CIA ALERT

WE Archives - Page 25 of 57 - CIA Live

February 22, 2020
gseb-1280x720.jpg
1min4590

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. 

અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે.

આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. 
જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2019 કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. 

કયા વર્ષે કેટલા વિદ્યાર્થી નોંધાયા
વર્ષ     ધો- ૧૦   ધો-૧૨ સાયન્સ    ધો-૧૨ જનરલ
૨૦૧૭    ૧૧.૦૨ લાખ    ૧.૪૧ લાખ        ૫.૧૪ લાખ
૨૦૧૮    ૧૧.૦૩ લાખ    ૧.૩૪ લાખ        ૪.૭૬ લાખ
૨૦૧૯    ૧૧.૫૯ લાખ    ૧.૪૭ લાખ        ૫.૩૩ લાખ
૨૦૨૦    ૧૦.૮૭ લાખ    ૧.૪૩ લાખ        ૫.૨૭ લાખ

February 21, 2020
Womens-T20WC.jpg
1min4270

કોઈ આઈ. સી. સી. ટ્રોફી જીતવાથી વંચિત રહેલી ભારતીય મહિલા ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે શુક્રવારે અહીં રમાનારી આરંભિક મેચમાં ટીમના સતત સારા દેખાવની આશા સાથે રમવા ઊતરશે.

ભારતીય ટીમ સતત સારો દેખાવ કરી શકી નથી અને તેનો નક્કર પુરાવો તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ ત્રિકોણી શ્રેણીમાં તેના દેખાવમાંથી મળી શકે છે.

ભારતીય ટીમે પ્રબળ ગણાતી ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ જીતી અને એક હારી હતી અને છેવટે ફાઈનલમાં તેનો આયોજક રાષ્ટ્રની ટીમ સામે પરાજય થયો હતો કે જેમાં ઑસ્ટ્રેલિયાએ છ વાર યોજાયેલ સ્પર્ધામાંથી ટી-૨૦ વર્લ્ડ કપ ચાર વેળા જીત્યો હતો. ભારતને તેની મધ્યમ અને નીચલા ક્રમની બૅટિંગમાં સુધારો કરવાની જરૂર રહે છે.

ઓપનર સ્મૃતિ મંધાના, ૧૬ વર્ષીય શેફાલી વર્મા અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર ભારતની બૅટિંગની મુખ્ય જવાબદારી છે.

બૉલિંગમાં ભારતીય ટીમ સારી ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં તેની સ્પિનરો પર વધુ આધાર રાખે છે.

ટી-૨૦ ક્રિકેટમાં ભારતની પાંચમા ક્રમની સૌથી સફળ બૉલર શિખા પાંડે ઘણી વેળા ટીમમાં એકમાત્ર ફાસ્ટ બૉલર હોય છે.

ટીમના મુખ્ય કોચ ડબ્લ્યુ. વી. રામનનું માનવું છે કે ભારત જીતવા ફેવરિટ છે.

ઑસ્ટ્રેલિયાની મહિલાઓએ તાજેતરમાં ત્રિકોણી શ્રેણી જીતી ટી-૨૦ વર્લ્ડ કપની સારી તૈયારી કરી હતી.

પણ સ્પર્ધાની આરંભિક મેચ પૂર્વે પોતાની મુખ્ય ઝડપી ગોલંદાજ ટેયલા લેમિન્ક પગની ઈજાના કારણે રમી ન શકનાર હોવાથી કેપ્ટન મેગ લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ધક્કો પહોંચ્યો છે. ટેયલાએ તેની બૉલિંગમાં વધારેની ઝડપથી ભારતીય બેટધરોને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે.

February 20, 2020
chay_makers2-1280x720.jpg
1min18670

વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી

ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.

સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે..
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)

ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.

આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.

એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે

ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.

એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી.
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)

10 રૂ.માં સાદી ચા અને 15 રૂ.માં આખો કપ ફ્લેવર્ડ ચા

પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.

February 20, 2020
uk-visa-1280x720.jpg
1min4990

ઈંગ્લીશ બોલતાં આવડતું હશે તો જ બ્રિટનના વિઝા મળશે. બ્રિટને બુધવારે નવી વિઝા વ્યવસ્થા લોન્ચ કરી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે. બ્રિટન યુરોપીયન સંઘ (ઈયુ)માંથી ગત મહિને બહાર આવ્યા પછી સંક્રમણ કાળના અંત પછી નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ થશે.

યુકેનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે બહુ સારું કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને બ્રિટનમાં આકર્ષવા અને યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ જાહેર કરી હતી. તેનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી થશે.

યુકેની વિઝા અને ઇમિગ્રૅશન સિસ્ટમનાં વડાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિઝાની નવી જોગવાઇ મુજબ યુકે કામ કરવા આવવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓને અંગ્રેજી આવડવું જોઇશે અને ‘માન્યતાપ્રાપ્ત સ્પૉન્સર’એ તેઓને કૌશલ્ય ધરાવતી નોકરીની ઑફર કરી હોવી જોઇશે. જો તેઓ આ માપદંડને લાયક હશે તો તેઓને પચાસ પૉઇન્ટ અપાશે.

બ્રિટનમાં કામ કરવા ૭૦ પૉઇન્ટ મેળવવા પડશે

નવી પોસ્ટ બ્રેક્ઝિટ પ્રણાલી કે જે ભારત જેવા યુરોપીયન સંઘ અને બીન યુરોપીયન સંઘના દેશો માટે સમાન રીતે લાગુ થશે, તે પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે લાવશે.’

બ્રિટનના વિઝા અને ઈમિગ્રેશન પ્રણાલીના પ્રભારી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘અમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને આકર્ષિત કરીશું, અર્થવ્યવસ્થા અને આપણા સમુદાયોને પ્રોત્સાહિત કરીશું અને આ દેશની પૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરીશું.’ બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવી વિઝા પ્રણાલી બ્રેક્ઝિટની તરફેણમાં ૨૦૧૬ના જનમત સંગ્રહની સીધી પ્રતિક્રિયા છે, જેને સસ્તા પ્રવાસી શ્રમ પર દેશની નિર્ભરતાને સમાપ્ત કરવા અને સખત સુરક્ષા સાથે પ્રવાસના સમગ્ર સ્તરને ઓછો કરવા માટે એક વોટ તરીકે જોવામાં આવ્યો હતો.

યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમમાં ખાસ કૌશલ્ય, ભણતર કે લાયકાત (ક્વૉલિફિકેશન્સ), પગાર અને વ્યવસાય પર ખાસ ધ્યાન અપાશે.

ગ્લોબલ ટેલેન્ટ સ્કીમની પણ ઘોષણા કરવામાં આવી છે. જેના અનુસાર યુકેમાં ફાસ્ટ ટ્રેક વિઝા, આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે પણ લાગુ થઈ શકશે, જે વધુમાં વધુ કુશળ વૈજ્ઞાનિકો અને સંશોધકોને નોકરીની ઓફર વિના બ્રિટન આવવાની અનુમતિ આપશે.

પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.

યુકે યુરોપિયન યુનિયનમાંથી ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ નીકળી ગયું હતું અને તેનો ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ શરૂ થયો હતો. બ્રેક્ઝિટ પછીની નવી સિસ્ટમમાં યુકે દ્વારા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત સહિતના યુરોપની બહારના અન્ય દેશોના નાગરિકોને સમાન ગણવામાં આવનાર છે. યુકેના પ્રધાનમંડળમાંના વરિષ્ઠ પ્રધાનોમાંનાં એક પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે દેશ માટે આજે ઐતિહાસિક સમય છે. હવે આપણે ત્યાં યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમના અમલથી સારું કૌશલ્ય ધરાવતા વિશ્ર્વભરના નિષ્ણાતો આવવા આકર્ષાશે અને સરેરાશ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટશે.

February 18, 2020
Womens-T20WC.jpg
1min3330

વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે.

સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

February 18, 2020
nirbhayasuprem.png
1min3000

સર્વોચ્ચ અદાલતે સશસ્ત્ર દળોમાં જાતિને આધારે થતા પક્ષપાતનો અંત લાવવાની હાકલ કરવાની સાથે ભારતીય લશ્કરમાં કમાન્ડના હોદ્દાઓ (કમાન્ડર તરીકેના હોદ્દા) પર મહિલાઓની નિયુક્તિ માટેનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો તેમ જ ત્રણ મહિનાની અંદર તમામ મહિલા અધિકારીઓને કાયમી સનદીનો લાભ આપવાનો આદેશ પણ આપ્યો

હતો. લશ્કરમાં મહિલાઓને કમાન્ડનો હોદ્દો નકારવા સંબંધમાં માનસિક રીતે તેમની મર્યાદાને તેમ જ તેમને સામાજિક રીતે આવા હોદ્દા નકારવાની પ્રથાને ધ્યાનમાં લેવામાં આવે છે. કેન્દ્ર સરકારની આવી દલીલને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના અધ્યક્ષસ્થાન હેઠળની બેન્ચે ‘ખલેલ પહોંચાડનારી’ ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ભૂતકાળમાં મહિલા સૈનિકો અને અધિકારીઓએ પણ દેશને ગૌરવ અપાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે ‘સશસ્ત્ર દળોમાં નિયુક્તિની બાબતમાં તેમ જ કાયમી સનદી (લશ્કરમાં અધિકારના સ્થાનનો હોદ્દો)ના સંદર્ભમાં સરકારે માનસિકતા બદલવાની જરૂર છે. મહિલાઓને લશ્કરમાં કમાન્ડના હોદ્દા આપવા સંબંધમાં કોઈ ચોક્કસ નિયંત્રણ નહીં રાખી શકાય.’

જોકે, ન્યાયમૂર્તિઓની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈ કોર્ટે ઠરાવ્યું એ પ્રમાણે યુદ્ધના મોરચે કે સરહદ પર મહિલા અધિકારીઓને ગોઠવવાની બાબત લશ્કરની નીતિ પર આધારિત રહેશે.

૨૦૧૯ની પચીસમી ફેબ્રુઆરીના નીતિ-વિષયક પત્ર મુજબ લશ્કરમાં મહિલાઓને માત્ર સ્ટાફના હોદ્દા પર જ નિયુક્ત કરવામાં આવતી હતી અને એમાં કમાન્ડના હોદ્દા પરની નિયુક્તિની કોઈ જોગવાઈ નહોતી.

ભારતીય લશ્કરમાં કુલ ૧,૬૫૩ મહિલા અધિકારીઓ છે. એ દૃષ્ટિએ કુલ અધિકારીઓમાં મહિલાઓની ૩.૮૯ ટકાવારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘પુરુષોની માફક મહિલા લશ્કરી અધિકારીઓએ પણ દેશને ઘણી રીતે ગૌરવ અપાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રોનાં શાંતિરક્ષક દળોમાં પણ તેમની ઘણી સારી અને પુરસ્કૃત કામગીરી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જે કેન્દ્રની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો એને પગલે કોર્ટની બહાર ઊભેલી મહિલા અધિકારીઓએ વિજયી-સંકેત બતાવીને પોતાની જીત વ્યક્ત કરી હતી. તેમનાં વકીલ મીનાક્ષી લેખીએ પીટીઆઇને કહ્યું હતું કે ‘જેમ આકાશ અમર્યાદિત છે એમ મહિલાશક્તિની પણ કોઈ મર્યાદા નથી હોતી. સર્વોચ્ચ અદાલતના ફેંસલાએ લશ્કરની મહિલા અધિકારીઓને પુરુષ અધિકારીઓ જેટલા જ અધિકારો અપાવ્યા છે. મહિલા ઑફિસરો ઘણાં વર્ષોથી આ અધિકારોની માગણી કરી રહી હતી અને તેમને હવે એમાં સફળતા મળી છે.

February 17, 2020
iim_IPM.jpg
4min714

ધો.12 (કોઇપણ પ્રવાહ) પછી તરત જ IIM માં MBA કોર્સ સૌથી વધુ વ્યવસાયલક્ષી કોર્સ મનાય છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 અંગ્રેજી વિષય સાથે કોઇપણ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને માર્ચ 2020માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આઇ.આઇ.એમ. ઇન્દોર (મધ્યપ્રદેશ) અને આઇઆઇએમ રોહતક (હરીયાણા) ખાતે ચાલતો 5 વર્ષનો એમ.બી.એ. કોર્સ સૌથી બેસ્ટ કારકિર્દીનો વિકલ્પ ગણવામાં આવે છે.

આઇ.આઇ.એમ.માં ભણવું એ લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ સપનું પૂરું કરી શક્તા નથી. સામાન્ય રીતે આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરવા માટે ગ્રેજ્યુએશન પછી કેટ નામની પરીક્ષા આપવી પડે છે અને એ પાર કરવી ખૂબ જ અઘરું કામ ગણાય છે.

મધ્યપ્રદેશના ઇન્દૌર અને હરીયાણાના રોહતક ખાતે આવેલી આઇ.આઇ.એમ. (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) માં ધો.12 (કોઇપણ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે એમ.બી.એ. ( ધો.12 પછી સળંગ પાંચ વર્ષ) કોર્સ ચલાવવામાં આવે છે અને તેમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે પરીક્ષા લેવામાં આવે છે.

ઇન્દૌર અને રોહતક સ્થિત આઇ.આઇ.એમ.માં ચાલતા ધો.12 પછીના કોર્સનું નામ છે આઇ.પી.એમ. (ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ). આઇ.પી.એમ. એડમિશન ટેસ્ટ 30મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે. હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા અને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.

રજિસ્ટ્રેશન માટે official website of IIM Indore — iimidr.ac.in

વિદ્યાર્થીઓ તા.30મી માર્ચ સુધી આઇ.પી.એમ. એડમિશન ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરાવી શકે છે.

IPM 2020 Admissions: Important Dates

EventDates
Online application submission beginsMonday, February 17, 2020
Last date to apply onlineMonday, March 30, 2020
IPM AT 20 test dayThursday, April 30, 2020
Announcement of call for
Personal Interviews
The second week of
May 2020
Personal Interviewslast week of May 2020
Announcement of Provisional Admissions OffersThe third week of
June 2020 onwards
Programme RegistrationJuly 2020 (last week)/
August 2020 (first week)

The Indian Institute of Management, Indore will commence the online application process for the five-year Integrated Programme in Management (IPM) admission 2020 on its official website today i.e. February 17, 2020.

As per the admission calendar available on the official website, the application process will begin today itself. Interested candidates can submit their application form through the official website of IIM Indore — iimidr.ac.in.

The last date to submit the online application for IPM 2020 is March 30, 2020. IIM Indore will conduct the test on April 30, 2020. The announcement of call for personal interviews will be in the second week of May 2020. As per the schedule, the personal interview will be held in the last week of May 2020. The provisional admission offers will be announced in the third week of June 2020. The programme registration will be held in July 2020 (last week)/August 2020 (first week).

આઇઆઇએમ રોહતકની પ્રવેશ પરીક્ષા અલગ હોય છે અને તેના માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

February 16, 2020
filmfare.jpeg
5min5250

અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.

એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.

The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer SinghAyushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.

ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ

Best Film
‘Gully Boy’

Best Director
Zoya Akhtar (‘Gully Boy’)

Best Film (Critics)
‘Article 15’ (Anubhav Sinha)
‘Sonchiriya’ (Abhishek Chaubey)

Best Actor In A Leading Role (Male)
Ranveer Singh (‘Gully Boy’)

Best Actor (Critics)
Ayushmann Khurrana (‘Article 15’)

Best Actor In A Leading Role (Female)
Alia Bhatt (‘Gully Boy’)

Best Actress (Critics)
Bhumi Pednekar (‘Saand Ki Aankh’)
Taapsee (‘Saand Ki Aankh’)

Best Actor In A Supporting Role (Female)
Amruta Subhash (‘Gully Boy’)

Best Actor In A Supporting Role (Male)
Siddhant Chaturvedi (‘Gully Boy’)

Best Music Album
‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari
‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva

Best Lyrics
Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’

Best Playback Singer (Male)
Arijit Singh…Kalank Nahi…’Kalank’

Best Playback Singer (Female)
Shilpa Rao…Ghungroo…’War’

Best Debut Director
Aditya Dhar – ‘Uri: The Surgical Strike’

Best Debut Actor
Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’

Best Debut Actress
Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’

Best Original Story
‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki

Best Screenplay
‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar

Best Dialogue
‘Gully Boy’- Vijay Maurya

Lifetime Achievement Award
Ramesh Sippy

Excellence In Cinema
Govinda

RD Burman Award For Upcoming Music Talent
Sashwat Sachdev- URI

February 14, 2020
isi_logo.png
4min5780

ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.

Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.

ISI Admission 2020: Important Dates

EventDate
Online Application Starts14.02.2020
On-line Application Ends06.03.2020
Payment of Application Fee Starts14.02.2020
Payment of Application Fee Ends10.03.2020
ISI ADMISSION TEST10.05.2020

Official website of ISI — isical.ac.in

The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”

Selection Procedure

The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.

Application Fee

  • All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
  • All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
  • The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.

Helpdesk

Candidates can contact on the helpdesk number provided below if required.

Help Desk

  • Helpdesk – 9 a.m. to 9 p.m. (Mon-Sat)
  • Phone: 6292218757 and 6292218758
  • Email: isiadmission2020@isical.ac.in
February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12350

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com