CIA ALERT

WE Archives - Page 44 of 57 - CIA Live

February 5, 2019
facebook.jpeg
8min12820

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 5, 2019
uri.jpg
1min5010

૨૩ અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની વિકી કૌશલની

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.

આ ફિલ્મે ૨૩મા દિવસે ૬.૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે જે અગાઉ ૬.૩૫ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો. આ સાથે જ ‘ઉરી’એ ૨૪મા દિવસે ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો છે, જે અગાઉ ૭.૮૦ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો.

February 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4060

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે.

  • એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો
  • ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ
  • ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ
  • એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ
  • રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.

રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે.

February 2, 2019
unnati.png
1min6450

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min13170

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 29, 2019
Bhachau_Lagnotsav1.jpg
1min8360

ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં બે દિવસ પૂર્વે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભચાઉના આ સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલ પ્રભુતામાં પગલાં પાડવાના હતા. સમૂહ લગ્નના આયોજકોએ લગ્ન અંગે તો જડબેસલાક વ્યવસ્થા કરી જ હતી પણ વરઘોડા માટે પણ એવી તૈયારી કરી હતી કે એ તૈયારીઓ જ્યારે પાર પડી ત્યારે સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર ઘટના બની હતી.

ભચાઉ સ્થિત સમૂહલગ્નમાં જાન લઇને આવેલા વરરાજાઓનો વરઘોડો કાઢવા માટે તમામને એક સરખી સ્કોર્પિયો કાર આપવામાં આવી હતી. જ્યારે એક સાથે 115 સ્કોર્પિયો કાર ભચાઉના માર્ગો પર નીકળી ત્યારે જાણે મોદી, શાહરુખ કે અમિતાભ આવ્યો હોય અને જે રીતે ફોટાઓ પડતા હોય તે રીતે લોકોએ 115 એક સરખી કારના વરઘોડાના ફોટા પાડ્યા હતા. સમગ્ર વિશ્વમાં આ વરઘોડો વાઇરલ થઇ ગયો છે.

ભચાઉના માર્ગો પર સમૂહ લગ્નમાં જાન લઇને આવેલા વરરાજાઓની 115 સ્કોર્પિયો કાર સાથે જબરદજસ્ત શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો શહેરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભચાઉ શહેરના લોકોએ આ નજારો માણ્યો હતો. આગળની સ્લાઇડ્સમાં તસવીરોમાં તમે પણ માણો આ નજારો.

આ સમૂહલગ્નમાં માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.
January 24, 2019
railway-recruitment-board.jpg
1min6760

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 23, 2019
calogo1.jpg
3min15960

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આજરોજ તા.23મી જાન્યુઆરી 2019ના રોજ સી.એ. ફાઇનલ્સ અને સી.એ.નું પહેલું ચરણ ફાઉન્ડેશનની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું હતું.

સુરત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ બનવા માટેનું હબ છે અને એ રૂઆબ સાથે જ આજે સુરતના ઉમેદવારોનું ઝળહળતું પરીણામ જોવા મળ્યું હતું. સુરતમાં વર્તમાન પરિસ્થિતિમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ સ્ટડી માટેનું સૌથી બેસ્ટ કોચિંગ રવિ છાવછરીયા આપી રહ્યા છે. આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પરીક્ષાના પરીણામમાં પણ રવિ છાવછરીયાના તાલિમાર્થીઓએ જ મેદાન માર્યું છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લેતા કુલ 12 વિદ્યાર્થીઓએ સી.એ. ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતના ટોપ ફિફ્ટી (ટોચના 50) ઉમેદવારોમાં સ્થાન હાંસલ કરીને સમગ્ર સુરતનું નામ આખા ભારતમાં ગૂંજતુ કરી દીધું છે. એટલું જ નહીં પણ ત્રણ ઉમેદવારો એવા છે જેમણે રવિ છાવછરીયાનું કોચિંગ લઇને સી.એ. ફાઇનલ્સની 2019ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ટોપ ફિફ્ટીમાં રેન્ક હાંસલ કર્યો છે.

સમગ્ર ભારતમાંથી સી.એ. બનવા માટે ઉમેદવારો સુરત જેની પાસે કોચિંગ લેવા માટે આવે છે એ રવિ છાવછરીયાએ સી.આઇ.એ . લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે તેમની પાસેથી કોચિંગ લઇને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ડિગ્રી હાંસલ કરનારા ઉમેદવારોની સંખ્યા 90થી વધુ છે. તા.23મીએ રાત્રે જ્યારે આ લખાય રહ્યું હતું ત્યારે હજુ તેમના વિદ્યાર્થીઓના રિઝલ્ટ એક પછી એક મળી રહ્યા હતા.

આમ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહેલા રવિ છાવછરીયાએ આજે સી.એ. રીઝલ્ટ 2019માં સુરતને 15 નેશનલ રેન્કર્સ તો આપ્યા છે સાથોસાથ સુરતને 90થી વધુ નવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ પણ આપ્યા છે.

રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇને ફાઉન્ડેશન 2019ની પરીક્ષામાં દેશના ટોચના 50માં સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

All INDIA Rankers from SURAT
Name Rank in India Marks
Dhara Tailor 17th 353
Akash Bothra 25th 345
Anshul Agarwal 25th 345
Rushab Khaitan 32nd 338
Harshit Chanduka 32nd 338
Vishvas Nandwani 33rd 337
Mayank Jajoo 35th 335
Dipti Seksaria 43rd 327
Divyansh Jain 44th 326
Mayank Jain 47th 323
Prachi K Shah 48th 322
Amish Ramgarhia 49th 321

સી.એ. ફાઇનલ્સ 2019 પરીક્ષામાં દેશના ટોપ ફિફ્ટીમાં સ્થાન પામનારા વિદ્યાર્થીઓની યાદી

All INDIA Rankers From Surat
Name Rank in India Marks
Shubham Sarfale 12th 548
Megha Chhaparia 27th 524
Harshita Salecha 31st 519
Abhishek Jariwala 504
Kajol Deora 493
Satyam Agarwal 490

 

 

January 23, 2019
gpsc_logo.jpg
1min25820

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.

આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.

આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.

January 22, 2019
urjagandhi.jpg
1min4160

પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ગુજ્જુ ગર્લ ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.

અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીને સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ

US: આ ગુજરાતી યુવતીએ અનેક યુવાનોને બતાવી 'દિશા', મેળવ્યો લીડરશીપ એવોર્ડ

વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા ‘રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018’માં ‘લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી’નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.

અહીંથી શરૂ થઇ હતી ઉર્જાની સફર

એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળી કે ‘કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!’ ને ગુજ્જુ ગર્લ ઉર્જાને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારથી અમેરીકામાં ગુજ્જુ ગર્લની સફર શરૂ થઇ હતી.

urja gandhi award

ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018

ગુજ્જુ ગર્લ ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ’ શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.

આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ  માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.

ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.

urja gandhi seminar

એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી

આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ ‘દિશા – ધ મલ્ટિફેસેટેડ શી’ની એમ્બેસેડર તરીકે ‘દિશા’ નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, ‘She inspires me’ (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.

આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ ‘દિશા’ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.

urja gandhi interacting with students

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી

આ ઇવેન્ટમાં ‘દિશા- ધ મલ્ટિફેસેટેડ શી’ ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.