CIA ALERT

વાયરલ Archives - Page 62 of 67 - CIA Live

January 18, 2019
agri-1.jpg
1min9360

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.

January 17, 2019
dancebar1-1.jpg
1min13700
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 16, 2019
swine-flu_.jpg
1min4180

ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત

14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા

સૌરાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ઠંઠીમાં સ્વાઇન ફલૂનો કેર યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉતરાયણના દિવસે સ્વાઇન ફલૂથી ત્રણ લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કેર વતાવ્યો હોય તેમ એક દિવસમાં ત્રણ લોકોના સ્વાઇન ફલૂના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે ત્રણ લોકોનો મોત નીપજ્યા હતા. રાજકોટના મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું તેમ જ ધાગધ્રાના એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન ત્રણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા. તેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગઇ તા.13મી જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું હતું.

મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમ જ અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હૉસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.

January 15, 2019
kite1.jpg
1min11680

ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.

સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

January 9, 2019
pubg.jpg
1min15680

દાદાગીરીથી ધંધો કરવો, વટથી ધંધો કરવો આજે બધા ભૂલી ગયા છે. કસ્ટમર્સ, કલાયન્ટસ, ગ્રાહકો મેળવવા માટે વેપારીઓ, વિક્રેતાઓ ગ્રાહકોના પગ પકડવાનું જ બાકી રાખતા હોય છે. પ્રોડક્ટસ કે સેવા વેચવા માટે વિક્રેતાઓ એટલા ઝૂકી જાય કે ન પૂછો વાત. પણ અહીં એવા વેપારીની વાત કરવી છે જે ઓનલાઇન ગેમ રમાડે છે અને આખી દુનિયાને હાલમાં ઘેલી ઘેલી બનાવી દીધી છે.

PUBG ગેમવાળાએ એન્ટી ચિટીંગ સોફ્ટવેર લાગૂ કર્યો અને નોટિરીયસ ગેમર્સને બેન કરી દીધા

#PUBG પબજી ગેમવાળા દાદાગીરીથી ધંધો કરે છે અને હાલમાં તેમની આ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ગેમ #PUBG પબજી રમતા 30 હજાર પ્લેયર્સને પબજીવાળાએ કાઢી મૂક્યા છે એટલે કે આ રજિસ્ટર્ડ યુઝર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેઓ તેમના આઇ.ડી.થી ગેમ નહીં રમી શકે, તેમના ડિવાઇસ પર ગેમ શરૂ નહીં થઇ શકે. #PUBG પબજીએ વિશ્વભરમાંથી 30 હજારથી વધુ પ્લેયર્સ પર બેન મૂક્યો અને આ લિસ્ટમાં સૌથી વધુ ઇન્ડિયન્સ હોવાના અહેવાલો છે.

#PUBG પબજી ગેમવાળાએ 30 હજારથી વધુ પ્લેયર્સ પર જુદા જુદા કારણોસર બેન મૂક્યો છે. પબજી ગેમવાળાઓનું કહેવું છે કે 30 હજાર પ્લેયર્સ સીધી રીતે ગેમ રમતા ન હતા. #PUBG પબજી સિવાય બીજી એપ્લિકેશન્સ કે ટુલ્સ અગર તો સોફ્ટવેર જોઇન કરીને ગેમ ફોર્મેટ સાથે ચેડાં થાય તેવી હરકતો કરી રહ્યા હતા. કેટલાક અવળચંડા યુઝર્સ અન્ય યુઝર્સની માહિતીઓ ત્રાહિત વ્યક્તિઓને સેન્ડ કરી રહ્યા હતા. કોઇપણ જાતની નોટિસ આપ્યા વગર #PUBG પબજી વાળાએ આવા નોટિરીયસ ગેમર્સને દાદાગીરીથી ગેમની બહાર કરી દીધા છે.

અહેવાલો તો એવા છે કે આ નોટિરયસ ગેમ યુઝર્સ #PUBG પબજી ગેમ રમવા માટે એટલા વ્યસની થઇ ગયા કે ઘણાં બધાએ આજીજીઓ કરી, વિનંતીઓ કરી, મેઇલ કરીને પોતાના પર બેન હટાવી લેવા જણાવ્યું. કેટલાકે ભૂલ કબૂલીને બેન ઉઠાવી લેવા #PUBG પબજીવાળાને મેસેજ કર્યા. #PUBG પબજી ગેમ રમવા માટે એક યુઝર્સ અનેક આઇડી બનાવી શકે પરંતુ, ઇન્સ્ટ્રુમેન્ટસ પણ બદલવો પડે તેવી સ્થિતિ હોવાના કારણે #PUBG ગેમ રમવાના વ્યસનીઓને પ્રતિબંધ આકરો લાગી રહ્યો છે.

January 7, 2019
immer-1280x720.jpg
1min4870
તા.5મી અને 6 જાન્યુઆરીના રોજ ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એક તરફ ત્રણ ત્રણ વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે 100થી વધુ ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાય જતા હજારો મુલાકાતીઓએ હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. એકલા અમદાવાદ એરપોર્ટ પર 35થી વધુ ફ્લાઇટસના સમય ખોરવાય જવા પામ્યા હતા.

(Symbolic Photo)

શનિ-રવિ, તા.5 અને 6 જાન્યુઆરી 2019ના 24 કલાક દરમિયાન ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના ત્રણ ત્રણ વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના બનતા ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી છે કે ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ ઉપરા છાપરી કયા કારણોસર આકાર પામી છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે પણ ત્રણે ઘટનાઓની ઝીણવટભરી તપાસના આદેશો જારી કર્યા છે. વિમાનના ઇમજન્સી લેન્ડિંગની એક ઘટનામાં તો વિમાન આકાશમાં 30 હજારથી વધુ ફીટની ઉંચાઇએ હતું ત્યારે જ તેનું એન્જિન એકાએક બંધ થઇ ગયું હતું. યાત્રીઓના જીવ જોખમમાં મૂકાયા ત્યારે વિમાનને સહીસલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

ક્યાં ક્યાં બની ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ 
ઘટના-1
રવિવાર તા.6 જાન્યુઆરીએ દુબઇ જઇ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાંત્રિક ખામી થતા મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ઘટના-2
ઇમરજન્સીની એક બીજી ઘટના રવિવારે વારાણસીમાં આકાર પામી હતી. ઇમરજન્સી લેન્ડિંગની આ ઘટનામાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલા બોઇંગ 737નું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટના જમણા એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વારાણસીમાં તાત્કાલિક લેન્ડિંગની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 142 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમને બીજી ફ્લાઇટના વ્યવસ્થા કરી તેમના યાત્રા સ્થળે પહોંચાડવામાં આવશે. માહિતી મુજબ વિમાનમાં બે એન્જિન હોય છે પરંતુ ઉડાન દરમિયાન ઇંધણ ન મળતા વિમાનનું જમણું એન્જિન બંધ થઇ ગયું હતું. આ ઘટના પટનાના એરસ્પેસમાં બની હોવાથી નજીકના વારાણસી એરપોર્ટ પર તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
ઘટના-3
ઇમરજન્સી લેન્ડિંગની ત્રીજી ઘટના શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ના રોજ રાત્રિએ કલકત્તામાં પણ એક વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના વિમાન AI-355 બેંગકોકથી દિલ્હી આવી રહી હતી પરંતુ ઇંધણ લિકેજ થતા ઇમરજન્સી લેન્ડિંગની સ્થિતિ ઊભી થઇ હતી.

ખરાબ વાતાવરણે દાટ વાળ્યો, 100થી વધુ ફ્લાઇટ લેટ, એકલા અમદાવાદમાં 35થી વધુ ફ્લાઇટ્સ લેટ પડી

છેલ્લા બે દિવસમાં ૧૦૦થી વધુ ફ્લાઇટ લેટ થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે.  કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતથી ઉપડતી તમામ ફ્લાઇટ્સના શિડ્યૂલ ખોરવાયા હતા. દક્ષિણ તરફથી આવતી ફ્લાઇટ્સના પણ ખરાબ હવામાનને લીધે શિડ્યૂલ ખોરવાઇ ગયા હતા અને હજારો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ આવતી અને જતી ૩૫થી વધુ ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ પડતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
ડોમેસ્ટિક ઉપરાંત લંડન અને શારજાહ તથા દુબઇ જતી ફ્લાઇટ્સ પણ કલાકો મોડી પડી હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી. ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ થતાં બાળકો અને સિનિયર સિટીઝન સાથે મુસાફરી કરતાં મુસાફરોની સ્થિતિ દયનિય બની જતી હોય છે. કનેક્ટ ફ્લાઇટ પણ ચુકી જવાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
December 26, 2018
balaji-mbbs.jpg
1min4960

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી હનુમાનજી ને ડૉક્ટરનો ડ્રેસ, ઇક્વિપમેન્ટસ સમેતનો શણગાર કરવામાં આવ્યો હતો.

BALAJI MBBS

રાજકોટમાં બાલાજી મંદિર ખાતે બિરાજમાન બાલાજી હનુમાનજી સમગ્ર સૌરાષ્ટ્રમાં જ નહીં બલ્કે જગવિખ્યાત ભગવાન છે. લાખો લોકોની આસ્થાનું પ્રતિક સમા બાલાજી ભગવાનને ગયા શનિવાર તા.26મી ડિસેમ્બર 2018ના રોજ તબીબના વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને બાલાજી મંદિરને બાલાજી હોસ્પિટલના નામથી શણગાર કરીને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે ગુજરાત તેમજ દેશના સામાન્ય લોકોના આરોગ્યનું રક્ષણ કરજો ભગવાન….

ગુજરાતમાં વધી રહેલા ડેન્ગ્યુ ફીવર અને સ્વાઇન ફ્લુ જેવી જીવલેણ બીમારીના કેસો ઘટે અને લોકોનું આરોગ્ય જળવાય એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજી મંદિરના બાલાજીને ડૉક્ટરના વાઘા પહેરાવીને એ મુજબનો શણગાર કરી આ પ્રકારના રોગચાળા સામે રક્ષણ કરવા માટે તા.24મી ડિસેમ્બર 2018ના રોજ શનિવારે આરતી કરવામાં આવી હતી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિરમાં બાલાજી ભગવાનને ક્યારેય આ પ્રકારના વાઘા પહેરાવવામાં નથી આવ્યા. આ પહેલો પ્રસંગ હતો કે જેમાં ભગવાનને ડૉક્ટર બનાવવામાં આવ્યા હોય.

December 24, 2018
mainved.jpg
1min15250

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 23, 2018
1min6280
  • 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા
  • ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું શટડાઉન કટોકટીનો આરોપ ડેમોક્રેટ્સ પર 
  • મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની ટ્રમ્પની માંગણીની ધરાર અવગણના

અમેરિકા સમેત સમગ્ર વિશ્વના સૌથી મોટા ઉત્સવ ક્રિસમસના બે દિવસ પૂર્વે જ અમેરીકામાં ગવર્નમેન્ટ શટડાઉનનો આરંભ થયો છે. સરકારી કર્મચારીઓના પગાર, સરકારી ખાતાઓના બજેટ તેમજ પ્રેસીડેન્ટ ટ્રમ્પની કેટલીક દરખાસ્તો પર કોઇપણ પ્રકારનો નિર્ણય કર્યા વિના જ અમેરીકી સંસદ ગૃહ મુલતવી રહ્યું છે, જેને લઇને અમેરિકામાં લાખો લોકોના વેતન, સરકારી કચેરીઓના ખર્ચાઓની ફાઇલો અટકી પડવા પામી છે. અમેરીકાના અર્થતંત્રમાં આ કટોકટીને યુએસ શટડાઉન કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટા તહેવાર ક્રિસમસ પૂર્વે જ હજારો નહીં પણ લાખો કર્મચારીઓ વેતન વગર રઝળી પડ્યા છે અને અમેરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવીને હાથ ઉંચા કરવાની કોશીસ કરી હતી.

અમેરિકામાં સમવાયી ખર્ચ સંદર્ભના ખરડાને પસાર કર્યા વિના અને બોર્ડર વોલ બાંધવા જોઈતા નાણાં માટે નાણાંકીય જોગવાઇ કરવા અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીની દરકાર કર્યા વિના અમેરિકી સંસદ મુલતવી શનિવાર તા.22મી ડિસેમ્બર 2018ની સાંજે મુલતવી રહી હતી. આ સાથે ક્રિસમસ પૂર્વેનું અમેરિકી સરકારનું શટડાઉનનો પણ આરંભ થયો છે.

અમેરીકી સરકારનું આ શટડાઉન કેટલું લાંબુ ચાલશે તે કંઈ સ્પષ્ટ થતું ન હોવાના મતો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા હતા, જો કે શુક્રવારે મોડી રાતે ટ્રમ્પે એવી આશા વ્યક્ત કરી હતી કે તે લાંબુ નહીં ચાલે.’ તેના એક પરિણામરૂપે 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને બેઉ પક્ષના સંસદીય નેતાઓ વચ્ચે કેપિટોલ હિલ ખાતે છેલ્લી ઘડીની વાટાઘાટો છતાં કેટલીક ચાવીરૂપ એજન્સીઓની કામગીરી શનિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે 12.01 કલાકે અટકી પડી હતી. આ કટોકટીનું આળ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર મૂક્યું છે.

મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની માગણી ટ્રમ્પે કરી છે, જેનો ડેમોક્રેટ્સ કટ્ટરપણે વિરોધ કરે છે, સમજૂતીના અભાવે ડઝનબંધ એજન્સીઓના ભંડોળો મધરાત બાદ લેપ્સ થવાની નોબત આવી. શટડાઉન નિવારવાની કોઈ જ ગતિવિધિઓ વિના, અમેરિકી સંસદનું પ્રતિનિધિ ગૃહ (નીચલું ગૃહ) શુક્રવારે સાંજે 7 વાગ્યા પહેલાં મોકૂફ રાખી દેવાયું હતું અને સેનેટ (ઉપલું ગૃહ)તેના એક કલાક બાદ મોકૂફ કરી દેવાયું હતું.

મિલિટરી, આરોગ્ય/માનવસેવાઓના વિભાગ સહિત સરકારના ત્રણ ચતુર્થાંશ ભાગો આગામી સપ્ટે.સુધી પૂર્ણ ભંડોળ ધરાવે છે અને 25 ટકા ભાગ શનિવારે ભંડોળ વિહોણો થઈ ગયો હતો.

શું થાય છે શટડાઉનનો અર્થ

In United States politics, a government shutdown occurs when Congress fails to pass or the President refuses to sign appropriations legislation funding federal government operations and agencies.

https://www.theguardian.com/commentisfree/2018/dec/23/us-economic-precipice-donald-trump-government-shutdown

December 22, 2018
oyster_hotel.jpg
1min3980

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઓયસ્ટર હોટલ કે જ્યાંથી તા.21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસે 21 દારુ પીધેલી મહિલાઓને ઝડપી પાડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ઓયસ્ટર હોટલ કે જ્યાં દારુની પાર્ટી ચાલી રહી હતી એ ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં કશુંક રંધાયું હોવાની વાતોએ વેગ પકડ્યું છે.

શહેરની માલેતુજાર મહિલાઓને હોટેલ જેવા પબ્લિક પ્લેશમાં દારુની ખુલ્લેઆમ પાર્ટી અને એ પણ ડી.જે.ના મ્યુઝિકના સથવારે કરવા દેવાની પરવાનગી આપનાર ઓયસ્ટર હોટેલના સંચાલકો આ કેસમાં પણ પોતાનું નામ ન આવે તે માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે તા.21મી ડિસેમ્બર 2018ના રોજ માલેતુજાર મહિલાઓને દારુની પાર્ટી કરવાની ઓયસ્ટર હોટેલના સંચાલકોએ બિન્ધાસ્ત રીતે છૂટ આપી એવી જ રીતે આ હોટેલમાં છાશવારે દારુની મહેફિલો જામતી રહે છે, હોટેલના સંચાલકો મોટી રકમ વસુલ કરીને તમામ વ્યવસ્થા કરી આપતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

21 દારુ પીધેલી મહિલાઓ ઝડપાવાના કેસમાં ઉમરા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ઓયસ્ટર હોટેલમાં આ પ્રકારની પાર્ટી ખુલ્લેઆમ ચાલી રહી હતી, મહિલાઓ વ્હીસ્કી, દારુ અને વાઇન ઢીંચી રહી હતી, ખુલ્લેઆમ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું આમ છતાં ઓયસ્ટર હોટેલના સંચાલકોએ પાર્ટી કેમ ચાલવા દીધી, ઓયસ્ટર હોટેલમાં આ પાર્ટી માટે બુકિંગ કોણે કરાવ્યું હતું, કેટલા રૂપિયા લઇને દારુની પાર્ટી કરવા દેવામાં આવે છે વગેરેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાય તેમ છે.

પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયસ્ટર હોટલ અગાઉ પણ ગોરખધંધા માટે બદનામ થઇ ચૂકી છે. ઇલિગલ કપલ્સ માટેનું આ મિટીંગ સ્થળ ગણાય છે, એ સિવાયના ધંધાઓ પણ થતા હોવાની ગંભીર ફરીયાદો હોવા છતાં પોલીસે હજુ સુધી ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અગાઉ તા.29મી ડિસેમ્બર 2015ના રોજ ઉમરા પોલીસે ઓયસ્ટર હોટેલમાં ગેરકાનૂની રીતે ચાલી રહેલા હુક્કાબાર પર રેડ પાડીને તેના એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. એ વખતે પણ ઓયસ્ટર હોટેલના સંચાલકો યેનકેન પ્રકારે કાયદાની ચુંગાલ માંથી છટકી ગયા હતા.

સુરતની ઓયસ્ટર હોટલમાં 29મી ડિસેમ્બર 2015ના રોજ હુક્કાબાર પર પોલીસે રેઇડ કરી હતી. અહીં જીતેન્દ્ર ઠાકુર નામના કર્મચારીને હાજર કરીને તેની સામે કેસ કરાયો હતો. અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમયે છપાયેલા સમાચારની લિંક પ્રસ્તુત છે

https://timesofindia.indiatimes.com/city/surat/New-Year-crackdown-Hookah-bars-raided/articleshow/50388873.cms