CIA ALERT

WE Archives - Page 18 of 57 - CIA Live

September 12, 2020
neet.jpg
6min16320

સુરતમાં અંબાણી સ્કુલની જગ્યાએ રેડીયન્ટ પીપલોદ ખાતે પરીક્ષા લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેર જિલ્લા કે દક્ષિણ ગુજરાતમાંથી નીટ 2020 પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે કે જે બાળકોની હોલ ટિકિટમાં પરીક્ષાનું કેન્દ્ર સુરત શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી જે.એચ. અંબાણી સ્કુલનું કેન્દ્ર દર્શાવવામાં આવ્યું છે એ પરીક્ષા કેન્દ્ર છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું છે. હવે જે.એચ.અંબાણી સ્કુલની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે બદલવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓની હોલટિકીટમાં જે.એચ. અંબાણી સ્કુલનો પરીક્ષાકેન્દ્ર તરીકે ઉલ્લેખ છે તેમણે પરીક્ષા આપવા માટે રેડીયન્ટ ઇંગ્લિશ એકેડેમી, રાજહંસ સિનેમા સામે, પીપલોદ, સુરત ખાતે જવાનું હોવાની જાહેરાત અખબારોમાં પણ આપવામાં આવી છે.

ઉપરોક્ત જાહેરાત તા.12મી સપ્ટેમ્બર 2020ના દિવ્યભાસ્કર દૈનિક, સુરત આવૃતિના પાના નં.9 પર પ્રકાશિત કરવામાં આવી છે

સૂચના મુજબના કપડા નહીં પહેરીને જશો તો કાઢી પણ મૂકી શકે, નીટ કેન્દ્રો પર ખૂબ કડકાઇ હોય છે, સહેજેય ઓવરકોન્ફીડન્સમાં ન રહેતા

ઉપરોક્ત સૂચનાઓ સત્તાવાર રીતે ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલા નીટ-2020 પરીક્ષાના નોટિફિકેશનના પેજ નં.29 પર ઉપલબ્ધ છે. એ પેજની જેપીજી ઇમેજ અહીં રજૂ કરવામાં આવી છે.

નીટ પરીક્ષા 2020નું ગુજરાતી ભાષામાં સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં જોઇતું હોય તો 98253 44944 પર નીટ શબ્દ વ્હોટસએપ કરવો

The candidates should to follow the following dress code while appearing for NEET (UG) – 2020

a) Light clothes with long sleeves are not permitted. However in case, candidates come in cultural/customary dress at the Examination Centre, they should report at least an hour before the last reporting time i.e. 12.30 pm so that there is enough time for proper frisking without any inconvenience to the candidate while maintaining the sanctity of the examination.

b) Slippers, sandals with low heels are permitted. Shoes are not permitted.

c) In case of any deviation required due to unavoidable (medical, etc.) circumstances, specific approval of NTA must be taken before the Admit Cards are issued.

It is desired that the candidates follow instructions issued by the NTA strictly. This will help NTA in the fair conduct of examination.

NEET 2020 in Brief

The National Testing Agency (NTA) is all set to conduct the National Eligibility Cum Entrance Test Undergraduate (NEET-UG), 2020 on Sunday, September 13, 2020.

Apart from following the Standard Operating Procedure (SOP) for the examination, candidates are required to follow the dress code on the examination day.
NEET (UG) – 2020 is a Pen & Paper-based test, to be answered on the specially designed machine gradable sheet using Ball Point Pen.

An All India Merit List of the qualified candidates shall be prepared on the basis of All India Rank in the Merit List of the NEET (UG) – 2020 and candidates shall be admitted to Undergraduate Medical Courses from the said list only, with existing reservation policy.

NTA will only provide All India Rank to candidates, while Admitting Authorities will invite applications for Counselling and merit list shall be drawn based on All India Rank by the Admitting Authorities. Admission to Undergraduate Medical Courses within the respective categories shall be based solely on All India Rank as per merit list of NEET (UG) – 2020.

Admission to AIIMS/JIPMER/Deemed Universities/Central Universities/ESIC including Delhi University (DU), BHU & AMU will be conducted by DGHS/MoA/AACCC and reservation policy will be as per rules and regulations of the concerned University or Institutions.

Candidates should register on MCC website for admission to Deemed /Central University/ ESIC and AFMC for MBBS/BDS courses and AACCC website for admission to Deemed Universities/Central Universities/National Institutes for Undergraduate Medical Courses.

Admission to AFMC, Pune shall be subject to the norms prescribed by the Directorate General of Armed Forces Medical Services, Ministry of Defence, Government of India. Candidates who apply for NEET (UG) – 2020 and/or for seeking admission in AFMC also need to apply to AFMC on www.afmc.nic.in/www.afmcdg1d.gov.in.

September 12, 2020
educationpolicyjpg.jpg
1min3480

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવનારો નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિને અનુરૂપ હશે.

વર્ષ ૨૦૨૨માં દેશ જ્યારે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાં સુધીમાં નવા અભ્યાસ્રમને નવી શિક્ષણ નીતિને અનુરૂપ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ તેમ જ તેમના પરિવારજનો માટે પ્રેશરશિટ અને પ્રેસ્ટિજશિટ બની ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આશય આ પ્રેશર દૂર કરવાનો છે.

નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમ ઘટાડશે તેમ જ શિક્ષણને મનોરંજન અને સંપૂર્ણ અનુભવ આધારિત બનાવશે, એમ તેમણે કહ્યું હતું.

શિક્ષણ ખાતા દ્વારા આયોજન કરવામાં આવેલી ‘સ્કૂલ ઍજ્યૂકેશન કૉન્ક્લેવ’ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અભ્યાસક્રમનું માળખુ વિકસાવવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યાર સુધીમાં તે તૈયાર થઈ જશે.

નવો અભ્યાસક્રમ વૈજ્ઞાનિક ઢબનો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

નવી શિક્ષણ નીતિના અમલ અગાઉ માય ગવર્નમેન્ટ પૉર્ટલ મારફતે એક જ અઠવાડિયામાં ૧૫ લાખ કરતા પણ વધુ સૂચનો આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરતા તેમણે કહ્યું હતું કે ભાષા માત્ર અભ્યાસ કરવાનું માધ્યમ છે, પરંતુ ભાષા પોતે અભ્યાસ નથી.

વડા પ્રધાને શિક્ષકોને કોરોના વાઈરસની માર્ગદર્શિકાનું ભારપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

તેમણે શિક્ષકોને માસ્કથી મોઢું ઢાંકવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં માર્ક અને માર્કશિટ આધારિત શિક્ષણ હતું.

માર્કશિટ વિદ્યાર્થીઓ માટે પ્રેસરશિટ અને પરિવારજનો માટે પ્રેસ્ટિજશિટ બની ગઈ હતી.

નવી શિક્ષણ નીતિ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવા ઉપરાંત મનોરંજન, શોધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ તેમણે કહ્યું હતું.

નવી પેઢીના બાળકોના શિક્ષણ માટે ‘ઍન્ગેજ, ઍક્સપ્લોર, ઍક્સપ્રેસ ઍન્ડ ઍક્સલ’ નવો મંત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

અમારું કામ હજુ તો શરૂ થયું છે એ જણાવતાં મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો સમાનતા અને અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ નવા યુગના આરંભનું બીજ વાવશે અને તે ૨૧મી સદીના ભારતને નવી દિશા આપશે, એમ તેમણે કહ્યું હતું.

September 7, 2020
Kangana_Ranaut_PTI.jpg
2min3220

શિવસેના સાથેનો વિવાદ વકરતા કંગનાને Y કેટેગરીની સુરક્ષા

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંગના રણૌતને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા આપવામાં આવતા વીઆઈપી લોકો માટે 11 સુરક્ષાકર્મીઓને ખડેપગે રાખવામાં આવે છે. 11 સુરક્ષાકર્મીઓમાં એક અથવા બે કમાન્ડો અને બે પીએસઓનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે Y કેટેગરી અંતર્ગત 11થી વધારે લોકોને Y કેટેગરીની સુરક્ષા આપી હતી. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માનો સમાવેશ થાય છે. 

સુશાંત સિંહ રાજપૂતના કેસના મામલે લોકપ્રીય અભિનેત્રી કંગના રણૌત અને શિવસેના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. બંને એકબીજા પર વાક્બાણ છોડીને પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન કંના રણૌત 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા થયેલા કેટલાક વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને હવે કંગનાને કેન્દ્ર સરકાર તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ જ્યારે કંગના રણૌત મુંબઈ એરપોર્ટ પર ઉતરશે ત્યારે સુરક્ષાકર્મીઓ તેની સાથે હશે. 

September 2, 2020
ibps.jpg
4min76400

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન The Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા દેશની નામાંકિત 11 નેશનલાઇઝ્ડ બેંકોમાં ખાલી પડેલી ક્લેરીકલ કેડરની કુલ 1558 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજરોજ તા.2 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી છે.

કોઇપણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે

રસ ધરાવતા ઉમેદવારોએ official website of IBPS — ibps.in પરથી ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.

આ બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે

  • Bank of Baroda,
  • Canara Bank,
  • Indian Overseas Bank,
  • UCO Bank,
  • Bank of India,
  • Central Bank of India,
  • Punjab National Bank,
  • Union Bank of India,
  • Bank of Maharashtra,
  • Indian Bank Punjab &
  • Sind Bank

રસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની તારીખો

Activity Tentative Dates
On-line registration 02.09.2020 to 23.09.2020
Payment of Application Fees02.09.2020 to 23.09.2020
Download of call letters for Pre- Exam17.11.2020 onwards
Conduct of Pre-Exam Training23.11.2020 to 28.11.2020
Download of call letters for Online examinationPreliminary 18.11.2020
Online Examination – Preliminary05.12.2020, 12.12.2020 and 13.12.2020
Result of Online exam – Preliminary31.12.2020
Download of Call letter for Online exam – Main12.01.2021
Online Examination – Main24.01.2021
Provisional Allotment01.04.2021

પરીક્ષા દ્વી સ્તરીય

આ પરીક્ષા પ્રીલીમનરી અને મેઇન એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રીલીમનરી પરીક્ષા 5મી ડિસેમ્બર, 12 ડિસેમ્બર અને 13મી જાન્યુઆરીએ લેવાશે. મેઇન એક્ઝામ તા.24મી જાન્યુઆરીએ લેવામાં આવશે.

In English

The Institute of Banking Personnel Selection (IBPS) has invited online applications for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Organisations.

The interested candidates can submit their online applications for the IBPS Clerk 2020 recruitment through the official website of IBPS — ibps.in — from today, i.e., September 2, 2020. The last date to submit online applications for the IBPS Clerk post is September 23. Candidates can make application fee payments between September 2 to 23.

IBPS is conducting this recruitment drive to fill up 1558 Clerical vacancies. The recruitment process will include online preliminary exam and online main examination.

The notification reads “Depending on the vacancies to be filled in during the financial year 2021-22 based on the business needs of the Participating Organisations and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Organisations keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-X will automatically expire at the close of business on 31.03.2022 with or without giving any notice.”

ભરતી પ્રક્રિયાનું સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં મેળવવા માટે 98253 44944 પર IBPS sms કરો

August 31, 2020
coronavirus-children.jpg
3min744

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો

MIS-C શું છે ? સમજો પહેલા

Multisystem inflammatory syndrome in children (MISC), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.

એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.

(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી

  • 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
  • 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
  • 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
  • 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
  • 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
  • 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.

વિસ્તારમાં સમજ

જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.

પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.

બીમારીના લક્ષણો શું છે?

  • બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
  • આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
  • આંખો લાલ થવી
  • શરીર પર ચકામા આવવા
  • નબળાઇ લાગવી
  • નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
  • ચીડિયો સ્વભાવ થવો
  • શરીરના ભાગમાં દુખાવો થવો
  • જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?

• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?

• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.

11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.

12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.

13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.

August 29, 2020
vinesh-phogat-2-1280x720.jpg
1min3410

દિગ્ગજ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવિયો છે. તેને આવતીકાલે એટલે કે શનિવારના રોજ જ ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત કરવાની હતી. તેને વર્ષ 2016માં પણ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટનો કોરોનાનો રિપોર્ટ શુક્રવારના રોજ પોઝિટિવ આવ્યો છે. આ વર્ષે તેની પસંદગી દેશમાં ખેલ જગતના સર્વોચ્ચ ગણાતા એવા રાજીવ ગાંધી એવોર્ડથી સમ્માનિત થવા માટે કરવામાં આવી હતી. હાલમાં તે પોતાના કોચ ઓમ પ્રકાશની દેખ-રેખ હેઠળ સોનીપતમાં અભ્યાસ કરી રહી હતી.

ફ્રીસ્ટાઈલ રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલ પુરસ્કારોની તૈયારીઓ અંતર્ગત મારો કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સોનીપતમાં કોરોના માટે મારો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. ભગવાન ઈચ્છશે તો હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ.

હરિયાણાની 26 વર્ષીય વિનેશ ફોગાટ એ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. તેણે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા હતા. તેમજ ગયા આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલમ્પિક માટે પણ તે ક્વોલિફાય થઈ હતી.

August 26, 2020
Greta-Thunberg-.jpg
2min5630

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.

ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.

ગ્રેટા થનબર્ગનું ટ્વીટ

ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.

ગ્રેટા થનબર્ગ કોણ છે

ગ્રેટા થનબર્ગ (જન્મ: ૩ જાન્યુઆરી ૨૦૦૩)

ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.

પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.

જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

August 22, 2020
real_cia-1-1280x1022.jpg
2min6740

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.

સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે

NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી

NTA on Friday 21st August 2020

The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.

Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.

The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”

August 20, 2020
govt_jobs.jpg
1min4950

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

August 19, 2020
vnsgu.jpg
1min3760

ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.

ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી

પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર

  • ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
  • કયારે જાહેર કરાશે મેરીટ યાદી
  • ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
  • કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
  • કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
  • કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
  • પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
  • પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
  • પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.

કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે

ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.

વીર નર્મદ યુનિ. પ્રવેશમાં વિલંબથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.