનતા બેમ્બર્ગ યાર્નનો 60 ટકા હિસ્સો સૂરતના વિવર્સ ઇમ્પોર્ટ કરીને ઉપયોગમાં લે છે. RCEP આવશે તો જાપાનના આ બિઝનેસને પણ કોમ્પિટીશનનો સામનો કરવો પડે તેમ છે.

સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના અંગ વિવર્સ છે અને વિવર્સ હાલ ગ્રે બનાવવા માટે અનેક દેશી-વિદેશી પ્રોડ્યુસર્સ પાસેથી યાર્ન મેળવે છે. સૂરતના કેટલાક વિવર્સ હાઇક્વોલિટી ગ્રે, સિલ્ક ગ્રે બનાવવા માટે ઇમ્પોર્ટેડ યાર્નનો ઉપયોગ કરે છે અને એમાં જાપાન ખાતે ઉત્પાદિત બેમ્બર્ગ યાર્નનો સમાવેશ થાય છે.

સૂરતના વિવર્સ આગેવાન મયૂરભાઇ ગોળવાલા અને આશિષભાઇ ગુજરાતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે એવું નથી કે RCEPથી સૂરતના કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગોને જ મોટી અસર થવાની છે. જાપાનમાં ઉત્પાદીત થતા બેમ્બર્ગ યાર્ન કે જેમાંથી સિલ્ક ગ્રે ની વેરાઇટીઓ સૂરતમાં બની રહી છે, એ જાપાનીઝ બનાવટના બેમ્બર્ગ યાર્નનો વિશ્વભરમાં સૌથી મોટો ઉપભોક્તા જો કોઇ હોય તો એ સૂરતના વિવર્સ છે.

કલેક્ટીવ ઇન્ફર્મેશન અનુસાર આશિષભાઇ અને મયૂરભાઇ જણાવે છે કે જાપાનમાં ઉત્પાદિત બેમ્બર્ગ યાર્ન પૈકીનું 60 ટકા યાર્ન સૂરતમાં ઠલવાય રહ્યું છે. જો RCEP આવશે તો બેમ્બર્ગ યાર્ન કે જે જાપાન ઉપરાંત ચીન, હોંગકોંગ તેમજ અન્ય દેશો બનાવી રહ્યા છે એમનો માલ પણ સૂરતમાં ઠલવાશે, અને સંભવ છે કે જાપાનની ક્વોલિટી અને રેટની સામે અન્ય કોઇ દેશનું બેમ્બર્ગ યાર્ન ચઢીયાતું હશે તો જાપાને સૂરતને બેઠ્ઠો મળતો બિઝનેસ ગુમાવવો પડે એમ છે.

જાપાનથી સૂરત આવતા બેમ્બર્ગ યાર્નમાંથી સિલ્ક વેરાઇટીનું ગ્રે તૈયાર થાય છે.

હાલ તો જાપાનના સૂરતમાં કે ભારતમાં ઠલવાતા બેમ્બર્ગ યાર્નના વેચાણમાં કોઇ સ્પર્ધા નડતી નથી અને મોટા ભાગે મોનોપોલી ટાઇપનો બિઝનેસ જાપાનીઝ બેમ્બર્ગ યાર્ન પ્રોડ્યુસર્સ કરી રહ્યા છે. પણ સૂરત પાસેથી, ભારત પાસેથી જાપાની પ્રોડ્યુસર્સે પણ આ બિઝનેસ ગુમાવવો પડે એવી નોબત આવીને ઉભી છે.

જાપાની મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે

આશિષભાઇ ગુજરાતી અને મયૂરભાઇ ગોળવાલાએ જણાવ્યું કે RCEPના આવ્યા બાદ જાપાનના બેમ્બર્ગ યાર્નના સૂરતમાં વેચાણ પર, ભારતમાં વેચાણ પર શું અસર થઇ શકે તેની શક્યતાઓ ચકાસવા માટે આજરોજ તા.22મી ઓક્ટોબર 2019ના રોજ રાત્રે 10 વાગ્યે જાપાનના મિડીયા ડેલિગેટ્સ સૂરત આવી રહ્યા છે. આ સાથે જ મુંબઇ અને ભીવંડીમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉધોગ પ્રતિનિધિઓ પણ સૂરત આવી રહ્યા છે. તા.23મી ઓક્ટોબરે આખો દિવસ જાપાની ડેલિગેટ્સ મિટીંગો કરશે, કેટલાક યુનિટ્સની મુલાકાત લેશે તેમજ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે.

RCEP કરાર નહીં કરવા સ્થાનિક ઉદ્યોગકારોની માગ

સૂરતના ટેક્સટાઇલ ઉધોગકારો સમેત અન્ય ઉદ્યોગ ધંધાર્થીઓએ RCEP કરાર નહીં કરવા સંદર્ભે કેન્દ્ર સરકારને રજૂઆતો કરવાનું મન બનાવી લીધું છે. RCEPમાં જોડાઇ રહેલા 16 દેશો પૈકી ઘણાં દેશો અને તેમના ઉદ્યોગપતિઓ રૂલ્સ ઓફ ઓરિજિન પત્ર પર સહીસિક્કા કરવાના મૂડમાં જણાતા નથી, આવી સ્થિતિમાં ભારતે પણ શું કામ RCEPને ગળે વળગાડવો જોઇએ એવી દલીલ છે સ્થાનિક ઉદ્યોગકારોની.

October 22, 2019
infosys.jpg
1min3250

ભારતીય શેરબજારમાં સૌથી મજબૂત શેર ગણાતી કંપની ઈન્ફોસિસના શેરમાં આજે મંગળવાર તા.22મી ઓક્ટોબર 2019ના રોજ 15 ટકા ગગડી જતા શેરબજાર તેમજ રોકાણકારોમાં હાહાકાર મંચી ગયો હતો. ભારતીય શેરબજારમાં ઇન્ફોસીસ બ્લુચીપ શેર ગણાય છે.

વ્હિસલ બ્લોઅરે કંપનીમાં CEO સલિલ પારેખ અને CFO નિલંજન રોય દ્વારા અનૈતિક કામગીરી થઈ રહી હોવાની કરેલી ફરિયાદને પગલે કંપનીના શેરમાં તોતિંગ ગાબડું પડશે એવી અપેક્ષાઓ સેવાય રહી હતી અને થયું પણ એવું જ.

ભારતીય ઈક્વિટી માર્કેટમાં કંપનીના શેર એક તબક્કે આજે ₹645.35ની સપાટીને સ્પર્શી ગયા બાદ બપોરે 13 ટકા ઘટીને ₹667.40ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે કંપનીનો શેર ₹767.75ની સપાટીએ બંધ રહ્યો હતો.

બેનામી પત્રમાં ઈન્ફોસિસના એક કર્મચારીએ 2019-20ના સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં મેનેજમેન્ટે FDR કોન્ટ્રાક્ટમાં ₹353 કરોડના અપફ્રન્ટ પેમેન્ટના રિવર્સલની એન્ટ્રી ધ્યાનમાં ન લેવા દબાણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. આમ કરવાથી નફો ઓછો દેખાય અને કંપનીના શેરના ભાવમાં તેની નકારાત્મક અસર પડે.

પોતાની જાતને નૈતિક ગણાવતાં ફરિયાદીએ 20 સપ્ટેમ્બરે આઈટી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પાઠવેલા 2 પાનાના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પારેખ અને રોય છેલ્લાં કેટલાંક ક્વાર્ટરથી આ ગેરરીતિઓ આચરી રહ્યા હતા અને તેમના ઈ-મેઈલ અને તેમની વચ્ચેની વાતચીતના વોઈસ રેકોર્ડિંગથી આ વાત સાબિત થાય છે.

તેમાં વધુમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, કંપનીની કેટલીક મહત્ત્વની વિગતો ઓડિટર્સ અને બોર્ડથી છૂપાવવામાં આવી હતી.વેરિઝોન, ઈન્ટેલ, જાપાનના સંયુક્ત સાહસ, ABN એમરોનું હસ્તાંતરણ તેમ આવકની માન્યતા ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી જે, હિસાબી ધારાધોરણોની વિરુધ્ધ છે.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min3030

प्राइवेट बेंकों बेंको का कामकाज जारी रहेगा

सरकारी बैंकों (Public Sector Banks) के विलय और जमा राशि पर ब्याज दर घटने के विरोध में बैंक यूनियनों (Bank Unions) ने मंगलवार दि.22 अक्टुबर 2019 को हड़ताल का आह्वाहन किया है. हालांकि, अधिकारी और निजी क्षेत्र के बैंक हड़ताल में शामिल नहीं होंगे.

इस बेंकों के कामकाज पर हडताल का असर दिखेगा

  1. Andhra Bank
  2. Allahabad Bank
  3. Bank of India
  4. Bank of Baroda
  5. Bank of Maharashtra
  6. Corporation Bank
  7. Central Bank of India
  8. Canara Bank
  9. Dena Bank
  10. Indian Overseas Bank
  11. Indian Bank
  12. Oriental Bank of Commerce
  13. Punjab National Bank
  14. Punjab & Sind Bank
  15. Syndicate Bank
  16. State Bank of India
  17. United Bank of India
  18. Union Bank of India
  19. UCO Bank
  20. Vijaya Bank
  21. India Post Payments Bank

सार्वजनिक क्षेत्र के कई बैंकों के विलय और जमा राशि पर दरों में गिरावट के विरोध में यूनियनों ने एक दिन की हड़ताल पर जाने का फैसला किया है. हड़ताल का आह्वान आल इंडिया बैंक एम्पलाइज एसोसिएशन (AIEBEA) तथा बैंक एम्पलाइज फेडरेशन आफ इंडिया (BEFAI) ने किया है.

भारतीय स्टेट बैंक (SBI) सहित ज्यादातर बैंकों ने अपने ग्राहकों को हड़ताल और उसके प्रभाव के बारे में पहले ही सूचित कर दिया है.

October 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min3210

CM રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન ગયેલા GJEPC રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ મહત્વના MOU કર્યા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગોના હિત માટે સતત પ્રયાસો કરી રહેલા સૂરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન અને સ્થાનિક હીરા ઉદ્યોગ આગેવાન શ્રી દિનેશ નાવડીયા હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાથે ઉઝબેકિસ્તાન દેશની બિઝનેસ ટૂર પર છે.

ઉઝબેકીસ્તાનની ગોલ્ડ માઇન્સ તેમજ હીરાની લે-વેચ અંગે મહત્વના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા

ઉઝબેકિસ્તાનમાં આવેલી સોનાની ખાણ સાથે વિવિધ પાસાઓ પર ભવિષ્યમાં બેઝનેસ બ્રિજ બની શકે કે કેમ એ અંગેની શક્યતાઓ તપાસવા માટે એક મહત્વનો એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યો છે. જીજેઇપીસી રિજિયોનલ કાઉન્સિલ વતી શ્રી દિનેશ નાવડીયાએ આ ડીલ સાઇન કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા તેમજ સૂરતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઇ પટેલ તથા અન્ય ડેલિગેટ્સની યાદગાર તસ્વીર

ઉઝબેકિસ્તાન સ્થિત ગોલ્ડ માઇન્સ સાથે ભવિષ્યમાં કોઇ બિઝનેસ ડિલ સંભવ છે કે કેમ એ અંગે સ્ટડી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ આ શક્યતાઓ તપાસવા માટે ઉઝબેકિસ્તાનની મુલાકાત લે એ રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉઝબેકિસ્તાનની બિઝનેસ ટૂર ગયેલા સુરતના હીરા ઉદ્યોગપતિ અને હાલ જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન તરીકે ફરજ અદા કરી રહેલા શ્રી દિનેશ નાવડીયા

એવી જ રીતે ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા ડાયમંડ સપ્લાય મળી શકે કે કેમ એ અંગે પણ સમજૂતિ કરવામાં આવી રહી છે. એવી જ રીતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2019માં યોજાઇ રહેલા સ્પાર્કલ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પણ તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હોવાનું દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું.

October 19, 2019
relience.png
1min3610

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે ૧૮.૬ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૨૬૨ કરોડનો ચોખ્કો નપો નોંધાવ્યો છે, જે જુલાઇ-સપ્ટેમ્બરના પાછલા વર્ષના સમયગાળામાં રૂ. ૯૫૧૬ કરોડના સ્તરે હતો. કોન્સોલિડેટેડ રેવન્યૂ વધીને રૂ. ૧૬૩૮૫૪ કરોડના સ્તરે પહોંચી હતી. એ જ સાથે રિલાયન્સ જિઓએ બીજજા ક્વાર્ટરમાં ૪૫.૫ ટકાના વધારા સાથે રૂ. ૯૯૦ કરોડનો ચોખ્ખો નપો અન્ે ૩૩.૭ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૫૩૪ કરોડની ઓપરેટીંગ રેવન્યૂ નોંધાવી હતી.

દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ ૧.૭ ટકાનો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને ૯.૦૧ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા. ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી.

October 18, 2019
gjepc_logo.jpg
1min4160

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર, હૉંગકૉંગ ખાતે થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં વૅલ્યુ એડેડ ટૅક્સ (વેટ)નો અમલ થતાં આ વર્ષે દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં અંદાજે પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે વ્યક્ત કરી છે.

GJEP કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહ

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં અર્થાત્ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલુ રહેતાં અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થતાં કુલ નિકાસ ગત સાલના સમાનગાળાના ૧,૪૦,૧૫૮.૮૩ કરોડ સામે ૫.૭૦ ટકાથી ઘટીને ૧,૩૨,૧૭૦.૩૨ કરોડની સપાટીએ રહી હોવાનું કાઉન્સિલના વાઈસ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું.

વધુમાં હૉંગકૉંગ ખાતે ચીનના વિરોધમાં થઈ રહેલા દેખાવો અને મધ્ય પૂર્વના દેશોમાં જાન્યુઆરી ૨૦૧૮થી વેટનો અમલ થતાં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ પર વિપરીત અસર પડી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હાલનું આ વલણ જોતાં વર્તમાન નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત સાલની સરખામણીમાં પાંચથી દસ ટકા જેટલી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ સપ્ટેમ્બર ૨૦૧૮ના રૂ. ૨૫,૬૯૮.૬ કરોડ સામે ૭.૪૩ ટકાથી ઘટીને ૨૩,૭૮૮.૦૧ કરોડની સપાટીએ તેમ જ કટ અને પૉલિશ્ડ ડાયમંડની નિકાસ ૧૮.૮૭ ટકાથી ઘટીને રૂ. ૧૩,૮૭૪ કરોડ (રૂ. ૧૭,૧૦૧.૪૫ કરોડ)ની સપાટીએ રહી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આર્થિક મંદીનો સિનારિયો અને નબળી ગ્રાહકલક્ષી માગને ધ્યાનમાં લેતાં તહેવારોની મોસમમાં પણ માગ દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે.

October 16, 2019
CIA_SGCCI-1280x853.jpg
3min12200

સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.

RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.

આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં

  • રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
  • નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
  • નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
  • મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
  • રાકેશભાઇ ચૌધરી (પ્રતિભા ગ્રુપ) – રોદણાં રોવાનું બંધ કરીને ડેટા આધારીત રજૂઆતો
  • ભરતભાઇ ગાંધી – RCEP વન-વે છે એક વાર ઘૂસ્યા પછી નીકળવાનો કોઇ રસ્તો નથી
  • ગીરધરગોપાલ મુંદડાજી – ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની જરૂર શું
  • અશોકભાઇ જીરાવાલા – એક થઇને ઉંચા અવાજે લડીશું નહીં તો પતી જઇશું
  • આશિષભાઇ ગુજરાતી – જીએસટી આઇટીસીમાં વિવર્સ લડ્યા એમ લડવું પડશે
  • મયુરભાઇ ગોળવાલા – RCEP નો ડ્રાફ્ટ પહેલા મેળવો અને પછી લડત નક્કી કરો
  • હિંમતભાઇ પટેલ – સરવાળે નુકસાન કારક છે RCEP
  • હરીભાઇ કથિરીયા – ટેક્સટાઇલના તમામ ઘટકો એ એક થઇને લડવું જરૂરી
  • મનોજભાઇ અગરવાલ – ફોસ્ટા લડતમાં ખભે ખભા મિલાવીને સાથ આપશે
  • ધીરુભાઇ દેસાઇ – યુદ્ધ એ જ કલ્યાણ
  • બંદનાબેન ભટ્ટાચાર્ય – એગ્રેસિવ રિઝલ્ટ ઓરીએન્ટેડ લડત જરૂરી
  • બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
  • લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
  • હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
  • સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું

ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.

ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.

આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.

ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.


October 15, 2019
rcep.jpg
4min28510

(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.

RCEP એટલે શું

અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.

RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે

RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.

સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે

RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.

RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે

જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.

ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.

નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત

આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.

ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ

https://economictimes.indiatimes.com/news/economy/foreign-trade/pm-modi-to-take-a-call-on-all-pending-rcep-issues/articleshow/71589645.cms

સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી

સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.

RCEP in Brief

The Regional Comprehensive Economic Partnership (RCEP) is a proposed free trade agreement (FTA) between the ten member states of the Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).

RCEP negotiations were formally launched in November 2012 at the ASEAN Summit in Cambodia

the proposed RCEP would cover almost every aspect of economy such as goods, services, investment, economic and technical cooperation, intellectual property rights (IPR), rules of origin, competition and dispute settlement.