CIA ALERT

યંગિસ્તાન Archives - Page 16 of 34 - CIA Live

February 14, 2020
isi_logo.png
4min5780

ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.

Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.

ISI Admission 2020: Important Dates

EventDate
Online Application Starts14.02.2020
On-line Application Ends06.03.2020
Payment of Application Fee Starts14.02.2020
Payment of Application Fee Ends10.03.2020
ISI ADMISSION TEST10.05.2020

Official website of ISI — isical.ac.in

The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”

Selection Procedure

The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.

Application Fee

  • All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
  • All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
  • The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.

Helpdesk

Candidates can contact on the helpdesk number provided below if required.

Help Desk

  • Helpdesk – 9 a.m. to 9 p.m. (Mon-Sat)
  • Phone: 6292218757 and 6292218758
  • Email: isiadmission2020@isical.ac.in
February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12350

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com
February 12, 2020
upsc1.jpg
9min10520

ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે

Jayesh Brahmbhatt 98253 44944

એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.

જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.

UPSC Civil Services Notification 2020: Important Dates

EventDate
UPSC notification released on12.02.2020
Application process commenced on12.02.2020
Last date to submit application form03.03.2020
UPSC Civil Service Preliminary exam31.05.2020

આટલી પોસ્ટ પર નોકરી મળી શકે

  • (i) Indian Administrative Service.
  • (ii) Indian Foreign Service.
  • (iii) Indian Police Service.
  • (iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
  • (v) Indian Audit and Accounts Service, Group ‘A’.
  • (vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
  • (vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
  • (ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
  • (x) Indian Postal Service, Group ‘A’.
  • (xi) Indian Civil Accounts Service, Group ‘A’.
  • (xii) Indian Railway Traffic Service, Group ‘A’.
  • (xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
  • (xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
  • (xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
  • (xvi) Indian Defence Estates Service, Group ‘A’.
  • (xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
  • (xviii) Indian Trade Service, Group ‘A’.
  • (xix) Indian Corporate Law Service, Group ‘A’.
  • (xx) Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer’s Grade).
  • (xxi) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service, Group ‘B’.
  • (xxii) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service, Group ‘B’.
  • (xxiii) Pondicherry Civil Service, Group ‘B’.
  • (xxiv) Pondicherry Police Service, Group ‘B’.

Online Application

https://upsconline.nic.in

The online Applications can be filled up to 3rd March, 2020 till 6:00 PM.

Notification Link

https://www.upsc.gov.in/sites/default/files/Notification-CSPE_2020_N_Engl.pdf

The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.

The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.

UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.

Eligibility Conditions

Nationality

  • Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
  • For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
  • A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.

Age Limit

A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.

Minimum Educational Qualifications

The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.

Application Fee

Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.

Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:

  • One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
  • Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
  • The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
  • The same photo ID Card will be used for all future references
  • Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.
February 10, 2020
BangladeshU19team.jpg
1min3150

અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડ કપમાં બંગલાદેશે ભારતને રવિવારે ફાઇનલમાં ૨૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું.

બંગલાદેશ પહેલી જ વાર વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું છે. એને આ વિજયનું સૌથી મોટું ગૌરવ કૅપ્ટન અને વિકેટકીપર અકબર અલી (૭૭ બૉલમાં ૪૩ અણનમ)એ અપાવ્યું હતું.

બંગલાદેશની અન્ડર-૧૯ ટીમ પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી અને ટ્રોફી જીતી ગઈ હતી, જ્યારે અગાઉ ચાર વાર ચૅમ્પિયન બનેલું ભારત સાતમી વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ પાંચમા ટાઇટલથી વંચિત રહ્યું હતું.

ભારતીય ટીમ હરીફોને માત્ર ૧૭૮ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. ટુર્નામેન્ટની ૯ ઓવર બાકી હતી ત્યારે વરસાદ પડ્યો હતો. ત્યારે બંગલાદેશની ટીમ વિજયની દિશામાં અગ્રેસર હતી અને ભારતીય ટીમ બાજી લગભગ ગુમાવી જ બેઠી હતી.

બંગલાદેશની ટીમને વરસાદના ટૂંકા વિઘ્ન બાદ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ મુજબ ૧૭૦ રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો અને ફરી રમત શરૂ થઈ ત્યારે એણે ૩૦ બૉલમાં ફક્ત ૭ રન બનાવવાના હતા જે એણે એકેય વિકેટ ગુમાવ્યા વગર બનાવી લીધા હતા. સ્પર્ધાના અંતે નવા ચૅમ્પિયન બંગલાદેશનો સ્કોર ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન હતો. બંગલાદેશને એક્સ્ટ્રાના ૩૩ રન મળ્યા હતા જે ભારતને ભારે પડ્યા હતા. ભારતીય ફીલ્ડરોએ બેથી ત્રણ કૅચ પણ છોડ્યા હતા.

ભારત વતી સ્પર્ધાના સુપરસ્ટાર ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલે ૧૨૧ બૉલની લાંબી ઇનિંગ્સમાં એક સિક્સર અને આઠ ફોરની મદદથી ૮૮ રન બનાવ્યા હતા જે એળે ગયા હતા.

એ પહેલાં, ભારતની અન્ડર-૧૯ ટીમ ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બૅટિંગ મળ્યા પછી ભારતીય ઓપનરોએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. તેમની બૅટિંગ ધીમી અને સમજદારીભરી હતી. સાતમી ઓવરમાં માત્ર ૯ રન બન્યા હતા ત્યારે દિવ્યાંશ સક્સેનાની વિકેટ પડી હતી. જોકે, સ્પર્ધાના સૌથી સફળ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને તિલક વર્માનો સારો સાથ મળ્યો હતો. ૨૯મી ઓવરમાં ૧૦૩ રનના ટોટલ પર તિલક ૩૮ રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

૧૧૪ રન પર કૅપ્ટન પ્રિયમ ગર્ગની વિકેટ પડી હતી અને ૪૦મી ઓવરમાં ૧૫૬ રનના ટોટલ પર ચોથી વિકેટના રૂપમાં યશસ્વી જૈસવાલ લાંબી ઇનિંગ્સ બાદ ૮૮ રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર પછી ધબડકો થયો હતો અને પછીના ૨૧ રનમાં બાકીની તમામ છ વિકેટ પડી ગઈ હતી.

ટૂંકો સ્કોર

ભારત: ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રને ઑલઆઉટ (યશસ્વી જૈસવાલ ૮૮, તિલક વર્મા ૩૮, ધ્રુવ જુરેલ ૨૨, પ્રિયમ ગર્ગ ૭, દિવ્યાંશ સક્સેના ૨, સિદ્ધેશ વીર ૦, અથર્વ અંકોલેકર ૩, રવિ બિશ્નોઇ ૨, સુશાંત મિશ્રા ૩, કાર્તિક ત્યાગી ૦, આકાશ સિંહ ૧ અણનમ, અવિશેક દાસ ૪૦ રનમાં ત્રણ, શૉરીફુલ ઇસ્લામ ૩૧ રનમાં બે, તેન્ઝિમ હસન સકીબ ૨૮ રનમાં બે અને રકિબુલ હસન ૨૯ રનમાં એક વિકેટ, શમીમ હોસૈન ૩૬ રનમાં અને તૌહિદ રિદય ૧૨ રનમાં એકેય વિકેટ નહીં)

બંગલાદેશ: (નવા લક્ષ્યાંક બાદ) ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન (પરવેઝ એમોન ૪૭, તેન્ઝિદ હસન ૧૭, મહમુદુલ જૉય ૮, તૌહિદ રિદય ૦, શહાદત હોસૈન ૧, અકબર અલી ૪૩ અણનમ, શમીમ હોસૈન ૭, અવિશેક દાસ ૫, રકિબુલ હસન ૯ અણનમ, રવિ બિશ્નોઇ ૩૦ રનમાં ચાર, મિશ્રા પચીસ રનમાં બે અને યશસ્વી ૧૫ રનમાં એક વિકેટ, કાર્તિક ત્યાગી ૩૩ રનમાં તથા આકાશ સિંહ ૩૩ રનમાં, અંકોલેકર ૨૨ રનમાં એકેય વિકેટ નહીં)

February 5, 2020
icai_logo.jpeg
3min6690

C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો

https://icaiexam.icai.org/Announcements/May_2020_Announcement.pdf

How to apply for ICAI CA May 2020 exam?

1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register

Click here to register for ICAI CA May 2020 exam

2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register

3) Fill the application form and select an exam centre

4) Upload all the documents as asked in the application process

5) Make application fee payment and download the PDF of registration form

6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference

February 5, 2020
gujarateducation.jpg
1min4110

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે. 

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.

February 4, 2020
CIA_Live_Logo_New2.jpg
3min4720

સૂરતની ભગવાન મહાવીર આર્કિ. કોલેજમાં 96 ટકા અને વિદ્યામંદિર વુમન કોલેજમાં 94 ટકા સીટો ખાલી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર દેશમાં આવેલી આર્કિટેક્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે આર્કિટેક્ચર કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) 2019થી વર્ષમાં બે વખત લેવામાં આવે છે.

2020 માટે નાટા-1 પરીક્ષા તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે જ્યારે નાટા-2 પરીક્ષા તા.31મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ જ લાયકાતપાત્ર

નાટા પ્રવેશ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન તા.1લી ફેબ્રુઆરી 2020થી શરૂ થઇ ચૂક્યા છે. નાટા-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 16મી માર્ચ 2020 છે. નાટા-2ના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 4 મે 2020 રાખવામાં આવી છે.

Click here to Apply for NATA 2020

The Council of Architecture conducts NATA 2020 is conducted twice a year for admission to Architecture courses.

  • The last date to submit the application form for NATA 2020 examination is March 16, 2020.

How to apply for NATA 2020?

The aspirants can follow the step-by-step guide provided below to check and apply for the NATA 2020 examination:

1) Open the official website of NATA 2020 – nata.in

2) Click on the NATA 2020 Registration Link or click on the direct link provided below

3) Sign up to register for NATA

4) Fill the application form and submit the application fee online

ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં 2019માં 51 ટકા સીટો ખાલી રહી હતી

ગુજરાતમાં કુલ 35 આર્કિટેક્ચર કોલેજોમાં સ્ટેટ ક્વોટાની 1690 સીટોમાંથી 857 બેઠકો ખાલી હતી અને 833 ભરાઇ હતી

ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચ કોલેજમાં કોઇ પ્રવેશ લેતું નથી

સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વેસુ ખાતે આવેલી વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળે છે. ભગવાન મહાવીર કોલેજ અપૂરતી સુવિધાઓ, અપર્યાપ્ત ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર, અપૂરતા સ્ટાફ માટે ભારે બદનામ છે. એવી જ રીતે વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજના અધ્યાપકો વિદ્યાર્થિનીઓને એટલો માનસિક ત્રાસ આપતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે. આવી સ્થિતિમાં આ બે કોલેજોમાં પ્રવેશાર્થીઓ પ્રવેશ લેવાનું ટાળી રહ્યા છે જેની પ્રતીતિ ઉપરોક્ત ટેબલ પરથી થઇ ને રહે છે. બે રાઉન્ડના અંતે પ્રવેશ સમિતિએ જાહેર કરેલી ખાલી બેઠકોની યાદીમાં સૂરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજ અને વિદ્યામંદિર વુમન આર્કિટેક્ચર કોલેજોમાં અનુક્રમે 96 ટકા અને 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે.

February 2, 2020
education_budget.jpg
1min3240

નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર

શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ

બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.

નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે 

નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.

ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને  પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.

  • સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
  • તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
  • કૌશલ વિકાસ માટે 3,000 કરોડ રૂપિયાની જોગવાઇ
January 27, 2020
jeemain.jpg
1min5400

JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.

હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.

જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.

Percentile ScoreTotal Students/Rank
99 to 1001 to 11500
95 to 9911500 to 57000
90 to 9557000 to 115000

IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે

ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.

આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.

JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે

હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.

January 27, 2020
coronaupdate.jpg
1min15120

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.