CIA ALERT

વાયરલ Archives - Page 24 of 67 - CIA Live

June 30, 2021
tofel.png
2min584

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Educational Testing Service ETS એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવી મહત્વની અને ઉપયોગી જાહેરાત કરી છે કે વિદેશ જવા માટે જરૂરી ટૉફ્લ અને જીઆરઇ જેવી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસે પાસપોર્ટ નહીં હોય તો પણ આધાર આઇન્ડેન્ટીટીની મદદથી તેઓ પરીક્ષા માટે નોંધણી કરાવીને પરીક્ષા આપી શકશે. તા.1લી જુલાઇ 2021થી હંગામી ધોરણે, બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી ફક્ત ભારતમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સુધારો લાગૂ કરવામાં આવશે.

ભારતમાં હાલ કોરોનાના કારણે વિદેશ જવા ઇચ્છતા અનેક વિદ્યાર્થીઓ પોતાનો પાસપોર્ટ કઢાવી શકતા નથી કે રિન્યુ કરાવી શક્તા નથી. વિદેશ જવા માટે જરૂરી ઇંગ્લીશ ટેસ્ટ ટૉફ્લ તથા જીઆરઇ વગેરેના રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પરંતુ, હાલની ભારતીય વિદ્યાર્થીઓની પરિસ્થિતિને જોતા ઇટીએસ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે સુધારો કર્યો છે અને ભારતીય વિદ્યાર્થીઓ આધાર આઇ.ડી.ની મદદથી ટૉફ્લ જીઆરઇ જેવી પરીક્ષાઓ આપી શકશે.

પાસપોર્ટ નહીં હોય તો આધાર આઇ.ડી.થી નીચે જણાવેલી પરીક્ષા આપી શકાશે

  • TOEFL iBT test,
  • TOEFL iBT Home Edition,
  • TOEFL Essentials test (beginning Aug. 2021),
  • GRE General Test, GRE General Test at home and
  • GRE Subject Tests (beginning Oct. 2021)
GRE and TOEFL Advice – BITS R&D

ETS has announced that beginning July 1, 2021, the Aadhaar Card will be temporarily considered as an acceptable form of identification for applicants taking TOEFL and GRE tests in India until further notice.

The exception is applicable to the TOEFL iBT test, TOEFL iBT Home Edition, TOEFL Essentials test (beginning Aug. 2021), GRE General Test, GRE General Test at home and GRE Subject Tests (beginning Oct. 2021).

Indian students will be required to furnish an original full version of their Aadhaar Card as received in the mail, which can be used for TOEFL and GRE tests either taken in-person from a third-party test centre, or at home.

June 30, 2021
moderna.jpg
1min321

દેશમાંની ઔષધને લગતી નિયામક સંસ્થા – ડ્રગ્સ ક્ધટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાએ મુંબઈની સિપ્લાને દેશમાં ‘ઇમરજન્સી (તાકીદના) સીમિત વપરાશ’ માટે મૉડર્નાની કોવિડ-૧૯ સામેની રસીની આયાત માટે પરવાનગી આપી હતી.

ભારતમાં હાલમાં ત્રણ રસી – કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક રસી મળે છે તેમ જ ચોથી રસી તરીકે મૉડર્ના વાપરી શકાશે. રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (‘નિતિ’ આયોગ)ના આરોગ્ય વિભાગના સભ્ય ડૉ. વી. કે. પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મૉડર્ના રસીના સીમિત અને તાકીદના (ઇમરજન્સી) વપરાશ માટે પરવાનગી અપાઇ છે અને તેથી તેની ટૂંક સમયમાં આયાત શરૂ થવાની આશા છે.તેમણે જણાવ્યું હતું કે અમે ફાઇઝર અને જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીને ભારતમાં લાવવાના અને દેશમાં તૈયાર થતી રસીનું ઉત્પાદન અનેક ગણું વધારવાની કોશિશ કરી રહ્યા છીએ.

June 26, 2021
delta_variant.jpg
1min247

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.

કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે

ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.

VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ

INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ

કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે  અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.

કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે.  WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.

ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો

ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.

June 25, 2021
bjp_vs_congress.jpg
1min284

બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.

રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.

June 22, 2021
hubard.jpg
1min408

લોરેન હબર્ડ 185 કિલોગ્રામ વજન ઊંચકીને ટોકયો ઓલિમ્પિકમાં મહિલા સુપર હેવી વેઇટ વર્ગ માટે ટિકીટ પાકી કરી લેતાં ઓલિમ્પિક માટે કવોલિફાઇ થનાર પ્રથમ ટ્રાંસજેંડર ખેલાડી બની ગઇ છે. આઠ વરસ પહેલાં પુરૂષમાંથી મહિલા બનેલી હર્બડ એ ખેલાડીઓમાં સામેલ છે, જેમની સોમવારે ન્યૂઝિલેન્ડની ટોકયો જનારી ટીમમાં પસંદગી કરાઇ છે.

ખાસ ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય લોરેલ વેઇટલિફટીંગમાં સૌથી મોટી વયની રમતવીર હશે. સમોઆમાં 2019માં પ્રશાંત ક્ષેત્રિય રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર હબર્ડે કહ્યું હતું કે, ન્યૂઝિલેન્ડના લોકો તરફથી મળેલાં સમમર્થન બદલ હું સૌની આભારી છું.

June 22, 2021
amarnath-copy.jpg
1min373

બાબા બર્ફાનીના દર્શનની ઈચ્છા રાખી અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુને હવે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. કોરોના વાયરસને ધ્યાને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ એલાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કરી દીધું છે. આ સાથે બાબા બર્ફાનીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિન્હાએ કહ્યું હતું કે, કોરોનાને ધ્યાને લઈને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા ચાલુ વર્ષે પ્રતિકાત્મક રહેશે. તમામ પારંપરિક વિધિ પહેલાની જેમ જ પૂરી કરવામાં આવશે. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે, લોકોનું જીવન બચાવવું પણ જરૂરી છે.

વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો શ્રદ્ધાળુઓની ભાવના સમજે છે અને તેનું ધ્યાન રાખીને સવારે અને સાંજે આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરરોજ બન્ને આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

આ મામલે શ્રાઇન બોર્ડના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું હતું કે, છડી મુબારક 22 ઓગસ્ટના રોજ પવિત્ર ગુફામાં પહોંચશે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થશે.

તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધાળુ www.shriamarnathjishrine.com/aartilive.html,’ લિંક મારફતે અથવા

બોર્ડની મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરથી http://play.google.com/store/apps/details?id=com.ncog.shriamarnath શ્રદ્ધાળુઓ લિંક મારફતે ડાઉનલોડ કરી શકશે.

June 21, 2021
jobloss.jpg
1min256

કોરોના મહામારીની બીજી લહેરના પરિણામે ભારતમાં રોજગારીની સ્થિતિ અત્યંત દયનિય બની ગઇ છે એવું જણાવતા સેન્ટ્રર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઇઆઇ) એ જણાવ્યુ કે, ભારતમાં લેબર માર્કેટની સ્થિતિ એપ્રિલ-મે દરમિયાન ગત વર્ષની તુલનાએ પણ અત્યંત ખરાબ છે જ્યારે પાછલા વર્ષે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતુ.

સીએમઇઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, દેશમાં મે ૨૦૨૧માં બેરોજગારીનો દર વધીને ૧૧.૯ ટકા થયો છે, જે જૂનમાં પણ વધી રહ્યો છે. ૬ જૂન, ૨૦૨૧ સુધીના ૩૦ દિવસનો સરેરાશ બેરોજગારીનો દર હાલ ૧૩ ટકાના સ્તરે પહોંચી ગયો છે. તો બીજી બાજુ શ્રમિકોની ભાગીદારી ૪૦ ટકાથી નીચે ઉતરી ગઇ અને તે હાલ ૩૯.૭ ટકા થઇ ગઇ છે. તો શ્રમ બજારના સૌથી મોટો માપદંડ ગણાતો રોજગારી દર મે મહિનામાં ઘટીને ૩૫.૩ ટકા અને ૬ જૂન, ૨૦૨૧ સુધીમાં વધુ ઘટીને ૩૪.૬ ટકા ટકા થયો છે.

સીએમઇઆઇના સીઇઓ મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એપ્રિલ અને મે ૨૦૨૦ના દેશવ્યાપી લોકડાઉન બાદ જ ભારતના લેબર માર્કેટની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન લેબર માર્કેટની સ્થિતિ ઝડપથી બગડી છે.

જો કે તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રોમાં ગુમાવેલી અનૌપચારિક નોકરીઓમાં ઝડપી રિકવરીની અપેક્ષા છે, પરંતુ લોકડાઉનથી સ્વતંત્ર રોજગારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કુલ ૩.૬૮ કરોડ લોકોએ ગુમાવી છે. તેમાં દૈનિક વેતન મેળવતા મજૂરોની સંખ્યા ૨.૩૧ કરોડ છે. તો પગારદાર લોકોની સંખ્યા ૮૫ લાખ અને બાકીના સ્વરોજગાર મેળવનાર છે. રોજગારી મોરચે પરિસ્થિતિ સુધારવા કે વર્ષ ૨૦૧૯-૨૦ના સ્તરે પરત લઇ જવા માટે ભારતીય અર્થવ્યવસ્થામાં મક્કમ રિકવરીની આવશ્યકતા છે.

June 21, 2021
mutual_funds.jpg
1min242

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-૨૦૨૦માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે.

એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ ૪.૬૭ લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ એસઆઇપી એયુએમ રૂ.૧૨૫૩૯૪ કરોડની હતી જે વધીને ૩૧ મેના અંતે રૂ.૪૬૭૩૬૬.૧૩ કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

એમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.૪.૬૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ., ૯૬૦૮૦ કરોડ થયો છે, જે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૪૩૯૨૧ કરોડ હતો.

ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે ૨૦૨૧ સુધીમાં ૨.૫૨ ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી ૮,૮૧૯ કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ ૨૦૧૬માં માસિક રૂ.૩૪૯૭ કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. ૪૨,૧૪૮ કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે ૨૦૨૧ માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે ૩.૮૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ ૨૦૧૬માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ ૨૦૧૬ માં ૫.૮૮ લાખની સરખામણીએ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે ૧૫.૪૮ લાખ થઈ ગઈ છે.

June 19, 2021
Milkha-Singh.jpg
1min355

છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.

ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

June 19, 2021
petrol-diesel-1.jpg
1min228

એક દિવસના વિરામ બાદ તા.18મી જૂન 2021ને શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ધીમા ઝેર જેવો વધારો આગળ ધપ્યો હતો.

ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવાર તા.18મી જૂને પેટ્રોલનાં ભાવમાં 28થી 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 26થી 27 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં’ 6.પ7 રૂપિયા અને ડીઝલમાં 6.96 રૂપિયાનો કુલ ડામ આવી ગયો છે.

તા.18મી જૂને દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 96.93 અને ડીઝલનો ભાવ 87.69 રૂપિયા નોંધાયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.08 અને ડીઝલનો ભાવ 9પ.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતો.

છેલ્લા 50 દિવસમાં વાહન ઈંધણનાં ભાવમાં કુલ 27 વખત વધારો થયો છે અને ભાવ સર્વકાલીન ઉંચાઈઓ સર કરી ગયો છે.’ દેશનાં કુલ મળીને 12 રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભાવ હવે 100 રૂપિયા થઈ ગયો છે. તો બિહાર, તેલંગણ, કર્ણાટક, જમ્મ-કાશ્મીર, મણિપુર, ઓરિસ્સા, તામિળનાડુ અને લદ્દાખનાં અનેક ભાગોમાં ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે.