CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 24 of 67 - CIA Live

September 30, 2020
mitis.jpg
1min5050

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા સુરતના જાણીતી સી.એ. મિતીશ મોદી આ પદના ખરા દાવેદાર એટલા માટે પણ છે કે તેમણે દક્ષિણ ગુજરાત સમેત સમગ્ર ગુજરાતની સુગર ફેક્ટરીઓ જોગ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢવામાં આવેલી કુલ રૂ.2400 કરોડની ટેક્સ ડિમાંડને છેક વડાપ્રધાન શ્રી મોદી સુધી રજૂઆતો કરીને આખરે ઝીરો કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ, સુગર ફેક્ટરીઓ માટે અન્યાયી ઇન્કમટેક્સના કાયદાની કલમમાં પણ આવકારદાયક સુધારો કરાવવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના આ પ્રકારે અનેક પ્રશ્નો ગૂંચવાયેલા છે ત્યારે મિતીશ મોદી જેવા પ્રતિનિધિ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી રાજ્ય સરકાર સાથે અસરકારક રીતે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેમ છે.

સી.એ. મિતીશ મોદીના સમર્થકોએ આપેલી માહિતી મુજબ સુગર ફેક્ટરીઓ ખાંડના એફ.આર.પી. કરતા વધારે ભાવ ચૂકવે તો તેના પર ઇનકમ ટેક્સ લાગૂ કરવામાં આવ્યો હતો.

2013 માં પહેલી નોટીસ સુગર ફેક્ટરીઓને મળી હતી. આ મુદ્દા પર ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓના ફેડરેશને મિતીશ મોદીને અધિકૃત રજૂઆત કર્તાનો દરજ્જો આપીને મામલાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એ 2006-07થી 2010-11 સુધીના સમયગાળા માટે 2500 કરોડ સુધીની ટેક્સ ડિમાંડ નોટીસ કાઢી નાંખી હતી. કુલ 17 ફેક્ટરીઓને આ પ્રકારે સીધો ફાયદો મિતીશ મોદીની મુદ્દાસર રજૂઆતોને કારણે શક્ય બની શક્યો હતો. ગુજરાત સુગર ફેડરેશનને સુરતના સી.એ. મિતીશ મોદીને અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નિયુક્તિ આપી છે.

એ પછી આકારણી વર્ષ 11-12, 12-13, 13-14 અને 14-15ના એસેસમેન્ટ વર્ષ માટે પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.

2014માં સુગર ફેક્ટરીઓ પર લાગૂ કરાયેલા ઇન્કમટેક્સના મુદ્દે વડાપ્રધાન શ્રી મોદીને મળેલા પ્રતિનિધિ મંડળમાં મુખ્ય રજૂઆતકર્તા બન્યા હતા મિતીશ મોદી

દક્ષિણ ગુજરાતના અનેક ઉદ્યોગ ધંધાના પડતર પ્રશ્નો પરત્વે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન સાધી નિરાકરણ લાવવામાં સી.એ. મિતીશ મોદીની ભૂમિકા નિર્ણાયક બની શકે તેમ છે

પરીણામે આ સમગ્ર મુદ્દા પર મિતીશ મોદીએ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન તૈયાર કરીને 2014માં વડાપ્રધાન શ્રી મોદીને રૂબરૂમાં નવી દિલ્હી ખાતે રજૂઆતો કરી હતી. ગુજરાતના દરેક એમ.પી.ની હાજરીમાં તેમણે રજૂઆતો કરી હતી. વડાપ્રધાન શ્રી મોદીએ રિપ્રેઝન્ટેશન સાંભળીને તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીને મુદ્દો રિફર કર્યો હતો. જેના કારણે નાણાકીય વર્ષ 15-16થી કાયદો બદલાવવાની રજૂઆતો કરવામાં આવ્યો હતો.

ઇન્કમ ટેક્સ એક્ટ 1962ની કલમ નં.36 (1) (17) કલમમાં સુધારો મિતીશ મોદીના સૂચવ્યા અનુસાર કરવામાં આવ્યો હતો.

દરેક રાજ્ય સરકારે સુગર ફેક્ટરી જે ભાવ પાડે તે ભાવ રાજ્ય સરકારે મંજૂર કરવાનો અને તેના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત રાજ્ય તરફથી સુરતના સી.એ.ની નિમણૂંક કરવામાં આવી છે.

September 29, 2020
mitishmodi1.jpg
1min4010

આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે યોજાનારી ચૂંટણીમાં ઘણાં વર્ષો પછી કોઇ વ્યાવસાયિક (પ્રોફેશનલ) વ્યક્તિને પુનઃ લિડરશીપ મળે એવા હેતુ સાથે અનેક ખ્યાતિપ્રાપ્ત વેપારી મહાજન, પ્રોફેશ્નલ્સ જાણિતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીને સપોર્ટ કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામેલા અનેક ઉધોગ, ધંધાઓ, રોજગાર માટે મિતીશ મોદી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાના મિશન અને વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે.

મિતીશ મોદીની ઉમેદવારીને સુરત શહેર જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં વિકસીત નાના મોટા ઉદ્યોગ ધંધાઓના પ્રમોર્ટસ દ્વારા સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન મિતીશ મોદીએ સહકારી ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર સુધી કરેલી ધારદાર અને પરીણામદાયી રજૂઆતો સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પ્રચારમાં તેમના માટે જમા પાસું લેખાય રહ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના અનેક માજી પ્રમુખો, મેનેજિંગ કમિટી સભ્યો સમેત અસંખ્ય સભ્યો દ્વારા તેમને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

આ વિઝન સાથે ચૂંટણી લડી રહ્યા છે મિતીશ મોદી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડી રહેલા સી.એ. મિતીશ મોદી હાલ પ્રત્યક્ષ (વન ટુ વન મિટ, ગ્રુપ મિટીંગ) તેમજ પરોક્ષ (સોશ્યલ મિડીયા) મારફતે ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે. પોતાની ઉમેદવારી તેમજ વિઝન અંગે સી.એ. મિતીશ મોદીએ જણાવ્યું હતું કે એસ.જી.સી.સી.આઇ.ની જુદી જુદી પ્રવૃતિઓ જેવીકે એક્ઝીબિશન, વેબીનાર્સ, સેમિનાર્સ, બાયર્સ એન્ડ સેલર્સ મીટ, ઉદ્યોગ-ધંધાઓને સ્પર્શતા પ્રશ્નો, ટેક્સ સંબંધિત પડતર પ્રશ્નો, સબસિડી, સ્કીમ્સ, તમામ ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોનું સંકલન સાધીને તેનો પરીણામદાયી નિકાલ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે.

માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી વ્યૂહરચના

મિતીશ મોદી અને તેમની ટીમ આ વખતની ચેમ્બર વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કોઇ જ ચાન્સ લેવા માગતી નથી એટલા માટે જ તેઓ માઇક્રોલેવલ પ્લાનિંગ સાથે ચૂંટણી લડી રહ્યા છે. મતદારોને વન ટુ વન સંપર્ક સાથે તેમની ભાવિ સ્ટ્રેટેજી અંગે પણ માર્ગદર્શિત કરીને તેમને વોટીંગ માટે સંમત કરવામાં આવી રહ્યા છે.

September 28, 2020
ashish_gujaratipic.jpg
1min13090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI માં 2019થી લિડરશીપના પરીમામો બદલાયા છે. હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની એન્ટ્રી સાથે SGCCIના નેતૃત્વમાં થઇ રહેલા પરીવર્તન સામે મળી રહ્યા છે. 2022માં SGCCIની લિડરશીપ કોણ કરશે એ આગામી તા.4થી ઓક્ટોબર 2020ના રોજ યોજાઇ રહેલી SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી નક્કી કરશે. 2022માં SGCCIની લિડરશીપ મળે એ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા, અસ્સલ સુરતી મિજાજ ધરાવતા આશિષ ગુજરાતી અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.

SGCCIના વોટરોમાં આશિષ ગુજરાતી પરિચિત ચહેરો

આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગકાર આશિષ ગુજરાતીએ વહેલી સવારે એસવીએનઆઇટી ખાતે મોર્નિંગ વૉક ગ્રુપ મેમ્બર સાથે ઇલેક્શન અંગે મસલતો કરી હતી.

આશિષ ગુજરાતી માટે કહેવાય છે કે એ ડેટાનો માણસ છે. કોઇપણ રજૂઆત કે પ્રેઝન્ટેશનમાં ડેટાબેઝથી તેઓ આક્રમક રજૂઆત કરતા જણાયા છે. SGCCIના વોટરોમાં તેઓ બિલકુલ પરિચિત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે હાલમાં જે રીતે તેઓ અન્ય ઉદ્યોગો માટે કાર્ય કરી રહ્યા છે એ જોતા તેમની તૈયારી 2022ની SGCCI લિડરશીપ માટેની જોવા મળી રહી છે.

2022માં SGCCIનું સુકાન સંભાળી શકાય એ માટે આશિષ ગુજરાતીએ 2019માં જ પાયો નાંખી દીધો હતો. ગત વર્ષે 2019માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ પણ ઉમેદવારી કરી હતી. અને બે શક્તિશાળી ઉમેદવારો વચ્ચે લડાઇમાં શક્તિ વેડફાય ન જાય એ માટે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. SGCCI માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગરવાલ, ભરત ગાંધી વગેરે જેવા ઉદ્યોગપતિઓની મધ્યસ્થીમાં આશિષ ગુજરાતીએ 2019માં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. એ સમયે તેમને કમિટમેંટ અપાયું હતું કે 2020ની વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં બીએસ અગરવાલ, દિનેશ નાવડીયા જૂથના સત્તાવાર ઉમેદવાર આશિષ ગુજરાતી હશે અને હાલ એ પરિસ્થિતિ SGCCIના વોટરો જોઇ રહ્યા છે. આમ, ઇલેકશનમાં શક્તિ વેડફવા કરતા 2022માં લિડરશીપ સમયે પોતાની શક્તિનો ઉપયોગ થાય તો સુરતના ઉદ્યોગોને તેનો ફાયદો મળે એ ગણિત સાથે હાલ આશિષ ગુજરાતી SGCCIના વી.પી.નું ઇલેકશન લડી રહ્યા છે.

SGCCIના વોટરો લિડરશીપ માટે બિઝનેસ પર્સનાલિટી પસંદ કરતા આવ્યા છે

SGCCIની લિડરશીપ આમ તો છેલ્લા ત્રણ વર્ષથી બદલાયેલી જોવા મળી રહી છે. SGCCIના મતદારો વ્યાવસાયિકને નહીં પણ ઉદ્યોગકારને સુકાન આપવા માટે વોટિંગ કરી રહ્યા છે. SGCCIમાં પ્રેસિડેન્ટનું ઇલેકશન થતુ નથી. વાઇસ પ્રેસિડેન્ટ સામે સર્વાનુમતે કોઇ ચૂંટણી લડતું નથી અને એ પરંપરાગત રીતે પ્રેસિડેન્ટ બને છે. હેતલ મહેતા, કેતન દેસાઇ અને દિનેશ નાવડીયા ત્રણેય અલગ અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેમની સામે વ્યાવસાયિકો વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા છે.

September 25, 2020
utran.jpg
1min3550

સુરતના ઉત્રાણ નજીક આવેલા તાપી નદી પરના રેલવે બ્રીજ પરથી આજે એક મહિલાએ આત્મહત્યાના ઇરાદે નદીમાં ઝંપલાવી દીધું હતું. એ સમયે રેલવે ટ્રેક પર જ કાર્ય કરી રહેલી રેલવે વર્કમેન ટીમને આ ઘટનાની જાણ થતાં જ ટ્રેક મેન સ્ટાફ ત્યાં પહોંચી ગયા હતા અને સમયસર ફાયરબ્રિગેટ તેમજ અન્ય બચાવકર્મીઓને તેડાવીને ડૂબી રહેલી મહિલાનો જીવ બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું.

વેસ્ટર્ન રેલવેએ આ સમગ્ર ઘટના અંગે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહિલાનો જીવ બચાવવામાં સમયસૂચકતા વાપરનાર ટ્રેક મેનને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

September 23, 2020
breaking_CIA-1280x831.jpg
1min11790

https://m.facebook.com/story.php?story_fbid=3284845758267822&id=604307259655032

તા.23મી સપ્ટેમ્બરે મધરાતે સવા ત્રણ વાગ્યાના અરસામાં અડધા સુરતમાં પ્રચંડ વિસ્ફોટની ધણધણાટી અનુભવાતા લાખો સુરતીઓ નિંદરમાંથી જાગી ગયા હતા. કશુંક અજુગતું થયાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં વહેતી થઇ હતી. જ્યાં આ વિસ્ફોટ બન્યો એ હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થોડા સમય તો ભારે અફરાતફરીનો માહોલ સજાર્યો હોવાનું ગામવાસીઓએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવએ સુરત ફાયર બ્રિગેડને આ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે આગની હોનારત સર્જાયાનો કોલ મળ્યો છે અને સુરતથી ફાયર ફાઇટર રવાના થયા છે. પ્રાથમિક માહિતી મુજબ હજીરા ઓએનજીસી મધરાતે સવા ત્રણ વાગ્યાની આસપાસ એક મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ પ્રસરી હતી. લગભગ વીસેક મિનિટ સુધી તો આગની જવાળાઓ સાથે પ્રચંડ અવાજ સમગ્ર વિસ્તારમાં સંભળાય રહ્યો હતો. છેક સિટીલાઇટ સુધીના વિસ્તારોમાં અવાજો સંભળાયાનું સુરતીઓએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઓએનજીસીની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી જેને કાબુમાં કરવા ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા છે.

અડાજણ, અઠવાલાઇન્સથી ડુમસ સુધીના લાખો લોકો જાગ્યા

હજીરા ઓ.એન.જી.સી. ખાતે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રાંદેર, અડાજણ, પાલ, ઉમરા, અઠવાલાઇન્સ, પીપલોદથી લઇને ડુમસ સુધીના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા. બારી બારણા પણ ધ્રુજી ગયા હતા અને આગની પ્રચંડ જવાળાઓને કારણે સુરતનું આકાશ કેસરી રંગે રંગાઇ ગયેલું જોવા મળ્યું હતું. અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, ભાઠા વિસ્તારના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોએ આગ તેમજ આકાશના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં મૂકીને મોટી હોનારત સર્જાય હોવાની ભીંતી વ્યક્ત કરી હતી.

September 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min2860

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પેન્ડેમિકમાં પણ SGCCI ની પ્રવૃત્તિઓને ને ધમધમતી કરી દેનાર દિનેશ નાવડીયાને રોકવા વિરોધીઓ છેલ્લી પાયરીએ બેઠા છે. SGCCIની ઐતિહાસિક પરંપરા છે કે વાઇસ પ્રેસિડેન્ટ બિનહરીફ પ્રેસિડેન્ટ બને છે, પરંતુ, હાલના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને રોકવા માટે SGCCI ના ઇતિહાસમાં પહેલી વખત પ્રસિડેન્ટ ઇલેકશન કરાવવાના પ્રયાસો કરાયા એમાં નિષ્ફળ ગયા બાદ હવે ચેમ્બર પ્રેસિડેન્ટ પદે એક મહિનાની રજા મૂકીને ગ્રેસફુલ એક્ઝીટ કરી જનાર કેતન દેસાઇને ફરીથી SGCCI પ્રેસિડેન્ટની ખુરશી પર બેસી ગયા છે. માની શકાય કે SGCCIમાં હવે નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય નહીં પરંતુ, કોઇ વ્યક્તિ પાસે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરાવ્યા બાદ તેમને ખસેડવા પાછળનો આશય શું હોઇ શકે. હવે જ્યારે દિનેશ નાવડીયા સામે કોઇ ઉમેદવાર જ રહ્યા નથી ત્યારે કેતન દેસાઇ પ્રમુખ પદે હાજર થઇને ભેરવાય ગયા છે.

વિરોધીઓનો પ્લાન તો એવો હતો કે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા સામે તમામ પરંપરાઓ તોડીને કોઇપણ વ્યક્તિને ચૂંટણી લડાવવામાં આવે, ચૂંટણી થાય તો આચારસંહિતાના નામે દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા રોકી શકાય, પણ દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની મુદત ગત જુન 2020ના પહેલા સપ્તાહમાં પૂરી થઈ ચૂકી છે, આમ છતાં તેઓ કોવીડ-19 પેન્ડેમિકની અસાધારણ પરિસ્થિતિ હોવાના બહાને તેમના હોદ્દા પર યથાવત્ રહ્યા હતા.

નિયમાનુસાર નવા વર્ષના હોદ્દેદારોનું ઇલેકશન સમયસર નહીં થતાં તેનો સીધો ફાયદો કેતન દેસાઇ અને તેમના જૂથે મેળવીને ચેમ્બર પ્રેસિડેન્ટ તરીકે કામગીરી ધરાર ચાલુ રાખી હતી. અહીં એ વાત નોંધવી જોઇએ કે નૈતિક્તા જો આધાર બને તો પ્રેસિડેન્ટ 6 જુન 2020 બાદ ચેર પરથી ઉતરી જ જાય પણ અહીં નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.

દરમિયાન SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય શરૂ કરવા અને કેતન દેસાઇને ગ્રેસફુલ એક્ઝીટનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ કરીને મામલો આગળ ધપાવવામાં આવ્યો હતો.

મોટા પાયે શ્રમિકો સુરત પરત ફરી રહ્યા છે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે, આ તમામ પ્રોસિજર દિનેશ નાવડીયાની લિડરશીપને આભારી

22મી જુનથી દિનેશ નાવડીયાએ SGCCIના ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરી અને ડે-વનથી જ તેમણે પેન્ડેમિક સ્થિતિમાં ઉદ્યોગ, વ્યવસાયો માટે અનેક પ્રકારની કામગીરી શરૂ કરી. સંખ્યાબંધ વેબિનાર્સનું આયોજન થયું. દિનેશ નાવડીયાએ હીરા, ટેક્સટાઇલ, કેમિકલ, બાંધકામ વગેરે તમામ ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટે આક્રમક પ્રેઝન્ટેશન કર્યા અને અનેક મુદ્દાઓને નિકાલ કર્યો. સૌથી અગત્યની કાર્યવાહીમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી લેબર પાછા મળે એ માટે યુપી., બિહાર, ઓરિસ્સાથી સુરત માટે ખાસ શ્રમિક ટ્રેનો શરુ કરાવી. સુરત પરત આવતા લેબરને કોરોનાથી બચવા માટેનું માર્ગદર્શન, માસ્ક, સેનિટાઇઝેશન, ટેસ્ટીંગ વગેરે પ્રક્રિયાઓ માટે સહાયભૂત થવા માટે SGCCIની ટીમ અનેક દિવસોથી અભિયાન ચલાવી રહી છે.

એક મહિનામાં દિનેશ નાવડીયા અને તેમની ટીમે જે કામગીરી કરી એના વિશે એક આખું પુસ્તક લખી શકાય. પરંતુ, અહીં મુદ્દો એ છે કે SGCCIમાં દિનેશ નાવડીયા અને બી.એસ. અગ્રવાલ જેવા મહારથીઓને રોકવા માટે તેમના વિરોધીઓ છેલ્લી કક્ષાએ ઉતર્યા છે.

એક મહિનાની રજા બાદ કેતન દેસાઇ ફરી SGCCI પ્રેસિડેન્ટ તરીકે હાજર થાય એ બાબત ઘણી સૂચક અને ટીકાપાત્ર બની છે. નૈતિક્તાની તો અપેક્ષા રખાતી નથી પરંતુ, સમજવા જેવી વાત છે કે દિનેશ નાવડીયાએ જે કામ ઉપાડ્યું છે એના પર દેખિતી રીતે બ્રેક લાગવાની છે. 4 ઓક્ટોબરે SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને એ પણ વાત નિશ્ચિત બની ચૂકી છે કે દિનેશ નાવડીયા સામે પ્રેસિડેન્ટ પદ માટે કોઇ ઉમેદવાર રહ્યો નથી. આમ છતાં, કેતન દેસાઇએ કયા કારણોસર રજા પરથી પરત આવીને SGCCI પ્રેસિડેન્ટની ખુરશીમાં બેસી ગયા એ પાછળના કારણોની વ્યાપક ચર્ચાઓ SGCCIમાં ચાલી જ રહી છે.

September 23, 2020
md.jpg
1min3560

અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી એક યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે તા.22 સપ્ટેમ્બર 2020ના રોજ ઝડપી પાડ્યો હતો. આ યુવાન ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેને ઝબ્બે કરવામાં આવતા શહેરના ડ્રગ્સ માફિયાઓમાં સોંપો પડી ગયો છે. કહેવાય છે કે સુરતના ચોક્કસ વિસ્તારના યંગસ્ટાર્સમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે, રાંદેરના અમુક વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન પણ અમૂક ડ્રગ્સનું વેચાણ ચાલુ હતું અને તે પણ પોલીસની રહેમનજર હેઠળ.

Symbolic photo

સુરતના નવા નિયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમારે પોતાના ખાતાથી લઈને શહેરના ડ્રગ્સ માફિયા અને પેડલરો સામે જંગ છેડ્યો છે. પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને તેમાં છેલ્લા દિવસોમાં પોલીસને સફળતા પણ મળી રહી છે. પોલીસ દ્વારા બે-ત્રણ દિવસોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો . હાલમાં જ ઉધના ખાતેથી ખટોદારા પોલીસે રૂપિયા એક  લાખની કિંમતના ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો તેની કિંમત અંદાજે એક કરોડ માંડવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને પહોંચાડવાનું તેના સોર્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એમડી ડ્રગ્સ તમારા દિમાગની ક્ષમતાને વધારી દે છે તમે હવામાં ઊડી રહ્યાં હોય તેવું ફિલ કરાવે છે પરંતુ તમારામાં દિમાગને એ એક કાલ્પનિક ડરની સ્થિતિમાં મોકલી આપે છે. તમને ગભરામણ અને ચિંતા સતાવે છે, એકવાર તેની લત લાગે પછી તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. મોટાભાગની પાર્ટીઓમાં અને સ્થાનિક યુવાનો આ ડ્રગ્સ પાછળ પોતાનું મૂલ્યવાન જીવન બરબાદ કરી રહ્યાં છે અને માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ હાલ સમગ્ર ભારતમાં ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે સંકળાયેલા સત્તાધીશોની સામે સરકાર દ્વારા અન્ડરગ્રાઉન્ડ લેવલેથી એક મુહિમ ઉપાડવામાં આવી છે.

September 22, 2020
smc.jpg
1min3710

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ આજે સુરતવાસીઓ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોના રીકવરી રેટ 90 ટકાથી ઉપર પહોંચ્યો છે અને સાથે જ મૃત્યુદર પણ ઘટીને 2.5 ટકા સુધી આવી ગયો છે. સુરતમાં આંતરીક દ્રષ્ટીએ કોરોના કાબૂમાં છે પરંતુ, બહારગામથી સુરત આવતા લોકો ખાસ કરીને રેલ્વે સ્ટેશન તેમજ જુદા જુદા એન્ટ્રી રોડ પરથી આવતા લોકોમાં કોરોના કેસોની સંખ્યા વધુ મળી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ શોધી રહી છે. બેંક્વેટ હોલ તેમજ અન્ય સ્થળોમાં યોજાતા સમારોહમાં ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. સમારોહમાં આવતા ગેસ્ટ લિસ્ટના મોબાઇલ નંબરો મહાનગરપાલિકાને આપવા જોઇએ.

સાંભળો મ્યુનિસિપ કમિશનર બંછાનિધી પાનીનો 22 સપ્ટેમ્બરનો ઓડિયો મેસેજ

Commissioner Shri B N Pani (IAS) LIVE 22-9-2020

My Surat यांनी वर पोस्ट केले मंगळवार, २२ सप्टेंबर, २०२०

September 21, 2020
ukai.jpg
1min4080

તા.20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ સુરતના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉકાઇ ડેમમાંથી અંદાજે પોણાબે લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરાયું હતું. કેમકે ઉકાઇ ડેમમાં વોટર લેવલ ભયજનક સપાટી 345 ફૂટ નજીક પહોંચે તેવી શક્યતા હતી.

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે. જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે. જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે. રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે. 
હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર, એટલે કે 20,723 ક્યુસેક છે. તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

September 12, 2020
cia_society-1280x880.jpg
1min3340

ગત માર્ચ 2020માં કોરોના પેન્ડેમિક અને લૉકડાઉનની સ્થિતિને કારણે સુરતથી પોતાના વતન ઓરીસ્સા પરત ફરેલા કામદારોને હવે ઝડપભેર સુરત પરત લાવવામાં નહીં આવે તો ઉદ્યોગોને પારાવાર નુકસાન થાય તેમ છે. આવી સ્થિતિમાં ઓરિસ્સાથી કામદારો ઝડપભેર પરત ફરે તે માટે ટ્રેન વ્યવહાર જરૂરી હોવાથી સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વિવિધ યુનિયનોએ સુરત-નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી સાથે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતો ફળદાયી રહી છે અને કેન્દ્ર સરકારે ઓરીસ્સાથી સુરત ત્રણ સ્પેશયલ ટ્રેન કામદારો માટે જ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ સમેત સુરતના જુદાજુદા એસોસીએશનોએ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી મોદી, પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનો આભાર માંગતુ નિવેદન પ્રગટ કર્યું છે.

આટલા એસોસીએશનોએ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો

  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી દિનેશ નાવડીયા
  • ફિયાસ્વી, સુરતના ચેરમેન શ્રી ભરતભાઇ ગાંધી
  • ક્રેડાઇ સુરતના પ્રમુખ શ્રી રવજીભાઇ પટેલ
  • સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ શ્રી જીતુભાઇ વખારીયા
  • પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસા.ના પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી
  • વેડરોડ આર્ટ-સિલ્ક સ્મોલ સ્કેલ કો.ઓ. ફેડરેશનના પ્રમુખ શ્રી દિવેશ પટેલ
  • સચીન નોટીફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા,
  • પ્રવાસી ઉડીયા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ રાઉત
  • માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી જવાહરભાઇ ગોંડલિયા
  • સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાટીયા
  • સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ શ્રીસંદીપભાઇ દુગ્ગલ