CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 13 of 19 - CIA Live

February 25, 2019
manv_b3.jpg
1min8540

દેશની સ્ત્રી વિકાસશીલ તો દેશ પ્રગતિશીલ” શિર્ષક સાથે વડોદરા ખાતે તા.24મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થાનિક એન.જી.ઓ. દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે ખાતે 3જા વર્ષે વુમન એમ્પાવરન્મેન્ટ દ્વારા પ્રદર્શન કમ સેલ તથા સાંસ્કૃતિક અને મનોરંજન પીરસે એવા કાર્યક્રમો થકી વડોદરાવાસીઓની રવિવારની સાંજને મેમોરેબલ બનાવી દીધી હતી.  આ સમારોહમાં વડોદરા શહેર મેયર ડૉ જીગીષાબેન શેઠ દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. સ્થાનિક વિસ્તાર ના કોર્પોરેટર તેમજ હજારો ની સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આયોજક મમતાબેન શાહ, નિલમબેન નગર તેમજ તેમની ટીમ દ્વારા  કરવામાં આવેલા ખુબ જ સુંદર આયોજનને સૌ કોઇએ બિરદાવ્યા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમની વિગતો આપતા વડોદરાના મહિલા આગેવાન શ્રીમતી ધ્રુવા ભટ્ટે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમો યોજાયા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ સ્વંયભુ હાજરી આપી હતી. વડોદરાના અનેક મહાનુભાવોએ પણ પ્રસંગને દિપાવ્યો હતો.

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min20960

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5420

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે એવું જણાવીને કોંગ્રેસે મુખ્ય પ્રધાનને નિષ્ફળ પ્રધાન ગણાવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયાં છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ

રાજયમાં અને દેશમાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અંગે જાહેરહિતની અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજૂ કરવા બે વખત નોટિસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજૂ કરી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલાં બાળકો અંગે જે તે સમયે આંકડા રજૂ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જિલ્લાઓમાં સંકલન, ગુમ થયેલાં બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલાં બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરિયાદ કરવા જાય તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મિસિંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલાં બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો કર્યા છે પણ તે માત્ર કાગળ પર છે. મિસિંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મિસિંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.

રાજયમાં કિડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દીકરીઓને ગુમ કરીને વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન સબ સલામતના દાવાઓ કરે તે કેટલે અંશે વાજબી? એવો સવાલ ઉઠાવીને તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે જવાબ માગ્યો છે.

February 10, 2019
no_love.png
1min12260
  • સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી
  • દિકરીઓને પ્રેરણાત્મક નહીં પરંતુ, પ્રતિજ્ઞાત્મક મુગ્ધા સેમિનાર આપવો પડે એ દર્શાવે છે કે વર્તમાન સમાજ વ્યવસ્થા એલાર્મિંગ સ્થિતિમાં છે
  • લવ મેરેજ ફેઇલ થઇ રહ્યા છે તો એરેન્જ મેરેજના પણ કરુણ અંજામો સામે આવી રહ્યા છે

એક તરફ ભારત સમેત વિશ્વભરમાં પ્રેમના પ્રતિક ગણાતા વેલેન્ટાઇન્સ ડે ફિવર જામી રહ્યો છે અને વેલેન્ટાઇન્સ વીક અન્વયે ચોકલેટ ડે જે દિવસે હતો એ દિવસે સૌરાષ્ટ્રના ભેંસાણ ગામે દિકરીઓને લવ મેરેજ વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં લવ મેરેજ હોય કે એરેંજ મેરેજ બન્નેના આવી રહેલા કરુણ અંજામને પગલે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને અન્ય કોઇ પ્રેરણાત્મક નહીં બલ્કે અંગત જીવનને સ્પર્શતા શપથ લેવડાવવા પડી રહ્યા છે. જોકે, આ પ્રતિજ્ઞા ફક્ત કાર્યક્રમ પૂરતી રહેશે કે જીવનભર સનાતન રહેશે એ તો સમય જ બતાવશે.

‘હું મારા લગ્ન પહેલાં કોઇ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા-પિતાએ કરી આપેલા લગ્નના છૂટાછેડા નહીં કરૂ’ આ પ્રતિજ્ઞા શનિવાર, તા.9 ફેબ્રુઆરી 2019ના રોજ સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી.

આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવી પડે એ બાબત જ સૂચક છે કે તરુણાવસ્થાની ગંભીર ભૂલો યુવતિઓનું જીવન તો બરબાદ કરી નાંખે છે પરંતુ, અનેક પારિવારીક સમસ્યાઓ ખડી કરી દે છે.

ભેસાણ ગ્રામપંચાયતનાં સરપંચ અને ભાજપ અગ્રણી ભૂપતભાઇ ભાયાણી તેમજ ગ્રામપંચાયતના સદસ્યોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજ ખાતે એક વિશિષ્ટ પ્રકારનો મુગ્ધા સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકાભરની 1400થી વધુ દીકરીઓએ લાભ લીધો હતો.

વક્તા અશ્વિનભાઇ સુદાણીએ દીકરીઓને એક દીકરી તરીકે કઇ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક દીકરીએ જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓનું સમાધાન મળતું  જ હોય છે, માતા-પિતા પ્રત્યે દરેક દીકરીઓએ આદરભાવ રાખીને પારિવારીક જીવનના સુખ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. વિજાતીય આકર્ષણથી બચવા બાબત પર છણાવટ રજૂ કરી હતી, તેમજ જીવનના મૂલ્યો અને ભવિષ્યના આયોજનો, સંસ્કાર, સંસ્કૃતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ તકે દીકરીઓએ જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું મારા લગ્ન પહેલાં કોઇપણના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધો નહીં બાંધુ, મારા માતા-પિતા જ્યાં કહેશે ત્યાં જ લગ્ન કરીશ, ક્યારેય ભાગીને કે પ્રેમલગ્ન નહી કરું.’

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min13080

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 22, 2019
urjagandhi.jpg
1min4100

પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ગુજ્જુ ગર્લ ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.

અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીને સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ

US: આ ગુજરાતી યુવતીએ અનેક યુવાનોને બતાવી 'દિશા', મેળવ્યો લીડરશીપ એવોર્ડ

વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.

અહીંથી શરૂ થઇ હતી ઉર્જાની સફર

એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળી કે ‘કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!’ ને ગુજ્જુ ગર્લ ઉર્જાને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારથી અમેરીકામાં ગુજ્જુ ગર્લની સફર શરૂ થઇ હતી.

urja gandhi award

ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018

ગુજ્જુ ગર્લ ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ’ શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.

આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ  માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.

ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.

urja gandhi seminar

એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી

આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ ‘દિશા – ધ મલ્ટિફેસેટેડ શી’ની એમ્બેસેડર તરીકે ‘દિશા’ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, ‘She inspires me’ (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.

આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ ‘દિશા’ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.

urja gandhi interacting with students

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી

આ ઇવેન્ટમાં ‘દિશા- ધ મલ્ટિફેસેટેડ શી’ ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.

January 4, 2019
kausa.jpg
1min4140

ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે.

ભારતીય નાગરિકો વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કરતા હોય છે. અને આ વખતે આ કામ જામનગરના મૂળ એવા કૌશલ્યા વાઘેલાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. કૌશલ્યા વાઘેલાએ જામનગરની સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે ભારતમાં જન્મેલા પહેલા મહિલા છે જે વિદેશમાં સાંસદ બન્યા છે. 11 ડિસેમ્બર થયેલી ચૂંટણીના પરિણામમાં કૌશલ્યા વાઘેલાની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે કૌશલ્યા ઓસ્ટ્રેલિયામાં સમાજના પાયાના પ્રશ્નો અને સમાજની જરૂરિયાતોને મુદ્દો બનાવીને ચૂંટણી લડ્યા હતા. મૂળ જામનગરના કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે.

એક સમયે ઓસ્ટ્રેલિયામાં ભણવા માટે ગયેલા અને રોજીરોટી માટે ટેક્સી ચલાવવા સહિત નાની મોટી નોકરી કરી ગુજરાન ચલાવનાર કૌશલ્યા વાઘેલાની પસંદગી ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે કરવામાં આવી છે. કૌશલ્યા વાઘેલાએ નાની-નાની નોકરી કરતા કરતા પોતાનો ધંધો કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે કેટલીક વખત એવો સમય પણ આવ્યો જ્યારે કાયદા સામે અવાજ ઉઠાવવાની જરૂર પણ પડી. જો કે આજે આ જ કૌશલ્યા વાઘેલા ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા પાર્લામેન્ટના સાસંદ બન્યા છે.

 

December 24, 2018
mainved.jpg
1min15170

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 20, 2018
nilanshi.jpg
1min9530

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 6, 2018
wrun.jpg
1min13170

શહેરની અનેક સંસ્થાઓ દ્વારા આગામી તા.16મી ડિસેમ્બર 2018ના રોજ રવિવારે સવારે 6 વાગ્યાથી ખાસ મહિલાઓ માટે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ જે પારિવારીક જવાબદારીઓ, પારીવારીક અને વ્યાવસાયિક વ્યસ્તતાના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન રહેતી હોય છે, આવી સ્થિતિમાં મહિલાઓ સ્વસ્થ રહે એવા આશયને ઉજાગર કરવાની નેમ સાથે સુરતમાં વુમન રન WRun નું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં વુમન રન માટેના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. કોઇપણ મહિલા આ વુમન રન WRun માં સરળતાથી ભાગ લઇ શકે છે. વુમન રન WRunમાં ભાગ લેવા માટે https://wrun.in/ વેબસાઇટ પર લોગ ઇન થવું પડશે.

વુમન રન WRun 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ બે ભાગમાં યોજવામાં આવી છે. ડુમસ રોડ પર ડીકેથ્લોન સ્પોર્ટસથી શરૂ થઇને ત્યાં જ વુમન રન WRun પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વુમન હેલ્થ એન્ડ ફિટનેસના હેતુથી યોજાઇ રહેલી આ વુમન રન WRun મિની મેરેથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતિઓ જોડાય તે માટે હાલમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સાઇકલિંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર અજિલિયાના અજીતા ઇટાલિયાએ પણ વુમન રન WRunને ઉદ્દેશીને આ અપીલ કરી છે.

#WRUN

Posted by Jagdish Italiya on Tuesday, 4 December 2018