CIA ALERT

બિઝનેસ Archives - Page 42 of 76 - CIA Live

December 30, 2019
johnson.jpg
1min2960

નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી એ જોનસન એન્ડ જોનસનને ૨૩૦.૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મૂકવામાં આવેલા કાપનો યોગ્ય ફાયદો ગ્રાહકોને ન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોનસન એન્ડ જોનસને ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવાની ગણતરી ખોટી રીતે કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ કેટલીક વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો ન હતો.

જોનસન એન્ડ જોનસનને ત્રણ મહિનામાં દંડની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપની પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સ ન હોવાના કારણે કંપનીએ પોતાની રીતે ગણતરી કરી હતી. ઓથોરિટીએ જોકે કંપની પાસેથી મળેલી માહિતી અને આંકડાઓને અધૂરા હોવાનું જણાવીને આ દાવાને નકાર્યો હતો.

December 29, 2019
itc-1.jpg
1min3360

કેન્દ્ર સરકારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સમાં ફેરફારની જાહેરાત કરી છે અને જો ઇન્વોઇસ કે ડેબીટ નોટ ફાઈલીંગમાં રીફલેક્ટ ન થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટ 20% થી ઘટાડીને 10% કરી છે. આ ઘટાડો માન્ય ક્રેડિટને લાગુ પડશે. આની સાથોસાથ કમિશનર સુધીના સ્તરના અધિકારીઓને જો ક્રેડિટ ખોટી રીતે પ્રાપ્ત કરી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવાની સત્તા આપી છે. જીએસટી કાઉન્સીલે તેની 18 ડીસેમ્બરની બેઠકમાં કરચોરી અટકાવવા અને બનાવટી પગલાં ટાળવા માટે આ અંગેની દરખાસ્તો મંજૂર કરી હતી.

આ નવા નિયમ 1લી જાન્યુઆરી 2020થી અમલી બનશે. જો કમિશનરને વાજબીપણે લાગે કે ઇનપુટ ટેક્સની ક્રેડીટ ખોટી રીતે લેવામાં આવી છે તો કોઇ જાતની ડેબીટના ડીસ્ચાર્જની છૂટ નહીં આપે કે કોઇ જાતના રીફંડને મંજૂર નહીં કરે.


આ ઉપરાંત જે કરદાતાઓએ તેમના ફોર્મ જીએસટીઆર-1ને બે માસ માટે કે બે ક્વાર્ટર માટે ઇ-વે બીલ ફાઈલ નહીં કર્યા હોય તે બ્લોક કરી દેવામાં આવશે.

December 27, 2019
sg1.jpg
3min5410

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કેતન દેસાઇ અને દિનેશ નાવડીયાના નેતૃત્વવાળી વર્તમાન ટીમને આજરોજ તા.27મી ડિસેમ્બર 2019ના રોજ મોટી ઉપલબ્ધિ સાંપડી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની અપેક્ષા બહાર વડાપ્રધાન શ્રી મોદીએ તેમને ધીરગંભીરતાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો અને સૂરતની ચર્ચા કરી અને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ આપેલી માહિતી મુજબ આજે તા.27મી ડિસેમ્બરની સવારે 11.45 કલાકે તેઓ પી.એમ. હાઉસમાં કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા હતા. એ પછી વડાપ્રધાન શ્રી મોદીએ સૂરતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળને 20 મિનિટ સાંભળ્યા હતા. સૂરતના ઉદ્યોગો વતી થઇ રહેલી રજૂઆતોમાં પી.એમ.શ્રી મોદીએ કેટલાક સવાલો પણ કર્યા અને તેના સંતોષકારક ખુલાસા ચેમ્બરના પ્રતિનિધિમંડળે પણ કર્યા હતા. શ્રી મોદીએ સૂરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સાથે બિલકુલ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.

શ્રી મોદીનો રિસ્પોન્સ જોરદાર હતો એ વાતની પ્રતીતિ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનની મુલાકાત બાદ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી સોશ્યલ મિડીયા એક્ટિવિટી પરથી થઇ રહી હતી.

ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં આ લોકો સામેલ હતા

  • કેતન દેસાઇ પ્રેસિડેન્ટ
  • દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ
  • હેતલ મહેતા ઇમિડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ
  • પરેશભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ
  • શૈલેષ દેસાઇ
  • દેવેશ પટેલ, એક્ઝિબિશન કમિટી કન્વીનર
  • ધિરેન થરનારી
  • અતુલ પાઠક
  • મૃણાલ શુક્લ
  • રાકેશ જૈન
  • હેમંત દેસાઇ
  • અમિત શાહ

નીચેનું લખાણ ચેમ્બરની ફેસબુક પોસ્ટ પરથી લેવાયેલું છે.

આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઈના નેજા હેઠળ ૧૨ જણાના પ્રતિનિધિ મંડળ કે જેમાં અન્ય હોદેદારો, ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્બરના વિવિધ સેલ હેડે નવી દીલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત અને સાઉથ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં એરપોર્ટ, કાર્ગો, હજીરા પોર્ટ અને તેની સાથે રેલ્વેની કનેક્ટિવિટી તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ.એસ.એમ.ઈ, ફૂડ અને એગ્રિકલ્ચરના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચેમ્બરની વિવિધ પ્રવુત્તિ ઉપર ચર્ચા કરી ચેમ્બરમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

સાંસદોની ગેરહાજરીમાં પી.એમ. મોદીએ ચેમ્બરના પ્રતિનિધિઓને સાંભળ્યા

જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સૂરતના કોઇ ઉદ્યોગપતિઓ ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વડાપ્રધાન, નાણા પ્રધાન કે અન્ય કોઇ મંત્રીઓ કે અધિકારીઓને મળવા, રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે દર્શના જરદોષ કે સી.આર. પાટીલ અવશ્ય હોય જ. આ એક ટ્રેડિશન કહો કે ટ્રેન્ડ સેટ થઇ ગયો હતો. સાંસદ વગર સૂરતના કોઇ મોટા માથા પી.એમ.ને મળી જ ન શકે તેવી સિસ્ટમ જાણે ગોઠવાય ગઇ હતી. એ આજે તૂટી હોવાનો આભાસ થયો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે પી.એમ. શ્રી મોદીની વીસ મિનિટ સુધીની ચર્ચામાં ક્યાંય દર્શના જરદોષ કે સી.આર. પાટીલ પીક્ચરમાં દેખાયા કે ચર્ચાયા ન હતા.

ચેમ્બર ઓફ કોમર્સની સત્તાવાર અખબારી યાદી

ચેમ્બરની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરની વધુ સવલતો આપવા રજૂઆત સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.

ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત….

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.

એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.

ડાયમંડ ક્ષેત્રે રજૂઆત….

ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત….

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિવિધ ક્ષેત્રે રજૂઆત….

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા….

ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.

વડાપ્રધાનશ્રીને ચેમ્બરનું આમંત્રણ….

ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

December 27, 2019
nogst.jpg
1min2650

સેન્ટ્રલ જીએસટી વિંગ દ્વારા બોગસ બિલિંગ મામલે 20થી વધુ કંપનીઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 600 કરોડથી વધુનાં બોગસ બિલિંગ કૌભાંડના કેસો સામે આવ્યા છે. કાગળ ઉપર જ એક્સ્પોર્ટ કર્યાનું બતાવી ડ્રો બેકનો લાભ લેવા ઉપરાંત, બોગસ બિલિંગ કરનારા આ કૌભાંડમાં સંડોવાયેલા ગુલામ સલીમ ગોડીલે સમગ્ર કૌભાંડની કબૂલાત કરતા સીજીએસટીએ ધરપકડ કરી છે.

કૌભાંડીઓએ સસ્તુ કાપડ ખરીદીને તેને ઉંચા ભાવે બતાવીને વિદેશ મોકલવા ઉપરાંત કાગળ પર જ માલ મોકલીને આઇજીએસટીમાં કરોડો રૂપિયાની ખોટી રીતે આઇટીસી લીધી હતી. બોગસ બિલિંગની આશંકા હેઠળ છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તપાસમાં સ્ટાર ટ્રેડિંગ કંપનીએ જ રૂ. 133 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સીજીએસટીની ટીમે અલગ અલગ 20 જગ્યાઓ પર દરોડા પાડયા હતા. આ દરોડામાં સ્ટાર ટ્રેડિંગ દ્વારા જ સમગ્ર વેપલો કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ જીએસટી વિભાગે બ્લ્યૂમૂન ટેક્સ્ટાઇલ, ક્લાસિક ઇન્ડસ્ટ્રિઝ અને એફ.એસ. ટેક્સ્ટાઇલમાંથી બોગસ ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ પકડાયા હતા. જેમાં કંપનીઓ સાથેનો વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની  કામગીરી હાથ  ધરવામાં આવી છે. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટરપ્રાઇઝ પર તપાસ કરવામાં આવી હતી.

જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી. તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટની વસૂલાતમાં રૂ. 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હેવાનો મામલો સામે આવ્યો છે. આ અગાઉ પણ જયંશકર દુબેએ 1 હજાર કરોડથી વધુના બોગસ બિલ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

December 26, 2019
npa.jpg
1min3110

સાત વર્ષ સુધી વધતી રહ્યા બાદ એનપીએ ઘટતી જતી હોવાનુ જોવા મળ્યાનું બેન્કો જણાવે છે. સાનુરૂપ નીતિવિષયક માહોલ અને ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડ (આઈબીસી) આમાં મદદરૂપ થયાનું રીઝર્વ બેન્કે દેશમાં બેન્કિંગના વહેણ અને પ્રગતિ વિશેના તેના રિપોર્ટમાં જણાવ્યું છે. આ ગતિવિધિએ આર્થિક સેકટરમાં અને બેડ લોન્સની સમસ્યા સાથે ઝઝૂમતા નીતિઘડવૈયાઓમાં કંઈક ખુશાલી ફેલાવી છે.

શાખમાંની વૃદ્ધિ ય દબાયેલી રહેવા પામી છે, જ્યારે સહકારી બેન્કોનું સ્વાસ્થ્ય પણ કથળતું રહેવાનું ચાલુ રહ્યું છે તેમાં પીએમસી બેન્કની કટોકટી ધ્યાનાર્હ રહી છે. કુલ એનપીએ માર્ચ ’18માં 11.2 ટકા રહેલી તે ઘટીને માર્ચ ’19માં 9.1 ટકા રહી હતી.

સ્લીપેજ’ ગુણોત્તરનો ઘટાડો અને બાકી કુલ એનપીએનો ઘટાડો કુલ એનપીએ ગુણોત્તર સુધારવામાં મદદરૂપ થયા છે. જ્યારે માંડવાળનો કેટલોક હિસ્સો લોનો ઘણી જૂની થવાના કારણે છે, જ્યારે રીકવરીને આઈબીસીમાંથી પુષ્ટી મળી છે.

રીપોર્ટમાં દર્શાવાયુ છે કે તમામ બેન્ક જૂથોએ એસેટ કવોલિટીમાં સુધારો થયાનું નોધ્યુ છે. તેમાંય જાહેર ક્ષેત્રની બેન્કોને કુલ એનપીએ અને ચોખ્ખા એનપીએ -બેઉના ગુણોત્તર નીચા ગયાનો અનુભવ થયો છે.

’18-’19 દરમિયાન સ્ટ્રેસ્ડ એસેટ્સની રીકવરીમાં સુધારો જોવા મળ્યો છે તે મુખ્યત્વે આઈબીસી હેઠળના ઉકેલના કારણે છે, રીકવર થયેલી કુલ રકમમાંથી અર્ધી તેના કારણે છે. જો કે ઉકેલના મોટા માળખા (લોક અદાલત સિવાય) દ્વારા મેળવાતા રીકવરી દરો ’18-’19માં ઘટયા છે.

December 20, 2019
it_industry.jpg
1min2920

આઈટી ઉદ્યોગમાં અને બેંગ્લૂરુમાં કર્મચારીઓને સૌથી વધુ પગાર મળે છે તેવું એક અહેવાલ જણાવે છે. બેંગ્લૂરુમાં જુનિયર લેવલ કર્મચારીનો સીટીસી (કોસ્ટ ટૂ કંપની – વાર્ષિક પગાર) ૫.૨૭ લાખ રૂપિયા, મિડ-લેવલ કર્મચારીને ૧૬.૪૫ લાખ રૂપિયા, અને સિનિયર લેવલ કર્મચારીને ૩૫.૪૫ લાખ રૂપિયા પગાર મળે છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ સૌથી વધુ પગાર મળે તેવા શહેરોમાં બેંગ્લૂરુ જ પ્રથમ ક્રમે હતું.

જુનિયર લેવલ પર હૈદ્રાબાદમાં પાંચ લાખ, મુંબઈમાં ૪.૫૯ લાખ રૂપિયાના પગાર સાથે બંને શહેરે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. મિડ-લેવલ કર્મચારીને મુંબઈમાં ૧૫.૦ લાખ રૂપિયા, નેશનલ કેપિટલ રિજિયનમાં ૧૪.૫૦ લાખ રૂપિયા સાથેે બંને શહેરને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મળ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓને મુંબઈમાં ૩૩.૯૫ લાખ રૂપિયા અને પુનેમાં ૩૨.૬૮ લાખ રૂપિયાના વાર્ષિક પગાર સાથે બંને શહેર બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતાં.

જુનિયર લેવલ કર્મચારીઓને ૪.૯૬ લાખ રૂપિયા પગાર અને સિનિયર લેવલ કર્મચારીઓ માટે ૩૫.૮૪ લાખ રૂપિયા પગાર સાથે આઈટી ઉદ્યોગ સૌથી ટોચ પર રહ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓમાં ડિજિટલ માર્કેટર્સને સૌથી વધુ પગાર આપવામાં આવે છે તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ડિજિટલ માર્કેટર્સને ૩૫.૬૫ લાખ રૂપિયા પગાર મળ્યો હતો.

December 19, 2019
GST.jpg
1min2910

જીએસટી કાઉન્સીલની આજે મળેલી 38મી બેઠકમાં પહેલીવાર કોઈ નિર્ણય કરવા માટે મતદાનનો આશરો લેવો પડયો હતો. લોટરી ઉપર જીએસટીનો એક જ દર રાખવા માટે સમિતિમાં મતદાન કરાવવું પડયું હતું કારણ કે આ મુદ્દે રાજ્યો એકમત થઈ રહ્યા નહોતાં. આખરે બહુમતથી લોટરી ઉપર એકસમાન 28 ટકા ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય થયો હતો.

18 December નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. અત્યાર સુધી મળેલી 37 બેઠકોમાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા રહ્યા છે પણ લોટરીનાં કિસ્સામાં મતદાન કરાવવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી ઉપર અત્યારે 12 ટકા જીએટી લાગે છે. જ્યારે તેમનાં દ્વારા અધિકૃત અને રાજ્ય બહાર વેચાતી લોટરી ઉપર 28 ટકા ટેક્સ લાગે છે. તેનાં સ્થાને હવે બહુમતીથી તમામ લોટરી ઉપર 28 ટકા જીએસટી લાગુ થશે.

આ ઉપરાંત આજની બેઠકમાં વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી રિટર્ન ફાઈલિંગની મુદ્દત 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 જાન્યુઆરી 2020 કરવામાં આવી છે. આ સિવાય ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે ઔદ્યોગિક પ્લોટની લાંબાગાળાની લીઝને પણ જીએસટી સમિતિએ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જમીન લીઝનાં જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.

કાઉન્સીલ સમક્ષ કર વસૂલાત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમાં કરવેરાનાં દર વધારવા સંબંધિત કોઈ નિર્ણય લેવાયો નથી. જીએસટીઆર-1 ફાઈલ નહીં કરવાનાં દંડમાં રાહત અપાઈ છે. હાથ વણાટનાં અને નોનવૂવન થેલા ઉપર એકસમાન 18 ટકા જીએસટી લાગુ થશે. ઈનવોઈસ અપલોડ ન કર્યુ હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉનાં 20 ટકાનાં સ્થાને 10 ટકા સુધી સીમિત રાખવામાં આવશે.

December 19, 2019
veg.jpg
1min3240

ગુજરાતમાં ડુંગળીના કિલોના ભાવ રૂ. ૧૨૦ ની ઉપર અને બટાટાના ભાવ પણ કિલોએ રૂ. ૪૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે જ્યારે દૂધમાં થોડા દિવસો પહેલા જ અમૂલે લિટરે રૂ. બે નો વધારો ઝીંક્યા પછી સિંગતેલના ભાવમાં પણ એક મહિનામાં એક ડબાના રૂ. ૧૪૦ નો વધારો થયો છે. શાકભાજી અને જીવન જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે ભોજનની થાળી દોહ્યલી બની રહી છે.

અમદાવાદમાં બટાટાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.૪૦ સુધી પહોંચી ગયો છે. બટાટાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૧૮ છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાટા કિલો રૂ.૨૬ના ભાવે વેચાય છે. બટાટાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. ૧૨૦ પ્રતિકિલો થઈ ગયા છે. હવે તેલોનાં ભાવમાં પણ મસમોટો વધારો થયો છે. સિંગતેલ, મકાઈ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતનાં તેલોની કિંમતોમાં વધારો થતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સિંગતેલનાં ભાવોમાં ભડકો થયો છે. એક જ મહિનામાં સિંગતેલનાં ભાવમાં ૧૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલનાં એક ડબ્બાનો ભાવ ૧૮૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે. અને આગામી સમયમાં ૨૦૦૦ સુધી પહોંચશે તેવું જાણકારો કહી રહ્યા છે.

December 19, 2019
cyrus.jpg
1min3220

ધ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)એ બુધવારે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. એન. ચંદ્રશેખરની ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી તેને એનસીએલટીએ ગેરકાયદેસર ગણાવી

હતી. આ ચુકાદા સામે તાતા સન્સ અપીલમાં જઈ શકે તે માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી મિસ્ત્રીને ચેરમેનપદે પુન:સ્થાપિત કરવાનો અમલ મુલતવી રહેશે.

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ ટ્રિબ્યૂનલના જજમેન્ટને પોતાનો અંગત વિજય નહીં પણ માઇનોરિટી શેરહોલ્ડર્સના વિજય તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટાટા ગ્રુપની લાંબાગાળાની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનો આ સમય છે.

તાતા જૂથને સંસ્થા તરીકે સમૃદ્ધ કરવા અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, તાતા જૂથના કર્મચારીઓ સહિતના તમામ હિતધારકોના હક્કોનું રક્ષણ થઇ શકે તેવી રીતે કંપનીઓના મેનેજમેન્ટ, બોર્ડ, તાતા સન્સનું મેનેજમેન્ટ, તાતા સન્સનું બોર્ડ તાતા સન્સના શેરહોલ્ડર્સ મજબૂત ગવર્નન્સ ફ્રેમવર્ક ધરાવી સુમેળપૂર્વક ખભેખભા મિલાવીને કામ કરવાની આવશ્યકતા છે તેવું તેમણે કહ્યું હતું.

પબ્લિક ફર્મમાંથી ટાટા સન્સને ખાનગી કંપનીમાં બદલવાના પગલાંને પણ એનસીએલએટીએ રદ કર્યું હતું. મિસ્ત્રી સામે કોઈ પગલા ન ભરવા ટાટા સન્સને એનસીએલએટીએ નિર્દેશ આપ્યા હતા. સાયરસ મિસ્ત્રી ડિસેમ્બર, ૨૦૧૨માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રતન તાતાના અનુગામી બન્યા હતા. ઑક્ટોબર, ૨૦૧૬માં તેમને અચાનક જ ચેરમેનપદેથી હટાવાયા હતા. મિસ્ત્રીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની મુંબઈ બેંચ સમક્ષ તેમને પદ પરથી હટાવવાના પગલાંને પડકારી હતી. તેમાં સફળતા ન મળતા તેમણે એનસીએલએટીમાં અપીલ કરી હતી.

December 16, 2019
neft.jpg
4min5190

એવા ન્યુઝ જે તમારા નોલેજમાં હોવા જરૂરી છે

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFT એનઈએફટી મારફતે કરતા લોકો માટે આજરોજ તા. 16 ડિસેમ્બર 2019થી મહત્ત્વની સુવિધા શરૂ થઇ છે. જેમાં NEFT એનઈએફટી સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક મળી રહેશે. આ અગાઉ NEFT એનઈએફટી સુવિધા 24 કલાક મળતી ન હતી.

‘ NEFT એનઈએફટી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એક પ્રકાર છે. જેમાં લોકો એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય દિવસોમાં NEFT એનઈએફટી’ સુવિધા સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી તેમજ પહેલા અને ત્રીજા શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે’ એક વાગ્યા સુધી સક્રિય રહેતી હતી. જો કે હવે સાત દિવસ અને 24 કલાક સુવિધા મળી શકશે.

What is NEFT?

National Electronic Funds Transfer (NEFT) is an Indian system of electronic transfer of money from one bank to another. It was introduced by Reserve Bank of India. It is an electronic fund transfer system that is based on Deferred Net Settlement (DNS) which settles transaction in batches.

NEFT transfers have now been divided into half-hourly batches with the settlement of the first batch starting after 12:30 am (after midnight) and the last batch ending at midnight. This NEFT timing cycle will function round-the-clock.

Since the settlement of the last NEFT payment batch ends at midnight, you might not be able to make a transaction after 11:30 pm till the beginning of the next batch at 12:30 am the next day.

NEFT charges:

Most banks like the State Bank of India (SBI), ICICI Bank and HDFC Bank do not charge anything for online NEFT transfers. In July, the RBI had waived off all charges on fund transfer through NEFT and RTGS and had also asked banks to pass on the benefits to customers. The RBI has also proposed to mandate banks to make all online NEFT transactions free for savings bank account customers from January 2020.

NEFT limits:

There is no minimum limit for NEFT transfer but it is generally used for fund transfers of up to ₹2 lakh. For high-value transactions, RTGS is used. The maximum NEFT limits vary from bank to bank and also depend on the customer category. For example, ICICI Bank allows NEFT transfers up to ₹10 lakh for most customers but for others, it may allow NEFT transactions up to ₹25 lakh. HDFC Bank, too, has a ₹25 lakh limit for online NEFT transactions.

SBI has a ₹10 lakh limit for retail customers.