CIA ALERT

Alert Archives - Page 35 of 443 - CIA Live

July 8, 2022
national_games.jpg
1min331

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.

છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું. 

ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે. 

ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો. 

આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.  

છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી. 

ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

July 7, 2022
boris.jpeg
1min283

અનેક અટકળો અને રાજીનામાના દોર વચ્ચે 7મી જુલાઇ 2022ના રોજ બપોરે બે કલાકે (ભારતીય સમય અનુસાર) મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સન ટૂંક સમયમં પોતાના પદેથી  રાજીનામું આપશે.

રોઈટર્સના અહેવાલ અનુસાર તા.7 જુલાઇ 2022ની મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન રાજીનામું આપી શકે છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.

બે મહિનામાં બીજી વખત સરકાર પર કાળા વાદળો છવાયા બાદ હવે સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા હવે અંતે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી.

નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

Reported Earlier

UKમાં ઉથલપાથલ: 39 મંત્રીઓએ રાજીનામાં: જોનસન પર પદ છોડવાનું દબાણ

બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે સંકટના વાદળ છવાયા છે. છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે. છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક અને સાજિદ જાવિદે સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે. એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.

આરોગ્ય મંત્રી સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી. નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. ત્યાં આગળ શું થશે? શું બોરિસને ખુરશી છોડવા માટે મજબૂર કરી શકાશે? અને જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?

બોરિસ જોનસનનું શું થશે?

પાર્ટીગત મામલે છેલ્લા મહીને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહીના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય. આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે, 12 મહીનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે. કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે. આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે. આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે. 

જોનસોન પાસે હવે આ ઓપ્શન છે

આવી સ્થિતિમાં બોરિસ જોનસન પાસે 3 ઓપ્શન છે.

1. જોનસન જ નિર્ણય કરશે કે, તેમણે રાજીનામું આપવું કે નહીં. અનેક મંત્રીઓએ તેમના પણ દબાણ વધાર્યું છે પરંતુ તેમણે હજું સુધી કોઈ નિર્ણય નથી કર્યો.

2. કેટલાક વધુ મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ અને જોનસનને ખુરશી છોડવાની માંગ કરવી જોઈએ. અહેવાલ પ્રમાણે ટૂંક સમયમાં કેટલાક વધુ મંત્રીઓ કેબિનેટ છોડશે.

3. પાર્ટીના 12 મહીનાન ઈમ્યુનિટિ વાળા નિયમને બદલવામાં આવે જેના વિશે અનેક મંત્રીઓએ સૂચન કર્યું છે.

July 6, 2022
rotary-1280x910.jpg
3min369

May be an image of 6 people, people standing and text that says 'Rotary District 3060 ROTARY CLUB OF SURAT EAST Club ID- 52203 Charter Date 02.06.1999 organised INSTALL ON C ONY aing... Rtn. Chir Club luly eB Rtn. Su 9.00pm Varactsb Vijav Mang'

ગઇ તા.3 જુલાઇના રોજ સામાજિક ક્ષેત્ર સેવાકીય કાર્ય કરતી સુરતની અગ્રેસર સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટની વાર્ષિક સભામાં આગામી વર્ષ 22-23ના નવનિયુક્ત પદાધિકારીઓની ઇન્સ્ટોલેશન સેરેમની યોજવામાં આવી હતી. રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટના આ 24મા પદ ગ્રહણ સમારોહ -પ્રસ્થાનમાં પ્રેસિડેન્ટ તરીકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના કુશળ સંચાલક શ્રી રોટેરીયન મહેશ રામાણીએ સમાજને કંઇક નોખું પ્રદાન કરવાની નેમ સાથે ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી તરીકે રો. ચિંતન પટેલ અને તેના બોર્ડ મેમ્બરની પણ નિયુક્તિ થઇ હતી. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં મુખ્ય મેહમાન તરીકે શ્રી દેવાંગ ઠાકોર (PDG, RI Dist. 3060), એમ. કે ગ્રુપ માંથી મનજીભાઈ પટેલ, હરિકૃષ્ણ એક્સપોર્ટના શ્રી હિમ્મતભાઈ ધોળકિયા, કલામંદિર જ્વેલર્સના મિલનભાઈ શાહ, જીજેઇપીસીના દિનેશભાઇ નાવડીયા, વરાછા બેંકના કાનજીભાઈ ભાલાળા તથા સમાજ શ્રેષ્ઠીઓ અને રોટરીના મેમ્બર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

May be an image of 5 people, people standing and text that says 'Rotary District Di3060 3060 IMAGINE ROTARY ROTARY CLUB OF SURAT EAST Club ID 52203 Charter Date 02.06.1999 1999 organised INSTALLATION CEREM शान Rtn. Mahesh Ram Club President uly Venue lay Rtn. Chintan Patel Club Secretary Project Ch Ma Ipm chha Surat. Sa) Mangukiya'
May be an image of 7 people and people standing
May be an image of 15 people and people standing
July 6, 2022
rainingujarat-1.jpg
4min302

મેઘરાજાની તોફાની બેટિંગ: ગીરનારમાં 7, કલ્યાણપુરમાં 6 ઈંચ

– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.

Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

દ્વારકા, જામખંભાળીયા:’

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.

દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.

આમરણ:

આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.

માણાવદર:

માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.

અમરેલી:

Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો.
તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.

જૂનાગઢ:’

પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.

શેરગઢ :

કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

પોરબંદર :

અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.

ગોંડલ :

ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

વાંકાનેર :

આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.

સુરત :

સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.

કલાણા :

અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.

મોરબી:

મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મેંદરડા :

મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.

દામનગર :

બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.

કોટડાસાંગાણી :

કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.

ગઢડા :

ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.

ભાવનગર :

ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.

બાબરા :

બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.

ધ્રોલ :

ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

ભાટિયા :

ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.

પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.

July 3, 2022
subcidy.jpg
1min228

કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા સહિતની ૩૦૦ જેટલી સરકારી યોજનાના કામના વેતનની શ્રમિકોને કરાતી ચૂકવણી તેમના સહકારી બેન્કોના ખાતામાં પણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની ૨૩૦ પ્લસ  સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. ગુજરાતની ૧૭ જિલ્લા સહકારી બેન્કો અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કને પણ તેનો ફાયદો મળશે. અત્યાર સુધી  રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો મારફતે જ કેન્દ્ર સરકારની સબસિડીની કે પછી અન્ય યોજનાઓ થકી મળતા ખેડૂતો અને શ્રમિકોને મળતા લાભના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે.

ખેડૂતોને સબસિડીના નાણાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જ અપાય છે. આ રીતે કેન્દ્ર સરકારની જુદી જુદી ૩૦૦ યોજનાના નાણાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની સ્કીમ હેઠળ સીધા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફરકરવામાં આવે છે. મનરેગા જેવી યોજનાના મહેનતાણાના નાણાં પણ સહકારી બેન્કોના ખાતામાં જમા થઈ શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્દેશ આપ્યો છે. આ યોજનાને સહકારી બેન્કો સાથે જોડી દઈને સહકારી બેન્કો અને પ્રજા વચ્ચેનો નાતો વધુ સંગીન બનાવવાની નેમથી આ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા આ પગલાંને પરિણામે સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં ખાસ્સો વધારો થશે. અમિત શાહની પ્રસ્તુત જાહેરાત અંગે વાત કરતાં ખેતી બેન્કના ચેરમેન ડૉલર કોટેચાએ જણાવ્યું હતું કે આ આયોજનના અમલીકરણ થકી સહકારી બેન્કો સમાજના નાના વર્ગના ખાતેદારોની સારી સેવા કરી શકશે. સમાજના નાનામાં નાના વર્ગના નાગરિકનો સહકારી બેન્કોમાંનો વિશ્વાસ વધુ બુલંદ બનશે. સહકારી બેન્કોના ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં સહકારી બેન્કના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પરિણામે સહકારી બેન્કોમાં ખાતાની સંખ્યા વધી જશે. તેમના ખાતામાં જમા થનારા નાણાંઓને કારણે સહકારી બેન્કોની થાપણોમાં અને ખાસ કરીને ઓછા વ્યાજની થાપણોમાં વધારો થશે.

તેનાથી થનારા લાભની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેન્કોને મળનારી વધારાની થાપણનો ઉપયોગ કરીને બેન્કો વધારાનું ધિરાણ કરીને નફો પણ વધારી શકશે. પરિણામે સહકારી બેન્કોની આવક  અને આર્થિક તન્દુરસ્તીમાં સુધારો થશે.

June 25, 2022
maharashtra_crises.jpg
1min269

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા. 

Maharashtra Political Crisis Live Updates, MVA Maharashtra Government  Latest News: Curfew in Mumbai, Thane, Eknath Shinde Camp Names Itself Shiv  Sena Balasaheb

અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.

ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે. 

શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે. 

June 25, 2022
fmcg.jpg
1min280

અનાજના ભાવોમાં વધારાને કારણે એફએમસીજી કંપનીઓનો પડતર ખર્ચ વધી ગયો છે તે એક હકીકત છે. ખાસ કરીને ઘઉં, ચોખા, દાળ અને ખાદ્યતેલોના ભાવવધારાની સીધી અસર આ કંપનીઓ પર પડી હતી. આટલું ઓછું હોય તેમ મોંઘાં ડીઝલે માલના પરિવહનને પણ મોંઘું બનાવતાં અનેક કંપનીઓએ પોતાનાં ઉત્પાદનોમાં ભાવવધારો કર્યો હતો.
જો કે, કંપનીઓ એક હદથી વધુ ભાવવધારો કરે તો તેમને ગ્રાહકો ગુમાવવાનો ભય હોવાથી ચતુરાઈપૂર્વક રસ્તો કાઢવામાં આવ્યો હતો, જેમાં એક તરફ શરૂઆતમાં કંપનીઓએ પોતાનાં ઉત્પાદનની કિંમતો થોડી વધારી અને તે પછી ઉત્પાદનના વજનમાં ઘટાડો કરી દીધો હતો.

આ બાબતના ઉદાહરણ તરીકે થમ્સઅપ અને કોકાકોલાએ તેમની નાની બોટલની માત્રાને 250 એમએલથી ઘટાડીને 200 એમએલ કરી નાખી તો 10 રૂપિયાના 140 ગ્રામના પારલે-જી બિસ્કિટનું વજન હવે ઘટીને માત્ર 110 ગ્રામ રહી ગયું છે.’ વિમ બારનું વજન 65 ગ્રામમાંથી 60 ગ્રામ,’ 115 ગ્રામના વ્હીલ ડિટર્જન્ટ પેકેટનું વજન હવે 110 ગ્રામ થઈ ગયું છે.

June 25, 2022
gun_cultur-copy.jpg
1min240
અમેરિકન સેનેટમાં ઐતિહાસિક ગન કંટ્રોલ બિલ પસાર થયું, ૬૫ સેનેટર્સનું સમર્થનમાં મતદાન
બિલને ૫૦ ડેમોક્રેટિક સેનેટર્સ અને ૧૫ રિપબ્લિકનનું સમર્થન મળ્યું
૧૦૦ સેનેટર્સ ધરાવતા અમેરિકન સંસદના ઉપલા ગૃહમાં બિલને પસાર કરવા માટે ૬૦ સેનેટર્સનો ટેકો જરૂરી હતો, ૩૩ સેનેટર્સે વિરોધ નોંધાવ્યો

અમેરિકામાં ગન કંટ્રોલના ઐતિહાસિક બિલને સેનેટની મંજૂરી મળી ગઈ હતી. અમેરિકન સંસદના ઉપલાગૃહમાં બિલ રજૂ થયું હતું. ૬૫ સેનેટર્સના સમર્થનથી બિલ મંજૂર થયું હતું. અગાઉ અમેરિકાના નીચલા ગૃહમાં બિલ મંજૂર થયું હતું. થોડા સમય પહેલાં અમેરિકન સેનેટમાં જે બિલ મંજૂર થાય તેની કલ્પના પણ શક્ય ન હતી, એ બિલને ૧૦૦માંથી ૬૫ સેનેટર્સે સમર્થન આપ્યું હતું.


અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં અગાઉ ગન કંટ્રોલ બિલ પસાર થયું હતું. એમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી હોવાથી બિલ પસાર થઈ ગયું હતું, પરંતુ એ બિલ ઉપલા ગૃહમાં – જ્યાં સત્તાધારી ડેમોક્રેટિક અને વિપક્ષ રિપબ્લિકન પાર્ટીનું સંખ્યાબળ એકસરખું છે – ત્યાં બિલને પસાર કરવાનું અશક્ય લાગતું હતું. લોકોએ ગન કંટ્રોલ બિલ લાવવા દેખાવો કર્યા હતા અને સાંસદો, સેનેટર્સ પર દબાણ વધાર્યું હતું. અમેરિકામાં સતત વધતી જતી ફાયરિંગની ઘટનાઓ બાદ આખરે અમેરિકન સેનેટમાં પણ ગન કંટ્રોલ બિલને મંજૂરી મળી ગઈ હતી.


સેનેટમાં ૧૦૦ સભ્યોમાંથી ૬૫ સભ્યોએ બિલને સમર્થન આપ્યું હતું. એમાં ૫૦ ડેમોક્રેટિક સાંસદો ઉપરાંત ૧૫ રિપબ્લિકન સાંસદોએ પણ બિલને સમર્થન આપ્યું હતું. ૩૩ સભ્યોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બિલને મંજૂર કરવા માટે ૬૦ સભ્યોના સમર્થનની જરૃર હતી. એના કરતાં પાંચ વધુ મતો મળ્યા હતા. જોકે, ડેમોક્રેટિક પાર્ટી જેવું મજબૂત બિલ લાવવા માગે છે એવી બધી જ બાબતો એમાં નથી, છતાં આ ગન કંટ્રોલના કાયદાથી ગન ખરીદવાનું કડક બનશે. ગન ખરીદવાની વયમાં પણ ફેરફાર થયો છે. જાહેરમાં ફાયરિંગ કરવાનું હવે અમેરિકામાં પ્રતિબંધિત થઈ જશે.
જોકે, હજુ આ બિલ અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ થશે. ઉપલા હાઉસ અને નીચલા હાઉસના પ્રતિનિધિઓની બનેલી અમેરિકન કોંગ્રેસ તેને મંજૂરી આપશે પછી બિલ પ્રમુખ જો બાઈડન સમક્ષ હસ્તાક્ષર માટે જશે. જો બાઈડનના હસ્તાક્ષર થઈ જશે તે સાથે જ ગન કંટ્રોલ બિલ કાયદો બની જશે અને તુરંત અમેરિકામાં લાગુ પડી જશે. ૧૩ અબજ ડોલરનું ફંડ ફાળવાશે. ઓછી વયની વ્યક્તિને ગનનું લાઈસન્સ આપતા પહેલાં તેની પોલીસ તપાસ થશે. તે ઉપરાંત ખૂંખાર લોકોના લાયસન્સ રદ્ કરાશે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા નાગરિકોને ગનની મંજૂરી મળશે નહીં. આવી જોગવાઈઓ બિલમાં થઈ છે.

ઉપલા ગૃહમાં આ બિલ પસાર થઈ ગયું તેને અમેરિકન મીડિયાએ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. બે સપ્તાહ સુધી સેનેટમાં ચર્ચા થયા બાદ રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ બિલમાં થોડાંક ફેરફાર સાથે સહમતી આપવાની તૈયારી બતાવી હતી. હિંસા સામે છેલ્લાં ઘણાં દશકા  પછી આવો મજબૂત નિર્ણય લેવાયો છે. અમેરિકામાં તેની દૂરગામી અસરો પડશે. અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં પણ આ મુદ્દો પ્રભાવી બની શકે છે. તે ઉપરાંત નવેમ્બરમાં થનારી સેનેટની ચૂંટણીમાં પણ તેની અસર થાય એવી શક્યતા છે.

રિપબ્લિન પાર્ટી શરૃઆતથી જ ગન કંટ્રોલના કાયદાની વિરૃદ્ધમાં છે. પાર્ટીની મૂળભૂત પોલિસી જ આત્મરક્ષણ માટે ગન રાખવાની તરફેણની રહી છે. સેનેટના બહુમતી લીડર ચૂક શુમરે કહ્યું હતું કે ફાયરિંગની ઘટનાઓ રોકવા માટેનો આ અક્સિર ઈલાજ નથી, પરંતુ તેનાથી ફાયદો ચોક્કસ થશે. સેનેટર્સે શાળામાં સુરક્ષા પ્રોજેક્ટ્સ શરૃ કરવા ઉપરાંત મેન્ટલ હેલ્થના કાર્યક્રમો માટે પણ ફંડ ફાળવવા અને નવી યોજનાઓ લોંચ કરવાની ભલામણ કરી  છે.

June 24, 2022
agniveer.jpg
1min359

ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે 24 જૂન 2022થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ 24 જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.

19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી. 

– 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જોગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ 2022 માટે ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.

– સાડા ​​સત્તર વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી 25 ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.

– પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે. આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના 25 ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે.

– વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરને 30 દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર નિર્ભર કરશે. 

– અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.

– આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય 25 જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ 21 નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે. 

– લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી.

– લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.

June 24, 2022
Cia_business_news-1280x936.jpg
1min270

– સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના વિકલ્પે બીજો કાયદો આવશે: SEZના એકમોને સ્થાનિક ઉત્પાદકોને પેટા કોન્ટ્રાક્ટ પર કાચો માલ આપવાની પણ છૂટ આપવામાં આવશે

કાચો માલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પણ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન નવા સૂચિત મુસદ્દાના માધ્યમથી કરવાનું આયોજન

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સક્રિય એકમોને સ્થાનિક બજારમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવાની છૂટછાટ આપતો નવો ખરડો લાવવા માટેનો સૂચિત મુસદ્દો આજે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધો છે. હા, તે માટે એસઈઝેડના એકમોએ કલમ ૫૧માં કરવામાં આવેલી જોગવઆી મુજબ ફિનિશ્ડ ગુડ્સમાં વપરાયેલા કાચા માલ પર ભરવાની બાકી રહી ગયેલી ઇમ્પોર્ટ ડયૂટી ભરવાની વ્યવસ્થા કરવાની રહેશે. એસઈઝેડની બહારના એકમોને તેઓ તેમનો કાચો માલ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પણ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન નવા સૂચિત મુસદ્દાના માધ્યમથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યારે અમલમાં કાયદાકીય જોગવાઈ મુજબ એસઈઝેડની બહારના એટલે કે ડોમેસ્ટિક ટેરિફ એરિયામાં નિકાસ માટેની સામગ્રીનું વેચાણ કરનારાઓને કસ્ટમ્સ ડયૂટી પહેલા ભરવાની ફરજ પાડવામાં આવે છે. આ સાથે જ ચોક્કસ શરતોને આધીન રહીને મેન્યુફેક્ચરિંગની કામગીરી પેટા કોન્ટ્રાક્ટ પર એસઈઝેડની બહાર આપવાની છૂટછાટ પણ નવા કાયદાના માધ્યમથી આપવામાં આવી છે. હા, તેના પોતાના ઉત્પાદન એકમમાં ઉત્પાદન કરવા માટે થતાં ખર્ચ કરતાં અન્ય એકમમાં ઉત્પાદન કરવા માટે આપવામાં આવતા ખર્ચમાં વધારો ન થતો હોય તો જ આ છૂટ મળશે તેવી સ્પષ્ટતા સૂચિત મુસદ્દામાં કરવામાં આવી હોવાનું કાયદાના જાણકાર મનીષ જૈનનું કહેવું છે. ૨૦૨૨માં ઉત્પાદન કરનારને ૨૦૨૧માં ઉત્પાદન કરવા માટે કરવા પડેલા ખર્ચથી વધુ ખર્ચે બહારના અન્ય એકમોને મેન્યુફેક્ચરિંગ કે ઉત્પાદનની કામગીીર સોંપી શકાશે નહિ. 

જોકે આ અંગેના નિયમો હવે પછી જાહેર કરવામાં આવશે. આ નિયમો જાહેર થયા પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થશે. જોકે સરકારનો ઇરાદો તો નવી એસઈઝેડ સ્કીમને-દેશને વધુ આકર્ષક બનાવવાનો ઇરાદો છે. વિશ્વ વેપાર સંઘના તમામ નિયમોને સુસંગત રહીને આ સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. તેમાંથી નેટ ફોરેન એક્સચેન્જ અંગેના નિયમની બાદબાકી કરી નાખવામાં આવી છે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને લગતા કાયદામાં ફેરબદલ કરવાની ગણતરી સાથે કેન્દ્ર સરકારે આજે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ – દેશ – તરીકે નવો સુધારેલો એસઈઝેડ એક્ટ લાવવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કર્યો છે. આ સાથે જ ખરા અર્થમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળી રહે તે માટેની યંત્રણા ઊભી કરવા અને નિર્ધારિત સમય મર્યાદામાં જ તમામ પ્રકારની મંજૂરી મળી જાય અને સમયસર નવા એકમો સ્થાપી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પણ આ ખરડાના માધ્યમથી ઇરાદો વ્યક્ત કર્યો છે.

આ સાથે જ નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા માટેની તમામ પ્રક્રિયા કરવા એક જ ફોર્મ ભરવાની અને રિટર્ન આપવાની વ્યવસ્થા દાખલ કરવાનો ઇરાદો પણ આ સૂચિત મુસદ્દાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યો છે. ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઈસ એન્ડ સર્વિસ હબ માટે અલગથી ઓનલાઈન પોર્ટલ ચાલુ કરવામાં આવશે. આ પોર્ટલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટેનું માધ્યમ બનશે. તેના પરથી જ નિર્ધારિત સમય મર્યાદામાં તમામ મંજૂરીઓ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.